Book Title: Kumarpal Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Jain SMP Sangh
Catalog link: https://jainqq.org/explore/022733/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ થી વ્યાકુમારપાળ Kajra Page #2 -------------------------------------------------------------------------- ________________ KUMARPAL GHARITRA PART-1 Acharya Shree AJITA SAGAR SURISWARJI MAHARAJ Page #3 -------------------------------------------------------------------------- ________________ Place of Publication : Shree Mahudi (Madhupuri) Jain S. M. P. Trust Mahudi Ta. Vijapur. (N.G.) (C) Copyright reserved Second Edition 1988 Vir Savant : 2514 V. S. 2044 . PRICE : Rs. 20-00 Linotype Setting by : Navnitbhai J. Mehta Sagar Printers Relief Road, Ahmedabad-1. Printed by : Pooja Printers & Traders Mahendikuwa, Shahpur, Ahmedabad-380 001. Page #4 -------------------------------------------------------------------------- ________________ મહાકવિ શ્રીજયસિહસૂરિ પ્રણીત શ્રી કુમારપાળ ર્યારેત્ર આચાર્ય શ્રીમદ્ અજિતસાગર સૂરીશ્વરજી મહારાજ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક, પ્રાપ્તિસ્થાન : શ્રી મહુડી (મધુપુરી) જૈન વે. મૂ. પૂ. ટ્રસ્ટ મહુડી તા. વિજાપુર (ઉ. ગુ.) (C) સર્વહક પ્રકાશકને સ્વાધીન. - દ્વિતીય આવૃત્તિ વીર સંવત ૨૫૧૪ વિ. સં. ૨૦૪૪ સને ૧૯૮૮ કિંમત : ૨૦-૦૦ મુદ્રક સહકાર : નવનીતભાઈ જે. મહેતા સાગર પ્રીન્ટસ પાદશાહની પિળ, મેદીનું પહેલું, રીલીફરોડ, અમદાવાદ મુદ્રક : નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, નેવેટી સીનેમા પાસે, અમદાવાદ-૩૮૦૦૦૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ S. 15 ને તે ઝીટ ભવ. || દ ) D +2 0 બ.નં: ૦ ૧ ૦ કે. પરમ પૂજય યૉગનિષ્ઠ આચાર્ય ભગવBH - શ્રીમદ્ બુધ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા. (15ીવાદ, જી 685મઃ વિ.સં. ૮:૩0 મહા વદ ૨૪ વિજાપુર દીક્ષાઃ વિ.સં.દ- ૫૭ માગસર સુદ ૯ પાલનપુર Mી.દઃવસ. દE 90 મહાસુદ દખ પેથાપુર નિગઃ વિ.સં.૨E૮૨ 5૪ઠ વદ ૩ વિજાપુર Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ - પરમ પૂજ્ય, શાસક પ્રભાવક, પ્રણવતા,અારંભuct શ્રામદ્ અજીતસાર સૂરીશ્વરજી મ.સા. જન્મ સંવત ૧૯ણ પૉશખુદ ૫ નાણ દીક્ષા સંવત ૧૯૬પ 6ઝંઠ વંદ૧૧ અમદાવાદ પજ્યારપદસંવત ૧૯૭૭માં શર સુદ પસાગંદ આચાર્યપદ સંવત ૧૯૦મહાસુદ ૧૦ પ્રાંત768 hવાઝ સંવત ૧૯૮૫ આસૌમુદ ૩ વિજાપુર Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ પાવનચરણે つ અધ્ય શાસ્ત્રવિશારદ, યોગનિષ્ઠ, શ્રીમદ્ ભુદ્ધિસાગરસૂરીશ્વરજી સદ્ગુરૂદેવ ! પૂર્વાચાર્યાંની પદ્ધતિને આપે આધ્યાત્મિક ૧૫૦ ગ્રંથા રચી અનેકધા અધ્યાત્મજ્ઞાનદિવાકર, જૈનાચાય દીપાવી છે, જૈન તથા જૈનેતર સાક્ષરવ`તે આપની રચેલી ગ્રંથમાળા સોદિત અમરૢ આનંદ અપી રહી છે. આપના સદ્ગુણનું સ્મરણ કરતાં કયા સજ્જતાતે આનંદ ન થાય ? આપે જે અધ્ય જ્ઞાનદાનવડે મને ઋણી બનાવ્યેા છે, તેના સ્મરણથી પ્રેરાઈ હું પૂર્વાચાય, પ્રણીત રાજષિ શ્રીકુમારપાલ ચરિત્રના અનુવાદ રચી આપના ચરણકમળમાં સમપ ણ કરી અંતઃકરણપૂર્વક અપાશે અનૃણત્વની અભિલાષા રાખું છું. ચરણેાપાસક અજિત Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના स्तुमत्रिसंध्यं प्रभुहेमसूरे-रनन्यतुल्यामुपदेशशक्तिम् । अतीन्द्रियज्ञानविवर्जितोऽपि, यक्षोणिभर्तुळधित प्रबोधम् ॥१॥ પ્રાચીન મહાન વિદ્વાન જૈનાચાર્યોએ રચેલે જૈન સાહિત્યરત્નાકર એટલે બધો વિશાલ અને ગહન છે કે, જેમ જેમ તેનું અવગાહન કરવામાં આવે છે, તેમ તેમ તેમાંથી અપૂર્વ ગ્રંથરત્ન દષ્ટિગોચર થાય છે. આ જૈન સાહિત્યસાગરને સુગમતાથી પાર પામવા માટે પ્રાચીન વિદ્વાનોએ (૧) દ્રવ્યાનુયોગ, (૨) ચરણકરણાનુયોગ, (૩) ગણિતાનુગ, (૪) કથાનુયોગ એ ચાર વિભાગરૂપ નૌકાઓ તૈયાર કરેલી છે. આ ચાર પૈકીમાં જનકથાસાહિત્ય પ્રમાણમાં અતિવિશાલ છે. પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ અને ગુજરાતિ વિગેરે ભાષાઓમાં લખાએલા સેંકડે ગ્રંથ સાંપ્રતકાળમાં વિદ્યમાન છે. જેથી લોકોમાં અદ્યાપિ ધમની જાગૃતિ અવિચ્છિન્ન રીતે પ્રવૃત્તિ રહી છે. ધમ અને સમાજની ઉન્નતિ માટે સાહિત્ય એ એક સર્વોત્તમ સાધન છે. સાહિત્યની વૃદ્ધિમાં સામાજીક ઉન્નતિ સમાયેલી છે. સમાજના અભ્યદય માટે પરમ પવિત્ર ધમ પ્રચારક પૂર્વાચાર્યો તેમજ ધર્મ પ્રભાવક રાજા મહારાજાઓ, વીરપુરૂષો, સમાજના અગ્રગણ્ય નેતાઓ, દાનવીર શ્રીમંત અને દેશના સાચા હિતચિંતકોનાં સત્ય જીવનચરિત્રો એતિહાસિક દષ્ટિએ લખાયેલાં છે. અદ્ધિમાન પુરુષો પિતાની બુદ્ધિને વૈભવ લેકોપકારમાં જ સફલ માને છે. આપણને આપણા પૂજ્ય આચાર્યો સાહિત્ય સમૃદ્ધિને માટે ફાળો આપી ગયા છે. તેમના આપણે અણુ છીએ, માત્ર બુદ્ધિમાન પુરુષો તેમનું પઠનપાઠન કરી ચરિતાર્થ કરે છે. હાલમાં પણ તેવી જ રીતે કેટલાક વિદ્વાન આચાર્યો સાહિત્ય વૃદ્ધિ તેમજ સમાજના હિત માટે અનેક શુભકાર્યો કરે છે, તે બહુ પ્રશંસનીય છે. કે ધર્મ સમાજમાં જ્યારે અજ્ઞાનતા પ્રસરે છે, ત્યારે સમાજના ઉદ્ધાર માટે પ્રભાવિક પુણે ઉત્પન્ન થાય છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ यदा यदा हि धर्म स्य, ग्लानिर्भवति भूतले । तदा तदा भवत्येव, महापुरुषसंभवः ॥ १ ॥ જગતમાં જ્યારે જ્યારે ધમની હાનિ થાય છે, ત્યારે ત્યારે મહાન પુરુષોને અવશ્ય જન્મ થાય છે.” વળી તે મહાત્માઓ પિતાની સદ્દબુદ્ધિના પ્રભાવથી અનેક પ્રકારનાં સાહિત્ય પ્રગટ કરી જનસમાજને સન્માર્ગે પ્રવર્તાવે છે. તેવા મહાપુરુષોનું જીવન ચરિત્ર આદર્શ ભૂત ગણી શકાય. જૈનશાસન પ્રભાવક સકલ શાસ્ત્રનિષ્ણાત, ન્યાય, વ્યાકરણ, કેષ, કાવ્ય, લંકાર, ચંપૂ અને નાટકદિ વિવિધ ગ્રંથ પ્રણેતા, ધમધુરધર, પ્રાકૃત ભાષાના ઉત્પાદક પાણિનિ સમાન જૂની ગુજરાતી ભાષાના આદ્યપ્રવર્તાક કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય તથા પરમશ્રદ્ધાળુ તેમના પરમભક્ત પરમહંત ધર્માત્મા ચૌલુક્યચૂડામણિ ગુજરેંદ્ર રાજર્ષિ શ્રી કુમારપાલ ભૂપતિના પવિત્ર અને મનોરંજક અતિ ઉત્તમ જીવન ચરિત્રના સંબંધમાં અનેક જૈન વિદ્વાનોએ અનેક ગ્રંથની રચના કરી છે. તેમાં ઉપરોકત મહાપુરુષોના જીવન સંબંધી પરમપવિત્ર આદર્શ આલેખવામાં આવ્યા છે. તેઓ આત્મિક ઉન્નતિ સાધવામાં અતીવ સહાયકારક થાય છે. શ્રી હેમચંદ્રસૂરિ અને શ્રી કુમારપાલનરેશના સંબંધમાં રચાયેલા હાલમાં મળી આવતા ની યાદી તથા ગ્રંથ પ્રણેતાઓનાં નામ નિદેશ નીચે મુજબ છે. (૧) કુમારપાલ પ્રતિબંધ (હેમકુમાર ચરિત્ર) કર્તા શતાથી સોમપ્રભાચાર્ય રચના સમય વિ. સંવત ૧૧૪૧– ક સંખ્યા લગભગ (૯૦૦૦) આ ગ્રંથ રાજર્ષિ શ્રી કુમારપાલના સ્વર્ગવાસ પછી (૧૧) વર્ષે લખવામાં આવ્યો છે. (૨) મે પરાજય નાટક. કર્તાઅજયપાલ નરેશના મંત્રી યશપાલ રાજર્ષિ શ્રી કુમારપાલે વિ. સં. ૧૨૧૬ માર્ગશીર્ષ સુદિ દ્વિતીયાના દિવસે જૈનધર્મને સ્વીકાર કર્યો, તેનું વર્ણન આ ગ્રંથમાં આપેલું છે. ગ્રંથ રચના તેમના વ્રત સ્વીકારવાના સંવત્સરથી (૧૬) વર્ષની અંદર થયેલી જણાય છે. (૩) પ્રબંધ ચિંતામણિ કર્તા શ્રીમેરૂતુંગાચાર્ય આ ગ્રંથ એતિહાસિક ઘટનાઓથી ભરપુર છે, રાજશેખર કૃત રાજતરગિણીની જેમ સંસ્કૃત ગદ્યમાં લખાયેલું છે. આધુનિક વિદ્વાને આ ગ્રંથને અન્ય ઐતિહાસિક ગ્રંથની અપેક્ષાએ અધિક પ્રમાણભૂત માને છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ઇતિહાસ માટે આ એક જ ગ્રંથ આધારભુત છે. બંગાળ રોયલ એશિયાટિક સોસાઈટી તરફથી અંગ્રેજીમાં આ ગ્રંથને અનુવાદ પ્રગટ કરવામાં આવ્યું છે. આ ગ્રંથના અંતમાં મહારાજા શ્રી કુમારપાળ તથા શ્રીમાન હેમચંદ્રસૂરિનું સવિસ્તર વર્ણન આપવામાં આવ્યું છે. વિ. સં. ૧૩૬૧ ના ફાગણ સુદિ (૧૫) ના દિવસે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ વઢવાણ શહેરમાં આ ગ્રંથની સમાપ્તિ થઈ છે. (૪) પ્રભાવક ચરિત્ર કર્તા શ્રી પ્રભાચંદ્રાચાર્ય. આ ચારિત્રની અંદર જૈનધર્મ પ્રભાવક અનેક મહાપુરુષોનાં જીવન ચરિત્રો આપવામાં આવ્યાં છે. તે સર્વ પદ્યમય સંસ્કૃત ભાષામાં રચેલાં છે. કાવ્યકૃતિ અતિ અદ્ભુત છે. આ ગ્રંથમાં (૨૩) પૂર્વાચાર્યોનું વર્ણન આપવામાં આવ્યું છે. છેવટમાં શ્રીમાન હેમચંદ્રાચાર્યનું જીવન વૃત્તાંત સવિસ્તર આપેલું છે. ગ્રંથ રચના વિ. સં. ૧૩૩૪માં થયેલી છે, એમ પોતે ગ્રંથકર્તા લખે છે वेदानलशिखिशशधर-वर्षे चैत्रस्य धवलसप्तम्याम् । અને પુનર્વસુરિને, સંપૂર્ણ પૂર્વ વિતમૂ I શ્રીમાન પ્રદ્યુમ્નસૂરિ સંશોધિત આ ગ્રંથ નિર્ણયસાગર પ્રેસમાં મુદ્રિત છે. (૫) કુમારપાલ ચરિત્ર આ ચરિત્ર ગ્રંથની કૃષ્ણષીય ગચ૭ના શ્રીમહેંદ્ર સૂરિના વિદ્વાન શિષ્ય બ્રહ્માષા ચક્રવતી. શ્રીજયસિંહસૂરિએ ૧૪૨૨ માં રચના કરી છે. એમણે ન્યાયસારની ટીકા અને નવીન વ્યાકરણની રચના પણ કરી છે. આ પ્રસ્તુત કુમારપાલચરિત્રનું ભાષાન્તર અમારા તરફથી કરવામાં આવ્યું છે. (૬) કુમારેપાલ ચરિત્ર, કર્તા શ્રીમતિલકસૂરિ (૭) કુમારપાલ ચરિત્ર કર્તા શ્રીચારિત્રસુંદરગણિ (૮) કુમારપાલ ચરિત્ર ( પ્રાકૃત) શ્રીહરિશ્ચંદ્ર વિરચિત. (૯) કુમારપાલ પ્રબંધ કર્તા શ્રી જિનમંડનગણિ. વિ. સં. ૧૪૯ર માં, તપાગચ્છાચાર્ય શ્રી સોમસુંદરસૂરિના સુપ્રસિદ્ધ વિદ્વાન શિષ્ય જિનમંડન ગણિએ આ ગ્રંથની રચના સરલ ગદ્ય પદ્યાત્મક સંસ્કૃત ભાષામાં કરી છે. કોઈ કેઈ ઠેકાણે પ્રસંગોપાત્ત પ્રાકૃત પદ્ય પણ આપવામાં આવ્યાં છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથને ચરિત્રાત્મક વિભાગ કેવલ કવિની કલ્પનામય નથી. પરંતુ યથાર્થ ઐતિહાસિક ઘટનાને અનુસરે છે. ? આ પ્રબંધને પ્રમાણભૂત અને લેકોપયોગી સમજી સાહિત્યપ્રિય મહારાજશ્રી સયાજીરાવ ગાયકવાડ-વડોદરા નરેશે ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવી રાજ્ય તરફથી છપાવી પ્રસિદ્ધ કર્યો છે. આ ગ્રંથમાં ગુજરાતમાં ઈતિહાસની ઘણું ઉપયોગી વસ્તુઓ દાખલ કરવામાં આવી છે. અણહિલપુર-પાટણની સ્થાપના વિ. સં. (૮૨) તેમજ મહારાજશ્રી કુમારપાળની વિ. સં. ૧૨૩૦ સુધી ગુર્જર રાજ્ય પ્રવૃત્તિ વિગેરેનું સંક્ષેપથી વર્ણન કરવામાં આવ્યું છે. સિદ્ધરાજ જયસિંહને બંગાલાના મહબકપુર–મહોત્સવપુરના અધિપતિ મદનવમ નરેશ સાથે સમાગમ હોવાનો ઉલ્લેખ પણ આ ગ્રંથમાંથી મળી આવે છે. તેજ ઉલેખ જનરલ કનિંગહામના હિંદુસ્તાનની પ્રાચીન ભૂગોળવાળી હકી કતને પુષ્ટ કરે છે, (૧૦) ચતુર્વિશતિ પ્રબંધ. કર્તા શ્રી રાજશેખરસુરિ રચના સમય વિ. સં. ૧૪૦૫. (૧૧) કુમારપાળરાસ, ગુજર કર્તા ભાષામાં શ્રીજિનહર્ષ કવિ (૧૨) કુમારપાળરાસ, શ્રેષિવર્ય શ્રી ઋષભદાસ વિરચિત. આ ઉપરાંત વિવિધ તીર્થક૯૫, ઉપદેશપ્રાસાદ, ઉપદેશતરંગિણું આદિ અનેક ગ્રંથોમાં ઉપરોક્ત મહાપુરુષોનું વર્ણવેલું જીવન વૃત્તાંત જોવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથના મુખ્ય નાયક શ્રી કુમારપાળભૂપાળ છે. માટે તેમના વંશનું સંક્ષિપ્ત વર્ણન અહીં આપવું તે અસ્થાને ન જ ગણાય. ચૌલુકયવંશ ચુલુક એટલે ખેબલે અર્થાત સંધ્યા સમયે સૂર્યને અર્થ આપતા કઈ કઈ મહાપુરુષની અંજલિમાંથી જે વીરપુરુષ પ્રગટ થયો, તે ચુલુકય નામે કૃષ્ણસમાન સુપ્રસિદ્ધ રાજા થયો. તેના વંશમાં જે રાજાઓ થયા તે ચૌલુક્ય નામથી પ્રસિદ્ધ થયા. આ વૃત્તાંત વિકમાંકદેવ ચરિત્રના પ્રારંભમાં પણ દર્શાવેલ છે. દયાશ્રય મહાકાવ્યના સોળમા સર્ગમાં પરમારે શબ્દની ટીકા કરતાં ટીકાકાર લખે છે કે, વિશ્વામિત્રની સાથે વશિષ્ઠ ઋષિને કામદુધા સંબંધી જ્યારે લડાઈ થઈ, ત્યારે વશિષ્ઠ પર-શત્રુને માર મારનારો જે હો ઉત્પન્ન કર્યો, તે પરમાર થયે. તેના વંશજો તે નામથી પ્રસિદ્ધ થયા. Page #15 -------------------------------------------------------------------------- ________________ એ પરમાર વશમાં ચાલુકયવશના સમાવેશ થાય છે, તેમ પ્રાચીન પરપરાએ જોતાં ચેદિરાજાએ કહેલાં વાકયાના આધારે આ વ'નું મૂળ કારણુ સામત્રંશ પણ સમાય છે, એમ મુત્રચિત્ ઉલ્લેખ જોવામાં આવે છે. ચૌલુકયવંશના આદ્યપુરુષ તેમજ ગુરુ તરીકે ભારદ્વાજ હશે. એમ પણ ચાશ્રયમાં છટ્ઠા ગાઁના સાતમા ક્ષેાકની ટીકા ઉપરથી સૂચિત થાય છે. વસ્તુતઃ ચૌલુકય વંશના આદ્યપુરૂષ ચુલુકય થયા, જેની અંદર હોય, ગાંભીય ઔય, ચાતુ અને શૌર્યાદિ અને ગુણી જગત્માં ભ્રમણ કરી થાકી ગયા હોય તે શું? તેમ ચિરકાલ વિશ્રાંતિ; માટે સ્થિર થયા હતા. મધુપદ્મ નામે નગરમાં તેણે રાજ્ય સ્થાપન કર્યું હતું. તેના નામથી તેના વંશજો ચૌલુકય સ ́જ્ઞાધારક થયા. તેમજ તે મહાપુરુષના વંશમાં અનુક્રમે વિક્રમરાજા થયા. જેણે શંકરથી સુવણ સિદ્ધિ મેળવી અનેક દાતાવડે જગને ઋણમુકત કર્યુ” અને સમુદ્ર પય ત પોતાના સંવત્સર પ્રવર્તાવ્યા હતા. તેના પુત્ર મહાપ્રભાવિક હરિ વિક્રમ થયેા. તેના પછી અનુક્રમે મહાપરાક્રમી (૮૫) રાજાએ થયા. ત્યારબાદ ન્યાયપ્રિય રામચંદ્ર સમાન રામરાજા થયા. ત્યારખાઃ ત્રણલાખ ઘેાડાઓના અધિપતિ કાધિરાજને પાતિની માફક હણીને આખી દુનિયામાં વિખ્યાત સહજરામ ભ્રપતિ થયે. તેને પુત્ર કુબેરસમાન દેદીપ્યમાન દા નામે રાખ થયા, જેણે પિપાસ નામે મંડલેશ્વરને પેાતાના સ્વાધીન કર્યાં હતા. ત્યારબાદ તેની રાજગાદીએ મહાદાનેશ્વરી કાંચીવ્યાલ નામે રાજા થયે, તેના પછી ચક્રવતી' સમાન સગ્રામજિત એવા રાજીભુપતિ થયા. જેણે ગુજરાધિપતિ સામ સિહુરાજાની બહેન લીલાદેવી સાથે લગ્ન કર્યુ· હતું. તેના પુત્ર મૂળરાજ પ્રસિદ્ધ અને સપૂર્ણ લક્ષ્મીવાન થયા. વળી તે અયેાનિજમાતાના અકાલ મૃત્યુથી ઉદર ચીરીને કાઢેલ હોવાથી સજ્જને ચમત્કારજનક થયા. જેણે બહુ પરાક્રમી સામતિસંહ નામે પોતાના મામાને ઉત્કટ શક્તિવ! હણીને ગુજરદેશનું રાજ્ય મેળવ્યુ. તેમજ તેણે સેામનાથના પ્રભાવથી રસ'ગ્રામમાં કટીબદ્ધ થઈ સૌરાષ્ટ્રના ગ્રહરિપુ અને કચ્છ દેશના લક્ષરાજાને તેમની દુષ્ટતાને લીધે નિર્મૂળ કર્યાં હતા. તેમજ તેણે વિ. સં. ૯૯૩ થી ૧૦પર વર્ષ સુધી રાજ્ય ચલાવ્યું હતું. ત્યાર બાદ ચામુંડરાજ નામે રાજા થયે!. જેણે ચામુંડાદેવીના વરદાનથી મદાન્મત્ત થયેલા સિંધુરાજ નામે રાજને માર્યાં હતા. વિ. સં. ૧૦પર થી ૧૦૬૬ સુધી તેણે રાજ્ય ભોગવ્યું. Page #16 -------------------------------------------------------------------------- ________________ તેને પુત્ર વલ્લભરાજ થયે. જેણે અવંતિપતિ મુંજરાજાને બહુ દુઃખી કર્યો હતો. છ માસ સુધી તેણે રાજ્ય પાલન કર્યું. ત્યારબાદ તેની ગાદીએ દુર્લભરાજ નામે રાજા થયો. જેણે લાદેશના નરેશનો પરાજય કરી પૃથ્વી સહિત તેની સર્વ સંપત્તિ પિતાના સ્વાધીન કરી હતી. વિ. સં. ૧૦૬૬ થી ૧૦૭૨ સુધી રાજ્યકતા તે થયા. ત્યાર પછી (૮) વર્ષ સુધી રાજ્ય વ્યવસ્થા નાગરાજ ભૂપતિએ ચલાવી. ત્યારબાદ નાગરાજને પુત્ર ભીમદેવ રાજ્યાધિપતિ થયે. જેના મહિમારૂપ હિમના આગમનથી ભોજરાજાનું મુખકમળ કરમાઈ ગયું હતું. વિ.સં. ૧૦૮થી (૧૧૨૦) સુધી તે રાજ્યપાલક થયો. ભીમદેવને ક્ષેમરાજ અને માને કર્ણરાજ એમ બે પુત્ર હતા બનેની માતાએ ભિન્ન હતી. કર્ણરાજ કર્ણ સમાન બહુ પરાક્રમી હતો, પોતાના પિતાના વચનથી ક્ષેમરાજે કર્ણરાજને રાજ્ય આપ્યું. વિ. સં. ૧૧૨૦ થી ૧૧૫૦ સુધી તેણે રાજ્ય કર્યું. ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદને દધિસ્થલીનું રાજ્ય આપ્યું. તેને પુત્ર ત્રિભુવનપાલ થયે. કર્ણરાજને મયણલ્લા નામે રાણી હતી. તેણીને જયસિંહ નામે એક પુત્ર થયા. તે બહુ ન્યાયી હતું. જેણે બાર વર્ષ સુધી પ્રચંડ સૈન્ય વડે યુદ્ધ કરી પોતાના પટ્ટહસ્તિવડે નમરનું પૂર્વ ધાર તેડીને ધારાનગરીને ઉચ્છિત કરી હતી. તેમજ તેણે નરવમ, તેને પુત્ર યશોવર્મા અને મહેબક નગરના અધિપતિ વિગેરે રાજાઓને પરાજય કર્યો હતો. પાટણમાં પૂર્ણિમાના ચંદ્રસમાન મનહર એક સરોવર બંધાવ્યું હતું. અનેક કીર્તિસ્તંભ સ્થાપના કરી જેણે બર્બર નામે દુષ્ટ અસુરને પરાજય કરી સિદ્ધ ચક્રવતી એવું બિરૂદ સંપાદન કર્યું હતું. સિદ્ધરાજ ભૂપતિએ વિ. સં. ૧૫૫૦ થી ૧૧૯૯ સુધી આરામિક ઉદ્યાનને જેમ પૃથ્વીનું પાલન કર્યું હતું. સંવત ૧૧૯૬ ના તેના દેહદમાં મળેલા લેખનથી જણાય છે કે તેણે સૌરાષ્ટ્ર અને માળવાના રાજાઓને કેદ કર્યા હતા. સિંધુરાજ અને બીજા કેટલાક રાજાઓને નાશ કર્યો હતો. તેમજ ઉત્તરદેશના રાજાએ તેની આજ્ઞા માનતા ૧ કયાશ્રમ કાવ્યની ટીકાની અંતે આપેલી ટીપ પ્રમાણે ભીમદેવને પિતા નાગરાજ છે. અને પ્રસ્તુત ચરિત્રમાં તેને દુર્લભરાજને પુત્ર કહ્યો છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ - ૧૦ હતા. કચ્છમાં ભદ્રેશ્વર સંવત ૧૧૯૫ના શિલાલેખ ઉપરથી કચ્છ પ્રાંત તેના તાબામાં હતા. એમ જણાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, સિદ્ધરાજ જયસિંહે પિત પ્રાપ્ત રાજ્ય અણહિલવાડ પાટણને બહુ જ વિસ્તાર કર્યો. કેટલાક પ્રબલ રાજાઓને માંડલિક બનાવ્યા. ચૌલુક્ય વંશમાં મહા સમ્રાટોના બિરૂદ પ્રથમ જયસિંહને જ લગાડવામાં આવ્યા છે. મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમ ભટ્ટારક, અવંતીનાથ, ત્રિભુવનગંડ સિદ્ધચક્રવતી, બર્બ રજીષ્ણુ વિગેરે વિશેષણે તેના નામ સાથે જોડાયેલાં એમ લેખમાં મળી આવે છે. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ કેટીગણ અને વજી શાખાવડે સુશોભિત ચંદ્રગચ્છમાં શુદ્ધ ચારિત્રધારી શ્રીદરસૂરિ થયા. જેમને વાણી વિલાસ બહુ જ રસિક હતા. તેમના શિષ્ય યશોભદ્રસૂરિ થયા. જ્ઞાનના અતિશયથી પિતાને મૃત્યુ સમય જાણી ગિરનાર પર્વતપર તેઓ ગયા. ત્યાં સમાધિ પૂર્વક તેમણે સ્વર્ગવાસ કર્યો. તેમની પાટે વિશાળ બુદ્ધિમાન પ્રદ્યુમ્નસૂરિ થયા. પિતાના અભિધાનની ઈષ્યની જેમ તેમણે કામને પરાજય કર્યો હતો. તેમની ગુણત્રીને ધારણ કરનાર ગુણસેનસૂરિ થયા. તેમના શિષ્ય દેવચંદ્રસૂરિ થયા. જેમના ગુણ કીર્તનથી દેવતાઓ પણ વિરમતા નહતા. જેમના રચેલા ગ્રંથ સ્થાનાંગસૂત્ર વૃત્તિ, શ્રી શાંતિનાથ ચરિત્ર આદિ અનેક ગ્રંથે મૂર્તિમાન જ્ઞાનાશની માફક ખ્યાતિ ધરાવે છે. તેમના જૈનશાસનપ્રભાવકશિષ્ય સકલશાસ્ત્રનિષ્ણાત શ્રી હેમચંદ્રાચાર્ય થયા. તેમને જન્મ ધંધુકા નગરમાં મોઢજ્ઞાતીય ચાચીગ શ્રેષ્ઠીને ત્યાં પાહિની માતાની કુક્ષિથી વિ. સં. ૧૧૪૫ ના કાર્તિક સુદી ૧૫ થયે હતે. તેમનું નામ ચંગદેવ હતું. ખંભાત નગરમાં વિ. સં. ૧૫૪ માઘ શુકલ ચતુર્દશી શનિવારે શુભયોગમાં નવ વર્ષની ઉમરે ચંગદેવને દેવચંદ્રસૂરિએ દીક્ષા આપી હતી. દીક્ષા સમયે ઉજજવળ બુદ્ધિ હોવાથી સેમચંદ્ર નામ રાખવામાં આવ્યું 'હતું. ઉદયનમંત્રીએ બહુ ઉત્સાહથી દીક્ષા મહોત્સવ કર્યો હતો. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તીવ્રબુદ્ઘિનાયાગથી સામચંદ્રમુનિ સ્વલ્પ સમયમાં સકલ શાસ્ત્રના પારગામી અને સવ` પડિતોમાં અગ્રગણ્ય થયા. તેમજ સરસ્વતી દેવીની પ્રસન્નતાથી અનેક ચમત્કારી વિદ્યા-કલાઓ પ્રાપ્ત કરી. યાગશક્તિના પ્રભાવથી સવ ઈંદ્રિયા તેમના સ્વાધીન હતી. તેમનુ મનેાખળ એટલું બધુ... પ્રશ્નલ હતું કે, કાઈપણ પદાર્થ તેમને અસાધ્ય નહોતો. તેમજ કાઈપણ વ્યક્તિ તેમને વૈરદૃષ્ટિથી જોઈ શકતી નહેાતી. એમ અનેક ગુણાથી વિરાજીત સેામચંદ્રમુનિને જોઇ પોતાના ગુરુ બહુ પ્રસન્ન થયાં. તેમજ તેમની જ્ઞાન શક્તિ, ચારિત્રની ઉત્કૃષ્ટતા અને અપૂર્વ વિદ્યા શક્તિથી સર્વ સંધમાં બહુ આનંદ પ્રસયેŕ. દરેક જૈન સંધના અતિ આગ્રહથી શાસનની ઉન્નતિ જાણી શ્રી દેવચદ્રસૂરિએ નાગપુરમાં વિ. સ’. ૧૧૬૬ માઘ શુદ્ધિ ૩ ગુરુવારે તેમને આચાય પદવી આપી. તે સમયે તેમનું હેમચંદ્રસૂરિએવું નામ પ્રસિદ્ધ થયું. શ્રીમદ્ હેમચદ્રસૂરિએ પ્રતિજ્ઞા કરી કે, આ જગમાં સર્વત્ર જૈન ધર્મના પ્રચાર કરવા. પરંતુ જ્યાં સુધી રાજા મહારાજા કોઈ ધર્મ નેતા ન થાય, ત્યાં સુધી તે પ્રતિજ્ઞા સંપૂર્ણ સિદ્ધ થઇ શકે નહિ. એમ ધારી ભવ્યજાને ઉપદેશ આપતા પોતે પાટણમાં આવ્યા. એક દિવસ સિદ્ધરાજ ભુપતિ ધોડેસ્વાર સાથે રાજપાટીએ ફરવા નકળ્યા. રાજમાગ માં સામા આવતા સૂરીશ્વર તેની દૃષ્ટિગોચર થયા. તેમની અદ્ભુત અને અતિ તેજસ્વી મૂર્તિ જોઇ રાજા પોતાના મનમાં ચકિત થઈ ગયે।. હાથીને સ્થિર કરી તેણે આચાય મહારાજને વિનયપૂર્વક કહ્યું, હે મુની ંદ્ર ! સમયેાચિત વચનામૃતનુ· પાન કરાવેા. આચાય મહારાજ ખેલ્યા. सिद्धराज ! गजराजमुच्चकैः कारय प्रसरमेतमग्रतः । संत्रसन्तु हरितां मतङ्गजा -स्तैः किमद्य भवतैव भूर्धृता ||१|| ‘સિદ્ધરાજ નરેશ ! આ ગજેદ્રને તુ. આગળ ચલાવ. દિશાઓના હાથીએ ત્રાસ પામી ભલે ચાલ્યા જાય, તેએની હવે કંઇપણ જરૂર નથી, કારણ કે, ખરેખર આ પૃથ્વીને તેં જ ધારણ કરેલી છે.'' એ પ્રમાણે અતિ અદ્ભુતવાણી સાંભળી પોતાના મનમાં ચમત્કાર પામી વિનીત થઈ રાજાએ કહ્યું. હું પ્રભા ! હંમેશાં આપશ્રીએ મારી પાસે કૃપા કરી પધારવું. એમ કહી રાજા સૂરીશ્વરના ગુણાનું સ્મરણ કરતા આગળ ચાલતા થયેા. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નરેંદ્નની ધ જિજ્ઞાસા ત્યારખાદ આચાય મહારાજ રાજસભામાં ગુજ`શ્વર પાસે જવા લાગ્યા. સિદ્ધરાજના હૃદયમાં ધમ`જિજ્ઞાસા પ્રગટ થઈ. જેથી તેણે ષટ્કનના વિદ્વાનેાને પેાતાની સભામાં બાલાવ્યા. પાતપોતાના મતનું પ્રતિપાદન કરતા દનકારાના વિરૂદ્ધ વાદને સાંભળી રાજાનુ` મન સ`શયમાં પડયું. સત્યાસત્યના નિર્ણય માટે ભૂપતિએ શ્રીહેમચદ્રસૂરિને પૂછ્યુ, પ્રભા ! સજ્ઞમગવાને પ્રરૂપેલા ધર્મોના આપ જ્ઞાતા છે. આપને કાઇપર રાગદ્વેષ નથી. માટે યથાસ્થિત સત્ય ધર્મોનું સ્વરૂપ મને સમજાવો. આચાય મહારાજે પુરાણાકત શખશ્રેષ્ડી અને તેની શ્રી યશોમતી તથા અન્ય નવીન સ્ત્રીના દૃષ્ટાંતથી સત્યધર્મનું સ્વરૂપ પ્રતિપાદન કર્યુ. આ કથા પૃષ્ટ (૨૯) થી (૩૩) સુધી પ્રસ્તુત ચરિત્રમાં આપેલી છે. પુનઃ તેણે સામાન્ય ધર્મો વિષે પૂચ્છયું, ત્યારે આચાય મહારાજે કહ્યુ, રાજનું ! સ` ધનું મૂળ દયા છે, સવ પ્રાણીઓને હિતકર તેમ જ દુષ્કર્માને પ્રતિકુળ એવા મુખ્ય ધમ યારૂપ ગણવામાં આવ્યા છે. કારણકે, મેઘવિના વૃષ્ટિ, બીજિવના મંકુર અને સુવિના દિવસના જેમ અસંભવ હોય છે, તેમ યાવિના ધના અસ`ભવ હાય છે. વળી તે યાધમ ઉપકારથી સિદ્ધ થાય છે. કિંમ`s પુરૂષોએ હ ંમેશાં પરોપકાર કરવામાં લક્ષ રાખવેા. એ સંબંધ અભયંકર ચક્રવત્તી ના દૃષ્ટાંતથી સૂરીશ્વરે ભુપતિએ હૃદયમાં સ્થિર કર્યાં. આ કથા પૃષ્ટ. ૩૪ થી શરૂ થાય છે. આ પ્રમાણે ગુરુશ્રીના વાણી સાંભળી સિદ્ધરાજે પરોપકાર કરવાને નિશ્ચય કર્યા અને તે પ્રમાણે પોતે આચરવા લાગ્યા. પોતાના કુલધમ ને તેણે ત્યાગ કર્યાં નહાતા પણ જૈનધમ પર તેના ભકિતભાવ વિશેષ હતા. સિદ્ધરાજની પ્રેરણાથી આચાય મહારાજે સિદ્ધહેમશબ્દાનુશાસનવ્યાકરણગ્રંથની રચના કરી. રાજાએ સમાજ ધર્મોના પાલક હોય છે. કાઈ ધમ પર તેમને દ્વેષ હોતા નથી. સિદ્ધરાજ ભૂપતિ ન્યાયી અને સત્યધર્માંત પરીક્ષક હતા. જેથી તેના હૃદયમાં ગુરુપ્રભાવવડે જૈનધમની ફિચ પૂર્વક દઢતા હતી. કુમારપાલ જન્મ દધિસ્થલનું રાજ્ય ત્રિભુવનપાલના હસ્તક હતું. તેની સ્ત્રી કશ્મીરદેવીની કુક્ષિથી એક પુત્ર વિ. સ. ૧૧૪૯માં થયા. આ બાલક કુમાર-કાર્ત્તિ ક્રેયની માફક પરાક્રમી અને પૃથ્વીનું પાલન કરશે. એમ જાણી તેના પિતાએ કુમારપાલ નામ પાડયું. અનુક્રમે યુવાવસ્થાને પ્રાપ્ત થયા તે સમયે– Page #20 -------------------------------------------------------------------------- ________________ स्थैर्य मेरुगिरिमतिं सुरगुरुर्गाम्भीर्य मम्भोनिधिः, सौग्यत्व शशभृत्प्रतापमरुणः शौर्य" च पञ्चाननः । औदार्य" त्रिदशद्रमः सुभगतां कामःश्रियं श्रीनिधि न ढोकयतिस्म यौवनपदे दृष्ट्वा कुमार स्थितम् ॥१॥ યુવાવસ્થાને દીપાવતા કુમારપાલને જોઈ મેરૂપર્વતે સ્થિરતા ગુણ બૃહસ્પતિ બુદ્ધિ, સાગરે ગાંભીર્ય, ચંદ્રમાએ મૃદુતા, રવિએ પ્રતાપસિંહે પરાક્રમ, કલ્પવૃક્ષે ઉદારતા. કામદેવે રૂપસૌદર્ય અને કુબેરે લક્ષ્મી અર્પણ કરી.” ભોપલદેવી સાથે તેમનું લગ્ન થયું હતું. વળી ત્રિભુવનપાલને મહીપાળ અને કીર્તિ પાળ નામે બે પુત્રો હતા. તેમજ પ્રેમલદેવી અને દેવલદેવી નામે બે પુત્રીઓ હતી. પ્રેમલદેવીને કૃષ્ણદેવ સાથે અને દેવલદેવી ને શાકંભરી નરેશ-અર્ણોરાજ સાથે પરણાવી હતી. ધર્મ, અર્થ અને કામની મૂર્તિ સમાન ત્રણ પુત્રો વડે ત્રિભુવન-પાલની કીર્તિ સર્વત્ર પ્રસરી હતી એક દિવસ કુમારપાલ પાટણમાં ગયે, ત્યાં સિદ્ધરાજ ભૂપતિની સભામાં બેઠેલા શ્રી હેમચંદ્રસૂરિનાં દર્શન થતાં. તેમની અદ્ભુત મહાતેજસ્વી મૂતિ જોઈ કુમારપાલને નિશ્ચય થથા કે, આ કોઈ મહાન પુરુષ સર્વ કલાઓના જ્ઞાતા છે. જેથી આચાર્ય મહારાજની બહુ ભાવથી તે સેવા કરવા લાગે. અન્યદા ગુણ સંબંધી વ્યાખ્યાન ચાલતું હતું, તે પ્રસંગે કુમારપાલે આચાર્ય મહારાજને પુછયું કે, સર્વગુણમાં કયો ગુણ શ્રેષ્ઠ ગણાય ? શ્રી હેમચંદ્રસરિ બોલ્યા, સત્ત્વગુણ સમાન અન્ય કઈ પણ ગુણ શ્રેષ્ઠ નથી. સવગુણથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે, એ સંબંધમાં અજાપુત્રની પ્રાચીન અને અભુત એક અપૂર્વ કથા સંભળાવી “પૃઇ-૬પ થી શરૂ” જેથી કુમારપાલને જનધમ પર કંઇક શ્રદ્ધા થઈ. પરંતુ તે સમયે તેને રાજ્ય સત્તાને અધિકાર નહોતે. ન્યાયપૂર્વક રાજ્ય ચલાવતા સિદ્ધરાજને પુત્ર નહી હોવાથી ગુમહારાજને સાથે લઈ તે યાત્રા માટે નીકળે. પ્રથમ શત્રજ્યની યાત્રા કરી ત્યાં ભાવપૂર્વક શ્રીઆદિનાથ ભગવાનની પૂજા કરી, ભાવના ભાવતાં ભૂપતિને વિચાર થયો કે, આવા ઉત્તમ તીર્થમાં પિતાની લક્ષ્મીને સદુપયોગ ન થાય તે પ્રાણીઓને ઉત્તમ પ્રકારની રાજ્ય સંપત્તિઓ કયાંથી મળે? એમ જણ તેણે શ્રી આદિનાથની પૂજા માટે બાર ગામ આપ્યાં. તેમજ અનેક ભેજનહાળાઓ બંધાવી. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ત્યાંથી સંધસહિત રૈવતાચલની યાત્રાએ ગયા. ત્યાં નેમિનાથ ભગવાનની -પૂજા સ્નાત્ર કરી પ્રભાસપાટણ ગયા. સેમેશ્વરની યાત્રા કરી ત્યાંથી તેઓ કેડીનાર ગયાં. ત્યાં અંબિકાદેવીની પૂજા કરી સિદ્ધરાજે હેમચંદ્રસૂરિને પૂછયું. પ્રભો ! રાજ્યશ્રીના આલંબનભૂત મારે પુત્ર નથી, માટે આપ કૃપા કરી અંબિકાને તુષ્ટ કરી પુછે, મારે પુત્ર થશે કે નહીં ? અને મારા પછી -રાજ્યાધિકારી કોણ થશે ? એ પ્રમાણે રાજાનો પ્રશ્ન સાંભળી આચાર્ય મહારાજે ત્રણ ઉપવાસ કર્યા. પ્રસન્ન થયેલી દેવીના વચનથી તેમણે કહ્યું કે, હે રાજન ! તારે પુત્ર થવાને નથી અને તારાને રાજ્ય ભોક્તા કુમારપાલ રાજા થશે. એટલું જ નહીં પણ તે સંપ્રતિ રાજાની માફક ભૂમંડલમાં જૈનધર્મને વિસ્તાર કરશે. એ પ્રમાણે ગુરુનું વચન સાંભળી શલ્યથી વિંધાયેલાની માફક સિદ્ધરાજ યાત્રા પૂર્ણ કરી પોતાની રાજધાનીમાં આવ્યો. ત્યારપછી અંબિકાદેવીનાં વચનની પરીક્ષા માટે તેણે નૈમિત્તિકોને બોલાવી પુત્ર સંબંધી પ્રશ્ન પુછે. તેમણે પણ નિશ્ચય કરી દેવીના કહ્યા પ્રમાણે જવાબ આપો. ઉભયના વચનથી રાજાને વિશ્વાસ રહ્યો નહી. જેથી તેણે નિશ્ચય કર્યો કે, સેમેશ્વરને પ્રસન્ન કરી જરૂર હું પુત્રવાન થાઉં, એમ ધારી તે પાદચારી - થઈ તપસ્વી વૃત્તિથી પુનઃ પ્રભાસમાં ગયો. શુદ્ધિ પૂર્વક સ્ત્રી સહિત તેણે ત્રણ ઉપવાસ કર્યા. પ્રત્યક્ષ થઈ સોમેશ્વરે કહ્યું, ત્યારે પુત્ર થવાનું નથી. તારા રાજ્યને ભોકતા બહુ પરાક્રમી કુમાર પ્રગટ થયો છે, તે સાંભળી સિદ્ધરાજને નિશ્ચય થયો કે, મારા રાજ્યને અધિકારી કુમારપાલ થશે. એવી ચિંતાથી આતુર બની સિદ્ધરાજ કુમારપાલપર દ્વેષ કરવા લાગ્યો. પોતાના સુભટ મારફતે અનેક વિપત્તિઓથી કુમારપાલને બહુ હેરાન કર્યો. પૃષ્ટ ૧૨૯ થી” સિદ્ધરાજ ભૂપતિને સ્વર્ગવાસ વિ. સં. ૧૧૯૯માં થયો. ' . તે સમયે શ્રી કુમારપાલ ભૂપતિને રાજ્ય સત્તા મળી. વિપત્તિ સમયમાં , જેમણે સહાય આપી હતી, તેમને પોતે કૃતજ્ઞ હેવાથી યોગ્ય અધિકાર આપ્યા. કારણકે, અયુદયનું આ મુખ્ય ફલ છે, पुरजनपदग्रामत्राण, भटब्रजसग्रहः, कुनयदलन नीतेवृद्धि-स्तुला मिति स्थितिः । व्रतिषु समता चैत्येष्वर्चा, सतामतिगौरव', प्रशमनविधिं नव्ये राज्ये, व्यधादिति स प्रभुः ॥ १ ॥ Page #22 -------------------------------------------------------------------------- ________________ ' નવીન રાજ્યમાં શાંતિ ફેલાય એટલા માટે પુર, નગર, દેશ અને ગ્રામ વિગેરેની રક્ષા, ઉદ્ભય સુભટો સંગ્રહ, દુષ્ટ નીતિને વિનાશ, સુનીતિની વૃદ્ધિ તેલ માપની એગ્ય વ્યવસ્થા, વ્રતધારીઓ “ઉપર સમતા, જૈન મંદિરમાં પૂજ અને પુરૂષને સત્કાર કરવાની શ્રી કુમારપાલ ભૂપતિએ વ્યવસ્થા કરી.” એમ પિોતાના રાજ્યની વૃદ્ધિ માટે ભૂપતિએ અનેક પ્રકારની ઉદારતા પ્રવર્તાવી. તેમજ રાજ્ય પ્રાપ્તિ પછી લગભગ દશ વર્ષ સુધી રાજ્ય વ્યવસ્થા અને રાજ્યસીમા વધારવામાં પ્રયત્ન કરીને ઉન્મત્ત રાજાઓને પણ પોતાની પ્રચંડ આજ્ઞાને સ્વાધીન ર્યા. તે સમયના રાજાઓમાં કુમારપાળ રાજા એક અદ્વિતીય વિજેતા અને વીર રાજા હતા. ભારતવર્ષમાં તેની બરોબરીમાં આવે તેવો કોઈ અન્ય રાજા નહોતે. રાજ્યસીમા બહુ વિશાલ હતી. “ઉત્તરદિશામાં તુર્કસ્થાન, પૂર્વમાં ગંગાનદી, દક્ષિણમાં વિંધ્યાચલ અને પશ્ચિમમાં સમુદ્ર પર્વત તેમનું રાજ્ય હત” એમ શ્રી મહાવીરચરિત્રમાં શ્રી હેમચંદ્રસૂરિએ લખ્યું છે. દયાશ્રય મહાકાવ્યની પ્રસ્તાવનામાં પ્રો.મ. ન. દિ. લખે છે કે-“ગુજરાતના અથવા અણહિલવાડના રાજ્યની સીમા બહુ વિશાલ જણાય છે. દક્ષિણમાં કહપુરના રાજા તેની આણ માને છે અને ભેટ મોકલે છે ઉત્તરમાં કાશ્મીરથી પણ ભેટે આવેલી છે, પૂર્વમાં ચેદી દેશ તથા યમુનાપાર અને ગંગા પાર મગધ સુધી આણ ગયેલી છે, પશ્ચિમે સૌરાષ્ટ્ર તે ગુજરાતને તાબે હતું અને સિંધુદેશ એટલે સિંધ અને પંજાબને કેટલાક પંચનદ આગળને ભાગ એ પણ ગુજરાતને તાબે હતે. તે સિવાય ઘણાય દેશના રાજાનાં નામ આવે છે. એમને ઓળખવાનાં આપણી પાસે હાલ સાધન નથી.” એ પ્રમાણે સર્વ રાજ્ય વ્યવસ્થા સુસ્થિત કરી. પરંતુ પરમોપકારી શ્રી હેમચંદ્રસૂરીશ્વર તેમની સ્મૃતિમાં આવ્યા નહીં. બાદ શ્રીકુમારપાલ રાજાના રાજ્યાભિષેકના સમાચાર કરણાવતી નગરીમાં આચાર્ય મહારાજના જાણવામાં આવ્યા. પ્રસન્ન થઈ પોતે વિચાર કરવા લાગ્યા કે. નિમિત્ત જોઈ મેં તેને પ્રથમ રાજ્ય પ્રાપ્તિને સમય કહ્યો હતો, ત્યારે તેણે કબુલ કર્યું હતું કે, રાજ્ય મળવાથી હું જૈનધર્મની બહુ ભકિત કરીશ. તે વૃત્તાંત તેને યાદ છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ... : Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ એમ ધારી સૂરીશ્વરે પાટણ તરફ્ વિહાર કર્યાં. સંધ સહિત ઉન મંત્રીએ માટા ઉત્સાહથી પ્રવેશ મહોત્સવ કરાયેા. સૂરીશ્વર ઉડ્ડયનમંત્રીને કહ્યું કે, એકાંતમાં કુમારપાળના તરે કહેવુ` કે, આજ રાત્રીએ નીત રાણીના મહેલમાં તમારે સુવુ` નહીં. એ સાંભળી રાજા બહુ આગ્રહથી પુછે તે મારૂ નામ તારે જાહેર કરવુ. મત્રાએ રાજાને ગુરૂએ કહેલુ વૃત્તાંત નિવેદન કર્યું. કુમારપાળ તે રાત્રીએ નવીન રાણીના હેલમાં સુવા ગયા નહીં, રાત્રીના સમયે અકસ્માત્ વિદ્યુત્પાત થયા. રાણી મરી ગઈ. તે સાંભળી રાજાને ચમત્કાર થયે.. બહુ આગ્રહથી ભુપતિએ પૂછ્યું, આ ચમત્કારી વાર્તા તને કાણે કહી ? એ પવિત્ર મહાત્માનું નામ શુ' ? એમણે મતે જીવિતદાન આપ્યું. મત્રીએ કહ્યુ, મહારાજ ! સ્તંભતીથ -ખ ભાતમાં આપ આવ્યા હતા, ત્યારે આપને રાજ્ય પ્રાપ્તિના સમય જેમણે ચેાક્કસ બતાવ્યા હતા તેજ સદ્ગુરુ એ આ સૂચના આપી આપની ઉપર મેટી કૃપા કરી છે. એમ સાંભળતાં જ કુમારપાળ ભુપતિને સૂરીશ્વરનું સ્મરણ થયું. મારા જીવન દાતા તે આશિષ આપવા અહીં તે મહારાજનાં દશ ન કરી ભુપતિ સ્તુતિ કરવા લાગ્યા. સૂરીશ્વર કયાં છે ? મંત્રીએ કહ્યું, આપને પધાર્યાં છે. અસાધારણ ભકિતપૂર્વક ગુરુ પેાતાના અપરાધનું સ્મરણ કરી લજ્જીત થઈ હે ગુરુ મહારાજ ! ખભાત નગરમાં રાજ્યભયથી આપે મારૂં રક્ષણ કર્યું હતું, તેમજ રાજ્યાભિષેકના ચેકકસ સમય પત્રિકા દ્વારા બતાવી મતે શાંત કર્યાં હતા. આપના આશીર્વાદથી હું અનેક સંકટામાંથી મુકત થયા છતાં આ રાજ્યવૈભવ પામી આપના સ્મરણથી વિમુખ થયેા. એથી . આ દુનિયામાં ખરેખર મારા સરખા કાઈ કૃતઘ્ન નથી. અને આપ જેવા કાઈ કૃતજ્ઞ નથી. માટે હે કૃપા—નિધાન ! મારા સમગ્ર અપરાધને ક્ષમા કરી આ રાજ્યલક્ષ્મીના આપ સ્વીકાર કરી. ગુરૂ મહારાજે ભુપતિને આશીર્વાદ આપ્યા : नतामस्यः स्फूर्त्ति, दधति न वरं यस्य पुरतः श्रियस्तैजस्योऽपि, त्रिजगदवगहै करसिकाः । '' अचक्षुः स लक्ष्य, परिहृतपथ वाङ्मनसयोમહાદાન છે, સમયનું સમન્તાવિક સમઃ ॥ ૨॥ Page #24 -------------------------------------------------------------------------- ________________ “હે રાજન! જેની આગળ અંધકારની છટાઓ સ્લરતિ નથી. એટલું જ નહીં પણ ત્રણે લોકમાં અવગાહન કરવામાં રસિક એવી તેની પ્રજાઓ પણ ખુરી શકિત નથી, તેમજ ચક્ષુષથી અગ્રાહ્ય અને મન તથા વાણીને અગોચર એવું તે જ્ઞાન સર્વ બાજુના તારા તમસ–અજ્ઞાનને શાંત કરે” એમ આશિષ આપી ગુરુ મહારાજ બોલ્યા, હે ગુજરેશ ! તું આત્મનિંદા છે માટે કરે છે ? ઉપકાર કરવાને સમય તે હવે જ તને પ્રાપ્ત થયો છે. હે વિદ્વાન ! કૃતજ્ઞ પુરુષોમાં ચૂડામણિ સમાન તું છે. પોતાના પૂર્વજોની માફક ઉત્તમ પ્રકારની તારી ભક્તિ છે. વળી તું જે રાજ્યદાનની મને પ્રાર્થના કરે છે, તે તારી ભકિતથી કંઈ અધિક નથી. સર્વ સંગના ત્યાગી અમારા સરખા મુનિઓને રાજ્યભવ કહ્યું નહીં, જલથી ચિત્ર જેમ રાજ્યભવથી ચારિત્રધમ નષ્ટ થાય છે. માટે હે નરેંદ્ર ! જે તું કૃતજ્ઞતાને લીધે પ્રત્યુપકાર કરવા ઈચ્છતો હોય તે દયામય શ્રીજિનશાસનની પ્રભાવના કર અને પ્રથમ કરેલી પ્રતિજ્ઞાને તું પૂર્ણ કર. એ પ્રમાણે ગુરુમહારાજનું વચન સાંભળી ભુપતિએ કહ્યું કે, હે પ્રભો ! આપના વચન પ્રમાણે હું વત્તીશ, પરંતુ પ્રતિ-દિવસ આપને સમાગમ હું ઈચ્છું છું, જેથી મને સત્ય તત્ત્વ પ્રાપ્ત થાય. સત્સંગ સિવાય તને લાભ થતું નથી. હંમેશાં સુરીના સમાગમથી રાજાનું હૃદય બહુ વિશુદ્ધ થયું. સમયોચિત ધર્મકાર્ય પણ સાધતો હતો. જેમકે – रक्षाऽऽयव्ययचिन्तन पुरजनान्वीक्षा सुरार्चाऽशने, कोशान्वेषणमन्यनीवृतिचरप्रेषोयथेच्छ भ्रमिः । हस्त्यश्वादिशरासनादिरचना जेतव्यचिंता सम, सेनान्येति कृतिः क्रमेण नृपतेघ्रस्खस्य भागाष्टके ॥१॥ “દિવસના પ્રથમ ભાગમાં પ્રજા રક્ષણ, આવક અને જાવકને વિચાર, બીજા ભાગમાં નગર નિરીક્ષણ, ત્રીજા ભાગમાં દેવપૂજન અને ભોજન, ચોથા ભાગમાં નિધાનોનું અવલોકન, પાંચમામાં દેશાંતરમાં ચરપુરુષોનું પ્રેષણ, છઠ્ઠા ભાગમાં યથોચ્છિત પરિભ્રમણ, સાતમા ભાગમાં હાથી, ઘોડા અને ધનુષબાણ વિગેરેની ગોઠવણ અને આઠમા ભાગમાં સેનાપતિ સાથે વિજયનો વિચાર, એમ દિવસના આઠ ભાગમાં કાર્યક્રમ સંભાળતા હતા. તેમજ – Page #25 -------------------------------------------------------------------------- ________________ एकान्ते परमाप्तवाकूश्रुतिरतिप्रौढार्थशास्त्रस्मृति___स्तूर्यध्वानपुरस्सरं च शयनं निगा च भागद्वये । बुद्ध्वा वाद्यरवैरशेषकरणध्यानानि मत्रस्थिति विप्राशीभिषगादिदर्श नमिति स्याद्रात्रिभागाष्टके ॥१॥ રાત્રિએ પણ પ્રથમ ભાગમાં એકાંત સ્થળે બેસી પરમ આપ્તપુરુષની વાણીનું વિચાર પૂર્વક શ્રવણ, બીજા ભાગમાં આનંદજનક શાસ્ત્રાર્થનું સ્મરણ, ત્રીજા ભાગમાં વાજીંત્રના નાદપૂર્વક શયન, ચેથા અને પાંચમા ભાગમાં નિદ્રા, છઠ્ઠા ભાગમાં માંગલિક વાદ્યના નાદથી જાગ્રત થઈ સમગ્ર કર્તવ્યને વિચાર, સાતમા માં મંત્રીઓની સાથે ગુપ્ત વિચાર અને આઠમા ભાગમાં વિપ્રને આશીર્વાદ તેમજ વૈદ્ય વિગેરેનું દર્શન, એ પ્રમાણે રાત્રિ દિવસનો સમય સદદિત કર્તવ્ય પરાયણ જ વ્યતીત થતો હતો” જૈનધર્મસામ્રાજ્ય મહારાજા કુમારપાલની અનિર્વચનીય કૃતજ્ઞતા હતી, ભાવ દયાલુ અને સ્વરૂપ સંચારી હતા. થોડા જ સમયમાં મુકિતગામી હોવાથી તેમના હૃદયમાં શ્રી હેમચંદ્રસૂરિના વચનામૃતથી બેધિબીજ-સમકિત અંકુરિત થયું. ગુરુના ચરણમાં નમસ્કાર કરી ભુપતિએ કહ્યું. પ્રત્યે હે જીવનપર્યત હું આપની પ્રમાણે વર્તીશ. આપ મારા સ્વામી, ગુરુ અને પ્રાણ સ્વરૂપ છે. એમ રાજને અભિપ્રાય જાણી ગુરુ મહારાજનું હૃદય આનંદિત થયું. કુમારપાલે ગુરૂની આજ્ઞા પ્રમાણે પોતાના સમગ્ર રાજ્યમાંથી. હિંસારાક્ષસીને દેશનિકાલ કર્યો, સત્યનીતિના પ્રભાવથી, વૈર વિરોધ વિગેરે દુષણો પલાયન થયાં, પશુથી આરંભી નાનાં મોટાં અતિ સુક્ષ્મ પ્રાણીઓને કોઈપણ માણસ હણ નહોતે. મનુષ્યને અવનતિદાયક ઘતાદિ સાતે વ્યસનનો પણ દેશમાંથી બહિષ્કાર કર્યો. રાજ્યમાં અનીતિ એ શબ્દ શ્રવણ માત્ર હતો, ગુરુ મહારાજના ધર્મોપદેશથી કુમારપાળરાજા જૈનધર્મમાં દઢ શ્રદ્ધાલુ થયો. જગતને પ્રપંચ મિથ્યા ભાસવા લાગ્યો. અનુક્રમે સંસારની નિઃસારતા અનુભવમાં આવી. જેથી તેમણે યથાવિધિ ગુરુ મહારાજની પાસે વિ. સં. ૧૨૧૬ માં શ્રાવકનાં બાર વ્રતને સ્વીકાર કર્યો. અનેકધા જૈનધર્મની તેઓ પ્રભાવના કરવા લાગ્યા. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સમગ્ર આČત્રત દેશમાં જૈનધમ ની પ્રશ'સા થવા લાગી, એમ સ પ્રકારની જેનશાસનની ઉન્નતિ જોઈ શ્રીહેમચંદ્રાચાય` પેાતાની પ્રતિજ્ઞા સફલ થયેલી જાણી આત્માને કૃતકૃત્ય માનવા લાગ્યા. સત્યયુગથી પણ તે સમયની શ્રેષ્ઠતા માનવામાં આવી. શ્રોકુમારપાળની પ્રાથનાથી નિત્યપાઠ માટે આચાય મહારાજે વીતરાગસ્તાત્રની રચના કરી, તેમાં કહ્યું. છે કે, यत्राल्पेनाsपिकालेन त्वद्भक्तः फलमाप्यते । कलिकालः सएकोsस्तु, कृतं कृतयुगादिभिः ॥ १ ॥ . ? હે વીતરાગ ભગવાન ! જે સમયમાં તમારા ભકતા સ્વલ્પ સમય વડે ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે, તેવા તે એક જ કલિયુગ સદા રહેા, સત્ય યુગાદિવડે સયું. અર્થાત્ આ સમય ધ`મય હોવાથી અતિ ઉત્તમ છે.” વળી તેજ સ્તાત્રમાં આગળપર કર્યુ. છે કે;– કવાદ: શ્રોતા સુધી હા, યુધ્યેચાતાં ચીરા ! તમ્ । त्वच्छासनस्य साम्राज्य- –મેચ્છત્ર હાવિ | ? | હે જીતેદ્ર ! વિશુદ્ધ શ્રદ્ધાવાળા શ્રાવક શ્રોતા અને શાસ્ત્રનિષ્ણાત મુદ્ધિ— માન વક્તા, એ અનેતે જો યાગ હાય ! આ કલિયુગમાં પણ આપના શાસનનું એક છત્રની સુશાભિત અખંડ સામ્રાજ્ય દીપે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે, યુગાંત વર્તમાન શ્રીહેમચ ંદ્રસૂરિસમાન સકલ શાસ્ત્ર પારગામી જૈનધર્મીના વક્તા અને ચૌલુકય ચૂડામણિ શ્રીમાન રાજર્ષિ કુમારપાળ દેવ સરખા શ્વેતા શ્રાવક વિદ્યમાન છે, તે કલિકાલમાં જૈનધમ નું એક છત્ર સામ્રજ્યું હોય તેમાં આશ્રય શું ? સૂરીશ્વરની જ્ઞાનશક્તિ અને ગ્રન્થનિર્માણતા ભગવાન હેમચંદ્રાચાય તું જીવન જગત્માં હંમેશાં અમર અને અન્ય વિદ્વાનને આશ્ચય જનક હાવાનુ મુખ્ય કારણ તેમને અગાધ જ્ઞાનગુણ હતા તેમના સમાન સમસ્ત ભૂમડલમાં અન્ય વિદ્વાના તે સમયમાં અસ્તિત્વ ધરાવતા નહેાતા. આવી અપૂર્વ તેમની જ્ઞાનશક્તિથી પ્રસુતિ થઇ સવ વિદ્યાનાએ કાલિકાલ’ સા' પદવી આપી હતી. ખરેખર તે પદવી તેમને ચેાગ્ય હતી, એમાં કઈ અતિશયાક્તિ નથી. એની સત્યતા પૂરવાર કરવામાં હાલ તેમના રચેક્ષા અક ગ્રંથરત્ના વિદ્યમાન છે. હાલના વિદ્વાના પણ સૂરીશ્વરના તત્ત્વદશ ક ગ્ર ંથનું નિરીક્ષણ કરી ‘જ્ઞાનાંવ' તરીકે તેમને સોધે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનું પ્રમાણ સાડાત્રણ કરોડ શ્લોક છે, તેમાં કેટલેક ભાગ સમયના વ્યત્યાસથી મળી શકતું નથી. વિદ્યમાન ગ્રંથે બહુ પ્રમાણમાં દરેક સ્થળે વિદ્વાનને આનંદ આપી રહ્યા છે. કેઈપણ વિષય એ નહોતું કે, જેને વિશાદાથે આચાર્ય મહારાજે ન કર્યો હેય. વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કેષ, છંદોલંકાર, ગ, નીતિ, સ્તુતિ વિગેરે વિષય પર આચાર્ય મહારાજે અનેક ગ્રંથની રચના કરી હતી. તે પૈકી ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર, સિદ્ધહેમ શબ્દાનુશાસન બહવૃત્તિ, લઘુવૃત્તિ, બુહન્યાસ, લઘુન્યાસ, અભિધાન ચિંતા - ણિ, કાવ્યપ્રકાશ, દેશીનામમાલા, અનેકાર્થ કેશ, અધ્યાત્મપનિષદ્ધ, પ્રમાણ મીમાંસા, દ્વયાશ્રય કાવ્ય વિગેરે કેટલાક ગ્રંથે હાલમાં વિદ્યમાન છે. શિષ્ય સમુદાય અને સ્વર્ગવાસ. ભગવન ચ દ્રસુરિને શિષ્ય સમૂહ અત્યંત પ્રભાવિક અને તત્વજ્ઞાતા હતું. સાધુ સમુદાયમાં સુરીશ્વરજીના પટ્ટધર શિષ્ય પ્રબંધશતકર્તા, કવિ કટ્ટારમલ વિદ્યવેદી મહાક વે રામચ દ્રસુરિ (૧) શ્રી મહેદ્રસુરિ ૨) એમણે અનેકાથ કૈરવાકરકૌમુદી નામે અનેકાર્થ કેષની ટીકા પોતાના ગુરુના નામથી પ્રસિદ્ધ કરી છે. અનેક વિદ્યાસંપન્ન શ્રીગુણચદ્વિગણિ (૩) શ્રીરામચંદ્ર કવિસમાન પ્રખર વિદ્વાન હતા. શ્રીદ્ધમાન ગણિ (૪) એમણે કુમારવિહારપ્રશસ્તિ કાવ્યપર વ્યાખ્યાદિકની રચના કરી છે. દેવચંદ્ર મુનિ (૫) એમણે ચંદ્રલેખા વિજય પ્રકરણની રચના કરી છે. યશશ્ચંદ્ર ગણિ (૬) નો પરિચય પ્રસ્તુત ચરિત્ર અને મેરૂતુંગાચાર્યો વિ. સં. ૧૩૬૧ માં રચેલ પ્રબંધ ચિંતામણિના (સ. ૪ પૃ. ૨૦૬-૨૩૩ ઉપરથી સુચિત થાય છે. વિદ્યાવિલાસી ઉદયચંદ્રગણિ (૭) સારા વિદ્વાન હતા, જેમના ઉપદેશથી દેવેંદ્રસૂરિના શિષ્ય બુદ્ધિમાન કનકપ્રભા મુનિએ લઘુ હેમન્યાસને ઉદ્ધાર કર્યો. કવિ બાલચંદ્ર (૮) રામચંદ્ર કવિના પ્રતિસ્પધી અને અજયપાલ નરેશના મિત્ર હતા. તેમની રચેલી “રાતચાડતિમય’ વિગેરેની સ્તુતિ પ્રસિદ્ધ છે. અન્ય કૃતિ હાલમાં ઉપલબ્ધ નથી. એ સિવાય અન્ય વિદ્વાન શિષ્યા પણ હતા. Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક સમુદાયમાં અગ્રગણ્ય રાજર્ષિ કુમારપાળ દેવ, મહામાત્ય ઉદયન, રાજપિતામહ આમ્રભર દંડનાયક શ્રીવાગભટ, રાજઘટ્ટ ચાહક, અને સેલાક વિગેરે રાજવગીય તેમજ પ્રજાવર્ગીય શ્રીમંત લક્ષાવધિ ભક્ત હતા. વિવિધ તપશ્ચર્યાવડ ધમને વધારતા ચંદ્ર કુમુદને જેમ જૈન ધર્મને વિકસ્વર કરતા શ્રી હેમચંદ્રસૂરીશ્વરે ચેરાશિ વર્ષનું આયુષ પૂર્ણ કરી અદ્ભુત જ્ઞાનના અતિશય વડે પોતાના આયુષની સમાપ્તિ જાણી પિતાના ગુરુ ભાઈ શ્રી પ્રદ્યુમ્નસૂરિને ગચ્છની ભલામણ કરી. બાદ પોતાના શિષ્ય સમુદાયને આનંતિ સંબંધી વિવિધ પ્રકારની અમૃતસમાન દેશના આપી. તે સાંભળી શ્રી કુમારપાલનું હૃદય ભરાઈ આવ્યું. સૂરીશ્વરે મિષ્ટ વચને વડે રાજાને શાંત કર્યો. અંત સમયમાં ધ્યાનવડે ઈદ્રિયને રોધ કરી બહુ સમય સુધી સમાધિપૂર્વક આત્મચિંતન કરતાં સૂરીશ્વરે બ્રહ્મરંધ્ર દ્વારા પ્રાણ ત્યાગ કર્યો. વિ. સં. ૧૨૨૯ માં અખિલ ભૂમંડલને શોકસાગરમાં ડૂબાવી શ્રીમાન કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રૂપ અલૌકિક ચંદ્ર અસ્વંગત થયે. ખરેખર શ્રી હેમચંદ્રાચાર્ય એક અદ્વિતીય મહાપુરૂષ હતા. તેમના સંબંધમાં પ્રો. પીટર્સન લખે છે કે, “હેમચંદ્ર એ મહાન આચાર્ય હતા. દુનિયાના કેઈપણ પદાથ ઉપર તેમને તિવમાત્ર પણ મેહ નહતો. તેમજ તે મહાત્માએ પિતાની મોટી આયુષ અને જોખમદાર છંદગીને ખરાબ કામમાં ન રેકતાં સંસારના ભલા માટે વ્યતીત કરી હતી તેઓએ કરેલા સુકૃત્ય બદલ આ દેશની પ્રજાએ તેમને માટે ઉપકાર માનવે જોઈએ.” ધાર્મિક જીવન શ્રી કુમારપાળ ભૂપતિના સમયમાં પાટણનગરમાં ૧૮૦૦ કરોડાધિપતિ વસતા હતા. કેઈપણ દુઃખી માણસને જોઈ તેઓ તેની સહાય કરતા હતા. પોતાની પ્રજાને આમવત પાળતા હતા. ગુણનારાગી હતા. અને દુર્ણથી દૂર રહેતા હતા. એમની પ્રકૃતિ ધર્મમયી હતી. સત્યવાદી અને નિર્વિકાર દષ્ટિવાળા હતા. તેમજ પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીને તેઓ મા અને બહેન સમાન માનતા હતા. મહારાણું ભોપાળદેવીના મરણ પછી જન્મ પર્વત બ્રહ્મચર્યવ્રત પાળતા હતા. રાજકીય લોભથી દૂર રહેતા અને માંસ ભવાદિક અભક્ષ્ય પદાર્થોને સર્વથા તેમને ત્યાગ હતો. દીન દુખી અને યાચક વર્ગને અગણિત દાન આપતા હતા. ગરીબ અને અશક્ત શ્રાવકના નિર્વાહ માટે લાખ રૂપિયા રાજ્યના ખજાનામાંથી વાપરતા હતા. Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસ્ત્રોના ઉદ્ધાર માટે લાખ રૂપીઆને વ્યય કરી અનેક પુસ્તક ભંડાર સ્થાપન કર્યા. હજારો પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર તેમજ નવીન જૈન મંદિર બંધાવીને ભારત ભૂમિને સર્વોત્તમ કરી. તારંગાજી તીર્થમાં શ્રીમાન કુમારપાળ ભૂપતિએ બંધાવેલું ભારતવર્ષની દીવ્ય શિલ્પ કળાના અપૂર્વ નમુના રૂપ વિશાળ અને આકાશ સ્પશી મંદિર હાલમાં પણ તેમની જૈનધર્મ પ્રત્યેની પ્રિયતા સૂચવે છે. તેમજ અન્ય તીર્થોમાં પણ તેમનાં બંધાવેલાં ઘણાં મંદિરે જાહેર છે. તે સંબંધમાં કેઈ કવિએ તેમના મરણ પછી લખ્યું છે કેઃ लोको मूढतया प्रजल्पतु दिव राजर्षिरध्यूषिवान् , ब्रूमो विज्ञतया वयं पुनरिहैवास्ते चिरायुष्कवत् । स्वान्ते सच्चरितैन भोब्धिमुनिभिः कैलासवैहासिकैः, प्रासादैश्चबहिर्य देष सुकृती प्रत्यक्ष्य एवेक्ष्यते ॥ १ ॥ શ્રીકમારપાળ રાજર્ષિ સ્વર્ગમાં ગયા એમ અજ્ઞાનતાને લીધે લે કે ભલે બેલે, પરંતુ અમે તો સમજીને કહીએ છીએ કે, તે ભૂપતિ ચિરંજીવીની માફક આ લેકમાં જ વિરાજે છે. કારણ કે, હૃદયમાં ઉત્તમ ચરિત્ર વડે અને બહારથી કલાસગિરિનું ઉપહાસ કરતા ચૌદસો ચાળીશ ૧૪૪૦ પ્રાસાદ–જનમંદિર બંધાવવાવડે આ ભાગ્યશાળી રાજા પ્રત્યક્ષ જ દેખાય છે.' વળી અન્ય ચરિત્ર ગ્રંથ ઉપરથી સિદ્ધ થાય છે કે, જૈન મંદિર ઉપરાંત તેમણે શિવમંદિર બંધાવ્યાં હતાં તેમજ ઘણાં મંદિરોને સુવર્ણ કલશથી વિરાજીત કર્યા હતા. જિર્ણોદ્ધાર તથા સર્વ સમાજોપયોગી ધર્મકાર્ય માટે સરોવરાદિક નિર્માણ કરાવ્યાં હતાં. અપુત્રક રૂદતી સ્ત્રીઓનું વાર્ષિક ધન (૭૨,૦૦,૦૦૦) રાજ્યમાં લેવાતું હતું, તેને લેખ ફાડી નાખે અને અધિકારીઓને આજ્ઞા કરી કે, આજથી રૂદતી ધન લેવું નહીં. એ સંબધમાં કુમારપાળ પ્રબંધમાં ઉલ્લેખ છે કે, પરમહંત કુમારપાળે વિ. સં. ૧૨૩૦ માં ૩૦ વર્ષ નવમાસ સત્તાવીસ દિવસ રાજ્ય ભોગવી સ્વર્ગ વાસ કર્યો. પરમહંત શ્રી કુમારપાળે ૧૪૦૦ પ્રાસાદ બંધાવ્યા. ૭ર સામંત પર પિતાની આજ્ઞા ચલાવી. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૧૮ દેશમાં જીવદયા પળાવી. ૧૬૦૦૦ જિર્ણ મંદિરોને ઉદ્ધાર કરાવ્યું. ૧૪૪૪ નવીન જિન ઐ પર સુવર્ણ કળશ ચઢાવ્યા. ૯૮ લાખ રૂપીયા ઉચિત દાનમાં ખર્ચા. ૭ વાર તીર્થયાત્રા કરી. પ્રથમ યાત્રામાં ૯ લાખ રૂપીઆની કિંમતનાં નવ રત્નથી પ્રભુપૂજા કરી હતી. ૨૧ જ્ઞાન ભંડાર લખાવ્યા. અપુત્રીયાઓનું દ્રવ્ય પ્રતિ વર્ષે ૭૨ લાખ રાજ્ય ભંડારમાં આવતું હતું. તે સદાને માટે માફ કર્યું. ૭૨ લાખ રૂપીઆને શ્રાવકને લવાત કર માફ કર્યો. અશક્ત શ્રાવકેની સહાય માટે એક કરોડ રૂપીઆ દરેક વર્ષે આપવામાં આવતા હતા. પરનારી સદર (૧) શરણાગત વપંજર (૨) વિચાર ચતુર્મુખ (૩) પરમહંત (૪) રાજર્ષિ (૫) જીવનદાતા (૬) મેઘવાહન (૭) આદિ અનેક બિરૂદ પ્રાપ્ત થયાં હતાં. પિતાના રાજ્યમાંથી સાતવ્યસનને દૂર કર્યા હતાં. સંઘભક્તિ, સ્વધર્મી વાત્સલ્ય, ત્રિકાલ દેવપૂજ, બંને કાલ આવશ્યક, પર્વ દિવસમાં પૌષધ, જિન શાસની પ્રભાવના, દીનદ્ધાર, શાસ્ત્ર શ્રવણ અને ગુરૂસેવા વિગેરે અનેક પુણ્ય કાર્ય કરી પિતાના આત્માને સદ્ગતિ ભાજન બનાવ્યો હતે. "कुमारपालभूपस्य, किमेक वर्ण्य ते क्षितौ ? । जिनेन्द्रधर्ममासादा, यो जगत्तन्मय व्यधात् ॥ १ ॥ એ પ્રમાણે અનેક ધર્મ કાર્ય કરી શ્રીમાન ભૂપતિએ પોતાના આત્મોદ્ધાર માટે સર્વત્ર અમારી પ્રવર્તાવી યજ્ઞ યાગાદિકમાં પણ હિંસાનું નિવારણકરી અન્ના દિકહવ્યથી ધાર્મિક કાર્ય ચલાવ્યાં હતાં, તે સંબંધમાં એક વિદ્વાન લખે છે કે, “કુમારપાળે જ્યારથી અમારી ઘોષણા કરાવી. ત્યારથી યજ્ઞ યાગમાં પણ માસ બળી આપતે બંધ થઈ ગયો અને યવ તથા ડાંગર હોમવાને ચાલ શરૂ થયો. લકોને જીવ ઉપર અત્યંત દયા વધી અને માંસ ભોજન એટલું બધું નિષિદ્ધ થઈ ગયું કે, આખા હિંદુસ્થાનમાં એકકે બીજે પ્રકારે થોડું ઘણું માંસ કહેવાતા હિંદુઓ વાપરે છે, છતાં ગુજરાતમાં તે તેની ગંધ આવે તે પણ નાહી નાખે, એવી લેકની વૃત્તિ તે સમયથી બંધાયેલી તે અદ્યાપિ છે.” વળી શ્રીકમારપાળ નરેશના સંબંધમાં એક વિદ્વાન લખે છે કે કુમારપાળે જૈન ધર્મની અતિ ઉત્કૃષ્ટ રીતે રક્ષા કરી અને સમસ્ત ગુજરાતમાં એક જૈન ધર્મનું જ સામ્રાજ્ય પ્રગટ કર્યું. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મહારાજા કુમારપાળ એક શ્રેષ્ઠ કવિ હતા તેમનાં બનાવેલાં સ્તોત્રો મળી આવે છે. શ્રીમાન કુમારપાળ રાજર્ષિ પિતાના ગુરુશ્રી હેમચંદ્રસૂરિના સ્વર્ગવાસ પછી છ માસે એટલે વિ. સં. ૧૨૩૦ માં એંસી (૮૦) વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અનશન પૂર્વક દેહત્યાગ કરી સ્વર્ગવાસ પામ્યા. આ સંબંધી ઘણી હકીકત મૂળ ચરિત્રમાં આપેલી છે જેથી અહીં લખવાની જરૂર નથી. પ્રસ્તુત ચરિત્રકર્તા કૃષ્ણણીય ગચ્છના નાયક શ્રીમહેંદ્રસૂરિના શિષ્ય શ્રીન્યસિંહરિ હતા. જેમને પ્રતાપરૂપ સૂર્ય અજ્ઞાન તિમિરને ઉછેદ કરી જગત ને વિકસ્વર કરતે હતે. જેમની પ્રતિભા અસાધારણ હતી. તેઓ ઉત્તમ પ્રકારના કવિ હતા. વ્યાકરણ, ન્યાય અને કાવ્યાદિ રચવામાં અતિ નિપુણ હતા. વાદીરૂપ મૃગચૂથને ત્રાસ આપવામાં સિંહ સમાન હતાં. તેમના પ્રશિષ્ય શ્રીનચંદ્રસૂરિએ હમીર કાવ્યના ચૌદમાં સની પ્રશસ્તિમાં લખ્યું છે કે, जयति जनितपृथ्वीस मदः कृष्णगच्छे । विकसितनवजातीगुच्छवत् स्वच्छमूर्तिः । विविधबुधजनालीभृङ्गसङ्गीतकीर्तिः, कृतवसतिरजस्वं मौलिषु च्छेकिलानाम् ॥ १ ॥ ભૂમંડલને પ્રમેહ આપનાર કૃષ્ણ ગ૭ જયવંત વરે છે. વિકસિત થયેલા નવીન જાઈના ગુચ્છની માફક જેની મૂત્તિ સ્વચ્છ દીપે છે. અનેક વિદ્વાન લેકે ભ્રમરની માફક જેના ગુણોનું કીર્તન કરે છે. તેમજ બુદ્ધિમાન પુરુષોના મસ્તક પર હંમેશાં જેને વાસ થાય છે.” तस्मिन् विस्मयवासवेश्मचरितश्रीसूरिचक्र क्रमा___ जज्ञे श्रीजयसिंहसूरिगुरुः प्रज्ञालचूडामणिः । षड्भाषाकविचक्रशकभखिलप्रामाणिकाग्रेसर, सारङ्ग सहसा विरङ्गमतनोद् यो वादविद्याविधौ ॥ २ ॥ श्रीन्यायसारटोकां, नव्यं व्याकरणमथ च यः काव्यम् । कृत्वा कुमारनृपतेः, रव्यातस्त्रौविद्यवेदिचकीति ॥ ३ ॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ તે કૃષ્ણ ગચ્છની અંદર વિમય કારક ચારિત્રથી વિરાછત અનેક સુરીરે થયા. અનુક્રમે પંડિતમાં ચૂડામણી સમાન શ્રોસિંહસૂરિ થયા. જેમણે છ ભાષાઓના કવિઓમાં ચક્રવર્તી સમાન અને સમગ્ર તૈયાયિકામાં અગ્રેસર એવા સારંગ પંડિતને વાદ વિદ્યામાં પરાજીત કર્યા હતા. તેમજ ભાસર્વજ્ઞ એ રચેલા ન્યાય સારની ટીકા અને નવીન વ્યાકરણના પ્રણેતા તેઓ છે. વળી શ્રી કુમારપાળ ચરિત્ર રચવાથી “નૈવિઘવેદિકચક્રી” એ પદવીથી તેઓ પ્રખ્યાત છે. ન્યાયતાત્પર્યદીપિકામાં આચાર્ય મહારાજે દરેક મતનાં પ્રમાણે પ્રતિપાદન કરેલાં છે. જે ન્યાયસાર ગ્રંથમાં પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણ વૈશેષિકને અભિમત છે. પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન, અને શબ્દ એ ચારને તૈયાયિકાદિક માને છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થપત્તિ એ પાંચ પ્રભાકર ભટ્ટ, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શાદ અથપત્તિ અને અનુપલબ્ધિ એ છને વિદાંતિઓ તેમજ અતિઘ અને ચેષ્ટા સહિત આઠ પ્રમાણેને પૌરાણિક માને છે. વિગેરે પ્રમાણ વિવાદને યથાર્થ વિચાર કરી ગ્રંથ કર્તા આચાર્ય ભાસવરે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણને વિસ્તાર પૂર્વક પ્રતિપાદન કરેલાં છે. અન્ય પ્રમાણે તેમાં અંતર્ભાવ થઈ શકે છે. પાંચ હેત્વાભાસ, વાદ, જલ્પ, વિતંડા, છલ, જાતિ નિગ્રહ સ્થાન તેમજ અન્ય પદાર્થોનું પણ યથાર્થ નિરૂપણ કરેલું છે. ન્યાયસાર ગ્રંથના મંગલવાદથી આરંભી મહાન વિદ્વાનોના હૃદયને આશ્ચર્યજનક ઉકિત, પ્રયુક્તિ, ઉદાહરણ અને પ્રત્યુદાહરણ સહિત તેમજ પ્રસંગોપાત્ત અન્ય મત નિરૂપણના પ્રત્યાખ્યાન પૂર્વક સર્વવાદિ પ્રતિવાદિઓના ભેદાદિકને સૂચન કરનાર આ ગ્રંથપર ટીકા રચેલી છે. જેના અવકન માત્રથી જયસિંહરિની અલૌકિક વિદ્વારા જણાય છે. ૧ જેણે સારંગધર પદ્ધતિ નામે સાહિત્ય ગ્રંથ રચ્યો છે, તે ગ્રંથ-ડે પી પીટસંસાહેબે મુદ્રિત કર્યો છે. સારંગધર પંડિત હમ્મીર રાજાને પંડિત હતો. દામોદર પંડિતના ત્રણ પુત્ર હતા. લક્ષ્મીધર અને કૃષ્ણથી આ સારંગધર નાનો હતો. બીજે મહાદેવને પુત્ર હતો. ત્રીજો મુકુંદભુનુદ્ધને પુત્ર હતો. તેમાં આ ગ્રંથને કત્તાં હમ્મીર રાજાને પંડિત છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ તેમજ પ્રસ્તુત ગ્રંથકર્તા શ્રીમાન સૂરિના પ્રશિષ્ય મહાકવિ નયચંદ્રસૂરિ કાવ્યકલામાં તેમને સમાન હતા. જેમણે હમ્મીર મહાકાવ્ય અને રંભ મંજરી નાટક રચ્યાં છે, જયસિંહરિને સત્તા સમય આ ચરિત્રના પ્રાંત ભાગમાં આપેલા “કવિરામના -”એ શ્લોક પરથી વિ. સં. ૧૪૨૨ માં આ ગ્રંથની સમાપ્તિ કરી છે. તેથી વિક્રમની પંદરમી શતાબ્દીમાં સિદ્ધ થાય છે. આ ગ્રંથની યોજના દશ સર્ગમાં કરેલી છે. આ ગ્રંથ એતિહાસિક છતાં તેમાં પણ વિવિધ દષ્ટિાંત સિદ્ધાંતની એવી રચના ગોઠવી છે કે, વાચકોને અપૂર્વ બંધ આનંદપૂર્વક મળી શકે તેમ છે. એ હેતુથી આ ગ્રંથને ગૂજર ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે. મૂળ ગ્રંથને અનુસારે જૂનાદિક ન કરતાં કિલષ્ટતા રહિત સુગમ અને સરલ ભાષામાં રચાયેલા આ અનુવાદને આશય સમજી સજજને કર્તાના શ્રમને સફલ કરશે. માણસા ૧ સંવત-૨૫૫- કાર્તિક કૃષ્ણ ૧૧ શુક્ર. , અજિતણાગરસૂરિ Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત ગૂર્જર લેકે આ પ્રાંતમાં આવીને વશ્યા, ત્યારથી આ પ્રાંતનું નામ ગુજરાત પડયું છે. સૌરાષ્ટ્રની ઉત્તર સરહદે આવેલા પંચાસરના છેલ્લા મહારાજા જયશિખરીના. પુત્ર વનરાજ ચાવડે ગુજરાતનું પાટનગર અણહિલપુર વસાવ્યું અને ત્યાં રાજગાદી સ્થાપી વનરાજને મુખ્ય આશ્રય આપનાર જૈનધર્મના શીલગુણસૂરિજી હતા. વનરાજના સમયમાં જૈનધર્મના આગેવાનોએ ગુજરાતના રાજકારભરમાં આગેવાન ભાગ લીધેલ. આ કારણથી ગુજરાતમાં જૈનધમ આગેવાન. બનવાના પુણ્યવંતા પાયા રેપી શકે. વનરાજની ગાદીએ કેટલાક રાજા થયા પછી છેલ્લે સામંતસિંહ ચાવડે. થયે. દારૂના બુરા વ્યસનથી એણે ચાવડા રાજ્યને અંત આણ્યો. જૈનધર્મના આગેવાનોની અપૂર્વ સહાયવડે બળવાન બનેલા ચાવડા રાજાઓનાં અવશેષ રાજ્યો આજે પણ ગુજરાતમાં માણસા, વરસડા વગેરે સ્થળે. અસ્તિત્વ ધરાવે છે. સામંતસિંહ ચાવડાને મારીને તેના ભાણેજ સોલંકી મૂળરાજે ગુજરાતનું રાજ્યસન હાથ કર્યું. મૂળરાજ પિતે ગુજરાતને રાજા થયે. અણહિલ્લપુર પાટણમાં ચાવડા અને સોલંકી રાજાઓના અમલ દરમીયાન સૌથી પ્રતિભા શાલી. રાજા તે સિદ્ધરાજ જયસિંહ થયે. સિદ્ધરાજના જે રાજપ્રકરણમાં કુશલ બીજો એકેય રાજા ગુજરાતમાં આજ સુધી થયો નથી. સિદ્ધરાજના સમયમાં પ્રખ્યાત જૈન પંડિત કલિકાલ સર્વજ્ઞ હેમચં.. દ્રાચાર્યજી પ્રખ્યાતિમાં આવ્યા. આ પ્રસિદ્ધિનું કોઈ મોટામાં મોટું પરાક્રમ હોય તો તે સિદ્ધહેમ વ્યાકરણ છે, આ વ્યાકરણ પાણિની વગેરે વ્યાકરણ કરતાં યે. કેટલીક બાબતમાં ચઢીઆનું લખાયું છે. કહેવાય છે કે, શ્રી હેમચંદ્રાચાર્યજીએ. સાડા ત્રણ કરોડ શ્લેક બનાવ્યા હતા. આજે એ સઘળા શ્લોકો ઉપલબ્ધ નથી કદાચ પાંચેક લાખ કે ઉપલબ્ધ થતા હશે. શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજના. જે જે ગ્રંથો ઉપલબ્ધ થયા છે. તે સઘળા પ્રતિભાથી પૂર્ણ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજ પોતે શિવધર્મ પાળતે હતા એવું લેકે માને છે. ખરું જોતાં રાજાના સર્વ ધર્મો હોય છે. રાજધર્મનું પાલન કરવામાં જ રાજાનું કલ્યાણ સમાયેલું છે. રાજા અમુક પંથમાં પ્રવેશીને માળા ગણ્યા કરે અને પ્રજાનું ગમે તે થતું હોય છે તેવા સંજોગોમાં રાજા અમુક ધર્મમાં પ્રવેશે છતાં પ્રવેશ્યો નથી પણ ઉલો એ રાજા રાજધમથી ભ્રષ્ટ થએલે લેખાય છે. રાજાને રાજધર્મ–પ્રજા પાલનના શાસન પુરતે ઉપદેશ આપવો, તે વિચક્ષણ ધર્માચાર્યોની ફરજ છે. જેને પંડિત કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ પણ સિદ્ધરાજને પ્રજા પાલન ધર્મને લગતા ઉપદેશ આપ્યો હતો. સિદ્ધરાજ ઘણે પ્રતિભાશાળી અને ગુણજ્ઞ રાજા હોવાથી તે વખતે જેને, શૈ, વગેરે પિત પિતાના ધર્મોની મજબુતી કરવા અને બની શકે તે સિદ્ધરાજને પિતાના પંથમાં ભોળવી દેવાના ભગીરથ પ્રયત્ન થઈ રહ્યા હતા. ભગવાન હેમચંદ્રાચાર્યે પણ જૈનધર્મને રાજધર્મ અને દેશધમ બનાવવા માટે વધારેમાં વધારે પ્રયત્ન કીધા હતા. આવા શુભ પ્રયાસનું સુંદર ફળ મહારાજા કુમારપાલના સમયમાં આવ્યું હતું. તે એ હતું કે, મહારાજા કુમારપાલે જૈનધર્મને સ્વીકાર ઘણા જ પ્રેમ પૂર્વક કર્યો હતે. પૂર્વાચાર્યોમાં અસહિષ્ણુતાને ગુણ ખાસ કેળવાયો હતો. એક વખતે સિદ્ધરાજની સાથે ભગવાન હેમચંદ્રાચાર્યજી સોમનાથની યાત્રાએ ગએલા. ત્યાં સર્વના દેખતાં શ્રી હેમચંદ્રાચાર્યજીએ મહાદેવને નમસ્કાર કર્યા હતા અને મહાદેવ માટે એક સુંદર સ્તોત્ર પણ રચેલ. જેનધર્મના પૂર્વાચાર્યોએ મહાદેવની વ્યાખ્યા ઘણી જ ઉદાર રીતે બાંધેલી છે. જે દેવમાં કઈપણ જાતને દોષ નથી પણ કેવળ નિર્દોષ છે. નિષ્કલંક છે તેજ મહાદેવને–આવા પરમ પવિત્ર મહાદેવને નમસ્કાર કરવાને શ્રી હેમચંદ્રાચાર્ય જેવા ધમાચાર્યો સદાયે ઉત્સુક હોય, એમાં નવાઈ જેવું કશુંયે નથી. જ્યારે મહારાજા કુમારપાલ સાથે શ્રીહેમચંદ્રાચાર્યજી સેમિનાથની યાત્રાએ ગયા હતા, ત્યારે ઘણી જ ઉદારતાથી શ્રી હેમચંદ્રાચાર્યજીએ જૈનધમી મહારાજા કુમારપાલને ઉપદેશ આપ્યો હતો કે, તમે આ સોમનાથ મહાદેવના દેવાલયને જીર્ણોદ્ધાર કરાવે. આ ઉપદેશથી મહારાજા કુમારપાલે સેમિનાથના દેવાલયને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, આવી અપૂર્વ ઉદારતા વડે જ શ્રી હેમચંદ્રાચાર્યજીએ સમગ્ર ગુજરાત અને ગુજરપતિને હાથ કરેલ હતા. Page #36 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ ઉપર શ્રી હેમચંદ્રાચાર્યજીના ઉપકાર મહાન હતા. શ્રી હેમચંદ્રા ચાર્યજીની સહાય ન હેત તે કુમારપાલની કોણ જાણે કેવી યે સ્થિતિ સિદ્ધરાજ સિંહે કરી હત. કુમારપાલ ગુણર ન હતે પણ ગુણગ્રાહી હતો. એણે ભગવાન હેમચંદ્રાચાર્યજીના ઉપકારે યાદ રાખ્યા અને જૈન ધર્મ પાળીને પિતાનું વચન મરણાંત સુધી બરાબર પાળ્યું. મહારાજા કુમારપાલના સમયમાં જૈનધર્મ ફાલ્ય ફૂલો અને ખૂબ વૃદ્ધિ પામે. ગુજરાતના સમગ્ર જૈન, કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યજીએ અમારી પટહ વગડાવ્યા હતા, એને સૌથી મહાન પરાક્રમ લેખે છે. શ્રી હેમચન્દ્રાચાર્યજીના ઉપદેશથી આખા ગુજરાતમાં શિકાર કરવાની અને બીજી રીતે જીવહિંસા કરવાની મનાઈ થઈ હતી. સર્વજ્ઞ પ્રાણી રક્ષાનું સામ્રાજ્ય પ્રવત્યું હતું. એ સમય વીત્યા પછી આજ સુધીમાં ગુજરાતમાં ફરી અહિંસાને એવું સર્વોત્તમ સ્થાન કેઈ અપાવ્યું નથી. અલબત અકબર બાદશાહના સમયમાં હીરવિજયસૂરિએ અહિંસાને પ્રચાર કરવા માટે કેટલાક શુભ પ્રયાસ કર્યા હતા અને તેનું રૂડું પરિણામ પણ આવ્યું હતું, પણ તે મહારાજા કુમારપાળના સમય જેવું તે નહિ જ! કેટલાક કહે છે કે, શ્રી હેમચંદ્રાચાર્યજીના ઉપદેશથી ગુજરાતમાં પ્રાણી રક્ષાને પ્રચાર થયો પણ લેકે શસ્ત્ર વાપરતા બંધ થયા, તેથી બાયલાપણું ફેલાયું એને જ પરિણામે ગુજરાતની પડતીનાં પગરણ શરૂ થયાં. આ એમનું કથન અસ્થાને છે. પ્રાણીની હિંસા કરવામાં જેટલી બહાદૂરીની જરૂર પડે છે તેના કરતાં પ્રાણીનું રક્ષણ કરવામાં અનંત ગણી વધારે બહાદૂરીની જરૂર પડે છે. ખરું જોતાં ભગવાન હેમચંદ્રાચાર્યજીએ તો ગુજરાત વાસીઓમાં પ્રાણી માત્રનું રક્ષણ કરવાનું મહાન પરાક્રમ ખીલવ્યું હતું. પ્રાણી રક્ષામાં રહેલા મહાન પરાક્રમને નહિ સમજનારાઓ હિંસામાં પરાક્રમ સમજે છે. ખરું જોતાં હિંસામાં પરાક્રમ નથી પણ ક્રૂરતા છે. રક્ષામાંજ પરાક્રમ છે. ગુજરાતનું રાજ્ય મહારાજ કુમારપાળે ગુમાવ્યું નથી પણ સમગ્ર હિંદુનું રાજ્ય ઈ. સ. ૧૮૧૮માં ખડકી અને કોરેગામનાં યુદ્ધમાં પેશ્વાઓ– બ્રાહ્મણોએ ગુમાવ્યું અને બ્રિટિશ સરકારને સંપ્યું. ભગવાન હેમચંદ્રાચાર્યે અમાસની પૂર્ણિમા કર્યાના ચમત્કારની વાત સમગ્ર ગુજરાતમાં થાય છે. જેને કરતાં જૈનેતર આ વાતમાં વધારે રસ લે છે. આવા ચમત્કારો થવા એ મને મય સુષ્ટિની રચના છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ હo જેનું મન દઢ હોય તેજ ચમત્કારે કરી શકે છે અને જેનામાં પૂર્ણ શ્રદ્ધા હોય તેજ આવા સાત્વિક ચમત્કાર જોઈ શકે છે. આ દુનિયામાં ચમત્કારો માટે ઘણા જુના કાળથી બેમત ચાલ્યા આવે છે. પ્રાચિન કાળમાં ચાર્વાક ઋષિ ચમત્કારોને માનતા ન હતા, આજે પણ અનેક ભાઈઓ ચમકારને માનતા નથી. ચમત્કાર માનવા કે ન માનવા એ સૌ સૌની મરજી ઉપર આધાર રાખે છે. ગમે તેમ છે પણ ચમત્કાર નામની વસ્તુ અનાદિ કાળથી ચાલી આવે છે. ચમત્કારેનું મૂળ કારણ સંયમ છે. યુરોપ અને અમેરિકા જેવા સુધરેલા દેશમાં પણ ચમત્કારને માનવાવાળા અનેક છે. રસાયન શાસ્ત્રીઓ જેમ રસાયનના પ્રયોગ વડે અનેક ચમત્કાર કરી બતાવે છે તેમજ સંયમવાન પુરૂષો માનસિક ખીલવટવડે અનેક પ્રકારના ચમત્કારો કરી શકે છે અને દઢ શ્રદ્ધાવાન તેવા ચમત્કારો જોઈ શકે છે, જેમ સ્થલ સૃષ્ટિ છે તેમ બીજી મને મય સૃષ્ટિ છે, મને મય સૃષ્ટિની પ્રક્રિયાઓ જ્યારે સ્થૂલ સૃષ્ટિમાં વિચરનાર પ્રાણીના જોવામાં આવે છે ત્યારે તે ચમત્કાર રૂપે ભાસે છે. મનોમય સૃષ્ટિમાં આજે પણ અનેક વિધ ચમત્કાર થઈ રહ્યા છે. દેવી દેવતા ઉપર આસ્થા રાખવામાં આવે છે અને કાર્ય ફળિભૂત થાય છે, એમાં પણ મનની દઢતા મુખ્ય છે. મનની દઢતાવડે આજે પણ અનેક ચમત્કારો બતાવી શકાય છે. ભગવાન હેમચંદ્રાચાર્યજીમાં સંપૂર્ણ સંયમ હતો. એથી જ એમણે મહારાજા કુમારપાળને અનેક વખત ચમત્કારો બતાવ્યા હતા. બાદશાહને પલંગ સહિત મહારાજા કુમારપાળના મહેલમાં દાખલ કર્યાના ચમત્કારને કેટલાક ભાઈઓ સમજી શકતા નથી. ખરું જોતાં આતો એક સામાન્ય ચમત્કાર છે. આખી દુનિયાને છક કરી શકે તેવા ચમકારે મહાપુરુષે બતાવી શકે છે. ચમત્કાર શાસ્ત્ર તે દુનિયાનાં શાસ્ત્ર કરતાં ન્યારાં છે, જેમણે અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રવેશ કરીને માનસિક સૃષ્ટિને વિચાર કર્યો હોય છે, તેવાઓ જ ચમકારને સમજી શકે છે. દુનિયામાં ડાહ્યા કહેવાતા હોય તે સઘળી બાબતમાં ડાહ્યા હોય એવું માનવાને કાંઈપણ કારણ નથી. અધ્યાત્મ ડહાપણ તે સઘળાં દુન્યવી ડહાપણોથી નિરાળું છે. કોઈ વિરલાજ અધ્યાત્મ ડહાપણને મેળવી શકે છે. જેણે અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કર્યો ને તેય અને માત્ર દુન્યવી માયા જાળમાં જ રમણ કર્યું હોય એવા એક પક્ષી ભાઈઓ ભલે ચમત્કારને ન માને પણ એથી ચમત્કારનું અસ્તિત્વ અને મહત્તા ઝાંખાં પડતાં નથી. ચમત્કાર નામની વસ્તુ હૈયાતી ધરાવે છે, એ વાત તો નિર્વિવાદ છે, જેમણે અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ કર્યો હોય છે, મન ઉપર કાબુ મેળવ્યો હોય છે, એવા મહાશયો આજે પણ ચમત્કારને જોઈ શકે છે અને બતાવી શકે છે. મારે તે સ્પષ્ટ અભિપ્રાય છે કે, આ દુનિયામાં ચમત્કાર નામની વસ્તુ હયાત છે. આ વાત કલ્પિત નથી પણ અનુભવ જન્ય છે. આવા ચમત્કારો માત્ર જૈન ધર્મમાં જ છે એવું કાંઈ નથી, જે જે ધમમાં સંયમવાનું મહાપુરુષો થઈ ગયા છે, તેમણે પોતાના ભક્તોને અને વિરોધીઓને ચમત્કાર બતાવ્યા છે. શ્રી શંકરાચાર્યજીએ અમરક રાજાના મૃતક દેહમાં પ્રવેશ કર્યો. પાડીને મુખે વેદ બોલાવ્યા. શ્રી રામાનુજાચાર્યે સહસ્ત્ર મુખે શાસ્ત્રાર્થ કર્યો. શ્રી કૃષ્ણ ભગવાને મુખમાં બ્રહ્માંડ બતાવ્યું, નરસિંહ મહેતાને વિષ્ણુ ભગવાને હાર પહેરાવ્યો, મામેરૂં પુયું, હુંડી સ્વીકારી વગેરે ચમકારે ઘણા જ જાણીતા છે. આવા ચમકારે થઈ શકે છે એમ હું તો માનું છું. જેમણે ચમત્કારના માર્ગમાં પ્રવેશ કર્યો ન હોય તેવાઓ ગમે તેમ બોલે તેથી શું ? ભગવાન હેમચંદ્રાચાર્યજીએ જેવા ચમત્કાર બતાવ્યા હતા, તેવા ચમત્કારો સંયમવાનું પુરુષ હમણાં પણ બતાવી શકે છે. કેઈક સંગે ઉત્પન્ન થયા ત્યારે જ આવા ચમત્કારે બતાવવામાં આવે છે. યૂલ સૃષ્ટિના અભ્યાસીઓ સાયન્સના જોઈ શકે છે એમ જ સૂક્ષ્મ સૃષ્ટિના અભ્યાસીઓ સૂક્ષ્મ ચમત્કારો જોઈ શકે છે અને કરી શકે છે. સ્કૂલ સૃષ્ટિના માનવીઓ સુક્ષ્મ સૃષ્ટિમાં માથું મારે તે જરૂર નિરાશા જ મેળવે. ભગવાન હેમચંદ્રાચાર્યજીએ મહારાજા કુમારપાળને જૈન ધર્મમાં આ અને જૈન ઘર્મને રાષ્ટ્ર ધર્મ બનાવ્યો. રાજાની પ્રજાને માત્ર માનવ જાતિ જ નથી. પશુ પક્ષીઓ પણ રાજાની પ્રજા છે. જે ધર્મ પ્રાણીમાત્રનું હિત જાળવે અને ન્યાય અપાવે, તે જ રાષ્ટ્રમ થઈ શકે છે. એ માત્ર એકજ ધમ છે અને તે જૈનધર્મ મહારાજા કુમારપાળ પાસે અમારી પડતુ પ્રાણી માત્રથી રક્ષાનું ફરમાન બહાર પડાવીને માનવ જાતિની સાથે પશુ પક્ષીઓ વગેરે બીજાં સધળાં પ્રાણીઓને રક્ષણ અપાયું હતું. Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીમાત્રનું હિત જાળવવા માટે અને એમને ન્યાય અપાવવા માટે એક જૈનધર્મ ઘણા જૂના કાળથી મથન કરી રહ્યો છે. બીજા ધર્મે કેવલ સ્વાર્થ પૂર્ણ છે. કેવળ માનવ જાતિના સ્વાર્થની વાતો કરે છે. જનધમ માનવ જાતિના કલ્યાણની વાત કરે છે ખરો પણ સાથે સાથે પશુ પક્ષીઓ વગેરેના હિતની પણ એટલા જ જોર શોરથી વાતો કરે છે ઘણે લાંબે સમયે આજે પશુપક્ષીઓ તરફ જે કાંઇ જગત સહાનુભૂતિ બતાવનારું થયું છે. તે કેવળ જૈનધર્મ ઉપકાર છે. * જૈનધર્મ કહે છે કે સર્વ જીવો સુખેથી છ સુખેથી હરો, ફરો અને આનંદ ભોગ આ સૃષ્ટિ સર્વ પ્રાણી માટે છે. બીજું પ્રાણીઓને ભેગે માત્ર એકલે મનુષ્ય જતિનેજ જીવવાને અને આનંદ ભેગવવાનો અધિકાર નથી. બીજા પ્રાણીઓના હકકે માનવ જાતે છીનવી લીધા છે અને તેમ કરવામાં બીજા ધર્મોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટેકો આપ્યા છે, એનું પરિણામ એ આવ્યું છે કે પશુપક્ષીના જીવવાના હકકોને નાશ થયો છે. આ હકકો પાછા અપાવવા માટે જૈનધર્મની મેટામાં મેટી લડત છે. જ્યારે માનવ જાતિની સાથે જગતનાં બીજાં સઘળાં પ્રાણીઓને ઇન્સાફ મળશે, ત્યારે જનધર્મ એ માત્ર ગુજરાતને જ કે મારવાડને જ નહિ પણ આખી દુનિયાને ધમ બનશે અર્થાત રાષ્ટ્રઘમ થશે. ભગવાન હેમચંદ્રાચાર્યજી અને મહારાજા કુમારપાળના સંબંધમાં આટલું ટુંકું કથન અસ્થાને લેખાશે નહિ. બાજર્ષિ કુમારપાળ ચરિત્રજૈન ધર્મના પ્રભાવશાળી આચાર્ય શ્રીમાન જયસિંહસરિએ વિક્રમ સંવત ૧૪૨૨ માં રચ્યું છે. બીજી પણ અનેક દંતકથાઓ મહારાજ કુમારપાળ અને હેમચંદ્રાચાર્યજીના સંબંધમાં ચાલે છે. આ ચરિત્રનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરીને શાસ્ત્રવિશારદ આચાર્યજી માહાત્મા શ્રી અછત. સાગરસૂરીશ્વરજી મહારાજે ગુજરાત ઉપર મહાન ઉપકાર કર્યો છે. ભાષાંતરની ભાષા સરળ અને સુગમ છે. જે ભાઈઓ સંસ્કૃત નથી જાણતા તેવા જન અને જનેતર ભાઈઓ માટે આ વસ્તુ ઉપકારક થઈ પડશે. ચાલુ જમાનામાં આવા પ્રયાસે ખાસ સ્તુતિપાત્ર લેખાય છે. શ્રી અજીતસાગરસૂરિજી મહારાજે અગાઉ “સુરસુંદરી ચરિત્ર' નું ભાષાંતર બહાર પાડયું હતું. અગાઉના ભાષાંતર કરતાં આ ભાષાંતર વધારે છટાદાર થયું છે. જ વીશમી સદીના છેલ્લા યુગમાં જૈન લેખકોએ ગુજરાતી ભાષાની જે સેવાઓ બજાવી છે, તેમાં શાસ્ત્ર વિશારદ જૈનાચાર્યજી મહાત્માશ્રી અજીતસાગરસૂરીશ્વરજીનું સ્થાન અગ્રસ્થાને છે. માણાયા, Page #40 -------------------------------------------------------------------------- ________________ . ૩૩ પ્રકાશકીય પરમ પૂજય, ગિનિષ્ઠ આચાર્ય ભગવન્ત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા ના પટ્ટધર મહાન શાસન પ્રભાવક પ્રસિદ્ધ વકતા આચાર્ય ભગવન્ત શ્રીમદ્દ અજિતસાગર સૂરીશ્વરજી મહારાજે સંસ્કૃત ભાષામાં તેમજ ગુજરાતી ભાષામાં અનેક ગ્રન્થની રચના કરી જૈન શાસન ઉપર મહાન ઉપકાર કર્યો છે. ગુજરાતી ગ્રન્થ પૈકી (૧) ભીમસેન-ચરિત્ર (૨) સુર-સુંદરી ચરિત્ર ભા. ૧-૨ (૩) સુપાર્શ્વનાથ ચરિત્ર ભા. ૧-૨-૩ તથા (૪) અજિતસેન શીલવતી ચરિત્ર સંસ્કૃત ગ્રન્થનું પ્રકાશન કાર્ય પૂર્ણ થયા બાદ અમેએ કુમારપાળ-શસ્ત્રિ' ભા. ૧-૨ ગ્રન્થના પ્રકાશન શરૂ કર્યું. આજે “કુમારપાલ ચરિત્ર' પ્રથમ ભાગનું પ્રકાશન કરતાં મહુડી (મધુપુરી) જૈન વે. મૂર્તિ. દ્રઢ આનંદ અનુભવે છે. પૂજ્યપાદ્દ પરમોપકારી આચાર્ય ભગવન્ત શ્રીમદ્દ અજિતસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ વિરચિત ગ્રન્થના પુનઃ પ્રકાશન માટે અમોને પ્રેરણા આપનાર પરમ પૂજ્ય પ્રશમરસ નિધિ આચાર્ય ભગવંત શ્રીમત કીર્તાિસાગર સુરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પરમપૂજય પ્રવચન પ્રભાવક, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ સુબોધ સાગર સૂરીશ્વરજી મ. સા. ના મહાન ઉપકારનું સ્મરણ કરી અનુણી બની આનંદ અનુભવીએ છીએ. પુણ્યમયી આર્યભૂમિના અઢાર રામાં જીવદયા પ્રવર્તાવનાર પુણ્યકકી કુમારપાળ મહારાજાના જીવનચરિત્રની વિ. સં. ૧૪રરમાં સંસ્કૃત ભાષામાં મહાન કવિ શ્રી જયસિંહ સૂરીશ્વરજી મહારાજાએ રચના કરીને અનુપમ ઉપકાર કર્યો છે. અને પરમ પૂજ્ય, શાસ્ત્રવિશારદ, આચાર્ય શ્રીમદ્દ અજિતસાગર સૂરીશ્વરજી મહારાજાએ ગૂર્જર ભાષામાં અનુવાદ કરીને મહાન ઉપકાર કર્યો છે. કુમારપાલ ચરિત્ર ગ્રન્થનું વારંવાર પુનઃ પુનઃ પરિશીલન કરી સર્વ ભાવિક આત્માઓ હવ-જીવનને ધન્ય બનાવે એજ શુભેચ્છા... પ્રકાશક Page #41 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પૃષ્ઠ પરિચય પૃષ્ઠ પરિચય ૩ અદય ૧૨ ધિક્કાર પાત્રનિધનતા ૪ પ્રસ્તાવના ૧૨ ઘન પ્રાપ્તિ અર્થે પરદેશ ગમન ૨૭ ઉપધાત ૧૨ વૃદ્ધ વિપ્રને સમાગમ, ધન ૩૩ અનુક્રમણિકા પ્રાપ્તિની પૃછા ૩ મંગલ સ્તુતિ ૧૩ રત્નદીપ અધિષ્ઠાત્રી દેવી ૪ કર્તવ્ય નિર્દેશ ૧૩ દેવી ઉપાસના, ધ્યાન, તપ ૪ અહંકાર પરિહાર અને નિશ્ચલતા ૪ કુમારપાળ વંશ વર્ણન. ૧૩ દેવીની પ્રત્યક્ષતા વિપ્રને પુણ્ય ૪ ચુલુક રાજા હિનતાથી લક્ષ્મીની અપ્રા– ૫ ચૌલુકય વંશ પ્રસિદ્ધિ પ્તિનું સૂચન - ૫ વિક્રમસિંહ રાજા ૧૪ દેવીને ઉપાલંભ અને વિઝ ૫ હરિ વિક્રમ રાજા સાહસ ૫ રામ રાજા ૧૪ રત્ન ચિન્તામણિની પ્રાપ્તિ ૬ સહજામ, દાફક અને કાંચિ અને સ્વદેશ–પ્રયાણ કવ્યાલ રાજા ૧૫ રાત્રીને સમય પૂર્ણિમાને ચંદ્ર ૬ રાજરાજા, મૂલરાજ, ચામુંડરાજા ૧૫ પુણ્યહિન વિએ રચિન્તા૭ દુર્લભરાજ, ભીમરાજ * મણિ ગુમાવ્યું. ૭ ક્ષેમરાજ અને કર્ણરાજ | ૧૫ ગુરુ-ઉપદેશથી યશોભદ્ર રાજાને ૭. દેવપ્રસાદ અને ત્રિભુવનપાળ ધર્મ-પ્રાપ્તિ ૭ જયસિંહ રાજા ૧૬ અગ્નિથી બળેલી ગર્ભવંતી ૮ કોટીગણ, વજશાખા ચંદ્રગચ્છ સપિણી |૮ શ્રીદત્ત સુરીશ્વર મહારાજ ૧૬ અન્તરમાં પારાવાર પશ્ચાત્તાપ ૯ વાગડ દેશ વટપદ્ર નગર યશો- ૧૭ પશ્ચાત્તાપૂર્વક ગુરુ પાસે પ્રાય- ભદ્ર રાજા શ્ચિતની માગણું * ૯ જિનઘર્મોપદેશ-મનુષ્ય જન્મની | ૧૭ ગુરુવાણું શ્રવણ દિક્ષા ગ્રહણ સાર્થક્તા સૂરિપદ પ્રાપ્તિ, અણસણ અને ૯ વિષ્ણુશમાં વિપ્ર દષ્ટાન્ત | સ્વર્ગ ગમન ૧૦ મહિના વિપ્રને પત્ની શીલ. | ૧૭ યશોભદ્રસૂરિની પાટે પ્રદ્યુમ્ન , વતીનું ઉધના સૂરિ ૧૧ નિધનતાથી અધમતા | ૧૮ ગુણસેનસૂરિ અને દેવચંદ્રસૂરિ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પરિચય પરિચય ૧૮ ધંધુકામાં આગમન ૧૮ ચાચિંગ શ્રેષ્ઠિ પાહિની-શ્રેણી પત્ની ૧૮ સ્વપ્ન-દર્શન ચિંતામણિરત્ન ગુરુને અર્પણ ૧૮ સ્વપ્ન ફલ પૃચ્છા અને કથન ૧૯. શકુન ગ્રન્થી-આકાશવાણી ૧૦ પુત્ર જન્મ-ઉત્સવ નામ-સ્થાપન ચંગદેવ ૧૯ પાહિની પુત્ર સાથે ગુરુ વન્દન ગમન ૧૯ ગુરુ આસને પુત્ર ૨૦ ગુરુ વાણી શ્રવણ પાહિતીને પ્રત્યુત્તર ૨૧ ઉદયન મંત્રીને ગુરુની પ્રેરણા ૨૧ ચંગદેવની દીક્ષા અને સેમચંદ્ર નામ–સ્થાપન ૨૧ ગુરુ નિશ્રા-શાસ્ત્ર-અભ્યાસ અન્તર ફુરણા ૨૨ સરસવતી પ્રસન્ન કરવા કાશ્મીર તરફ... રર ગુરુ-આજ્ઞા પ્રાપ્તિ અને પ્રયાણ ૨૨ દેવી સાક્ષાત્કાર-પ્રસન્નતા-પ્રસાદ ૨૩ ગુરુ નિશ્રામાં પ્રયાણ, ગુરુને નિવેદન ગુરુની આશિષ ૨૩ નાગપુર નગર ધનદ શ્રેણી ૨૪ પુણ્યદયે અઢળક સંપત્તિ ૨૪ પા૫ના ઉદયે ભયંકર વિપત્તિ ૨૪ જમીનમાં દાટેલી સંપત્તિ બની ગઈ કાલસા પૃષ્ઠ ૨૪ પુણ્યોદયે લીલાલહેર, પાપળે કાળોકેર ૨૫ ભયંકર દુ:ખદ દીિ અવસ્થા ૨૫ ધનદ શ્રેષ્ઠીને વિલાપ પુણ્યવંત મહિમાવંત ગુરુદેવ સોમચંદ મુનિના પાવન પગલે લીલા લહેર ૨૫ પાપોદયે કોલસા બનેલી લક્ષ્મી પુણ્યવંતના પગલે સુવર્ણ ભંડાર ૨૬ લઘુ શ્રમણ સોમચંદ્રની દષ્ટિમાં સુવર્ણ અને અન્યની દષ્ટિમાં કેલસા ૨૬ પ્રશ્નોત્તરી, આમ કેમ ? ૨૬ શ્રેષ્ઠીની પૃછા મુનિને પ્રત્યુત્તર ૨૭ ધનની પુનઃ પ્રાપ્તિ અને ઘનની સફળતા ૨૮ નાગપુરથી વિહાર અને અણ હિલપુરમાં પ્રવેશ પ્રસ્થાન ૨૮ કલા અભ્યાસ માટે આજ્ઞા અને પ્રસ્થાને ૨૮ વૃદ્ધ મુનિ-સમાગમ અને સંવાદ ૨૯ વૃદ્ધમુનિના મનોરથ પૂર્ણ કર્યા ૨૯ સત્પાત્રમાં વિદ્યા અર્પણ ૨૯ રૈવતાચલમાં ક્યાંથી ? ૨૯ શાસનદેવીનું સાનિધ્ય–મન્ન શક્તિ પ્રદાન ૩૦ અમૃત પાન-પ્રાર્થના અને આકંઠે–પાન ૩૧ સૂરિપદ ૩૨ સિદ્ધરાજ સિંહને હેમચંદ્ર સુરિને સમાગમ અને સ્તુતિ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પૃષ્ટ પરિચય પૃષ્ટ પરિચય ૩૩ સૂરીશ્વરને સમ્રાટનું આમન્ત્રણ ૫૦ અભયંકર રાજાએ પિતાની ૩૩ સિદ્ધરાજની ધર્મ જિજ્ઞાસા રાજગાદી ઘનવાહનને આપી ૩૩ પુરાણ કથા-ધર્મનું સત્ય પર ઘાસ અભાવથી ગાય શું દૂધ સ્વરૂપ આપતી નથી ? ૩૮ સિદ્ધરાજને પ્રશ્ન : ૫૩ અભયંકર રાજાની તીર્થસર્વમાન્ય સર્વસંમત ધમ યાત્રાની ઈચ્છા કર્યો ? દયા ધમ ૫૪ સિંહ અને સત્પરુષ સહાય ૩૯ અભયંકર નૃત્ય–કથા વિના દેશાન્તરે ૪૧ દિવ્ય પુરુષને પ્રભાવ ૫૪ સિદ્ધગીને સમાગમ ૪૨ માનસ સરોવર ૫૬ મણિચંડ વિધાધરને ૪ર યોગીજને સમાગમ અભયંકરને ઉપદેશ ૪૩ મેગીન્દ્રને ચમત્કાર ૬. યોગીની મૂચ્છ ૪૪ સુખમય સજજન સમાગમ ૬૧ અપરાજિત દેવીનું આગમન ૪૪ કુપાત્રને વિદ્યાદાનથી નાશ ૬૨ અભયંકર રાજાને દેવીને ૪૫સુપાત્રને વિદ્યાદાનથી મહિમા અાગ્રહ ૬૩ પરાર્થકાજે અભયંકર રાજાનું ૪૬ કુમારની અનિચ્છા છતાં યોગીએ આત્મ બલીદાન કુમારને વિદ્યા આપી , ૬૩ પ્રાલેકમંત્રીની અભયંકરને ૪૬ ક્ષેમકર રાજાની દીક્ષા વિનંતિ ૪૭ અભયંકર રાજાની સભામાં ૬૪ અરિકેસરી રાજાનું અકાલે નૃસિંહ રાજાનું આગમન અને અવસાન વિજ્ઞપ્તિ ૬૪ અભયંકરને રાજ્યપ્રાપ્તિ ૪૭ અભયંકર રાજાની અસીમ ૬૪ પરોપકારને અચિન્ય પ્રભાવ ઉદારતા , ૬૫ મણિચૂડ વિદ્યાધરનું આત્મ-- ૪૮ દૂધ માગનારને ગાયનું દાન? નિવેદન ફળ માગનારને બગીચાનું દાન? ૬૫ અભયંકર રાજાની અનુમતિ રાત્રી વિસામા માટેનું ઘરનું પૂર્વક સ્વ–સ્થાને પ્રયાણ દાન ? ૬૬ ચક–રત્ન પ્રાપ્તિ ૪૯ ઘનવાહન રાજાની અભયંકર ૬૬ છ ખંડની સાધના રાજાને વિજ્ઞપ્તિ ૬૮ ચક્રીને અભિષેક Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પૃષ્ટ પરિચય ૬૮ ગુરુ–મહારાજનું આગમન ધમ—દેશના શ્રવણ ૬૯ અભયંકર ચક્રવતીને પરોપ– કારથી પરમપદની પ્રાપ્તિ ૬૯ કુમારપાળ જન્મ ૭૧ યૌવન અવસ્થા ૭૨ ગુરુ સમાગમ અને પ્રશ્ન કયા ગુણની મુખ્યતા ? ૭૨ સર્વગુણેમાં સત્વ ગુણની મુખ્યતા ૭૨ અજા પુત્ર કથા ૭૨ ચંદ્રાનના નગરી ધર્મોપાધ્યાય બ્રાહ્મણ ૭૩ ઉત્તમ લગ્ન પુત્ર જન્મ ૭૩ લગ્ન કુંડલી વિચાર–રાજા થશે ૭૫ પુત્રને વનમાં ત્યાગ, અજા સ્તન–પાન ૫ વાગૂભટ ગોવાળે બાળકને ગ્રહણ કર્યો. અજાપુત્ર નામ સ્થાપન ૭૬ દેવી વચન ૭૭ જંગલમાં ત્યાગ ૭૮ યક્ષમંદિર, અગ્નિકુંડ–જવાલા - શા માટે ? ૭૯ તું બાળક શું સમજે ? ૭૯ શું મોટા કામ મોટા જ કરે! નાને શું ન કરી શકે ? અજાપુત્રને પ્રશ્ન ? ૭૯ વૈદેશિક મહાત્મા " ૮૦ અદ્ભુત પરોપકાર પૃષ્ટ પરિચય ૮૧ અગ્નિમાં પ્રવેશ ૮૧ કપિ પુરુષ ૮૩ દિવ્ય–તેજ ૮૫ શિવંકરા નગરી ૮૮ નિષ્કલ–પ્રયોગ ૯૦ નૃપ મૂચ્છ ૯૧ ઉપકાર સ્મરણ ૯૧ સજન મૈત્રી ૯૨ માયાવી હાથી ૯૪ મિત્ર ખેદ ૯૪ ચંડિકા દેવી ૯૫ સર્વાગ સુંદરી ૯૬ વ્યંતરી પ્રાર્થના ૯૭ વ્યન્તરેન્દ્રનું સ્થાન ૯૮ વ્યન્તરેન્દ્રને અતિથિ ૯૯ નરક સ્વરૂપ ૧૦૧ નરકમાં દશ પ્રકારની વ્યથા ૧૨ મિત્ર ચિન્તા ૧૦૩ મૈત્રીને પ્રભાવ ૧૦૪ અજાપુત્ર સંકટમાં ૧૦૪ મિત્ર મિલન ૧૦૫ સરેવર પ્રાપ્તિ ૧૦૬ નગર પ્રવેશ ૧૦૮ અષ્ટાપદ તીર્થ—યાત્રા ૧૧૦ દિવ્ય સંગીત ૧૧૨ પુણ્ય મહિમા ૧૧૩ શરદ ઋતુ ૧૧૫ વિક્રમ રાજા ૧૧૬ વસંત્સવ ૧૧૮ કેલિ-મર્કટ Page #45 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૧૯ ઉન્મત્ત હાથી ૧૧૯ વિમલ વાહન ૧૨૧ મહાસેનરાજા-રણસંગ્રામ ૧૨૨ મુદ્ધિબળ મ`ત્રી– અજાપુત્રના મેધ ૧૨૫ રાજ્યાભિષેક ૧૨૭ વિજય પ્રાપ્તિ-ચંદ્રાપીડ રાજા ૧૨૮ નૈમિત્તિક વચન ૧૨૯ મ ́ત્રી ત્યાગ ૧૩૦ સૈન્યની તૈયારી ૧૩૧ વિજય પ્રયાણ ૧૩૨ રાજ્ય પ્રાપ્તિ ૧૩૩ ચમત્કારી શ્લોક ૧૩૫ જનેતાની શેાધ ૧૩૬ માતા પુત્ર મિલન ૧૩૭ દેવોને આશીર્વાદ ૧૩૯ માક્ષ પ્રાપ્તિ ૧૪૧ પુત્ર ચિંતા ૧૪૨ ગુરુ-પ્રાથના ૧૪૩ નિસ્પૃહતા–પ્રભુ પૂજા ૧૪૪ રૈવતકગિરિ ૧૪૫ અંબિકા-આરાધન પરિચય સામેશ્વર પ્રાથના ૧૪૭ કૃષ્ણ દેવ ૧૪૯ ગુપ્ત પ્રયાણ ૧૫૧ જટીલ શુદ્ધિ ૧૫૨ ભીમસિંહ ૧૫૩ ધનની આસક્તિથી "દરનું મૃત્યુ ૧૫૪ દેવશ્રી ૩૮ પૃષ્ઠ ૧૫૪ સજ્જન કુંભાર ૧૫૫ એસરી મિત્ર ૧૫૬ ભિક્ષા માતા ૧૫૭ કૃતજ્ઞતા ૧૫૮ સ્થંભન તીથ ૧૫૯ ૧૬૦ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૩ કુમારપાળ... ૧૬૦ હૈ સૂરીશ્વરજી ! સિદ્ધરાજના સુભટાથી મારૂં તમે રક્ષણ કર... બપ્પભટ્ટી સૂરિની જેમ સિદ્ધરાજના સક`જામાં પરિચય ૧૭૬ ૧૭૭ કુમારપાળનું રક્ષણ... સુરીશ્વરના સ્થાનમાં સુભટો વટપત્તન શકુનવેદી મારવાડી યાગી સમાગમ ૧૬૪ રાજ્યદાયક મન્ત્ર ૧૬૪ મન્ત્ર સાધના – સ્મશાનભૂમિ ૧૬૫ વક્રદન્ત ક્ષેત્રપાલ ૧૬ ૬ લક્ષ્મી દેવીનું વરદાન ૧૬૮ કાંચીપુરી ૧૬૮ મસ્તક વગરનું ધડ પનીહા— રીઓના વાર્તાલાપથી આશ્ચય ૧૬૯ અમૃત સાગર તળાવ ૧૭૦ શિશ મજ્જન અને રાજ પ્રશ્ન ??? ૧૭૧ મરૂધરદેશ બહુશ્રુત બ્રાહ્મણુ ૧૭૪ ન્રુપ પ્રશ્ન...કૈલિકીય વ્યન્તર ૧૭૫ પ્રતાપસિ’હ રાજા કુમારપાળને સત્કાર ચિત્રકુટ ગમન Page #46 -------------------------------------------------------------------------- ________________ . ૩૯ પૃષ્ઠ પરિચય ૧૭૭ ભૂતાનંદ યોગી ૧૭૯ ભુતાનંદને અત્યાચાર ૧૮૧ સુવર્ણપુરુષ ૧૮૨ ફૂટ સુર ૧૮૩ શંભલીશ રાજ ૧૮૫ બબરીક વેશ્યા ૧૮૬ અણહિલ પત્તન ૧૮૮ રાજ્યાભિષેક ૧૮૯ રાજયતન્ન ૧૯૦ નૃપવધ-ઉપાય ૧૯૧ કૃષ્ણ દેવની અવદશા ૧૯૩ કૃષ્ણદેવને શિક્ષા ૧૯૪. ભીમસિંહ ખેડુત-દેવશ્રી સજન કુંભાર બેસરી-કુટકશેઠ પ્રત્યુપકાર ૧૯૫ વિધુ પાત ૧૯૬ હેમચન્દ્રસૂરિનું સ્મરણ દર્શન આશીર્વાદ ૧૯૮ મહાન પુરુષોની મનની ઉદારતા ૧૯૯ સૂરીશ્વરની નિઃસ્પૃહતા ૨૦૦ દિવિજય ૨૦૨ રાજ-સેવા ૨૦૪ વિજયયાત્રા ૨૦૭ મૂળરાજ સાથે યુદ્ધ ૨૦૯ ગૂજરેન્દ્રને વિજય ૨૧૨ રાજધાની પ્રવેશ ૨૧૪ સૂરીશ્વર સમાગમ ૨૧૫ અર્ણોરાજનું ઉપહાસકારક વચન પૃષ્ઠ પરિચય ૨૧૭ દેવલદેવીને પતિ ત્યાગ-ભાત ગૃહે ગમન ૧૨૮ ચૌલુકય કો૫ ૨૧૯ ચર પ્રેષણ ૨૨૧ ચૌલુક્ય પ્રયાણ ૨૨૨ ચંદ્રાવતી નગરી ૨૨૪ વિક્રમસિંહનું વિક્રમ પરાક્રમ ૨૨૫ | વિક્રમસિંહનું ચૌલુકયને આમત્રણ २२६ અર્ણોરાજની શાકંભરી નજીક ચૌલુકયને પડાવ ૨૨૬ અર્ણોરાજ પ્રતિ દૂત પ્રેષણ ૨૨૭ અર્ણોરાજ–પ્રયાણ ર૯ અને સૈન્યની યુદ્ધની તૈયારી ૨૩૦ ચારભટકુમાર ર૩૧ ગૂર્જરેશ્વર પ્રયાણ ૨૩૩ બને સૈન્યનું પરસ્પર યુધ્ધ ૨૩૫ શ્યામલ મહાવતને પૃચ્છા સામંતે મંત્સાહવાળા કેમ થયા ? ૨૩૫ સામે યુદ્ધમાં નિરૂત્સાહી કેમ ? ૨૩૫ સામંતને દ્રોહ ૨૩૫ હવે શું ઉપાય ? રાજ-પ્રશ્ન ૨૩૬ ચૌલુક્યનું અતુલ પરાક્રમ ૨૩૮ ચૌલુકય અને અર્ણોરાજ ૨૩૯ ચૌલુક્ય ચતુરાઈ ૨૪૧ ચૌલુક્યને વિજય ૨૪૧ પ્રતિજ્ઞાની પૂર્ણતા ૨૪૩ ચૌલુકય ચંદ્રાવતીમાં Page #47 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ 'પૃષ્ટ પરિચય પૃષ્ટ પરિચય ૨૪૫ રાજધાની પ્રવેશ | ૨૫૮ સુરીશ્વરજીની સેમિનાથની સ્તુતિ ૨૪૬ મલ્લિકાર્જુન भवबीजाङकुरजनना ૨૪૭ આમ્રભરનું પ્રયાણ ૨૫૯ શંકરને સાક્ષાત્કાર ૨૪૯ આમૃભટ અને મલ્લિકાર્જુનનું ૨. ચૌલુક્યને શંકરનું ઉદ્દબોધન ૨૬૧ ગુરુ પ્રાર્થના ૨૬૨ દેવબોધી સન્યાસી ૨૫૧ આમ્રભટને વિજય ૨૫૧ મલ્લિકાર્જુનનું મૃત્યુ ૨૬૩ મરણાભિમુખ દિપક ૨૬૪ સરસ્વતી દેવી ૨૫ર આમભટ કુમારપાલની ૨૬૫ દેવબધી પ્રયાણ રાજસભામાં ૨૬૬ દેવાધીને ચમત્કાર ૨૫૩ સેમિનાથના પૂજારા ૨૭૦ હેમચંદ્રાચાર્યજીનો ચમત્કાર ૨૫૪ સેમિનાથ મંદિરને જિર્ણોદ્ધાર | ૨૭૧ ઉપદેશને પ્રારંભ ૨૫૫ માંસાહાર ત્યાગ પ્રતિકા | ર૭૨ આસન વિના નિરાધારપણે ૨૫૬ યાત્રા માટે સુરીશ્વરજીને પ્રાર્થના | વ્યાખ્યાન Page #48 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર Page #49 --------------------------------------------------------------------------  Page #50 -------------------------------------------------------------------------- ________________ માઁગલ સ્તુતિ મંગલ સ્તુતિ કમલને વિષે હુંસીની જેમ જેને વિષે શિવલક્ષ્મી ક્રીડા કરે છે, તે ચિદાકાર આનંદના એક કદરૂપ પરમાત્માને નમસ્કાર થા. જે પરમાત્માએ મુક્તિ અને માક્ષના ઉપદેશથી સજનાને અને પ્રકારનું પણ સુખ ખતાવ્યુ છે. તે શ્રીમાન નાભિરાજાના પુત્ર શ્રીઆદિનાથભગવાન સર્વ જગતનું રક્ષણ કરા. ભવભ્રમણરહિત (આકાશના પ્રાંત ભાગમાં) સ્થિતિ-નિવાસ વડે શાભતા, નિર'તર પૃથ્વીને વિષે આનંદ (કમલસમૂહ) ને વિસ્તારતા, મૃગના લાંછનથી સુÀાભિત શ્રીશાંતિનાથભગવાન ચદ્રની જેમ અજ્ઞાનરૂપ અંધકારના સમૂહને દૂર કરો. શ્યામ કાન્તિથી વિરાજમાન એવા પણ જે ભગવાન ધ્યાન કરાયા છતા ઉત્તમ લક્ષ્મીને પુષ્ટ કરે છે, આશ્ચર્યના અદ્વિતીય નિધિરૂપ તે શ્રીમાન નેમિનાથભગવાન તમારી સમૃદ્ધિ માટે થાઓ. હૃદયમાંથી ઉભરાતુ હોય તેમ જેમના મસ્તક ઉપર સ્ફુરણાયમાન *ણી દ્રની ફણામાં રહેલા મણિના મિષથી ઉત્કૃષ્ટ તેજ શાલે છે, તે શ્રીપાર્શ્વનાથભગવાન તમ્મારી ઉત્તમ લક્ષ્મીને પ્રગટ કરો. જે ભગવાનના જ્ઞાનરૂપી સૂર્ય' અજ્ઞાનરૂપ અંધકારના નાશ કરવાથી સજ્જનાને શ્રેષ્ઠ માર્ગ બતાવનાર થા તે શ્રી મહાવીર ભગવાન કલ્યાણના વિસ્તાર કરનારા થાએ. જેમના તપવડે સ લબ્ધિએ દાસીઓની માફક સ્વાધીન થઈ હતી તે ગણધરામાં મુખ્ય એવા શ્રી ગૌતમભગવાન મારી ઉપર તુષ્ટ થાઓ. ધ્યાનીજનાના સર્વ મનોરથ સિદ્ધ થવાથી કલિયુગને લીધે ભય પામેલી કામધેનુ જેના નામમાં લીન થઈ ડાયને શુ? Page #51 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર તે શ્રીકૃષ્ણમુનિ મારા હર્ષને માટે થાઓ. સર્વ કવિઓએ કરી છે ઉપાસના જેની, સર્વજનેના તાપને હરણ કરનારી અને કમલાસન વડે શોભતી એવી સરસ્વતી દેવી મને પવિત્ર કરે. કર્તવ્યનિદેશ ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત થયેલા, પ્રભાવશાલી અને શાસનને દિપાવનાર શ્રેણિક પતિ વિગેરે ઘણાયે શ્રાવકે થઈ ગયા તે પ્રભાવિક શ્રાવકમાં, અમારી પ્રવર્તાવવાવડે વસ્તુતઃ કુમારપાલ રાજા સર્વ નક્ષત્રોમાં તેજવડે ચંદ્રની જેમ મુખ્ય છે. માટે તેમના ગુણગ્રામના સૌન્દર્યરૂપ સંપત્તિવડે પ્રેરાયેલે હું પિતે શુદ્ધ થવાની ઈચ્છાવડે એમનું સંક્ષેપથી ચરિત્ર લખું છું. અહકાર પરિહાર શુદ્રબુદ્ધિમાન ચરિત્રકર્તા હું કયાં? અને આ રાજર્ષિનું પવિત્ર ચરિત્ર કયાં? તેમ છતાં હું જે પ્રવૃતિ કરૂ છું, તે આંગળીએથી આકાશની સીમા માપવાની ઈચ્છા ખરેખર છે. અથવા આ ચિંતા કરવાની કંઈ જરૂર નથી, કારણ કેગુરૂકૃપાથી તેમનું ચરિત્ર રચવામાં હું શકિતમાન થઈશ, ચંદ્રના ખેળામાં રહેલ મૃગલે શું આકાશમાં નથી ખેલતે? વંશવર્ણન શ્રી કુમારપાલ રાજા ચૌલુકય વંશમાં ચૂડામણિ સમાન હતા. તેથી ઇતિહાસની પરંપરા પ્રમાણે તેમની વિશાળ ઉત્પત્તિ પ્રથમ વિસ્તારવામાં આવે છે. પ્રથમ કૃષ્ણની જેમ સર્વ જગતને ઉદ્ધાર કરવામાં ધુરંધર અને સુપ્રસિદ્ધ ક્ષત્રિયવંશમાં ઉત્તમ ચુલુકય નામે રાજા હતા. ૌર્ય, ગાંભીર્ય, ચાતુર્ય, ઔદાર્ય અને શૌયદિ અનેક ગુણે જગતમાં પરિભ્રમણ કરવાથી થાકી ગયા હેયને શું? Page #52 -------------------------------------------------------------------------- ________________ વંશવર્ણન તેમ જે રાજાને વિષે અવિશ્રાંતપણે સ્થિરતા પામ્યા હતા. વળી રણસંગ્રામમાં નિપુણ બુદ્ધિવાળા જે ચુલુકયરાજાએ પ્રાણઓને ભયંકર ત્રાસ આપવામાં દૈત્ય સરખા શત્રુઓના સમૂહને તીક્ષણ બહૂગવડે નિમૅલ કરી ભૂમંડલને નિર્ભય બનાવી. મધુપડ્ઝ નામે નગરમાં સ્વર્ગ ભુવનને ઉપહાસ કરનારી છે લક્ષમી જેની એવું રાજ્ય સ્થાપન કર્યું હતું. તેના નામથી વિશ્વવિખ્યાત, નરરત્નના આક–જન્મસ્થાન અને અનેક વિબુધની શ્રેણીથી વિરાજમાન ચૌલુક્ય એ પ્રમાણે પ્રસિદ્ધ વંશ થયે. તેના વંશમાં એક બીજાની ઈર્ષ્યાથી પ્રવૃત્ત થતા ધર્મ, અર્થ અને કામના સંસર્ગથી મનહર વૈભવવાળા તેમજ જગતમાં વખાણવા લાયક પરાક્રમવાળા ઘણા રાજાઓ થયા. ત્યાર પછી તેમાં અનુક્રમે શ્રી વિક્રમસિંહ નામે રાજા થયે, જેણે મહેશ્વર–શકર થકી સુવર્ણસિદ્ધિ મેળવીને અનેક દાનોથી ભૂમંડળને કણ–દેવા રહિત કરી સમુદ્રપર્યત પિતાને સંવત્સર પ્રવર્તાવ્યો હતે. તેને પુત્ર હરિવિક્રમ નામે વીરપુરુષમાં ચૂડામણિ સમાન મહાપરાક્રમી થયે. જેણે પોતાની કીર્તિરૂપ કેતક–કેવડાના સુગંધવડે દિશાઓને સુગંધિત કરી હતી તે પ્રભાવિક રાજાથી અનુક્રમે વિસ્મયકારક પ્રભાવવાળા પંચાશી રાજા વિરાજમાન થયા.. - જેમના પ્રતાપરૂપ અગ્નિને બહુ પરાક્રમી શક કતાં રાજાઓ પણ સહન કરી શક્યા નહી. તેના વંશમાં ખરદૂષણું–નામે રાક્ષસ=કઠિન દૂષણને ઉછેદ કરનાર અને ન્યાયને એક નિવાસ સ્થાન રામના સરખા રામરાજા થયે. Page #53 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર ત્યારબાદ સહજરામ નામે રાજા થયે, જે ભૂપતિ પિતાના પરાક્રમવડે ત્રણ લાખ ઘેડાને અધિપતિ એક શકપતિ રાજાને પાયદળની માફક હણને આખી દુનિયામાં સુભટ તરીકે વિખ્યાત થયે. તેને પુત્ર શ્રી દડક નામે લક્ષ્મીવડે કુબેરસમાન દીપતે હવે, જેણે પિપાસ નામે મંડલેશ્વરરાજાને સિંહ જેમ હાથીને તેમ છત્યે હતે. ત્યારબાદ તેની રાજ્યગાદીએ કાંચિકવ્યાલ નામે રાજા થયે, જેના દાનગુણુ વડે યાચક પણ કલ્પવૃક્ષની માફક દાન આપવામાં પ્રવીણ થયા. ત્યારબાદ અનેક સંગ્રામમાં વિજય મેળવનાર રાજી નામે રાજા ચક્રવર્તી સમાન પ્રખ્યાત થયે. વળી સદાચારથી પવિત્ર જે રાજા શ્રી સોમનાથના વચનથી દેવનગર-પ્રભાસમાં યાત્રા કરી સ્વાધીન વૃત્તિવાળી લક્ષ્મીની માફક જગતમાં એક વીર પુરુષને પ્રગટ કરનારી લીલા નામે ગુર્જરાધિપતિ સામંતસિંહ રાજાની બેનને પરણ્ય હતે. તેમને પુત્ર શ્રી મૂલરાજ નામે પ્રસિદ્ધ અને સંપૂર્ણ લક્ષ્મીવાન થયે, વળી તેને જન્મ એનિ જ હોવાને લીધે સજજનેને ચમત્કાર જનક થયે. જે મૂહરાજ નૃપતિએ બહુ પરાક્રમી સામંતસિંહ નામે પિતાના મામાને શક્તિ વડે હણીને ગુર્જરદેશનું રાજ્ય મેળવ્યું. તેમજ તેણે સોમનાથના પ્રભાવથી રણભૂમિમાં કટીબદ્ધ થઈ વિજય મેળવનાર લક્ષ નામે રાજાને નિમ્ન કર્યો હતે. ત્યારપછી ચામુંડ નામે રાજા થયે, ચામુંડાદેવીના વરદાનથી ઉદ્ધત બની જેણે ગજેદ્રની માફક મન્મત્ત થયેલા સિંધુરાજ નામે રાજાને રણસંગ્રામમાં માર્યો હતે. તેને પુત્ર વલ્લભરાજ નામે રાજા થયે. જેના પ્રતાપ રૂપી અગ્નિથી બહ તપી ગયેલો અવંતીદેશનો અધિપતિ મુંજરાજા ધારાયંત્રમાં પણ શાંતિ પામ્યું નહીં Page #54 -------------------------------------------------------------------------- ________________ વંશવર્ણન ત્યારબાદ તેની ગાદીએ ન્યાયરૂપી બગીચાને પ્રફુલ્લ કરવામાં મેઘ સમાન દુર્લભરાજ નામે રાજા થયે, _જેણે લાટ દેશના રાજાને પરાજ્ય કરી પૃથ્વી સહિત તેની સંપત્તિ પોતાને સ્વાધીન કરી. તેને પુત્ર ભીમદેવ નામે રાજ્યાધિપતિ થયે, જેના મહિમારૂપી હિમનું આગમન થયે છતે ભેજરાજ કમળની માફક ગ્લાની પામ્યું હતું, તે એગ્ય છે. ભીમદેવને બે સ્ત્રીઓ હતી. બન્નેને એકેક પુત્ર હતું. મેટાનું નામ ક્ષેમરાજા અને નાનાનું નામ કર્ણરાજ હતું. વળી તે કર્ણરાજા પરાક્રમમાં કર્ણ સમાન હતું. પિતાના પિતાએ દશરથ રાજાની પેઠે તેની માતાને પ્રથમ વચન આપેલું હતું, જેથી ક્ષેમરાજે પિતાના લઘુ બંધુ કર્ણરાજને રાજ્યપદ આપ્યું. ક્ષેમરાજને પુત્ર દેવપ્રસાદ નામે મહાન ઉદયથી વિરાજમાન અને દેવની માફક સેવક જનેને બહુ પ્રિય હતે. ભક્તિથી ઉલ્લસિત છે હૃદય જેનું એવા તે દેવપ્રસાદને આજીવિકા માટે કર્ણાજાએ પ્રસન્ન થઈ મૂર્તિમાન પોતાના પ્રસાદની માફક દધિસ્થલીનું રાજ્ય આપ્યું. ત્યાંના વહિવટર્તા દેવપ્રસાદને એક પુત્ર થયે, જેનું નામ ત્રિભુવનપાલ હતું. વળી તે બહુ વિનયી હતે. શત્રુઓ તેને કાળ સમાન દેખતા હતા. કર્ણ રાજાને મયણલ્લા નામે રાણી હતી. જેની કુક્ષિરૂપ શુકિતક (છીપ) માંથી મૌક્તિક સમાન જયસિંહ નામે પુત્ર થયે. તે બહુ ન્યાય માગને પ્રવર્તક રાજા થયે, તે જયસિંહ રાજાએ બાર વર્ષ સુધી પ્રચંડ સૈન્યના સમુદાય વડે યુદ્ધ કરી પિતાના પટ્ટહાથીવડે નગરનું પૂર્વતાર તેડીને ધારા નગરી છિન્નભિન્ન કરી નાખી. પશ્ચાત તેણે નરવર્મા રાજાને બાંધી તેને પાદાગ્રની ચામડીથી બનાવેલા કેશ (મીયાન) માં પિતાને પગ બંધ કરી પોતે કરેલી દરેક પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરી હતી. Page #55 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર તેમજ તેણે મહાબક નગરના અધિપતિ મદનવર્મા નામે રાજાના પરાજય કરી તેની પાસેથી છન્નુ કરાડ સાનૈયા તેના માનની માફક ગ્રહણ કર્યા હતા. તેમજ તે જયસિ’હું રાજાએ શ્રીપત્તન (પાટણ)માં ઉછળતા જળતર 'ગાની લીલાવડે આકાશને સ્પર્શ કરતું સાક્ષાત્ પૂર્ણિમાના ચંદ્રમડળ સમાન એક મનેાહર તળાવ બંધાવ્યું હતું. તેના કીનારે કૈલાસગિરિની માફક મનેાહર, પવનથી ઉડતી પતાકાઓથી સુશોભિત, મૂર્તિમાન પાતાના યશની જેમ કીતિરત ંભ સ્થાપન કર્યાં હતા. જેણે ભુજખળવડે બખ°રક નામે દુષ્ટ સુને પરાજીત કરી સિચક્રવત્તી' એવુ' નામ ઉપાર્જીત કર્યુ અને તે નામ સવ જનોમાં માન્ય હતુ. . વત્સલતારૂપ કુલ્યા (નીકો) વડે સિ ંચન કરતા, ભયંકર ઉપદ્રવાને નિવારતા તે જયસિંહ રાજા જેમ આરામિક (માળી) ઉદ્યાન તે પૃથ્વીનું પાલન કરે છે. ચંદ્રગચ્છ - હવે શ્રી કાટીગણ રૂપી એક વૃક્ષ છે. જેના વિસ્તાર દરેક દિશાઓમાં વ્યાપી રહ્યો છે. તેની વજી નામે શાખા છે, તેમાં ગુચ્છની માફક ચદ્રગચ્છ શાલે છે. તે ચદ્રગચ્છમાં વાદી જનાને ત્રાસ આપતા, પેાતાના દાસની માફક કામને ધિક્કારતા અને વિશુદ્ધ ચારિત્રવર્ડ પરિપૂર્ણ એવા શ્રીદત્તસૂરીશ્વર હતા. તેમના વચન વિલાસ દ્રાક્ષા સમાન સુકોમળ હતા, આશ્ચય માત્ર એ હતુ કે, તેની સુકેામલ છતાં પણ તે વાણી સજનાના દુર્ભેદ્ય મહાદ્રિને પણ ભેદતી હતી. ભવ્ય પ્રાણીરૂપ કમલેશને પ્રફુલ્લ કરવામાં સૂર્ય`સમાન તે શ્રીદત્ત Page #56 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રગચ્છ સૂરિ અન્યદા વિહાર કરતા કરતા વાગડ દેશમાં સર્વ સમૃદ્ધિથી ભરપુર એવા વટપદ્ર નામે નગરમાં ગયા. ત્યાં સજજને સુખદાયક યશોભદ્ર નામે રાજા રાજ્ય કરે છે, જેના પાસમાં હંમેશાં અનેક રાજાઓ વિરાજમાન હોય છે, તે યશોભદ્ર રાજાના મહેલની પાસે દેષ રહિત એક ઉપાશ્રયમાં નિવાસ કરી શ્રી દત્તસૂરિ ભવ્યજનેને ધર્મોપદેશ આપતા હતા. તે વાત યશોભદ્ર રાજાના જાણવામાં આવી અને તેણે જાણ્યું કે સાક્ષાત્ પુણ્યમૂતિ સૂરીશ્વર પધાર્યા છે, એમ સમજી તે ત્યાં ગયે અને ગુરુમહારાજને વંદન કરી ગ્ય સ્થાને બેઠે. આ રાજા ધર્મોપદેશને લાયક છે એમ માની શ્રીદત્તસૂરિએ સર્વ શેકને દૂર કરનાર શ્રીનિંદ્ર ભગવાને પ્રરૂપેલા ધર્મોપદેશને પ્રારંભ કર્યો. હે ભવ્યાત્માઓ! નરક સ્થાનમાં પડતા પ્રાણિઓને અપાર સમુદ્ર માં તરવાને વહાણની માફક ધર્મ એ જ આશ્રય છે. સંસારમાં પરિભ્રમણ કરતા પ્રાણીઓના માતા, પિતા, બંધુ, સ્વામી, મિત્ર અને અંગરક્ષક–સેવક પણ ધર્મ કહ્યું છે. અતિ ખેદ જનક છે કે, જેઓ ધર્મ કર્યા સિવાય રાજ્યાદિક સંપત્તિઓની આશા રાખે છે, તેઓ વૃક્ષને નિમૂલ કરી ફલ ખાવાની કલ્પના કરે છે. જ્યાં સુધી પ્રબળ પુણ્યરૂપી વર્ષા ઋતુને મેઘ વૃષ્ટિ કરતે નથી ત્યાં સુધી પ્રાણિઓને મને રથરૂપી વૃક્ષ લાંબી મુદત ટકી શકતા નથી. જે મૂઢપ્રાણી દુર્લભ એ મનુષ્યભવ પ્રાપ્ત કરી ધર્મને આરા ધતું નથી, તે મનુષ્ય વિપ્રની માફક મહાકષ્ટથી પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને સમુદ્રમાં ખરેખર પાડી નાખે છે. વિપ્રવિણુશર્મા નિર્ધનતાને દેશવટો આપનાર લક્ષ્મીનું મૂલસ્થાન અને ગોદાવરી નદીના કાંઠાને સંપૂર્ણ દીપાવનાર પ્રતિષ્ઠાનપુર નામે એક નગર છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ અગ્નિ ત્યાં શ્રી મુનિસુવ્રત સ્વામીનું મંદિર છે. અપૂર્વ શોભા યુક્ત તે મંદિર ભવસાગરમાં ડુબતા એવા ભવ્યાત્માઓને વહાણની માફક સહાય કરે છે. તેજ નગરમાં વેદપાઠી વિષ્ણુશર્મા નામે એક બ્રાહ્મણ રહેતે. હતે. જેમ ચંદ્રની ભાર્યા રેહિણી તેમ શીલવતી નામે તેની સ્ત્રી, હતી. સર્વ કલાઓમાં તે બ્રાહ્મણ બહુ નિપુણ હતું, છતાં પણ તેના પ્રાચીન કર્મના દોષથી લક્ષ્મીદેવી, દરિદ્રીને સ્ત્રી જેમ સન્મુખ થતી. નહોતી. લક્ષમી અને સરસ્વતી દેવીને પરસ્પર વર છે, એ લેકવાણી ખરેખર સત્ય છે. અન્યથા લક્ષ્મીદેવી સરસ્વતીના ઉપાસક લેકેને શા માટે તજે ? - વારાંગનાની માફક દુષ્ટ આશયવાળી આ લહમીદેવી પ્રાયે કુલ રૂપ ગુણ કે વિદ્યાથી રકત થતી નથી. હવે નિર્ધન અવસ્થામાં અને સ્ત્રી-પુરૂષ પિતાનું ગુજરાન ચલાવતાં હતાં. એમ કરતાં અનુક્રમે મૂર્તિમાન ચિંતા લતા કિવા સાક્ષાત્ વિપત્તિઓની મૂર્તિ સમાન તે દરિદ્રીને ત્યાં ઘણી પુત્રીઓ, જન્મી. એક તરફ નિર્ધનતા અને બીજી તરફ બહુ પુત્રીઓની ચિંતાથી પીડાયેલી શીલવતીએ એક દિવસ દીન મુખથી પિતાના સ્વામીને કહેવા. લાગી કે, હે પ્રાણપતે! પ્રથમ તે આપણે બને જ હતાં, તેથી જેમ તેમ દાણ માગીને પણ આપણે નિર્વાહ થતું હતું. હવે તે બહુ કન્યાઓ થઈ છે, થડા સમયમાં તેમને પરણાવવી પડશે, તેને કંઈ તમે વિચાર કરે છે? ધનવિના તમે શું કરશે ? ધન વિનાના માણસોમાં ગૃહસ્થ ધર્મ, જ્યાં ન્યાય ન મળતું હોય ત્યાં સ્વામિપણું અને Page #58 -------------------------------------------------------------------------- ________________ નિર્ધનતાથી અધમતા ૧૧ શીલથી ભ્રષ્ટ થયેલામાં ચારિત્ર ધર્મ કેવી રીતે સંગત થાય? આ દુનિયામાં આંધળે, બબડો–મુંગે, પંગુ-લંગડો અને ઠુંઠો માણસ કંઈક સારે ગણાય છે, પરંતુ સમગ્ર વિપત્તિઓ જેને વીંટાઈ વળી હોય તે દરિદ્રી માણસ સર્વ પ્રકારે નિંદનીય છે. ગૃહરથધર્મમાં જોડાયેલે પુરુષ ધનાઢય હોય તેજ લેકમાં પૂજાય છે અને મુનિજન તે દ્રવ્યને ત્યાગ કરવાથી જ પૂજ્ય બને છે. આ બંને જણ વિપરીતપણને પ્રાપ્ત થાય તે તે એકેની શોભા ગણાય નહી. માટે. હે સ્વામિન ! આપ કટિબદ્ધ થઈ ઉદ્યમ કરે અને પુષ્કળ ધનસંપત્તિ મેળવે, કારણ કે ઉદ્યમ કરવાથી મનુષ્યનું દરિદ્રપણું દૂર થાય છે, એ લૌકિક વાણી સત્ય છે. તે પ્રમાણે પિતાની સ્ત્રીનું વચન સાંભળી વિષ્ણુશમાં વિચાર કરવા લાગ્યો. અરે ! આ દુનિયામાં મારા સરખે દુભાંગી કેઈક જ હશે, કારણ કે જન્મકાળથી જ હું દરિદ્રતાને વશ થયેલ છું. વળી અન્ય લોકમાં કોઈક વખત નિર્ધનતા અને કેઈક સમયે સધનતા દેખવામાં આવે છે અને મારે તે હંમેશાં નિર્ધનતા જ રહેલી છે. હવે નિરાશ થયેલે હું કયે માગે જાઉં અને મારે શો ઉપાય કરે. - તેમજ આ જગતમાં નિર્ધનતા સમાન બીજે કઈ પ્રબલ દેષ નથી. गुणा यान्ति ध्वंस नयविनयदाझ्याजवमुखाः, न मान्यत्व' लोके प्रसरति न कीर्ति विलसति । कुटुंब पार्थक्य प्रथयति विरज्यन्ति तनयाः, न कान्ताऽपि स्नेह कलयति धिगेतामधनताम् ॥१॥ નિધનતાથી અધમતા “જેને લીધે નીતિ, વિનય, દક્ષતા, અને નમ્રતા, વિગેરે અનેક ગુણે નાશ પામે છે, Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કુમારપાળ ચશ્વિ લેકમાં માન્યતા નષ્ટ થાય છે, કીતિને લેપ થાય છે, કુટુંબીજને સંગ કરતા નથી, પુત્રો વિરક્તપણે વતે છે અને પિતાની સ્ત્રી પણ નેહ રાખતી નથી, એવી નિર્ધનતાને સર્વથા ધિક્કાર છે.” મૃત્યુ અને નિર્ધનતા એ બન્નેમાં મૃત્યુ કંઈક સારું ગણાય છે, પણ દરિદ્રતા તે સર્વથા સમયે નેણ છે. કારણ? મૃત્યુથી થોડું દુઃખ થાય છે અને નિર્ધનતાથી સમયે સમયે બહુ દુઃખ થાય છે. માટે દેશાંતર જઈ ઘણું ધન મેળવી અહીં હું આવું, એમ વિચાર કરી વિશાળ બુદ્ધિમાન તે વિષ્ણુશર્મા એકલે પિતાના ઘેરથી નીકળે. ચાલતાં ચાલતાં ઘણા દેશ તથા સમુદ્ર ઉલ્લંઘન કરતે, તેમજ પિતાની સર્વ કલાઓની અજમાશ કરી, દાની જનેને મેળાપ પણ સારી રીતે સિદ્ધ કર્યો, પરંતુ કેઈપણ રીતે તેને જોઈતી લક્ષમી મળી નહીં. કારણ? દેશાંતરમાં પણ પૂપાજીત કર્મની સ્થિતિ બદલાતી નથી. “ધનની ઈચ્છાથી કોઈ માણસ વેપાર કરે, “રાજાને આશ્રય કરે, સ્વર્ગ લેકમાં પ્રવેશ કરે, પાતાલમાં પ્રયાણ કરે, ધનપતિ-કુબેરની સેવા કરે, અરે ! દરેક શાસ્ત્રને અભ્યાસ કરે, તપશ્ચર્યા કરે અને સર્વ કલાઓ શીખે, પરંતુ કેઈપણ સમયે પ્રાચીન કર્મ અન્યથા થતું નથી.” ત્યારબાદ બહુ દુઃખી થયેલા તે વિશર્માને એક હોંશીયાર વૃદ્ધ બ્રાહ્મણ મળે. તેની આગળ તેણે પોતાની દુર્દશા કહીને તેને દ્રિવ્ય મેળવવાને ઉપાય પૂછયે. વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા-સમુદ્રની અંદર એક રનદ્વીપ છે, તેમાં રખાણની અધિષ્ઠાત્રી દેવી રહે છે, તેનું આરાધન કરવાથી તે દેવી પ્રસન્ન થઈ ભાગ્ય પ્રમાણે રન આપે છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ Av નિધનતાથી અધમતા ૧૩ મંદ ભાગી પુરુષ પણ તે દેવીએ આપેલા દીવ્યરત્નના પ્રભાવથી ઉત્તમ પ્રકારના વૈભવ મેળવી રાજા મહારાજાની માફક હંમેશાં આનંદ ભગવે છે. આ પ્રમાણે વૃદ્ધ બ્રાહ્મણના ઉપદેશથી વિષ્ણુશમાં બ્રાહ્મણ પણ મનના સરખી ગતિવાળા વહાણમાં બેસી સમુદ્રમાર્ગે ચાલતે થયે, જે અનુક્રમે તે રત્નદાયિની દેવી પાસે ગયો અને તેને પ્રસન્ન કરવાને આદરવાન થયે. પ્રથમ સ્નાન કરી ધોયેલાં શુદ્ધ વપવસ્ત્ર ધારણ કરી સુવાસિત પુપથી દેવીનું પૂજન કર્યા બાદ હાથ જોડી તે બોલ્ય હે દેવિ ! તું કલપેવેલીસમાન દારિદ્રને દૂર કરનારી છે. એમ સાંભળી લક્ષ્મીની પ્રાપ્તિ માટે બહુ ભક્તિપૂર્વક હું તારી પાસે આ છું. | માટે મારી ઉપર તું તેવી રીતે પ્રસન્ન થા, કે જેથી હું સર્વ સંપત્તિઓને નિધાન બનું. નહિ તે પત્થરના ટુકડાઓ માફક મારા પ્રાણે હું તારી ઉપર છોડી દઉં છું. એમ કહી વિષ્ણુશમાં દેવીની આગળ એક ચિત્તે ગદ્રની માફક નિશ્ચલ આસને બેઠો અને દેવીનું ધ્યાન કરવા લાગે. એમ ધ્યાન કરતાં તેને એકવીસ દિવસ થયા એટલે વિજળીની માફક ભવ્ય કાંતિમય તે દેવી પ્રગટ થઈ, તેને કહેવા લાગી રે વિપ્ર ! તું શા માટે પ્રયત્ન કરે છે? પૂર્વભવમાં તે કેઈપણ પ્રકારનું ઉત્તમ પુણ્ય ઉપાર્જન કર્યું નથી. બીજ વિના અંકુરાઓની માફક પુણ્ય વિના ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી. માટે જલદી અહીંથી તું ઉથા મારા મંદિરમાંથી બહાર ચા જા, નહિ તે હેફાની માફક ઉપાડી તને હું સમુદ્રમાં ફેંકી દઈશ. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કુમારપાળ અગ્નિ વિષ્ણુશર્મા પ્રણામ કરી બે દેવી! પ્રાર્થના કરનારને તું કલ્પવૃક્ષ સમાન ફલદાતા ગણાય છે. છતાં તું આ પ્રમાણે બેલે છે, તે હવે મને જીવતે જોઈશ નહીં, - તેમજ હે વિ! જો પુણ્યથી લકમી મળે તે પછી તારો વૈભવ શા કામને પશ્ચ ભેજનથી રોગની શાંતિ થતી હોય તે વૈદ્યને આશ્રય લેવાની શી જરૂર? દેવ વિગેરેના પ્રસાદથી નિપુણ્યક જીવ પણ સંપત્તિ મેળવે છે. સ્પર્શમણિ–પારસમણિના સ્પર્શથી લેહ શું સુવર્ણ નથી બનતું? હે સુરાંગને ! પ્રથમ તે સેવકજનેના મારથ કલ્પવૃક્ષની માફક પૂર્ણ કર્યા છે અને હવે તું કૃપણુતાનું શરણ લે છે, એથી તું કેમ લજજા પામતી નથી? અચેતન એવા કલ્પવૃક્ષાદિ પણ ઇષ્ટ વસ્તુ આપે છે, તે હે સચેતને! તું બેલ મારા મનોરથ કેમ પૂર્ણ કરતી નથી ? માટે હે દેવી ! કૃપા કરી ઉત્તમ પ્રકારનું એક ચિંતામણિરત્ન આપ. જે રત્નના પ્રભાવથી કુબેરના સરખો હું વૈભવશાળી થાઉં. જે મને તું રત્ન નહીં આપે, તે અવશ્ય મારૂં મરણ તું જોઈ લે. એમ કહી તરત જ તે વિષ્ણુશર્માએ ચકચકાટ ધાર વાળી તરવાર લઈ કમાંડ-કેળાની માફક પિતાનું મસ્તક છેદવાની તૈયાર કરી. તેટલામાં તેના અપૂર્વ સાહસથી એકદમ તે દેવી પ્રસન્ન થઈ અને સાક્ષાત્ પિતાના પુણ્યની જેમ દેવીએ તેને એક દિવ્યમણિ આપે. અને પછી તરત જ તે દેવી જળના રેલાની જેમ અદશ્ય થઈ ગઈ. વિષ્ણુશર્માએ પણ પોતાનું કાર્ય સિદ્ધ થયું એટલે ત્યાંથી ઘેર જવાની તૈયારી કરી. વહાણમાં બેસી બહુ ઝડપથી સમુદ્ર માગે તે ચાલવા લાગે. Page #62 -------------------------------------------------------------------------- ________________ યશોભદ્ર રાજા ૧૫ સમુદ્રમાં ચાલતાં રાત્રી પડી એટલે અંધકારથી ઘેરાયેલે નાવિક લોકોને માર્ગ પ્રગટ કરવાને જેમ પૂર્ણિમાને ચંદ્ર ઉદિત થયે. સમુદ્ર પિતાના પુત્ર ચંદ્રને જઈ તેને આલિંગન કરવાની ઈચ્છા વાળે હેયને શું? તેમ પિતાના હાથની માફક ચંચળ તરંગોને ઉચે પ્રસરવા લાગે. વિશેષ કાંતિમય ચંદ્રને જાઈ વિષ્ણુશર્માએ જાણ્યું, કે આ મારો મણિ તે નહીં હૈય? એમ ધારી તેણે તે મણિને જોવા માટે પિતાના હાથમાં લીધું અને તે મણિ તથા ચંદ્રબિંબને વારંવાર તે હતે, તેવામાં તેને હાથ વહાણની બહાર હોવાથી તે મણિ સમુદ્રમાં પડી ગયા. પિતાના જીવિતની માફક તે ચિંતામણી પડી જવાથી તે બ્રાહ્મણ તત્કાળ મૂર્શિત થઈ ગયે. એમાં કંઈ આશ્ચર્ય નથી. કેટલીક વાર પછી તે કંઈક શુદ્ધિમાં આવે એટલે પિતાની મૂઢતાને વારંવાર ધિકકારવા લાગે અને બહુ દુઃખને લીધે લુંટાએલાની માફક અનહદ શેક કરવા લાગ્યું. હે ભવ્યાત્માઓ! જેમ તે મૂઢ બ્રાહ્મણે સમુદ્રમાં ચિંતામણિ ગુમાવ્યો, તેમ ધર્મ વિનાને મનુષ્ય ખરેખર માનવભવ નિષ્ફળ ગુમાવે છે. માટે હે યશભદ્ર! સર્વ સંપત્તિઓના સાધનભૂત આ માનવભવ પામી પોતાના કલ્યાણ માટે સારી રીતે તું સુકૃત સંપાદન કર. યશોભદ્ર રાજા એ પ્રમાણે ગુરુમહારાજના ઉપદેશથી સુગંધથી જેમ તેનું હૃદય સુવાસિત થયું. જેથી તે તત્વની માફક ધર્મને માનવા લાગ્યો. પિતાનું હિત ક માણસ ન માને ! અર્થાત્ સર્વને સ્વહિત તે પ્રિય જ હોય. ગુરુ મહારાજના વિહાર કર્યા બાદ પણ નિર્ધન માણસ જેમ નિધાનને તેમ ગુરુમહારાજે કહેલાં ધર્મને તે યશભદ્ર સારી રીતે પાલતે હતો. Page #63 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર અન્યદા થશેભદ્ર મયૂરના ટૌકારથી મનેહર વર્ષા ઋતુના પ્રારંભમાં પોતાનાં ક્ષેત્ર જેવા માટે ઘેરથી નીકળ્યો. ક્ષેત્રમાં જઈ તે તપાસ કરવા લાગ્યો, તેવામાં ત્યાં પોતાના ચાકરે ઘાસ વિગેરેનાં મુળી બાળતા હતા, તેની અંદર બળ ગયેલી એક ગર્ભવતી સર્પિણી તેના જવામાં આવી. તેથી તે બહુ પત્તાપ કરવા લાગે. ' તેના મનમાં આવ્યું કે જે મનુષ્યો આવાં ક્ષેત્રોના નિષિદ્ધ કામ કરાવે છે, તેઓ ધિક્કારને પાત્ર છે. કારણ કે તેની અંદર આવા પંચેન્દ્રિય પ્રાણીઓને વધ થાય છે. એ બહુ ખેદની વાત છે. એક જીવને વધ કરવાથી પણ પ્રાણીઓની કેઈપણ સમયે મુકિત થતી નથી, તે અનેક જીવને વધ થયે છતે અરેરે હવે મારી શી ગતિ થશે? મનુષ્ય પોતાના કુટુંબના પિષણ માટે આરંભ સમારંભ કરે છે, પરંતુ તજજન્ય દોષથી તે ફક્ત એકલ નરકાવાસમાં બહુ હેરાન થાય છે. મારા સરખા અતિશય પાપ કરનારા પ્રાણીઓની વધારે સંખ્યા આ દુનિયામાં ન હોય તે આ સમગ્ર નરક રથાને ભરાયેલાં કયાંથી રહે ? જિતેંદ્ર ભગવાનના સિદ્ધાન્તમાં નરકસ્થાન સાત જ કહેલાં છે, તો તે સાત ભૂમિમાંથી આવા પાપ કરનારા અમે કઈ ભૂમિમાં, ઉત્પન્ન થઈ શું? વળી જે મનુષ્ય સમસ્ત આરંભનો ત્યાગ કરી જિનેદ્ર ભગવાને કહેલા દીક્ષા વ્રતને ગ્રહણ કરી, પાપ રહિત જીવન ગાળે છે, તેઓએ ધન્યવાદ ઘટે છે અને વિવેકી પણ તેઓ જ છે. એ પ્રમાણે વિચાર કરી યશોભદ્ર કંઠમાં હાર પહેરી જૈન ધમી પિતાના મંત્રીને સાથે લઈ હિંડવાણુક ગામમાં વિરાજમાન થયેલા પિતાના ગરુની પાસે ગયે. Page #64 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્ર જન્મ ૧૭ ત્યાં ગુરુ મહારાજને વંદન કરી પોતાના પાપનું તેણે નિવેદન કર્યું અને આંખમાંથી અશ્રુ વરસાવતે બેલે, હે સૂરીશ્વર ! આવા ભયંકર પાપનું પ્રાયશ્ચિત્ત મને આપો. જેથી મારે ઉદ્ધાર થાય. તે સાંભળી ખુલ્લી રીતે સૂરિએ કહ્યું. હે નરેશ! હવે તું સાવધાન થઈ સાંભળ. સર્વ પાપની અપેક્ષાએ પ્રાણને વધ કરે તે મોટું પાપ ગણાય છે. તેમાં પણ જે પંચંદ્રિયને વધ કરે તે અધિક પાપ છે. કારણ કે જે પચેંદ્રિયના વધથી પર્વતના શિખર પરથી પડેલા પાષા ની જેમ પ્રાણ અધોગતિને પામે છે. માટે આ પાપથી છુટવા માટે તારે ચરિત્રધર્મ પાળ પડશે. તે સિવાય તારી મુક્તિ થવાની નથી. અમૃતપાનને ત્યાગ કરી વિષભક્ષણથી મનુષ્ય જીવી શકે ખરો ? એ પ્રમાણે ગુરુ મહારાજનું વચન સાંભળી યશોભદ્ર વૈરાગ્ય પાયે અને પિતાના અમૂલ્ય હારથી એક જિનમંદિર બંધાવીને શ્રીદર ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. બાદ તે યશભદ્ર મુનિએ તેજ દિવસે ગુરુની આગળ છ વિકૃતિવિગઈને ત્યાગ કર્યો. અને દેહાંત સુધી એકાંતર ઉપવાસને અભિગ્રહ લીધે. વળી તે મુનીશ્વર સર્વ સિદ્ધાન્તને અભ્યાસ કરવા લાગ્યા, અને દુશ્ચર તપ કરવા લાગ્યા. અનુક્રમે ગીતાર્થ થયા બાદ યોગ્યતા જાણી સૂરીશ્વરે તેમને પોતાની પદવી આપી–સૂરિપદ આપ્યું. યશોભદ્રસૂરીંદ્ર અજ્ઞાનરૂપી અંધકારના સમૂહને નિવૃત્ત કરતા ભવ્યાત્મરૂપ કમળને વિકાસ આપતા સૂર્યની માફક દીપવા લાગ્યા ? તે સૂદ્ર પોતે જ્ઞાનને અતિશયથી પિતાનું મરણ જાણી દશ ઉપવાસ કરી શ્રી રૈવતકાચલ ગિરિ ઉપર સ્વર્ગવાસ પામ્યા. તેમની પાટે વિશાળ બુદ્ધિમાન પ્રદ્યુમ્નસૂરિ થયા. જેમણે પિતાના સમાન નામના રેષથી જેમ પ્રદ્યુમ્ન-કામને છ હતો. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કુમારપાળ ચરિત્ર ત્યારબાદ તેમના ગણની શેભાને ધારણ કરનાર શ્રી ગુણસેનસૂરિ થયા, જેમણે ગુણરૂપી સેનાવડે નાયક બની વિશ્વને પરાજય કર્યો હતે. તેમના સ્થાનમાં વિશુદ્ધ એવા આત્મિક ગુણેથી વિરાજમાન અને ગર્વહીન શ્રી દેવચંદ્ર નામે સૂરિ થયા. જેમના ગુણવર્ણનથી દેવ પણ શાંત થતા નથી. જેમણે રચેલા સ્થાનાંગવૃત્તિ, શ્રી શાંતિનાથ ચરિત્ર આદિ અનેક ગ્રંથે મૂર્તિમાન જ્ઞાનશે જેમાં પ્રખ્યાતિ ધરાવે છે. તે સૂરીશ્વર વિહાર કરતા પિતે મૂર્તિમાન ધર્મ જેમ ગુજરદેશમાં રહેલા ધંધુકા નામે સુપ્રસિદ્ધ નગરમાં ગયા. તે નગરમાં રહેલા સમસ્ત સંઘના લોકે સૂરીશ્વરના દર્શનથી સૂર્યના પ્રકાશથી કમલેની માફક પ્રફુલ્લ થયા તે ગ્ય છે. હેમચંદ્રજન્મ તેજ નગરમાં મેઢ જ્ઞાતિમાં પ્રદીપ સમાન મેરૂ ગિરિની માફક શાંભિયદિગુણે વડે અતિ પ્રઢ, શ્રેષ્ઠ બુદ્ધિથી વિરાજમાન અને ધર્મ કાર્યમાં અગ્રણી ચાચિંગ નામે શ્રેષ્ઠિ-શેઠ હતે. અમારા વરી એવા દયા દાક્ષિણ્યાદિગુણમાં આ શેઠ હંમેશા આસક્ત રહે છે, એમ જાણું કોપાયમાન થયેલા હોય તેમ દુર્ગણે કેઈપણ સમયે જેને સ્પર્શ કરતા નહતા. દરેક ભાગ્યના ચિહેથી વિભૂષિત મૂર્તિમાન લક્ષમી સમાન પાહિની નામે તે શ્રેષ્ઠીની સ્ત્રી હતી. તે સ્ત્રી કામને હરણ કરવામાં ખીલા સમાન શીલવતની ક્રીડાને જ પ્રસન્ન કરતી હતી. એક દિવસ તે પાહિની સુખનિદ્રામાં સુતી હતી, તેવામાં તેને સવMઅવસ્થામાં ઉત્તમ એક ચિંતામણિ પ્રાપ્ત થશે અને તે ચિંતામણું તેણીએ ગુરુ મહારાજને અર્પણ કર્યો, પછી તત્કાળ તે જાગી. - બા પિતાના ગુરુ દેવચંદ્ર સૂરિ પાસે ગઈ વંદન કરી સ્વનનું ફલ પૂછયું. દેવચંદ્રસૂરિ બેલ્યા-ભટ્ટે સર્વત્ર ઉત્તમ સ્થિતિવાળો એક પુત્ર Page #66 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્ર જન્મ તારે થશે. સ્વપ્નમાં પ્રાપ્ત થયેલ જે ચિંતામણિ તે ગુરુ મહારાજને આપે તેથી હું જાણું છું કે તારે પુત્ર આચાર્ય થઈને જૈન શાસનને મહિમા ફેલાવશે. એ પ્રમાણે અમૃત સમાન મને હર ગુરુની વાણી સાંભળી પાહિની શેઠાણીએ ગુરુ મહારાજ ! આપની વાણી સત્ય થાઓ, એમ કહીને શકુન ગ્રંથી બાંધી પિતાને સ્થાનમાં આવી. તેજ રાત્રિએ તેની કુક્ષિમાં એક પુણ્યશાળી જીવ સાવરમાં રાજહંસ જેમ અવતર્યો. અનુક્રમે ગર્ભને સમય પૂર્ણ થયો એટલે તેણીએ સર્વલેકેને ઈષ્ટ એવા ક૯૫વૃક્ષને મેરૂગિરિની ભૂમિ જેમ ઉત્તમ પુત્રને જન્મ આપે. તે સમયે આકાશવાણી થઈ કે આ પુત્ર તત્વને જાણકાર થશે અને શ્રી જિનેશ્વરભગવાનની માફક તે જૈન ધર્મનું સ્થાપન કરનાર મુખ્ય આચાર્ય થશે. ત્યારબાદ પિતાના વૈભવ પ્રમાણે ચાચિંગ શ્રેણીએ પુત્રને જમેન્સવ કરીને ચંગદેવ એ પ્રમાણે તેનું નામ પાડયું. - પુત્રની ઉમર બહુ નાની હતી, છતાં તેની બુદ્ધિ અગાધ હતી. જેથી સર્વ લોકેમાં તેને અતિશય મહિમા બહુ પ્રસરી ગયો. ઉદય પામતા સૂર્યની અદ્દભુત કાંતિ વિશ્વાતિશાયી શું નથી હોતી ? એક દિવસ મોઢ ચૈત્યમાં દેવચંદ્રઆચાર્ય પધાર્યા હતા. તે સમયે ચંગદેવને સાથે લઈ પાહિની ત્યાં દર્શનાર્થે આવી. ગુરુમહારાજ ચૈત્યની પ્રદક્ષિણા કરી દેવચંદન કરે છે, તેટલામાં બાલપણાને લીધે ચંગદેવ ગુરુના આસન ઉપર બેસી ગયે. તે જોઈ સૂરિએ તેની માતાને કહ્યું-ભદ્રે ! આ વાત તને સાંભરે છે કે સ્વપ્નમાં ચિંતામણિ લઈને તે ગુરુને આપે. હાલમાં આ તારા પુત્રે પોતાની મેળે જ તેવું ગ્ય કાર્ય કરી લીધું, કારણ કે પુણ્ય પ્રભાવથી પ્રાપ્ત થયેલું સ્વપ્ન પ્રાયે નિષ્ફળ થતું નથી. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કુમારપાળ ચરિત્ર માટે હે ભદ્ર! પવિત્ર બુદ્ધિમાન આ બાલક તું અમને આપી દે, જેથી આ બાલક આચાર્યપદ ધારણ કરી સર્વ જગતમાં જૈનધર્મનું સામ્રાજ્ય પ્રગટ કરે. તારા ઘરની અંદર રહેલે આ બાલક કોઈ ઠેકાણે પ્રખ્યાત થશે નહી અને જે તે આચાર્ય થશે તે સર્વ જગતમાં શ્રી જિનશાસનની હિયાતિ સુધી તેની ખ્યાતિ રહેશે. આ પ્રમાણે ગુરુની વાણી સાંભળી ભક્તિ ભાવથી આકર્ષિત થયેલી પાહિની બેલી ભગવન! આપનું કહેવું સત્ય છે, પરંતુ આ બાબત એ ના પિતાને તમારે કહેવી જોઈએ. પછી સૂરીશ્વરે ચાચિંગ શેકીને બહુ બધ આપીને સમજાવ્યું અને તેના કુળની લક્ષમીને સર્વસવની માફક તેની પાસેથી ચંગદેવને લઇ લીધો. તેજ વડે સૂર્ય સમાન તે ચંગદેવને લઈ દેવચંદ્રસૂરિ ત્યાંથી વિહાર કરી સ્તંભતીર્થ–ખંભાત ગયા, બૃહપતિ સમાન તે બાળકની અતિશય બુદ્ધિ જેઈ સૂરીશ્વરે સંભાવના કરી કે, આ બાલક શાસરૂપી સાગરને પાર ગામી થશે. માણિકય રત્નમાં તેજસ્વિતા અને પુષ્પમાં સુગંધતાની માફક શાસ્ત્રમાં પ્રવેશ કરવાથી તે બાળકની અંદર અદ્દભુત ચતુરાઈ પિતાની મેળે જ વિલસી રહી છે. એમ વિચાર કરી દેવચંદ્રગુરુએ જિનશાસનને પૂર્ણ રાગી અને શ્રીમાલ વંશમાં જન્મેલા ઉદયન નામે મંત્રીને પિતાની પાસે બોલાવી કહ્યું કે, ' મંત્રિ! ચાર્જિંગશ્રેષ્ઠીને આ પુત્ર છે. એનું નામ ચંગદેવ છે અને તે દીક્ષા ગ્રહણ કરવામાં બહુ ઉત્સાહ ધરાવે છે. એની બુદ્ધિ બહુ સ્થિર છે તેથી તે દીક્ષા લઈ જિનશાસને ઉદ્યોત કરનાર થશે. માટે એનો દીક્ષા મહોત્સવ તારે કરવાનો છે, એ વાત પિતાને Page #68 -------------------------------------------------------------------------- ________________ દીક્ષામહાસવ ૨૧ હિતકર જાણી શુભકાર્યમાં ઉત્કંઠાવાળે તે ઉદ્દયન મંત્રી પુણ્યને આક `ણુ કરનારી હાયને શુ' ? તેમ સર્વ પ્રકારે ઉત્કૃષ્ટ દીક્ષા મહે।ત્સવની સામગ્રી તૈયાર કરાવવા લાગ્યા. દીક્ષામહે।ત્સવ મહા સુદિ ૧૪ શનિવારે રાહિણી નક્ષત્રના ચદ્ર તેમજ અન્ય શુભયોગના સમાયેાગ છતાં તેરમા વિયાગ હતા. સૂર્યાદિ સાત ગ્રહે। ઉચ્ચ સ્થાનમાં રહ્યા હતા, વૃષભલગ્નના શુભવાળી નવમાંશમાં, દન માત્રથી પાપ પડલને દૂર કરનાર શ્રી વ માન જિનેન્દ્રના મ`દિરમાં શ્રી સૂરિમંત્રના સ્મરણથી અદ્દભુત અતિશય શ્રીમાન્ દેવચંદ્રસૂરિએ પેાતાના પવિત્ર હસ્તે અગદેવને દીક્ષા આપી. વિશુદ્ધ વશ અને મુખવડે આ મુનિએ એ વાર ચંદ્રના પરાજય કર્યાં હતા તેથી જ એનુ' નામ સામચંદ્ર રાખવામાં આવ્યું. બાદ આચાર્ય મહારાજે ઉદયનમત્રીને આશીર્વાદ આપી કહ્યું કે અહુ ઉત્સાહથી મહાન આ દીક્ષા મહેાત્સવ કરવાથી ઉત્ક્રાયન મંત્રીએ પાપને દૂર કર્યાં. પેાતાની લક્ષ્મી સલ કરી અને શુભ પુણ્ય મેળવ્યું હવે કંઇપણ કત ન્ય ખાકી રહ્યું નહીં. 66 પછી બહુ બુદ્ધિશાળી સામચ'દ્ર મુનિએ અભ્યાસ માટે બહુ ઉત્સુક થઈ પેાતાના ગુરુ પાસે સશાસ્ત્રો ભણવા માટે પ્રારંભ કર્યાં. ગુરુ પણ અન્ય શિષ્યા કરતા તેને સારી રીતે અભ્યાસ કરાવવા લાગ્યા “પ્રાયે બુદ્ધિમાન્ પુરુષ સત્પાત્રમાંજ ખરેખર પ્રયત્ન કરે છે” પ્રમાદરહિત નિરંતર અભ્યાસ કરતા તે સેમચંદ્રસુતિ અલ્પ સમયમાં પ્રજ્ઞા-બુદ્ધિરૂપી નાવ વડે શાસ્ત્ર સમુદ્રના પારગામી થયા. અન્યદા સર્વાં વિદ્વાનામાં પ્રધાનપદ પામેલા સેામચંદ્ર મુનિના સાંભળવામાં આવ્યું કે, પ્રથમના સૂરિએ વિદ્યામાં પ્રૌઢ અને એક પદ્મ ઉપરથી સવ` પો જેમની બુદ્ધિમાં સ્ફુરતાં હતાં, તેવા સ પૂર્વાચાર્યાં મારે સ્તુતિ કરવા લાયક છે. કે જેએ પદાનુસારી બુદ્ધિ વડે ચતુર્દશ પૂ ભણ્યા હતા. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કુમારપાળ ચરિત્ર આ સમયના અમારા સરખા મંદબુદ્ધિવાળાઓને સર્વથા ધિક્કાર છે કે, જેઓ ગુરુઓને અતિશય કલેશ ઉપજાવે છે અને કઈ પણ તેઓ સમજતા નથી. માટે હું જો કે વિદ્વાન થયે છું, તે પણ દરેક વિદ્યામાં નિપુણ એવા કાશ્મીર દેશમાં જઈને મારા સરસ્વતીને પ્રસન્ન કરવી. એમ નિશ્ચય ધારી સેમેચંદ્ર તે વાત પિતાના ગુરુને કહી. ગુરુએ જ્ઞાનના અતિશયથી સરસ્વતી દેવીનું સન્મુખ આગમન જાણ તે વાત કબુલ કરી. ત્યારબાદ સેમચંદ્ર મુનિએ ગુરુની આજ્ઞા લઈ આનંદપૂર્વક શુભ સિસે કાશ્મીર દેશમાં જવા માટે ઉજજયંતાવતાર નામે ચૈિત્યમાં પ્રસ્થાન કર્યું. દેવી સાક્ષાત્કાર ત્યાં પ્રથમ મંત્ર સ્નાન કરી તિર્મય પરમાત્માનું સ્મરણ કરતા તે મુનિ તેજ રાત્રિએ સરસ્વતીનું ધ્યાન ધરી દઢાસને એકાંતમાં બેઠા. સર્વ જગતને અભય આપનાર, ડાબામાં પુસ્તક અને જમણા હાથમાં અક્ષમાલા ધારણ કરનાર, ભક્તજનેને વાંછત વર આપનાર, કપૂરના રાશિ સમાન ઉજવલ કાંતિવડે દિમંડલને દીપાવતી પ્રફુલ્લ એવા કમલ પત્ર સમાન નેત્રની કાંતિવડે નિરીક્ષણ કરતી અને, તેજોમય એવી સરસ્વતી દેવીનું હૃદયમાં ધ્યાન કરતા સોમચંદ્રના ધ્યાન બળથી ન હેય બેંચાયેલી તેમ દેવી ક્ષણમાત્રમાં પ્રત્યક્ષ થઈ, બ્રહ્માની પુત્રી સાવિત્રીની માફક સ્નેહા દષ્ટિપાતવડે પ્રસાદને જણાવતી હોય, તેમ તે દેવી મુનિને કહેવા લાગી. વત્સ! તું મને પ્રસન્ન કરવા માટે કાશ્મીરદેશમાં જઈશ નહીં, હાલમાં હું તારી ભક્તિ અને ધ્યાનવડે અહીં પણ પ્રસન્ન થઈ છું. અધુના મારા પ્રસાદવડે સારસ્વત મંત્ર તને સિદ્ધ થયેલ છે. એમ કહી તે દેવી તરતજ વિજળીની માફક અદશ્ય થઈ ગઈ. Page #70 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા મહોત્સવ ૨૩ તે સમયે સ્કુરણયમાન સારસ્વત મંત્રના પ્રભાવથી સૂર્યની પ્રભા જેમ સોમચંદ્રની બુદ્ધિ સર્વ સ્થાનમાં-મતમાં પ્રસાર પામી. બાદ સરસ્વતીનાં નવીન રચેલાં તેત્રેવડે શેષ રાત્રી નિગમના કરીને કૃતાર્થ થયેલા સેમચંદ્ર પ્રભાતકાલમાં પોતાના ગુરુ પાસે ગયા. સૂર્યના પ્રકાશથી પ્રફુલ્લ થયેલા કમલને જોઈ ભ્રમર જેમ દેવચંદ્રસૂરિ સરસ્વતીના પ્રસાદથી ભવ્ય કાંતિમય પિતાના શિષ્યને જોઈ બહુ ખુશી થયા. બાદ સોમચંદ્ર સરસ્વતી પ્રસન્ન થયાનું રાત્રિ વૃતાન્ત નિવેદન તે સાંભળી ગુરુ મહારાજ પોતે પ્રસન્ન થઈ તેમની સ્તુતિ કરવા લાગ્યા, કારણે કે “ગુણવાન અને સુપાત્રની પ્રશંસા કશું ન કરે ? શ્રીમતી વાદેવીને પ્રસાદથી સોમચંદ્ર મુનિ ચારે વિદ્યાઓના તત્વજ્ઞાતા થયા અને સર્વકના સંશયરૂપ અંધકારને સૂર્યની માફક ફર કરવા લાગ્યા. અન્યદા દેવચંદ્રસૂરિએ પિતાના શિષ્ય સાથે ત્યાંથી વિહાર કર્યો. અને ગામેગામ વિચરતા ભવ્યજનને ઉદ્ધાર કરતા તેઓ નાગપુર નામે નગરમાં ગયા. ત્યાં આગળ હંમેશાં સૂરીશ્વર ધર્મોપદેશરૂપી અમૃતના પ્રવાહ વડે તે નગરના વિવેકશાળી ભવ્યાત્મરૂપ વૃક્ષને સિંચવા લાગ્યા. સેમચંદ્ર મુનિ પિતે બાલવયમાં હતા, છતાં પણ દ્વિતીયાન ચંદ્રની માફક એક વિદ્વત્તારૂપી કલાને લીધે સર્વ વિદ્વાનેને વંદનીય થયા હવે તેજ નગરમાં પરલોકના બહુમાનને લીધે ગૌરકાંતિવાળે બહુ ધનવાન અને માન્ય ધનદ નામે એક શ્રેણી રહેતે હતે. તે શેઠ ટોળાને નાયક અન્ય હાથીઓ વડે જેમ પ્રતિ દિવસ બહુ મહિમાને લીધે યોગ્યતાને પાત્ર બનેલા પુત્ર પૌત્ર અને દૌહિત્રના પરિવારથી બહુ વધી ગયે. સદભાગ્યને લીધે તેના ત્યાં લહમીદેવીએ વાસ કર્યો હતો અને Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કુમારપાળ ચરિત્ર સર્વ સંતાપને શાંત કરનાર તે લક્ષમી શુકલ પક્ષના ચંદ્રની કલા જેમ બહુ વધતી ગઈ. તે જોઈ શ્રેષ્ઠ માર્ગમાં રહેલા ફલથી ભરપૂર વૃક્ષની માફક સર્વ લોકોને ઉપકાર કરતે છતે લક્ષ્મીદેવીનું અસ્થિરપણું જાણતે હેય ને શું? તેમ પિતાની લક્ષમીને સાર્થક કરતે હતે. વેપારમાં રેકેલું ધન કેઈ વખત નાશ પામે, એમ જાણ તેણે ઘણું દ્રવ્ય પૃથ્વીમાં દાવ્યું; એક સ્થળે ભંડારેલું ધન મળે તે બધુ મળે, નહીં તે એક સાથે સર્વ ચાલ્યું જાય, એમ સમજી ફરીથી તેણે ભિન્ન ભિન્ન ઘણા સ્થામાં બહુ ધન ગુપ્ત રીતે ભંડાર્યું. એમ કરતાં તેને ઘણો સમય સુખમાં પ્રસાર થયે. તેવામાં તેને અભાગ્યના વેગને લીધે જ કૃષ્ણ પક્ષના ચંદ્રની કલા જેમ સંપત્તિઓ ક્ષીણ થવા લાગી. ઘર, દુકાને અને વેપારમાં રહેલી લમી દિવસે દિવસે ગ્રીષ્મતુમાં નદીની માફક અનુક્રમે વિનાશ પામી અને લક્ષ્મીને નાશ થવાથી તેના ગુણે પણ નાશ પામ્યા કારણ, દિ નષ્ટ થયા પછી તેને પ્રકાશ કયાંથી પ્રસરી શકે? વળી લક્ષ્મી એ સ્ત્રી જાતિ છે, તે પણ તેની શકિત બહુ ચમતકારી હોય છે, કારણ કે જેણીના આવવાથી ન હોય છતાં પણ સમસ્ત ગુણ પ્રાપ્ત થાય છે અને તે શકિત જ્યારે ચાલી જાય છે, ત્યારે ક્ષણમાત્રમાં સર્વ ગુણે ચાલ્યા જાય છે. હવે તે ધનદ શ્રેષ્ઠી એકદમ બહુ દુઃખમાં આવી પડે. અને એટલું બધું દારિદ્ર તેને વીંટાઈ વળ્યું કે ભેજન માત્રને પણ સર્વથા સંદેહ થઈ પડે. પછી તેને વિચાર થયે કે આ દુરંત સંકટના સમયમાં પ્રથમ દાટેલા ભંડાર આ સમયે ઉપયોગી નહીં થાય, તે તેઓ શા કામમાં આવશે, એમ જાણી શેઠ અને પિતાને દિકરે બંને જણ પોતે તૈયાર થઈ સર્વ નિધિસ્થાને દવા લાગ્યા, Page #72 -------------------------------------------------------------------------- ________________ દીક્ષામહોત્સવ ૨૫ જે જે ભંડારે ખુલ્લા કરી જુવે છે, તે તે નિધાનમાં તેના દુર્ભાગ્યને લીધે કેવલ કોલસા ભરેલા હતા. તે જોઈ શેઠ તે એકદમ પિતાની છાતી ફૂટવા લાગે અને આમ તેમ મસ્તક ફેડવા મંડી પડયે, એમ બાહ્ય અને આંતરિક પીડાને લીધે ક્રોધાયમાન સર્પના કરડવાથી જેમ તત્કાળ તે મૂછ પામ્યો અને પૃથ્વી પર પડી ગયે. ક્ષણમાત્ર પછી તે ધીમે ધીમે સચેતન થયે, એટલે રંકની માફક દીન સ્વરે વિલાપ કરવા લાગે. ' અરે ! દેવ! આવું દારૂણ દુઃખ મને શા માટે તે આપ્યું? વેપાર વિગેરેમાં રહેલી બહારની લહમને સંહાર કરવાથી તારા હૃદયમાં સંતોષ ન થયે! જેથી ભેચમાં દાટેલા ગુપ્ત ભંડાર પણ તે ખાલી કરી નાખ્યા. બહારનું ધન કદાચિત ચાલ્યું જશે, તે પણ અંદરનું ધન મારે ઉપયોગી થશે, એવી બુદ્ધિથી મેં આ કામ કર્યું હતું, તે પણ રચના તે વૃથા કરી.” રે દેવ ! જ્યાં સુધી મને રથરૂપી રથના વિશાલ અને ગહન માર્ગમાં તું પ્રતિકૂલ નથી થતું, ત્યાં સુધી મનુષ્યની બુદ્ધિ સ્ફરે છે, શાસ્ત્રના સિદ્ધાન્ત યાદ આવે છે, પરાક્રમ ઉલ્લાસ પામે છે અને ઉચ્ચ પ્રકારનો મહિમા પ્રાપ્ત થાય છે. અથવા એ તારે સ્વભાવ છે કે, ધનવાન પુરુષ ભિક્ષુકની માફક નિર્ધન બને છે અને નિર્ધન હોય તે ચક્રવત્તીની માફક લક્ષમી વાન થાય છે. એમ વિલાપ કરી દૌર્યથી પિતાનું હૃદય દઢ રાખી તેણે તે કેલસાઓ બહાર કઢાવીને બહાર ઘરના એક ખુણામાં ઢગલે કરા. ત્યાર બાદ ધનદ શ્રેષ્ઠી મહાજનમાં શરમાવા લાગ્યો અને બહુ કષ્ટથી દુઃખ અવસ્થાના દિવસોને નિર્ગમન કરવા લાગ્યો. એક દિવસ સોમચંદ્ર મુનિ સહિત વીરચંદ્ર ગણી આપત્તિને ભાંગવા માટે જેમ ફરતા ફરતા ભિક્ષા લેવા માટે તે શેઠના ઘરમાં ગયા. Page #73 -------------------------------------------------------------------------- ________________ २६ કુમારપાળ ચરિત્ર તે સમયે નિધનેમાં અગ્રેસર તે ધનદ શ્રેણી પિતાના પરિવાર સાથે બહુ કષ્ટથી મળેલી રાબ દુધની માફક પોતે હતે. ધીમે ધીમે પાછળ ઉભા રહેલા સોમચંદ્ર મુનિએ ચારે બાજુએ તેનું ઘર અને તે રૂક્ષ ભજન જોઈ વીરચંદ્રમણિને કહ્યું, આ શેઠ બહુ ધનાઢય છે, છતાં પણ નિધનની માફક રાબનું ભેજન કેમ કરે છે? રાજાની માફક ઉત્તમ પ્રકારની રઈ શા માટે જમતે નથી! તે સાંભળી મણિએ કહ્યું. તું મોટા શેઠીઆએના ઘેરથી મિષ્ટાન, લાવી ભજન કરે છે, તેથી નિધની સ્થિતિ કેવી હોય છે? તે તું ખરેખર જાણતા નથી. હે મુનિ ! કદાચિત દરદ્ધિઓના સહવાસમાં તું રહ્યો હેત તે. તને તેમની સર્વ સ્થિતિને અનુભવ સારી રીતે થાત. સેમચંદ્ર ફરીથી બોલ્યા, આ શેઠ નિધન શાથી કહેવાય છે? કારણ કે એના ઘરના ખુણા એમાં સોનાના ઢગલા હું દેખું છું. તે ઢગલા ક્યાં છે? એમ પૂછવાથી સેમચંદ્ર મુનિએ મંગળના તારાની માફક ચળકતા સોનામહોરના ઢગલા તરત જ ગણિને બતાવ્યા. તે જોઈ વીરચંદ્ર ગણું એકદમ ચકિત થઈ ગયા. નજીકમાં બેઠેલા શ્રેષ્ઠીએ પણ તે વાત સાંભળી અને તેણે પૂછ્યું કે આ નાના મુનિએ તમને શું કહ્યું? મને તે કંઈ કહ્યું નથી, એમ. કહી ગણુ મહારાજ મૌન રહ્યા. પછી શ્રેષ્ઠીએ બહુ આગ્રહ કર્યો એટલે ગણીએ સેમચંદ્રે કહેલી વાત શેઠને કહી દીધી. સેમચંદ્રની દ્રષ્ટિએ કેલસાના સુવર્ણ રાશિ થયેલા જોઈ નવીન દ્રવ્યના લાભથી જેમ શેઠ તે બહુ જ ખુશી થઈ ગયા. અને પવિત્ર બુદ્ધિવડે તેણે સોમચંદ્ર મુનિના પગમાં પડી પિતાનું સઘળું વૃત્તાન્ત. નિવેદન કર્યા બાદ જીવિતદાયકની માફક તેમને માનીને કહ્યું. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૭ દીક્ષા મહોત્સવ હે મુનીંદ્ર! હું માનું છું કે પુણ્યવંત પુરુષોમાં તમે જ મુખ્ય છે. જેને બાલ વયમાં પણ અદ્દભુત પ્રભાવ પ્રકાશી રહ્યો છે. વળી તૃષાતુર ચાતકને મેઘ જેમ સુવર્ણરૂપી જળ વડે મારા કુટુંબને ખરેખર આપે છવાડયું. પરંતુ કૃપા કરી પિતાના હાથથી આ સુવર્ણ રાશિનો સ્પર્શ કરે જેથી આપના ગયા પછી પણ આ સેનાના ઢગલાઓ બદલાઈ જાય. નહી: સેમચંદ્ર મુનિએ દયાવડે તે પ્રમાણે સ્પર્શ કર્યો. પછી શ્રેણીએ મુનિના દેખતાં સઘળું ધન પિતાના ખજાનામાં ભરી દીધું.' ત્યારબાદ મુનિઓની સાથે શ્રેષ્ઠી દેવચંદસૂરિ પાસે આવ્યા. ગુરુને વંદન કરી તેણે સોમચંદ્રમુનિને સર્વ પ્રભાવ નિવેદન કર્યો અને પ્રાર્થનાપૂર્વક કહ્યું કે હે પ્રભે! પ્રસન્ન થઈ મને આજ્ઞા કરે. આ૫ના શિષ્યના અતિશય–પ્રભાવથી સુવર્ણ રાશિ મને પ્રાપ્ત થયો છે, તે સર્વ ધન. આપનું જ હું માનું છું. હવે તે ધન કયા કયા સ્થાનમાં મારે વાપરવું? સર્વથા લેભના ત્યાગી એવા જ્ઞાની ગુરુ બોલ્યા, હે મહેશ્ય! આવી ઉત્તમ પ્રકારની તારી ભક્તિ હોય તે વિમાન સમાન નિંદ્ર ભગવાનનું એક મંદિર નું બંધાવ. તે સાંભળી શ્રેણીને સંતોષ થયો. પછી તેણે ઉત્તમ પ્રકારનું સર્વોત્તમ ચૈત્ય બંધાવ્યું અને દેવચંદ્રસૂરિએ તેમાં પ્રતિષ્ઠા કરીને વીર ભગવાનની મૂર્તિ પધરાવી. | સર્વ નગરના લકે તેવું અદ્દભુત ચરિત્ર સાંભળી પિતાના મનમાં અતિશય ચમત્કાર પામ્યા અને માગધ ચારણની માફક સેમચંદ્રમુનિની બહુ સ્તુતિ કરવા લાગ્યા, કે શ્રી સોમચંદ્રમુનિ આ લેકમાં ચિરકાલ સુધી આનંદ પામે, બાલ્યાવસ્થામાં પણ જેના દ્રષ્ટિપાતથી જ સિદ્ધરસના સ્પર્શથી લેહરાશિની માફક અંગારાના રાશિ સુવર્ણ થઈ ગયા. Page #75 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર હવે તે નગરમાંથી દેવચંદ્રસૂરિએ પેાતાના પરિવાર સહિત વિહાર કર્યાં. પવિત્ર ચરણરજવડે પૃથ્વી પીઠને પવિત્ર કરતા તેઓ અણુહિલ્લપતન–પાટનગરમાં આવ્યા. ત્યાં ચંદ્ર ને કુમુદની માફક સામચંદ્રમુનિના મિત્ર દેવે સુરિ રહે છે, આશ્ચયમાત્ર એ છે કે તેમાં જડત્વ નથી. લાભ્યાસ ૨૮ ત્યારબાદ કોઇક સમયે તે ખ'ને જશે. ગૌડદેશના રહીશ એક માણસના મુખથી સાંભળ્યુ કે, જળના સમુદ્ર જેમ સવ`કલાના ખજાના ગૌડદેશ છે. પછી તેઓએ વિચાર કર્યાં કે, આપણે બન્નેએ ગૌડદેશમાં જઈને કોઈપણ આશ્ચય કારક કલાભ્યાસ કરવા. કારણ કે બાળક પણ કલાના ચેાગથી મોટા માણસામાં પણ માન મેળવે છે. આ મામતના દ્રષ્ટાંતમાં શંકરના મસ્તકે રહેલે ચદ્ર સ્પષ્ટ છે. વળી દ્રવ્ય અચેતન છે, છતાં પણ તે કલાંતર-વ્યાજ વૃદ્ધિથી દિવસે દિવસે વધે છે, તે સચેતન કલાના આશ્રયથી કેમ ન વધી શકે? એમ નક્કી કરી તે બંને મુનિએ પેાતાતાના ગુરુઓની બહુ મહેનતે આજ્ઞા લઈ સાયકાળે પ્રસ્થાન કરી પાટણથી નીકળ્યા અને ખેરાલુ' ગામે રહ્યા. ત્યાં તે બંનેને વિદ્યાધર સમાન કોઈ એક વૃદ્ધ યુતિ મળ્યા અને તે બંને જણે વૃદ્ધમુનિને વિનયાદિક બહુ સત્કાર કર્યાં. પછી વૃદ્ધ મુનિએ પૂછ્યું, તમે અને કયાં જાએ છે ? ત્યારે તેઓએ પેાતાના અભિપ્રાય જાહેર કર્યાં. તે સાંભળી ફરીથી વૃદ્ધમુનિ ખેલ્યા, જો કલા શિખવા માટે આ તમારા સમાર ંભ હોય તે વિના કારણે શરીરને દુઃખી કરનાર દેશભ્રમણ કરશે! નહી. હું પાતે જ સુદર એવી સવ` કલાએ તમને આપીશ, પૂર્ણિ Page #76 -------------------------------------------------------------------------- ________________ કલાયાસ ૨૯ માના ચંદ્રની માફક મારો આ દેહ સર્વ કલાઓથી ભરેલું છે. પરંતુ તમે બંને જણ કેઈપણ રીતે મને ઉજજયંત પર્વત પર લઈ જાઓ. જેથી ઔષધિઓની યેજના કરી તમારે મનોરથ હું પૂર્ણ કરૂં. સત્પાત્રને વિદ્યા આપવાથી મારું મન શાંત થાય પછી તમે નિવણ ક્રિયા કરાવે એટલે હું પરલોકમાં સધાવું. એ પ્રમાણે વૃદ્ધમુનિનું વચન સાંભળી તે બંને પ્રસન્ન થયા અને ગામના મુખી મારફત પાલખી મંગાવી તેમજ તેને ઉપાડનાર માણસ તૈયાર કરાવ્યા પછી રાત્રીએ તેઓ સુઈ ગયા. ક્ષણમાત્ર સુઈ રહી તેઓ જાગૃત થયા. રૈવતાચલ ઉપર રહેલા પિતાને જોઈ તે બંને જણ મનમાં બહુજ આશ્ચર્ય પામ્યા અને વિચારમાં પડયા. અરે ! તે ગામ અને આપણું તે સ્થાન કયાં ગયું? વળી તે વૃદ્ધ મુનિ કયાં ગયા? આપણું અને આ રૈવતાચલ ઉપર કયાંથી આવ્યા ? આ સર્વ આશ્ચર્યકારક બનાવ કયાંથી થયે? એમ બંને મુનિએ વિચાર કરતા હતા તેટલામાં પ્રચંડ સૂર્યને નિસ્તેજ કરતા કાંતિમંડળથી વિરાજમાન કેઈક દેવી પ્રગટ થઈ બેલી, હું શાસનદેવી છું. તમારા ભાગ્યથી ખેંચાયેલી હું કલાઓમાં લુબ્ધ થયેલું તમારું ચિત્ત જોઈ તે કલાઓ આપવા માટે અહીં આવી છું. વૃદ્ધ મુનિને સમાગમ વિગેરે આ સર્વ પ્રપંચ તમને અહીં લાવવા માટે મેં જ કર્યો છે. ખરેખર તીર્થ છે. આ તીર્થના નાયક શ્રીનેમિનાથ ભગવાન છે. અહીં દીવ્ય ઔષધિ તથા અતિફળદાયક મંત્રો રહેલા છે. એમ કહી તુષ્ટ થયેલી તે શાસનદેવીએ રાજા અને દેવતાઓને વશ કરવામાં બળવાન અને પઠનમાત્રથી સિદ્ધ એવા ઘણું મંત્ર તેમને આપ્યા. ત્યારબાદ તેઓને વશ થયેલી તે દેવીએ પર્વતના શિખરમાં, Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કુમારપાળ ચરિત્ર ફરી ફરીને તત્કાળ પ્રતીતિ આપનાર જંગલની ઔષધિઓ પણ ઓળખાવી દીધી. આ મુનિઓને મંત્રાદિક ઔષધિઓનું વિસ્મરણ એળખાવી દીધી. આ મુનિઓને મંત્રાદિક ઔષધિઓનું વિમરણ ન થાય એટલા માટે દેવીએ પિતાનું કમંડલ હાથમાં લઈ અમૃતપાન કરાવવા માટે પ્રાર્થના કરી કહ્યું, | મુનિદ્રો ! આ મારા કમંડલુમાં રહેલા અમૃતનું તમે પાન કરે, જેથી તમને મંત્રાદિક વિદ્યાનું વિસમરણ થાય નહીં. તે સાંભળી દેવેદ્રસૂરિ બોલ્યા. અમે જૈન સાધુએ છીએ માટે રાત્રિએ અમૃતપાન પણ અમારે કલ્પ નહી, માટે તે વાત અમારાથી બની શકે તેમ નથી. અહો ! મુનિઓને વ્રત પાળવામાં કેવી દઢતા. હોય છે?” બાદ ઉત્સર્ગ અને અપવાદને વિચાર કરીને મહાન બુદ્ધિશાલી સોમચંદ્ર મુનિએ બહુ ઉત્કંઠાવડે કંઠ સુધી દેવીએ આપેલું અમૃત પીધું. તેથી તેમને તે મંત્રાદિકનું સર્વ સ્મરણ આબાદ રહ્યું. અને દેવચંદ્રસૂરિએ અમૃતપાન ન કર્યું તેથી તેમને તે સર્વ વિસ્મરણ થઈ ગયું. ભાગ્ય સિવાય બુદ્ધિ સ્કુરતી નથી.” પછી પવિત્ર તીર્થાધિ. દેવનું વંદન કરી કૃતાર્થ થયેલા તે બંને મુનિઓને તે દેવી પોતે જ રાત્રીના અવસાનમાં ઉપાડીને ગુરુ મહારાજની પાસમાં લાવી મૂકયા. સૂરિપદ અતિ આશ્ચર્યકારક આ વૃત્તાન્ત પ્રભાત કાલમાં તે બંને મુનિએએ પિતાપિતાના ગુરુની આગળ નિવેદન કર્યું–તે વાત જાણવાથી સકલ સંઘને પણ બહુજ આનંદ થયે. ત્યારબાદ દેવચંદ્ર ગુરુએ વિચાર કર્યો કે, મારા પાસે શિષ્યસમુદાય તે ઘણેય છે, પરંતુ ગચ્છને નાયક તે આ સેમચંદ્ર જ થઈ શકે તેમ છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સૂરિપદ એની બુદ્ધિ બહુ વિશાલ છે. તેમજ શાસ્ત્રને પારગામી એજ છે. એમ જાણી તેમને સૂરિપદ આપવા માટે ગુરુશ્રીએ બહુ ઉત્સાહથી તૈયારી કરી. અને સંઘની આજ્ઞા લઈ ગણક-તિષીઓને બોલાવીને આચાર્ય મહારાજે તેમની પાસે જગતને પણ કલ્યાણકારી ઉત્તમ પ્રકારનું આચાર્ય પદવીનું મહૂર્ત કઢાવ્યું. મહા સુદી ૩ અને ગુરૂવારે કર્ક લગ્નમાં બૃહસ્પતિ, કન્યારાશિમાં રાહુ, ધનરાશિએ મંગળ, મીનરાશિએ શુક, બુધ અને રવિ બંને મેષ સ્થાનમાં, | ચંદ્ર અને શનિ વૃષસ્થાનમાં, કર્ક લગ્નને સ્વામી ચંદ્રમા, હેરાકાણુ, વર્ગોત્તમ નવાંશ અને દ્વાદશાંશ બહુ ઉચ્ચ પ્રકારે રહેલા હતા. શુકને તૃતીય ત્રિશાંશ ચાલુ હતે. આવા ઉત્તમ પ્રકારના માંગલિક મુહૂર્તમાં સંતોષ પામતા શ્રી સંઘે મહોત્સવ કરે છતે ગુરુશ્રીએ ઉત્કૃષ્ટ પ્રકારે મંદિવિધાન કરી સેમચંદ્ર મુનિને જિનશાસનના સર્વસ્વની માફક આચાર્ય પદવી આપી. આ સૂરિ કાંતિમાં સુવર્ણ સમાન અને આનંદ આપવામાં ચંદ્ર સમાન છે, એ હેતુથી જ ગુરુ મહારાજે તેમનું નામ હેમચંદ્ર એ પ્રમાણે જાહેર કર્યું. તે સમયે વિવિધ પ્રકારનાં વાગે વાગતાં હતાં, જેમના પ્રચંડ નાદને લીધે સર્વ દિશાઓમાં ઘંઘાટ થઈ રહ્યો. અને તે માંગલિક વાજીના શબ્દો મહારાજાને બીવરાવવા માટે નવીન સૂરીંદ્રને જાહેર કરતા હોય ને શું? વળી કેટલીક લોકે હર્ષથી નાચ કરવા લાગ્યા. કેટલાક ગીત ગાતા હતા, કેટલાક વાછ વગાડતા હતા. કેટલાક ગુણાનુવાદ કરતા હતા. Page #79 -------------------------------------------------------------------------- ________________ હર કુમારપાળ ચરિત્ર સદ્દગૃહસ્થ શેઠીઆઓ સતત ધારાઓથી સેના રૂપાની વૃષ્ટિ કરવા લાગ્યા. વર્ષાકાલમાં મયૂરનાં ટોળાં જેમ યાચકલેકે બહુ આનંદ પામ્યા. વળી હેમચંદ્રાચાર્ય સૂરિપદ પામ્યા, તે સમયે ભવ-સંસાર ભયભીત થઈ ગયે, અમાંગલિક કાર્યોના અભાવ થયે. મિથ્યાત્વની જાગ્રતી બંધ પડી. કુવાસના દેશાંતર ચાલી ગઈ, ધર્મકાર્ય આનંદથી પ્રવૃત્ત થવા લાગ્યા, સંયમની સ્કુરતી થવા લાગી, તપની જાગ્રતી થઈ અને સર્વત્ર જ્ઞાનને વિકાસ થવા લાગ્યું હોય તેમ દેખાવા લાગ્યું. સિદ્ધરાજ એક દિવસ તે નગરનો રાજા સિદ્ધરાજ ઘોડેસવાર થઈ રાજપાટીએ ફરવા નીકળે, તેવામાં તેણે રાજમાર્ગમાં સામે આવતા હેમચંદ્ર આચાર્યને જોયા ત્યારે અદ્દભુત કાંતિમય તેમની મૂર્તિ જોઈ રાજાના મનમાં બહુ આશ્ચર્ય થયું. તેથી તેણે પોતાને હાથી ઊભું રાખીને કહ્યું. | મુનીંદ્ર ! આ સમયે કંઈક બેલે. એકદમ ગજેને રોકી ઉભા રહેલા રાજાને જોઈ હેમચંદ્રાચાર્ય આનંદ પૂર્વક સમયોચિત એક શ્લેક બોલ્યા :सिद्धराज ! गजराजमुच्चकैः, कारय प्रसरमेतमग्रतः । संत्रसन्तु हरितां मतङ्गजा-स्तैः किमद्य भवतैव भूभृता ॥१॥ સિદ્ધરાજ નરેશ ! આ ગજેરુદ્રને તું આગળ ચલાવ. દિશાએના હાથીઓ ભલે ત્રાસ પામી ચાલ્યા જાય. તેઓની હવે કંઈપણ જરૂર નથી, કારણ કે, ખરેખર આ પૃથ્વીને ધારણ કરનાર હવે તું જ છે.” Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સિદ્ધરાજ એ પ્રમાણે અતિ અદ્દભુત વાણી સાંભળી રાજા પિતાના હૃદથમાં ચક્તિ થઈ ગયો અને તેણે કહ્યું. પ્રલે ! હમેશાં આપને મારી પાસે પધારવું, એમ કહી રાજા ચાલતે થયે. - ત્યારબાદ આચાર્ય મહારાજ રાજાની પાસે જવા લાગ્યા. એક દિવસ મધ્યાહસમયે સૂરીશ્વર રાજા પાસે ગયા. અમૃત સમાન વચનથી રાજાને બહુ ખુશી કે. ધર્મજીજ્ઞાસા - ત્યાર બાદ સિદ્ધરાજને ઈચ્છા થઈ કે, સમ્યફ પ્રકારે શુદ્ધધર્મનું સ્વરૂપ મારે જાણવું જોઈએ, એમ જાણ તેણે દર્શનના વિદ્વાને બોલાવ્યા અને ધર્મનું સ્વરૂપ પૂછયું. સર્વ દર્શનકારે એક બીજાના દર્શનની નિંદા કરવા લાગ્યા અને પિતાના મતને અનુસરે પિતાના ધર્મની પ્રશંસા કરવા લાગ્યા. તિપિતાના ધર્મને સ્થા૫ન કરનાર દર્શનવાદિઓનાં વચન સાંભળી રાજા બહુ સંદેહમાં પડી ગયે. ક ધર્મ સત્ય અને કે અસત્ય એ સંશય દુર કરવા માટે પતિએ હેમચંદ્રસૂરિને પૂછયું. પ્ર ! સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા ઘર્મને જાણવાવાળા આપ છો અને આપને કેઈપર દ્વેષપણે નથી, માટે યથાસ્થિત ધર્મનું સ્વરૂપ મને જણાવે. જેથી હું તેનું આરાધન કરી કૃતાર્થ થાઉં, કારણ કે ધર્મ વિનાને મનુષ્યજન્મરૂપી વૃક્ષ વાંઝીએ કહેલ છે. આપ સરખા ગુરુ મહારાજ વિદ્યમાન છતાં પણ ધર્મને સંશય રહે છે તે ચિંતામણિરત્ન જેની પાસે રહેલ છે, એવા માણસને વીંટાઈ વળેલા દારિદ્રની માફક અતિ આશ્ચર્ય ગણાય. - ત્યાર પછી ચારે વિદ્યાઓના પારગામી આચાર્ય મહારાજ પુરાણોક્ત એક કથા રાજાની આગળ કહેવા લાગ્યા. જેના શ્રવણ માત્રથી સત્યધર્મનું સ્વરૂપ સમજાય. Page #81 -------------------------------------------------------------------------- ________________ -૩૪ કુમારપાળ ચરિત્ર શંખપુર નામે એક પ્રાચીન નગર હતું, જેના વૈભવને તે પાર જ ન હેતે. લંકા નગરીની માફક જે નગરી અનેક પુણ્યજન-ભાગ્યશાળી જનથી ભરપુર હતી. તેમાં શંખની માફક નિર્મલ આશયવાળે અને સત્યવાદી શંખનામે શ્રેષ્ઠી હતું, આશ્ચર્ય માત્ર એટલું જ હતું કે, તેનું હૃદય બહુ સરસ હતું. યશોમતી નામે તેની સ્ત્રી હતી. વળી તે પ્રેમરસનું એક પાત્ર હતી અને ઉ૯લાસ માન લાવણ્યરૂપી રસ વડે કામરૂપી વૃક્ષને હંમેશાં સિંચતી હતી. પિતાના સ્વામીની સેવામાં તત્પર રહેતી હતી, છતાં પણ કેઈક દેવને લીધે વિરક્ત થયેલા તેના પતિએ તેનો ત્યાગ કર્યો. અને ઉત્તમ રૂપવાળી બીજી સ્ત્રીને તે પરણે. ત્યાર પછી તે નવીન સ્ત્રીએ કામણ કરી પિતાને પતિ બહુ ચતુર હતો, છતાં પણ તેને દાસની માફક પોતાને સ્વાધીન કર્યો. નવીન સ્ત્રી ઉપર બહુ રાગી થયેલ તે શંખ શ્રેષ્ઠી જુની સ્ત્રીને દૃષ્ટિથી પણ દેખતે ન હતે. અથવા સર્વ લેકે એ સ્વભાવ જ હોય છે કે “નવીન નવીન વધુ પ્રિય લાગે છે.” હવે યશામતી પિતાના પતિના અપમાનને લીધે બહુ દુઃખ પામવા લાગી, તેમજ તેની સપત્ની-શેક તરફથી તેની ઉપર તિરકારની વૃષ્ટિ થવા લાગી. દાવાનલથી બળેલાની માફક યશોમતી હદયમાં અતિશય બળવા લાગી. જેથી તે વિચારવા લાગી. वर गेहत्यागो घरं गुरुविरागो भवसुखे, वर वेडग्रासो वरमभिनिवासो वनभुवि । वर कठे पाशो वरमखिलनाशो मृगदृशां, તુ ગ્રેચાન દષ્ટ થપિ સપત્નીવરાજતરી ૨ ||. Page #82 -------------------------------------------------------------------------- ________________ ધર્મ જીજ્ઞાસા ૩૫ “ઘરને ત્યાગ કરે, સંસારસુખને સર્વથા ત્યાગ કરે, વિષ ભક્ષણ કરવું, જંગલમાં નિવાસ કર, કંઠમાં પાશ નાખી પ્રાણત્યાગ કરે અને સર્વ સ્ત્રીઓને સર્વથા નાશ થે, એ સારું પણ શકયને વશ થયેલ પતિના તાબે રહી તેનું નિરીક્ષણ કરવું શ્રેષ્ઠ નથી.” એમ જાણી બહુ દુખી છુયેલી યશોમતી પિતાના પતિને વશ કરવા માટે અન્ન વસ્ત્રાદિકથી કલાઓમાં પ્રવીણ એવા ઘણા લોકોને સંતુષ્ટ કરી પૂછવા લાગી. ભાઈએ ! તમે વશીકરણની વિદ્યા જાણે છે? એમ પુછતાં પૂછતાં તેના ત્યાં ગૌ દેશમાંથી કઈ એક કલાવાન હોંશિયાર પુરુષ આવ્યો. વળી તે વશીકરણ વિદ્યામાં બહુ પ્રવીણ હતું, તે વાત થશેમતીના જાણવામાં આવી, તેથી તેણીએ તેની બહુ સેવા કરી. પછી યશોમતીએ પિતાને વિચાર તેને જણાવ્યું અને કહ્યું, બુદ્ધિમન! નાઘેલા બળદની માફક મારો પતિ મારે વશ થાય તે ઉપાય મને તું બતાવ ધૂર્ત બે , બાઈ! હું તને જે વસ્તુ આપું છું, તે તારા પતિને તું ભજનની અંદર ખવરાવી દેજે. જેથી તારું કાર્ય સિદ્ધ થશે, એમ કહી તે પૂર્વે યશેમતીના હાથમાં કંઈક ઔષધ આપીને પિતાના રસ્તે ચાલતે થે. - ત્યાર પછી યમતીએ ધૂતે આપેલું ચૂર્ણ પિતાના સ્વાધીન, રાખ્યું જ્યારે ક્ષયદિવસ-શ્રાદ્ધતિથિ આવી ત્યારે દુધપાક બના, તેની અંદર ચૂર્ણ નાખી પિતાના સ્વામીને જમાડ્યો. અને તે પરમાન જમવાથી તરત જ તે શંખ શ્રેણી બળદ થઈ ગયો. યશોમતી પણ જન્માંતર પામેલાની માફક તેને જોઈ બહુ ચક્તિ થઈ ગઈ અને વિચાર કરવા લાગી, નાઘેલા બળદની માફક મારા પતિને મેં વશ કરવાનું કહ્યું હતું, પણ તે દુષ્ટ ખરેખર તેને બળદ કરી મૂકે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કુમારપાળ ચરિત્ર તે કપટી પિશાચની માફક વાક છળથી ઠગાઈ કરી વિશ્વાસમાં ને વિશ્વાસમાં મને છેતરી ગયે, અરે! હવે શું કરવું? મારી ઈચ્છા તે પતિને વશ કરવાની હતી, છતાં હું પતિને પણ ગુમાવી બેઠી. લાભ મેળવવાના લેભથી મૂળ ધન પણ ચાલ્યું ગયું, “તે કહેવત સત્ય થયું.” જે વિચાર કર્યા વિના સરલ સ્વભાવથી કામ કરે છે, તે મનુષ્ય મારી માફક પશ્ચાત્તાપ રૂપી અગ્નિથી હંમેશાં બળી મરે છે.” તે વાત તેની શક્યને જાણવામાં આવી, તેથી તેણીએ થશેમતીને કહ્યું, રે દુષ્ટ ! આ તે શું કર્યું? જેથી મારા પ્રાણપ્રિય પતિને તે બળદ કરી નાખે. રે દુર્બ ધે! તેં જે કામ કર્યું, તે કઈ પિશાચી અથવા કઈ ભૂતડી પણ કેઈ સમયે ન કરી શકે. પ્રથમ સમયમાં પણ સ્ત્રીએ કામણું હુમણ વિગેરે વશીકરણ ક્રિયાઓ કરતી હતી, પણ તારી માફક કેઈએ પિતાના પતિને પિઠીએ. બનાવ્યો નહતે. વળી કોઈ અન્ય માણસની પણ આવી વિડંબના કરવાથી મહા પાપ થાય છે, તે જેનું સર્વરવ ભેગવવામાં આવે છે, તે પિતાના પતિનું તે કહેવું જ શું? એ પ્રમાણે પિતાની શોયે ધિક્કારેલી યશોમતી પિતાના સ્વામીને મનુષ્ય બનાવવાને ઉપાય નહી જાણવાથી બહુ દુખી થઈ અનેક પ્રકારના સંતાપ કરવા લાગી. બાદ તે પોતાના ધણીને દેરડાથી બાંધી નગરની બહાર બેચર ભૂમિમાં ચરવા લઈ જાય છે, ત્યાં સુકોમળ દુર્વા વિગેરેને ચારે હંમેશાં પિતાની દેખરેખ નીચે ચરાવે છે. એક દિવસ પામતી પિઠીઆને લઈ જંગલમાં ગઈ. બહુ તાપને લીધે ગ્રીષ્મને સમય ભયંકર દેખાતે હતે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ધર્મજીજ્ઞાસા ૩૭ મધ્યાહુકાળને સૂર્ય બહુ તપવા લાગે. અસહા તાપને લીધે તે બીચારી બળદને લઈ એક ઝાડને નીચે ગઈ. ત્યાં તેની નીચે લીલું ઘાસ ઉગેલું હતું. બળદ ચરવા લાગ્યા. યશોમતી વારંવાર સ્મરણ કરવા લાગી, અરે! મારા જેવી દુભગિનું સ્ત્રી કેશુ હોય? પિતાના પતિની આવી દુરવસ્થા કરી. આથી કુકર્મ બીજું શું? એમ વિચાર કરતી તે દુખ સાગરમાં ડુબેલાની માફક દીન સ્વરથી અત્યંત વિલાપ કરવા લાગી. તેવામાં દેવગે વિમાનમાં બેસી શંકર અને પાર્વતી બંને આકાશમાગે ઝડપથી ચાલ્યાં જતાં હતાં. યશોમતીના વિલાપ તેમના સાંભળવામાં આવ્યા. પાર્વતીને તે ઉપર દયા આવી. જેથી તેણીએ શંકરને પૂછ્યું, આ સ્ત્રી જંગલમાં શામાટે રૂદન કરે છે ? શંકરે તેણીના દુઃખનું સ્વરૂપ યથાસ્થિત પાર્વતીને કહી સંભળાવ્યું. પછી શંકરે પાર્વતીને કહ્યું, જે તારી જાતિની સ્ત્રીઓ કેવી હોય છે ? બહુ ખેદની વાત છે કે, જે સ્ત્રી પિતાના વંશમાં રહેલા મનુષ્યને પણ બળદ બનાવે છે, એમ કહી પાર્વતીને બહુ હસાવી. તે બળદનું વૃત્તાન્ત સાંભળી પાર્વતીને બહુ અચંબે થયે અને લજજા પણ આવી, પછી પાર્વતીએ પિતાના પતિને પૂછ્યું, હે સ્વામિ! પુનઃ એને મનુષ્ય કરવાનું કંઈ પણ ઔષધ છે કે નહી ? તે મને કૃપા કરી કહે. એમ પાર્વતીને બહુ આગ્રહને લીધે શંકરે કહ્યું, હે પ્રિયે ! આ વૃક્ષની જ નીચે ઔષધિ ઉગેલી છે, જેના ખાવાથી તરત જ મનુષ્યપણું પ્રાપ્ત થાય છે. એમાં કઈપણ પ્રકારને સંદેહ નથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર તે વાત ત્યાં ઉભેલી યશોમતીના સાંભળવામાં આવી કે તરત જ તે વૃક્ષના મૂળમાં રહેલું દુર્વા કુરાદિ સઘળું ઘાસ કાપી કાપીને બળદને ખવરાવવા લાગી. જે કે યશોમતી માનવભવદાયક ઔષધિને ઓળખતી નહતી, પરંતુ તે ઔષધિ ઘાસની અંદર ખાવાથી એકદમ વૈકિયરૂપ ધારી દેવની માફક તે બળદ મનુષ્ય થઈ ગયે. તે જોઈ સ્ત્રી બહુ ખુશી થઈ, એટલે શંખે તેને પૂછયું, કે અહીંયાં આપણે આવવાનું શું કારણ? પછી તે સ્ત્રીએ પોતાનું કુકર્મ પોતાના પતિ આગળ નિવેદન કરી વારંવાર ક્ષમા માગી એમ વાત કહ્યા બાદ હેમચંદ્રસૂરિએ કહ્યું કે, હે રાજન ! દર્માદિકના અંકુરાઓથી જેમ દીવ્ય ઔષધિ આચ્છાદિત થઈ ગઈ, તેમ આ યુગમાં સત્ય ધર્મ અન્ય ધર્મોથી તિરહિત થયેલ છે. પરંતુ સમગ્ર ધનું સેવન કરવાથી દભોદિક ઘાસની અંદર રહેલી દિવ્ય ઔષધિની માફક કઈક સમયે કઈક માણસને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. માટે હે નૃપ ! સમસ્ત ધર્મનું બહુ આદર પૂર્વક તું આરાધન કર. જેથી બન્ને પ્રકારની સિદ્ધિ તને તત્કાલ પ્રાપ્ત થશે. એ પ્રમાણે સર્વ ધર્મને અનુકૂલ એવી સૂરીશ્વરની વાણી સાંભળી સર્વ સભ્ય જેને બહુ પ્રસન્ન થયા, તે સિદ્ધરાજ ભૂપતિની વાત જ શી કરવી. પછી સિદ્ધરાજે હેમચંદ્રસૂરિને પૂછયું. ગુરુ મહારાજ ! ત્રણે લોકોને સંમત અને સર્વ સામાન્ય ધર્મ કર્યો હશે ? તે આપ કૃપા કરી કહો. દયાધામ આચાર્ય મહારાજ બોલ્યા. હે નરેદ્ર ! સર્વ પ્રાણીઓને હિતકર અને કુકર્મોને પ્રતિકુલ એવો મુખ્ય ધર્મ દયા મૂળ ગણવામાં આવ્યું છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ દયા ધર્મ ૩૯ કારણ કે મેઘવિના વૃષ્ટિ, બીજ વિના અંકુરો અને સૂર્ય વિના દિવસ હોઈ શકે જ નહિ, તેમ દયા વિના ધર્મ હેત નથી. વળી તે દયા ધર્મ માણિકય રત્નથી જેમ આભૂષણ તેમ ઉપકાર વડે સિદ્ધ થાય છે. જેમની અંદર દયા ધર્મ હંમેશાં તરૂણાવસ્થા ભેગવે છે. માટે વિદ્વાન પુરુષેએ નિરંતર પરે પકાર કરવામાં પ્રયત્ન કરે. કારણ કે પદ્મની અંદર જેમ લહમી તેમ ઉપકાર વ્રતમાં પુણ્ય તત્વ રહે છે. અન્ય ધર્મમાં સર્વ દર્શનિઓ પરસ્પર વિવાદ કરે છે, પરંતુ સર્વ સંમત ઉપકાર વ્રતમાં કઈ પણ વિવાદ કરતા નથી. રાજન ! પ્રથમકાલમાં અભયંકર ચક્રવતી ઉપકાર કરવાથી અપાર લક્ષમીના અધિપતિ છે, તે વૃત્તાંત યથાર્થ પણે તું સાંભળ. અભયંકર ચકવતી પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી નામે વિજય છે. તેમાં ઇંદ્રપુરી સમાન લક્ષમીને ધારણ કરતી પુંડરીકિણ નામે નગરી છે. જેની અંદર રાજમહેલની ભીતમાં જડેલાં માણિકય રત્નની દીવ્યકાંતિ વડે દિવાઓની શ્રેણી ઝાંખી દેખાય છે. તે નગરીમાં પ્રજાના હિતમાં જ પ્રવૃત્તિ કરનાર ક્ષેમકર નામે રાજા રાજ્ય કરતે હતો. જે રાજા સંગ્રામમાં બહુ કુશલ હોવાથી વીરપુરૂષોમાં મુકુટ સમાન ગણાતા હતા. માનું છું કે બ્રહ્માએ વડવાનલ વડે જેના પ્રતાપની રચના કરી હશે, અન્યથા અતિશય ક્ષારમય શત્રુની સ્ત્રીઓનાં અથપાન કરી તે કેવી રીતે વૃદ્ધિ પામે. હંમેશાં બહુ આભૂષણેથી વિરાજમાન અમરસેનાની જેમ પ્રશસ્ત પ્રેમવાળી અમરસેના નામે તેની સ્ત્રી હતી. તેણીના અંગોપાંગમાં ધારણ કરેલાં ભવ્ય આભૂષણની શોભાને લીધે બંને સ્ત્રી પુરૂષના હૃદયમાં કામદેવને નિવાસ રહેતો હતે. સંપૂર્ણ સુખમાં તેમના દિવસે વ્યતીત થતા હતા. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કુમારપાળ ચરિત્ર એમ કરતાં કેટલેક સમય ગયેા. એક દિવસ અમરસેના રાણી પેાતાના શયનસ્થાનમાં સુઈ રહી હતી, ત્યારે તેણીએ સ્વપ્નાવસ્થામાં દેવને પણ દુર્લભ એવાં ચૌદ સ્વપ્ન જોયાં. સિંહ, હાથી, વૃષભ, લક્ષ્મી, ચંદ્ર, સૂર્ય, પુષ્પમાલા, ધ્વજ, સમુદ્ર, સરાવર, વિમાન, રત્નના ઢગલા, પૂર્ણ કલશ અને અગ્નિ એમ ચૌઢ સ્વપ્ન જોઇ તે જાગ્રત થઈ અને તરત જ ત્યાંથી નિકળીને પેાતાના સ્વામી પાસે ગઈ. વિનયપૂર્વક ભવ્ય સ્વપ્નાનુ વૃત્તાંત નિવેદ્યન કર્યું.. ત્યાર પછી બહુ બુદ્ધિશાળી તે અમરસેનાએ પેાતાના સ્વામીને પૂછ્યું. પ્રાણપ્રિય ! આ ચૌદ સ્વપ્નથી આપણુને શું ફલ થશે? રાજાએ વિચાર કર્યાં અને તે સમયે કે આ સ્વપ્ના અતિ ઉત્તમ ફલ આપનાર છે. એમ જાણી તે ખેલ્યા, સુભગે ! આ સ્વપ્નાના પ્રભાવથી ચક્રવતી પુત્ર તને થશે. આપનું વચન સત્ય થાએ, એમ કહી અમરસેના પેાતાના પતિનાં વચન અનુમાઢવા લાગી. ♦ ત્યાર પછી રત્નભૂમિ ઉત્તમ નિધિને જેમ તેણીએ ગભ ધારણ કર્યાં. જે જે દાહલાએ ઉત્પન્ન થયા તે સર્વે ભૂપતિએ પૂર્ણ કર્યાં. ગભ સમય પૂર્ણ થવાથી પૂ દિશા તેજસ્વી સૂર્યંને પ્રગટ કરે, તેમ અમરસેના પુત્રને પ્રગટ કર્યાં. તેના પિતાએ જન્માત્સવ કર્યાં, તેમાં શી નવાઇ ? કારણ કે તેના જન્મથી પ્રસન્ન થયેલા નગરના લેાકેાએ પણ મેટા ઉત્સવે કર્યાં. આ પુત્ર સલેાકોને અભય કરનાર થશે. એમ જાણી રાજાએ તેનું નામ અભયંકર પાડયું. પ્રાથમિક ખેત્તુને દૂર કરવા માટે દયા દાક્ષિણ્યાદિક સર્વ ગુણા વસંતઋતુમાં જેમ વૃક્ષે તેમ અભયકરમાં વાસ કરી રહ્યા અને બહુ જ આનઢ પામવા લાગ્યા. સવ કલાઓને ધારણ કરતા અને કુવલય-રાત્રીવિકાસી કમલ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૪૧ દીવ્યપુરૂપ સમૂહeભૂમંડલને આનંદ આપતા પૂર્ણ ચંદ્રની જેમ અભયંકર કુમાર મનહર યુવાવસ્થાને દીપાવવા લાગે. દેવાંગનાઓને વિમોહિત કરનાર અને અદ્દભુત કાંતિમય તેનું તારૂણ્ય જોઈ કેઈપણ એવી સ્ત્રી હતી કે, તેને વરવા માટે પિતાના મનમાં ઈચ્છા ન કરે? દીવ્યપુરુષ એક દિવસ તે રાજકુમાર પિતાના ઘરમાં સૂતે હતે. રાત્રીના અને એ જલાશયની પાર રહેલા વનમાં પિતાને જોઈ આ શું ? એમ કહી તે એકદમ બ્રાંત થઈ મનમાં સંકલ્પ કરતે હતે. તેવામાં ત્યાં દિવ્ય મૂર્તિ ધારી કેઈપણ પુરુષ તેને મળ્યો અને તે સ્પષ્ટ રીતે કહેવા લાગ્યા કે, હે કુમાર ! તું બીલકુલ ગભરાઈશ નહીં, હું પોતે જ તને અહીં લાવ્યો છું, તેનું કારણ ક્ષણમાત્ર પછી તરત જ તારા જાણવામાં આવશે. તે સાંભળી કુમાર બહુ ખુશી થયો અને કંઈક બેલવાનો વિચાર કરે છે, તેટલામાં તે દીવ્યપુરૂષ વિજળીની માફક અંતર્ધાન થઈ ગયે. તેટલામાં સન્માર્ગને બતાવનાર ભૂપતિની માફક સૂર્ય ઉદય થયે. સર્વ પ્રકારની અનીતિની માફક રાત્રીને ક્ષય થયું. તે સમયે સમગ્ર અંધકાર સૂર્યના ભયથી જેમ એકઠું થઈને ઘુવડના નેત્રામાં પિશી ગયું. અન્યથા તેનું અંધપણું કયાંથી હોય? દિન-દિવસ=કિવા ભાગ્યને ઉદય થવાથી હું પિતે ચાલીને સુત્ર સંકુચિત કિવા નિરૂઘમીને આશ્રય કરું છું, એમ વિજ્ઞ પુરૂષને જણાવતી હોય તેમ લક્ષમી શેભા કિંવા લક્ષમીદેવીએ કમલ વનને આશ્રય લીધે. દેશાંતરથી આવેલા પિતાના સ્વામીની માફક સૂર્યને જોવા માટે પશ્વિનીએ આનંદથી પત્રરૂપી નેત્રનો વિકાસ કર્યો. પ્રભાતનો સમય બહુ રમણીય જોઈ તે કુમાર વનની અંદર ફરવા લાગ્યા. સર્વ ઋતુઓથી સુશોભિત તે વનમાં વસંતની શોધમાં ફરતે કામદેવ હોય ને શું ? તેમ તે દીપતે હતે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કુમારપાળ ચરિત્ર નંદન વનની માફક તે વનની શોભા જોઈ કુમારની દષ્ટિ રિથર થઈ ગઈ અને પિતાના મનની માફક સ્વચ્છ માનસ નામે એક સરેવર તેને જોવામાં આવ્યું. તેની ઉજવલતા એટલી હતી કે, જે હંમેશા જલની અધિષ્ઠાત્રી દેવીઓને રત્નના રિસાનું કામ કરતું હતું. વળી જે સરોવર અમૃતમય અને તાપને શાંત કરવાના સ્વભાવથી રાહુના ભયને લીધે ત્રાસ પામી ત્યાં આવી રહેલ જાણે ચંદ્ર હેય તેમ દેખાતું હતું. કુમાર તેના કિનારે ગયા અને ખાન કરવા લાયક સુંદર પાણી જોઈ તેણે સ્નાન કર્યું. પછી તે વનની અંદર પુન: ફરવા લાગ્યા. આગળ જતાં એકાંત જગાએ એક મહર મઠ તેના જેવામાં આવ્યું. તેના દ્વાર આગળ જઈ તપાસ કરવા લાગ્યા. તેના અંદરના ભાગમાં પદ્માસનવાળી બેઠેલે કાંતવડે સૂર્ય સમાન અંતરાત્માનું ધ્યાન કરતે હેય, તેમ અને મચેલી, એકલે છતાં પણ શરીરના તેજવડે જાણે સભાના મધ્યપ્રદેશમાં રહેલે હેય અને, સાક્ષાત્ યેગની મૂર્તિ સમાન ધ્યાનમાં કુશલ એવા એક ગીદ્રને જોઈ અભયંકર કુમાર તરત જ તેની પાસે ગયો અને બહુ ભક્તિપૂર્વક થેગીને નમે. યેગી ધ્યાનથી મુક્ત થઈ પ્રસન્ન દષ્ટિએ કુમારને આશીર્વાદ આપે. પછી બંને જણે પરસ્પર કુશલવાર્તા પૂછી. એક બીજાની હકીક્ત પૂછતાં બે વખત વ્યતીત કર્યો. કારણ કે સજજનોને સમાગમ સુખકારક હોય છે એટલું જ નહીં પણ વાર્તા કરવાને ટાઈમ પણ પુરે મળતું નથી. ત્યારબાદ યોગીએ કહ્યું, હે કુમાર તારા હિતના માટે જ હું તને અહીં લાવે છે, તે બાબત આગળ ઉપર હું તને જણાવીશ, એમ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૪૩ દીવ્યપુરૂષ કહી ચેાગીએ ધ્યાન કરી દીવ્ય રસાઇ પ્રગટ કરી કુમારની આગળ મૂકી અને ભેાજન માટે તેણે પ્રાથના કરી. કુમાર હાથ જોડી ખેલ્યે!, ચેાગી'દ્ર ! આપના દશનરૂપી અમૃતરસથી હું કંઠ સુધી ધરાઈ ગયા છું, હવે મને ખીલકુલ ભાજનની રૂચી નથી. આ રસાઇ જમવાથી થાડા વખતની તૃપ્તિ થાય, પરંતુ આપના વચનામૃતના પાનથી મને જીવન પર્યંતની તૃપ્તિ થઈ છે. એ પ્રમાણે ખેલતા કુમારને બહુ યુક્તિએથી યાગીએ જમવાની હા પડાવી. પછી ખંને જણ સાથે બેસી જમ્યા, મુખ પ્રક્ષાનલના સમય થયેા એટલે આકાશમાંથી જળ ભરેલી ઝારીએ . આવી, મુખ ધાઇ તૈયાર થયા. ચેાગીએ હુંકાર કર્યાં, કે તરત જ ભેાજનાદિક સવ સામગ્રી ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. પછી કપૂર વિગેરેથી સુંદર બનાવેલું' પાન બીડુ કુમારને આપ્યું. ચિંતામણિ સમાન પેાતાના પ્રભાવથી કઈ વસ્તુની અપૂર્ણ તા જોવામાં આવતી નહાતી, પછી કુમારને ખુશી કરવા માટે તે ચેાગીએ અપ્સરાએના વૃદ ત્યાં ખેલાવ્યા અને તેમની પાસે બહુ સુંદર હાવભાવ સાથે નાટ્ય કાળ્યુ. જેની અંદર અનેક પ્રકારનાં દીવ્ય વાજીંત્રા વાગતાં હતાં, ગીતરૂપી અમૃતનાં ઝાં વહેતાં હતાં. અહા ! યાગના પ્રભાવ અચિંત્ય હાય છે. દેવની માફક આ ચેગીના અદ્દભુત ચમત્કાર જોઇ રાજકુમાર મનમાં વિચાર કરવા લાગ્યા, અહે। ! આ ચેાગી બહુ પ્રભાવશાળી છે. સાક્ષાત્ એકત્ર થયેલી સિદ્ધિઓની માફક એની સ્મૃતિ ચગચગે છે. એ પ્રમાણે કૌતુકથી પ્રમુદ્રિત થયેલ તે કુમારને તે દિવસ ક્ષણની માફક ચાલ્યા ગયા એમાં કાંઈ આશ્ચય નથી, કારણ કું સજ્જ Page #91 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર નને સમાગમ હંમેશાં સુખમય હોય છે... અને તે ક્ષણમાત્રમાં વ્યતીત થાય છે. એ પ્રમાણે કુમાર વિચાર કરતો હતે, તેટલામાં અપાર આકાશ રૂપી અરણ્યમાં ભ્રમણ કરવાના જેમ શ્રમને લીધે સૂર્યદેવે પશ્ચિમ સમુદ્રમાં નાન માટે કંપાપાત કર્યો. તે સમયે પૃથ્વીરૂપ આંગણામાં બહુ તેજને વિસ્તારી તેનું આકર્ષણ કરતા સૂર્યની પાછળ રહેલા તેના અંશ જેમ દિવાઓ દીપવા લાગ્યા. વળી હું માનું છું કે, અંધકારરૂપ કાદવમાં ખેંચી ગયેલ ગેમંડલ–ગાનું મંડલ કાંતિમંડલને ઉદ્ધાર કરવામાં માટે જેમ વિષ્ણુભગવાન તેમ પીઢ તેજવી ચંદ્ર પ્રગટ થયે. ચંદનના રસ વડે સિંચાયેલું, કપૂરના પરાગ વડે પૂરાયેલું અને ઉછળતા ક્ષીર સાગરના તરંગે વડે છવાયેલું હોય ને શું તેમ તે ચંદ્રના કિરણે વડે સર્વ જગત્ વ્યાપ્ત થઈ ગયું. પછી ભેગીએ અભયંકર કુમારને કહ્યું. ભાઈ ! મારી પાસે સેંકડેથી પણ વધારે બહુ ચમકારી વિદ્યાઓ છે. તેઓને યોગ્ય સ્થામાં નિગ કર્યો છે. પરંતુ હજુ પણ ખડગસિદ્ધિ કરનારી એક વિદ્યા મારી પાસે રહેલી છે, તેના પ્રભાવથી મનુષ્ય દેવોને પણ અજય થાય છે. વળી યોગ્ય પાત્ર નહીં મળવાથી તે વિદ્યા કેઈપણ સ્થાને મેં આપી નથી. કારણ કે “અગ્યને વિદ્યા આપવાથી વિદ્યાવાન પુરુષ તેને ઘાતકી બને છે.” આવી ઉત્તમ વિદ્યાને લાયક મને કોઈ માણસ મળે નહીં અને મારું આયુષ્ય હવે થોડું રહ્યું છે, એમ હું ચિંતા કરતા હતા, તેવામાં તે વિશે જ પોતે મારી પાસે આવી મને કહેવા લાગી, વત્સ ! તું ચિંતા કરીશ નહિ, પ્રભાત કાળમાં કોઈપણ ઉત્તમ પુરુષ હું તને લાવી આપીશ, તેને મારું દાન કરી તું સુખી થા. Page #92 -------------------------------------------------------------------------- ________________ ક્ષેમંકરરાજા ४५ એમ કહી તે દેવીએ કેઈક વ્યંતરને મોકલી તને અહીં લવરાવ્યું છે. માટે આ વિદ્યાને તું ગ્રહણ કરી મારી ચિતાને દૂર કર. “સુપાત્રને વિદ્યા આપવાથી ગુરુને પણ મહિમા બહુ વૃદ્ધિ પામે છે. _ જેમ સારા ક્ષેત્રમાં વાવેલું બીજ તેના સ્વામીને બહુ લાભદાયક નિવડે છે. વળી છીપના વેગથી જલ જેમ મુકતાપણું પામે છે, તેમ વિદ્યા પણ સત્પાત્રના વેગથી અધિક મહિમાવાળી થાય છે. વળી આ વિદ્યા તારા ગુણામાં લુબ્ધ થયેલી જેમ કન્યા તેમ તારી ઉપર બહુ ખુશી થયેલી છે. આ વિદ્યાદાનમાં હું તે નિમિત્ત માત્ર છું. માટે આ વિદ્યા તારે લેવી જ પડશે. એ પ્રમાણે ભેગીનું વચન સાંભળી કુમાર છે. યોગીંદ્ર ! આપના દર્શનથી જ સર્વ સિદ્ધિઓ મને મળી ચૂકી છે, એક આ ખડગસિદ્ધિનું મારે શું પ્રજન છે? આ લેકનું સુખ આપનાર ચિંતામણિ વિગેરેનું દર્શન તે સુખેથી થઈ શકે છે, પરંતુ બંને લેકનું સુખ આપનાર સંતપુરુષનું દર્શન બહુ દુર્લભ હોય છે. વળી સપુરુષને સમાગમ પૂર્વજન્મનાં અનેક પાપને દૂર કરે છે. પુણ્યને વિસ્તારે છે. સદ્દબુદ્ધિને પ્રગટ કરે છે. નવીન નવીન કલાઓને પલ્લવિત કરે છે. અજ્ઞાનરૂપી અંધકારને ક્ષય કરે છે, અને પર બ્રહ્મનું સુખ આપે છે, અધિક શું કહેવું? કલ્પવૃક્ષની જેમ દરેક વાંછિત પૂર્ણ કરે છે. એમ બોલતા કુમારને જે કે વિદ્યા લેવાની ઈચ્છા નહતી, છતાં ગીએ બહુ આગ્રહથી તેને વિદ્યા આપી અને તે વિદ્યાનું આરાધન પણ આઘંત યથાસ્થિત કહ્યું. Page #93 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર અહો ! આ દુનિયામાં મનુષ્યને અખંડિત એક ભાગ્યે જ ખરેખર ઈચ્છિત વસ્તુ આપી શકે છે.” જે ભાગ્યથી દુર્લભ એવું પણ વસ્તુ હસ્ત ગોચર થાય છે. ચગીની પાસમાં રહેલા કુમારને તત્કાલ વિદ્યાસિદ્ધ થવાથી બહુ આનંદ થયે. પછી ગીએ તરત જ તેને વ્યંતરે પાસે પિતાના સ્થાનમાં પહોંચાડી દીધે. ક્ષેમકરરાજા ત્યારબાદ તેના પિતા ક્ષેમકર રાજાએ પણ પોતાના પુત્રને આવેલો જોઈ નવીન જમેલાની માફક જાણ મોટો ઉત્સવ કરાવ્યું. અને તે બોલ્યો, હે પુત્ર! આ રાજ્યને અધિકાર હવે તને સેંપવામાં આવે છે. કારણ કે કુલમાં ધુરંધર પુત્ર થયે છતે આપણુ વંશને ગૃહસ્થાશ્રમમાં રહેવું તે ઉચિત ગણાતું નથી, અર્થાત વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરવી લાયક છે. એ પ્રમાણે પિતાનું વચન સાંભળી અમૃતમય વાણીવડે ભક્તિરૂપ વેલીને પલ્લવિત કરતો હોય તેમ વિનયગુણથી નમ્ર બનેલે અભયંકર કુમાર પોતાના પિતાને પ્રાર્થના પૂર્વક કહેવા લાગે. પ્રભો ! બંને પ્રકારે નરકાંત-નરકદાયક આ રાજ્યથી મને શો ફાયદો છે ! સુરકતસ્વર્ગ સુખ આપનાર આપની ભક્તિરૂપ સમૃદ્ધિ મને મળે તે હું બહુ આનંદ માનું. આપના ચરણકમલમાં સત્યાસત્યની પરીક્ષામાં હેતુભૂત રાજહંસપણું મને ગમે છે, પણ કલંક દાયક રાજ્ય પદવી મને રૂચતી નથી. એ પ્રમાણે રાજ્યની ઈચ્છા ન હોવા છતાં પણ અભયંકરને રાજ્યાભિષેક કરી ક્ષેમકર રાજાએ પોતે કલ્યાણકારી દીક્ષા ગ્રહણ કરી, હવે સજજન રૂપી ચક્રવાકને આનંદ આપનાર અભયંકર રૂપી સૂર્ય ઉદય થવાથી એકદમ મિત્રવર્ગ પદ્યની માફક પ્રફુલ્લ થવા લાગે અને શત્રુઓ કુમુદની માફક મીચવા લાગ્યા. Page #94 -------------------------------------------------------------------------- ________________ નૃસિંહરાત ૪૭ વળી તે રાજા હંમેશાં નીતિની રીતમાં તત્પર હતે છતાં પણ સર્વ પ્રજા વર્ગ અનીતિ-અન્યાયમય જ હતે આશ્ચર્યું હતું, એમ નહીં પણ અનીતિ સર્વ ઉપદ્રવ રહિત હતા, એમ આનંદથી અભયંકર રાજા રાજ્ય ચલાવતે હતો. નૃસિંહરાજા એક દિવસ અભયંકર રાજા સભામાં બેઠે હતું, ત્યારે પુગ્ધપુર નગરને સવામી નૃસિંહ રાજા ત્યાં આવ્યું અને રાજાને નમસ્કાર કરી છે , હે પ્રભે ! દાવાનળથી બળેલા વૃક્ષને જેમ વષકાલ પ્રફુલ કરે છે. તેમ શત્રુઓથી ભ્રષ્ટ થયેલા રાજાઓના ઉદ્ધાર કરનાર આપે છે. વળી હે રાજન ! નીચે પડતા હાથીઓને ખરે આધાર જેમ પૃથ્વી છે, તેમ પદભ્રષ્ટ થયેલા રાજાઓના આધાર ભૂત આપે છે. મારે આપને વિનતિ કરવાની એ છે કે, તગરા નામે એક નગરી છે, તેમાં ઘનવાહન રાજા રાજ્ય કરે છે. તે વિના કારણે મારે દ્વેષી બન્યા છે. અને હાલમાં તેણે મને પદભ્રષ્ટ કરી મારૂં રાજ્ય પિતાને તાબે કર્યું છે. આ અન્યાય એના વિના બીજો કેણ કરે ? ક્ષણમંડલ થવાથી ચંદ્ર જેમ સૂર્યને પ્રાપ્ત થાય છે, તેમ ક્ષીણબળ થવાથી હું આપને મિત્ર જાણે મારા ઉદ્ધારની ઈચછા માટે આપના શરણમાં આવ્યું છું. માટે ખગસિદ્ધિ વિગેરે સહાય આપી મને તેજસ્વી કરે, જેથી હું બલિઝ થઈ શત્રુને સંહાર કરી પિતાની રાજ્ય લક્ષમી સ્વાધીન કરૂં. અભયંકર રાજાએ તરત જ તેનું વચન માન્ય કર્યું અને તેના ઉતારા માટે અધિકારીને આજ્ઞા કરી એટલે તે ત્યાંથી વિદાય થયે. - પછી સુમતિ નામે તેના મંત્રીએ રાજાને પ્રાર્થનાપૂર્વક કહ્યું કે, હે દેવ ! આપની ઉદારતા તે સીમા વિનાની દેખાય છે, Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કુમારપાળ ચરિત્ર કારણકે બળ માત્રની ઈચ્છાવાળા આ રાજાને ખગસિદ્ધિ આપવા માટે આપે કબુલ કર્યું. કેઈપણ બુદ્ધિમાન પુરુષ એ ન હોય, કે માત્ર એક રાત્રી રહેવાની ઈચ્છાવાળાને ઘરનું દાન કરે. અથવા ફળ માગનારને બગીચે અર્પણ કરે અને દુધ માગનારને ગાયનું દાન કરે !!! વિશ્વને જય કરનારી આવી ખડગવિદ્યાને ક્ષણ માત્રમાં કેણ આપે? કારણ કે સ્વર્ણસિદ્ધિની માફક સદ્વિદ્યા તે સજજનેને પણ દુર્લભ છે. તે સાંભળી અભયંકર રાજા બોલ્યા, મંત્રિન ! તારું કહેવું સત્ય છે, પરંતુ તેણે તે જ વિદ્યા મારી પાસેથી માગી છે, હવે મારે શું કરવું ? વિદ્યા પણ સત્પાત્રને આપવામાં આવે તે તે સ્થિર થાય છે અને તે પિતાની પાસે રહેવાથી ટકી શકતી નથી. દૃષ્ટાંત તરીકે, શંકરને અર્પણ કરેલી ચંદ્રની કળા હંમેશાં સ્થિર હોય છે અને તેની પાસમાં રહેલી કલાઓમાં વારંવાર અસ્થિરતાં ખુલ્લી રીતે દેખવામાં આવે છે. વળી બહુ કલેશથી મેળવેલી કલા અને લક્ષ્મી બને પણ જે લાંબા વખત બીજાઓને ઉપયોગમાં ન આવે તે તે વૃથા છે. એમ સુમતિ મંત્રીને સારી રીતે સમજાવ્યા બાદ રાજાએ બલ-રીન્ય સહિત ખડગસિદ્ધિ આપી નૃસિંહરાજાને શત્રુ તરફ લડાઈ માટે મોકલ્યો. નૃસિંહરાજાએ પણ વિદ્યાના બળથી બહુ શૂરવીર બની ઘનવાહન રાજાને છતી વિના પ્રયાસે શત્રુના રાજ્ય સાથે પોતાનું રાજ્ય લઈ લીધું. પછી નૃસિંહ રાજા ફરીથી નિષ્ક ટક રાજ્ય સુખ ભેગવવા લાગે. “જળમાં રહેલી ઉણુતાની માફક સજજનેની દુર્દશા ક્ષણ માત્ર હોય છે.” Page #96 -------------------------------------------------------------------------- ________________ વનવાહન રાજા ૪૯ ૨૨ — હવે શત્રુના હિતમાં પિતાનું સર્વસ્વ જવાથી ઘનવાહન રાજા શાખાથી ભ્રષ્ટ થયેલા વાનરની માફક હૃદયમાં અતિશય પીડા પામતે વિચાર કરવા લાગે, અહે! હું સ્વપ્નમાં પણ જાણતું નહતું કે, આ નૃસિંહરાજા પરાક્રમી બની મારી રાય લક્ષમી લઈ લેશે, અથવા આ બાબતમાં એને કઈ પણ દોષ નથી, કારણ કે એને તે પિતાની સિદ્ધિ માટે ઉપાય કરે જોઈએ, પરંતુ દેષ માત્ર મારે જ્યારે મેં એનું પ્રથમ રાજ્ય લીધું, ત્યારે તે ઉદ્ધત બની મારા સામે થયે, નહીં તો એને આ કાર્ય કરવાની જરૂર પડત નહીં, ખરેખર અસંતોષ એ નાશરૂપ વૃક્ષનું મોટું મૂળ છે, કારણ કે પરરાજ્ય ભોગવવાની ઈચ્છાથી પિતાનું રાજ્ય પણ હું ગુમાવી બેઠે. વળી વિવેકી પુરૂએ પોતે મેળવેલી લમીથી તૃપ્ત થવું જોઈએ, અન્યની લક્ષમી ઉપર તૃષ્ણ રાખવી નહીં, પારકી સંપત્તિની પૃહા રાખનાર લોભી માણસ મારી માફક પિતાની સંપત્તિથી પણ વિમુખ થાય છે. હવે હું શું કરું? કયાં જાઉં? કેનું સ્મરણ કરૂં? અને કેને આશ્રય લે ? હાથમાંથી ગયેલા રત્નની માફક ફરીથી મારું સ્થાન મને કયાંથી મળે? એમ વિચાર કરતાં તેણે જાણ્યું કે જેની સહાયથી આ નૃસિંહરાજાએ મને જ છે, તે જ અભયંકર રાજાની પાસે હું પણ જાઉં, ઘનવાહનરાજા એમ ધારી ઘનવાહન રાજા પુંડરીકિશું નગરીમાં ગયો અને અભયંકર રાજાને પ્રણામ કરી તે બોલ્ય. શેષનાગ, કૂર્મ વિગેરે પૃથ્વીને ધારણ કરે છે એમ રૂઢિ માત્રથી કહેવાય છે, પરંતુ આ પૃથ્વીના ખરા ઉદ્ધારક અને ઉપકારી તો આપ એક જ છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કુમારપાળ ચન્દ્રિ આ દુનિયામાં વડવાનલ સરખા કેવલ ઉંદરભરિ કેણુ નથી !, પણ મેઘની માફક પોપકારની બુદ્ધિવાળા તે કઈક જ હોય છે. વળી જે દીન બની બીજાની યાચના કરે અને જે શક્તિમાન છતાં અન્યનું રક્ષણ કરતું નથી, તેવા પુરૂષને જનનીઓ ઉત્પન્ન કરે ન જોઈએ. કારણ કે તેવાઓને જન્મ આપવાથી પિતાનું યૌવન વૃથા ગુમાવે છે. હે દેવ! મારી વિનંતિ એ છે કે, આપની સહાય મેળવી નસિંહરાજા બહુ બળવાન થયે, મને જીતીને મારું સર્વસ્વ પિતાને તાબે કરી તેણે દૈગંબરી દીક્ષામાં મને લાવી મૂકે છે. ભૂપતે ! મને આવે ત્રાસ આપે, તે આપને ઉચિત નથી, કારણ કે ચંદ્રની માફક સંત પુરૂષે બંને પક્ષમાં સમાન ભાવે વર્તે છે. જડત્વને લીધે ચંદ્ર કમળમાંથી લક્ષ્મીને અપહાર કરી કુમુદ વનને શોભાવે છે, પરંતુ હે રાજન ! આપ તે વિદ્વાન છે, છતાં મારી સંપત્તિને અપહાર કરી નૃસિંહરાજાને તે કેમ અર્પણ કરી? એટલા જ માટે હે નરેદ્ર! રેગી માણસ વિદ્યને જેમ આશ્રય લે, તેમ હું આપની પાસે આવ્યો છું, હવે જલદી કૃપા કરે, જેથી હું સુખી થાઉં. એ પ્રમાણે ઘનવાહનનું વચન સાંભળી અભયંકર શરમાઈ ગયે અને તેણે ઘનવાહનને કહ્યું મારી મોટી ભૂલ થઈ છે, એ કાર્યમાં મારે ન પડવું જોઈએ. મેં જે તારે અપકાર કર્યો છે, તેની હું ક્ષમા માગું છું. હે બુદ્ધિમન્ ! આ સંબંધી તારે મનમાં બેટું લગાડવું નહીં, આ લૌકિક સમૃદ્ધિ માટે મુઝાઈશ નહીં, ક્ષણ માત્રમાં હું તને સુરેન્દ્ર સમાન લહમીવાળે કરીશ. એમ કહી તે અભયંકર રાજા ઉદાર ચિત્તથી તેજ વખતે પિતાના બંધુની માફક ઘનવાહનને પિતાની રાજ્યગાદીએ બેસારે છે, તેટલામાં તેને મંત્રી બોલી ઉઠે. Page #98 -------------------------------------------------------------------------- ________________ નવાહનરાજા ૫૧ રાજન ! આવી ઉદારતા આપની પાસે જ જોવામાં આવે છે, કારણ કે પિતૃ પરંપરાથી પ્રાપ્ત થયેલું રાજ્ય તૃણની માફક એને આપવાને તમે તૈયાર થયા છે, વળી રાજ્ય એજ રાજાઓની સંપત્તિ ગણાય છે. રાજ્ય વિના તેઓ નિધન ગણાય છે. સરેવરને ત્યાગ કરવાથી કમળવન શેલે ખરું? જ્યાં સુધી લક્ષ્મીને ભંગ ન થાય, ત્યાં સુધી રાજા પણ પૂજાય છે. તેમજ પક્ષીઓ સુકાઈ ગયેલા વૃક્ષને જેમ ત્યજે છે, તેમ વજન વર્ગ નિર્ધન રાજાને ત્યજે છે. કેવળ મનુષ્યને જ લક્ષ્મી પ્રિય હોય છે, તેમ નથી દેહને પણ તે બહુ પ્રિય હોય છે, એમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે સૂર્યાદિક ગ્રહે હંમેશાં સુવર્ણગિરિ-મેરૂની આસપાસ ભમે છે. જીવતા–ગિઓને જીવાડનારા આ દુનિયામાં ઘણું હાય હાય છે. પણ મૃતપ્રાય—મરેલાઓને જીવાડનાર તે ત્રણે લેકમાં એક લક્ષ્મી જ જોવામાં આવે છે, અર્થાત્ લમીને પ્રભાવ અલૌકિક છે, માટે એને દેશ વિગેરે કંઈક આપીને ખુશી કરો. પ્રાણથી પણ અઘિક એવા રાજ્યને તમે ગુમાવશે નહીં. આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળી અભયંકર રાજ બેલ્યો. મંત્રિન ! તારું કહેવું સત્ય છે, પરંતુ મારા બળને લીધે આ પુરુષ રાજ્યથી ભ્રષ્ટ થયે છે. આ રાજા બહુ દુઃખી થયે છે. એને જે હું રાજ્ય ન આપું તે લજજાને લીધે મારે એને કેવી રીતે મુખ દેખાડવું ? વળી પાત્રને આપેલી સંપત્તિ વિકસ્વર થઈ પુનઃ પ્રાપ્ત થાય છે. સજજન એવા વણિક લેકેએ આપેલું દ્રવ્ય વૃદ્ધિ પામીને શું ફરીથી પ્રાપ્ત થતું નથી ? Page #99 -------------------------------------------------------------------------- ________________ પર કુમારપાળ ચરિત્ર સપુરુષને જે કંઈ દ્રવ્ય આપવામાં આવે છે. તે તરત જ અલૌકિક ફલ આપનાર થાય છે, કારણ કે ગાયને ઘાસનું પુળીયું નીરવામાં આવે છે, તે તે પણ અમૃતમય દુધ આપ્યા વિના રહેતું નથી. વળી કઈક વખત મંત્રાદિકના મહિમાથી વિજળી પણ સ્થિર થાય છે. પરંતુ તેનાથી પણ આ રાજ્યલક્ષમી તે અતિશય ચંચલ છે. તે રાજ્યશ્રી ગુણેથી પણ રાજી થતી નથી અને બંધનથી બાંધેલી પણ રહી શકતી નથી. તે તે પય સ્ત્રીની માફક રાજ્યલક્ષમી ઉપર મિથ્યા મમત્વશા માટે કરવું જોઈએ? કેટલાક પુરુષો પરોપકારની ખાતર પિતાના પ્રાણ પણ અર્પણ કરે છે, છતાં હું આ લક્ષમી માત્ર જે ન આપે તે મારી શી ગતિ થાય? રાજ્યશ્રીનું પાલન કરવું, એ રાજાને મુખ્ય ધર્મ છે, પરંતુ તેનું મુખ્ય કારણ સુકૃત કહેલું છે, તો તે પરોપકારક સુકૃત મેળવીશ. તેમાં મારું એગ્ય આચારણ શું છે? તે તું બતાવ. એ પ્રમાણે મંત્રીને સમજાવી અભયંકર રાજાએ ઘનવાહનને પિતાની રાજ્ય ગાદીએ બેસાડયો. અહે પુરુષોની ઉદારતા નિરવધિ હોય છે.” જેઓ પોપકાર માટે રાજ્યને તૃણ સમાન ગણે છે અને પ્રાણને કાંકરા સમાન ગણે છે, તેવા ધીર પુરૂષ કોને રસ્તુત્ય ન હોય? તેવા પવિત્ર ચરિત્રવડે અભયંકર રાજા કયા સપુરુષના મનમાં આશ્ચર્ય ન પ્રગટ કરે? ચતુરંગ સેનાવડે બલિષ્ઠ એવા અદ્દભુત રાજને પામી ઘનવાહનરાજા નામ અને અર્થ એમ બંને પ્રકારે સત્ય થયે. પછી તે ઘન વાહન રાજા હંમેશાં અભયંકરની સેવામાં હાજર રહે અને તે અભયંકર રાજા પિતાના સ્થાનમાં મુનિની માફક નિશ્ચિત હેતે હતા, Page #100 -------------------------------------------------------------------------- ________________ તીર્થ યાત્રા તીયાત્રા એક દિવસ અભય કર રાજા તીથ યાત્રાની ઈચ્છાથી હાથમાં તર વાર લઈ એકાકી પેાતાના નગરમાંથી બહાર નીકળ્યા. તે સમયે નગરના લેાકેા અને મંત્રી વગેરે રૂદન કરતા તેની પાછળ ચાલ્યા અને હાથ જોડી વિનય પૂર્વક વિનંતી કરવા લાગ્યા. હે દેવ ! પ્રથમ તા આપે આ રાજ્યના ત્યાગ કર્યાં અને હાલમાં આ નગરને પણ ત્યાગ કરો છે. વળી અમે આપના સેવક છીએ, છતાં અમારા પણ ત્યાગ કરી આપ કર્યાં પધારે છે. ? આપ અહીંથી જશે. એટલે આ નગર વસ ંત ઋતુથી ત્યજીએલા અગીચાની માફક નિસ્તેજ થશે. આપના વિદેશ પ્રયાણુથી આ સમગ્ર પ્રજાવગ દ્વીપાંતરમાં ચંદ્ર ગમનથી કુમુદવન જેમ મીચાઈ જશે, પ્રત્યે ! વળી આપને તી યાત્રાની ઘણી ઉત્કંઠા હાય તે! અમને પણ આજ્ઞા કરેા, જેથી અમે આપની સાથે આવીએ. ૫૩ હે નાથ ! આપની સાથે ચેાગ્ય વાહન નથી, હાંશિયાર નાકર ચાકર નથી તેમજ સાથે જોઈતુ ધન પણ લીધુ નથી. પ્રયાણ કરવાની આવી રીત હાલમાં નવીન દેખવામાં આવે છે. માટે કૃપા કરી હાલમાં પ્રયાણ અધ રાખેા અથવા સાથે આવવા માટે મહેરબાની કરી અમને આજ્ઞા આપે. એમ તેઓનું વચન સાંભળી અમૃત વૃષ્ટિમય દૃષ્ટિવડે સિંચન કરતા હેાય તેમ રાજા તેમને કહેવા લાગ્યા, વિનાચિત આ સવ તમારી વિનતિ હું સત્ય માનું છું, પરંતુ તી યાત્રાથી પાપ રાશિ દૂર થાય છે અને પુણ્યરાશિ પ્રગટ થાય છે. માટે હું આ કાર્યંમાં ઘુકત થયે। .... S તમે મને વિઘ્નભૂત થશે! નહીં, તમારે કાઈ ખાખતની ચિંતા કરવી નહી, આ નગર તથા સર્વ પ્રજા વર્ગને આ ધનવાહન રાજા જેમ ચાતક પક્ષીઓને મેઘ તેમ મારી માફ્ક સતુષ્ટ કરશે, Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કુમારપાળ ચરિત્ર વળી “સિંહ અને પુરુષને દેશાંતર જતાં અન્ય સહાયની અપેક્ષા રાખતા નથી.” તેજવી પુરુષોને આ સ્વભાવ જ હોય છે. મારી સાથે ચાલવાથી તમને નકામે પરિશ્રમ થાય છે. અને મને પણ પગ બંધન છે, માટે હવે મહેરબાની કરી તમે અહીં ઉભા રહે તે બહુ સારું, એમ કહી મંત્રી વિગેરેને ત્યાં ઉભા રાખ્યા અને ઘનવાહન રાજાને પૂછીને અભયંકર રાજા એકલે તીર્થયાત્રા માટે ચાલતે થયે. માર્ગમાં ચાલતા રાજાને વેલીઓને નચાવવામાં લાચાર્ય સમાન, પુષ્પોની સુગંધને હરણ કરવામાં ચેર સમાન અને સરેવરના બિંદુઓથી શીતલતાને વહન કરતો પવન સેવત હતે. દરેક તીર્થોને નમન કરતે, જિદ્ર ભગવાનની પૂજા કરતા અને પિતાની શક્તિ મુજબ તપશ્ચર્યા કરતે તે રાજા બહુ સુકૃત ઉપાર્જન કરવા લાગ્યા. સિદ્ધિયેગી એ પ્રમાણે પૃથ્વી ઉપર ફરતે ફરતે અભયંકર કઈ એક પર્વતની ગુફામાં જઈ પહોંચે. સૂર્યાસ્ત થઈ ગયે. ઘોર અંધારૂ પ્રસરી ગયું. એકાકી છતાં તેનું મન બહુ અડગ હતું. દૌર્ય રાખી આમ તેમ ફરતા હતા. તેવામાં બહુ દૂરથી નીકળતે કરૂણ શબ્દ તેના સાંભળવામાં આવ્યો. કે તરત જ વિચારમાં પડ્યો. અરે! આ શૂન્ય પર્વતની ગુફામાં કેણ રોતું હશે! રાત્રીના પ્રસંગે અહીં માણસ કયાંથી? અને આ શબ્દ કોઈ માણસને હવે જોઈએ. ચાલે ત્યાં જઈ હું તપાસ કરું, એમ વિચાર કરી રાજા તે શબ્દને અનુસાર આગળ ચાલ્યા. તેવામાં ત્યાં બળતા અગ્નિને એક કુંડ તેના જેવામાં આવ્યો અને તેની પાસમાં ઉભેલી એક સ્ત્રી હતી. જેના શરીરે રકત ચંદનને લેપ કર્યો હતે. Page #102 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિયાગી વી. અમદા કંઠમાં કરેણના પુષ્પાની માળા પહેરેલી હતી. વળી કામદેવ સમાન તેજસ્વી કાઈક ચાગી તરવાર ઉગામી મૃત્યુની માફક તેણીને મારવા તૈયાર થયા હતા. ૨ સૂર્ય' ! તું જગત્ ચક્ષુ કહેવાય છે. માટે હું તારી યાચના કરૂ છુ કે, મારા રક્ષક અહીયાં કાઇ નહાયતા અન્ય દ્વીપમાંથી તુ કાઇને લાવી આપ. જેથી તે મારૂં રક્ષણ કરે. હે રત્નગર્ભ ! પૃથ્વીદેવિ ! હતા. ૫૫ આ અમળાના ત્રાસ અટકાવનાર કોઈ શૂરવીર છે ? જે કૃપાલુ પુરુષ મૃત્યુ સમાન આ દુષ્ટના મુખમાંથી મને એ પ્રમાણે પ્રલાપ કરતી તેણીના શબ્દોથી સ`ત્ર ઘાઘાટ થઇ રહ્યો મુક્ત કરે. સુખપર અશ્રુના પ્રવાહ ચાલતા હતા. હવે શે! ઉપાય કરવા ! અને કયાં જવું, નથી. એમ શૂન્યચિત્તે સ્થિર ઉભી હતી. રૂપવડે રતિ સમાન તે સ્ત્રીની દુર્દશા જોઈ રાજાના મનમાં બહુ દયા આવી અને તરત જ તેણે ચેાગીને કહ્યું, આ તારી આકૃતિ વડે તું યેાગી નથી, પર ંતુ તેનાથી પણ કે,ઇ મહાપુરુષ દેખાય છે. છતાં આ ખરામ કામ કરવા તુ' તૈયાર થયા છે, તે તારા મહત્વને લજાવનાર છે. “સત્પુરૂષા પેાતાના પ્રાણા ચાલ્યા જાય તે પણ અનુચિત કાર્ય કરતા નથી. ’ ચંદન વૃક્ષેાને છેદવાથી પણ તેઓ દુગ ધ આપતા નથી, માટે મહાશય ! કૃપા કરી આ સ્ત્રીને તું છેાડી દે. કારણ કે, અપરાધ હોય છતાં પણ સત્પુરૂષો સ્ત્રીજાતિ ઉપર શસ્ત્ર ચલાવતા અમૃતમય તેની વાણીવડે સિંચાયેલી તે સ્ત્રીને શાંતિ મળી અને તે પરાક્રમી રાજાને જોઈ પુનઃ તેણીએ જીવનની આશાધારણ કરી. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫૬ કુમારપાળ ચરિત્ર પછી યાગીએ કહ્યું, રાજન્! આવા ઉત્તમ લક્ષણૈાથી તું પણ ચક્રવત્તી દેખાય છે, સામાન્ય નથી. વળી આ વધ કરવા તે અયેાગ્ય છે, પરંતુ મારૂ વાકય સાંભળ પછી એના ખચાવના તું વિચાર કર. તારા સરખા મહાત્માની આગળ ગુપ્ત વાર્તા કહેવા માટે હરકત નથી, મણિચૂડ વિદ્યાધર વૈતાઢથ પવ તની ઉત્તર શ્રેણીમાં શ્રીશ્થનૂપુર નામે નગર છે. તેમાં વિદ્યાધરાનેા અધિપતિ રત્નચૂડ નામે રાજા છે. નિષ્કલ’ક ચંદ્રની રેખા સમાન રત્નમંજરી નામે તેની સ્ત્રી છે. મણિચૂડ નામે પ્રખ્યાતિ પામેલા હુ તેના પુત્ર છું, અપરાજિતા નામે અમારા ફુલની વિદ્યા છે. તે બહુ સુખદાયક હાવાથી સાક્ષાત્ સિદ્ધિની માફક તેના આરાધન માટે મેં પ્રારંભ કર્યાં હતા. શુદ્ધ જગાએ એસી હું જાપ કરતા હતા. સમાપ્તિના દિવસે દીવ્ય સ્વરૂપ ધારણ કરી વિદ્યાધિષ્ઠાત્રી તે દેવી મને પ્રયત્યક્ષ થઈ, જેનુ સ્વરૂપ વિજળી સમાન ચળકતું હતું. તે ખેાલી, હે વત્સ ! ઉચ્છળતા તરંગવાળી ગંગાને સ્થિર કરનાર આ તારી સેવાથી તને વર આપવા માટે હું પ્રસન્ન થઈ છે. પરંતુ અળતા અગ્નિ કુંડમાં મંત્રીશ લક્ષણી સ્ત્રી અથવા પુરુષના હામ કરી તુ વરદાન માગ, જેથી તને ઈચ્છિત સિદ્ધિ હું આપીશ. મારી પ્રસન્નતા માટે આ કાર્ય તું નહી કરે તેા પાકેલા ચિભડાની માફક તારૂ' મસ્તક જરૂર ફુટી જશે. એ પ્રમાણે દેવીનુ વચન મે' કબુલ કરી સ્વાર્થ સિદ્ધિ માટે અત્રીસ લક્ષણી સ્ત્રીની શોધ માટે હું પૃથ્વીપર ફરવા નીકળ્યા. તપાસ કરતા કરતા અહિપુર નગરમાં હુ· ગયા. ત્યાં તે નગરના Page #104 -------------------------------------------------------------------------- ________________ પ૭ મણિર્ડ વિદ્યાધર રાજાની યથેકત લક્ષણવાળી આ કન્યાને જોઈ હું તેને અહીં લાવે છું. અને કેવીને માટે હાલમાં હેમ કરવાની મારી ઈચ્છા છે. માટે હે રાજન ! એને છોડાવીને તું મારી સિદ્ધિને શા માટે નાશ કરે છે? હર્ષની વાત તે એ છે કે, સજજન પુરુષો સ્વાર્થની માફક કદાપિ પરકાર્યને નાશ કરતા નથી. ખરેખર એકનું કાર્ય બગાડવું અને બીજાનું સુધારવું એ ધર્મ સમાન દષ્ટિવાળા પુરુષોએ કઈ સ્થળે માન્ય કર્યો નથી. વળી પિતાનું ઉદર ભરનાર આ સ્ત્રીને જ તું પ્રિય માને છે, ઘણું લેકને ઉપકાર કરનાર હું રાજપુત્ર તારા હિસાબમાં નથી એ પ્રમાણે ગીનાં વચન સાંભળી અભયંકર બે. તારું કહેવું ઠીક છે. પરંતુ આ સ્ત્રીને વધ કરે તે તને લાયક નથી કારણ, સ્ત્રી વધ કરવાથી નરકની પ્રાપ્તિ થાય છે. જે પ્રાણીને વધ કરવાથી સિદ્ધિ થાય તેવી સિદ્ધિથી શું ફળ? વળી જે હિંસા કરવાથી પ્રાપ્ત થાય તેવી લક્ષમીથી પણ સયું. હે ગદ્ર! તું સમજું છે પણ મારે તને કહેવું પડે છે કે સર્વ સિદ્ધિઓ ધર્મથી સિદ્ધ થાય છે. અધર્મ કરવાથી નથી થતી. મેઘ વરસવાથી નદીઓને પ્રાદુર્ભાવ થાય છે. ગ્રીષ્મના તાપથી -તેઓ સૂકાઈ જાય છે. જે એક પ્રાણીના ઘાતથી સિદ્ધિ મળતી હોય તે તે ઘણા પ્રાણીઓના વધ કરનાર મનુષ્યને સર્વ સિદ્ધિઓ કેમ સિદ્ધ થતી નથી? વળી સ્ત્રીને વધ કરવાથી દેવી પ્રસન્ન થાય છે, તે વાત કઈ વખત જોવામાં આવી નથી, તેમજ સાંભળવામાં પણ આવી નથી. માત્ર ફૂટ કાર્યમાં કુશલ એવી તે દેવીએ તને છેતર્યો છે. કિવા દેવીએ તેને સત્ય કહ્યું હશે છતાં પણ આ બીચારી સ્ત્રીને છોડી દઈ મારા મસ્તકને હેમ કરી, તે આર્ય! તું પિતાનું કાર્ય સિદ્ધિ કર. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કુમારપાળ ચરિત્ર હું વિષ્ણુધ ! એમ કરવાવી વિદ્યાદેવી તને પ્રસન્ન થશે. આ સ્ત્રી.જીવતી રહેશે અને મારા સત્કાર પણ સારી રીતે સચવાશે, પછી મણિચૂડ ખેલ્યુંા, હું નરેન્દ્ર ! આ તારૂં સમજવું ભૂલ ભરેલું છે. કારણ કે એક સ્ત્રીને માટે ચક્રવત્તી ને લાયક આ શરીરના ત્યાગ કરવા તુ તૈયાર થયા છે. આ સ્ત્રીનું રક્ષણ કરવાથી તે જીવતી રહીને અસાધ્ય કાય શુ કરી શકશે ? વળી તું જીવતા હઈશ તે પિતાની માફક હુંમેશા પ્રજાનું રક્ષણ કરીશ. તેમજ તું પાતાના શરીરને બદલે આ સ્ત્રીને બચાવવાની ઈચ્છા કરે છે તે કાટીને આપીને એક પાષાણના ટુકડા લેવાની ઈચ્છા કરે છે. અપ વસ્તુના બદલે જે વધારે લે છે, તે બુદ્ધિમાન્ ગણાય, પણ એનાથી વિપરીત કરનારને તા મૂખના શિરામણ ગણાય. તે સાંભળી પેાતાના દાંતની સુંદર કાંતિના મિષથી હૃદયમાં ઉછળતા દયા રૂપી ક્ષીરસાગરને ખતાવતા હોય તેમ રાજા ફરીથી ખેલ્યા. હું ચાગી'દ્ર ! આ તારાં વચન સ્નેહને ઉચિત છે, પણ ધર્મ'ને ઉચિત નથી. પેાતાના પ્રાણાથી પણ અન્ય જીવેાના બચાવ કરવા, એ મેાટામાં મોટા ધમ છે. વળી આ દેહને સારી રીતે નવરાવા, ચંદનના લેપ કરો, અલકારાથી શણગારા અને સારા ભેજનથી તૃપ્ત કરી, પણ તે ખલની માફક પેાતાના સ્વાધીન કોઇ દિવસ થવાના નથી. તેમજ જે શરીરની આખર સ્થિતિ કૃમિ–કીડા અથવા ભસ્મ થાય છે, તેા તેના બદલે હુ' પરાપકાર કરૂ છું, તેમાં મારી અણુ-સમજ શી છે? તે ગે।