________________
કે હું દેહાદિથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું! આવા આત્મવિચારનો દીવો-પ્રકાશ લઈને વિષયો અને કષાયોના નિમિત્તોથી દૂર રહે, શીલસદાચારનું પાલન કરે / જીવો સાથે મૈત્રી કેળવે / નિરપરાધી જીવોની રક્ષા કરે | સત્ સમાગમ કરે, દોષ-દર્શન કરે, ગુણગ્રહણતા કેળવે, આમ મોક્ષપુરુષાર્થ કરે, ત્યારે કર્મની મલિનતા ઘટે, મિથ્યાત્વનો અંધકાર દૂર થાય, અત્યંત હળુકર્મી બને. આત્મશક્તિમાં પૂરો સભાન રહે ત્યારે માર્ગે ચઢે. કર્મની વિષમતા એવી છે કે પલટો મરાવી દે. માટે ગુરુગમ ગુરુ પ્રભાવમાં રહેવાથી દુર્વાર એવા કામ ક્રોધાદિ જિતાય છે ત્યાર પછી દઢ પ્રણિધાન દ્વારા કટિબદ્ધ રહેવું. ભલે થોડો વિલંબ થાય પણ આત્માની નિર્મળ પરિણતિનો આશ્રય લઈ આગળ વધવું. તે વ્યવહારશુદ્ધ પછીની વિકસતી નિશયદૃષ્ટિ છે.
[૩૬૪] સાધુજનોને પરીષહો સહેવા તે વ્યવહારચારિત્ર છે. તેઓ સંસારનો ત્યાગ કરે ત્યારે શરીર તો સાથે હોય છે. સાધનામાર્ગથી સાધુ નીચે ન આવે તે માટે પરીષહો છે. તે પરીષહો સહન કરીને શરીર બધી પરિસ્થિતિમાં અભ્યસ્ત થઈ જશે. એટલે શારીરિક વેદના સમયે શરીર શરીરનું કામ કરશે. સાધક સાધકનું કાર્ય કરશે. શરીરના સ્તરના પરીષહોની સાધકના ચિત્તમાં કોઈ નોંધ નથી આવતી. પરભાવ સ્વયં જ ક્રમે ક્રમે નિષ્ક્રિય બને છે.
[૩૬૫] પરીષહ સહનાદિક પકારો એ સબ વ્યવહારા
નિશ્ચયગુણ ઠરણ ઉદ્યરા, લહત ઉત્તમ ભવપાશે.” સાધુમાં સાધના ઘૂંટાઈ જાય ત્યારે સાધનાને શરૂ કરવાની જરૂર નથી રહેતી. સમિતિ ગુપ્તિ પરીષહ ઉપસર્ગ બેસવું ઊઠવું બધું જ ધ્યાન છે. અંતરંગમાં ધ્યાનદશા સતત ચાલુ છે. ત્યાં વિકલ્પો શમી જાય છે. કારણ વિકલ્પો કે વિચારો સ્વસ્વરૂપ નથી, તે પરદશા છે. સાધુ તેનાથી ઉપર છે.
[૩૬ ૬]
અમૃતધારા ૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org