________________
વડે જાણી શકાય. ગુણોમાં તન્મયતા વધે તે જ્ઞાન. તે એકાકાર બને તે ચારિત્ર. ભક્તિના આધારે જિનગણમાં વિશેષતન્મયતા તે ધ્યાનમાં ચારિત્ર. તે તન્મયતા સહેજ પાંખી પડે તે જ્ઞાન દર્શન. યદ્યપિ પાંખી તન્મયતા વિશેષ તન્મયતાનું કારણ બનવા સંભવ છે. [૧૩૯]
જ્ઞાની પોતાની પ્રગટેલી શુદ્ધ અવસ્થાને પણ પર્યાય જાણી તેમાં સંતુષ્ટ થતા નથી પણ ઉદાસીન રહે છે. તેમની દૃષ્ટિ કેવળ શુદ્ધ અસંગ આત્મદ્રવ્ય છે, તે જ વાસ્તવિક શુદ્ધ છે જેથી સાનુબંધ નિર્જરા થશે અને કર્મના અનુબંધો નિર્મૂળ થશે. દેહાદિ, રાગાદિ વિકારી અવસ્થાને સ્થાયી માની તેમાં જ રોકાઈશ તો સંસારવૃદ્ધિ પામશે. અરે શુભભાવમાં છે તેવા અવલંબનોને સ્વભાવધર્મ માનીશ તો પણ તેવા પુણ્યો પાપના અનુબંધવાળા થશે.
[૧૪] તત્ત્વદૃષ્ટિયુક્ત કે નિશ્ચયષ્ટિના આધારે સાધના કરનાર સાધક પણ વ્યવહારના વિકલ્પોમાં કબુદ્ધિ કરે તો તે પણ સ્વભાવધર્મને પામતો નથી. નિશ્ચય-વ્યવહારની સૂક્ષ્મરેખા ઓળખવી પડે. નિશ્ચય
વ્યવહારનો પારમાર્થિક સમન્વય કરવા માટે દેહાદિથી રાગાદિથી ભિન્ન નિસ્વરૂપનો દઢ નિર્ણય કરી તેમાં બાધક થતા બાહ્ય વૃત્તિ પ્રવૃત્તિને ગૌણ કરી તે નિર્ણયને પોષક વૃત્તિ પ્રવૃત્તિ સમયે પણ દૃષ્ટિ તો શુદ્ધાત્મા પ્રત્યે જ ઝૂકે. હું ક્યારે શુદ્ધ વીતરાગસ્વરૂપે પરિણમ્! એ એક જ અંતરધ્વનિને શ્રદ્ધાપૂર્વક પકડી રાખજે. | [૧૪૧]
વાસ્તવમાં જ્ઞાની મન વચન કાયાના પ્રવર્તનમાં પોતાની ભૂમિકાને બરાબર જાણે છે. આરાધનામાં અનુકૂળતામાં રાગ ન હોય અને કર્મના ઉદયથી થતી વિરાધનામાં – પ્રતિકૂળતામાં દ્વેષ ભાવ ન હોય. તે જાણે છે કે પ્રારંભની ભૂમિકામાં અપ્રશસ્ત રાગના ત્યાગ માટે પ્રશસ્ત રાગનું પ્રયજન તે પૂરતું છે. નિશ્ચયથી તો પ્રશસ્ત રાગ પણ પુણ્યબંધનું કારણ છે. તમામ પ્રકારના રાગદ્વેષના ભાવોનો કોલાહલ શાંત ન થાય ત્યાં સુધી ચારિત્ર ગુણમાં સ્થિરતા સંભવ નથી તેથી આત્મિક ગુણો કે અનુભવ
અમૃતધારા ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org