થી ભરેલા શરીરવડે જે પુરૂષ સુકૃત મેળવે છે, પ્રાણુનાશક વિષને બદલે અમૃતરસ ખરીદે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ પ૯ મણિર્ડ વિદ્યાધર તેમજ કેઈક જ્ઞાની પુરૂષે જ બહુ મળથી ભરેલા, ક્ષણમાત્રમાં નાશવાન, માત્ર આ લોકમાં રહેનાર, અધમ સ્થિતિવાળા, પરાધીન અને હંમેશાં વર વધારનાર આ શરીરવડે શુદ્ધ, થિર, સાથે રહેનાર, અતિશ્રેષ્ઠ, પિતાને સ્વાધીન અને સુખદાયક સુકૃતને ગ્રહણ કરે છે. આ લોકમાં કીર્તિમય અને પરલોકમાં ધર્મમય શરીર ઉપર સજજનેની શ્રદ્ધા હોય છે, પણ ક્ષણભંગુર આ શરીર પર આસ્થા હેતી નથી, કેઈ માણસ વેપારમાં હારી જાય છે. વળી કઈક લાભ પણ મેળવે છે, પરંતુ સ્ત્રી અથવા પુરૂષને જીવન આશા તે સરખી જ હોય છે. | માટે તું સમજીને આ તારૂ પક્શ મને આપે. જેથી મસ્તકને છેદ કરી હું તને અર્પણ કરૂં. આ સ્ત્રી ઘણી કાલ જીવતી રહે અને તારી વિદ્યા પણ સિદ્ધ થાઓ. એ પ્રમાણે રાજાએ ઘણું કહ્યું છતાં પણ મણિચૂડે તેને ખડ્ઝ આપ્યું નહી, એટલે રાજાએ વિઘાઘરની ઈરછા નહોતી પણ બહુ આગ્રહ કરી તેની પાસેથી તરવાર લઈ લીધી. રાજાનું શરીર બહુ ગૌર હતું અને હાથમાં તરવાર આવવાથી ભુજંગથી વીંટાએલા ચંદન દ્વમની માફક તે દીપવા લાગ્યા, પછી મુખની આકૃતિ પ્રફુલ્લ અને કંઈક હાસ્યથી સુશોભિત દેખાતી હતી, એવા રાજાએ પિતાના હસ્તવડે સુથાર કાષ્ઠ પર જેમ કુઠાર ચલાવે તેમ સ્કંધ–ડોક પર તરવાર ચલાવી. તે સમયે પરસ્પર મિત્રની માફક રાજાને સ્કંધ તરવારને સ્પર્શ થવાથી મૂર્તિમાન હર્ષ જેમ રેમાંચિત થઈ ગયે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬૦ કુમારપાળ ચરિત્ર ત્યારબાદ શક્તિમાન એવા રાજાને હાથ મસ્તક છેદવા માટે ઘણાએ ચલાવે છતાં પણ કોઈએ ખંભાળ્યું હોય તેમ તે સ્થિર થઈ ગયે.. પછી રાજાએ વિચાર કર્યો, અરે ! આ મારે દક્ષિણભુજ પ્રથમ મદોન્મત્ત હાથીઓનાં ગંડસ્થલ ભેદવામાં બલવાન હતું, તે હાલમાં આ નિર્બળ કેમ થઈ ગ ? એમ ચિંતાતુર થઈ સ્વામીને દ્રોહ કરનાર ભૂત્યની માફક દક્ષિણ હાથ પર કે પાયમાન થયેલા રાજાએ તેને ત્યાગ કરી ડાબા હાથમાં ખડગ લીધું. અને તરત જ તેણે પોતાના સ્કંધ પર ચલાવ્યું. ખચ્છની ધાર બહુ તેજવી હતી છતાં પણ તે પથર પર પછડાયેલાની માફક કુંઠિત થઈ ગયું. હાથની મંદતા અને ખડ્ઝને પ્રહાર નિષ્ફલ થવાથી દુખસાગરમાં આવી પડેલે રાજા દીનમુખે મંત્રથી તંભિત થયેલે સર્ષ તેમ પિતાના હૃદયમાં બહુ બળવા લાગે અને બુદ્ધિપૂર્વક વિચાર કરવા લાગે, અરે ! મારા દુર્ભાગ્યને ધિક્કાર છે, આ પરોપકારની લાગણી પણ મારાથી ન બની શકી. જેઓ પરેપકાર કરવામાં સ્પૃહાલું હોય છે, તેવા પ્રાણીઓને ધન્યવાદ ઘટે છે. તેમજ જેઓની પોપકારની ઈચ્છા સિદ્ધ થાય છે, તેવા સત્પષે તે વારંવાર ધન્યવાદને લાયક થાય છે. યેગીની મૂચ્છ એમ કહી રાજા એકદમ પિતાનું મસ્તક કાપવા માટે મેગીની યાચના કરે છે, તેટલામાં તે ગી પણ મૂર્શિત થઈને છેદેલા કુમની માફક પૃથ્વી પર પડે. તે જોઈ રાજાને વિમય થ. Page #108 -------------------------------------------------------------------------- ________________ ગીની મૂછો અહે! એકદમ આ ગીને શું થયું ? એમ ચિંતવન કરતાં રાજાને પણ દુઃખથી મૂરછી આવી ગઈ અને બેભાનમાં પડેલા રાજાએ આકાશમાં રહેલા દેવતાઓને હાહાકાર સાંભળે. ક્ષણવાર પછી રાજા સચેતન થયા અને પિતાની આગળ ઉભેલી એક દેવી તેણે જોઈ તે દેવી મેઘમાળાની માફક કમંડલુના જળથી સિંચન કરતી, પ્રદીપની માફક પિતાની કાંતિવડે અંધકારને દૂર કરતી, દીવ્ય આભારની રચના વડે કલ્પલતાની માફક દીપતી, ભ્રમરીઓ વડે પશિની જેમ દેવાંગનાઓ વડે સેવાતી, મને હર દર્શનથી ચંદ્રલેખાની માફક આનંદ આપતી, બહુ ચિનગ્ધ દષ્ટિવડે માતાની માફક વારંવાર અવકન કરતી. અને જેણીના શરીરની કાંતિ સુવર્ણ સમાન ચળકતી હતી એવી તે દેવી બોલી, વત્સ! તે અપરાજિતા દેવી હું પિતે છું. તારા સાહસવડે હું પ્રસન્ન થઈ છું. તારી ઈચ્છા પ્રમાણે વર માગ. પ્રણામ કરી અભયંકર બેલ્ય, દેવિ ! જે તું મારી પર તુષ્ટ થઈ હોય તે કાર્ય કરવામાં ઉઘુક્ત થયેલા આ મારા ભુજને સ્તંભનથી મુક્ત કર. જેથી મારા મસ્તકના દાનવડે આ તારા ભક્ત ગિની વિદ્યાસિદ્ધિને સિદ્ધ કરૂં. મારે રાજ્યાદિક સમૃદ્ધિનું કંઈ પ્રજન નથી. વળી જે તું આ કાર્ય કરવાને શક્તિમાન ન હોય તે આ મણિચૂડની સિદ્ધિ પરિપૂર્ણ કર. તે સાંભળી દેવી બેલી. સિદ્ધિની વાર્તા દૂર રહી, પરંતુ આ પાપીને સચેતન કરવાની પણ મારી ઈચ્છા નથી, કારણ કે આ દુષ્ટ અધમ એ સ્ત્રીવધ કરવાને પ્રારંભ કર્યો છે. વળી Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૨ કુમારપાળ ચરિત્ર આ દુષ્ટ એટલાથી પણ નહીં અટકતાં કલ્પવૃક્ષ સમાન જગતનું રક્ષણ કરનાર તને હણીને પિતાને સ્વાર્થ સાધવા માટે તૈયાર થયો છે. વળી હે પુત્ર! આ અનિષ્ટ કાર્ય એના સત્વની પરીક્ષા માટે મેં એને કહેલું હતું, પરંતુ આ ટુબુદ્ધિ યેગી તે સ્ત્રીને મારવા માટે ખરેખર તૈયાર થઈ ગયે. તેથી તારા હાથ તથા ખર્શને મેં સ્તંભાવી દીધા અને આ દુષ્ટ પર મને બહુ ક્રોધ ચઢ, તેથી એને આ દુર્દશામાં લાવી મૂકે છે. સ્ત્રી વધ કરવામાં એણે દુબુદ્ધિ વાપરી તેથી એને સિદ્ધિ કેવી રીતે મળે? “પાપી પુરુષને સંપત્તિઓની માફક કલા સિદ્ધ થતી નથી. અપરાધ વિનાના પ્રાણીઓની હિંસા કરનાર આળસુ અને સત્વ વિનાના પ્રમાદી પુરૂષે ધર્મ અને અર્થને સિદ્ધ કરી શકતા નથી. | માટે આ દુષ્ટના કારણને લીધે તું પિતાના આત્માને હણવા માટે યોગ્ય નથી. કારણ કે ભસ્મના માટે કલ્પવૃક્ષને કોઈ પણ બાળે નહીં. - આ આત્મઘાતરૂપી અકૃત્ય તું કરીશ, તે પણ આ દુષ્ટ તારો - ઉપકાર માનવાને નથી. કારણ કે વૃષ્ટિ થવાથી પણ ક્ષાર ભૂમિમાં ગ્ય ફલ થતું નથી. તે સાંભળી રાજા છે. હે દેવિ ! આ પુરુષની સિદ્ધિ મને ઈષ્ટ છે. વળી તું એને નિષેધ કરે છે. તે બોલ! તું શા માટે મને પ્રસન્ન થઈ? આ પુરુષ ભલે ગમે તે હોય પણ એની ઉપર તારે અનુગ્રહ કર્યા વિના ચાલશે નહી. શું શંકર પિતાને આશ્રય રહેલા સર્ષ ઉપર પણ ક્રોધાયમાન થાય છે? વળી આ પુરૂષને સિદ્ધિ ન પ્રગટ થાય તે મારી પ્રતિજ્ઞાને ભંગ થયિ. માટે પ્રાણ જવાથી જેમ જીવતે પણ હું મરેલે ગણાઉં. જે પુરુષ પ્રાણથી પણ અધિક પોતાની પ્રતિજ્ઞાને ભંગ કરે છે, તે અધમ પુરુષ સજજનેને નિંદવા લાયક થાય છે. એટલું જ નહીં પણ તેનું જીવન નિષ્ફળ થાય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાક મંત્રી માટે હે દેવિ ! તું અહીંથી સ્વેચ્છા પ્રમાણે ચાલી જા. હું આ અગ્નિમાં પ્રવેશ કરું છું, એમ કહી રાજા તરત જ અગ્નિમાં પિતાના દેહનું બલિદાન આપવા તૈયાર થયે. તે જોઈ અરે ! આ રાજા મારા માટે મરવાને તૈયાર થયું છે, મને ધિક્કાર છે, એમ બેલતી ત્યાં ઉભેલી તે સ્ત્રી પણ મૂચ્છિત થઈ એકદમ પૃથ્વી પર પડી ગઈ. ત્યારબાદ દેવીએ રાજાને અગ્નિમાંથી બહાર કાઢીને કહ્યું, હું તારી ઉપર બહુ પ્રસન્ન થઈ છું. તું જે તારા માટે આ બંનેને હું સજીવન કરૂં છું. એમ બેલી તે દેવીએ અમૃત સમાન પિતાના કમંડલનું પાણી છાંટી મણિચૂડ અને કુમારીને જીવતાં કર્યા. પછી તે કન્યા રાજાને જીવતે જોઈ બહુ રાજી થઈ અને પિતાના મનમાં તેણીએ રાજાને વરવાની ઈચ્છા કરી, કારણ કે તેવા ગુણવાન પુરુષને વરવા માટે કોની ઈચ્છા ન થાય? હે રાજન ! તારા આગ્રહને લીધે આયેગીને હું પ્રસન્ન થઈ છું. એ પ્રમાણે કહી દેવી ઘણા કાલથી ઈડેલી સિદ્ધિ ગીને આપી અદશ્ય થઈ ગઈ તેટલામાં તેવા અદ્દભુત કાર્ય કરવામાં સાહસિક અભયંકર રાજાનું મુખાવકન કરવાને જેમ સૂર્યને ઉદય થયે. પ્રભાતકાલને સમય થવાથી એકદમ પૃથ્વી અને આકાશમંડલને ભેદનાર તેમજ સર્વ દિશાઓને ગજાવનાર ઘનઘેર શબ્દ રાજાના સાંભળવામાં આવ્યું કે તરત જ તે ભ્રાંતિમાં પડે. અરે આ શું ? એમ સંબ્રાંત બની જેટલામાં દ્રષ્ટિ પ્રસાર કરે છે, તેટલામાં તેની આગળ ચતુરંગ રન્ય આવી ઉભુ રહ્યું. પછી તેમાંથી એક ોંશિયાર પુરુષ ચમત્કારી વાણીવડે જોડી રાજાને વિનંતિ કરવા લાગે. પ્રણાલોક મંત્રી લક્ષ્મીની લીલાથી સુશોભિત લક્ષ્મીપુર નામે નગર છે. તેમાં Page #111 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર શત્રુરૂપ હસ્તીઓને વિદારવામાં સિંહ સમાન અરિકેસરી નામે દેવસમાન રાજ્ય કરતે હતે. શત્રુરૂપ વાંસડાઓને બાળવાની ઈચ્છા કરતા જેના પ્રતાપરૂપી અગ્નિને અતિપ્રબલ એવું શૌર્ય પવનની સહાય આપતું હતું. તે રાજા હાલમાં સ્વર્ગવાસી થયે છે, તેથી તેમનું રાજ્ય સ્વામી વિનાનું સાયંકાલના વાદળ સમાન થઈ ગયું છે. ત્યારબાદ તેના સુમિત્ર મંત્ર વિગેરે પ્રધાનવર્ગે ભેગા મળી અપરાજીતા કુલદેવીની આરાધના કરી, પ્રસન્ન થઈ કુલદેવીએ આજ્ઞા કરી છે. તે રાજ્યને લાયક આપે છે અને તે દેવીના કહેવાથી આપને તેડવા માટે અમે અહીં આવ્યા છીએ. આપના દર્શનથી આ સૈન્યને તથા અમને બહુ આનંદ થયે છે. વળી આ રાજ્યલક્ષમીપના આશયથી ઈદ્ર સહિત સ્વર્ગશ્રીની માફક પ્રકાશિત થાઓ. હે નરદેવ ! હું અરિકેસરી રાજાને વંશપરંપરાને મંત્રી છું. મારું નામ પ્રજ્ઞાક છે, આ હકિકત નિવેદન કરવા માટે હું આવેલ છે. એમ વિનતિ કરી તે મંત્રી મૌન રહ્યો, એટલે તરત જ તે અપરાજિતા દેવીએ ત્યાં જ સુવર્ણમય સિંહાસન પર અભયંકર રાજાને બેસારી રાજયાભિષેક કર્યો. તેમજ તે યોગીની પાસમાંથી બચાવેલી કન્યા રાજાને આપીને તે દેવી અંતર્ધાન થઈ ગઈ. જુઓ “કરેલે ઉપકાર અભયંકર રાજાને તે વખતે સફલ .” અહે! પરે પકારને પ્રભાવ? हरति विपदं सूते कीर्ति निकृन्तति वैरितां, जनयति जने मानाधिक्य, वशीकुरुते रमाम् । मदयति दयासारं धर्म', तनोति महोदय, किमिव सुधियां नाधत्तेऽसौ परोपकृतिः कृता ॥१॥ Page #112 -------------------------------------------------------------------------- ________________ નૃસિંહરાજા ૬૫ સજજનેએ કરેલો ઉપકાર વિપત્તિને દૂર કરે છે. કીર્તિને પ્રગટ કરે છે. વરને ઉચછેદ કરે છે. લોકોમાં માન વધારે છે. લક્ષ્મીને વશ કરે છે. દયામૂલક ધર્મને ઉત્પન્ન કરે છે અને સર્વત્ર મહદયને ફેલાવે છે. વળી કોઈપણ વસ્તુ એવી નથી કે, જે પરોપકારથી સિદ્ધ ન થાય. પછી મણિચૂડે કહ્યું, હે રાજન્ ! આપના પ્રભાવથી મને સિદ્ધિ મળી છે. હે દેવ! મારા પુણયને લીધે જ આપને જન્મ થયો હશે, કારણ કે આ મારી સિદ્ધિ તે દૂર રહી પણ આપ ન હોત તે મારા પ્રાણ પણ તુલની માફક દેવીના કેધરૂપી પવનથી ઉડી જાત, વળી હે નરેંદ્ર ! મૃત્યુના મુખમાંથી કેવળ આ સ્ત્રીનું જ તે રક્ષણ કર્યું છે એમ નહીં, પરંતુ સ્ત્રી હત્યાના મહાપાપથી મારે પણ ઉદ્ધાર કર્યો. પિતાના દેહથી નિઃસ્પૃહપણે સર્વ લોકેનો તમે ઉપકાર કરે છે અને પરોપકારને માટે જ ચંદનની માફક સર્વસ્વને વ્યય કર્યો છે. માટે આપ ચિરકાલ આનંદ પામો. હે રાજન ! દુઃખી થયેલાં મારાં માતાપિતાને પિતાના દર્શનારૂપ અમૃતનું સિંચન કરી હું ફરીથી આવીશ. એ પ્રમાણે અભયંકર રાજાની આજ્ઞા લઈ મણિર્ડ વિદ્યાધર પિતાના સ્થાનમાં ગયે. ત્યારપછી અરિકેસરી રાજાના મંત્રી વિગેરે સર્વ લોકે નવીન તૂપની માફક બહુ આનંદ આપતા રાજાને પ્રણામ કરવા લાગ્યા. - ત્યાર પછી બહુ વિનયપૂર્વક તેઓએ પિતાના નગરમાં જવા માટે રાજાને પ્રાર્થના કરી, પછી રાજાએ પણ તેમના કહેવા પ્રમાણે તૈયારી કરી. કારણ કે “મહાત્માઓ અન્યની પ્રાર્થનાને ભંગ કરતા નથી.” પોતાના દર્યનો પરાજય થવાથી સેવા માટે આવેલા મેરૂપર્વત હોય ને શું ? તેવા ઉન્નત અંગવાળા હાથી પર રાજાએ સવારી કરી. તેમજ તેના મસ્તક પર પૂર્ણિમાના ચંદ્રના ગર્વને અપહાર Page #113 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર કરનાર અને સાક્ષાત મૂર્તિમાન યશ હેય તેમ વેત છત્ર ધારણ કર્યું હતું. | મુખરૂપી ચંદ્રની સર્વત્ર પ્રસરતી કાંતિના બે વિભાગની માફક કત કાંતિમય બંને ચામરોથી તેનાં બંને પડખાં વીઝાતાં હતાં. તેમજ હું રાજા પિતે અહીં આવ્યું છે. માટે મને નમવા માટે આવે, એમ પ્રત્યંત રાજાઓને દિગંતર ગજાવતાં વાજી ના નાદ વડે જણાવત, ભાટ ચારણના જય જય એવા ઘેષથી લોકોને બધિર કરતે, સૈન્યના ચરણ ઘાતથી ઉડેલા રજકણથી આકાશ ભૂમિને પુરત, નિગ્ધ દષ્ટિના પ્રસારથી નગરવાસી જનેને પ્રમુદિત કરતે, પિતાના દર્શનરૂપ ચંદ્રવડે પૌરાંગનાના પ્રેમરૂપી સાગરને તરંગિત કરતો હોયને શું ? તેમ અભયંકર રાજા નાગરિક લેકેએ વજ, પતાકા અને તારણેથી શણગારેલા લક્ષ્મીપુરની શોભાને દષ્ટિગોચર કરતે છતાં રાજમહેલમાં ગયે. ત્યાં પ્રધાન વગે તૈયાર કરેલા સુવર્ણના સિંહાસન પર અભય. કર રાજા પૂર્વાચલના શિખર પર સૂર્ય જેમ આરૂઢ થે. ત્યાર પછી સામંતરાજાએ ભેટણ લઈ રાજાને નમ્યા અને તેની સેવામાં હાજર થયા. ત્યારબાદ સિંહપુરના રાજાએ પિતાની પુત્રીનું વૃત્તાંત જાણયું, એટલે તે પણ ત્યાં આવ્યો અને પિતાની પુત્રીને અભયંકર રાજા સાથે તેણે પરણાવી. તે કન્યા પણ કામદેવ સમાન તેજસ્વી એવા પતિને પામી પતિની માફક અલૌકિક શેભાને પાત્ર થઈ. પછી પ્રથમના ઉપકારનું સ્મરણ કરતા નૃસિંહ તથા ઘનવાહન રાજા તેમજ કૃતશિઓમાં ચૂડામણિ સમાન મણિચૂડ વિદ્યાધર અને બીજા પણ કેટલાક રાજાઓ રત્નાદિક દીવ્ય ભેટણ લઈ ત્યાં આવ્યા, Page #114 -------------------------------------------------------------------------- ________________ ६७ ધર્મદેશના અને દેવતા જેમ ઇંદ્રને તેમ અભયંકર રાજાને નમનપૂર્વક બહુ સત્કાર કર્યો. એ પ્રમાણે અનેક રાજાઓ તરફથી આવેલી ભેટની સમૃદ્ધિ વડે તેને વૈભવ નદીઓના પાણીથી સમુદ્રનું જલ જેમ બહુ વૃદ્ધિ પામે. એક દિવસ આયુધશાળાના અધિકારીએ રાજાની પાસે ચક્રવતીને લાયક એવા ચક્રરત્નની વધામણું કહી. રાજાએ બહુ હર્ષથી તેને સત્કાર કર્યો અને તે તરત જ શસશાળામાં ગયે. સૂર્યમંડલની શેભાને તિરસ્કાર કરતું ચક્રરત્ન તેના જોવામાં આવ્યું. ચંદનાદિક પૂજાના સામગ્રીવડે ચક્રની પૂજા કરી અષ્ટાબ્લિક મહત્સવ પણ કર્યો, કારણ કે “મહાન પુરુષે પૂજયને પૂજવામાં સાવધાન હોય છે.” વળી તે અભયંકરરાજાને ત્યાં બીજા પણ સેનાની-સેનાપતિ વગેરે કેટલાંક રત્ન પ્રગટ થયાં. અહો ! “મહાન પૂણ્યશાલીજનેને આ દુનિયામાં કોઈપણ વસ્તુ દુર્લભ નથી” ત્યારબાદ અભયંકર ચક્રવતી ચક્રવડે થિર એવા પર્વતને પણ ચલાયમાન કરતે સર્વ દિશાઓને જીતવા માટે ચક્રરત્નની પાછળ ચાલ્યો. પૃથ્વીને આક્રમણ કરતા ચક્રવતીના સૈન્યરૂપી સમુદ્રની અંદર મેટા પર્વતે પણ ડુબી ગયા તે અન્ય લેકેની શી ગણતરી ? તેના તેજથી સર્વ શત્રુઓ પિતાની મેળે જ દબાઈ ગયા અને કૌશિક-ઘુવડ સૂર્યને જેમ કેઈ પણ શત્રુ તેના સન્મુખ આવી શકતો નથી.. છખંડ પૃથ્વીમાં વિજય મેળવીને નવનિધ પિતાને તાબે કર્યા. પછી તે ચકી પિતાના સૈન્ય સાથે નિવૃત્ત થઈ પિતાના નગરમાં આવે. Page #115 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર ત્યાર પછી બાર વર્ષ સુધી ચક્રવતીને અભિષેક થયે. તે સમયે અભયંકર ચક્રીએ પિતાની ઉદારતાથી યાચક લેકેને કુબેર સમાન ધનવાન કર્યા. વળી હંમેશાં તે બહુ છૂટથી યાચક વર્ગને દાન આપતા હતા. રાજ્ય વિભવના ઉદાર ભેગ પણ જોગવતે હતે. પંડિતલેકે નિરંતર તેને આશ્રય લેતા હતા. એમ અનેક પ્રકારના સુખથી પરિપૂર્ણ અભયંકર ચક્રીએ બહુ સમય સુધી ઈન્દ્રની માફક રાજ્ય ચલાવ્યું. ત્યાર પછી ગુરુ મહારાજનું આગમન જાણી શિષ્યની માફક અભયંકર ચકી બહુ જ પ્રસન્ન થયા અને તેમની પાસે જઈ પ્રણામ કરી દેશના સાંભળવા બેઠે. ધર્મદેશના ગુરુમહારાજ બોલ્યા. હે ભવ્યાત્માઓ! આ જગતમાં દુર્લભ એ મનુષ્યભવ પામી બુદ્ધિમાન પુરુષ એવું કાર્ય કરવું કે જેથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. વળી તે અક્ષય સુખ મુક્તિમાં રહેલું છે અને તે મુક્તિને ઉપાય તે જિનેશ્વર ભગવાને સમ્યફ ચારિત્રવત કહેલું છે. સર્વ સાવદ્ય વસ્તુને ત્યાગ કરે, તેનું નામ સમચારિત્ર કહેવાય છે. વળી તે ચારિત્ર ગ્રહણ કરવાથી આ લેકમાં પૂજ્યતાનું પાત્ર બને છે અને પરલેકમાં મેક્ષ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. હે ભવ્ય! તને આવે મનેહર સિદ્ધિ યોગ પ્રાપ્ત થયે છે. માટે તું વ્રત ગ્રહણ કર, જેથી તેને મિક્ષ સિદ્ધિ પિતજ સ્વયંવરા થઈ વરશે. એ પ્રમાણે ગુરુમુખથી દેશના સાંભળી ચકવતી મુક્તિ સુખ મેળવવામાં બહુ ઉત્સુક થેયે અને વૈરાગ્યરસમાં ગરક બની તેણે પિતાના પુત્રને રાજ્યાભિષેક કર્યો. પછી તેણે બહુ આનંદ પૂર્વક ગુરુ મહારાજની પાસેથી ચારિ. ત્રવ્રત લીધું. Page #116 -------------------------------------------------------------------------- ________________ ધર્મ દેશના ત્યાર પછી અભયંકર મુનિ વૈરાગ્યભાવથી અતિ દુસ્તપ તપશ્ચર્યા કરવા લાગ્યા. તપશ્ચર્યારૂપ તીણ કુઠાર વડે પ્રાચીન દુષ્કર્મરૂપી જંગલને મૂલમાંથી ઉચ્છિન્ન કરી કેવલજ્ઞાન પામ્યા. ત્યાર પછી ઘણા લોકોને બેધ આપી વિશુદ્ધ પરિણતિ વડે તેઓ મેક્ષ પદ પામ્યા. હે સિદ્ધરાજ નરેશ! અભયંકર ચક્રવતીએ કરેલા ઉપકારમય ધર્મથી આવા મહાપદની પ્રાપ્તિ માની હંમેશાં પોપકાર કરે, એ તારે ભૂલવું નહીં. આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક ગુરુની વાણી સાંભળી દયાળુ એવા તે જયસિંહ રાજાએ ગુરુ સમક્ષ પિતાના હૃદયમાં પરોપકાર વ્રતને નિશ્ચય કર્યો અને તે વ્રતને ઉત્તમ માનતે હંમેશાં તેનું આચરણ કરવા લાગે. આ પ્રમાણે ઉત્તમ વાણીરૂપ કીરણવડે જયસિંહ નરેશ અનેક સંશય રૂ૫ અંધકારને દૂર કરતા અને જૈન મતરૂપી કમલને વિકસવર કરતા સૂર્યની માફકશ્રી હેમચંદ્ર આચાર્ય દીપતા હતા. કુમારપાળ જન્મ વિવિધ સંપદાઓથી પરિપૂર્ણ દધિસ્થલી નામે નગરી છે, તેની અંદર પિતાની પ્રજાનું પાલન કરવામાં કુશળ ત્રિભુવનપાલ નામે રાજા હતો. તે સંપત્તિઓ વડે કુબેર સમાન પ્રખ્યાત હતા. જેના નિર્દોષ માનસ-મનમાં સજજન પક્ષનું અવલંબન કરનાર ધર્મ હંમેશાં માનસરેવરમાં ઉજવળ પાંખવાળા રાજહંસની માફક વિલાસ કરતા હતા. શત્રુઓના વધથી રૂધિર વડે લાલ કાંતિને ધારણ કરતી તરવારરૂપી વેલડી સંગ્રામ ભૂમિમાં બહુ રાગથી મનહર અને મૂર્તિમાન જય લક્ષમી હોય તેમ તેના કરકમલમાં શોભતી હતી. તેની સ્ત્રીનું નામ કમીરદેવી હતું. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭e કુમારપાળ ચરિત્ર ' તે રાણી બહુજ પ્રેમાળ, સદ્દગુણોથી સુશોભિત અને શરીરની કાંતિવડે સાક્ષાત્ લક્ષમી સમાન દીપતી હતી. તેમજ વિદ્યમાન છતાં પણ અસ્થિર અને બાહ્ય એવા અલંકારોને ત્યાગ કરી અંતરંગ અને સ્થિર શીલરૂપ આભૂષણથી તે પિતાનું અંગ ભાવતી હતી. તેણીની સાથે ત્રિભુવનપાળ નરેશ લક્ષમી સાથે વાસુદેવ જેમ આનંદ પૂર્વક વિષયસુખ ભગવતે હતે. અન્યદા પ્રજાની ઉન્નતિ માટે ક્ષેત્રભૂમિ જેમ બીજને તેમ કમીર દેવીએ ગર્ભ ધારણ કર્યો. બાદ તે શુભ ગર્ભના પ્રભાવથી સમુદ્ર સુધી પૃથ્વીનું રક્ષણ, પ્રાણીઓને અભયદાન અને સાતે વ્યસને નિષેધ કરાવવાની રાણીને ઈચ્છા થઈ. બહુ પ્રેમને લીધે રાજાએ તે દેહલા પૂર્ણ કર્યા. ગર્ભના દિવસે પૂર્ણ થવાથી દ્વિતીયા તિથિ જેમ ચંદ્રને તેમ રાણીએ પુત્ર પ્રગટ કર્યો. તે સમયે આકાશવાણી થઈ. આ બાલક બહુ પરાક્રમી અને ગુણવાન થશે. વળી પૃથ્વીને જીતી ધર્મનું સામ્રાજ્ય મેળવશે. બહુ વિશાલ તે બાલકના શરીરની કાંતિ વડે સૂતિકાગ્રહના દિવાઓ હડતાલ સરખા નિરતેજ થઈ ગયા. તેના જન્મ સમયે મનુષ્યોને આનંદ થાય તેમાં શી નવાઈ? પરંતુ પવનથી કંપતી ધજાઓ રૂપી હાથ વડે નગર પણ અતિ આનંદથી નૃત્ય કરતું હોય તેમ દીપવા લાગ્યું. બહુ હર્ષ ઉલ્લાસપૂર્વક જન્મોત્સવ થયે. ત્યાર પછી આ કુમાર કાર્તિકેયની માફક પરાક્રમી થશે, પૃથ્વીનું પાલન કરશે, એમ જાણી ત્રિભુવનપાલે તે બાળકનું કુમારપાલ એવું નામ પાડયું. અમૃતના પૂરની માફક તે બાલકના મુખની કાંતિરૂપ રસનું અતિશય પાન કરતાં રાજા અને રાણી બહુ આનંદ પામતાં હતા. Page #118 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ જન્મ ૭૧ કદાચિત્ પુત્ર પણ વિનયહીન થાય તે અગ્નિની માફક સમગ્ર કુલને નાશ કરે છે અને તેજ પુત્ર કલાવન થાય તે ચંદ્રની માફક શંકરના મસ્તક પર પણ વિલાસ કરે છે. એમ વિચાર કરી પિતાએ પ્રેમપૂર્વક શસ્ત્ર અને શાસ્ત્રવિદ્યામાં બહુ જ કુશલ કર્યો. ત્યાર પછી તે કુમારપાળે અદ્ભુત કાંતિમય યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યો. स्थैर्य मेरुगिरिमतिं सुरगुरुर्गा भीर्यमभ्भोनिधिः, सौम्यत्व शशभृत्प्रतापमरुणः शौर्य च पञ्चाननः । औदार्य त्रिदशद्रुमः सुभगतां कामः श्रियं श्रीनिधि न ढोकयतिस्म योवनपदे दष्ट्वा कुमार स्थितम् ॥१॥ “તે સમયે યુવાવસ્થાને દીપાવતા કુમારને જોઈ મેરૂ પર્વતે સ્થિરતાગુણ, બૃહપતિએ બુદ્ધિ, સાગરે ગાંભીર્ય, ચંદ્રમાએ મૃદુતા, રવિએ પ્રતાપ, સિંહે પરાક્રમ, કલ્પવૃક્ષે ઉદારતા, કામદેવે મનોહરતા અને કુબેરે લક્ષમી અર્પણ કરી.” ત્યાર પછી તેના પિતાએ પલદેવી નામે કન્યા સાથે તેને પર ણાવ્યો. તેણીની સાથે તે હંમેશા પતિ સાથે જેમ કામદેવ તેમ ભેગવિલાસ કરતો હતો. વળી તે ત્રિભુવનપાલને બીજા બે પુત્ર હતા. એકનું નામ મહીપાલ અને બીજાનું નામ કીતિપાલ હતું. તે બંને ભાઈઓ માનની લાગણી ધરાવતા હતા. તેમજ પ્રેમલદેવી નામે એક તેને પુત્રી હતી. તે દેવીની માફક દીવ્યકાંતિથી દીપતી હતી. તેને તેના પિતાએ મેટા ઉત્સવથી કૃષ્ણદેવ સાથે પરણાવી. વળી તેને બીજી પુત્રી દેવલ દેવી નામે બહુ સૌંદર્યનું સ્થાન ગણતી હતી. તેને શાકંભરી નગરીના અધિપતિ અર્ણોરાજની સાથે પરણાવી. એ પ્રમાણે સાક્ષાત ધર્મ, અર્થ અને કામની મૂર્તિ સમાન Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કુમારપાળ ચરિત્ર ત્રણે પુત્ર વડે ત્રિભુવનપાલની કીર્તિ ત્રણે લોકમાં પ્રસરી ગઈ. બાદ એક દિવસ કુમારપાલ પાટણમાં ગયા. ગુરુસમાગમ ત્યાં જયસિંહરાજાની પાસે બેઠેલા શ્રી હેમચંદ્રસૂરિનાં દર્શન થયાં. આ મહાન પુરુષ સર્વ કલાઓના જાણકાર છે, એમ જાણ બહુ વિનયભાવથી કુમારપાલ હંસ કમલવનની જેમ તેમની સેવા કરવા લાગે. એક દિવસ ગુણનું વ્યાખ્યાન ચાલતું હતું. તે સમયે કુમારપાલે આચાર્ય મહારાજને પૂછ્યું. દરેક ગુણમાં કયા ગુણની મુખ્યતા જાણવી? ત્યારે શ્રી હેમચંદ્ર આચાર્ય બેલ્યા. સર્વ ગુણેમાં સત્વગુણ ખરેખર સાર્વભૌમ તરીકે ગણાય છે. અન્ય સર્વ ગુણો જે સત્વગુણની પાછળ કુલવાન નેકરોની માફક દોડે છે. એક સત્વગુણ સિદ્ધ થવાથી દરેક કાર્ય સિદ્ધ થાય છે. અન્ય ગુણે એની આગળ વૃથા છે. જે સવગુણથી ચિંતામણિ રત્નની જેમ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. વ્યસન-દુઃખ રૂપી સાગરમાં પડેલ પ્રાણી અજાપુત્રની માફક સત્વગુણવડે લક્ષમીને ભક્તા બને છે. વળી તે અજાપુત્રની પ્રાચીન કથા હું કહું છું, તે તું સાંભળ. અજાપુર આ જંબૂદ્વીપમાં ભારત નામે ક્ષેત્ર છે. તેમાં ચંકાનના નામે નગરી છે. જેની સંપત્તિઓ રવર્ગલેકની સમૃદ્ધિએને ઉલંઘન કરે છે. આ નગરીની અંદર શિવ-શિવા-શુભ કાર્ય–પાર્વતીથી યુક્ત, વિશાલ ભૂતિ-સમૃદ્ધિ-ભસ્મને ધારણ કરતા, ભેગ-વિલાસ-સર્ષથી અલંકૃત, વૃષધર્મ–વૃષભ પર બહુરાગી અને મહેશ–ધનાઢય શંકરની લીલાને ધારણ કરતા લોકો વસે છે. પણ આશ્ચર્ય માત્ર એટલું હતું કે, કોઈ પણ માણસ તેમાં વિવાદી દુખ વિષભક્ષી નહે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૩ અજાપુત્ર તેમજ તે નગરીમાં સાક્ષાત્ શંકર સમાન મહાપરાક્રમી ચંદ્રાપીડ નામે રાજા રાજ્ય કરતા હતા. પરંતુ તે ખીલકુલ શાંત પ્રકૃતિના હતા. વળી તે રાજા પૃથ્વીને જીતવા માટે જ્યારે નીકળ્યા, ત્યારે જલ અને ઘાસના સવ ઠેકાણે અભાવ થઈ ગયે.. કારણકે બહુ બલિષ્ઠ રસૈન્યના ચાલવાદી ઉડેલી ધૂળવડે સરોવર વિગેરેમાં રહેલાં પાણી ઢંકાઈ ગયાં અને ઘરની અંદર રહેલા શત્રુઓએ પેાતાના રક્ષણ માટે દાંતની અંદર ઘાસ લીધાં જેથી બ ંનેના દુષ્કાલ થયા. તે નગરીમાં ધર્મોપાધ્યાય નામે એક બ્રાહ્મણ રહેતા હતા. તે વિપ્ર કલાનિધિ-કલાઓના ખજાને હતા, પરંતુ તે કુર ંગ-શાકમૃગને તામે રહેતા નહી. બહુ પ્રેમાળુ અને આનંદપાત્ર ગંગા નામે તેની સ્ત્રી હતી. જેની અંદર પવિત્રતા અને રસવત્તા એ ગુણ્ણા મુખ્ય હતા. ખંને સ્ત્રી પુરુષ હુંમેશાં ઇચ્છા મુજબ સંસાર સુખ ભેગવતાં હતાં. તેવામાં તેમને એક પુત્ર જન્મ્યા. તેના શરીરની કાંતિ બહુ જ રમણીય હતી, તેના જન્મ સમયે પાંચ ગ્રહેા ઉચ્ચ સ્થાનમાં રહેલા હતા, તેથી ધમેમાંપાધ્યાયે તેનુ જન્મ લગ્ન જોઈ વિચાર કર્યાં કે, આ મારા પુત્ર આવા ઉત્તમ લગ્નના પ્રસાવથી રાજ્ય પ્રાપ્ત કરશે. તે મદોન્મત્ત બની બ્રહ્મ કર્મોથી ભ્રષ્ટ થશે. એને ઉપવીત સંસ્કાર થવાના નથી, સાંગવેદાદિકનું તે અધ્યયન પણ કરવાના નથી, યજ્ઞાદિક ક્રિયાકાંડ પણ તેના હાથે થવાના નથી અને વિવેક બુદ્ધિ પણ તેનામાં રહેવી મુશ્કેલ છે. સ્વાભાવિક પ્રવર્તતા પાપથી તેમજ બહું આરંભ વિગેરેના પાપથી આ મારા પુત્ર નરક સ્થાનમાં જશે, એ બહુ ખેદની વાત છે. હવે શું કરવું ? વળી આ પુત્ર જ કેવળ નરકમાં જશે, એટલુ જ નહી પણ એના સવ શોની પણ નરક સિવાય અન્યગતિ નથી. અરે ! આ દુષ્ટ દેવને ધિક્કાર છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ७४ કુમારપાળ ચરિત્ર વળી આ પુત્ર માટે થશે, ત્યારે કુલના નાશ કરશે. જેમ વૃિદ્ધ પામવાથી પીપળાનું વૃક્ષ દેવમ'ક્રિને ઉચ્છિન્ન કરે છે, તેમ આ પુત્ર બહુ દુ:ખદાયક થશે. માટે વેલાસર એને કોઈ ઠેકાણે વિદ્યાય કરવા જોઈ એ, એમ વિચાર કરી તે બ્રાહ્મણે પેાતાની સ્ત્રીને કહ્યું. હે ભદ્રે ! આ પુત્રને જલદી તું ખહાર કોઈ ગુપ્ત ઠેકાણે મુકી આવ. એને રાખવાથી આપણને સુખ થવાનું નથી. એ પ્રમાણે પેાતાના સ્વામીનુ વચન સાંભળી સ્રીના હૃદયમાં અગ્નિવાલા પ્રગટ થઇ અને બહુ શેચ કરતી તે ગ ંગા પાતાના સ્વામીને કહેવા લાગી. હૈ સ્વામિ ! આ તમે શું મેલ્યા ! પુત્રી પણ એકદમ ત્યાગ કરાતી નથી તે ચંદ્રસમાન નેત્રને આનંદ આપતા આવા પુત્રની તે વાત જ શી કરવી ? હે સ્વામિ ! ચિંતામણિ અને પુત્ર એમને આ દુનિયામાં બહુ જ દુંભ હૈાય છે. કોઈ પુણ્યશાળીને તે પ્રાપ્ત થાય છે, તે આપણને પૂવ ના પુણ્યયેાગથી આ પુત્ર થયા છે, હુવે એને ત્યાગ કેવી રીતે થઇ શકે ? જેના માટે વિષ્ણુધજનો પણ અનેક ઉપાય નિર'તર કરે છે, છતાં પણ પુત્રસુખના ભેગી થતા નથી. તેા તેવા પુત્રને કચેા બુદ્ધિમાન્ ત્યજી દે ? બ્રાહ્મણે પેાતાની સ્ત્રીને કહ્યુ', સુભગે ! તારૂ' કહેવું સત્ય છે, પર’તુ જે પેાતાના કુલની ઉન્નતિ કરે તેવા પુત્રનુ` પાલન કરવું ઉચિત છે. આ પુત્રમાં કુલક્ષણ રહેલાં છે, જેથી તે કુલના નાશ કરનાર થશે. માટે તું એને જલદી બહાર મૂકી આવ, હવે મિથ્યાવિચાર તુ કરીશ નહી. તે સાંભળી સ્ત્રીના મનમાં વિચાર થયે કૈ, કુલીન સ્ત્રીઓને પુત્રથી પણ પેાતાના સ્વામીનું વચન પ્રિય હાય છે. એમ સમજી તે શ્રી શાકાતુર બની પુત્રને તેડી લીધે. Page #122 -------------------------------------------------------------------------- ________________ અજાપુત્ર ૭૫ અશ્રુ પ્રવાહથી વક્ષસ્થલને તથા સ્તનમાંથી ઝરતા દુધવડે પૃથ્વીને સિંચન કરતી, વારંવાર તે બાલકના મસ્તક પર ચુંબન કરતી, તેણીએ રત્નની માફક કેઈક જગાએ તેને મૂકી દીધું. અને તે સ્ત્રી પોતાને ઘેર આવી. તેટલામાં ત્યાં એક અજા–બકરી આવી તે આ બાળકના પૂર્વ જન્મની માતા હતી. માર્ગમાં પડેલા બાળકને જોઈ તે તેની પાસે ગઈ, કે તરત જ પૂર્વસંબંધને લીધે તેણીના સ્તનમાંથી દૂધ કરવા લાગ્યું. તે દુધ બાળકના મુખમાં પડવાથી કંઈક તેને શાંતિ થઈ. અજાપાલ બકરીની પાછળ આવતા વાગભટ નામે વાળના જોવામાં આ સઘળી હકીક્ત આવી. તેથી તેને દયા આવી અને તરત જ તે બાળકને લઈ ઘેર ગયે. તેણે પોતાની સ્ત્રીને તે બાળક અર્પણ કર્યો. અજાપાલની તે સ્ત્રી પણ પિતાને પુત્ર નહીં હોવાથી તેને પુત્ર તરીકે પાલવા લાગી. તૃષાતુર માણસને પાણી મળવાથી જેમ તે સ્ત્રી પુત્ર મળવાથી બહુ જ આનંદ પામી. આ ઉપરથી માત્ર આ દુનિયામાં દેવને મહિમા સ્તુતિ કરવા લાયક છે. વિપત્તિ કે સંપતકાળમાં પણ અન્ય કેઈ સમર્થ થઈ શકતે નથી. કારણ કે જો કે, તરત જ આ બાળકને તેના માતા પિતાએ જંગલમાં મૂકી દીધે, તેમજ અજાપાલને ત્યાં તેને ફરીથી તેજ વખતે સમાવેશ થયે, તેનું કારણ ખાસ દેવ જ થયું. હવે વાગભટ અને એની સ્ત્રીએ વિચાર કર્યો કે, આ બાળકને અજા–બકરીએ દુધ પાન કરાવ્યું, તેથી એનું નામ અજા પુત્ર પાડવું જોઈએ, એમ જાણી બહુ ઉમંગથી તેઓએ તે નામ જાહેર કર્યું. | સર્વગુણોનો આશ્રય અને પૂર્વાજિત પુણ્યને લીધે ભવિષ્ય કાળમાં અત્યંત સંપત્તિના પાત્રરૂપ તે બાળક અજાપાલને ત્યાં જળમય ભૂમિમાં જેમ કમળ તેમ વૃદ્ધિ પામવા લાગે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૬ કુમારપાળ ચરિત્ર અનુક્રમે બાલવયમાં પણ તેનું તેજ બહુ વધવા લાગ્યું. જેથી તે બાળક જગતને જીતનાર અપૂર્વ તેજના સમૂહથી જેમ સૂર્ય દિવસના કર્તાપણાને એગ્ય થાય છે, તેમ રાજ્યની ગ્યતાને લાયક દેખાવા લાગ્યા. વળી વૃદ્ધિ પામતા સર્વે ગુણરૂપી વૃક્ષમાં વસંતની માફક તે બાલકની અંદર રસની માફક બહુ અદ્દભુત પ્રકારનું સત્વ-પરાક્રમ પ્રાપ્ત થયું. વિના પ્રયાસે પણ તેના હૃદયમાં નિર્મલ જલથી ભરેલા સરેવરમાં ચંદ્રબિંબની માફક સર્વ કલાઓ ફેરવા લાગી. દેવીવચન એક દિવસ તેના પિતાને તાવ આવ્યો, જેથી તે બકરાને ચારવા જવા માટે અશક્ત થયે એટલે તેની આજ્ઞાથી તે અજાપુત્ર બકરાંના ટેળાને લઈ અરણ્યમાં ચારવા માટે ગયે. ને ત્યાં આગળ તે બકરીઓ પિતાની ઈચ્છા પ્રમાણે ચરવા લાગી અને અજાપુત્ર બહુ આનંદથી એક વડની છાયામાં બેઠે. તેવામાં બહ વિશાળ તે વડની નીચે શિકારના પ્રયાસથી શ્રમિત થયેલ ચંદ્રાપીડ નામે તેજનગર રાજા આવ્યું. તેની કાંતિ ચંદ્રસમાન દીપતી હતી. બહુ શ્રમ લાગવાથી તે રાજા પોતાના પરિવાર સહિત સુંદર વડની છાયામાં બેઠે. તેટલામાં દિવ્ય કાંતિથી દિશાઓને પ્રકાશિત કરતી કોઈ એક દેવી પ્રગટ થઈ અને તરત જ તે બેલી. હે રાજન્ ! આ અજાપુત્ર લાખ સૈનિકોને અધિપતિ થશે અને તે બાર વર્ષ પછી તેને મારીને આ નગરને અધિપતિ થશે. એમ કહી તે દેવી અંતર્ધાન થઈ ગઈ ત્યાર પછી રાજાની દષ્ટિ અજા પુત્ર તરફ ગઈ. બહુ શોચવા લાયક તેની દશા જોઈ રાજાના મનમાં ગર્વ છે કે, Page #124 -------------------------------------------------------------------------- ________________ G૭ અજા પુત્ર વિચાર આ બિચારે શું કરવાનું છે? એમ તેને તૃણ સમાન ગણી પિતે વિચાર કરવા લાગ્યા. તે દેવીએ જે વચન મારી આગળ કહ્યું, તે અગ્ય છે. કારણ કે તેજસ્વી સિંહની આગળ બકરાને શે હિસાબ છે? કદાચિત પાંગળો માણસ જે મેરૂ પર્વત પર ચઢે તેમજ હાથ વિનાને ઠુંઠે માણસ સમુદ્ર તરી સામી પાર જઈ શકે તો આ બાળક મને મારવાને શક્તિમાન થાય. એમ ગર્વના શિખરે ચઢેલે તે રાજા મૌન રહ્યો. ત્યારે તેને સુમતિ નામે મંત્રીશ્વરે કહ્યું. હે સ્વામિ ! નાના પણ શત્રુની ઉપેક્ષા કરવી તે ઠીક નહીં, કારણ કે વ્યાધિ અને શત્રુ એ બંને એક સરખા કહ્યા છે, તેમની ઉપેક્ષા કરવાથી મેટા સ્વરૂપમાં તેઓ આવી જાય છે, ત્યારે બુદ્ધિશાળી પુરુષે પણ તેમને ઉથાપી શકતા નથી. માટે આપના પર દયા લાવી કેઈક આ દેવીએ આપના હિતની વાત કહી છે. જો કે પાષાણ લેખ અસ્થિર થઈ શકે પણ દિવ્યવાણી કઈ સમયે મિથ્યા થાય નહીં. પ્રાયે આ શત્રુ બાલ્યાવસ્થાને લીધે કઈપણ અપકાર કરી શકે તેમ નથી. તે પણ એને આપના દેશમાંથી ચારની માફક કોઈપણ સ્થાને વિદાય કરે તે ઠીક છે. એ પ્રમાણે પિતાના મંત્રીને વિચાર એગ્ય માની રાજાએ કઈ પણ જંગલમાં તેજ વખતે પિતાના આપ્ત પુરુષ મારફત અજાપુત્રને વિદાય કરાવ્યું. અજાપુત્ર વિચાર માતા પિતાથી વિમુક્ત થયેલ ભયંકર વનમાં પડેલે આ બાલક એકાકી છતાં પણ વિદ્વાનની માફક પિતાના મનમાં વિચાર કરવા લાગે. ' અરે ! મારે કઈપણ પ્રકારને અપરાધ નથી, છતાં આ રાજાએ મને અધમ અપરાધીની માફક શા માટે દેશપાર કર્યો? Page #125 -------------------------------------------------------------------------- ________________ ७८ કુમારપાળ ચરિત્ર એમ વિચાર કરતાં તેના જાણવામાં આવ્યુ કે, આ દેવીની વાણીથી તે રાજાના મનમાં ભય ઉત્પન્ન થયા, જેથી એણે પેાતાના રાજ્યનું રક્ષણ કરવા માટે મને પેાતાના દેશમાંથી કાઢી મૂકયા. જીવિત અને રાજ્ય, એ ખ'ને મનુષ્યાને બહુ જ પ્રિય હાય છે. જેના માટે ડાહ્યા માણસેા પણ અતિશય અનુચિત કાર્યાં કરે છે. અરે ! આ મનુષ્યકીટથી શું થવાનું છે ? આ દુનિયામાં એક પરાક્રમ જ બસ છે, જેથી આવા પાપીઓના સહાર કરી ખલિષ્ઠ રાજ્ય તામે કરાય છે. એમ વિચાર કરી દૌય વડે મનને દૃઢ કરી તે અજાપુત્ર સિ'હુની માફક નિર્ભીય થઈ આગળ ચાલતા થયા. ઘેાર લનમાં પ્રયાણ કરતા નીડર એવા પણ સિંહાર્દિક પ્રાણીઓ બહુ પરાક્રમવાળા અજાપુત્રના દર્શીનથી રક બની ગયા અને ચિત્રામણમાં આલેખ્યાની માફક સ્થિર થઇ ગયા. વન ફુલથી આહાર વૃત્તિ ચલાવતા અને શુદ્ધ તરુવરીની છાયામાં વિશ્રામ પણ તે લેતા હતા. એમ કરતાં તે અજાપુત્ર તપસ્વી જેમ સંસારના પારને પામે તેમ વનના પ્રાંત ભાગમાં આવી પહાંચ્યા. ત્યાં આગળ એક નગરી તેના જોવામાં આવી. તેથી તે બહુ ખુશી થયા અને તરત જ તે નગરીને ઉદ્દેશી ચાલતા થયા. માર્ગમાં ચાલતાં એક યક્ષનુ મંદિર આવ્યું. તેની શાભા બહુ મનાહર હતી. તેની નજીકમાં એક અગ્નિનો કુંડ હતા. તેમાંથી ચારે તરફ અગ્નિની જવાલાએ નીકળતી હતી. તેની આસપાસ ચાકીદારની માક ચાર પુરુષા ઉભા હતા. પીન માત્ર ધારણ કર્યાં હતાં. સુખ પણ શ્યામ હતાં એવા દીન અવસ્થામાં આવી પડેલા તે પુરુષાને જોઇ ચકિત થયેલા મજા. પુત્ર નિખાલસ બુદ્ધિથી તેમને પુછવા લાગ્યા. હું મહાશયે ! આ અગ્નિ કુંડ શા માટે તમે આવી આકૃતિએ અહી` શા માટે ઉભા છે ? તમે કાણું છે ? યે છે? Page #126 -------------------------------------------------------------------------- ________________ વિદેશિક મહાત્મા ७८ જે મને કહેવામાં કંઈ અડચણ ન હોય, તે આ બાબત મને જણાવે. તે પુરુષે બેલ્યા. ભાઈ ! તું બાલક છે. અમારું કામ બહું મોટું છે. તેથી તેને શું કહીએ! તારાથી આ કાર્ય બની શકે તેમ નથી. અજાપુત્ર છે. મોટું કામ મોટાઓ જ કરે, નાને માણસ ન કરી શકે, એમ તમારૂં જે ધારવું છે, તે તદ્દન ખોટું છે. મોટા માણસ જે કાર્ય ન કરી શકે, તે કાર્ય નાને માણસ પણ કદાચિત કરે છે, મોટા ભાલાઓથી જે પત્થર તુટતા નથી, તેજ પત્થરને શું ટાંકણ તોડી શકતાં નથી ? એ પ્રમાણે તે બાલકનું ચમત્કારી વચન સાંભળી વિસ્મિત થયેલા તે પુરુષ બેલ્યા. ભાઈ ! એવી તારી હીંમત હોય તે અમારી હકીક્ત તું સાંભળ. વૈદેશિક મહાત્મા. સર્વ સમૃદ્ધિએથી ભરપુર અને નિષ્કપ-ભય રહિત ચંપા નામે નગરી છે, તેની અંદર અમે ચારે ભાઈએ રહીએ છીએ. એક બીજા પર અમારે નેહ બહુ સચેટ રહે છે અને હંમેશાં એક એકની આબાદી ઈચ્છીએ છીએ. અમારે આ નાને ભાઈ છે. તેને ઘણું ઉપાયે કરવાથી એક પુત્ર થશે. તેની બુદ્ધિ બહુ જ પવિત્ર અને કાંતિ જોતાં સુવર્ણ સમાન દીપે છે. એક દિવસે તેને બહુ જ અસાધ્ય વ્યાધિ પ્રગટ થયે. સેંકડો વિદ્ય લેકોએ ઉપચાર ઘણા કર્યા પણ કિંચિત માત્ર તેને આરામ થનહીં. તેમજ હકિમ વિગેરે અન્ય લોકોએ પણ તેના આરામ માટે ઘણા ઉપાયે કર્યા છતાં પણ દુર્જનને વિષે સત્કારની માફક તે સર્વ પ્રયાસ વ્યર્થ નીવડયા. અમે ચારે ભાઈઓ તે ચિંતા સાગરમાં માછલીઓની માફક તરફડતા હતા. તેવામાં પોતાના પૂર્વજની માફક કેઈ એક દયાલુ દેશિક મહાત્મા આ. Page #127 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર તેણે અમને કહ્યું કે, આ બાબતમાં તમે ચિંતા કરશે નહીં. અગ્નિ વૃક્ષનું પાકેલું ફલ એને આપે. અમૃત સમાન સ્વાદિષ્ટ એવા તે ફલનું ભક્ષણ કરવાથી આ બાલક સાજો થશે. તે અગ્નિવૃક્ષ કાદંબર વનના પ્રાંતભાગમાં યક્ષનું મંદિર છે, તેની પાસમાં બળતા અગ્નિકુંડમાં રહેલું છે. ત્યાં તમે જાઓ અને તે ફલા લાવીને એને આપે. તે સાંભળી તરત જ અમે અહીં આવ્યા છીએ અને તેના કહેવા પ્રમાણે નિશાની સાથે સર્વ હકીક્ત સત્ય મળી છે. હવે અમે કૌપીન માત્ર ધારણ કરી આ અગ્નિમાં બહુ ઉત્સાહથી પડવા ધારીએ છીએ, પરંતુ આ બળતી વન્ડિજ્વાળાઓના ભયથી અમે પડી શકતા નથી. તેથી અમે બહુ દુઃખના માર્યા આ અગ્નિની પાછળ ફેરા મારીએ છીએ. હવે આપણે શું કરવું? એમ એક બીજાના સામું અમે જોઈ રહ્યા છીએ. અદ્દભુત પપકાર આ વાત સાંભળી અજા પુત્રને દયા આવી અને તેમને કહ્યું ભાઈઓ! તમે દુઃખી થશે નહીં. હું આ અગ્નિવૃક્ષનું ફલ તમને અંદરથી લાવી આપીશ. ચિંતા કરવાનું કંઈ પણ કારણ નથી, ત્યારે પુરુષ બેલ્યા. ભાઈ! આ ભયંકર અગ્નિમાં તારે પેસવું તે ગ્ય નથી. કારણ કે શક્તિ છતાં પણ પારકાને માટે મરણ સંકટમાં કયે માણસ પ્રવેશ કરે ? વળી અગ્નિવૃક્ષથી તમારી પાસે જે ફળ મંગાવવું, તે પ્રાણૂકપણ પાસે સર્પ મરાવવા બરાબર છે. માટે હે આર્યપુરુષ! તું તારું પિતાનું કામ કર. આ અગ્નિમાંથી ફળ તે અમારામાંથી કોઈપણ એક જણ લાવશે. એમ સાંભળી ફરીથી પણ અજા પુત્ર બે હે સજજને! એમ તમારે બોલવું નહીં, કારણ કે સારુષ પરેપકારને જ સ્વાર્થ માને છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ફળપ્રદાન સજજન પુરુષે વિના સ્વાર્થે પરોપકાર માટે પ્રયત્ન કરે છે. જગતને આનંદ આપવામાં તત્પર એવા મેઘ વિગેરેને તમે શું નથી જોતા? વળી પિતાની માફક પરનું કાર્ય જે મનુષ્ય નથી કરતા તેનું બહુ વિનથી ભરેલું આ શરીર શા કામમાં આવવાનું? અતિ ખેદની વાત છે કે, જેનામાં શક્તિ છતાં પરોપકારથી વિમુખ રહે છે. એ પ્રમાણે ફલાથી પુરુષને સમજાવીને અજા પુત્ર જેમ જળના કુંડમાં તેમ તે અગ્નિકુંડમાં પડશે અને તેમાંથી બે ફળ લઈ તરતા જ બહાર નીકળે. સિદ્ધની માફક તેના શરીરે બીલકુલ અગ્નિને સ્પર્શ ન થયેલ જોઈ તેઓ ચકિત થઈ ગયા અને બંદીની માફક તેની સ્તુતિ કરવા લાગ્યા. ફળ પ્રદાન સાત્તિવક સપુરુષોમાં પ્રશંસા કરવા લાયક એક આપ જ છે, ચંદનની માફક આપને આ દેહ અન્ય જનોના તાપને શાંત કરનાર છે. આ દુનિયામાં સ્વાર્થ સાધવામાં કુશલ એવા શુદ્ર માણસો ઘણાય છે, પરંતુ આમ્રવૃક્ષની માફક પરકાર્ય સાધવામાં પ્રવીણ તે આપ એક જ છે. એ પ્રમાણે બહુ સ્તુતિ કર્યા બાદ તેઓએ પૂછયું. હે ઉત્તમ પુરુષ ! તમે સત્ય વાત કહે, અગ્નિí પડવાથી તમે બન્યા નહીં તેનું શું કારણ? અને બે ફળ કેવી રીતે લાવ્યા? અજાપુત્ર છે. અગ્નિવૃક્ષ પર નિવાસ કરી રહેલી કઈ દેવીએ મને બે ફળ આપ્યાં, તે લઈ હું અક્ષત અંગે બહાર નીકળી આવ્યું. બાદ તે પુરુષોએ એક ફળ બહુ આગ્રહ કરી અજાપુત્રને આપ્યું અને એક પિતાના પુત્રને ખવરાવી સાજો કર્યા પછી તેઓ આનંદ પામ્યા. કપિપુરુષ હવે અજાપુત્ર ત્યાંથી આગળ નીકળે અને નગરપ્રત્યે ચાલતા થયે. બહુ આનંદથી તે જેતે હતા, તેવામાં તે માર્ગમાં પાંજિનેને આનંદ આપનાર એક તળાવ આવ્યું. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૮૨ કુમારપાળ ચરિત્ર તે જોઇ તેનુ હૃદય બહુ પ્રસન્ન થયું. જે સરવર શીત અને શ્વેત રસમય કમળાના સુગધમાં લુબ્ધ થયેલા ભ્રમરાના નાદ વડે અમૃતકુંડની માફક પંચેન્દ્રિઓને બહુ આન ંદ આપતું હતું. તેમજ તેના ઘેરાવા ગેાળાકાર અને મનેાહર હતા. તેની પાળી ઉપર ચારે તરફ વૃક્ષની પતિ શૈાભતી હતી અને તે વૃક્ષેા ઉપરથી પડેલાં શ્વેત પુષ્પા મૌતિક-મેાતીઆના દ્વાર તરીકે દીપતાં હતાં. તેથી તે અદ્દભુત સરોવર પૃથ્વીરૂપ સ્ત્રીના કુંડલ સમાન શેભતું હતુ'. અન્નપુત્રને બહુ તૃષા લાગી હતી, તેથી તે અગ્નિવૃક્ષનું ફલ એક વસ્ત્રના છેડે ખાંધી તેને સરાવરના કિનારે મૂકી અંદર ઉતરી તે પાણી પીવા લાગ્યા. તેટલામાં મુક્તાહારથી સુચૈાભિત કડવાળે, કોઇક વાનર ધ્રુવયેાગે આમતેમ ફરતા ફરતા તે સરેાવરમાં આવ્યેા. બહુ સુંગધને લીધે નાસિકાને આનંદ આવવાથી વાનરે જાણ્યું કે આ સુગંધ આ ફૂલમાંથી આવે છે, એમ જાણી ઝડપથી તે ફલ વસ્ત્રના છેડેથી છેાડી લઈ એકદમ નાશી ગયે.. જલપાન કરી અજાપુત્ર તરત જ પાછા આવ્યે અને વસ્ત્ર જોયુ તા તેના છેડે ફૂલ જોવામાં આવ્યુ નહી, એટલે સવ સ્વહીન થયે હાય તેમ તે ચારે દિશાએ તપાસ કરવા લાગ્યા. વળી તેણે વિચાર કર્યાં કે, આ નિજન વનમાં કઈ માણસનુ આગમન સભવતું નથી, તેા કલ્પવૃક્ષના ફૂલ સમાન મા ફળ કાણુ લઈ ગયું હશે ? અરે! દેવને ધિક્કાર છે કે, જેણે વૈરીની માફક આટલે પણ ઉદય સહન ન કર્યાં, અથવા “ મંદ પુણ્યવાળા પ્રાણીઓના હાથમાંથી આવેલી વસ્તુ ચાલી જાય છે.” જો હું તે ફલ કેડે બાંધીને પાણી પીવા ગયા હત તે તે મારી પાસમાંથી જાત નહીં, અથવા ભવિતવ્યતા કાઈથી દૂર યતી નથી. Page #130 -------------------------------------------------------------------------- ________________ દિવ્યતેજ ૮૩. એમ વિચાર કરતો અજા પુત્ર શૂન્ય હદયથી ત્યાં ઉભે હતો, તેટલામાં હારથી સુશોભિત કંઠવાળે કઈ પુરુષ તેને કહેવા લાગ્યું. હું વાનર હતે. તારા વસ્ત્રમાંથી લીધેલા ફલનું દીઠું ખાવાથી ઉત્તમ દેવસમાન હું હાલ જ આ ઉત્તમ પુરુષ થયો છું. હે પુરુષ! કેવલ મારા હિતના માટે જ તારૂં અહીં આગમન થયું હશે. અન્યથા ભવાંતરમાં મેળવી શકાય તેવો આ માનવદેહ મને કયાંથી મળી શકે ? માટે હે ઉપકારિ ! આ તારૂં અક્ષત ફલ તેમજ આ મારે અમૂલ્ય મૌક્તિક હાર હું તને અર્પણ કરું છું, તેને તું સ્વીકાર કર અને આજથી મને દાસ તરીકે ગણવો, જેથી હું કૃતાર્થ થાઉં. એમ કહી વાનર પુરુષે તેને હાર તથા ફૂલ આપ્યાં. બંનેની પ્રાપ્તિથી ખુશી થયેલા અજાપુત્રે પણ તેને સ્વીકાર કર્યો અને તેને પોતાના માણસ તરીકે કરી લીધે. દીવ્યતેજ આ ફલ પશુઓને પણ મનુષ્યત્વ આપનારું છે, એમ પિતાના હૃદયમાં નિશ્ચય કર્યો. વળી આ ફલને બહુ અલૌકિક પ્રભાવ છે. એ પ્રમાણે વિચાર કરતા તે અજાપુત્ર બહુ ચકિત થઈ ગયે. એકલાએ પંથ કરવો યોગ્ય નથી.” એ વાકયનું સ્મરણ કરતે અજાપુત્ર વાનર પુરુષને સાથે લઈ સ્થિર મનથી આગળ ચાલતે થયો. ચાલતાં ચાલતાં સૂર્યાસ્ત થયા. તેવામાં ત્યાં એક સુંદર અવિચ્છિન્ન દેવમંદિર આવ્યું. તે જોઈ અજાપુત્ર વિશ્રાંતિ માટે ત્યાં રહ્યો. તેજસ્વી પણ દેવની આજ્ઞા ઉલ્લંઘન કરવા શક્તિમાન થતા નથી, એમ ડાહ્યા માણસને બેધ આપવાની જેમ સૂર્ય પણ તે સમયે અસ્ત થયો. જ્યાં સુધી દિવસ રહે ત્યાં સુધી હું કમલ-ગુણવાન પુરુષમાં રહું છું, એમ પ્રસિદ્ધ કરતી હોય તેમ શ્રી લક્ષમીએ સાયંકાળે કમલને ત્યાગ કર્યો. Page #131 -------------------------------------------------------------------------- ________________ ~~~~ ~~~~ કુમારપાળ ચરિત્ર જગતરૂપી ઘરમાં પ્રદીપ સમાન સૂર્ય અસ્ત થયે એટલે દષ્ટિને રોધ કરનાર કેવલ અંધકાર વ્યાપી ગયું. તારાઓના સમૂહથી ઝગઝગતું આકાશમતીઓથી ભરેલા મરકત મણીના પાત્રની માફક અતિશય દીપવા લાગ્યું. હંમેશાં હું અંધકારને નાશ કરૂં છું છતાં તે વારંવાર કેમ પ્રગટ થાય છે, એમ ધારી બહુ ષથી લાલ થયે હોય તેમ તે વખતે ચંદ્ર પ્રકાશવા લાગ્યા. એ પ્રમાણે રાત્રીને પ્રસાર બરોબર થઈ રહ્યો, એટલે પિતાની સાથે રહેલે વાનરપુરુષ સુઈ ગયો. પછી તે દેવમંદિરની અંદર જળહળતું તેજ અજા પુત્રના જોવામાં આવ્યું. તેણે વિચાર કર્યો. એકદમ તેજને પ્રાદુર્ભાવ શાથી થયે? અત્યાર સુધી બીલકુલ દેખાતે નહેાતે, હાલમાં આ કયાંથી આવ્યું? શું આ તેજ દેવી હશે? શું અગ્નિનું હશે? અથવા તે શું નાગના મણિથી થયેલું હશે? એની તપાસ તે કરવી જોઈએ, એમ વિચાર કરીને તપાસ કરવા માટે અજા પુત્ર તે પ્રકાશ તરફ ચાલે. ત્યાં આગળ એક સુરંગ દ્વાર દેખવામાં આવ્યું. તે જોઈ તેને ઈરછા થઈ કે, જોઈએ તે ખરા આગળ શું છે? તે ભેંયરામાં ઉતર્યો. જેમ જેમ તે ચાલતો ગયે, તેમ તેમ તે દીવ્ય તેજ નીચે નીચે દેખાવા લાગ્યું, અજાપુત્ર પણ મૂઢની જેમ તેની પાછળ લા રહ્યો. તેના પરિશ્રમના માટે જેમ તે તેજ બહુ નીચે જવા લાગ્યું. અજાપુત્ર પણ ધૈર્ય રાખી તેની પાછળ ચાલતાં બહુ ભૂમિ ઉલ્લંઘન કરી આગળ ચાલ્યા ગયે એટલે ત્યાં સરખી જમીન આવી અને જે તેજ દેખાતું હતું, તે પણ બંધ થઈ ગયું. તેમજ તે પ્રદેશમાં એક નગરી તેના જેવામાં આવી અને તે વિચાર કરવા લાગ્યા. