Book Title: Aatm chaitanyani Yatra
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Samadhi Mandir

View full book text
Previous | Next

Page 15
________________ કરવામાં આવતું હોય ! આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની આ ડાયરીઓમાં એક બાજુ સર્જનપ્રક્રિયા–નિબંધો, કાવ્યો અને ચિંતનો ઇત્યાદિનો આલેખ મળે છે, તો બીજી તરફ એમના વિહાર અને વાચનના ઉલ્લેખો મળે છે. આ ઉલ્લેખો પ્રમાણમાં ઓછા છે, પરંતુ એક આત્મજ્ઞાનીના ઉલ્લેખો તરીકે તે ધ્યાન ખેંચે તેવા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન સાધુઓને હાથે બહોળા પ્રમાણમાં સાહિત્યસર્જન થયું છે. અર્વાચીન યુગમાં એ પરંપરાનું સાતત્ય આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની સાહિત્યોપાસનામાં જોવા મળે છે. એમણે માત્ર ચોવીસ વર્ષના સાધુ-જીવન દરમિયાન સંસ્કૃત, હિંદી અને ગુજરાતી એમ ત્રણ ભાષાઓમાં કુલ ૧૧૫ જેટલા ગ્રંથો લખ્યા. એ સમયે સાધુસમાજમાં ગમે તે રીતે શિષ્યો બનાવવાની હોડ ચાલતી હતી; ત્યારે જ્ઞાનોપાસક બુદ્ધિસાગરસૂરિજીએ ૧૧૫ ‘અમર ગ્રંથશિષ્યો’ બનાવવાનો નિર્ણય કર્યો હતો. એમના ૨૫ ગ્રંથો ચિંતન અને તત્ત્વજ્ઞાનથી ભરેલા છે; ૨૪ ગ્રંથોમાં એમની કાવ્યસરવાણી વહે છે, જ્યારે સંસ્કૃત ભાષામાં એમણે બાવીસેક ગ્રંથો લખ્યા હતા. એમના કાવ્યસાહિત્ય વિશે ગુજરાતના ‘યુગમૂર્તિ વાર્તાકાર’ તરીકે વિખ્યાત નવલકથાકાર શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈએ કહ્યું હતું : “શ્રી બુદ્ધિસાગરજીનું સાહિત્ય એટલે ? એને હિંદુ પણ વાંચી શકે, જૈન પણ વાંચી શકે, મુસ્લિમ પણ વાંચી શકે. સૌને સરખું ઉપયોગી થઈ પડે તેવું એ કાવ્યસાહિત્ય, બુદ્ધિસાગરસૂરિજીને આપણા ભક્ત અને જ્ઞાની કવિઓની હારમાં મૂકી દે એવું છે.” યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીના વાચન, મનન અને નિદિધ્યાસનની ત્રિવેણીનો અનુભવ પણ એમની આ ડાયરીમાંથી થાય છે. આગળ સૂચવ્યું તેમ એમણે ઘણાં વર્ષોની ડાયરીઓ લખી હતી, પરંતુ અત્યારે તો એમની વિ. સં. ૧૯૭૧ની માત્ર એક ડાયરી જ ઉપલબ્ધ થઈ છે. પરંતુ આ રોજનીશી એ કર્મયોગી, ધ્યાનયોગી અને જ્ઞાનયોગી આચાર્યના વ્યક્તિત્વને નખશિખ દર્શાવી જાય છે. ૧૯૭૧ની આ રોજનીશીના આરંભે તેઓ ગુરુસ્મરણ કરે છે. ગુરુસ્મરણના આ કાવ્યમાં એમની તન્મયતા સતત તરવર્યા કરે છે. તેઓ વિચારે છે કે, ગુરુ પાસે માગવાનું શું હોય ? – જ્યાં માગ્યા વિના જ બધું મળતું હોય છે. રોજનીશીમાં આલેખાયેલા સાત કડીના આ કાવ્યની એક ખૂબી એ છે કે, આખા કાવ્યનું આલેખન સહેજ પણ છેકછાક વગરનું જોવા મળે છે. હૃદયમાં જાગતો ભાવ સીધેસીધો જ રોજનીશીનાં પાનાં પર અંકાતો ગયો હોય તેમ લાગે છે. આમાં તેઓને શાબ્દિક ફેરફારો પણ કરવા પડ્યા નથી ! અહીં ગુરુભાવનાનું ગૌરવ કરતાં તેઓ કહે છે : “ઊંઘ્યો દેવ જગાવીયો રે - દેહ દેરાસરમાંહી – “એ યોગિત્વ, એ સાધુત્વ, એ કવિત્વ, એ વક્તૃત્વ, એ આત્મપ્રેમ, એ મસ્તી, એ દિલદિલાવરી અનોખી હતી. કવિ, તત્ત્વજ્ઞ, વક્તા, લેખક, વિદ્વાન, યોગી, અવધૂત, એકલવીર, એમ અનેક સરિતાના સંગમ એ બુદ્ધિ-અબ્ધિમાં (બુદ્ધિસાગરમાં) થતાં જોવાય છે.” જયભિખ્ખુ 6

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 201