________________
મંગળવાક્યો કે નામસ્મરણ વડે પરિવર્તન લાવી તેનું શોધન થઈ શકે છે. મંત્ર સૂતેલી ચેતનાને જાગૃત કરે છે. શાસ્ત્ર એ ચેતનાનાં રહસ્યો પ્રગટ કરે છે.
૪િ૩૯] જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જુદી છે, તેમ કેવળ જ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જુદો કેવળજ્ઞાન રૂપ સૂર્યના અરુણોદય સમાન અનુભવ પંડિતોએ/જ્ઞાનીઓએ જામ્યો છે. સર્વ શાસ્ત્રો દિશા બતાવનાર જ છે. સંસારસમુદ્રનો પાર તો એક અનુભવ જ પમાડે છે. ૪૪૦]
ઇન્દ્રિયોથી ન જાણી શકાય એવો સર્વ ઉપાધિઓથી રહિત શુદ્ધાત્મા વિશુદ્ધ અનુભવ સિવાય, શાસ્ત્રોની સેંકડો યુક્તિઓથી પણ જાણી શકાય નહિ. કોઈ ઇન્દ્રિયોથી ન જાણી શકાય એવા પદાર્થો યુક્તિથી હથેળીમાં જણાય તો આટલા વખતમાં પંડિતોએ તે અતીન્દ્રિય પદાર્થોનો નિશ્ચય કરી લીધો હોત. શુદ્ધ અનુભવ વિના પુસ્તકરૂપ, વાણીરૂપ અથવા અર્થજ્ઞાનરૂપ દૃષ્ટિ રાગદ્વેષાદિથી રહિત શુદ્ધ આત્મસ્વરૂપને કેવી રીતે જાણે ? જ્ઞાની શાસ્ત્રરૂપ દૃષ્ટિથી શ્રુતજ્ઞાનશબ્દબ્રહ્મ જાણીને અનુભવથી સ્વપ્રકાશરૂપ-સ્વથી જ જાણી શકાય તેવા વિશુદ્ધાત્માને જાણે છે.”(જ્ઞાનસાર)
૪િ૪૧] શુદ્ધજ્ઞાનનયના અભિપ્રાય મુનિને જ્ઞાનસાર આત્મામાં ચાલવાથી ચારિત્રમાં ઠરવાથી જ્ઞાનદર્શન સાધ્ય છે. ક્રિયાનયના અભિપ્રાયે જ્ઞાનના ફલરૂપ (ઇયસમતિ આદિ ક્રિયાના લાભથી મુનિને જ્ઞાનદર્શન ચારિત્ર સાધ્ય છે. શુદ્ધ આત્મસ્વભાવમાં આચરણ, દોષની નિવૃત્તિરૂપ ફળ ન થાય તે જ્ઞાન કે શ્રદ્ધા નથી. જેમ દીવાની જ્યોતિનું ઊંચનીચે આડુંઅવળું જવું વિગેરે ક્રિયા પ્રકાશમય છે તેમ અન્ય સ્વભાવે નહિ પરિણમેલા જે આત્માની સર્વ ક્રિયા જ્ઞાનમય છે તેનું મુનિપણું/મૌનપણું સર્વોત્કૃષ્ટ છે. વાણીને નહિ ઉચ્ચરવારૂપ મૌન એકેન્દ્રિયમાં સુખેથી પ્રાપ્ત થાય છે. પરંતુ સંજ્ઞી-મનુષ્યને પગલોમાં મનવચન કાયાની પ્રવૃત્તિ ન થવી તે શ્રેષ્ઠ મૌન છે.
૪િ૪૨
૧૨૦ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org