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૮૫. શિવંકરાનગરી ' અરે! તે દેવમંદિર કયાં ગયું? મારે મિત્ર કયાં ગયે દિવ્ય તેજ કયાં ગયું? આ જમીન ક્યાંથી આવી? અને આ નગરી કયાંથી આવી? અહો! દૈવને વિલાસ કેઈ વિચિત્ર છે. ભૂવિવરમાં માર્ગ બતાવનાર તેજનો અભાવ થવાથી આ પુરુષ આગળ કેવી રીતે ચાલી શકશે? એમ દયાના પ્રાદુભાવથી તે સમયે સૂર્ય પ્રગટ થયે. સૂર્યને ઉદય થયું કે તરત જ દિશાઓનું અંધારું દૂર થઈ ગયું. કારણકે તેજ અને અંધકારની એક સાથે સ્થિતિ કોઈ કાળે ઘટતી નથી. ત્યારબાદ અજા પુત્ર નવીન કૌતુક જોવામાં બહુ ઉસુક થયે અને પિતાની પાસે રહેલા ફલનું ચૂર્ણ કરી હારની સાથે કેડમાં બાંધી આગળ ચાલતો થયે. શિવંકરાનગરી નગરીની પાસમાં સર્વત્ર પરિભ્રમણ કરતાં મૃગલાં, શિયાળવાં વિગેરે પ્રાણીઓને જોઈ તે વિચાર કરવા લાગ્યા. આ નગર તે ઉજજડ છે? અથવા કેઈ વસ્તિવાળું છે ? એમ શક્તિ મનથી અજાપુત્ર દર્ય રાખી નગરના મધ્ય ભાગમાં ગયે. ત્યાં બંધુઓના મરણથી જેમ શેકાતુર થયેલા લેકોને જોઈ બહુ ખેદ કરતો રાજમાર્ગમાં ગયો. ત્યાં પણ શૂન્યતા જોઈ તે રાજદ્વાર આગળ ગયે. દુઃખથી બળેલાઓની માફક શ્યામ મુખવાળા દ્વારપાળને જોઈ શૌર્ય રાખી અજાપુત્ર તેમને પૂછવા લાગ્યો. આ નગરીનું નામ શું છે? અહીં રાજા કોણ છે? આ લોકો શકાતુર કેમ થયા છે? તમે પણ આવી દુર્દશામાં શાથી આવી પડયા છે ? હે સજજનો ! સત્ય હકીકત શી છે? તે આ૫ નિવેદન કરે. દ્વારપાલ બોલ્યા. વૈભવમાં સ્વર્ગ પુરી સમાન શિવકરા નામે આ નગરી છે. બહુ તેજસ્વી દુધ નામે આ નગરીને રાજા છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર તે એક દિવસ બહુ પાપ ભરાઈ જવાથી શીકાર માટે બહાર નીકળે. જેની સાથે ઉત્સાહ ધરાવતા અનેક સૈનિકે નીકળ્યા, જેથી પૃથ્વીતલ કંપવા લાગ્યું. વળી ક્ષેત્રપાલની માફક ભયંકર કેટલાક કુતરાએ તેની સાથમાં લીધા હતા. કેટલાક સુભટએ ગણેશની માફક હાથમાં કુઠાર ધારણ કરેલા હતા અને જેમનાં ઉદર બહ સ્થૂલ દેખાતાં હતાં. કેટલાક અધર્મને ધારણ કરનાર એવા ત્રશૂલધારી શંકરની માફક ચાલતા હતા. કેટલાક શ્યામ શરીરવાળા મુરારી-કૃષ્ણ સરખા હતા. કેટલાક ખગધારી અને પ્રૌઢ ઉત્સાહવાળા જિગીષની માફક રાજસેવકે શીકાર કરવાની બુદ્ધિવાળા થઈ રાજાની સાથે શેભતા હતા. સિંહનાદ, ભેરી, ધનુષના ટંકારવ અને નિશાનના નાદ વડે દિશાઓને ગજાવતા તે રાજાએ પશુઓનો સંહાર કરવામાં મૃત્યુ સમાન થઈ તે વનમાં પ્રવેશ કર્યો. તે સમયે મૃગલાઓ ચારે દિશાએ નાસવા લાગ્યા. રૂરૂ નામે મૃગલાઓ ભયભીત થઈ ગયા. કૃષ્ણસાર મૃગ સાર વિનાના થઈ ગયા. શિયાળવાઓ મરણ દશાને પામ્યા. વાનરાઓ શેકાતુર થઈ ગયા. સાંઢનાં પણ અંગ સીદવા લાગ્યાં. હાથીએના મનમાં બહુ ક્ષેભ થવા લાગ્યા. ડુક્કર પણ બળહીન થઈ ગયા અને સિંહ તે બહુ ક્રોધાતુર થઈ ગયા. એ પ્રમાણે રાજાનાં બાણ છુટવાથી ખળભળાટ થઈ ગયો તેમજ તેના સુભટોએ પણ અતિશય ખડગના પ્રહારથી મેઘની માફક આરણ્યક પશુઓને મેટી આપત્તિમાં નાંખ્યા. Page #134 -------------------------------------------------------------------------- ________________ શિવ કરાનગરી ८७ એ પ્રમાણે ભવ્ય સ્ત્રીની માફક મૃગયા શીકારમાં આસકત થયેલા રાજા પેાતાના સૈન્યને છેાડી દઇ પાતે એકલા બહુ દૂર નીકળી ગયેા. મધ્યાન્હકાળના સમય થયા, તૃષાથી બહુ પીડાવા લાગ્યુંા. પેાતાની પાસમાં પાણી મળે નહીં તેથી રાજા બહુ ગભરાયા. અરે દેવ ! હવે શુ થશે ? એમ ચિ'તાતુર થઇ પાણી માટે વનની અંદર નિÖન જેમ ધનને માટે તેમ, રાજા ફરવા લાગ્યા. પવતમાં રત્ન, દુનમાં સોજન્ય અને મરૂદેશમાં જેમ આમ્રવૃક્ષ તેમ તે વનમાં એક પદ-ધરા રાજાની દૃષ્ટિગેાચર થયા. અમૃત કુંડની માફક તે હદને જોઈ રાજા બહુ ખુશી થશે. અને તેની અંદર તેણે હુ‘સની માફક પાણી પીવા પ્રવેશ કર્યાં. સ્વચ્છ જલપાન કરવાથી તરત જ દુય ભૂપતિ વાઘ થઇ ગયે.. અહેા ! જળમાં પણ કેવા માટે! ચમત્કાર રહેલે! હાય છે! અમૃત સમાન ઉજવલ અને અપૂર્વ શુદ્ધિમય જલ તપશ્ચર્યાંથી પ્રગટ થયેલા તેજની માફક દુષ્ટ આશ્રયને લીધે તે રાજાને અન દાયક થયું. તે જલના પ્રભાવથી વાઘના સ્વરૂપને પ્રાપ્ત થતા રાજાને તેની પાછળ જતા નૃસિંહ નામે તેના પુત્રે જોયા, તેમજ તેના સૈનિકોએ પણ જાયે.. વાઘ થયેલા પેાતાના પિતાને જોઇ નૃસિંહુકુમાર “અરે મારા પિતાને એકદમ આ શુ થયું ! ” એમ હૃદયમાં શેક કરતા બહુ વેગથી તેની પાસે દોડતા તે ગયા. તેટલામાં બહુ ક્ષુધાતુર થયેલા વાઘ પાણીમાંથી બહાર નીકળી ભયંકર મુખ ફાડીને તે પેાતાના પુત્રને જ ખાઈ ગયા. અહે ! “ પશુઓમાં વિવેકપણુ કયાંથી હેય !” વાઘ થયેલા રાજાને તેમજ તેણે ખાધેલા તેના પુત્રને જોઇ તેના વના સ` લેાકે રૂદન કરવા લાગ્યા. જેના કોલાહલ સત્ર વ્યાપ્ત થઇ ગયા. વળી બીજા પેાતાના માણસેાને પશુ ખાવા માટે બહુ ક્રોધથી ઢાડતા તે વાઘને લેાઢાની વિશાળ સાંકળેથી જેમ તેમ કરી મહા— Page #135 -------------------------------------------------------------------------- ________________ ૮૮ કુમારપાળ ચરિત્ર મુસીબતે સૈનિકે એ બાંધી લીધે. પછી તેઓ લેઢાનું મજબુત એક પાંજરું લાવ્યા. મહા અનર્થની મૂતિ સમાન તે પાંજરાની અંદર વાઘને પૂ. ત્યાર પછી મંત્રી લોકોએ તે પાંજરુ રાજમહેલમાં લાવીને મૂકયું છે. નિષ્ફલપ્રગ હવે રાજાનું વાઘપણું કેવી રીતે દૂર થાય? તે વિચાર માટે મંત્રીએ એકઠા થયા. માંત્રિક લેકેએ મંત્રના ઉપચાર કર્યા. યંત્ર તંત્રના જાણકારોએ પોતપોતાના ઉપાય કર્યા, વૈદ્ય લોકોએ પણ ઔષધાદિકના પ્રવેગે સારી રીતે કર્યા, પરંતુ તે વાઘપણું દુષ્કર્મની માફક દૂર થયું નહીં. मंत्रादिस्मरण शुभानुसरण पृथ्वीपससेवन, शास्त्राद्यभ्यसन गुणाधिगमन सदेवताराधनम् । शत्रुप्रोदलन परेरापकरण रत्नाकरोल्लंघन, देवे हि प्रतिकूलतां कलयति व्यर्थ समस्त नृणाम् ॥१॥ મંત્રાદિકનું સ્મરણ, શુભ કાર્યનું આચરણ, ભૂપતિનું સેવન, શાસ્ત્રાદિકને અભ્યાસ, સદ્ગુણોની પ્રાપ્તિ, ઉત્તમ દેવેનું આરાધન, શત્રુઓનું ઉચછેદન, પરેપકાર વૃત્તિ અને સમુદ્રનું ઉલ્લંઘન, એ સર્વે દૈવની અનુકૂળતાથીજ સિદ્ધ થાય છે. અન્યથા તે સઘળું નિષ્ફળ થાય છે. હે પુરુષ ! આ પિતાના સ્વામીના દુઃખથી સર્વ લેકે શકાતુર થઈ ગયા છે. “રાહના ગ્રહણ કરવાથી ચંદ્રના કિરણે વિક વર કેવી રીતે રહી શકે છે મનુષ્યત્વ પ્રાપ્તિ તે વૃત્તાંત સાંભળી અજા પુત્ર છે. હે ભાઈ ! આ મહાકણ જે તમારે દૂર કરવું હોય તે તે વાઘ કયાં છે? મને બતાવે, હું જલદી તેને મનુષ્ય બનાવું, આ બાબતની ચિંતા કરશો નહીં. અજા પુત્રને તે પુરુષ રાજમહેલ આગળ લઈ ગયે. દ્વારપાલેએ આ વાત મંત્રીને જણાવી, Page #136 -------------------------------------------------------------------------- ________________ શિવ’કરાનગરી ૮૯ મંત્રીએ તરત જ હુકમ કર્યાં એટલે સાક્ષાત્ ઉપકારની માફ્ક અજાપુત્રને અંદર તેઓએ પ્રવેશ કરાવ્ચેા, અજાપુત્રને આવતા જોઈ મંત્રી એકદમ ઉસે થયા અને બહુ આનંદ પામતા મેટા અમૂલ્ય આસન ઉપર તેને બેસાર્યાં ત્યાર પછી વિનયપૂર્વક તે મેલ્યું. કે મહાશય ! આપની આગળ દ્વારપાલે જે રાજાની વાત કહી છે, તે સત્ય છે. વળી આ રાજાની કુળદેવી અગ્નિક્રમમાં રહે છે, તેણીની મારાધના હાત મેં કરી હતી. પ્રસન્ન થઈ તે દેવીએ આજે મને સ્વપ્નમાં કહ્યું હતું. હે મ`ત્રિન! હવે તું ખીલકુલ ખેદ કરીશ નહીં, પ્રભાતમાં પવિત્ર છે બુદ્ધિ જેની એવા અજાપુત્ર અહીં આવશે અને આ રાજાનુ પશુ પણું દૂર કરશે. તે સાંભળી મેં દેવીને પૂછ્યું. એ અજાપુત્ર કાણુ છે ? અને હાલમાં તે કયાં રહે છે ? તેમજ તે કેવી રીતે અહી આવશે ? ફરીથી દેવીએ મને કહ્યું. અજાપુત્ર અનેક પ્રકારના દેશવિદેશ જોવાની ઈચ્છાથી પૃથ્વી પર ફરતા ફરતા અરણ્યના પ્રાંત ભાગમાં રહેલા દેવાલયની અંદર હાલ રહેલા છે, પ્રકાશના પ્રપ′ચ કરી તે તે વસ્તુ એવામાં લુબ્ધ બનેલા તે અજાપુત્રને હું પાતે જ અહી લાવીશ, એમાં તમારે કંઇ ચિંતા કરવાની નથી. એમ તે દેવીના આશ્વાસનથી અંતઃપુર તથા સર્વ પરિવાર સહિત અમે રાગી માણસ જેમ ઉત્તમ વૈદ્યની તેમ તમારી વાટ જોઈ બેઠા છીએ. અમારા ભાગ્યથી ધ્રુવ ઈચ્છાએ તમારૂ આગમન થયું છે. હવે રાજાનું દુઃખ દૂર કરી આ રાજ્યને તમે સનાથ કરી. એમ મંત્રીની વિનંતી સાંભળી અજાપુત્ર વાઘની પાસે ગયા અને અગ્નિવૃક્ષના ફલનુ ચૂણું આપી તેને માણસ બનાવી દીધેા. Page #137 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર નુપમૂછ હવે દુર્જયરાજા બાળકની માફક પિતાનું વૃત્તાંત નહીં જાણતા છે . આ શું છે? આ લેકે શા માટે એકઠા થયા છે એ પ્રમાણે ચક્તિ થઈ તે પૂછવા લાગે. મંત્રીએ જવાબમાં જણાવ્યું. આપ વાઘના સ્વરૂપને પામ્યા હતા અને આપે આપના કુમાર ને મારી નાખે. તે સાંભળી રાજા વજપાતની માફક તેજ વખતે મૂર્શિત થઈ પૃથ્વી પર પડશે. મંત્રી વિગેરે સર્વ પરિવાર ઉપચાર કરવા લાગ્યા. ચંદનાદિક દ્રવના સિંચનથી રાજા સચેતન થયે. અને તે પુત્રના ગુણેને સંભારી સંભારી દુખથી બહુ વિલાપ કરવા લાગ્યા. હે વત્સ! મને મૂકીને તું કયાં ગયે? હા પુત્ર! શું તું નથી જાણતું કે, આ મારા વિના નહીં જીવી શકે ? લેકમાં તેમજ શાસ્ત્રમાં પણ પ્રથમ કઈ વખત આ બીના બની નહતી કે મનુષ્ય વાઘપણું પામી શકે ? આ એક આશ્ચર્ય થયું, તે હું માનું છું કે, તારા મરણ માટે જ દેવે આ સિદ્ધ કરી બતાવ્યું. હા પુત્ર! તારૂં મરણ મેં પોતે જ કર્યું છે, તે હવે હું કને ઠપકે આપું ? અન્ય માણસને ઠપકો આપી શકાય, પરંતુ જે કાર્યને પોતે વિનાશ કરે તેને ઠપકો આપી શકાય નહીં. પિતાના પુત્રને તે મ્લેચ્છ લેકે પણ મારતા નથી, તે આ અકૃત્ય કરવાથી મારી શી ગતિ થશે? હે વિબુધ ! આ સંબંધી મને માલુમ નથી, હવે મારે શું કરવું? એ પ્રમાણે રાજા બહુ વિલાપ કરવા લાગે. મંત્રીઓએ બહુ સમજાવ્યા પછી તેણે પિતાના પુત્રની ઉર્વદેહિક કિયા કરાવીને અથ પાત પૂર્વક શેકાતુર થઈ તે બેઠે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ઉપકાર સમરણ ઉપકાર સ્મરણ - ત્યારબાદ રાજાની આગળ હાથ જોડી મંત્રી છે. હે સ્વામિ ! આ અજાપુત્ર આપને ઉપકારી છે. તે સાંભળી રાજા અજાપુત્રના દર્શનથી બહુ રાજી થયા અને કહ્યું, હે મિત્ર ! આ અતિશય તેજને પ્રકાશ તારે જ છે, કારણ કે સૂર્યની માફક તેજસ્વી એવા તારાવડે મારી આ દુર્દશારૂપી રાત્રીને નાશ થયે તે જે મારે ઉપકાર કર્યો છે, તેને બદલે હું મારું સર્વ રાજ્ય આપું તે પણ વળે તેમ નથી. કારણ કે આખી દુનિયામાં પણ જીવિતદાન આપનારને બદલે હેત નથી.” સેંકડો ઉપયાર કરનાર પણ પ્રત્યુપકારી, પ્રથમ ઉપકાર કરનારની તુલનાને પામતું નથી. કારણ કે ઉપકારી પુરુષ ગુણોને જોયા વિના કાર્ય કરે છે અને પ્રત્યુપકારી તે ગુણ જોયા પછી પ્રવૃત્ત થાય છે. એમ છતાં પણ ફુરણાયમાન વૈભવથી વિરાજમાન આ મારૂં રાજ્ય તું ગ્રહણ કર અને કંઈક પણ મને ત્રણ મુક્ત કર. સજજનમેત્રી એ પ્રમાણે રાજાની પ્રાર્થના સાંભળી અજા પુત્ર છે, હે ભૂપતિ! આપનું કહેવું બહુ સારું છે, કમલમાં લમીની માફક આપની બુદ્ધિ કૃતજ્ઞપણામાં રહેલી છે, એ આશ્ચર્ય છે. તમારું રાજ્ય એ હું મારું જ સમજું છું. આપ આપનું રાજ્ય સુખેથી ભગવે. પરંતુ આપ મારી સાથે મિત્રતાને સંબંધ રાખે, કારણ કે “સર્જનને મૈત્રી બહુ પ્રિય હોય છે.” वितरति मति, हंति क्लेशं, निगृहति दूषण', प्रथयति गुणनातं सातं तनोति धिनोति च । रचयति यशः सूते धर्मे, प्रसारयति श्रियं, सृजति महतां मैंत्री किं न, प्रिय सुरधेनुवत् ॥१॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર સજજનની મૈત્રી બુદ્ધિને વિસ્તાર છે. કલેશને નાશ કરે છે. દૂષણને નિવારે છે. અનેક ગુણેને પ્રગટ કરે છે. સુખ આપે છે. હૃદયને પ્રસન્ન કરે છે. કીર્તિને પલ્લવિત કરે છે. ધર્મને વધારે છે. લક્ષમીને પ્રસારે છે. એટલું જ નહીં પણ કામધેનુની માફક ચિંતિત વસ્તુની પ્રાપ્તિ કરે છે.” એ પ્રમાણે અજાપુત્રનું વચન માન્ય કરી ભૂપતિએ મૈત્રી કબુલ કરી. ત્યાર પછી તેણે પિતાના બંધુની માફક નેહાદ્ર હૃદયથી નવીન નવીને દિવ્ય ભેગાવડે તેને પ્રસન્ન કર્યો. માયાવી હાથી ત્યારબાદ પ્રમુદિત થયેલે તે અજાપુત્ર સિદ્ધની માફક અદ્ભુત પ્રકારનું પિતાનું કલાકૌશલ્ય ત્યાં રહીને રાજાને બતાવવા લાગે. એમ કરતાં ત્યાં તેણે કેટલેક સમય વ્યતીત કર્યો. ત્યાર પછી તેણે વાઘ બનાવનાર તે સરોવરનું પાણી જેવા માટે રાજાને પ્રાર્થના કરી, એટલે દુર્જયરાજા અજાપુત્રને સાથે લઈ નગરમાંથી બહાર નીકળે. કવિના મુખમાંથી જેમ કલેક અને ધનુષ માંથી જેમ બાણ તેમ બહુ વેગથી ઘોડેસ્વારે તેની પાછળ નીકળ્યા. જેથી ઘણી ભૂમિ છવાઈ ગઈ અને ચાલતા ચાલતા તેઓ વનની અંદર ગયા. ત્યાં સમુદ્રની માફક સવચ્છ જળથી ભરેલે તે સરેવર પિતાને મિત્રને રાજાએ બતાવ્યો. તે સરોવર બહુ ગંભીર છે. છતાં પણ સચેતન હેયને શું ? કુહકાગ્રહ અથવા ખરાબ મગરાદિક પ્રાણીઓથી વ્યાપ્ત, મુનિની માફક વ્રત-ગળાકાર છતાં પણ કુશાસન-ખરાબ પ્રવૃત્તિ અથવા ખરાબ દર્માદિકથી ઘેરાયેલ, સ્વચ્છ જળથી ભરેલે પણ નીલકમલેમાં બેઠેલા ભમરાઓની કાંતિને લીધે અથવા અંદર પ્રતિબિંબિત થયેલા આકાશના સંક્રમણથી જેમ શ્યામ કાંતિને ધારણ કરતો, Page #140 -------------------------------------------------------------------------- ________________ માયાવીહસ્તી પિતાના ખોળામાં રમતા પુત્રોની માફક કમલોવડે સુશોભિત, જીવન-જીવિકા અથવા પાણિ મળવાથી સંતુષ્ટ થયેલા સુભટોની માફક પક્ષીઓ વડે વીંટાએલા તે સરોવરને જોઈ અજા પુત્ર પિતાના મનમાં વિચાર કરવા લાગે. અહો ! આ સરોવર જડ=જળમય છે, તે પણ તેને કેટલે મહિમા કુરી રહ્યો છે? ત્યાર પછી રાજા બે હે મિત્ર! આ પાણી તું જે ! એના મહિમાનો પાર નથી, કારણ કે પ્રથમ એણે મને વાઘ બનાવ્યો, તેથી તારો સમાગમ મને થ. જે અજ્ઞાનથી મેં આ પાણી ન પીધું હેત તો તારા સરખો દુર્લભ મિત્ર મને ક્યાંથી મળત? પછી અજાપુત્ર છે. આ પાણી અને બીજા પાણીનું સ્વરૂપ તે એક સરખું દેખાય છે. કંઈપણ ભેદ દેખાતું નથી. છતાં આવી શક્તિ એનામાં શાથી આવી હશે? અથવા “દરેક વસ્તુની નિમણુતા વિચિત્ર હોય છે.” એ પ્રમાણે બંને વાત કરતા હતા, તેટલામાં તે સરોવરમાંથી સમુદ્રમાંથી અિરાવત હાથી નીકળે, તેમ એક મહાન હાથી નીકળે. - બાંધવાના દેરડાની માફક સુંઢના આઘાતવડે મોટા જળતરંગને વિદારણ કરે અને પગે બાંધેલી સાંકળની માફક શેવાલ વલ્લરીનું આકર્ષણ કરતે તે હાથી માયાવી હાથીની માફક સરોવરમાંથી બહાર નીકળી અજાપુત્રને એકદમ જળમાં ખેંચી ગયે. હે હસ્તિ ! ચેરની માફક મારા મિત્રનું હરણ કરી તું ક્યાં જાય છે? એમ કહી તરવાર ખેંચીને રાજા તે હાથીની પાછળ દોડયો. પાણીની અંદર હાથી બહુ વેગથી આગળ ચાલ્યો જાય છે અને રાજા જલદી મહાવતની માફક તેની પાછળ જાય છે. એમ કરતાં કરતાં તેઓ બંને પાણીની અંદર ઘણું નીચા ઉતરી ગયા અને હાથી એકદમ અદશ્ય થઈ ગયે. Page #141 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર મિત્રએ મિત્ર સહિત હાથીને અદશ્ય થયેલે જોઈ રાજા લથી ભ્રષ્ટ થયેલા સિંહની માફક બહુ ખેદમાં પડી ગયે. મારા દેખતાં છતાં આ મારો મિત્ર કયાં ગયે ? એમ ચક્તિ થયેલે રાજા આગળ ચાલવા લાગે. કંઈક દૂર ગયે એટલે સેનાને એક મહેલ તેને જોવામાં આવ્યું. દેદીપ્યમાન સુવર્ણમાંથી નીકળતા કાંતિના સમૂહવડે ચારે તરફ પ્રસરતા બાલ સૂર્યના કિરણોથી જેમ દિગમંડલને પિંજર કરતે, દેવવિમાનની માફક તેજસ્વી અને અલૌકિક લક્ષમી વડે વિભૂષિત તે મંદિરને જોઈ રાજા વિચાર કરવા લાગે. તે હાથી, તે મારે મિત્ર, તે સરેવર અને તે પાણી કયાં ગયા? તેમજ આ ભૂમિ અને આ મંદિર કયાંથી દશ્ય થયાં? સ્વપ્ન સમાન આ શું ! ! ચંડીકાદેવી વિસ્મિત થયેલે રાજા તે મંદિરની અંદર ગયે. ત્યાં દિવ્ય પૂજાથી સુશોભિત ચંડીકાદેવીનાં તેને દર્શન થયાં. રાજાએ દેવીને પ્રણામ કર્યો. પછી રાજાના મનમાં બહુ પશ્ચાતાપ થ. મારા દેખતાં હાથી મારા મિત્રને હરી ગયે, છતાં મારાથી તેનું રક્ષણ ન થઈ શકર્યું. માટે હું ધિક્કારને પાત્ર છું. એમ તે જયરાજા બહુ દુઃખી થયે છતાં, તે દેવીની પૂજાને ઈચ્છતે હેય તેમ, તે દેવીની સમક્ષ મરતકરૂપી કમળને ખગવડે છેદવા માટે તૈયાર થયા. અહે ! “સજજન મૈત્રી કેવી અલૌકિક હોય છે. ” દુર્જય ભૂપતિ કમલની માફક પિતાના મસ્તકને છેદવા માટે જેટલામાં ખચ્ચ ઉપાડે છે, તેટલામાં મહા તેજરિવની તે દેવી રાજાની આગળ પ્રગટ થઈને તેને કહેવા લાગી. Page #142 -------------------------------------------------------------------------- ________________ સર્વાંગસુંદરી હે રાજન ! મિત્ર માટે વૃથા શિરછેદ કરવાની કોઈ જરૂર નથી. શા માટે તું દુઃખી થાય છે ? તારા પુણ્યને લીધે છ માસ પછી તારા મિત્રને સમાગમ તને જરૂર થશે. ચિંતા કરીશ નહીં. એમ કહ્યા બાદ દેવી તેના કાનમાં કંઈ કહીને પછી દિવ્ય ઔષધ આપીને પિતાના સ્થાનમાં ચાલી ગઈ. તેવામાં અદ્દભુત શૃંગારથી વિભૂષિત કેઈક સ્ત્રી ચંદનપુષ્પ વિગેરે પૂજાપો લઈ દેવીને પૂજવા માટે ત્યાં આવી. તે સ્ત્રીને જોઈ રાજા વિચાર કરવા લાગે. જરૂર આ માનુષી નથી, કારણ કે મને જોવા માટે તેણીની દષ્ટિ નિર્નિમેષ-સ્થિર હોય તેમ દેખાય છે. અથવા લાવણ્યના સ્થાનરૂપ આ ખરેખર રતિ હશે. કારણ કે એના દર્શનથી પણ સર્વાગે કામની કુંતિ થાય છે. એમ રાજા વિચાર કરતું હતું, તેટલામાં તે સ્ત્રીએ દેવીની પૂજા કરીને કામના બાણ સમાન મારેલા કટાક્ષેવિડે તે રાજાને વિહિત ક. સર્વાંગસુંદરી તેમજ કાંતિવડે સુકમલ રાજાના મુખ ચંદ્રનું અવેલેકન કરતી તે સ્ત્રીને પ્રેમરૂપી સાગર બહુ ઉછળવા લાગે, એ ઉચિત છે. રાજાના દર્શન માત્રથી તરત જ તે સ્ત્રી અત્યંત કામાતુર થઈ ગઈ અને કટાક્ષવડે તેને જોતી જોતી પોતાના સ્થાનમાં ચાલી ગઈ ત્યાર પછી રાજા વિચારમાં પડે. આ કોણ હશે? અને અકરમાત અહીં કયાંથી આવી? નેહદષ્ટિથી કામાતુર થયેલા મને વારંવાર તે શા માટે જેતી હશે? એમ રાજા પિતાના મનમાં વિચાર કરતું હતું, તેવામાં કંઈક સ્ત્રી ત્યાં આવી અને અમૃતમય વાણવડે રાજાને કહેવા લાગી. હે રાજન ! બહુ તેજસ્વી અને ગજગામિની સર્વાંગસુંદરી નામે વ્યંતરદેવી અહીં નજીકમાં રહે છે. તે અમારી સ્વામિની છે. તે આ દેવીને પૂજવા માટે અહીં આવી હતી. Page #143 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર કામ સમાન તેજસ્વી એવા આપના દર્શનથી બહુ પ્રેમને લીધે તે આપને પોતાને ત્યાં બોલાવે છે. માટે આપ પ્રસન્ન થઈ જલદી તેને સ્થાનમાં પધારે. તેણીના સત્કારને આપ સ્વીકાર કરો અને મહેરબાની કરે. તે સાંભળી રાજાને આશ્ચર્ય થયું, મારું ભાગ્ય બહુ બલવાન છે. એમ પિતાના મનમાં આનંદ માનતે રાજા તે સ્ત્રીને આગળ કરી વ્યંતરીના સ્થાનમાં ગયો. ત્યાં કેઈ ઠેકાણે સ્ફટિક રત્નોથી બંધાવેલી અને ઉત્તમ કમળથી વિરાજમાન વાપિકાએ કીડા માટે રહેલી છે. કઈ સ્થલે સુગંધિત પુષ્પો તરફ ભ્રમણ કરતી ભ્રમરીઓના નાદરૂપ સંગીતથી વાલિત ઉદ્યાન રહેલા છે. કેઈક જગાએ પુષ્પની શાઓથી અતિ શીતલ કદલીગૃહ દીપે છે. કેઈક સ્થલે દિવ્ય આભરણેથી વિભૂષિત દાસીઓ ઉભેલી છે. કઈ ઠેકાણે સુધામય વાણીને અભ્યાસ કરવામાં લુખ્ય એવા પોપટ રહેલા છે. કેઈ ઠેકાણે કુદકા મારતા કસ્તુરીઆ મૃગ રહેલા છે. કેટલાક સ્થળે કપૂર, કસ્તુરી, ચંદન અને કેસરના ઢગલાઓ રહેલા છે. તે જોઈ રાજા બહુ વિસ્મય પામ્યા અને તે વ્યંતરીની પાસે ગયે. વ્યંતરી પ્રાર્થના ત્યાર પછી તે વ્યંતરીએ દિવ્યસ્નાન, વસ્ત્ર અને આસન દિવડે રાજાને ગ્ય સત્કાર કર્યો. ત્યાર પછી તેણીએ રાજાને કહ્યું. હે દેવીતમારા દર્શનથી મારા હૃદયમાં ઘણી પ્રીતિ થઈ છે, માટે હું પ્રાર્થના કરું છું, આપ કૃપા કરી મારી સાથે ભેગવિલાસ કરે. આ પ્રાસાદ, આ લક્ષમી, પ્રીતિના રીતથી ખેંચાયેલી હું પિતે અને આ માટે પરિવાર, એ સઘળું આપનું છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ વ્યંતરેન્દ્રનું સ્થાન એ પ્રમાણે વ્યંતરીનુ' વચન વિભૂષિત તે વ્યંતરીની સાથે બહુ સાથે જેમ દેવ તેમ ક્રીડા કરી. તેવા અદ્દભુતસ્થાનમાં નિવાસ કરતા રાજા વ્યંતરી સાથે ક્રીડા કરતા છતાં સ્વર્ગમાં વાસ કરતા ઇંદ્રને તૃણ સરખા પણ માનતા ન હતા. દેવની અનુકૂળતા હાય તા વિપત્તિ પણ સપત્તિદાયક થાય છે. જો એમ ન હોય તેા સરોવરમાં પડવાથી તેને સુખ કેમ થયું ? ત્યાં દુયનૃપને બહુ આન ંદ હતા છતાં પણ તેના હૃદયમાં મિત્રના વિરહરૂપ એક માઢુ દુઃખ જાગ્રત હતું. ૯૭ અંગીકાર કરી દિવ્ય અલકારાથી આન ંદથી રાજાએ ઉન્મત્ત દેવી વ્ય તરેન્દ્રનુ સ્થાન હવે તે હાથી અજાપુત્રને ઉપાડી સરોવરની નીચે ગયે। અને વ્યંતરાના સ્થાનમાં તેને મૂકીને અદૃશ્ય થઈ ગયા. કોઈ સમયે નહી જોયેલી તે સવ ભૂમિને નાના પ્રકારના મણીઓથી વ્યાપ્ત જોઈ તેને અજાપુત્ર પેાતાના મનમાં રત્નાની ખાણુ તરીકે માનવા લાગ્યા. આ હાથી કાણુ હશે? મને અહીં શા માટે તે મૂકી ગયા ? અને તે પાતે કયાં ગયા ? એમ વિચાર કરતા તે અજાપુત્રને કોઈક ન્યતરે જોયા. કરવાનું જાણે ઔષધ હાય તેવુ', આ મારુ આશ્ચય છે કે, આ બિચારા મનુષ્ય અહીં કયાંથી! એમ વિસ્મિત થયેલા તે દેવ તેને વ્યતરેદ્રના સ્થાનમાં લઈ ગયે.. જેની ચારે બાજુએ સુવર્ણ ના કિલ્લા શાલે છે. જે કિટ્ટાની ઉપર રત્નના કાંગરાએ દીપે છે. જેના નીચેના ભાગ મણીઓથી બાંધેલેા છે. જેની અંદર ઉંચાં તારણા બાંધેલાં છે. સપત્તિઓનુ ક્રીડાસ્થાન, હૃદયને રતિભવન અને ચક્ષુષને સ્તંભન ७ તે વ્યંતરાનું સ્થાન જોવામાં આવ્યું. Page #145 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર તેમાં બંને પ્રકારે પણ ઉત્તમ છાયા તડકાને અભાવ કાંતિવાળા, બંને પ્રકારે પ્રેક્ષણ-નૃત્ય અવકન ને ઉચિત અને બંને પ્રકારે અપૂર્વ કલ્યાણ-સુખ-સુવર્ણથી સંપૂર્ણ એવાં વ્યંતરનાં ઘરોને જોઈને અજાપુત્ર બહુ આનંદ પામે. લાવણ્યના સ્થાનભૂત, શંગારને ખાસ દીપાવનારી અને કામદેવને જીવાડનારી વ્યંતરદેવીઓને પિતાના સ્વરૂપવડે મહિત કરતે, સ્વપ્નમાં પણ નહીં જોયેલ દેવીઓએ રચેલા સ્કાર સંગીત રૂપી અદ્દભુત અમૃતનું નેત્રથી પાન કરતે, નાસિકાને આનંદ આપતા ક૯પવૃક્ષના પૂના સુગંધવડે આનંદમાં મન થયેલ અજાપુત્ર વ્યંતરેંદ્રના મહેલમાં ગયો. વ્યતરેન્દ્રને અતિથિ તે મહેલની અંદર ઈંદ્રની સભા સંબંધી સર્વ લક્ષમીને હરણ કરનાર અને પ્રાચીન અપૂર્વ પૂણ્યરૂપી વૃક્ષના ફલરૂપ સભામાં વિરાજમાન થયેલ, મહાન તેજસ્વી તારાઓના મધ્યમાં રહેલા શરદપુનમના ચંદ્રની જેમ દેના મધ્ય ભાગમાં બેઠેલ, કરૂણારસના સમુદ્ર સમાન, દક્ષિણ્યને એક આશ્રય અને સેવકના મરથ પુરવામાં કલ્પવૃક્ષ સમાન વ્યંતરે તેને જોવામાં આવ્યા. અજાપુત્રે તેને પ્રણામ કર્યો. પ્રસન્ન થયેલ વ્યંતરંદ્ર બોલ્યો. તું કેણ છે? અહીં શા માટે તું આવ્યો છે? એમ પૂછવાથી અજાપુને પિતાનું સર્વવૃત્તાંત તેને કહી સંભળાવ્યું. વ્યંતરે કહ્યું. હે ભાઈ ! અહીં તારે કોઈ પ્રકારની ચિંતા રાખવી નહી. પિતાના પિતૃગૃહની માફક અહી સુખેથી તું રહે. આ સ્થાનને તારે નિર્ભય સમજવું. એમ કહી તેણે હુકમ કર્યો, જેથી દેવ અને દેવીઓએ પિતાના બંધુની માફક તેને સ્નાન કરાવ્યું. ઉત્તમ પ્રકારના અંલકાથી અલકૃત કર્યો અને દિવ્ય ભેજન જમાડી સંતુષ્ટ કર્યો. Page #146 -------------------------------------------------------------------------- ________________ રેરે નકસ્વરૂપ પછી બહુ પ્રકારના ઉદાર સત્કારવર્ડ હુંમેશાં બહુ આદરથી પિતાની માફ્ક વ્યંતરેદ્ર અજાપુત્રને પ્રસન્ન કરતા હતા. અમૃત સમાન ધમ ગોષ્ઠી અને મનેાહર કુતુહુલાને લીધે અજાપુત્ર સવ દેવીઓને પેાતાના પ્રાણથી પણ અધિક પ્રિય લાગતા હતા. દિવ્ય વસ્ત્ર અને આસન લેાજન વિગેરેથી દેવીએ હુ'મેશાં તેની સેવા કરતી હતી. તેથી તે અજાપુત્ર માનને લીધે પેાતાના હૃદયમાં મનુષ્ય છતાં પેાતાને દેવ માનવા લાગ્યું.. નરસ્વરૂપ એક દિવસ અજાપુત્ર અને વ્યંતરેંદ્ર આન ંદથી બેઠા હતા. વાતચિત ચાલતી હતી. તેવા અજાપુત્રે કુતુહલથી વ્યંતરેદ્રને પૂછ્યું. હે પ્રભુ ! આ વ્યંતર ભૂમિની નીચે શુ હશે ? વ્યતરાધિપતિએ કહ્યુ.. આની નીચે દુઃખના ઓરડા સમાન સાત નરકસ્થાન છે. જેમની અંદર અત્યંત દુઃખથી પીડાતા નારકી જીવા રહે છે. હું કેવી રીતે તે સ્થાનેા જોઇ શકું ? એ પ્રમાણે કૌતુકથી તેણે પૂછ્યુ. ત્યારે તેના મસ્તક ઉપર વ્યંતર્દ્ર ગુરુની માફક પેાતાના હાથ મૂકયા. તેના પ્રભાવથી સિદ્ધાંજનના પ્રક્ષેપથી જેમ ક્ષણમાત્રમાં જ્ઞાનીની જેમ તે દિવ્ય ચક્ષુષવાળા થયા અને તે નરકસ્થાનાનુ અવલેાકન કરવા શક્તિમાન થયે.. રત્નપ્રભાદિક સાત નરકસ્થાના નીચે રહેલાં તેઓ અનુક્રમે તત્કાલ તેના જોવામાં આવ્યાં. તે સાત ભૂમિકામાં અનુક્રમે ૩૦-૨૫-૧૫-૧૦-૩-પાંચ ઓછા એકલાખ અને પાંચ એમ એકંદર ૮૪ લાખ નરકાવાસ છે. તે સાતે ભૂમિકાઓ દુગ ધ અને પ્રસાર પામતી ખરામ ચરખી, રૂધિર વિગેરે અશુચિથી ભરેલી છે. રત્નપ્રભાદિ ત્રણ ભૂમિકાઓમાં અગ્નિથી પણ ઘણા ઉષ્ણુ, ચેાથી ભૂમિકામાં ઉપર ઘણા અતિ ઉષ્ણુ અને નીચે કિંચિત્ ઠંડા, પાંચમી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કુમારપાળ ચરિત્ર ભૂમિકામાં બહુજ અત્યુ અને હિમથી પણ અધિક ઠંડા તેમજ છઠ્ઠી અને સાતમી ભૂમિકામાં સર્વત્ર શીતમય એવા નરકાવાસ નીકળવાના માર્ગથી અજ્ઞાત અને અંધકારથી વ્યાપ્ત ગર્ભવાસની માફક અજાપુત્રે જોયા. ત્યાં આગળ નિર્દય એવા અંબાદિક પરમાધાર્મિક દેવે કેટલાક ને શુલીઓ ઉપર ફેકે છે. કેટલાકને ચિતાગ્નિમાં નાખે છે. કેટલાકને વજી સમાન તીક્ષણ કાંટાઓમાં અફળાવે છે. કેટલાકને આરાદિકથી વિધે છે, કેટલાકને દેરડાઓ બાંધે છે. કેટલાકનાં કુઠાર, ત્રિશુલ, ભાલા. તરવાર, ગુપ્તિ, શક્તિ અને તેમ વડે ઉદર અને હૃદયને ચીરે છે. તેમજ ચરબી, માંસ, આંતરડાં અને કેશને ખેંચે છે, કેટલાક તે મસ્તક, બાહુ, કેડ, હાથ, પગ અને આંગળીઓને ભાંગી નાખે છે, કેટલાક મહાકુંભી-કુંડ અને કઢાઈ વિગેરેમાં તે જીવને રાંધે છે. તેમજ તેઓના શરીરમાંથી ભુરિકાદિકવડે કકડા કરીને અસ્થિ સહિત માંસના ટુકડાઓને વારંવાર આ સ્વાદ લે છે. કેટલાકને છાયા માટે અસિપત્રના વનમાં લઈ જાય છે. તેમની ઉપર પડતાં ખગ્ર વિગેરે શસ્રોવડે કેટલાકના હાથ, પગ કાન, નાક અને એઠ કપાઈ જાય છે. અત્યંત ઉષ્ણુ રેતીમાં ચાલતા કેટલાક પ્રાણીઓ ધાણીની માફક સેકાઈ જાય છે. તેમજ તેમના હાડકાઓના તડતડ અવાજ થાય છે. ચરબી અને કેહેલા કેશ, અસ્થિ તથા રૂધિરથી ભરેલી વિતરણ નદીમાં કેટલાકને ડુબાવે છે. કેટલાકને તપાવેલા સીસાના પ્રવાહમાં અનેક પ્રકારે ફેરવે છે. કેટલાકને ઉકાળેલા તેલ, તાંબુ અને સીસાનું પાન કરાવે છે. કેટલાકને ઓષ્ટ પલવને વજસમાન સયાવડે સીવી લે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ નરકેસ્વરૂપ ૧૦૧ કેટલાકને સાક્ષાત અગ્નિની ધગધગતી પુતલીઓ સાથે વારંવાર આલિંગન કરાવે છે, કેટલાકને વજ કંટકની શય્યાઓમાં બલાત્કારે સુવાડે છે. કેટલાકને ઉંચા મુખ અને નીચા પગે પશુની માફક રંગાવે છે. પછી નીચે અગ્નિ સળગાવી તેમને શેકીને દરેકનાં અંગોપાંગ છેદે છે. કેટલાકને પાપડના પીઠાની માફક સુષ્ટિના આઘાતથી કુટે છે. કેટલાકને તીક્ષ્ણઅથવાળાં કરવાથી કાષ્ટની માફક ફાડી નાંખે છે. લોઢાના લકુટેવડે જીર્ણ પાત્રની માફક કેટલાકને ફેડી નાંખે છે. મોટા પાષાણું ઉપર બી વસ્ત્રને જેમ રામ કેટલાકને પછાડે છે. આ પ્રાણી મારા પૂર્વ જન્મનો વેરી છે, એવા વિચારથી બહુ ક્રોધ વડે પરસ્પર સેંકડો શસ્ત્રના પ્રહારથી કેટલાકને બહુ પીડે છે. બહુ વ્યથાને લીધે પવનથી ઉછાળેલા પત્રની માફક પચ્ચીશ જન ઉંચે જઈને પુનઃ તેઓ નીચે પડે છે. એવી રીતે સાતે નરક ભૂમિકાઓમાં શસ્ત્ર વિના પણ ક્ષેત્રથી ઉત્પન થયેલી પીડાઓ પરસ્પર ભેગવે છે; પાંચ ભૂમિકાઓમાં શસ્ત્ર જન્ય અને ત્રણમાં દેવતાઓએ કરેલી પીડા હોય છે. તેમજ ક્ષુધા-તૃષા વિગેરે બીજી દશ પ્રકારની મહાવ્યથાઓને સહન કરે છે, ત્યાં નિમેષા પણ સુખ હેતું નથી. દશ પ્રકારની વ્યથા-નૈરચાનું વિર્દ વેચM vજુમમાળા विहरति तद्यथा-सीय १ उसिण २ खुह ३ पिवासं ४ कंडु ५ परम्भ ६ भयं ७ सोग ८ जर' ९ वाहिं १० ।" શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, ખર્જન, પરતંત્રતા, ભય, શોક, જરા અને જવરકુષ્ટ વિગેરે વ્યાધિઓ ભેગવવી પડે છે. તેમજ શ્યામ અંગવાળા, નિંદવાને લાયક, છિન્ન ભિન્ન અંગવાળા અને આંતરડાં બહાર નીકળવાથી ભયંકર એવા નારકી જાને જોઈ અજાપુત્ર અજાયબ થઈ ગયે. તેમનું દુઃખ જેવાથી સાક્ષાત અનુભવથી જેમ અજાપુત્ર એકદમ મૂછિત થઈ મૃતકની માફક પૃથ્વી પર પડી ગયે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કુમારપાળ ચરિત્ર પછી વ્યંતર લોકેએ શીતાદિક બહુ ઉપચાર કર્યો, જેથી તે સચેતન થઈ ગયે. એટલે બહુ શેકાતુર થઈ ગયે અને પિતાના મનમાં સંસાર સ્થિતિને વિચાર કરવા લાગે. ધિકકાર છે આ સંસારને કે, જેની અંદર મધના બિંદુ સમાન સુખ રહેલું છે અને દુખ તે સમુદ્ર સમાન અપાર રહેલું છે. છતાં ચનીય એ છે કે પ્રાણીઓ તેમાં લુબ્ધ થાય છે. અરે ! આ પ્રાણીઓને પણ વારંવાર ધિક્કાર છે, કારણ કે તેઓ બહુ આરંભ સમારંભથી હંમેશાં અટકતા નથી, જેથી તેના પાપ વડે ઘેરાયેલા પ્રાણુઓ અધોગતિને પામે છે. માત્ર આરંભમાં જ સરસ અને પરિણામે નિરસ કિપાક વૃક્ષના ફલ સમાન દુષ્ટ એવા પાપ વૃક્ષના ફલને ધિક્કાર છે. હું માનું છું કે, સંસારમાં જ્યાં સુધી ધર્મામૃતનું તૃપ્તિ પર્યત પાન કરાતું નથી, ત્યાં સુધી પાપથી પ્રગટ થયેલે તાપ શાંત થતો નથી. માટે હું મારા સ્થાનમાં જાઉં અને કંઈક હવે આત્માનું હિત સાધન કરૂં, જેથી શાંત થઈ મારો આત્મા સર્વથી નિવૃત થાય. મિત્રચિન્તા એ પ્રમાણે વિચાર કરી અજાગે વ્યંતરેશ્વરને બહુ પ્રાર્થના પૂર્વક પૂછયું કે, હવે તે સરેવરની તીરે જવાની મારી બહુ ઈચ્છા થઇ છે, વ્યંતરાધિપે રૂપાંતર કરવાની એક ગુટિકા (ગોળી) તેને આપી અને પિતાના વ્યંતરે પાસે તેને સરેવરના કિનારે પહોંચાડે. - ત્યાર પછી અજાપુત્ર ત્યાં જેવા લાગે, પણ દુર્જયરાજા તેના જોવામાં આવ્યો નહીં. ત્યારે તેની શોધ માટે તે તળાવની પાળીના વૃક્ષ ઉપર પક્ષિની માફક ચઢી ગયા. પરંતુ રાજા તેના દેખવામાં આવ્યો નહીં. તે અરસામાં બહુ અધીર બનેલા રાજાના સૈનિકે દીનતાપૂર્વક અજાપુત્રને પૂછવા લાગ્યા કે, અમારે રાજા કયાં ગયે? Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ મિચિન્તા ત્યારે તે બે, હું જાણતો નથી. સૈનિકે કહ્યું, સરોવરના કિનારેથી તમને ખેંચીને હાથી જળની અંદર ડૂબી ગયો કે તરત જ બહુ દુઃખને લીધે તેઓ તમારી પાછળ દેડેલા છે. શરીરમાં રહેલા જેમ આત્માને તેમ આ સરોવરના કીનારે સેવકેએ રાજાની બહુ શોધ કરી, પરંતુ કેઈ ઠેકાણે તેને પત્તો લાગ્યો નથી. તેમજ અમે પણ આ પ્રદેશમાં સર્વત્ર ફરી ફરીને થાકયા છતાં અભવ્ય પ્રાણીઓને સંસારમાં જેમ ધર્મનાં તેમ રાજાનાં દર્શન થયાં નહીં. તેથી નગરના સર્વ લેકમાં બહુ શોક ફેલાઈ ગયું છે અને સર્વ નાગરિકે નિઈવની માફક અચેતન થઈ ગયા છે. તે સાંભળી અજાપુત્ર હાહાકાર કરવા લાગે. અરે ! મારા માટે એ ભાગ્યશાળીને આ શું થયું ? હવે હું વ્યંતરેંદ્રની પાસે જઈ તેને પૂછીને રાજાની તપાસ કરૂં. એમ વિચાર કરી અજા પુત્ર જળકીડાની ઈચ્છાથી જેમ સરોવરની અંદર વિજળીની માફક ઝુંપાપાત કર્યો. “અહો ! મૈત્રી તે આવી જ હેવી જોઈએ रैलोक्योपकृतौ कृतीति तपने प्रीतिव्यधाद्वासर स्तेनाप्यस्य पृथुप्रकाशजननी कापि प्रतिष्ठा ददे । अस्त यांतममु विलोक्य विकलः सोप्येतदास्तिवते । मैत्री घरपत गयोरिव भवेत् पुण्यात् कयोश्चिद् दृढा ॥३१७।। ત્રણે લેકના ઉપકારમાં બહુ કુશલ છે, એમ જાણી દિવસે સૂર્ય સાથે પ્રીતિ કરી, ત્યારે સૂર્ય પણ બહુ પ્રકાશ કરનારી કઈ અદભુત પ્રતિષ્ઠા તેને આપી. પુનઃ સૂર્યને અસ્ત જઈ દિવસ ઝાંખે થઈ અસ્ત થઈ ગયે. આવા દિવસ અને સૂર્યની જેવી કેઈક પુણ્યશાળી પ્રાણીઓની સટ મૈત્રી હોય છે.” Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કુમારપાળ ચરિત્ર અજાપુત્ર સ’કૅટમાં વ્યંતરની સહાય વિના સાવરના જળમાં પડચા કે તરત જ અજાપુત્રને કોઈક મગરે પકડયા; અને કટી સુધી ગળી ગયા. તેટલામાં તે સરાવરજળના પ્રભાવથી અજાપુત્રનુ અધું અંગ વાઘનુ' થઈ ગયુ. તેથી મગર પણ તેને ગળી શકયેા નહી'. તેમજ અજાપુત્રની કમર ઉપર રહેલા ચૂર્ણ'ના સ્પ વાળા પાણીના મુખમાં પ્રવેશ થવાથી તે મગર પણ મનુષ્ય થઇ ગયા. હવે અધુ અંગ વાઘનુ અને અર્ધું અંગ મનુષ્યનુ ધારણ કરતા અજાપુત્ર અચેતન થઇ ગયા. પછી તરંગાની લહેરથી તે કીનારા પર આવી પડી.. અહે। ! દેવની વિચિત્ર ગતિ છે. મનુષ્ય માત્ર પેાતાના હૃદયમાં કાંઈક અન્ય ચિંતવે છે, ત્યારે દૈવ કંઇક અન્ય પ્રગટ કરે છે, કારણ કે અજાપુત્ર રાજાને માટે જતા હતા, ત્યારે તે પોતે જ સ'કટમાં આવી પડયા. અરે ! બુદ્ધિમાન અને સમથ` પણ માણસ શું કરે ? હુંમેશાં કારણ વિના પણ જેનુ' દૈવ વૈર શેાધ્યા કરે છે. મિત્ર મિલન તેવામાં ત્યાં દૈવ ઇચ્છાથી સર્વાંગસુંદરીની દાસીઓ–ત્ર્ય તરીએ ભૂતલમાંથી રમવા માટે આવી. કીનારે પડેલા અજાપુત્ર તેમના જોવામાં આવ્યેા. નરસિંહની માફક મનુષ્ય અને સિંહનુ વિચિત્ર સ્વરૂપ આ અહીં કયાંથી ? એમ ચકિત થયેલી તે યંતરીએ તેને ઉપાડી પેાતાની સ્વામિનીની પાસે લઈ ગઈ. ત્યાં રહેલા દુય રાજા આ અદ્ભુત સ્વરૂપ જોઈ આશ્ચય પામ્યા કે આ શું? પછી તેના હૃદયમાં ચડિકાનુ' વચન યાદ આવ્યું. હું જ્યારે શિરચ્છેદ કરતા હતા, ત્યારે દેવીએ મને કહ્યું હતુ. છ માસ પછી માનવ અને વાઘ સ્વરૂપમય તારા મિત્રને તને સમાગમ થશે, એમ સ્મરણ થયા બાદ તે ભૂપતિએ દેવીએ આપેલા ઔષધ રસનું સિ ંચન કર્યુ. Page #152 -------------------------------------------------------------------------- ________________ સરોવરપ્રાપ્તિ ૧૦૫ તરત જ અજાપુત્ર મનુષ્યરૂપી મગરના મુખમાંથી બહાર નીક. વળી મગર તે તેજ પ્રમાણે મનુષાકાર સ્થિતિમાં ઉભે રહ્યો અને અજાપુત્ર પણ મનુષ્યના સ્વરૂપને પ્રાપ્ત થશે. બંને જણ વગથી સચેતન થઈ ગયા બાદ રાજાએ અજાપુત્રને ઓળખીને તેના વિરોગ વ્યથાની આતુરતાને લીધે અંદર પ્રવેશ કરવાને જેમ દતર આલિંગન કર્યું. સરવર પ્રાપ્તિ પરસ્પર એકબીજાના વૃત્તાન્તના નિવેદનરૂપ અમૃતના સિંચન વડે તેઓ બંને ચિરકાળ પ્રીતિરૂપ વેલડીને પલ્લવિત કરવા લાગ્યા. | સર્વાંગસુંદરી દેવીએ તેમજ દુર્જયરાજાએ પણ સત્કારપૂર્વક મગરપુરુષ સહિત અજા પુત્રને પિતાના સ્થાનમાં રાખે અને તેઓ ત્યાં સુખેથી રહ્યા. એક દિવસ પ્રસન્ન થયેલે અજા પુત્ર અતિશય ફુરણાયમાન દાંતની કાંતિવડે દિશાઓને ઉજવલ કરતા દુર્જયરાજાને કહેવા લાગે. હે દેવ ! આપના નીકળ્યા પછી આપના વિરહદુઃખથી આપને સમસ્ત પરિવાર પણ અગ્નિમાં ડૂબેલાની માફક બહુ દુઃખી થાય છે. માટે તમે પોતાના સ્થાનમાં ચાલે અને પિતાને દર્શનરૂપ અમૃતરસ વડે ચંદ્રની માફક આપ સવ પરિવારનું જલદી સિંચન કરે. એ પ્રમાણે પિતાના મિત્રનું વચન સાંભળી રાજા પિતાના નગર પ્રત્યે હાથી જે વિધ્યાચલ પ્રતિ તેમ ઉત્સાહવાળો થયો અને તે વાત સર્વાંગસુંદરી દેવીને તેણે પૂછી. ભવિષ્યના વિરહ દુઃખને લીધે પીડાયેલી તે દેવી ચક્રવાકીની માફક શૂન્ય બની ગઈ અને શાકને લીધે ગદ્ગદ્ કંઠ રાજાને કહેવા લાગી, હે દેવ! મારી દાસીઓ તે સરેવર ઉપર ક્રીડા કરવા આવેલી હતી. ત્યાં તને કામદેવથી પણ અધિક રૂપવંત જોઈ મારી પાસે તેઓ આવી અને તે વાત મને જણાવી. તે સાંભળવાથી પૂર્વ જન્મની સ્ત્રીની માફક હું તારી ઉપર બહુ પ્રેમથી આસક્ત થઈ ગઈ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કુમારપાળ ચરિત્ર ત્યાર પછી પુણ્યવંત પુરુષમાં ચૂડામણિ સમાન તને અહીં લાવવામાં મારું સામર્થ્ય ચાલી શકયું નહી, તેથી હાથીનું સ્વરૂપ ધારણ કરી તારા દેખતાં તારા મિત્રને હું અન્યત્ર લઈ ગઈ. . પછી હે રાજન ! તેને દુઃખને લીધે મારા ભાગ્યથી તું અહીં આવે. આજ સુધી તારી સાથે મેં અપૂર્વ સુખ ભેગવ્યું. હવે તમે તમારા સ્થાનમાં જવાની ઈચ્છા કરે છે તે હું તમને શું કહું? કારણ કે “ગમન અને મરણની ઈચ્છાવાળાઓ કેઈથી પણું રોકી શકાતા નથી.” પરંતુ હે સ્વામિ! મારું મન તમારી સાથે આવશે. કારણું કે પિતાને પ્રાણનાથ પ્રયાણ કરે, ત્યારે ભૂત્યની માફક મન રહેતું નથી. વળી હંમેશાં સ્વતંત્ર વિચરનાર પુરુષોને જન્મ ઉત્તમ ગણાય છે અને જીવન પર્યત પરાધીન વૃત્તિવાળી સ્ત્રીઓને જન્મ નિદિત (અધમ) ગણાય છે. મેક્ષસુખના કારણભૂત એવા જન્મને અભાવ કંઈક સારે પણ સર્વ દુઃખના હેતુભૂત સ્ત્રીઓને જન્મ બીલકુલ સારે નહીં.” સંગ થયે છતે સુખ થોડું હોય છે અને વિવેગમાં ભારે દુઃખ થાય છે, એમ જાણતે છતાં પણ મોહિત થયેલે સ્ત્રીવર્ગ પ્રિયને વિષે આસક્ત થાય છે, એ બહુ શોચનીય છે. હે સ્વામિ! હું દૂર છું છતાં પણ મને આપને સવાધીન માનશે. વળી મારે કંઈપણ અવિનય થયેલ હોય તે આપ કૃપા કરી ક્ષમા કરશે. એમ કહી સર્વાંગસુંદરીએ દિવ્ય વસ્ત્રાભૂષણથી કૃપાદિક ત્રણે પુરુષને અલંકૃત કર્યા. પછી તેમને તેણીએ તે સરોવરના કિનારે પહોંચાડ્યા. નગર પ્રવેશ ત્યાર પછી ગ્રહણ કર્યું છે વાઘ બનાવનાર પાણી જેણે એવા. અજાપુત્રને અને મગરપુરુષને લઈ દુર્જયરાજા ત્યાંથી ચાલતે થયે. સુમતિ વગેરે અમાએ પ્રવેશ મહત્સવ કરાવે, Page #154 -------------------------------------------------------------------------- ________________ નગરપ્રવેશ ૧૦૭ દુર્જયભૂપતિએ મિત્ર સહિત પિતાના મહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં આગળ રાજાના આગ્રહથી અજા પુત્ર કેટલાક દિવસ રહ્યો. પછી ત્યાંથી નીકળવાની રજા તેણે મહા મુશીબતે મેળવી. રાજાએ સુવર્ણ રત્નાદિક કેટલીક સંપત્તિ ભેટમાં તેને આપી. અજાપુત્ર તે રત્નાદિકને તૃણની માફક ત્યાં મૂકીને મગરપુરુષને પિતાની સાથે લઈ ત્યાંથી નીકળે અને તેજ સુરગ દ્વારાએ તે યક્ષના મંદિરમાં આવ્યું. ત્યાં સૂઈ ગયેલા વાનર પુરુષને ઉઠાડીને બંને પુરુષને સાથે લઈ પોતાના નગરમાં જવાની ઈચ્છાથી અજાપુત્ર ત્યાંથી આગળ ચાલ્યા. ત્યાં મેઘના અથડાવાવડે આકાશમાંથી પડેલી પૂર્ણિમાના ચંદ્રની મંડલી હેય ને શું? તેવી એક સ્ફટિક રત્નથી બંધાવેલી કીડાવાવ તેના જોવામાં આવી. તેમજ તે વાપિકાની ચારે બાજુએ કાંતિના સમૂહથી દેદીપ્યમાન અને અનેક પ્રકારની શોભાથી વિભૂષિત તારામંડલની માફક બહુ રુદ્ધિવાળાં ઘણાં વિમાને જયાં. તે વાવની અંદર કામદેવની સ્ત્રી–“રતિથી અધિક રૂપવાન, ઇંદ્રાણીના સરખી તેજસ્વી અને લક્ષ્મીદેવીને અનુકરણ કરતી હોય તેવી કેટલીક સ્ત્રીઓને કીડા કરતી જોઈ. વળી તે સ્ત્રીઓ પાણીના ખાબા ભરી એક બીજીની ઉપર હાસ્યપૂર્વક ફેંકતી હતી, તે જોઈ અજા પુત્રને સંદેહ થયું કે, આ મનુષ્ય જાતિ હશે? શું દેવાંગનાઓ હશે? એમ તે વિતર્ક કરતું હતું, તેટલામાં તેમનાં નેત્ર વારંવાર મિ”િષ થવાથી તેને સંશય દૂર થઈ ગયે. પછી અજાપુત્ર તેઓ ન દેખે તેવી રીતે તેમનું લાવણ્ય જોઈ વિસ્મય પામ્ય અને ચિરકાલ વિચાર કરવા લાગે. આ સ્ત્રીઓના મુખની કાંતિ આગળ ચંદ્રિકા પણ નિસ્તેજ થાય છે. શરીરની કાંતિ સુવર્ણને ઝાંખુ કરે છે. સદ્દભાવથી નિગ્ધ એવી એમની દષ્ટિ આગળ અમૃતની વૃષ્ટિ વૃથા છે અને એમની વાણી જે સાંભળી હોય વણા નાદ પ્રતિકારક થાય નહીં. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કુમારપાળ ચરિત્ર પછી કીડા કરતી તે સ્ત્રીઓને કેકિલાઓના આલાપ સમાન મધુર આલાપ નજીકમાં રહેલા અજાપુત્રના સાંભળવામાં આવે. હે સખી! હાલમાં અષ્ટાપદગિરિ ઉપર જવા માટે બહુ સમય થઈ ગયે છે અને ત્યાં આગળ દેવાંગનાઓ સહિત દેવેન્દ્ર હાલ આવ્યું હશે. માટે આ જલક્રીડા હવે રહેવા દે, જલદી બહાર નીકળે. વાવમાંથી કમળો લઈ વિમાનવડે અહીંથી ચાલવા માંડે. એ પ્રમાણે વિદ્યાધરની સ્ત્રીઓએ વિચાર કરી ત્યાંથી ચાલવાની તૈયારી કરી. તે સાંભળી અજા પુત્રને બહુ આનંદ થયે અને તે પિતાના મનમાં વિચાર કરવા લાગે. પૃથ્વી પર પરિભ્રમણ કરવાથી મેં મનુષ્ય લેકની સઘળી વ્યવસ્થા જોઈ તેમજ વ્યંતરેન્દ્રના પ્રભાવથી નરક સ્થાન પણ જોયાં, તેમજ હાલમાં નાના પ્રકારના વૈમાનિક દેવે જેવા જોઈએ. જેમને વિષે લક્ષમી સાથે અપાર સુખ રહેલું છે. માટે હાર અને જળ સહિત આ બંને પુરુષને અહીં મૂકી વ્યંતરે આપેલી ગુટિકાવડે ભ્રમરનું સ્વરૂપ ધારણ કરી, હું પિતે સ્ત્રીઓના હાથમાં રહેલાં કમળ પર ઈચ્છા મુજબ સ્થિતિ કરતો કરતે અષ્ટાપદ તીર્થની યાત્રા કરૂં અને પિતાના આત્માને કૃતાર્થ કરું. એમ વિચાર કરી અજાપુત્ર તેજ વખતે ભ્રમરનું સ્વરૂપ કરીને વિદ્યાધરીઓના હાથમાં રહેલાં કમળ પર બેસી તેઓની સાથે ચાલતે થ . અષ્ટાપદ તીર્થયાત્રા હવે તે ભ્રમરરૂપ થયેલે અજાપુત્ર વિદ્યાધરીઓના હસ્તકમળમાં ઈચ્છા પ્રમાણે પરિભ્રમણ કરતે સુંદર ગુંજારવવડે તે સ્ત્રીઓને વારંવાર મહિત કરવા લાગે. Page #156 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદયાત્રા ૧૦૯ કર્ણને અમૃતના પ્રવાહ સમાન ઝંકારવડે આનંદ પામતી તે સ્ત્રીઓ માર્ગમાં અહીં આવ, અહીં આવ એમ તે ભ્રમરને પિતાની પાસમાં બેલાવતી હતી, ભ્રમર પણ સિદ્ધની માફક તેમને ભાવ સમજી તેમની પાસે જઈને સુંદર સ્વરવડે તેમના કહ્યું માર્ગમાં અમૃતની વૃષ્ટિ કરતા હોય તેમ આનંદ આપતે હતે. એ પ્રમાણે વિદ્યાધરીઓથી ડગલે ડગલે સત્કાર પામતે ભ્રમર આકાશને સ્પર્શ કરતું છે શિખર જેનું એવા અષ્ટાપદ પર્વત પર ગયો. તેની ચારે બાજુએ વહેતી ગંગાના અગાધ પાણીમાં પડેલા પ્રતિબિંબવડે હંમેશાં પોતાનું સૌંદર્ય જોતે હોય ને શું? - તેમજ ચેથી ઉત્પન્ન થયેલા અને ચારે તરફ પ્રસરતા પુણ્યથી જેમ અથવા યશવડે જેમ દેદીપ્યમાન સફટિક રત્નના શરીરવડે વિશુદ્ધ કાંતિમય, સર્વત્ર રત્નમય હોવાથી સર્વ પર્વતના જય વડે પ્રગટ થયેલી કીતિઓને ઝરણાઓના મિષથી સાક્ષાત્ ધારણ કરતે હેય ને શું ? વળી ઉંચાઈમાં આઠ યેાજન અને આઠ જેનાં પગથીયાં રહેલાં છે એવા તે અષ્ટાપદગિરિને અજાપુત્ર સર્વ બાજુએ જોવા લાગે - તેમાં ઉંચાઈ અને કાંતિવડે પૃથ્વી ઉપર રહેલા સમસ્ત પ્રાસાદોને મોટી પતાકાઓ રૂપી આંગળીઓના હલાવવાવડે તિરસ્કાર કરતે હેય ને શું ? ઉત્તમ સુવર્ણને પ્રકાશિત કરનાર જ્યોતિષ મંડલને લીધે પીતવર્ણ, જેથી બહારના ભાગમાં ચારે તરફ કેસર ચંદનના લેપવાળે હાય ને શું? આ દુનિયામાં મારા સરખે કેઈપણ પ્રાસાદ છે કે નહીં? તે જોવા માટે પર્વતના ઉંચા શિખર પર આરૂઢ થયેલ હોય ને શું ? વળી ચાર દ્વાર, ત્રણ કેશ ઉંચાઈ અને લંબાઈને પહેળામાં એક યોજન સિંહનિષઘ નામે સુવર્ણમય એક અદ્ભુત ચૈત્યનાં દર્શન થયાં. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કુમારપાળ ચરિત્ર તે જોઈ ભ્રમરરૂપ અજાપુત્ર પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યે. આ શું પુણ્યના ઢગલે! હશે ? શું પરાત્મસ 'ધિ તેજ હશે ? શું મેક્ષ સ્થાન હશે ? એમ ક્ષણમાત્ર વિતર્ક કરી સુગધમય અને પ્રકુલ્લે મંદારતરૂનાં પુષ્પામાં ગુલતાન અનેલા તેમજ ગુંજારવ કરતા ભમરાઓના ઝંકારાઆવડે વાચાલિત હાય ને શું ? કૌતુકથી નિશ્ચલ અ ંગે ઉભેલી દેવાંગનાએ હ્રાય ને શું ? તેમ ચારે તરફ ગાઠવેલી મણિમય પુતળીઆવડે વિભૂષિત તેમજ પચવણી સ્ફુરણાયમાન અનેક રત્નાથી બાંધેલુ છે ભૂતલ જેનુ એવા તે પ્રાસાદના મધ્યભાગમાં તે ભ્રમર આશ્ચય પામતા સ્થિર થયા. દિવ્ય સ’ગીત . તે પ્રાસાદની અંદર પૂર્વાદિ ચારે દિશાઓમાં પેાતાતાના વણુ અને પ્રમાણથી યુક્ત, રત્નાના પીઠ ઉપર પ્રતિષ્ઠિત કરેલા અને દરેક દિશામાં અનુક્રમે છે, ચાર, આઠ અને દશ એમ આદિનાથ આદિ ચાવીશ તીર્થકરોની વિધિ પ્રમાણે વિદ્યાધરીએ પૂજા કરી. પછી તેએ ભક્તિવડે સ્તુતિ કરવા લાગી, તેવામાં ત્યાં ઇંદ્રાણી વિગેરે પાતાના પરિવાર સાથે અદ્ભુત શાભાયુક્ત ઇંદ્ર પણ આન્યા. જેના શરીરની અપૂર્વ કાંતિવડે સૂર્ય પણ આંખા પડી ગયા તેમજ અનુપમ દેવદૃષ્ય અને દિવ્ય અલંકારોથી સુÀાભિત એવા તે ઇંદ્રની સાથે મહુ દેવા આવેલા હતા. બહુ આન ંદથી પુષ્પાંજલિપૂર્વક જિનેંદ્ર ભગવાનાનુ` સ્નાત્ર કરીને વિવિધ પ્રકારનું પૂજન કર્યું". પછી ઇંદ્ર મહારાજ નૃત્ય ગીત માટે રગમ ડેપમાં ગયા. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ દિવ્યસંગીત તું બુરૂ વિગેરે દેવગાયકે ગાવા લાગ્યા. જેમને અવાજ કેફિલના અવનિને અનુસરતે હતે. તાલ અને ગીતને બહુ ઉચિત લાગે તે પ્રમાણે વાજીંત્ર વાગવા લાગ્યાં. ઈંદ્રાણી વિગેરે દેવાંગનાઓ ચાર પ્રકારના અભિનય કરાદિ સહિત, લાસ્ય-સ્ત્રીગીત અને તાંડવ-પુરૂષ ગીતના વિવિધભેદવડે વિચિત્ર પ્રકારનાં નૃત્ય કરવા લાગી. દેવેની સભામાં મનુષ્યજાતિ રોના ઢગલામાં કાચના ટુકડા બરાબર ગણાય, એમ ભ્રમર બનેલા અજાપુત્રે પણ તે સર્વ પ્રેક્ષણા દિક જોયું. નૃત્ય પૂર્ણ થયા બાદ ઇંદ્ર મહારાજે ફરીથી ગાવા માટે બુરૂને આજ્ઞા કરી. ખરેખર રમ્યત્વ એજ ગણાય કે જેની વારંવાર રૂચિ થાય. તે અરસામાં અજા પુત્રને વિચાર થે કે, આ સભામાં કલાવડે મારે પ્રગટ થવું જોઈએ, કારણ કે પ્રકાશમાં આવ્યા વિના પુરુષને જન્મ પશુની જેમ વૃથા છે. એમ જાણે અજાપુને ભ્રમરપણું ત્યાગ કરી તુંબરૂનું સ્વરૂપ ધરી સ્વર, ગ્રામ અને મૂછનાના ભેદથી સ્પષ્ટરીતે ગાયનની શરૂઆત કરી. તેના મુખમાંથી નીકળતી શ્રુતિ-વનિ સાક્ષાત અમૃતના પ્રવાહ વડે સિંચન કરતી હોય તેમ સભાસદેના હૃદયમાં પ્રીતિરૂપ વેલડીને પલ્લવિત કરતી હતી. તે ગીતના આસ્વાદથી તુષ્ટ થયેલા શ્રોત-કાનને જોઈ સભામાં રહેલા દેવનાં બીજા ઇંદ્રિય રસાસ્વાદમાં અજ્ઞાત હેવાને લીધે આપણે છેતરાયાં એમ માનવા લાગ્યાં. જે કે કાન વિનાના સપે પણ ગીતથી પ્રસન્ન થાય છે, તે સકર્ણ એવા પ્રાણીઓ તેના રસાસ્વાદમાં આસક્ત થાય તેમાં શું કહેવું? Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પુણ્ય મહિમા • તે ગીતનું અતિશય માય સાંભળી ઇંદ્રાદ્રિક દેવા વિચાર કરવા લાગ્યા. આજે તુખરૂના કઠતું. માધુ" આટલું બધું શાથી ? તે સમયે ગાયનાદિકના ગુણાવડે તુલ્ય એવા તે અન્નપુત્રરૂપ તુજીને જોઈ આ નવીન તુ જીરૂ કાણુ છે ? એ પ્રમાણે દેવતુ'બુરૂ પણ અહુ વિસ્મય પામ્યા. કુમારપાળ ચરિત્ર પછી ઇંદ્રે તેને તુષુિદાન આપવા માટે પેાતાની પાસે ખેલાવ્યે એટલે અજાપુત્ર તુષુરૂના સ્વરૂપના ત્યાગ કરી મનુષ્ય થઈ તેની આગળ ઉભા રહ્યો. તેને જોઈ સભામાં બેઠેલા સવ દેવતાઓ ચકિત થઇ ગયા અને ઇંદ્ર પણ વિસ્મય પામ્યા. ત્યાર પછી તેણે પૂછ્યું, તું કોણ છે અને અહી' આવવાનું શું કારણ ? ત્યારે અજાપુત્રે પેાતાનું સવ વૃત્તાંત નિવેદ્યન કર્યું. બાદ તેના અદ્દભુત ગુણેાથી માહિત થયેલા ઇંદ્ર દિવ્ય વસ્ત્રાદિક આપી તેના બહું સત્કાર કર્યાં. અહે ! રૂપ, અહા ! કાંતિ, અહા ! સ ંપત્તિ, અહા ! વૈભવ, અહા ! ઇંદ્રાણી વિગેરે દેવી અને આ સવ સમૃદ્ધિ લાકોત્તર દેખાય છે. એ પ્રમાણે અપાર ઇંદ્રની શાભાવડે હરાયુ છે મન એવા અજાપુત્ર તેને પૂછવા લાગ્યા. હું દેવેંદ્ર ! આ અનૂભુત લક્ષ્મી આપને શાથી પ્રાપ્ત થઇ હશે. તે સાંભળી ઇંદ્ર ખેલ્યા જેવું+ स्वर्गे स्थान विमाने वसतिरनुपमे ज्योतिख्योति देह, पारेवावर्ति वीर्य नवनवविलसद्रूपनिर्माणसिद्धिः । लक्ष्मीत्रैलोक्यकाम्या गतिरनुपहता गीतनृत्यादि रम्य, : शच्याद्या भोगपात्र मम सुकृतवशाज्जातमैश्वर्यमेतद् ॥ १ ॥ Page #160 -------------------------------------------------------------------------- ________________ શરદઋતુ ૧૧૩ રવર્ગમાં સ્થાન, અતિ ઉત્તમ વિમાનમાં નિવાસ, તેજના પ્રભાવથી ઉદ્યોતિત શરીર, વાણીથી ન વર્ણવી શકાય તેવું પરાક્રમ, અનેક પ્રકારનાં નવીન અને વિકસ્વર સ્વરૂપ નિમણની સિદ્ધિ, ત્રણે લોકને ઈરછવા લાયક લક્ષ્મી, અકુંતિ ગતિ, મનહર ગીત અને નૃત્યાદિક તેમજ ઈંદ્રાણી વિગેરે ભેગ પાત્ર, એ સર્વ ઐશ્વર્ય મારા પુણ્યને લીધે મને પ્રાપ્ત થયું છે.” અથવા ઇંદ્રાદિકની પદવી એ ખરેખર ધર્મરૂપી વૃક્ષનું પુષ્પ છે. અને ચિદાનંદમય મેક્ષ ધામ, એ તેનું ફલ છે. તે ધર્મને મહિમા અપાર અને અદ્દભુત અમે માનીયે છીએ. જે ધર્મ માત્ર આશ્રય કરવાથી માનવ ગતિ દેવ ગતિ અને મોક્ષની સંપત્તિને આપે છે. શરદત્રતુ એ પ્રમાણે ઇંદ્રના ઉપદેશથી અને તેની સંપત્તિના અવલોકનથી અજા પુત્રની શ્રદ્ધા ધર્મમાં બહુ દૃઢ થઈ. ત્યાર પછી અજાપુત્રને પિતાના સ્થાનમાં પહેચાડવા માટે એક દેવને આજ્ઞા આપીને ઈંદ્ર પોતે સ્વર્ગસ્થાનમાં ગયે. ઉત્તમ ભાવનાવડે અજાપુ પણ તીથને નમસ્કાર કર્યો. ત્યાર બાદ તે દેવે તેને ઉપાડી ત્યાંથી વાવના કીનારે મૂકો. ત્યાં પિતાના બંને પુરુષે સૂઈ ગયા હતા, તેમના પડખામાં અજાપુત્ર પગથી તે મસ્તક સુધી દીવ્ય વસ્ત્ર ઓઢીને સુઈ ગયે. ક્ષણમાત્ર પછી જાગી ઉઠેલા બંને પુરુષો વિચાર કરવા લાગ્યા. દિવ્ય વસ્ત્ર ઓઢી આ કણ સૂતો છે? તેટલામાં અજાપુત્ર બેઠે થયે અને પિતાની ઓળખાણ આપી તેમને તેણે વિસ્મિત કર્યા. ત્રણે જણ પરસ્પર વાતચિત કરી સમયકાલ વ્યતીત કરતા હતા. તેવામાં પંક-કાદવ-પાપને દૂર કરનાર, બહુ પ્રકારનાં ધાન્ય બહુ ધાર્મિક જનોની વૃદ્ધિ કરનાર એવા સપુરૂષ સમાન સર્વને પ્રિય એ શરદૂકાલ આવ્યા. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કુમારપાળ ચરિત્ર જે શ ૢ ઋતુની અંદર સ્ફુરણાયમાન કમલેાના સમૂહ રહેલા છે અને ફલના ભારથી નમતા ડાંગરના છેડવાએ સપુત્રા માતાને જેમ પૃથ્વીને શેાભાવે છે. તે સમયે મયૂરના શબ્દો કઠોર લાગતા હતા અને હંસના શબ્દો મધુર લાગતા હતા, અથવા હુંમેશાં રમણીયતા કાનામાં રહે છે ? તેમજ શરદ્ ઋતુમાં લક્ષ્મીથી વિશાલ સરલ અને પંક રહિત માર્ગ સજ્જનની માફક સેવવા લાયક થયા. મેઘ માંડલ નિવૃત્ત થઈ ગયું, તેથી આકાશ જાણે ઉંચું ગયુ હાય, દિશાઓ પાછી પડી હૈાય ? આકાશ અને પૃથ્વીના મધ્યભાગ જાણું વિશાળ થયા હૈાય તેમ દેખાવા લાગ્યું. ત્યાર પછી અથ અને કામ સહિત ધની જેમ અને પુરુષો સહિત અજાપુત્ર ત્યાંથી નગરી પ્રત્યે ચાલતા થયા અને પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા. મેં ત્રણે લોકને દૃષ્ટિગોચર કર્યાં. તિર્યંચાને મનુષ્ય બનાવવાનુ ચૂર્ણ દુર્લભ છતાં પણ મેં તે મેળવ્યું. તેમજ મનુષ્યાને તિહુઁચ મનાવનાર જલ પણ મેળળ્યુ. ચૂણુ ના ચેાગથી આ મને તિય "ચાને મનુષ્ય બનાવ્યા અને તે સેવકની માફક મારી આજ્ઞામાં રહે છે, માટે મારા જન્મ સફલ થયા. વળી મારૂં ભાગ્ય પણ પ્રમલ છે. એમ આનંદ માનતા છતાં તે જયતી નગરીમાં ગયા. મનને સ્થિર કરનારી તે નગરીની શૈાભાને સર્વત્ર જોતા જોતા અજાપુત્ર બહુબુદ્ધિ નામે શેઠને ત્યાં ગયા. શ્રેષ્ઠી એને જોઈને સમજ્યેા કે આ કોઈ ઉત્તમ પુરુષ છે, એમ જાણી તેણે પેાતાના ઘરમાં તેને ઉતારી આપ્યા. અજાપુત્ર પણ અને પુરુષો સહિત ત્યાં રહ્યો. અહા! સપુરુષાના સર્વત્ર સત્કાર થાય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ વિકમરાજ - ~ વિક્રમરાજા હવે પિતાની પાસે જે હાર હતું, તે તેણે સંરક્ષણ માટે શેઠને મૂકવા આવે અને જે ચૂર્ણ હતું, તે કપિ પુરુષને આપ્યું. ત્યાર પછી અજાપુત્ર નખ ઉતરાવવા માટે હજામના ઘેર ગયે. તેના ઘેરથી નકળતાં અજાપુત્રના કટપ્રદેશથી બંને દિવ્ય વસ દેવગે પડી ગયાં. તે વસ્ત્રો હજામે લાંબા હાથે લઈ લીધાં. બહુ સુકમલ હેવાથી તેણે જાણ્યું કે, આ દેવલોકનાં વસ્ત્ર છે. તેથી એની કિંમત વધારે હશે, એમ ધારી તેણે શેઠને ત્યાં વેચી દીધાં. શેઠે જાણ્યું કે, આ દિવ્ય વસ્ત્ર રાજાને લાયક છે. એમ સમજી તેણે પિતાની નગરીને અધિપતિ વિકમરાજા હતા, તેને ભેટમાં આપ્યા. , તે અરસામાં ક્ષીણ થયેલા કામદેવનું બળ વધારવા માટે ઉત્તમ પ્રકારનું રસાયન હોય તેમ વસંતઋતુ પ્રગટ થઈ. બાલપલના સમૂહથી રક્ત થયેલી વનભૂમિ વસંત રૂપ પિતાના પતિ પ્રત્યે રાગને પ્રગટ કરતી હોય તેમ દેખાવા લાગી. મકરંદ-રસના પાનથી ઉન્મત્ત થયેલા અને ગુંજારવ કરતા ભ્રમરાઓ જાણે ઋતુ રાજાની બિરૂદાવલી બોલતા માગધ હોય ને શું? તેમ શોભતા હતા. વિયેગી સ્ત્રીના હદયમાં રહેલા વિરહાગ્નિને પ્રદીપ્ત કરવા જેમ મલયાચલને વાયુ વિશેષ વાવા લાગે. અતુરૂપી પતિનું આગમન થયે છતે ચંચલ પત્રોવડે નૃત્ય કરતી, પુવડે હાસ્ય કરતી અને ભ્રમરાઓના ગુંજારવવડે સંગીત કરતી હોય તેમ વનભૂમિ સ્ફરવા લાગી. ચારે તરફના વનપ્રદેશ પુપિથી દીપવા લાગ્યા. ભ્રમરાઓ મદોન્મત્ત થઈ ગુંજારવ કરવા લાગ્યા. કોકિલા મહર નાદ કરવા લાગી. સુગંધમય પવનને પ્રસાર થવા લાગ્યા. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કુમારપાળ ચરિત્ર સ્વચ્છ કાંતિમય ચંદ્રને પ્રકાશ થવા લાગે અને કામદેવનું બળ વધવા લાગ્યું. વસંત સમયમાં કેમ આનંદ ન થાય ? વસંતેત્સવ એ રમણીય વસંત સમય જાણી સર્વે નાગરિકે લેકે અમૂલ્ય વસ્ત્ર અને આભૂષણ પહેરી વસંત ઉત્સવ માટે ઉત્તમ ઉદ્યાનેમાં ગયા, તેમજ ભેટમાં આવેલ તે દિવ્ય વસ્ત્ર ધારણ કરી શ્રીવિક્રમરાજા પણ પિતાની રાણીઓ સાથે કીડા કરવા માટે ઉદ્યાનમાં ગયે. ત્યારે બહુબુદ્ધિશેઠને પુત્ર અતિસાગર પણ અજા પુત્રને હાર પહેરી તેજ ઉદ્યાનમાં દેવગે ગયે. રાજાએ તેના કંઠમાં રહેલે હાર જે કે તરત જ તેણે ઓળખે. આ હાર મારે છે, એમ જાણી તેણે પિતાના સુભટને આજ્ઞા કરી એટલે તેઓએ મતિસાગરને રાજા પાસે લાવીને ઉભે ક. રાજાએ તેને પૂછયું, સત્ય બોલ, આ અમૂલ્ય હાર તું કયાંથી લાવ્યા ? મહિસાગર કંઈ ઉત્તર આપી શકશે નહીં અને મૌન મુખે ઉો રહ્યો. પછી રાજાના હુકમથી સુભટએ તેને મજબુત બાંધીને દંડમુષ્ટિઓના પ્રહારથી ખુબ કુટે, જેથી તેના મુખમાંથી રૂધિર નીકળવા માંડ્યું અને અચેતનની જેમ પૃથ્વી પર તે આળોટવા લાગે. આ હારનું વૃત્તાંત બહુબુદ્ધિશેઠના જાણવામાં આવ્યું. પોતે બહુબુદ્ધિમાન હતું, તેથી અજાપુત્રને સાથે લઈ રાજાની પાસે ગયે. રાજાએ પૂછયું. હે શેઠ! આ હાર કોને છે ? શ્રેષ્ઠીએ કહ્યું હે રાજન ! આ હાર આ અજા પુત્રને છે. મારા પુત્રને તમે શા માટે મારે ? તે સાંભળી રાજાએ શેઠના પુત્રને પડતો મૂકી અજાપુત્રને કબજામાં લઈ પૂછયું. શું આ હાર તે ચે છે ? Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ વસંત્સવ કૌતુકથી તેણે હા કહી. રાજાએ હુકમ કર્યો. હે સુભટો ! આ ચોરને મેષની માફક મારે. પછી અજાપુત્ર છે . હે દેવ! મારું એક વચન સાંભળે. જે પરવતુની ચેરી કરે, તેને માર એ આપને ન્યાય છે, પરંતુ બીજે પણ ચાર હેય તેને પણ જરૂર તમારે મારે, એ વાત પત્ર પર લખે. આ ઉપરથી અજાપુત્રનું કહેવું એમ હતું કે તમે પણ ચોર છે.” આવે એને અભિપ્રાય નહીં જાણવાથી રાજાએ રેષથી તે હકીક્ત પત્રમાં લખાવી. ત્યાર પછી અજાપુત્ર છે. હે રાજન ! આ ન્યાય આપને પાળ પડશે. રાજાએ તે વાત કબુલ કરી. પછી અજાપુત્ર છે. આપની પાસે બે વસ્ત્ર છે, તે મારા છે, તેથી તમે પણ ચોર છે, હે રાજન ! મારું કહેવું જે આ૫ અસત્ય માનતા હોય તે આ વ તમને કયાંથી મળ્યાં તેની પરંપરાની તમે તપાસ કરે. રાજાએ તે વસ્ત્ર આપનારને પૂછ્યું. આ વસ્ત્ર કોની છે? શ્રેષ્ઠીએ કહ્યું. આ વસ્ત્ર મને હજામે આપ્યાં હતા. હજામને પૂછવાથી જવાબમાં તેણે જણાવ્યું કે આ વસ્ત્ર અજાપુત્રનાં છે. આ વાત સાંભળી વિક્રમરાજાનું મુખ કંઈક ઉતરી ગયું અને તેણે અજા પુત્રને કહ્યું. અન્ય પુરુષના આપવાથી આ વસ્ત્ર મેં લીધાં, તેથી હું ચાર ન જ ગણાઉં. તે સાંભળી અજાપુત્ર પણ હાસ્ય કરી છે. જે આપનું સમજવું એ પ્રમાણે હેય, તે હું પણ શેર ન જ ગણાઉં, કારણ કે મને આ હાર બીજાએ આપેલ છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કુમારપાળ ચરિત્ર કેલિમિટ ત્યારબાદ રાજાએ હારની તપાસ માટે પિતાના કેશાધિપતિને બેલાવીને પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે, હે દેવ ! આપની કુંવરીને પહેરવા માટે આ હાર મેં તેને આપ્યું હતું, પછી પિતાની પુત્રીને બેલાવી વિકમરાજાએ પૂછયું. હે વત્સ ! તારી પાસે હાલમાં હાર છે કે નહીં ? પુત્રીએ જવાબ આપ્યો. હે પિતાજી! નગરની બહાર કીડાવાવમાં હું સખીઓ સાથે રમતી હતી, ત્યારે કીનારે મૂકેલે હાર કેલિમર્કટ લઈને નાશી ગયો. તેની દરેક ઠેકાણે ઘણી તપાસ કરી, પણ ચેરની માફક તેને પત્તો લાગ્યો નહીં. આ વાત આપની આગળ બીકની મારી મેં કહી નથી. આ વાત કપિપુરુષના સાંભળવામાં આવી અને તરત જ તેણે રાજકુમારીના સામું જોયું એટલે ફરીથી વાનર થવાની ઈચ્છા તેને થઈ. અહો ! પિતાની જાતિનું ભાન દુરત્યાજ્ય હોય છે.” હવે તે કપિ પુરુષે પશુત્વકારક જળ પીધું, કે તરત જ તે વાનર થઈ ગયા અને કુદકો મારી એકદમ રાજકુમારીની પાસે ગયો. તેણીએ પણ પિતાને કેલિમર્કટ ઓળખ્યો અને તેને પિતાના ખોળામાં બેસાડો. કારણ વિના નેહ થતો નથી.” આ બીના જોઈ રાજા વિસ્મિત થઈ ગયો અને તે અજાપુત્રને આ હકીક્ત પૂછવા લાગે. ત્યારે તેણે વાનરનું વૃત્તાંત જણાવીને તે હાર વિકમરાજાને આપે. પછી રાજાએ પણ પિતાને હાર અંગીકાર કરી બંને દિવ્ય વ અજા પુત્રને આપ્યાં. બાદ પિતાના અવિનયની માફી માગી અને વસ્ત્રાભૂષણથી તેને સત્કાર કરી બહુ આનંદથી અજાપુત્રને વિદાય કર્યો. એ પ્રમાણે તે નગરની અંદર પિતાને પ્રગટ કરી ચૂર્ણ અને પશુતકારક પાણી લઈને મગરપુરુષની સાથે અજાપુત્ર ત્યાંથી ચાલતે થે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ઉન્મત્તતાથી ઉન્મત્તાથી દેશાટનની ઈચ્છાથી અજા પુત્ર પ્રયાણ કરવા લાગ્યા. દ્રોણસમુદ્રની ભર્તીથી વિટાયેલ, પત્તન–દેશાંતરથી આવતા કરીયાણુનું મથક, સંબોધબહુ લેકના સમાગમવાળું સ્થાન, ગ્રામ અને આકાર વિગેરે સ્થાનમાં સિદ્ધની માફક પરિબ્રણ કરતે અજા પુત્ર પિતાની દૃષ્ટિ સફળ કરતો હતો, એક દિવસ તે વનની અંદર ચાલતું હતું, તેવામાં મધ્યાન્હ સમયે હાથીએ હરણ કરેલે કઈ પુરુષ તેના જેવામાં આવ્યો. તે તેની નજીકમાં ગયો અને તે હાથીના કુંભસ્થલ ઉપર અચેતનની માફક રહેલા પુરુષને જોઈ તેને સ્વસ્થ કરવાની ઈચ્છા થઈ, કારણ કે પોપકાર એ પુરૂષનું લક્ષણ છે,” બહુ ઝડપથી ચાલતા તે હાથીને અટકાવવા અજાપુત્રની શક્તિ ચાલી નહીં. તેથી તેણે અગ્નિવૃક્ષના ફલના ચૂર્ણ વડે તે હાથીને મનુષ્ય કર્યો અને ઠંડા ઉપચારો વડે પુરુષને પણ સચેતન કર્યો, પછી અજા પુત્રે તેને પૂછ્યું, હે ભાઈ ! તું કેણ છે? તેણે પણ પિતાનું વૃત્તાંત કહેવાને પ્રારંભ કર્યો. વિમલવાહન અહીંયાં વિજયપુર નામે નગર છે. જેની સમૃદ્ધિને દેવ પણ વખાણે છે. તેમાં મહાસેન નામે રાજા રાજ્ય કરે છે, તે પરાક્રમમાં ઈંદ્ર સમાન છે. રણસંગ્રામમાં યમ સમાન જેના ખડગૂની ધારારૂપી જળમાં ડૂબકાં મારતા શત્રુઓ સુખેથી સ્વર્ગવાસા પામ્યા છે. પૃથ્વી પર પહેલી જાણે ઈંદ્રાણી હોય તેવી સુકમલ કાંતિથી ભરપુર શીલવતી નામે તેની સ્ત્રી છે. તેને હું પુત્ર છું. મારું નામ વિમલવાહન છે. - આ હાથીને વશ કરવા હું આરૂઢ થયે. મદોન્મત્ત થયેલે આ હાથી યમની માફક બહુ રેષથી મને ઉપાડીને ચાલતે થયે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કુમારપાળ ચરિત્ર તેને સ્થિર કરવાના મેં ઘણા પ્રયાસ કર્યાં, પરંતુ પાતે માતંગહાથી છે, તે નામનુ સાદૃશ્ય માતંગ-ચાંડાલપણુ જાહેર કરવાને જેમ, તેણે શ્રમાદિકને લીધે મૃતક સમાન મને કરી દીધું. કાષ્ટની માફક અચેતન થયેલેા અને પ્રાણ પણ છેડીને ચાલ્યા ગયા હૈાય, તેમ બેભાન થયેલા મને આપે જીવતદાન આપ્યુ. માટે હું મિત્ર ! આપે કયેા ઉપકાર ન કર્યાં ગણાય? કુલવાન, ધનવાન, વિદ્વાન, ધનુષધારી, વિનયવાન અને નીતિમાન પુરુષ આ દુનિયામાં સુલભ હૈાય છે. પર'તુ પરોપકારી બહુ દુલ ભ હોય છે. ત્યાર પછી મનુષ્ય થયેલા હાથીને અને રાજકુમારને ભાતુ આપી જમાડયા. એ બન્નેને પેાતાની સાથે લઇ અજાપુત્ર આગળ ચાલ્યા. સૂર્યાસ્ત થયેા. રાત્રિના સમયે એક દેવાલયમાં નિવાસ કર્યાં, હસ્તિપુરુષ મગરપુરુષ અને અજાપુત્ર, એ ત્રણે જણ સુઈ ગયા, રાજકુમાર-વિમલવાહનને નવીન દુઃખને લીધે નિધનને જેમ સત્કાર તેમ નિદ્રા આવી નહીં. તેવામાં તે દેવાલયમાં મેના પાપનુ એક જોડલુ મનુષ્ય વાણીથી ખેલતુ હતુ. તે સાંભળી વિમલવાહન વિશેષ સાંભળવાની ઈચ્છાથી તેની પાસે ગયા. અને ગુપ્ત રીતે ત્યાં ઉભા રહ્યો. મેનાએ પૂછ્યું'. આજસુધી તુ' કયાં રહ્યો ? અને કેવી રીતે મુક્ત થયા ? તે સાંભળી પેપટ આવ્યેા. તે વખતે ભિલ મને પકડીનેવિજયપુરમાં લઈ ગયા, તે ભિલે દાસની જેમ રાજાની દાસીને ત્યાં મને વચ્ચે. દાસીએ મહાસેના રાજાની સ્ત્રી શીલવતીના હાથમાં મને આપ્યો. રાણી પણ મને જોઈ પાતાના મનમાં બહુ ખુશી થઈ. મનુષ્ય વાણી અને મારા મુખમાંથી ઉત્તમ બ્લેાકેા સાંભળીને સંતુષ્ટ થયેલી રાણીએ મને સેનાના પાંજરામાં નાખ્યા. કારણ કે૮ અધિક ગુણે! બંધનનું કારણ થાય છે.'' Page #168 -------------------------------------------------------------------------- ________________ મહાસેનરાજા ૧૨૧. બહુ પ્રેમને લીધે શીલવતી હંમેશાં મને મિષ્ટ ભેજન આપતી હતી. સારાં વચને પણ શીખવતી હતી અને પિતાના પુત્રની જેમ તે મને હાથમાંથી દૂર કરતી નહતી. મહાસેનરાજા એક દિવસ રાજાને મુખ્ય હાથી ઉન્મત્ત થઈને કંદની માફક બંધન સ્તંભને ઉખેડી નાંખી બહાર નીકળે, અને બહુ રેષમાં આવી ગયો. પિતાના કુંભસ્થળ પર રહેલા અંકુશને ઘાસના પૂળાની જેમ આકાશમાં ઉછાળ્યો તેમજ હતિપક-(મહાવત) લેકેને પણ કાંકરાની જેમ દૂર ફેંકી દીધા. યમરાજાના દંડાગ્રની માફક સુંઢ દંડને ખેચરને દલવા માટે ઉછાળતા હતા અને પિતાની આગળ જે માણસોને જુએ. તેમને મારવા માટે યમની જેમ દેઠતે. પ્રલયકાળમાં શુભિત થયેલા સમુદ્ર સમાન નગરને વ્યાકુલ કરતે તે હાથી ઈચ્છા પ્રમાણે વિચરવાને જેમ વન પ્રત્યે ચાલતો થયો. નગરના લેકેએ વિમલવાહનને કયે છતાં પણ તેને શાંત કરવાની ઈચ્છાથી તે રાજકુમાર વૃક્ષ પ્રત્યે વાનર જેમ તે હાથીપર ચઢી ગયે. જેટલામાં તેને વશ કરવાની શરૂઆત કરે છે. શીવ્ર ગતિએ દોડતે તેટલામાં ભૂત વળગેલાની માફક તે હાથી લેકોના દેખતાં છતાં એકદમ કઈ સ્થળે ચાલ્યો ગયો. તે સાંભળી મહાસેનરાજા અચેતન થઈ ગયો અને શૂન્યતાને લીધે તે રાજ્યાદિકની કંઈ વાત પણ કરતા નથી. તે વાત જાણવાથી પૂર્વના વરી એવા સીમાડાના રાજાઓએ ચઢાઈ કરી અને ઘણું સૈન્ય સાથે આવીને તે નગરને ત્રણવાર ઘેરી લીધું. રણસંગ્રામ મહાસેનરાજા પણ પિતાના સૈનિકે સહિત તૈયાર થઈ તેમની સાથે યુદ્ધમાં ઉતર્યો. “કારણ કે તેજસ્વી પુરુષો સિંહની માફક પરા“જય સહન કરતા નથી.” Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કુમારપાળ ચરિત્ર શત્રુઓનું ઘણું બળ હોવાથી મહાસેનરાજાનું રૌન્ય ભાગી ગયું. છતાં પણ તેણે અનેક પ્રકારે તેમની સાથે યુદ્ધ કર્યું, છેવટે કપટી અને બલવાન શત્રુઓવડે તે મરાયો. દૈવયોગથી સૂર્યની માફક મહાસેનરાજાને અસ્ત થયો. તેથી લેકમાં શેક રૂપી અંધકારને સમૂહ ફેલાઈ ગયો છે. બુદ્ધિબળમંત્રી ત્યારબાદ બહુબુદ્ધિશાળી બુદ્ધિબળ નામે મંત્રીએ દરેક શેરીએના રસ્તાઓ રોકીને નગરની રક્ષા કરાવી તેમજ પિતાના મનમાં બહુ દયા લાવીને બંદીખાને રહેલા સર્વ કેને તેણે છુટા કર્યા. કારણકે તેવા બુદ્ધિશાળી પુરુષ સમયના જાણકાર હોય છે. અરે ! રાણીની ચાકરીમાં મારું પણ મત આવ્યું. એમ કહી, હે પ્રિયે ! એક દાસીએ મને પણ પાંજરામાંથી છુટો કર્યો. વળી હે પ્રિયે! એક રાજપુત્ર-વિમલવાહન વિના, ભજન વિનાના શરીરની માફક સર્વ લેકે મૃતપ્રાય થઈ ગયા. તે રાજ્યની પ્રથમ સ્થિતિ કેવી હતી અને હાલમાં દેવગે કેવી થઈ!! “પ્રાયે સંસારની સ્થિતિ એક સરખી રહેતી નથી.” નગરની અંદર બુદ્ધિશાલી મંત્રી રહેલો છે અને બહાર લાખ શત્રુઓના સૈનિકે પડેલા છે. I હવે ભવિષ્યમાં શું થશે, તે તો કેવલી ભગવાન જાણે, બીજે કઈ પણ જાણી શકે તેમ નથી. હાલમાં જ હું તે નગરીમાંથી અહીં આવું છું. એ પ્રમાણે પોતાની સ્ત્રીને કહી શુક-(પિપટ) મુનિની માફક ન રહ્યો. અજા પુત્રને બંધ દુઃશ્રાવ્ય પિતાના પિતાનું વૃત્તાંત સાંભળી વિમલવાહન શસ્ત્રથી હણાયેલાની જેમ મૂછિત થઈ એકદમ દેવાલયમાંથી નીચે પડી ગયે. Page #170 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિબળમંત્રી ૧૨૩ પતનના અવાજથી અજાપુત્ર જાગી ઉઠે. પિતાની પાસે સૂતેલ રાજકુમાર જોવામાં આવ્યું નહીં, તેથી તે ઉભે થયે અને ચારે બાજુએ તેની તપાસ કરવા લાગે. ફરતાં ફરતાં દેવળની નીચે પડેલો રાજકુમાર તેની દષ્ટિગોચર થયે, જેથી તે અગ્નિથી દાઝેલાની જેમ વ્યાકુલ થઈ ગયે. પછી તેણે તરત જ શીતાદિક ઉપચાર કર્યા, મહામુશીબતે તેને સ્વસ્થ કર્યો. ત્યાર પછી અજા પુત્રે તેને પૂછયું એકદમ તને શું થયું? અને મૂર્શિત થવાનું શું કારણ? તે સાંભળી નેત્રોમાં અશ્રુધારાને વહન કરતો વિમલવાહન કંઈપણ બોલી શક્યા નહીં. ત્યાર પછી તેણે રૂદ્ધકંઠે શુકે કહેલું વૃત્તાંત કહી સંભળાવ્યું. ત્યાર પછી પોતાના બંધુસમાન પ્રેમાળ અજાપુત્ર છે. હે રાજપુત્ર સંસારની સ્થિતિને તું વિચાર કર. તું રોઈશ નહીં અને શોક પણ કરીશ નહીં. ઘણો વખત કોના માતાપિતા જીવે છે? લાંબે વખત હંમેશાં કણ સુખી હોય છે? અને શત્રુઓના ઉપદ્રવથી કનું રાજ્ય રોકાતું નથી? પ્રાણીઓને ઉદય ફકત પતન માટે થાય છે. જીવન મૃત્યુ માટે અને વિરોધ દુઃખને માટે થાય છે, સંસારની આ રિથતિ અનાદિકાળની ચાલી આવે છે. જ્યાં સુધી પુરુષનું ભાગ્ય અક્ષત હોય ત્યાં સુધી જ ઉદય હોય છે. શુકલપક્ષને ક્ષય થવાથી ચંદ્રની વૃદ્ધિ કયાંથી થાય? એમ સમજી શેકરૂપી શિલ્યને દૂર કર અને હૃદયમાં દીર્ય રાખ. દુઃખ સમયે જે દૌર્ય રાખે છે, તે પુરુષ ધીર ગણાય એમ મારું માનવું છે. વળી અગાધ એવા વ્યસનરૂપી સાગરમાં પડેલા મહાપુરુષને સમુદ્ર ઉતરવામાં દૌર્ય જ એક નાવ સમાન થાય છે. એ પ્રમાણે સચિનેથી સંબંધેલો વિમલવાહન બેલ્યો. હવે હાલમાં મારે શું કરવું ? Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કુમારપાળ ચરિત્ર અજાપુત્ર બલ્ય, તું શત્રુઓથી ગભરાઈશ નહીં. સિંહની આગળ જેમ મૃગલાઓ તેમ એ રંક પુરુષે મારી આગળ શા હીસાબમાં છે? પરંતુ જ્યાં સુધી હું જાઉં, ત્યાં સુધી એક લેખ લખીને આ શુકની સાથે ત્યાં મેકલા, જેથી મંત્રીના હૃદયમાં શાંતિ થાય. એમ કહી શુકને બોલાવીને અજાપુત્રે મૃદુ વચનથી કહ્યું. તું જે? વિમલવાહન આ પિતે જ મહાસેનને પુત્ર છે, જે તું એની માતાના નેહથી અનૃણપણું ઈચ્છતો હોય, તે એના ઉપકાર માટે મંત્રીને આ લેખ આપી આવ. એ પ્રમાણે અજાપુત્રની પ્રાર્થના કબુલ કરી શકે તેણે એપેલે લેખ લઈ દેવની માફક ત્યાં જઈને બુદ્ધિબલમંત્રીને તે લેખ આપે. “જેને તેને પણ કરેલે ઉપકાર ફલદાયક થાય છે.” જુએ? તે શુકે કેવા સમયમાં કેવી રીતે પત્ર પહોંચાડે માત્ર જેવાથી હૃદયને આનંદ આપનાર તે લેખને મિત્ર સમાન અંગીકાર કર્યો. ત્યાર પછી મંત્રીએ બહુ પ્રેમથી વાંચવા માંડે. “સ્વસ્તિ શ્રીમમહાસેનરાજાને પુત્ર વિમલવાહન બાહુના આલિંગન સાથે મળીને નિવેદન કરે છે કે, અહિંયાં કુશલ છે. તમારી તરફના સર્વ સમાચાર પિતાના સેવકના સમાન આ શુકના કહેવાથી મેં જાણ્યા છે. હવે તમારે કંઈ ચિંતા કરવી નહીં, જે થવાનું હતું, તે થઈ ગયું .. હું જલદી આવું છું, ત્યાં સુધી પિતાના નગરની બરોબર સાવચેતી રાખવી. એ પ્રમાણે લેખ વાંચવાથી રાજકુમારનું આગમન જાણી મંત્રી સ્વામી સહિત હોય તેમ પ્રમુદિત થયે. હે શુક! આ સમયે તે જે મારે ઉપકાર કર્યો, તેટલો મા. બંધુએ પણ નથી કર્યો. એ પ્રમાણે મંત્રીએ શુકને ઘણો આભાર માન્ય. Page #172 -------------------------------------------------------------------------- ________________ રાજ્યભિષેક ૧૨૫ કુમારને જલદી અહીં મેકલે, એમ શુકને ઉપદેશ આપી મંત્રીએ વિદાય કર્યો. શુકે પણ ત્યાં આવી કુમારને તે વૃત્તાંત નિવેદન કર્યું. રાજ્યાભિષેક ત્યારબાદ અજા પુત્ર પ્રયાણ માટે તૈયાર થયે અને ગુટકાના પ્રગવડે ભાખંડ પક્ષિનું સ્વરૂપ ધારણ કર્યું. ત્યાર પછી પોતાનાં બાલકની માફક સર્વે કુમારાદિકને પાંખેની અંદર ગોઠવી આકાશમાગે ઉડીને ક્ષણભાગમાં વિજ્યપુરમાં ગયો. અહો ! “ઉત્કૃષ્ટ સિદ્ધિનો મહિમા અલૌકિક હોય છે.” શત્રુઓને નાશ કેવી રીતે કરવો તે ઉપાય બતાવ્યો, જેથી રાજકુમાર સ્વસ્થ થયો. પછી વિમળવાહન સહિત અજાપુર દરવાજા આગળ ગયે. કુમારના આવવા પહેલાં જ મંત્રીએ દ્વારપાલને કહી રાખ્યું હતું, જેથી તેણે માર્ગ બતાવે એટલે તેઓ રાજમહેલમાં ગયા. વિમલવાહન કુમારે અજાપુરાનું વૃત્તાંત કહ્યું. તે સાંભળી મંત્રી અજાપુરાને પિતાના પુર્વજથી પણ અધિક માનવા લાગ્યો. કારણ કે, ઉપકારી પુરુષ કેને પ્રિય ન થાય?” પ્રભાતકાળમાં અજાપુત્રે વિમલવાહનને રાજ્યગાદીએ સ્થાપન કર્યો. મંત્રીએ નગરમાં મહોત્સવ કરાવે. નવીન રાજા-ભૂપતિ ચંદ્રને ઉદય થવાથી આકાશની માફક તે રાજ્ય દીપવા લાગ્યું અને લેકે કુમુદવનની માફક પ્રફુલ્લ થયા. વિમલવાહનના રાજ્યાભિષેકમાં જે વાત્રોના નાદ થયા. તેજ વરીઓના મરણાંતના પટહધ્વનિ થયા. ત્યાર પછી અજપુત્રની સંમતિથી રાજાએ પોતાના દૂત મારફત શત્રુઓને કહેવરાવ્યું કે, સર્વ રાજાઓએ યુદ્ધમાં હાલ તૈયાર થવું. વિશેષમાં તેણે અજાપુત્રને કહ્યું કે, પ્રથમ તમે જે પટ્ટહસ્તીને પુરુષ કર્યો છે, તે હાથી જે હાલમાં હોય તે ક્ષણમાત્રમાં સર્વ શત્રુએને હું નાશ ક. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કુમારપાળ ચરિત્ર તે સાંભળી અજાપુત્ર દેવની માફક તે જ વખતે સરેવરના જળવડે તે પુરુષને ફરીથી પટ્ટહસ્તી કર્યો અને વિમલવાહન રાજાને આપે. ત્યારબાદ અજા પુત્ર નગરની બહાર ગયા અને સરોવરના પાણીમાં મનુષ્યકારક ચૂર્ણ નાંખ્યું. તે પાણી પાવાથી વેરીઓના સર્વ ઘડા અને હાથીને મનુષ્ય કરી નાંખ્યા. તે લક્ષ સંખ્યાથી અધિક અને પ્રચંડ સુભટને પિતાની પાસમાં રાખ્યા. પછી તેણે મગરપુરુષને મેલી રાજાને કહેવરાવ્યું કે, પટ્ટહસ્તી પર બેસી તું રસૈન્ય સહિત નિર્ભય થઈ સિંહ મૃગલાઓને જેમ પિતાના વેરીઓને પરાજય કર. લાખ્ખો સુભટોની સાથે હું બહાર ઉભે છું. તારા હાથમાંથી નાઠેલા શત્રુઓને આ મારા સુભટો મારશે. પછી અજાપુત્રના કથન પ્રમાણે વિમલવાહન રાજા તૈયાર થઈને તીવ્ર દાવાનળની માફક શત્રુરૂપી સૈન્યરૂપી વનમાં નીકળી પડે. અત્યંત બલવાન, પર્વત સમાન ઉંચે અને મન્મત્ત તે પટ્ટ હસ્તી મંથાચલની માફક શત્રુઓના રૌન્યરૂપ સાગરનું અતિશય મથન કરવા લાગ્યા. કેટલાકને પગના ઝપાટેથી, કેટલાકને સુંઢના આઘાતથી, કેટલાકને દાંતરૂપી પર્વતથી પછાડવાવડે ચૂર્ણ સરખા પિષી નાખ્યા. રાજાએ પણું વર્ષાકાલના મેઘની માફક બહુ ઝડપથી બાણની વૃષ્ટિ કરી, જેથી તેણે મૂકેલી અને ચારે તરફ ફેલાએલી બાણેની શ્રેણીઓ વડે શત્રુઓ પિતાના મનમાં તેને બંને પ્રકારે જયવંત માનવા લાગ્યા. મર્મસ્થળને ભેદનાર બાવડે રાજાએ શત્રુઓને તેવા અંધકારમાં નાખ્યા, કે બહુ ઉતાવળથી નાસવાને તેમને માર્ગ પણ જડે નહીં. હાથી અને ઘોડા વિનાના તે વેરીરાજાઓને પદાતિ-કિંકરની માફક વિમલવાહને જીતી લીધા અને પિતાના તાબે કર્યા. Page #174 -------------------------------------------------------------------------- ________________ વિજયપ્રાપિત ૧૨૭ વિજય પ્રાપ્તિ ત્યારબાદ જ્યલક્ષ્મીના આલિંગનથી સૌભાગ્યને પ્રાપ્ત થયેલ વિમલવાહન રાજા સુભટો સાથે ત્યાં જઈને અજા પુત્રના પગમાં પડે. લક્ષ રૌનિકેથી વિટાયેલા ચક્રી સમાન તે મહાપુરુષને જોઈ બીજા રાજાઓ પણ બહુ આશ્ચર્ય પામ્યા. પછી વિમલવાહનરાજા અજાપુત્રને મહત્સવપૂર્વક પોતાના સ્થાનમાં લઈ ગયે અને વિનયપૂર્વક નેહચિત વચનવડે કહેવા લાગે. હે દેવ ! પ્રથમ તેં મને જીવિતદાન આપ્યું હતું. હાલમાં આ રાજ્ય પણ તેં આપ્યું અને આ મારા સર્વ ભાવિ વૈભવના હેતુ પણ તમે જ છો. વળી તમારૂ પરાક્રમ કેઈ અલૌકિક છે, જેથી ક્ષણમાત્રમાં બીજાને રાજ્ય પણ આપે છે અને પોતે કંઈપણ ઈચ્છતા નથી. તે પણ પિતાને ગુણેથી ખરીદેલું આ રાજ્ય આપ સુખેથી ભગવે. હું તે શ્રીરામની જેમ હનુમાન તેમ આપની સેવા કરીશ. અજાપુત્ર છે. હે રાજન ! તારી આટલી બધી ભક્તિ છે, તે હવે મારે કંઈ ન્યૂનતા નથી. રાજ્યનું મારે કંઈ કામ નથી, જે ઉપકાર કરી પારકાનું કંઈપણ લેતા નથી તેજ પુરુષ કહેવાય એમ મારું માનવું છે, તેથી મારે કંઈપણું જોઈએ નહીં. કારણ કે તે ગ્રહણ કરેલી વસ્તુઓ વડે પોતાના શુભચારિત્રની કિંમત લીધી ગણાય છે. રાજાની પ્રાર્થનાવડે અજપુત્ર ત્યાં બહુ સત્કારપૂર્વક રહ્યો. રાજાએ મોટા ઉત્સથી તેને પ્રસન્ન કર્યો. ત્યાર પછી તે કેટલાક દિવસ ત્યાં રહ્યો. ચંદ્રાપીડરાજા ચંદ્રાપીડરાજાએ પ્રથમ કરેલા પરાજયનું સ્મરણ કરી અજાપુત્રે પિતાના સૈન્ય સહિત તેને જીતવાની ઈચ્છાથી પ્રયાણ કર્યું. ચૂર્ણના પ્રયોગથી પ્રથમ જેમને મનુષ્ય કર્યા હતા, તેમને ફરીથી સરોવરના જળવડે હાથી અને ઘેડા બનાવ્યા. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કુમારપાળ ચરિત્ર માર્ગમાં ચાલતા અજાપુત્રના સૈનિકોની મોટી સંખ્યા હોવાથી શત્રુઓના મુખમાં ઘાસ રહ્યું અને તેમની સ્ત્રીઓના નેત્રોમાં જળને દેખાવ રહ્યો. અર્થાત્ ઘાસ પાણને અભાવ થઈ ગયે. સેકડો વાહિની-સેના-નદીઓથી સંકીર્ણ, અજાપુત્રના રીન્યરૂપ સાગરમાં પક્ષ–સહાય=પાંખ છતાં પણ કયા ભૂપ-રાજા-પર્વતે મંથાચલની દશાને ન પામ્યા ! તેના હાથીઓના મદજળવડે નિજલ પ્રદેશ સજલ થયા અને ઘેડાઓએ ઉડાડેલી ધૂલવડે જલવાળા પ્રદેશ નિજળ થઈ ગયા. તેમજ સમુદ્રના પૂરની માફક ખળભળેલું તેનું રૌન્ય ચારે તરફ પ્રસરે છતે અન્ય રાજાઓએ વતસીવૃત્તિને આશ્રય લીધે. અર્થાત નમી પડયા. નૈમિત્તિક વચન સાયંકાલના સમયે ચંદ્રાપીડરાજા પોતાના સ્થાનમાં બેઠો હતે, તેવામાં દીવ્ય વાણું થઈ કે ચેડા સમયમાં ચંદ્રાપીડરાજા મરણ પામશે. તે સાંભળી રાજા પિતાના મનમાં બહુ શેકાતુર થઈ ગયે. પ્રભાતમાં સત્ય નામના એક ઉત્તમ જોષીને બેલા. પછી તેણે પૂછયું. મારું મરણ શાથી અને કયારે થશે? તિષિકે લચકુંડળીને નિશ્ચય કરી કહ્યું. હે રાજન! લક્ષ સૈન્યના અધિપતિ એવા અજાપુત્રથી તારું મરણ થશે અને તે પંદર દિવસ પછી થશે, એમાં સંશય નથી. વળી હે ભુપાલ! દેવી, બાળક અને તપસ્વિનું વચન . તિષિકેના વચનની જેમ પ્રાયે સત્ય હેાય છે. દૈવજ્ઞનું તેવું વચન સાંભળી શલ્યથી વીંધાયેલાની માફક ચંદ્રાપીડરાજા બહુ દુઃખી થઈ ગયે. અને એકદમ મૂચ્છિત થઈ પૃથ્વી પર પડયે. મૃત્યુ એ બે અક્ષરને વિષથકી પણ અધિક હું માનું છું. કારણ કે વિષનું ભક્ષણ કરવાથી પ્રાણી મૂછ પામે છે અને મૃત્યુને સાંભ Page #176 -------------------------------------------------------------------------- ________________ મંત્રી ત્યાગ ૧૨૯ પણ મૂછ પામે છે અને મૃત્યુને સાંભળીને પણ મૂચ્છિત થાય છે, એ મોટું આશ્ચર્ય છે. અથવા મૃત્યુના બને અક્ષર ખરેખર સર્વ દુઃખમય છે, અન્યથા એના શ્રવણથી લેકે દુઃખી થવા ન જોઈએ. મંત્રીત્યાગ હવે અજાપુત્રની તપાસ માટે ચંદ્રાપીડરાજાએ ચારે દિશાઓમાં બંધુ સમાન બહુ વિશ્વાસી પિતાના ચરપુરુષોને મોકલ્યા. પરંતુ તે વૃતાંત જાણીને દેવમાયાથી મેહિત થયા હોય તેમ કેટલાક ચરપુરુષો પાછા આવ્યા નહીં, તેથી રાજા સ્વસ્થ થયે. અને હંમેશાં તેની શોધ કરાવતાં રાજાનું ધીમે ધીમે આયુષની જેમ પખવાડીયું પુરૂં થવા આવ્યું. તે અરસામાં કઈક અપરાધને લીધે ક્રોધાતુર થયેલા ચંદ્રાપીડ રાજાએ સુબુદ્ધિ નામે પિતાના મંત્રીને પિતાના નગરમાંથી કાઢી મૂકે. ક્રોધાંધ થયેલા તે રાજાએ નગરમાંથી મંત્રીને દૂર કર્યું એમ નહીં પણ ખરેખર પિતાના શરીરમાંથી બુદ્ધિનો ત્યાગ કર્યો. આ પ્રમાણે રાજાના અપમાનથી મંત્રીના મનમાં બહુ કોઈ થયો અને તેણે નિશ્ચય કર્યો કે, ગમે તે ઉપાય કરી એનું વેર વાળવું. એવા વિચારથી આમતેમ ફરતે ફરતે જ્યાં અજાપુત્રનું રીન્ય હતું, ત્યાં તે ગયે. અનેક હાથી, ઘેડા, પાયદળ અને સ્થાદિકના સમૂહથી વ્યાકુલ રીન્યને જોઈ એકત્ર થયેલું જગત હેયને શું? તેમ તે મંત્રીના માનવામાં આવ્યું. આ રીન્ય ચંદ્રાપીડરાજાને જીતવા જાય છે, એમ જાણ મંત્રીને નિશ્ચય થયો કે, દેવીનું વચન સત્ય છે. તેથી પિતાનું કાર્ય સિદ્ધ થશે. - એમ સમજીને બુદ્ધિમાન મંત્રી અજા પુત્રની પાસે ગયે. અને પિતાનું વૃત્તાંત નિવેદન કર્યું. અજાપુત્રે વિધિને પણ બહુ સત્કાર કર્યો, જેથી તેણે પિતાના વિધિના મરણને ઉપાય બતાવ્યું. Page #177 -------------------------------------------------------------------------- ________________ vuwow ૧૩૦ કુમારપાળ ચરિત્ર સૈન્યની તૈયારી અજાપુત્ર પોતાની બુદ્ધિની જેમ સુબુદ્ધિમંત્રીને આગળ કરી ચંદ્રાનવાનગરીની નજીક ગયે. એક દિવસ તેના મરણના બાકી રહ્યો હતો. બહુ સૈન્ય સાથે અજાપુત્રને નગરની નજીક રહેલો જોઈ ચંદ્રાપીડના હૃદયમાં ભારે ત્રાસ અને ખેદ પ્રગટ થયે, તે વિચાર કરવા લાગે. એની તપાસ કરવા ચરપુરુષને મેં મેકલ્યા હતા, તેમાંથી કેઈએ પણ અહીં આવીને એની હકીકત કહી નહીં અને આતે અહીં આવી ગયો દેખાય છે, શું આ એકદમ આકાશમાંથી પડો? દેવી અને દૈવજ્ઞનું વચન સત્ય કરવા માટે કેઈ અપૂર્વ દેવી માયા અહીં પ્રગટ થઈ હશે. એમ હશે તો પણ ઠીક છે, પરંતુ એને હું પિતાના ભુજબળ વડે ઉચ્છિન્ન કરીશ. એ પ્રમાણે દર્ય રાખી રાજાએ સેનાપતિને હુકમ કર્યો, જેથી તેણે રૌ ને તૈયાર કર્યું. મંત્રીભેદ રાત્રિએ સુબુદ્ધિમંત્રી નગરમાં ગયા અને રાજ્યના આગેવાનોને તેણે કહ્યું કે, દેવીનું વચન સત્ય છે. કારણે કે અજા પુત્ર અહીં આવ્યું છે. પ્રભાતના સમયે લક્ષ રસૈનિકે સાથે તે યુદ્ધમાં આવશે અને ચંદ્રાપીડને મારશે. માટે જે તમારે ચિરકાલ જીવવાની ઈચ્છા હોય તે શિષ્ય તે અજાપુત્રની સેવામાં તમે હાજર થાઓ. ઉદયવાન પિતાને સ્વામી અથવા અન્ય હોય તે પણ તેની સેવા કરવી એ ઉચિત છે, પિતાને સ્વામી હોય છતાં પણ તેને ક્ષય થતું હોય તે ત્યાગ કર જોઈએ. આકાશ પણ ચંદ્રને અસ્ત થવાથી સૂર્યને આશ્રય લે છે. નીતિ શાસ્ત્રનું રહસ્ય જાણવામાં નિપુણે એક અંધકારની અમે રસ્તુતિ Page #178 -------------------------------------------------------------------------- ________________ વિજય પ્રયાણ ૧૩૧ કરીએ છીએ, જે અંધારૂં છાયાના મિષવડે શત્રુરૂપ દીવાને આશ્રય લઈ આનંદ માને છે. આ બાબત આપના હિતની ખાતર કહેવા માટે જ હું આવ્યો છું. પ્રથમથી જ હિત કહેવું તેજ બુદ્ધિમાન ગણાય, તેમજ “ભવિષ્યના સુખનું ચિંતન કરવું એજ ડહાપણ કહેવાય, અન્યથા ડાહ્યો માણસ જડની માફક દુઃખી થાય, તો બંનેમાં કંઈ વિશેષતા ગણાય નહીં.” માટે તમે તૈયાર થઈ બધાયે અહીં ઉભા રહે. અજાપુત્ર અહીં આવશે એટલે હું તમને તેની સાથે મેળવી દઈશ. પિતાને હિતકારક આ વચન સાંભળી પ્રધાન લોકેએ કબુલ કર્યું, પછી મંત્રીએ તેજ વખતે નગરની બહાર આવી પિતાના અધિપતિને તે વૃત્તાંત નિવેદન કર્યું. વિજયપ્રયાણ પ્રભાતકાળને આવિર્ભાવ થશે. પૂર્વાચલના શિખર પર અરૂણેય થયે. સૂર્યને પ્રકાશ દિગંતરને જેવાને જેમ પ્રસરવા લાગે. પક્ષિઓના મધુર શબ્દો આળસુઓનું બાધિર્યા દૂર કરવા લાગ્યા. ઉદ્યોગીજને પોતપોતાના કાર્યમાં તૈયાર થવા લાગ્યા. તેમજ અજાપુત્રના રીન્યમાં યુદ્ધની તૈયારી થઈ. શત્રુઓના પ્રાણહારક વાગે વાગવા લાગ્યા. સુભટોએ સર્વાગે શસ્ત્ર ધારણ કર્યા, જેથી તેઓ લેહમય હોય તેવા દેખાવા લાગ્યા. મુખેથી સિંહનાદ કરતા હતા, તેથી તેઓ કેવળ શબ્દમય દેખાવા લાગ્યા. સાક્ષાત તેજોમય મૂર્તિમાન ઉત્સાહની મૂતિઓ સમાન, આગળ ઉભેલા શરીરધારી અહંકાર અને એકત્ર થયેલ પ્રતાપના પિંડ સમાન તેઓ દેખાતા હતા. તેમજ સંગ્રામના ઉત્સાહથી ઉંચી ફલેગ મારતા, જયજયના આઘષવડે વાચાલિત અને શત્રુઓને સંહારવામાં ઉત્કંઠિત એવા પદાતિ સુભટોને આગળ કર્યા. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કુમારપાળ ચરિત્ર ત્યાર પછી સંગ્રામમાં ઉન્મત્ત થયેલા સાદિ-ગજારૂઢ નિષાદિ-ઘડે. સ્વાર અને ઘણું રથિકને જગતને હરવા માટે અનેકરૂપધારી યમરાજાના દૂત હેય ને શું? તેમ સાથે લઈ રફાર પરાક્રમી અજાપુત્ર જૈત્ર જય આપનાર હસ્તીપર આરૂઢ થઈ શત્રુઓને પરાજય કરવા નીકળે. સુબુદ્ધિ મંત્રીને કહેવાથી પ્રથમ દરવાજાના રક્ષકેને સંહાર કર્યો અને તે સ્થાનમાં પિતાના નવીન રક્ષક મૂકયા. ત્યાર પછી અજાપુને લકર સાથે નગરની અંદર પ્રવેશ કર્યો. સુબુદ્ધિમંત્રીએ ભેદેલા સર્વ પ્રધાન નેહી બંધુઓની માફક અજાપુત્રને મળી ગયા. ત્યારબાદ રાજ દ્વારમાં તેઓ ગયા અને ત્યાં રહેલા પ્રારિક લેકેને મારીને બીજા દ્વારપાલ મૂકયા. નીતિશાસ્ત્રનું રહસ્ય એ છે કે, “ઈને વિશ્વાસ રાખવે, એ નુ શાન છે. ” રાજ્ય પ્રાપ્તિ ચદ્રાપીડરાજા તે વૃત્તાંત જાણી બહુ શોકાતુર થઈ ગયે અને લડાઈ માટે તૈયાર થઈ સામે આવ્યું, તેટલામાં એકદમ અજાપુત્ર વચ્ચે આવી પડે. શૈન્ય અને પરાક્રમ, એમ બંને પ્રકારે અજાપુત્રનું પ્રચંડ બલ તેમજ તેને મળી ગયેલા પિતાના પ્રધાને જેઈ ચંદ્રાપીડ ભયબ્રાંત થયે અને ક્ષણમાત્રમાં બહુ ગભરાઈ ગયે. મારૂં ક્ષત્રિયપણું કલંકિત થશે, એમ જાણી તેણે લડાઈનો ઉત્સાહ ધારણ કર્યો. ત્યાર પછી તે પિતાનું ખડગ લઈ યુદ્ધ માટે અજાપુત્રની સાથે તૈયાર થયે. અજાપુત્રે પણ બહુ ક્રોધને લીધે પ્રચંડ ધારવાળી તરવાર લીધી અને તે સિંહની જેમ મહાપરાક્રમી શત્રુની સન્મુખ ગયે. મલની જેમ તેઓ બંને જણે વળગવા લાગ્યા. ચકની માફક વારંવાર પરિભ્રમણ કરતા. Page #180 -------------------------------------------------------------------------- ________________ ચમત્કારીક ૧૩૩ અશ્વની માફક પાદના આઘાત વડે પૃથ્વીને ઉખેડતા, પરસ્પર ખડગ વડે પ્રહાર કરતા અને તેને બચાવ કરતા તે બંને સુભટો મમત હસ્તીઓ જેમ યુદ્ધ કરવા લાગ્યા. એકબીજાના દાવપેચથી જામેલો તે સંગ્રામેત્સવ વાદિપ્રતિવાદિના વિવાદની માફક સર્વને પ્રિય થઈ પડે. એ પ્રમાણે બંનેનું ભારે યુદ્ધ થયું. ત્યાર પછી અજાપુત્રે સમય જોઈ ખડગ વડે કમલનાળની માફક ચંદ્રાપીડાનું મસ્તક છેદી નાખ્યું. અજાપુત્રના મસ્તક ઉપર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ અને સુગંધમય તેની કીતિ ભૂતલથી આકાશમાં ગઈ. તે સમયે અજાપુત્રના જયધ્વનિને માગધલો ઉચ્ચારવા લાગ્યા. તે શબ્દ શત્રુઓના ઉચ્ચાટન મંત્રના ફટુંકારરૂપ થયા. તે સમયે સુબુદ્ધિ મંત્રીએ શુભ લગ્નમાં વરીઓના મસ્તક પર જેમ તે રાજ્યમાં અજાપુત્રને અભિષેક કર્યો. રાજ્યગાદીએ બેઠેલા અજાપુત્રને પ્રસન્ન જઈ સવે મંત્રીઓ અને નગરના લેકે પણ પ્રીતિવડે કલ્પવૃક્ષની જેમ તેને અભિષેક કરવા લાગ્યા. તેમજ સીમાંતરાજાઓ ઉત્તમ પ્રકારના ભેટણ લઈ ત્યાં આવ્યા અને દ્વિતીયાના ચંદ્રની જેમ તેને બહુ હર્ષથી નમવા લાગ્યા. ત્યાર પછી પિતાની મેળે સ્વયંવર માટે આવેલી, પૃથ્વી પર આવેલી જાણે દેવીઓ હોય ને શું ? તેવી અનેક હોશિયાર રાજકન્યાઓને અજાપુત્ર પરણ્ય. ચમત્કારી બ્લેક એ પ્રમાણે અનેક પરાક્રમવડે ચંદ્રાપીડાને મારીને અજાપુત્રે તેનું રાજ્ય પિતાને સ્વાધીને કર્યું અને તે કૃતાર્થ થયે. ત્યાર પછી તે પિતાની સ્ત્રીઓ સાથે ઇંદ્ર દેવીઓ સાથે જેમ ક્રીડા કરતો છતાં કામરૂપી સમુદ્રને પારગામી થયા. અજાપુત્રને ૯૮૦૦૦ પવનવેગી અશ્વ હતા. બે હજાર હાથી, બે હજાર રથ હતા અને પદાતિ–પાયદળને તે પાર જ નહતો. એમ સર્વ સમૃદ્ધિયુક્ત રાજ્યભવ તે ભોગવતે હતે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કુમારપાળ ચરિત્ર તેવામાં વસંતરૂતુને પ્રાદુર્ભાવ થયે. શિશિરઋતુના પ્રભાવથી મંદ પડેલા યૌવન અને કામદેવના શૃંગારને ઉત્તેજીત કરવા જેમ વનસ્થલીમાં તે પ્રસરવા લાગ્યા. જગતને લક્ષ્ય કરવાથી કામદેવનાં પ્રાચીન પુષ્પરૂપી અ નષ્ટ થયાં છે, એમ માનીને વસંતે નવીન પુના સમૂહ પ્રગટ કર્યા. મલયાચલમાં રહેલા સર્પોના વિષથી વ્યાપ્ત હોયને શું? એ મલયગિરિનો પવન વાવા લાગ્યા. કારણ કે એના સ્પર્શથી વિરહાતુર લેક મૂચ્છિત થઈ ગયા. વળી આ વસંતઋતુમાં ઉત્તમ પ્રકારની જાતિ-જાઈ વૃક્ષ=જ્ઞાતિ હેતી નથી અને મદ્યપાન કરનાર અથવા ભ્રમરાએ માન્ય હોય છે, એટલા માટે વસંતઋતુ સંતપુરુષને અપ્રિય હોય છે. ઉદ્યાનપાલ કામદેવનાં શસ્ત્રસમાન વસંતનાં પુષ્પોની માળાએ લઈ રાજદ્વારમાં આવ્યા અને રાજાની આગળ તેણે ભેટ મૂકી. રાજા સુગંધિત પુષ્પ જોઈ ઉદ્યાનપાલક પર પ્રસન્ન થયા અને પારિતોષિકમાં સુવર્ણ આપ્યું. વસંતકીડાની ઈચ્છા થવાથી અજાપુત્ર પિતાની સ્ત્રીઓ સાથે બલભદ્રસહિત જેમ કૃણ તેમ વનસ્થલીમાં ગયો. પુષ્પગ્રહણ, નૃત્ય અને હીંડેલાદિક ક્રિયાઓ વડે નંદન વનમાં ઇંદ્રની માફક ભૂપતિ કીડા કરવા લાગે. ત્યાર પછી વનની અનુત્તમ શેભા જેવા માટે તે અજાપુત્ર ફરતે હતે, તેવામાં એક લેક વારંવાર તેના સાંભળવામાં આવ્યો. જ્યાં તું રહ્યો છે, ત્યાં જ પિતાની માતા રહેલી છે. છતાં તે હંસ-આત્મન્ ? તેને જોયા વિના તું જે ભજન કરે છે, તે તારા હંસપણાને ધિક્કાર છે. તે સાંભળી રાજા વિચાર કરવા લાગ્યો. આ કલેકવડે કઈ પણ માણસ આ નગરમાં રહેતી મારી માતાને સૂચવે છે. મને ધિકકાર છે, મદિરાથી જેમ હંમેશા લહમીવડે મત થઈ હું ફરું છું અને પિતાની માતાને પણ હું સંભાતે નથી. Page #182 -------------------------------------------------------------------------- ________________ જનેતાની શેાધ ૧૩૫ અરે !! આ મે' શું કર્યું"? જીવનપર્યંત સજ્જનાએ પેાતાની માતાની સેવા કરવી જોઈએ, એમ સત્પુરુષા કહે છે. માતાનું વિસ્મરણ કરી મે' તે . વચનને જલાંજલિ આપી. જે પુરુષ માતા, પિતા, વિદ્યાદાતા-ગુરુ, ભયથી રક્ષણ કરનાર અને રાજા, એ સવ'નુ' અપમાન કરે છે, તે પેાતાના સુકૃતને હારે છે. તેજ વખતે રાજાએ મંત્રીને પૂછ્યું. મારી માતા આ નગરની અંદર કોઇ પણ સ્થાને રહેલી છે, માટે હાલમાં તેના દર્શીન વિના હું' ભેાજન કરીશ નહી. જનેતાની શેાધ વનક્રીડાદિક સક્રિયાને વિષસમાન ત્યજી દઈ રાજા પેાતાના મહેલમાં આવ્યે અને પ્રાચીનકાળના ચરાને ખેાલાવી કહ્યું કે. કિલ્લાની બહાર દક્ષિણ દિશામાં વાગૢભટનામે ગેાવાળ રહે છે. તેને તમે પૂછે, કે તારે પુત્ર થયા હતા કે નહીં ? ચરાએ વાશૂભટને પૂછ્યું. તેણે જવાબ આપ્યા. મારે ત્યાં પુત્ર જન્મ્યા નથી. પર ંતુ માગ માંથી એક પુત્ર મને પ્રાપ્ત થયેા હતેા. તે પણ કોઈ ઠેકાણે ચાલ્યા ગયા છે, તે હું જાણતા નથી. તે વૃત્તાંત ચરાએ આવીને અજાપુત્રને કહ્યું. તેથી તેના હૃદયમાં સ શય થયા અને તેજ વખતે માતાની શેાધ માટે નગરમાં તેણે પટહ વગડાવ્યે.. જે માણસ આ નગરમાં રહેલી રાજમાતાને જાહેર કરશે, તેને તુષ્ટ થયેલા રાજા ઈચ્છિત દાન આપશે. એ પ્રમાણે પટહુ વગડાવ્યા પણ કોઇએ તેની ખબર કહી નહી. તેથી રાજા બહુ આ કારણથી શૈાકાતુર થઈ ગયા અને ભેાજન પણ કરતે નથી. તેના પરિવાર બહુ શેાકમાં પડી ગયેા. કારણ કે દીવા બુઝાઇ, જાય, ત્યારે તેને પ્રકાશ બંધ પડી જાય. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ માતા પુત્રનું મિલન ત્યારબાદ રાગથી ઘેરાયેલી કાઇક સ્ત્રી ત્યાં આવી રાજાને કુમારપાળ ચરિત્ર વિનયપૂર્વક કહેવા લાગી. નરનાયક ! જો તમે મારા રાગ દૂર કરી, તે હું તેમને તમારી માતા બતાવું, તે સાંભળી રાજા ખુશી થયા અને ખેલ્યા. હે ભદ્રે ! મારી માતાને જાય પછી તારા રોગને દૂર કર્યાં વિના હું પાણી પણ પીશ નહીં. પછી તે સ્રી તેજ વખતે દેવીની માફક કાઈ પણ ઠેકાણે જઈ તેની માતા ગગાને લઈ આવી અને આ તારી માતા, એમ કહી રાજાને સાંપી. પેાતાના પુત્રને જોવાથી જ ગંગાના અને સ્તનમાંથી હૃદથમાંથી બહાર નીકળતા મૂર્તિમાન પ્રેમ હાયને શુ? તેમ દુધની ધારા નીકળવા લાગી, તેમજ રાજા પણ પેાતાની જનનીને આળખતા નહેાતે; છતાં પણ તેના દર્શનમાત્રથી ઉચ્છળતા હર્ષોંના મિષથી રામાંચવડે અભ્યુત્થાન આપતા હોય ને શુ ? તેમ વિનીત બની ગયા. તેણીના સ્તનમાંથી દુગ્ધસ્રાવ જોઈ રાજાને પ્રતીતિ થઈ કે, આ મારી માતા છે, એમ જાણી તત્કાલ તે ઉભેા થયા અને વિધિ પ્રમાણે પેાતાની ગેાત્રદેવીની જેમ માતાને પ્રણામ કર્યાં. પછી તેણે પૂછ્યું. હે જનનિ ! મારા પિતા કર્યાં છે? ગંગાએ કહ્યું. તારા પિતાના સ્વ`વાસ થયા છે. ફરીથી તેણે પૂછ્યું. હું માતા ! આપણા બંનેના વિયેાગ શા કારણથી થયા ? તે સાંભળી ગંગાનાં નેત્ર આંસુથી ભરાઇ ગયાં અને તે મેલી. વત્સ ! તારા પિતા બહુ વિદ્વાન્ હતા. તેમનું નામ ધર્મો પાધ્યાય હતું. મારૂ' નામ ગંગા અને હું તારી માતા છું, Page #184 -------------------------------------------------------------------------- ________________ દેવીને આશીર્વાદ ૧૩૭. તારો જન્મ થયો, ત્યારે તારા પિતાએ તારૂં જન્મ લગ્ન જોયું. તેથી તેમના જાણવામાં આવ્યું કે, આ પુત્ર ભવિષ્યમાં રાજા થવાને છે. | માટે રાજ્ય સંબધી પાપને લીધે મારે પુત્ર નરકગામી થશે. એમ જાણે તેમણે બલાત્કારે મારી પાસે નગરની બહાર તને મૂકાવી દીધો. ત્યાર પછી તું કેઈને ત્યાં મોટો થયે તે હું જાણતી નથી. ફરીથી પિતાના પુણ્યની માફક આજે મેં તને જે, દેવીને આશીર્વાદ. એ પ્રમાણે પિતાની માતાનું વચન સાંભળી રાજા પિતાના મનમાં વિચાર કરવા લાગે. અહે ! કર્મની ગતિ વિચિત્ર છે. કયાં પિતા ? કયાં માતા ? અને કયાં પુત્ર ? પછી તેણે પોતાની માતાને બહુ સત્કાર કર્યો અને તેને અંતઃપુરમાં એકલી દીધી. ત્યાર બાદ રાજાએ વૈદ્યને બોલાવ્યા. રેગથી ઘેરાયેલી સ્ત્રીને બતાવી. રાજાએ કહ્યું. આ સ્ત્રીને ઓષધે વડે તમે જલદી સાજ કરો. વૈદ્ય લોકેએ રેગની તપાસ કરી રાજાને જણાવ્યું. આ સ્ત્રીનાં આંતરડાં સડી ગયાં છે, માટે અમારાથી કંઈ પણ ' ઉપાય થઈ શકશે નહીં. એમ કહી તેઓએ તેજ વખતે તેમની આગળ તે સ્ત્રીને વમના કરાવ્યું તેમાં દુર્ગધમય માંસના ટુકડાઓ અંદરથી નીકળ્યા. જેથી તે સ્ત્રી એકદમ અચેતન થઈ ગઈ. ફરીથી રાજાએ તેને કહ્યું. જો કે આ રોગ અસાધ્ય છે, તેપણ કૃપા કરી ગ્ય ઔષધેથી એને ઉપચાર કરે. એ પ્રમાણે રાજાના બહુ આગ્રહથી તેના સ્વાધીન વિદ્વાન વૈદ્યોએ ઔષધ પ્રયોગ કર્યા. