________________
પડશે. જેમકે જીવ દેહમાં આત્મબુદ્ધિએ સુખ માનતો હતો. રાગાદિ ભાવને પોતાના જાણતો હતો. તે વિકલ્પો હવે શાંત થયા છે, નષ્ટ થયા છે. આત્મઉપયોગ પવિત્રપણે રહ્યો છે તે પ્રમાણે સ્વરૂપનું સમ્યગુદર્શનનું સ્વરૂપ સમજાવી શકાય.
પિપ૭] જેનો મોક્ષ નિકટ છે તેવા જીવમાં તે માર્ગને યોગ્ય લક્ષણો પ્રગટ થાય છે. આત્યંતિક દયાના ભાવ, મોક્ષની જિજ્ઞાસા સંસાર પ્રત્યે નિર્વેદ, વિગેરે. વળી સૂક્ષ્મ રીતે વિચાર કરતાં પોતાના સંસ્કારમાં રહેલા દોષોનાં દર્શન થાય છે. તે દોષોને હવે જીરવી શકતો નથી. બીજી બાજુ શમ, સંવેગ, મૈત્રી આદિ ગુણો સહજપણે પ્રગટ થાય છે. આમ ગુણોની સઘનતા થતાં ચિત્ત નિર્મળ થાય છે. અપેક્ષા આકાંક્ષા અને આશાઓ શમી જાય છે. ગુણો સાધકની કાયા બને છે. એ ગુણોની અનુભૂતિ આત્માનુભવની નજીકની દશા છે. ત્યાર પછી યોગ્ય કાળે નિર્વિકલ્પદશાએ પહોંચી પ્રત્યક્ષ આત્માનુભવનો આનંદને પામે
[૫૫૮] જ્યારે દૃષ્ટિ દ્રામાંથી ઉદ્ભવી દશ્ય તરફ જાય છે, ત્યારે દૃષ્ટિની દ્રય ઉપર અને દશ્યની દ્રષ્ય ઉપર અસર થાય છે. (દષ્ટિ-ઉપયોગ, દૃષ્ટા-આત્મા, દ્રય બહારનાં કારણો) સંતોની દૃષ્ટિની પવિત્રતા તેના સંપર્કમાં આવનાર પર શુભ અસર રૂપે થાય છે. વાતાવરણમાં રોગ શોક શમે છે. જો દૃષ્ટિ અપવિત્ર છે તો તેની અસર પણ વિપરીત થાય છે. આ એક ઔપચારિક પ્રક્રિયા છે. [૫૫૯]
વાસ્તવમાં જોનારો જોણાંથી-દશ્યથી ભિન્ન છે. દ્રષ્ય સ્વ છે સ્વાધીન છે, દશ્ય પર છે પરંતુ સંસ્કારવશ સ્વમાંથી ઉદ્દભવેલી દૃષ્ટિઉપયોગ નિજઘરમાં કરવાને બદલે દયમાં પરઘરમાં જાય છે, અને તેમાં અહમ કે મમત્વ પેદા કરે છે. આ ભૂલ એ મિથ્યાત્વ છે. તે દુઃખદાયી છે. જો દ્રષ્ટા સ્વઘરમાં રહે તો સુખદાયી છે. જોનારને જાણે તે એક સિદ્ધાંત છે. તેની અનુભૂતિની પ્રક્રિયા છે, પરપદાર્થોમાં કે
૧૫૪ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org