________________
3
- આ સાલે પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજના સુશિષ્ય ઉપ મુનિશ્રી કન્વેયા લાલજી મહારાજ મલાડ મુકામે ચાતુર્માસ બિરાજે છે અને તેઓશ્રી શાસ્ત્રોનો મેમ્બરે કરવા માટે અથાગ પ્રયત્ન કરીને પ્રવચનની સેવા બજાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં મુબઈ તેમજ પરાઓના લગભગ ૪૦ જેટલા ગૃહસ્થ લાઈફ મેમ્બર બની ગયા છે અને મુંબઈમાં લગભગ ૩૦૦ જેટલા મેમ્બરે થાય તે ઈરછવાયેગ્ય છે શ્રીમત ગૃહસ્થ હજાર રૂપિયા પિતાના ઘર ખર્ચમા તેમજ મજશોખના કામમાં તેમજ વ્યવહારિક કામમાં વાપરી રહ્યા છે તે આવા શાસ્ત્રોદ્ધાર જેવા પવિત્ર કાર્યમાં રૂપિયા વાપરશે તે ધર્મની સેવા કરી ગણાશે અને બદલામાં ઉત્તમ આગમસાહિત્યની એક લાયબ્રેરી બની જશે જેનું વાચન કરવાથી આત્માને શાંતિ મળશે અને શાસ્ત્રજ્ઞા પ્રમાણે વર્તવાથી જીવન સફળ થશે.