Book Title: Adarsh Kelavaninu Upnishad Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 7
________________ "The finger of a soldier Across the rivers and languages of Europe and Asia of China and Africa, of India and the Oceans Let us join our fingers to take away All the power of their finger Which keeps humanity in mourning.' Sambene Ousmane, 'Fingers' Quoted in Lotus Awards 1971, Published by the Permanent Bureau of Afro-Asian Writers] અનુપમ સૌંદર્ય ધરાવતા શિલ્પનું સર્જન કરતાં શિલ્પીની આંગળીઓ કે જમીનને હળથી ખેડ્યા બાદ ખાડો ખોદી વાવણી કરતાં ખેડૂતની આંગળીઓની વાત કરતા આ કવિ એવી આંગળીઓ પ્રતિ લક્ષ દોરે છે કે જે જીવનનો નાશ કરે છે. આજની ગ્લોબલ સોસાયટીને માટે આ ઘટના ખતરારૂપ છે, કારણ એટલું જ કે એ ઝનૂન, સંકુચિતતા કે રૂઢિચુસ્તતાને તમે અટકાવી શકતા નથી. ટેકનોલૉજી એને પળવારમાં આખા વિશ્વમાં મોકલી આપે છે. તાજેતરની ઘટનાઓએ એ પણ સૂચવ્યું છે કે ઇન્ફર્મેશન ટેકનોલૉજીમાં નિપુણ એવા યુવાનો આજે આતંકવાદનો હાથો બન્યા છે અને વિશ્વભરમાં એ આતંકવાદનો વિચાર પહોંચાડવાનું નિમિત્ત બન્યા છે. ગ્રીસના તત્ત્વચિંતક સૉક્રેટિસે સમાજની વ્યાખ્યા આપતાં કહ્યું હતું કે - “સાચી સમજ ધરાવે તે સમાજ, બાકી તો ટોળું.” આજે સાચી સમજ વિદાય પામી રહી છે અને માત્ર ટોળું રહી ગયું છે. શિક્ષણ સામેનો બીજો પડકાર એ છે કે - ‘શિક્ષણ જ્ઞાતિ, જાતિ, વર્ણ, રાજય, ધર્મ કે રાષ્ટ્રનાં ભેદભાવો મિટાવવાનું સાધન બનવું જોઈએ.’ ‘વસુધૈવ કુટુંબકમ્'નું સૂત્ર વારંવાર સાંભળવા મળે છે, અને તે ય આ વસુધાને ખંડ-ખંડમાં વિભાજિત કરનારાઓ પાસેથી. આગમ ગ્રંથોમાં આવેલું સૂત્ર ‘એવો [ HISTલ્સ ના' એટલે કે “સમગ્ર માનવજાતિ એક બને' એની [ ૧૦ E 4 આદર્શ કેળવણીને ઉપનિષદ ] વખતોવખત વાત કરવામાં આવે છે, પરંતુ આ સૂત્રો સૂત્રો જ રહ્યાં છે કે લોકહૃદયમાં સત્યરૂપે બિરાજિત થયાં છે ખરાં ? આજે વાતો ભલે “ગ્લોબલ યુનિટી'ની થતી હોય, પણ ઘર કે ગામમાં જ યુનિટી ન હોય, ત્યાં “ગ્લોબલ”ની વાત ક્યાં શક્ય બને ! આજનો માણસ સતત વહેંચાઈ રહ્યો છે. વર્તમાન સમયમાં “હું અધ્યાપક, ફક્ત ડૉક્ટર કે પછી વિજ્ઞાની કે પ્રોફેશનલ છું,' એમ કહ્યાથી કામ સરવાનું નથી. વર્તમાન વૈશ્વિક સદર્ભમાં વ્યક્તિ પોતે ક્યાં ઊભી છે તેની એણે ખોજ કરવાની છે. અસમાનતા પર આધારિત સમાજમાં એ ક્યાં ઊભો છે ? અન્યાય, આતંક અને આક્રમણનાં વિઘાતક પરિબળો રાષ્ટ્ર જીવનથી આરંભીને છેક વ્યક્તિગત જીવન પર પ્રભાવક છે, તે સ્થિતિમાં એ સ્વયં શું અનુભવે છે ? એ અંગે પોતે શું વિધાયક કાર્ય કરે છે ? પોતાની સંવેદનશીલતા અને માનવતાને અને પોતાના નિજાનંદને અવરોધતાં પરિબળો સામે એ કઈ રીતે મથામણ કરી રહ્યો છે ? વાણીસ્વાતંત્ર્ય અને માનવ-અધિકારો પર છાશવારે થતા આઘાતો સામે એની પોતાની ક્રિયા-પ્રતિક્રિયા કેવી છે ? આ બધાંનો વિચાર કરવો જોઈએ. ફાસીવાદી પરિબળો પ્રજાસમૂહને કોઈ એક યા બીજાં બહાના હેઠળ કેવી રીતે અળગો કરે છે, તેવી વાત કરતાં માર્ટિન નીમોલર (Martin Niemoeller) “To the Faculty” કાવ્યમાં કહે છે - In Germany they first came for the communist And I did not speak up because I wasn't a communist Then they came for the Jew and And I didn't speak up because I wasn't a Jew Then they came for the trade unionists And didn't speak up because I wasn't a trade unionist Then they came for the catholics And I didn't speak up because I was a protestant Then they came for me - and by that time no one was left to speak up. આદર્શ કેળવણીનું ઉપનિષદ , A ૧૧ ]Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 93