________________
કરીને આ અતિશયરૂપ પમરજ્યોતિ પ્રકાશમાન શુદ્ધાત્માને તરત જ દેખે છે, તે શુદ્ધાત્મા નવીન ઉત્પન્ન થયો નથી, પહેલાં કર્મથી અચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થયો છે.
વ્યવહારનું પાલન એ નિશ્ચયનું સાધન છે.” નિશ્ચયનું ધ્યાન એ વ્યવહારનું વિશોધક છે. [૩૨૬]
જે સમ્યગૃષ્ટિ જીવ પોતાના આત્માને પોતાથી નિર્વિકલ્પરૂપ દેખે છે. વીતરાગ સ્વસંવેદન લક્ષણરૂપ જ્ઞાનથી જાણે છે અને બધા રાગાદિક વિકલ્પોના ત્યાગથી નિજ સ્વરૂપમાં સ્થિર થાય છે. એવા નિશયરત્નત્રયી પરિણત થયેલ પુરુષ જ મોક્ષમાર્ગી છે. અને તત્ત્વાર્થનું શ્રદ્ધાન, શાસ્ત્રનું જ્ઞાન અને અશુભ ક્રિયાઓના ત્યાગરૂપ સમ્યગ્દર્શન સમ્યગુજ્ઞાન અને સમ્યગુશાસ્ત્ર વ્યવહાર મોક્ષમાર્ગને હે જીવ તું જાણ કારણ કે નિશ્ચયરત્નત્રયરૂપ નિશ્ચય મોક્ષમાર્ગનું સાધન છે તેના જાણવાથી કોઈ સમયે પરમપવિત્ર પરમાત્મા થઈ શકાશે.
૩િ૨૭] પ્રથમ વ્યવહારરત્નત્રયની પ્રાપ્તિ થઈ જાય ત્યારે જ નિશ્ચયરત્નત્રયની પ્રાપ્તિ થઈ શકે છે. તેમાં લેશમાત્ર સંદેહ નથી. જે
અનંત સિદ્ધ થયા અને થશે બધા પહેલા વ્યવહારરત્નત્રયને પામીને નિશ્ચયરત્નત્રરૂપ થયા છે. વ્યવહારરત્નત્રય સાધન છે નિશ્ચયરત્નત્રય સાધ્ય છે. સાત તત્ત્વ, નવ પદાર્થ, પંચાસ્તિકાય તેનું શ્રદ્ધાને તેના સ્વરૂપનું જ્ઞાન અને શુભક્રિયારૂપ આચરણ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. અને નિજ આત્માનું સમ્યફશ્રદ્ધાન, સ્વરૂપનું જ્ઞાન સ્વરૂપમાં આચરણ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. સાધન વિના સાધ્યની સિદ્ધિ નથી તે ન્યાયે વ્યવહાર સમ્યકત્વ વિના સાધ્યની પ્રાપ્તિ નથી. નિશ્ચય સમ્યકત્વ રહિત વ્યવહાર સમ્યત્વથી મોક્ષની પ્રાપ્તિ નથી.
[૩૨૮]. આત્માની પૂર્ણ અવસ્થા મોક્ષમાર્ગ છે. દ્રવ્યાદિ સર્વકર્મોથી ભિન્ન પોતાનું ત્રિકાળી ધ્રુવ’ યથાર્થ સ્વરૂપ જેવું છે. તેવું જ શ્રદ્ધાન જ્ઞાન કરી તેનો અનુભવ કરવો, દ્રવ્ય સ્વરૂપમાં એકાગ્ર તન્મય આત્મમય
૮૮ અમૃતધારા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org