________________
પરિણતિને આત્મસ્વરૂપમાં વાળે છે બાહ્ય ભાવોથી મુક્ત કરવા પ્રયત્ન કરે છે. અને ધર્મનું મૂળ સમ્યગદર્શનને આરાધે છે, તે સાધક છે. નહિ તો
ખિલા પિલા કે દેહ બઢાયા. વો ભી અગન સે જલાના હૈ”
પિપ૦] એક કોલસા રાખવાનું સ્થાન છે. ત્યાં લેવા-મૂકવાનું કામ ચાલતું હોય તો તે સ્થાન ચોખ્ખું કેવી રીતે રહી શકે? તે જ રીતે જીવના ભાવમાં-સ્થાનમાં રાગાદિ મલિનતા ચાલી રહી હોય તો તે સ્થાન કેવી રીતે પવિત્ર રહી શકે? જીવ નિરાકુળ કેવી રીતે રહી શકશે? સંસારમાં ઘણાં કણે સહન કરીએ છીએ. વૈરાગ્ય અને જ્ઞાનની દિશામાં અગર કોઈ કષ્ટ આવે તો તે માત્ર માનવામાં છે, વાસ્તવિક કષ્ટ નથી તો તે સહન કરીને આગળ કેમ ન વધીએ! [૫૫૧]
વૈરાગ્ય અને જ્ઞાન પોતાના ગુણ છે તેમાં કષ્ટ શું હોય ? જે જે પ્રકારોમાં રાગનો લગાવ છે તે છોડવાનો છે. આ ધનમાલ સ્વજન પરિવારાદિ મારા છે નહિ, મૂકીને જવાનું છે. તેનો રાગ છોડવો તેમાં કષ્ટ શું લાગવું? જ્ઞાન તો આત્માનો સહજ ગુણ છે. જાણવામાં કંઈ કષ્ટ નથી પણ પદાર્થને જાણીને કર્તા ભોક્તા ભાવથી જીવ દુઃખી થાય છે. કર્તા ભોક્તાભાવ છૂટ્યો કે જીવ સ્વરૂપમાં મગ્ન થાય છે. ત્યાં સુખ જ સુખ જ છે.
[૫૫૨] નદીના જબરજસ્ત વહેણમાં કચરો લાકડાં બધું જ તણાઈ જાય છે સમ્યક્ત્વરૂપી પવિત્ર વહેણમાં ભવોભવનાં કર્મોની રજ તણાઈ જાય છે. સંસારમાં જ્યાં સુધી જીવ કષાય કરે ત્યાં કર્મયજ કર્મરૂપ થઈ જાય છે અને પ્રકૃતિ પ્રમાણે ફળ આપે છે. ત્યારે આત્માની જ્ઞાનશક્તિ આવરણ પામે છે. કષાયના ભાવો આત્મામાંથી આવે છે તેમ સમ્યકત્વનો પ્રવાહ પણ આત્મામાંથી આવે છે. તે જીવને શક્તિના સ્રોત તરફ લઈ જઈ કર્મરજોને દૂર કરી દે છે. ત્યારે જીવ આપોઆપ
૧૫ર
અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org