________________
સંબંધ નથી. ત્યાં કેવળ સ્વરૂપદર્શન છે.
[૫૨૭]
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ સાધન છે. આત્માચેતનાને વિકારમુક્ત થવાનાં સાધન છે. જેમ પુષ્પને પાંગરવા બી વાવવું પડે છે તેમ અહિંસા જેવા ભાવ ધર્મને પ્રગટવા જ્ઞાનનું બીજ વાવવું પડે છે. પુષ્પોની માવજત-જતન કરવું પડે છે. તેમ સાધનરૂપી પુષ્પોની જતના કરવી પડે છે. [૫૨૮]
જીવનના બાહ્યાચારની વિકૃતિઓ આંતરિક મલિનતાનું દ્યોતક છે. એ વિકારોની જડ અજ્ઞાન છે. અજ્ઞાન દૂર થતાં વિકારો ટકી શકતા નથી. સ્વ-૫૨ હિતનો સ્વીકાર અહિંસા જેવા ભાવધર્મને પ્રગટ કરે છે. ૫૨ને ૫૨ જાણે. અથવા ૫૨માં સ્વાત્મદર્શન એ અહિંસાનો ભાવધર્મ છે. તેમ અન્ય સાધનો વિષે બોધ થવો તે ધર્મ છે. [૫૨૯] સંસારમાં જીવોના દુઃખના અનેક પ્રકાર હોવા છતાં તેનું મૂળ કારણ એક જ છે, ‘અજ્ઞાન’, દરેક જીવ પોતાનું દુઃખ દૂર કરવા ઇચ્છે છે, પણ દુ:ખ દૂર થતું નથી. દુ:ખના સંયોગો બદલાય છે દુ:ખ ઊભું રહે છે. ચેતનાની મિલન અવસ્થામાં દુઃખનો અનુભવ થાય છે. જ્યાં સુધી એ મલિન અવસ્થા દૂર ન થાય ત્યાં સુધી દુ:ખથી વાસ્તવિક મુક્તિ પામવા માટે ચેતનાની સ્થિતિ બદલવી જોઈએ. માન્યતા બદલવાવવી જોઈએ, તો દુઃખથી મુક્તિ થાય. ચેતનાની બે સ્થિતિ છે; એક જ્ઞાન, બીજી અજ્ઞાન. ૫૨ સાથે તાદાત્મ્યભાવ છે ત્યાં સુધી દુ:ખ છે. સ્વમાં તાદાત્મ્ય છે ત્યાં સુખ જ છે. માટે ૫૨’ના પ્રત્યેથી મુક્ત થઈ સ્વને જાણવા એ દુઃખમુક્તિનો ઉપાય છે. [૫૩૦]
મનુષ્ય બહારમાં ઘણા પ્રકારની ધર્મવિધિને ધર્મ માની લે છે. અને સંસારની મમતા, આસક્તિ જેવી ને તેવી રહે છે. ત્યારે ધર્મ પણ તેને માટે અપેક્ષિત વાસના બને છે. કોઈ પ્રકારની વાસના એ બંધન છે. કારણ કે એવા જીવો અંત૨માં તૃપ્ત હોતા નથી. પણ બહાર દોડતા હોય છે.
[૫૩૧]
Jain Education International
૧૪૬ * અમૃતધારા
For Private & Personal Use Only
www.jainelibrary.org