________________
આત્મસ્વરૂપમાં તેનો પ્રભાવ નથી. આત્મા કર્મજન્ય સંયોગમાં ભળે નહિ તો આત્માનું કશું બગડતું નથી. પણ નિમિત્તાધીન થઈ વિકલ્પમાં ભળવું તે તારો અપરાધ છે.
[૧૭૩] આત્મા મોહવશ ઈદ્રિયોના વિષયોમાં ઇષ્ટાનિષ્ટ પદાર્થોને જાણે છે, તેમાં રાગદ્વેષરૂપે પરિણમી પુનઃ પુનઃ તે નિમિત્તથી જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મોને બાંધે છે. જીવના કરેલા રાગાદિ પરિણામોનું નિમિત્ત પામી પુદ્ગલ સ્વયં જ્ઞાનાવરણાદિરૂપે પરિણમે છે, અને આત્મપ્રદેશોની સાથે સંયોગમાં આવે છે. આત્મા અનુભવ ગુણવાળો હોવાથી તેમાં સુખદુઃખના ભાવ કરે છે.
[૧૭] જેમ કોઈ મંત્રસાધક ગુફામાં ગુપ્ત સ્વપ્નમાં બેસી મંત્રસાધના કરે અને તેની અસર અન્ય સ્થાન કે લોકોને થાય છે તેમ અજ્ઞાની જીવના અંતરંગમાં થયેલા વિભાવની શક્તિ આત્મા કંઈ કરે નહિ તો પણ પુદ્ગલો પુણ્ય-પાપ રૂપ પરિણમન કરે છે. અર્થાત્ આત્માનું વિભાવપણું આ સુખદુઃખનું કારણ છે. જીવની બાહ્ય શુદ્ધતા અંતરંગ શુદ્ધતાથી નિર્મળ થાય છે કે ફળદાયક થાય છે કેમકે અંતરંગની આધ્યાત્મિક શુદ્ધિ વિના બાહ્યની શુદ્ધિ વ્યર્થ થાય છે. આત્મામાં આત્મબુદ્ધિ થવી પરમાં આત્મપણાનો, મારાપણાનો, કર્તાપણાનો ભાવ માત્ર ન થવો તે આત્મશુદ્ધિ છે.
[૧૭૫] આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનનો સ્વભાવ શેયને જાણવાનો છે. શેયને જાણવાથી વિકાર થતો નથી પરંતુ શેયને જાણીને તેમાં ઈષ્ટાનિષ્ટ ભાવ કરી આત્મા રાગાદિભાવે વિકારી થાય છે. તે અજ્ઞાન છે. આત્મા જ્ઞાતા છે. કર્મપુગલ તે કર્મ છે. બંને પ્રગટ ભિન્ન દ્રવ્ય છે. અજ્ઞાની મોહવશ પોતાને કર્મનો કર્તા માને છે.
[૧૭૬] શુદ્ધ નયથી તત્ત્વનું સ્વરૂપ ચિંતવવું કે અન્ય દ્રવ્યોનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ નથી. જ્ઞાનની સ્વાભાવિક-સ્વચ્છતાને કારણે જોય – જણાવા યોગ્ય પદાર્થો તેમાં પ્રતિભાસે જણાય છે. દીપક પ્રકાશનો) સ્વભાવ પદાર્થોના
અમૃતધારા ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org