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કુમારપાળ ચરિત્ર પરંતુ અતિ ઉગ્ર ઔષધના શેષને લીધે મૂર્શિત થઈ તે સ્ત્રી પૃથ્વી પર પડી. રાએ શીતાદિક ઘણા ઉપચાર કરાવ્યા, પણ તે મૃતકની જેમ કેઈ પ્રકારે સચેતન થઈ નહીં. રાજા બહુ ચિંતાતુર થઈ ગયો. હવે આ સ્ત્રીને કેવી રીતે સ્વસ્થ કરવી? એમ તે વિચાર કરતું હતું, તેવામાં કોઈક વદેશિક વૈદ્ય ત્યાં આવ્યું. રોગની પરીક્ષા કરી તેણે કહ્યું. બકરીના દુધથી પુષ્ટ થયેલા પુરુષની જીભ કાપી તેનું માંસ જે એને આપવામાં આવે તે જરૂર એને રોગ મટી જાય. જે એમ કરવાથી આ સ્ત્રી નરેગી થાય, તે મારે કંઈ બાકી રહ્યું નહીં. એમ કહી રાજા બહુ ખુશી થશે અને તે જ વખતે છરી લઈ પિતાની જીભ ઇદવા માટે તૈયાર થશે. પ્રાયે સાધુ પુરુષ પરોપકાર માટે પિતે પણ દુઃખી થાય છે.” શું લેકે પકાર માટે કપાસ દુઃખ સહન નથી કરતે ? એકદમ સાહસ કરી અજાપુત્ર જીભ કાપવા તૈયાર થાય છે. તેટલામાં આકાશવાણી થઈ. હે રાજન! તું સાહસ ન કર. ત્યાર પછી તરત જ તેની આગળ દેવી પ્રગટ થઈ અને તે રેગી સ્ત્રી અને વૈદ્ય, બંને મેઘની જેમ અદશ્ય થઈ ગયાં. તે જોઈ રાજા સંભ્રાંત થઈ ગયો અને વિચાર કરવા લાગ્યો. તે ગાર્ન સ્ત્રી અને તે વૈદ્ય કયાં ગયાં? આ દિવ્યવાણી અને આ દેવી કયાંથી? આ એક આશ્ચર્ય છે. એમ તે ચિંતવતે હતું, ત્યારે દેવી બેલી. રાજન ! આ ચંદ્રાનના નગરીની અધિષ્ઠાયિકા હું દેવી છું, જન્મથી જ તું મને બહુ પ્રિય છે, તેથી અનેક વિપત્તિઓથી મેં તારૂ રક્ષણ કર્યું, તેમજ હાલમાં આ ઉત્તમ સમૃદ્ધિવાળું રાજ્ય આપી તારા સત્વની મે પરીક્ષા કરી. Page #186 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ પ્રાપ્તિ ૧૩૯ વત્સ ! તારું સત્વ ફકત ઉપકારની ખાતર રહેલું છે. જેના વિના માણસ જીવતો છતે પણ મરેલો ગણાય છે. મનુષ્યમાં બત્રીશ લક્ષણ અધિક ગણાય છે, પરંતુ તે પણ સત્વની આગળ સ્વલ્પ ગણાય છે. જેથી પ્રાણુ જીવે છે, તેથી પણ આ સત્વ અધિક છે. માટે હે સવાલય! અવિચ્છિન્ન આ રાજ્યનું ચિરકાલ તું પાલન કર અને સાત્વિક રાજાઓમાં તું શિરોમણિ થા. એમ આશીર્વાદ આપી દેવી વાદળની છાયા માફક અંતર્ધાન થઈ ગઈ. પછી રાજાએ સ્નાનાદિક કરી પિતાના પરિવાર સાથે જોજન કર્યું. . મોક્ષ પ્રાપ્તિ સાત્વિકવૃત્તિને સ્વીકાર કરી સત્ય, કાંતિ અને પરાક્રમ સહિત એ તે અજાપુત્ર સત્યભામા અને બલદેવ સહિત જેમ વિષ્ણુ તેમ કેનું પાલન કરતો છતે પુરુષોત્તમ થ. અન્યદા જ્ઞાની ગુરુનાં દર્શન થયાં. સિદ્ધિ લગ્નમાં નિર્ધન ચિંતામણિને જેમ તેમ રાજાએ સમ્યકત્વ ગ્રહણ કર્યુંતેમજ તે શુદ્ધ સમ્યકૃત્વ પૂર્વક જૈન ધર્મને પ્રભાવ ફેલાવવા લાગ્યે અને દિગંતરમાં પિતાને યશ વિસ્તારી તેણે બહુ સમય સુધી રાજ્ય ચલાવ્યું. ત્યાર પછી વૃદ્ધાવસ્થાને લીધે સંસારની અસારતા તેના હૃદયમાં વધવા લાગી, અને મુમુક્ષુની જેમ તે રાજયાદિક વૈભવથી પરામુખ થયે. આ સંપત્તિ અને સ્ત્રીઓ ખલની જેમ ચલાયમાન છે, તેમ વિરસ અને પિતાને સ્વાધીન નથી, એમ જાણી તેણે લકમી અને સ્ત્રીઓનો હંમેશા અનાદર કર્યો. વિદ્યમાન વિષને ત્યાગ કરવામાં ગુણ હોય છે, અવિદ્યમાનને તો હોતો નથી. એટલા માટે અજાપુત્રે વિષ સમાન વિદ્યમાન વિષને ત્યાગ કર્યો. દેહની અંદર રહેલ પાંચ ઇન્દ્રિયને જે વિજય નહીં કરું, તે મારા શૌર્યની ખામી ગણાય, એમ જાણું તેણે પાંચે ઇન્દ્રિઓને જીતવાની ઈચ્છા કરી. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કુમારપાળ ચરિત્ર પછી પિતાનું રાજ્ય નીતિમાન પિતાના પુત્રને આપી અજાપુત્રે ગુરુ પાસે સંયમશ્રીને સ્વીકાર કર્યો. કષાય રૂપી યામિકથી વીંટાયેલા સંસારરૂપ કારાગૃહમાંથી નીકળવાની ઈચ્છાવાળા હોય, તેમ તે મુનિ જલદી શુદ્ધ ક્રિયા કરવા લાગ્યા. સંસાર રૂપી મશાનમાં મેહ પિશાચ મને છેતરશે, એમ જાણી હમેશાં આગમમંત્રનું આરાધન કરવા લાગ્યા. નહીં આપવાથી જલદી ક્ષીણ થાય છે અને આપવાથી વૃદ્ધિ પામે છે, એમ જાણું તે મુનિ ચિંતામણિ રત્નથી અધિક એવું જ્ઞાનદાન મુનિઓને આપવા લાગ્યા. અન્ય સ્ત્રી પણ શીલ રહિત પુરુષને ઈચ્છતી નથી, તે મેક્ષરૂપી સ્ત્રી તે કયાંથી ઈ છે? એ હેતુથી તે મુનિ ઉત્સાહથી બ્રહ્મચર્ય પાળવા લાગ્યા. સંસાર સાગરનું પાન કરવામાં અગસ્તિ સમાન કેવલ તપશ્ચર્યા છે, એમ જાણું અતિ દુસ્તપ તપ કરવા લાગ્યા. ભાવના રૂપ હૃતિ વિના મુક્તિ સાનુકૂલ થતી નથી, એમ જાણી શાંત એવા પિતાના અંતઃકરણમાં ભાવના ભાવવા લાગ્યા. એ પ્રમાણે દાન, શીલ, તપ અને ભાવનારૂપ ચાર પ્રકારના ધર્મને સંયમી છતાં પણ તે મુનિ યુદ્ધમાં જેમ ગૃહસ્થ તેમ ચારે પ્રકારના સંસારને પિષવા માટે આરાધવા લાગ્યા. એ પ્રમાણે અપૂર્વ ચારિત્ર પાલન કરી સમ્યક્ત્વશ્રીને ધારણ કરતા તે રાજવી પ્રાંતસમયે વિધિપૂર્વક અનશનવ્રત ગ્રહણ કરી કાળધર્મ પામી વર્ગમાં ગયા. અને પ્રાચીન પરિણમેલા શુભ પુણ્યના યોગથી મહાન શ્રેષ્ઠ સંપત્તિઓના પાત્ર રૂ૫ ઇંદ્રને વૈભવ પામ્યા. ઈદ્રની અદ્ધિ ભગવ્યા પછી ત્યાંથી ચવીને તે અજાપુત્ર મનુષ્યભવ પામી દત્તનામે મોટા વૈભવશાળી થયા અને શ્રી ચંદ્રપ્રભાજિનેની પાસે ગણધર થઈને અનુત્તમ કેવલી થયા અને મોક્ષ સુખ પામ્યા. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ પુત્રચિંતા એ પ્રમાણે સત્વ સંબંધી અજાપુત્રની કથા સાંભળી શ્રી કુમાર પાળ રાજા પિતાના હૃદયમાં તે ઉપદેશને ધારણ કરી દધિસ્થલી નામે પિતાના સ્થાનમાં ગયા અને ધર્મ, અર્થ, તથા કામને આરાધતા દિવસે વ્યતીત કરવા લાગ્યા. પુત્ર ચિંતા ( શ્રીસિદ્ધરાજભૂપતિ રાજ્ય શાસન ચલાવતું હતું, તેનાં ઘણાં વર્ષ દિવસોની માફક સુખમાં ચાલ્યાં ગયાં. પરંતુ ગૃહસ્થ ધર્મ રૂપી વૃક્ષના ફલ સમાન પ્રજા પુત્ર પ્રાપ્તિ થઈ નહીં, તેથી શલ્યવડે વીંધાયેલાની જેમ તે બહુ દુઃખી થયા અને વિચાર કરવા લાગે, | મારું મસ્તક ધળું થયું છે, જેથી વૃદ્ધ અવસ્થાનો સંભવ થયો છે, છતા હાલમાં પણ પુણ્યહીન માણસ દ્રવ્ય જેમ નિધાનને તેમ મેં પુત્ર સુખ દેખ્યું નહીં. સર્વ સમૃદ્ધિથી સંપૂર્ણ એવું આ કુળ પણ પુત્ર વિના જળથી ભરેલું સરોવર જેમ કમળ વિના તેમ શેભતું નથી. વળી સૂર્ય વિના દિવસ, દાન વિના વૈભવ, મહત્વ વિના ઔચિત્ય, ગૌરવ વિના સત્કાર, કમલ વિના સરોવર, સમૃદ્ધિ વિના મંદિર તેમજ પુત્રવિનાનું કુલ ખરેખર શોભતું નથી. આ સંસારમાં પુત્ર અને વૈભવ, એ બંને સાર છે. તેમાંથી એક વિના પણ માણસને જન્મ નિષ્ફલ છે. જળને પરપિટે, વિજળીને પ્રકાશ અને સંધ્યા કાળના રંગની જેમ પુત્ર વિના પ્રાણીઓનું કુલ ક્ષણમાત્રમાં નષ્ટ થાય છે, એ મહા ખેદની વાત છે. એમ ચિંતાતુર થયેલા રાજાએ પુત્ર માટે વિવિધ પ્રકારના ઘણા ઉપાય કર્યા પણ પુત્ર થયે નહિ. કારણ કે ભાગ્ય વિના સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી. સંતાન વિના સિદ્ધરાજ ખિન્ન થઈ ગયે, ત્યારે તેને વિચાર થયે કે, હવે તીર્થયાત્રા કરવી એ એગ્ય છે, Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કુમારપાળ ચરિત્ર એમ જાણી પિતાના ગુરુ શ્રી હેમચંદ્ર આચાર્યને સાથે લઈ તે તીર્થાટન કરવા નીકળે. હેમચંદ્રસૂરિને માર્ગમાં પગે ચાલતા જોઈ રાજાએ કહ્યું. મહારાજ ! આપ શા માટે પગે ચાલે છે? આપના માટે પાલખી તૈયાર છે, એમ બહુ આગ્રહ કર્યો પછી ગુરુમહારાજ બોલ્યા. | હે રાજન ! વાહનાદિકમાં બેસવાથી અન્ય પ્રાણીઓને બહુ દુઃખ થાય છે, માટે મુનિએ કે ઈપણ વાહનમાં બેસતા નથી. તેમજ જેઓ ઉઘાડા પગે ઉપગ પૂર્વક દિવસે ચાલે તે જ ચારિત્રધારી મુનિઓ કહેવાય, વાહનમાં બેસનાર મુનિ ગણાય નહીં. દરેક જીવના સુખદુઃખને પ્રિય અને અપ્રિયને જાણનાર દયાળું જૈન મુનિએ પરપ્રાણીઓને કેમ દુઃખી કરે? એ પ્રમાણે કહી સૂરિએ વાહનને નહીં સ્વીકાર કરવાથી રાજાનું મન દુઃખાયું, તેથી બહુ ક્રધાતુર થઈ તેણે કહ્યું, આપ મહાત્મા થયા તે પણ જડ જેવા છે, એમ કહી તે આગળ ચાલે. ગુરુપ્રાર્થના માર્ગમાં ચાલતાં ત્રણ દિવસ ગયા, પરંતુ કેઈ ઠેકાણે સૂરદ્રને સમાગમ કે નહીં, તેથી રાજાએ પિતાના મનમાં જાણ્યું કે, જરૂર મારી ઉપર આચાર્ય મહારાજ કે પાયમાન થયા. ચોથા દિવસે સૂરીશ્વરને પ્રસન્ન કરવાની ઈચ્છાથી સિદ્ધરાજ પિતે મહાભયંકર ગુરુદ્વારમાં સેવકની જેમ ગયે. બહાર રહેલા રાજાએ કાંજી સાથે ભિક્ષાનાનું પરિવાર સહિત ભજન કરતા આચાર્યને જોયા. ત્યાર પછી રાજાને વિચાર થયે. આ મહાત્માઓ હંમેશાં કેવી તપશ્ચર્યા કરે છે? જળમિશ્ર ભિક્ષાન્ન જમે છે અને માર્ગમાં પગેથી ચાલ છે. માટે અન્ય જનની માફક સામાન્ય બુદ્ધિવડે આ માનવા લાયક મહાભાનું મારે અપમાન કરવું ઉચિત નથી, પરંતુ મહેશની માફક માનવા યોગ્ય છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ગુરુનિ:સ્પૃહતા ૧૪૩ એમ વિચાર કરી રાજા આચાર્યના ચરણમાં પડયા અને કહેવા લાગ્યા. હે પ્રભૈ ! આપે વાહનની ના પડી, તેથી રાષને લીધે મે' આપને જે કંઈ કહ્યું, તે ક્ષમા કરો. આપને બેસવા માટે મેં પાલખી મંગાવી, ત્યારે આપે તેને અનાદર કર્યાં. તેથી મેં કહ્યુ કે, તમે જડ છે. પણ એ વચન મેં દ્વેષથી કહ્યુ નથી. હે ધર્માંનાયક ! માગ માં આપનાં દર્શન ન થયાં, તેથી રિસાયેલા જાણી આપને મનાવવા માટે હું આન્યા છું. ગુરુ નિઃસ્પૃહતા હે ગુરુમહારાજ ખેલ્યા. નરેદ્ર ! તે' શે। અપરાધ કર્યાં છે, જેની હું ક્ષમા કરૂ ? કારણ કે, તમારા સરખા મહાપુરુષા અપરાધી હાતા નથી. વળી માગમાં કોઈ પણ ઠેકાણે હું તમને મળ્યેા નહી, એ મને ક્રોધ થયા તેથી નહીં, પરંતુ તમને મળવાનું મારે કાંઈપણુ કારણ નથી. મા માં હું પગથી ચાલુ છું. રસવિનાનું ભિક્ષાન્ન દ્વિવસમાં એક વાર જમું છું. જીણુ વસ્ત્ર પહેરૂ છું. રાત્રિએ જ ક્ષણમાત્ર ભૂમિ પર શયન કરૂ છું. સર્વથા સંગરહિત વતુ છું. હુ ંમેશાં સમતા ગુણુમાં રમું છું અને હૃદયમાં પરમચૈાતિનું ધ્યાન કરૂ છું. હવે રાજાનુ મારે શું કામ ? તે સાંભળી જીવન સુતની માફક સ ંતુષ્ટ મનવાળા તે સૂરીશ્વરને પ્રણામ કરી સિદ્ધરાજનરેદ્ર પેાતાના સ્થાનમાં ગયા. પ્રભુપૂજા ત્યાર પછી સિદ્ધરાજભૂપતિ જંગમતીર્થ સમાન ગુરુમહારાજને આગળ કરી પેાતાના પરિવાર સહિત વિમલાચલ ઉપર ગયા. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કુમારપાળ ચરિત્ર ત્યાં મનહર ભક્તિ પૂર્વક રાજાએ શ્રી આદિનાથ ભગવાનની પૂજા કરીને નેત્ર અને જન્મનું અનંત ફલ મેળવ્યું. સ્થિર દષ્ટિ વડે આદિનાથ ભગવાનને વારંવાર જે તે રાજા પિતાના આત્માને ઉભયથા મહા આનંદના સ્થાનભૂત માનતા હતા. હેમાચાર્ય પણ ભક્તિરૂપ વેલડીથી ઉત્પન્ન થયેલા પુના ગુછ સમાન નવીન નવીન તે વડે શ્રી આદિનાથભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. તે તીર્થમાં વાણીથી અગોચર એવું તીર્થકરનું મહાત્મય જઈ સિદ્ધરાજની શ્રદ્ધા જૈન ધર્મમાં બહુ દઢ થઈ. જે આવા ઉત્તમ તીર્થમાં પોતે લક્ષમીને નિગ ન કરે છે, જન્માંતરમાં પ્રાણીઓને ઉત્તમ રાજવૈભવ કયાંથી મળે ! એમ વિચાર કરી રાજાએ અગણ્ય પુણ્યરૂપ કરિયાણાની ઈચ્છાથી શ્રી આદિનાથભગવાનની પૂજા માટે બારગામ આપ્યાં. તેમજ અમૃત સમાન સ્વાદિષ્ટ ભજનવડે બહુ છૂટથી ઘણું ભેજનશાળાએ બંધાવી. | નવીન દુકૂલ, પૃથ્વી, અનેક હાથી અને ઘડાઓના દાનવડે યાચકને રાજા સમાન કર્યા. અહે ! એની દાન શક્તિ કેટલી? રેવતકગિરિ ત્યાંથી ઉતરીને સિદ્ધરાજનૃપતિ રૈવતાચલ ઉપર ગયા. ત્યાં કામદેવને નિમ્ન કરનાર શ્રીનેમિનાથભગવાનને ભૂપતિએ ભક્તિપૂર્વક નમસ્કાર કર્યો પછી શ્રીખંડ, કુસુમ, સુવર્ણ અને નાદિક વડે પિતાના આત્માને પૂજ્ય બનાવવાથી ઈચ્છાથી જ ભગવાનની પૂજા કરી. રાજાની ભક્તિ જેઈ વિનીત એવા પૂજારી–સેવકે આસન લાવ્યા. પરંતુ રાજાએ તેને સ્વીકાર કર્યો નહીં. અને સર્વ સમક્ષ કહ્યું કે, આ તીર્થમાં રાજાએ પણ આસન પર બેસવું નહીં. ખાટલામાં સુવું નહીં. ભેજન સમયે આગળ આડણી મુકવી નહીં. તેમજ સ્ત્રાએ પ્રસૂતિ કરવી નહીં. અને દહીની છાશ કરવી નહી, એ પ્રમાણે ધર્મની શ્રદ્ધાવાળા પ્રાણીઓએ વ્યવસ્થા પાળવી. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ અંબિકા આરાધન અંબિકા આરાધન શ્રી હેમચંદ્રઆચાર્યો પણ ઉલ્લાસ પામતી કવિતારૂપ વેલડીના ફલરૂપ સ્તોત્રોને જિદ્રભગવાનની ભેટમાં મૂકયાં. ત્યાર પછી ત્યાંથી ઉતરીને તેઓ પ્રભાસપાટણ ગયા. ત્યાં સેમેશ્વરની યાત્રા કરી કેડીનાર નગરમાં ગયા. અહિં જગદંબા સમાન અંબાદેવીની સિદ્ધરાજે પૂજા કરી. પછી પુત્રની ચિંતાથી આતુર થયેલા ભૂપતિએ હેમચંદ્રસૂરીશ્વરને પિતાને અભિપ્રાય જણાવ્યું. હે ભગવન્! મારે ત્યાં રન, સુવર્ણ, હાથી, ઘોડા વિગેરે સર્વ સંપત્તિઓ રહેલી છે, પરંતુ રાજ્યશ્રીરૂપ વેલીને વૃક્ષ સમાન એક પુત્ર નથી. માટે કૃપા કરી આપ આ અંબાદેવીને પૂછો. મારે પુત્ર થશે કે નહીં અને મારી પછી કોણ રાજા થશે? એ પ્રમાણે રાજાની વિનંતિ સાંભળી આચાર્ય મહારાજે ત્રણ ઉપવાસવડે અંબાદેવીની આરાધના કરી પ્રસન્ન થયેલી દેવીએ કહ્યું તે પ્રમાણે પુનઃ રાજાને ગુરુએ કહ્યું, હે રાજન ! તું ગમે તેટલા ઉપાય કરીશ તે પણ તારે પુત્ર થવાની નથી. તેમજ તારી પાછળ જે રાજ થશે, તે પણ તું સંભાળ. સેમેશ્વર પ્રાર્થના કર્ણદેવને પુત્ર ક્ષેમરાજ અને તેને પુત્ર પવિત્ર બુદ્ધિમાન દેવપ્રસાદ નામે દધિસ્થતિમાં રહે છે. તેને પુત્ર ત્રિભુવનપાલ છે. જેનું સત્વ બહુ અગાઘ છે અને જેના ભુજારૂપી વિધ્યાચલમાં શૌર્ય રૂપી હાથી હંમેશા ક્રીડા કરે છે. તેના ત્રણ પુત્ર છે. શ્રીકુમારપાલ, મહીપાલ અને કીતિપાલ. જેમનું અપાર સત્વ વિલસી રહ્યું છે એ! વિશ્વવિખ્યાત શ્રી કુમારપાલ દ્વારા રાજ્યને ભક્તા થશે. તેમજ તે રાજા સંપ્રતિરાજાની માફક ભૂમંડલમાં જૈનધર્મને વિસ્તાર કરશે. ૧૦ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કુમારપાળ ચરિત્ર એ પ્રમાણે સૂરીશ્વરના વાયરૂપી ભાલાવડે હૃદયમાં વિધાયેલે રાજા વાણું અને મનથી ન કળી શકાય તેવી ચિંતા પડે. ત્યાર પછી યાત્રાવડે પવિત્ર છે આત્મા જેને એ સિદ્ધરાજ ગુર્જરાધીશ, શ્રી હેમચંદ્ર આચાર્ય સાથે પિતાની રાજધાનીમાં આવ્યા. અંબાદેવીના વચનની પરીક્ષા માટે શ્રીકણદેવના પુત્ર સિદ્ધરાજ ભૂપતિએ ઉત્તમ પ્રકારના દૈવને બેલાવ્યા. - મારે પુત્ર થશે કે નહીં? તેમજ મારી ગાદીએ ભાવી રાજા કોણ થશે? એ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી તાત્કાલિક લગ્ન ઉપરથી તેને નિશ્ચય કરી નૈમિત્તિકોએ દેવીના કહ્યા પ્રમાણે ઉત્તર કહ્યો, કારણ કે તિષશાસ્ત્ર અન્યથા થતું નથી. દેવી અને નૈમિત્તિકના વચનથી રાજાને વિશ્વાસ રહ્યો નહીં, તેથી તેણે સેમેશ્વરની આરાધના કરીને પુત્ર મેળવ નિશ્ચય કર્યો. ત્યાર પછી પગે ચાલતે માર્ગમાં દાણા વીણીને વૃત્તિ ચલાવત કાર્તિકેયની જેમ સિદ્ધરાજ પ્રભાસમાં ગયે. ત્યાં સ્નાન કરી સ્ત્રી સહિત રાજાએ ત્રણ ઉપવાસ કર્યા. પુષ્પાદિકથી પૂજન કરી શ્રીમનાથને બહુ પ્રસન્ન કર્યા. શારીરિક ઝળહળતા તેજના સમૂહવડે રાત્રિને પણ દિવસ કરતા સેમેશ્વર દેવ પ્રત્યક્ષ થઈ બેલ્યા. રાજન ! તું શા માટે અહીં આવ્યો છે? તે મારું શા માટે મરણ કર્યું છે? રાજાએ નમન કરી કહ્યું કે, હે ભગવન! મારી વૃદ્ધ અવસ્થા છે. છતાં મારે એક પણ પુત્ર નથી, મારે વંશ નિરાધાર છે. હે દેવ! આપને હું સેવક છું, છતાં પણ મારે પુત્ર નહીં, તે કલ્પવૃક્ષને આશ્રય રહેલા પુરુષને ભૂખે મારવા જેવું છે. | માટે કૃપા કરી જલદી મને એક પુત્ર આપે. વૃક્ષ પર લતાની જેમ જેના આશ્રયથી રાજ્યશ્રી સ્થિર થાય. Page #194 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણદેવ કૃષ્ણદેવ ૧૪૭ વિચાર કરી સેામેશ્વરે કહ્યું, હે રાજન્ ! તારે પુત્ર થવાને નથી. રાજ્યને લાયક બહુ પરાક્રમી કુમાર તે પ્રથમ જન્મ્યા છે. ફરીથી દીન મુખે રાજા ખેલ્યે. હે ભગવન્ ! આપ અભીષ્ટ ફ્લ આપનાર છે, એમ અમે સાંભળ્યુ છે, છતાં એકે પુત્ર નહીં આપે, તે તમારૂ' અભીષ્ટદાયિપણુ" કયાં રહ્યું ? તું પુત્ર પ્રાપ્તિને લાયક નથી. હું શું કરૂ ? “ ચેાગ્યતા સિવાય કોઈથી પણ કંઈ કરી શકાય તેમ નથી, ” એમ કહી સેામેશ્વર મહાદેવ અંતર્ધાન થઈ ગયા. સિદ્ધરાજ મહુ શેાકાતુર થયેા. પુત્રની અપ્રાપ્તિવર્ડ પેાતાને નિ હતા છતા પેાતાના નગરમાં પાછે આવ્યે. હવે દેવી, દૈવજ્ઞ અને સેામેશ્વરના વચનથી રાજાએ નક્કી જાણ્યુ કે, આ રાજ્યના ભાકતા કુમારપાળ થશે. એવી ચિંતાથી આતુર બની તે કુમારપાળ ઉપર બહુ દ્વેષ કરવા લાગ્યું. પ્રથમ તેના પિત્રાદિકને મારીને પછી તેને મારી ન ખાવવા, એવી બુદ્ધિથી પાતાના ઘાતકી દ્નાને મોકલી તેણે પ્રથમ ત્રિભુવનપાળને સ્વસ્થ કર્યાં. શ્રી કુમારપાળે પિતાની દાહાર્દિક ક્રિયા કરી, તેના મરણનું કારણ કેટલાક હાંશિયાર રાજવગના પ્રધાનાને એકાંતમાં પૂછ્યું. પેાતાના હિતકારી કોઈક પુરુષે મરણનું કારણ કહ્યુ', તેથી સુનીંદ્રની માફક કુમારપાળ ઉદાસીન વૃત્તિથી પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યું. રાજ્યસંપત્તિને ધિક્કાર છે, જેના માટે મૂઢ પુરુષાના ઉચિત ભાગને હિતકારી ભુજમળવાળા પિતા, ભ્રાતા અને પુત્રાદિકાને શત્રુની માફક મારી નાખે છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કુમારપાળ ચરિત્ર જેઓ બંધુઓના ઘાત કરી લક્ષ્મીને સ્થિર કરવાની ઇચ્છા કરે છે, તે મૂઢ પુરુષો ખળતા દાવાગ્નિના યાગથી વેલીને પ્રફુલ્લિત કરવા ધારે છે. દરિદ્રતા, ભિક્ષા અને પ્રાણના ત્યાગ થાય તે પણ સારૂં, પરંતુ પેાતાના વશજોના ઘાતથી ઊત્પન્ન થયેલા પાતકવાળી લક્ષ્મી સારી નહીં. જે રાજ્યથી ગગનાંગણથી જેમ અવશ્ય ધેાપતન થાય છે. જે રાજયને વિષે યુદ્ધભૂમિની માફક ડગલે ડગલે મહાન લેશ રહ્યો છે. સ્ત્રીના મનની માફક જે રાજ્ય સ્થિર રહેતુ નથી, છતાં પણ રાજાએ પાતાના કુળના નાશ કરીને પણ તે રાજ્ય ભોગવવાની ઇચ્છા કરે છે. કેટલાક પુરુષા કંઈક કારણને લીધે શત્રુતા કરે છે, પરંતુ દુરાશય આ સિદ્ધરાજ તા ધ્રુવની માફક વિના કારણે વૈરી થયેા છે. મહા દ્વેષી આ રાજા જયાં સુધી મને ન મારે, તેટલામાં કોઇ પણ સ્થળે પરિવારને મૂકીને હું મારા આત્માનું રક્ષણ કરૂ તેા ઠીક. એમ વિચાર કરી કુમારપાળ ગુખ્ત વિચાર માટે પેાતાના અનેવી કૃષ્ણદેવની પાસે ગયે. પેાતાના અભિપ્રાય જણાવ્યેા. હવે મારે શુ કરવુ ? એમ પૂછવાથી મહાબુદ્ધિશાળી કૃષ્ણદેવ મેલ્યા. મસ્તકપર વક્ર– વાંકા=વિપરીત ચંદ્ર – દૈવના રહેવાથી શ'કરે પણ ભિક્ષાનથી ગુજરાન ચલાવ્યું તેા અન્યની શી વાત ? જ્યાં સુધી ધ્રુવની અનુકૂળતા છે, ત્યાં સુધી પેાતાના પરિવાર દધિસ્થલીમાં મૂકીને હું ધીમાન ! તું દેશાંતરમાં કાળક્ષેપ કર સૂર્ય પણ રાત્રિએ નિસ્તેજ થાય છે, ત્યારે દેશાંતરમાં જાય છે, ફરીથી તેજસ્વી થઈ પ્રભાતમાં પેાતાના સ્થાનમાં આવે છે, અહીં'ની રાજવ્યવસ્થા હું તને ચરપુરુષાવડે જણાવીશ. અન્ય વેષ Page #196 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તપ્રયાસુ ૧૪૯ ધારણ કરી તું પૃથ્વી પર પરિભ્રમણ કર અને કેટલાંક વર્ષ નિગમન કર, ગુતપ્રયાણ પિતાની પાલદે સ્ત્રી અને ભાઈ વગેરે પરિવારને દધિસ્થલીમાં મૂકી શ્રી કુમારપાળ રાત્રિએ એકાકી નીકળે. જટાધારી થઈ કેઈ પણ સ્થળે પિતાને નહીં પ્રસિદ્ધ કરતે અને અનેક પ્રકારનાં કેતુક જેતે કુમારપાળ ધૂર્તની માફક પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યો. સિદ્ધરાજે તેને મારવા માટે સુભટોને આજ્ઞા આપી, પરંતુ ત્યાં તે નહીં હોવાથી વિલક્ષ થઈ સુભટો પાછા ગયા. પછી રાજાએ હુકમ કર્યો કે, અહીંયાં કુમારપાળ આવે કે તરત મને ખબર આપવી. કુમારપાળે પરિવ્રાજકનો વેષ લીધે છે અને કેટલાક સમય દેશતરમાં વ્યતીત કરી ફરતે ફરતે પરિવ્રાજકની મંડળી સાથે રાજ્ય વ્યવસ્થા જાણવાની ઈચ્છાથી તે પાટણમાં આ. રાજકીય સુભટોએ તેની દક્ષતાથી તેને ઓળખે. પછી તત્કાળ તેઓ રાજાની પાસે ગયા અને તેમણે જણાવ્યું કે. હે સ્વામિ ! આપને શત્રુ અહીં આવ્યા છે. તેના વધને ઉપાય નકકી કરી દુષ્ટ રાજાએ પોતાના પિતાના શ્રાદ્ધ દિવસે સર્વ પરિવ્રાજકને જમવા માટે બોલાવ્યા. સિદ્ધરાજના સુભટોએ મને ઓળખે છે એમ નહીં જાણતે કુમારપાળ જટાધારી બની પરિવ્રાજકના મંડળના સાથે રાજભવનમાં ગયો. શત્રુને ઓળખવા માટે રાજા પિતે તેમના એકે એક પગ દેવા લાગે. ઊર્વ રેખાદિકના ચિહેવડે કુમારપાળને ઓળખે. તેથી રાજા એકદમ પિતાના હૃદયમાં બળવા લાગ્યું અને કેર દષ્ટિથી તેને જેવા લાગ્યા. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કુમારપાળ ચરિત્ર તે પરથી કુમારપાળ સમજી ગયા કે, આ રાજાએ મને આળ ખ્યા છે. ભાજન કર્યાં પછી એને મરાવીશ, એમ રાજાના વિચાર થયા. ભાજન કરી હુ... જલદી પલાયન થઈશ એમ ધારી કુમારપાળ ભેજન કરવા બેઠા. ધાયેલાં વસ્ત્ર લેવા માટે રાજા કેશગૃહની અંદર ગયા એટલે કુમારપાળ ભાજન કરી વમનના મિષથી જલદી ત્યાંથી નીકળી ગયા. ભંડારમાંથી વસ્ત્ર લઈ રાજા અહાર આવ્યેા અને જિટલેને વજ્ર આપતાં કુમારપાળ તેના જોવામાં આન્યા નહીં; તેથી તે બહુ ક્રોધાતુર થઇ ગયા અને એકદમ સેનાપતિને હુકમ ક. અહીંથી કુમારપાળ નાસી ગયા છે, તેને જીવતા તું અહી પકડી લાવ. નહિ તે તેના સ્થાને તારું મરણ થશે, રાજાના હુકમથી સેનાપતિ યમરાજાની માફ્ક સૈન્ય સહિત જે દિશામાં કુમારપાલ ગયા હતા, તેજ દિશામાં દેવાગે ગયે. ગરુડના સરખા બહુ વેગવાળા ઘેાડાઓ વડે ચાલતા સેનાપતિ તેની પાછળ જઇ પહાંચ્યા. આકાશમાં ઉડતી ધૂળ જોઇને અને ઘેાડાએના હૈષારવ સાંભળી પાછળ આવતા સૈન્યને તેણે જાણ્યુ'. તરત જ તે સત્ક્રાંત થઈ પાછળ લાગ્યા. તેટલામાં ક્ષુભિત સાગરની માફક નજીકમાં આવેલા સૈન્યને જોઇ તે ગભરાઇ ગયે.. હવે હું શું કરૂં ? કયાં જવું? કોના આશ્રય લેવા ? એમ સૈન્યના અવલેાકનથી હણાતા હાય તેમ આકુલ વ્યાકુલ થઈ ગયા. ત્રાસ પામેલા મૃગલાની માફક દિશા તરફ તે દૃષ્ટિ કરતા હતા, તેવામાં એક અદરીવન તેના જોવામાં આવ્યું. તેમાં કઈક ખેડુતે એરડીના પાંદડાના ઢગલા કરેલે હતા, ત્યાં ગયે અને ત્યાં ઉભેલા ખેડુતને તેણે કહ્યું, હે ભાઈ ! મારી પાછળ સૈનિકે યમદૂતની માફક અપરાધ વિના મને મારવા માટે આવે છે. માટે આપ દયા કરી આ પાંદડાની અંદર મને સતાડી અને મારૂં' રક્ષણ કરે. Page #198 -------------------------------------------------------------------------- ________________ જટિલ શુદ્ધિ ૧૫૧ તપસ્વીનું રક્ષણ કરવાથી તમને ઘણું પુણ્ય થશે. તે સાંભળી ખેડુતને દયા આવી. તું હીશ નહીં, એમ કહી ખેડુતે તેને પાંદડાંમાં ગોપવી દીધું અને તેની પાસે તે ઉભે રહ્યો. “ખરેખર દુખીને ઉપકાર કેણ ન કરે?” નીચે અને ઉપર મર્મસ્થલને ભેદનાર તીક્ષણ કાંટાઓથી પીડાતા કુમારપાલ આંખ મીચી મડદાની માફક ઢગલાની અંદર પડી રહ્યો. ક્ષણમાત્રમાં જીવની પાછળ પોતે કરેલાં કર્મની જેમ સૈન્ય સહિત સેનાપતિ તેનાં પગલાં તે જેતે તેની પાછળ તે થાનમાં આવ્યો. ત્યાંથી આગળ તેનું પગલું સેનાપતિના જોવામાં આવ્યું નહી. તેથી તેને બહુ ક્રોધ થયેલ અને શંકરની માફક કોપાયમાન થઈ ખેડુતને પૂછવા લાગે. હે ખેડુત ! રથુલ ખભા, મોટા ભુજ અને માથે જટાવાળે કઈ યુવાન પુરુષ અહીંથી નીકળતાં તેં જે છે કે નહીં? જલદી બોલ! ખેડુત છે. હું મારા કામમાં ગુંચવાયો છું, આ બેરડી. એનાં પાંદડા પાડુ છું. અહીં તે કોઈ માણસ મારા દેખવામાં આવ્યો નથી. જટિલ શુદ્ધિ ત્યારબાદ સેનાપતિએ ચારે દિશાઓમાં તેની શોધ માટે પિતાના સુભટને મેકલ્યા અને પોતે પણ સંસારમાં જીવની માફક તે સ્થાનમાં વારંવાર ફરવા લાગ્યા. તે સુભટ પણ ચારે તરફ ફરી ફરીને થાકી ગયા. પછી સેનાપતિને આવીને કહેવા લાગ્યા. કઈ પણ રથાનમાં એ જટિલને પત્તો લાગતું નથી. તે સાંભળી સેનાપતિ ભયભીત થઈ ગયે. પછી તે રાજાની પાસે ગ. સર્વ વૃત્તાંત યથાસ્થિત ભૂપતિને નિવેદન કરી બહુ શેકાતુર થઈ ગયે. ત્યારપછી રાજાએ હુકમ કર્યો. જે કઈ માણસ કુમારપાલને પત્ત Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ કુમારપાળ ચરિત્ર લગાડશે, તેને મનવાંછિત ધન હું આપીશ. એમ કહી તેણે ચારે દિશાએ પિતાના સુભટોને મેકલ્યા. ભીમસિંહ રાજાના સૈનિકે નિરાશ થઈ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી ખેડુતને વિચાર થયેલ કે, હવે અહીં કેઈ છે નહીં, એમ જાણી એક પ્રહર રાત્રિ ગઈ ત્યારે પાંદડાંના ઢગલામાંથી કુમારપાલને બહાર કાઢો. તેના શરીરે બહુ કાંટા વાગેલા, તેથી સવગે રૂધિરના પ્રવાહ ચાલતા હતા, તે સમયે ઝરતા ધાતુઓના રસથી ખરડાએલા પર્વતની માફક તે શેતે હતે. વળી તે વખતે કુમારપાલ નેત્રકમલ ખુલ્લા કરી જીવલેકને જોવા લાગે. અને વધ્યસ્થાનમાંથી મુક્ત થયેલા પશુ સમાન પિતાને માનવા લાગ્યા. ત્યાર પછી કુમારપાલે ખેડુતને કહ્યું. મારા દુઃખના સમયે તું આધાર થયે અને મને પ્રાણ સંકટમાંથી બચા. તારી સહાયથી આજે હું શત્રુના રસૈન્યમાંથી છુટ છું. આ દુઃખમાંથી મને બચાવીને તે કયે ઉપકાર ન કર્યો? “સર્વ ઉપકારમાં પ્રાણીના પ્રાણનું રક્ષણ કરવું, એ મુખ્ય ઉપકાર છે.” તું મને જીવિતદાન આપનાર છે, માટે તેને બદલે મારાથી કઈ રીતે વળે તેમ નથી, તે પણ પોતાના બંધુની માફક હું તારે સમય ઉપર ઉપકાર કરીશ. એમ કહી ભીમસિંહ એ પ્રકારે તેનું નામ ધારી લઈ કૃતજ્ઞ પુરૂષમાં ચૂડામણિ સમાન તે કુમારપાલે તેને વિદાય કર્યો. ધન લેભી ઉંદર કુમારપાલે જટા કાઢી નાંખી અને અન્ય વેષ ધારણ કર્યો, જેથી તે ઓળખી શકાય નહીં. ત્યાર પછી પિતાના પરિવારને મળવા માટે ત્યાંથી દધિસ્થલી તરફ ચાલે. માર્ગમાં ચાલતું હતું, તેવામાં એક વૃક્ષ આવ્યું, તેની છાયામાં વિશ્રાંતિ માટે તે બેઠે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ધન લાભી ઉદર ૧૫૩ ત્યાં એક જગાએ ઉંદરનું બિલ હતુ. તેમાંથી એક ઉદર રૂપાની મુદ્રા (રૂપીએ) સુખ વડે ખેચતા હતા, તે તેના જોવામાં આવ્યું. તે ઉદર કેટલી મુદ્રાએ લાવે છે, તેવી જીજ્ઞાસાથી કુમારપાલ તે તરફ જોઈ રહ્યો, તેટલામાં એકવીશ મુદ્રાએ તે ખે’ચી લાન્ચેા. તે મુદ્રાઓને જોઈ બહુ હર્ષોંથી દર ઊંચા થઇ વાર વાર નૃત્ય કરવા વાગ્યે. તે જોઇ કુમારપાલને વિચાર થયા કે;— नो भोगो गृहादिकार्यकरण नो राजदेयं किमप्यन्यस्याऽपि न सत्कृतिर्न सुकृत सत्तीर्थ यात्रादिकम् । यद् गृणन्ति तथाऽपि येोलुपधियः सूच्याननाद्या धनं, तन्मन्ये भुवनैकमोहनमहो ! नास्मात्पर किंचन ॥ १ ॥ અશનાઢિક ભાગ ભાગવવાના નથી. ગૃહાર્દિકનું કઈ કામ નથી. રાજાને કઈં આપવાનું નથી. અન્ય લેાકેાને પણ આપવાનું નથી. સત્કાર કરવાના નથી. પુણ્યાપાર્જન નથી. ઉત્તમ તીર્થાની યાત્રાદિક નથી. છતાં પણ લેાભબુદ્ધિથી ઉદર વિગેરે પ્રાણીઓ જે ધન ગ્રહણ કરે છે, તેથી હું' માનુ છું કે, અહા ! જગતને ખાસ માહિત કરનાર ધન સિવાય અન્ય કોઈ વસ્તુ નથી.” તે ઉંદર મુદ્રાએની ઉપર ક્ષણમાત્ર બેસે છે. ક્ષણમાં સુઈ જાય છે. એમ કરતા છતા તેમાંથી એક મુદ્રા લઈ પાતાના બિલમાં ગયે એટલે બાકીની મુદ્રાએ લઈને કુમારપાલ ગુપ્ત રીતે ત્યાં ઉભેા રહ્યો. એક મુદ્રા અંદર મૂકી ઉદર પાછે આવ્યો અને ત્યાં જોયુ તે બીજી મુદ્રાઓ મળે નહીં. તેથી તે ઉંદર બહુ દુઃખી થઈ તરતજ ત્યાં મરી ગયા. તે જોઈ કુમારપાલ ચિંતાતુર થઈ ગયા અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કુમારપાળ ચરિત્ર અરે ! આ મેં શું કર્યું? એમ બહુ શોકાતુર થઈ ત્યાંથી તે આગળ ચાલે. દેવશ્રી કુમારપાલને ભજન કરે ત્રણ દિવસ થયા, તેથી તપસ્વિની માફક તે સર્વાગે દુર્બલ થઈ ગયો. કુક્ષિઓમાં કુવા પડી ગયા. પ્રચંડ મૂછીથી સર્પ દંશેલાની માફક આંખ મીચાવા લાગી. આવી દુર્દશામાં આવી પડેલ કુમારપાલ રથમાં બેસી પોતાના સાસરેથી પિયર જતી કઈક સ્ત્રીને જોવામાં આવે. તેને જોઈ સ્ત્રીના હૃદયમાં દયા આવી. અરે ! આ કઈ મહા પુરુષ દુઃખમાં આવી પડે છે. એમ જાણ તેણીએ બંધુના નેહથી કુમારપાલને પોતાના રથમાં બેસાડે અને કપૂરના ચૂર્ણથી સુંગધમય ચોખાને દહી મિશ્રિત રાંધેલા ભાત તેને આપે, તેથી તે શાંત થયે. અહે! દુઃખ સમયે પણ દૈવને ચિંતા હોય છે, એમાં સંશય નથી. ઉર્દભર નામે ગામમાં દેવસિંહની પુત્રી અને દેવશ્રી તેનું નામ એવી રીતે પિતાની ઉપકારિણી જાણીને તેણે કહ્યું, હે ભગિનિ! મારા રાજ્યાભિષેક સમયે તારે મને તિલક કરવું. એમ કહી કુમારપાલ સંપત્તિથી થુલ એવી દધિસ્થલી તરફ ગયે. સજજન કુંભકાર પ્રથમથી ત્યાં મૂકેલા રાજાના સુભટેએ અહીં કુમારપાલ આવે છે, એ પ્રમાણે પિતાના હવામીને નિવેદન કર્યું. તે વાત સાંભળી રાજાએ તેને મારવા માટે ત્યાં રીન્ય મોકલ્યું. રીન્યના સંચારથી ઉડેલી ધૂળવડે સૂર્ય પણ ઢંકાઈ ગયે. અનુક્રમે સૈનિકે નગરીની નજીકમાં ગયા અને ચારે દિશાઓમાં ઘેરો ઘાલ્ય, કુતરાઓના મંડલમાંથી સસલાની માફક કુમારપાળે ત્યાંથી નીકળી જવાને ઘણાંએ ફાંફાં માર્યા, પરંતુ કંઈ લાગ ફાવે નહીં. તેવામાં એક સજજન નામે કુંભાર ઈંટને નિભાડો પકવતે. Page #202 -------------------------------------------------------------------------- ________________ બેસરીમિત્ર ૧૫૫ હતો. તે તેના જેવામાં આવે કે તરત જ તે તેની પાસે ગયો અને પ્રાર્થના કરી કહ્યું. આ નિભાડાની અંદર મને સંતાડીને મારૂ તું રક્ષણ કર. કુંભાર પોતે સજજન હોવાથી નિધાનની માફક કુમારપાલને તે ઈટના પાકની અંદર ગેપવીને તેની નજીક ત્યાં ઉભો રહ્યો. ઈટની વચ્ચે રહેવાથી તેનું શરીર બહુ પીડાવા લાગ્યું અને શ્વાસના રોકાણથી જીવતે મુડદા સમાન થઈ ગયે. સૈનિકે દધિરથલીની અંદર ગયા. ચૈત્ય, આરામ અને મઠ વિગેરે સર્વ સ્થાનમાં તપાસ કરી, પણ કઈ ઠેકાણે કુમારપાલને પત્તે લાગે નહી, પછી તે રૌજ ત્યાંથી પાછુ ગયું. ત્યારબાદ સજજને કુમારપાલને નિભાડામાંથી બહાર કાઢયે. અને પોતાને ઘેર લાવી સ્નાનાદિક શુદ્ધિ કરાવી મિત્રની માફક સુંદર રેસેઈ કરી તેને જમાડશે. બેસરીમિત્ર ત્યારપછી વિશ્વાસના સ્થાનભૂત અને સરસ હૃદયને બેસરી નામે કુમારપાલને મિત્ર દ્વિતીય–બીજું પોતાનું જીવિત હોય ને શું ? તેમ તેની પાસે ગયો અને બહુ પ્રેમથી મળે. તે રાત્રીએ ત્યાં તેને રાખે. સજજન અને બે સરિની આગળ કૃતજ્ઞતાને ઉચિત એવાં કેટલાંક વચન કુમારપાલે કહ્યાં. હે સજજન ! પિતાની માફક આ સમયે તે મારું રક્ષણ કર્યું, તેથી હું માનું છું કે, તે મને પુનર્જન્મ આપે. આ જગતમાં બે પુરુષો જ પૃથ્વીને ધારણ કરવામાં સમર્થ છે. એક તે પરોપકારી અને બીજે કૃતજ્ઞ, “બાકીના પુરુષે પૃથ્વીને ભારભૂત થાય છે.” કેટલાક નામથી અને કેટલાક ગુણેથી એમ ઘણા સજજને હોય છે. પરંતુ બંને પ્રકારે સજજન તે હાલમાં તે એક જ છે. ગુજરદ્ર-સિદ્ધરાજની માફક દેવ પણ હાલમાં મને પ્રતિકૂલ છે. જેથી તે દરેક સ્થળે મને પ્રાણઘાતક કલેશ આપે છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કુમારપાળ ચરિત્ર માટે હે સજજન ! મારા કુટુંબને અહીંથી તું ઉજજ્યમાં લઈ જા અને હું આ મિત્રની સાથે દેશાંતરમાં જઈશ. એ પ્રમાણે કુમારપાલ વાત કરતા હતા, તેવામાં ખુંખારાથી જેમ તેના વાર્તાલાપના અવાથી સજજનનાં માતાપિતા જાગી ગયાં. રાત્રીના ઉજાગરાને લીધે તે બંને જણ વરીની માફક બોલવા લાગ્યાં. હે દુછો! વૃથા ઉજાગરાથી તમે શા માટે રાત્રી ગમાવે છે? હે બેસરી ! આ રાજા થઈને શું તને લાટ દેશનું રાજ્ય આપવાને છે? હે સજજન ! તને શું ચિત્રકૂટને પટ્ટો આપશે ? રાજાની માફક તમે બંને નિશ્ચિત થઈને શામાટે સુઈ રહ્યા નથી? એની જેમ શું તમારે પણ કંઈ વિચાર કરવાને છે કે? એ પ્રમાણે સજ્જનના પિતાનું વચન સાંભળી કુમારપાલે પિતાના વસ્ત્રાંચલે શકુનની ગાંઠવાળી અને મર્મસ્થાનમાં આઘાત લાગ્યાની માફક તે વિચાર કરવા લાગે. પ્રાણીઓનું દારિદ્ર એજ દૌર્ભાગ્ય છે. જેના આશ્રયથી બેલતે પણ માણસ બીજા અને શત્રુ સમાન અપ્રિય થાય છે. ગુણસ, કૃતજ્ઞ, કુલીન, મહાન, પ્રિયવાદી અને દક્ષ એ પણ પ્રાણી જે નિધન હોય તે તે લોકપ્રિય થતો નથી. એમ વિચાર કરી કુમારપાલે પિતાનું કુટુંબ સજજન સાથે ઉજજયિનીમાં કહ્યું અને પોતે વેષાંતર કરી બેસરી સાથે ચાલતે થયે. ભિક્ષામાતા આખા દિવસની મુસાફરી કરી પણ તે દિવસે તેમને કંઈપણ ભેજન મળ્યું નહીં. બીજે દિવસે મધ્યાન્તકાળ થયે, એટલામાં એક ગામડું આવ્યું, સુધા અને તૃષાની પીડાથી કુમારપાલે પિતાના મિત્રને કહ્યું. હવે કઈક ઉપાય કર, જેથી કંઈક ખાવાનું મળે. બ્રાહ્મણ બેલ્યો. મારી માતા ભેજન આપશે. કુમારપાલ બેલ્યો. તારી માતા કયાં છે? Page #204 -------------------------------------------------------------------------- ________________ કૃતજ્ઞતા ૧૫૭ બેસરીએ કહ્યું. હે મિત્ર ! ભિક્ષા એજ મારી માતા છે. “સર્વ સ્થલે અને અભીષ્ટ ભેજન આપનાર ભિક્ષા એજ ભિક્ષુકેની નવીન માતા છે.” એમ કહી હૈયે ધારણ કરતો બ્રાહ્મણ તે ગામમાં ગયે અને એક ઘડો ભરી કરંબક તથા પુષ્કળ ભિક્ષા લઈ ત્યાંથી ચાલે ઘડે પિતાના વસ્ત્રમાં ગેપ અને ભિક્ષાન કુમારપાલની આગળ મૂકી બંને જણ ખુબ ધરાઈને જમ્યા. ત્યાર પછી તેઓ એક મઠમાં સુઈ ગયા. શત્રુની ભીતિથી કુમારપાલને નિદ્રા આવી નહીં પણ કપટથી ઉંધી ગયે.. બ્રાહ્મણ તેને ઉંઘે જાણી ઘડામાંથી કરંબક રાબ કાઢીને ખાવા બેઠો. તે જોઈ કુમારપાલ વિચાર કરવા લાગે. આ બ્રાહ્મણને ધિકાર છે. જે મારાથી પણ સંતાડીને રંકની માફક ખાય છે. અથવા બ્રાહ્મણને એ સ્વભાવ છે કે કેઈ દિવસ તેઓ ભેજનથી તૃપ્ત થતા નથી. એ કારણથી એણે આ અન્ન છાનું રાખ્યું છે. એમ કુમારપાલ ચિંતવતું હતું, તેવામાં બેસી ભોજન કરી ઉભે થયે અને બાકીને કરંભક વસ્ત્રમાં સંતાડી મૂકયા. કૃતજ્ઞતા કુમારપાલ જ્યારે નિદ્રામાંથી ઉઠ, ત્યારે બ્રાહ્મણે કહ્યું, હે મિત્ર! તમને જે ભેજનની ઈચ્છા હોય તે આ કરંબક જમે. એમ કહી કુમારપાલને તે કરંબક આપે. કુમારપાલ બોલ્ય, પ્રથમ તે એકલે શા માટે ભેજન કર્યું? બ્રાહ્મણ છે. ભિક્ષા માગતાં મને એક બ્રાહ્મણીએ કહ્યું હતું. આ કરંબકને ભરેલો ઘડે છે, પરંતુ રાત્રિએ ઉઘાડે હતું, તે તમારે જોઈએ તે ચે. પરંતુ એમાં મને કેઈપણ પ્રકારને દોષ આપશે નહીં. બીજી ભિક્ષા મળશે કે નહીં મળે? એમ ધારી તૃણાથી મેં તે ઘડે લઈ લીધો. “બ્રાહ્મણની પ્રકૃતિ બહુ ભી હોય છે.” અહીં આવ્યા પછી તે ઘડે મેં તમને દેખાડે નહીં, કારણ કે Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કુમારપાળ ચરિત્ર ક્ષુધાને લીધે કદાચિત્ તમે તે ખાઈ જાઓ અને તેમાંથી કઈ વિકાર થાય, તેવી બીકને લીધે મેં તે છાનું' રાખ્યું હતુ. મારૂં મરણ થાય તેા કઇ હરકત નથી, પણ એનું મારે રક્ષણ કરવુ જોઇએ, કારણ કે જે કાલે રાજા થઈ પિતાની માફક પૃથ્વીનુ પાલન કરશે. એમ વિચાર કરી તમે ઉધી ગયા એટલે તે કબક મે' ખાધા. તેથી તેને નિર્દોષ જાણી હાલમાં હું કહુ છું કે, તમને ભુખ લાગી હાય તે જમે. કુમારપાલે વિચાર કર્યાં, અહેા! મારી ઉપર એને! આટલે બધા સ્નેહ છે. મે' તેા નીચની માફક કાંઈક બીજો વિચાર કર્યું, તેથી મને ધિક્કાર છે. એ પ્રમાણે પેાતાને નિદ્યતેા કુમારપાલ કર'બક જમીને રામને વિષે કૃષ્ણની જેમ બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થયા. ત્યાંથી તેઓ આગળ ચાલ્યા. સ્થ’ભતીથ એક દિવસ પરિભ્રમણ કરતા કુમારપાળ સ્તંભતીર્થ –ખભાત નગરમાં ગયા, ત્યાં હેમચંદ્રાચાર્યની પાસે નિમિત્ત પૂછવા માટે તે ગયા. "" તે સમયે હેમચદ્રસૂરિએ સારી રીતે વાતચીત કરી, કારણ કે સંતપુરુષો ઉચિત સમયના જાણકાર હાય છે.” કુમારપાલે મુનિની માફક વિનયપૂર્વક સૂરીશ્વરને પૂછ્યું. હે ભગવાન ! ભવિષ્યમાં પણ મને સુખ મળશે કે નહીં ? આચાર્ય મહારાજ કઇંક નિમિત્ત જોઈ અને અખાદેવીનુ વચન સ'ભારી તેને કહેતા હતા, તેવામાં ત્યાં ઉદયનમંત્રી આન્યા. તે મ'ત્રીને જણાવવા માટે સૂરિએ કુમારપાલને કહ્યું, કેટલેક સમય ગયા બાદ તુ' પૃથ્વીના અધિપતિ થઈશ. નિઃશ્વાસ નાખી તેણે કહ્યું, હૈ સૂરીદ્ર ! આપ શા માટે આવુ... મિથ્યા વચન ખેલે છે ! નિધનની માફક મને લેાજન પણ મળતુ નથી, તા રાજ્યની શી વાત ? Page #206 -------------------------------------------------------------------------- ________________ અપ્પટ્ટિ સૂરિ ૧૫૯ જો આપ જાણતા હાવ તા મને રાજ્યની કયારે મળશે? તેના વ, માસ વિગેરે ચક્કસ સમય કહેા. નહી' તા હૈ' આપની માફક કોઈ પણ ઠેકાણે પરલોકનુ` કા` સિદ્ધ કરૂ. સૂરિએ વિચાર કરી કહ્યુ', સંવત ૧૧૯૯ ના માશીષ વી ૪ અને પુષ્પ નક્ષત્રના ચંદ્રમાં મધ્યાન્હ સમયે જો તને રાજ્ય સોંપત્તિ ન મળે તેા પછીથી હું મારા નિમિત્ત જોવાનેા ત્યાગ કરૂ છું. એ પ્રમાણે સૂરિએ પ્રતિજ્ઞા કરી ને તેજ વખતે તે પ્રમાણે પત્ર લખી ઉડ્ડયન મંત્રીને આપ્યા, દેવની માફક આચાના જ્ઞાનથી ચમત્કાર પામેલેા કુમારપાલ હાથ જોડી ગુરુ મહારાજને કહેવા લાગ્યું. જો આપતું આ વચન સત્ય થશે, તેા આપ રાજા અને હું તે રાજહું સની માફક આપના ચરણ કમલની સેવા કરીશ. એમ એલતા કુમારપાલને સૂરિએ કહ્યું, મારે રાજ્યનું શું કામ છે ? સૂર્યંની માફક હુંમેશાં તારે જૈનમત રૂપી કમળને વિકસ્તર કરવુ. અશ્પટ્ટિ સૂરિ કુમારપાલે તે વચનના સ્વીકાર કર્યાં, ત્યારે સૂરિએ ઉડ્ડયનમંત્રીને એકાંતમાં પેાતાના અભિપ્રાય જણાવ્યેા. કન્યકુબજ રાજાના પુત્ર આમકુમાર અપમાન પામી જેમ પૃથ્વીપર ફરતા ફરતા પ્રથમ મેઢેરા નગરમાં ગયા હતા. ત્યાં શ્રી સિસેનસૂરિએ તેને એળખીને આની માફક તેના સત્કાર ક અને ગુણગૌરવથી ખુશી કરી તેને પેાતાની પાસે રાખ્યા હતા. પછી તેને રાજ્ય મળ્યું, ત્યારે તેણે સિદ્ધસેનસૂરિના શિષ્ય અપસટ્ટિસૂરિને બહુ હુ થી ગુરુ કર્યો અને કૃતજ્ઞપણાથી જૈનમતના ઉદ્યોત કર્યાં. તેવી જ રીતે હાલમાં દુશા ભાગવતા આ ભાવીરાજા અહો આવેલા છે. તેના તમે પેાતાના સ્વામીની માફક ધનાક્રિક વડે ઉપકાર કરશે. તા, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કુમારપાળ ચરિત્ર આમ રાજાની માફક આ કુમારપાલ પણ ભૂપતિ થઈને પરમ શ્રાવક બની જૈન મતના ઉદ્યોત કરશે. એ પ્રમાણે સૂરીશ્વરની આજ્ઞાથી ઉડ્ડયન મંત્રી કુમારપાલને પેાતાના ઘેર લઈ ગયા અને ભજનવસ્રાદિક વડે બહુ સત્કાર કર્યાં. ત્યાર પછી ત્યાં રહેલા કુમારપાલ ચરા પુરુષના જાણવામાં આવ્યો એટલે તેઓએ નિષ્કારણ વૈરી બનેલા સિદ્ધરાજને તે વાત નિવેદન કરી. તેજ વખતે સિદ્ધરાજે હુકમ કર્યાં. શત્રુને મારવામાં લંપટ અનેલા સુભટા ખભાતમાં આવ્યા અને નગરની અંદર ચારે બાજુએ તેની શેાધ કરવા લાગ્યા. ઉડ્ડયનમંત્રીના આવાસમાંથી નીકળી કુમારપાલે શણની ઈચ્છાથી મૈનાકપવ તે સમુદ્રના જેમ હેમચ'દ્રસૂરિના આશ્રય લીધે અને કહ્યું, સિદ્ધરાજના સુભટો મને મારવા માટે પ્રચંડ પિતૃના વૈરથી શેાધે છે, માટે હું આપને શરણે આવ્યે છું. હું પ્રભા ! વાઘથી બકરાનું જેમ તે ઘાતકી સુભટાથી યાવડે મારૂ પણ રક્ષણ કરો. અથવા આપનું જ્ઞાન સત્ય કરવાની ઈચ્છાવડે પણુ આપે મારૂ રક્ષણ કરવુ જોઈએ. એ પ્રમાણે કુમારપાલનું વચન સાંભળી દયાના સાગર સૂરી’દ્ર વિચાર કરવા લાગ્યા. એક તરફ રાજાના દ્રોહ થાય અને બીજી તરફ એનુ રક્ષણ કરવું જોઈએ; રાજદ્રોહમાં મરણ થાય અને એનુ રક્ષણ કરવાથી મારુ પુણ્ય થાય આ બંને કામાં હાલ મારે શું કરવુ ? રાજા કાપાયમાન થાય અથવા પ્રાણુ ચાલ્યા જાય તેા પણ એનુ રક્ષણ તા કરીશ.” કારણ કે આ ક્ષત્રિયકુમાર જિનશાસનના બહુ પ્રેમી છે. ભૃગૃહ એમ વિચાર કરી સૂરિએ પેાતાના સ્થાનમાં ભોંયરાની અંદર તેને ઉતાર્યાં અને તેનું દ્વાર પુસ્તકોવડે ઢાંકી દીધું. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ત્તન ૧૬૧ તેટલામાં ક્રોધથી ઘમઘમેલા રાજાના સુભટો નગરની અંદર તપાસ કરતા ત્યાં આવ્યા અને સૂરિને કહેવા લાગ્યા. તમારા મઠની અંદર કુમારપાલ છે? પ્રાણીને બચાવ કરે, તે મોટું પુણ્ય છે અને મિથ્યા વચન બોલવામાં થોડું પાપ છે, એમ જાણતા સૂરિ બોલ્યા. અહીંયાં તે કુમારપાલ છે જ નહીં. તે સાંભળી સુભટો બોલ્યા. જે અહીં કુમારપાલ ન હોય તે ૨ાજાની પ્રતિજ્ઞા કરે. પ્રતિજ્ઞા કરવાથી પ્રાણ હાનિ થશે, એમ જાણતા છતાં પણ પુણ્યાથી સૂરિએ પ્રતિજ્ઞા કરી. કેઈ દુષ્ટના કહેવાથી અહીં કુમારપાલ છે, એમ જાણી સુભેટોએ તે સ્થાનની અંદર બલાત્કારે બહુ તપાસ કરી. જોતા જોતા તેઓ ભોંયરાના દ્વાર આગળ આવ્યા. ત્યાં પુસ્તકને ઢગલો અને તાડપત્રોથી પુરેલા તે દ્વારની દૈવબલથી તેમણે તપાસ કરી નહીં. બાદ ત્યાંથી વિલક્ષ થઈ તેઓ ચાલ્યા ગયા. કુમારપાલને સૂરિએ બહાર કાઢી કહ્યું. સુભટનાં વચન તેં સાંભળ્યાં હતાં કે નહીં ? હાથ જોડી કુમારપાલ છે. પ્રભો ! એમનું અને તમારું વચન અંદરથી મેં સાંભળ્યું હતું. जिता पृथ्वी पृथ्वी, दलितमखिल शात्रवकुलं, कृतः कोशो भूयान् कनकनिकरायजनितैः । मुदा राज्यं मुकं सुचिरमधुना बन्धुहननात, वृथा वृद्धः सिद्धक्षितिपतिरय किं रचयिता ? ॥ १ ॥ “ વિશાલ એવી પૃથ્વીને જીતી, સમગ્ર શત્રુઓનાં કુલ સંહાર્યા. ન્યાયપૂર્વક સંપાદન કરેલા સુવર્ણના સમૂહવડે ઘણું ખજાના લાંબી મુદત આનંદથી રાજ્ય સુખ ભોગવ્યું. હાલ વૃદ્ધાવસ્થામાં સિદ્ધરાજભૂપતિ વિના કારણે બંધુઓના હનનમારવાથી શું કરવા ધારે છે ?” ભર્યા. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ કુમારપાળ ચરિત્ર વળી હે સૂરદ્ર! આપે મૃત્યુને સ્વીકાર કરી જીમૂતવાહનરાજાએ ગરૂડથી શંખચૂડનાગને જેમ સિદ્ધરાજે કરેલાં સંકટાદિથી મારું સંરક્ષણ કર્યું. આપને ધર્મ દયામય છે, એમ મેં પ્રથમ સાંભળ્યું હતું, પરંતુ હાલમાં મારા રક્ષણથી મને સાક્ષાત્ તેને અનુભવ થયે. વળી આ સમયમાં સુખની અંદર પણ ઉપકાર કરનાર પાંચ કે છે, એમ પરિગણિત હોય છે. પરંતુ પ્રાણુતમાં રક્ષણ કરનાર તે આપ એક જ છે. શ્રેષ્ઠ અને અનેક આપના ગુણવડે પ્રથમ પણ આપને હું ભક્ત હતો. હાલમાં તે જીવિતદાન આપવાથી ખરેખર હું આપને દાસ છું. નિમિત્ત સેવાથી પ્રથમ મેં આપને રાજ્ય આપવું કબુલ કર્યું છે. હાલમાં મારું જીવિત પણ આપને માટે અર્પણ કરૂ છું. એ પ્રમાણે કુમારપાલના કેટલાક ઉદ્દગાર સાંભળી સુરિ બોલ્યા. કુમારે! હાલમાં ઘણું કહેવાની કંઈ જરૂર નથી. પછીથી સર્વ હકિકત તું જાણીશ. એમ કહી સૂરિએ ઉદયનમંત્રી પાસેથી ઘણું ભાતું તેને અપાવ્યું. પછી તેને પાછલી રાતને ત્યાંથી વિદાય કર્યો. વટપત્તન કુમારપાલ ત્યાંથી પૃથ્વી પર ફરતે ફરતે વડેદરા શહેરમાં ગયે. ત્યાં બહુ ક્ષુધા લાગવાથી કટુક-કડવા શેઠની દુકાને ગયા. ત્યાં તેણે એક વિશાપક (પાલી) ચણા માગ્યા. વાણીઆએ ચણા આપી તેની પાસે પૈસા માગ્યા કુમારપાલે તેના બદલામાં પિતાની તરવાર મૂકવા આપી. વાણીઓ સમજી ગયે કે એની પાસે કંઈપણ ધન નથી. પછી તેણે કહ્યું, મારે કંઈપણ લેવું નથી. આ ચણ તારા સુખને માટે થાઓ. Page #210 -------------------------------------------------------------------------- ________________ ચિગી સમાગમ ૧૬૩ તે સાંભળી કુમારપાલ ખુશી થયે અને તેનું નામ, સ્થાન વિગેરે પૂછીને પુનઃ જટાધારી થ. ત્યાંથી નીકળી આમતેમ ફરતે ફરતે તે ભરૂચ નગરમાં આવ્યું. ત્યાં એક શકુનદી મારવાડી રહેતે હતે. કુમારપાલ તેની પાસે ગયા અને પ્રાર્થના કરી છે. આપ શકુન શાસ્ત્રના જાણકાર છે, માટે શકુન જોઈ કહો કે મને સુખ સંપત્તિ કયારે મળશે? પ્રભાતકાળમાં શકુનવેદી કુમારપાલને સાથે લઈ નગરને બહાર ગયે અને મંત્રેલા ચેખા ફેકીને દેવ ચકલીને બોલાવી. તેજ વખતે શ્યામ રંગે, મુખમાં ધાન્યને ગ્રહણ કરતી અને પુષ્ટિ અંગવાળી તે દુર્ગા શ્રી મુનિસુવ્રત સ્વામીના મંદિર પર આવીને બેઠી. પછી વિકસ્વર નાદથી બે વખત આમલસારા પર તે બેલી. કલશપર બેસીને ત્રણવાર અને ધ્વજદંડ પર બેસીને ચાર વાર બેલી. તે સ્વરને વિચાર કરી શકુનદી બે. મંદિર પર બેસીને આ દેવ ચકલી બોલી છે તેમજ તેના વિકસ્વર નાદવડે જિદ્ર ભગવાનની ભક્તિથી તારે મેટો ઉદય થશે. એ પ્રમાણે શાકુનિકનું વચન સાંભળી કુમારપાલ બહુ પ્રસન્ન થયા અને દ્રાદિક વડે તેને ખુશી કર્યો. પછી તે જટાધરને વેશ છેડી દઈ ઉજ્જયિની નગરી તરફ ગયે. ત્યાં પિતાના કુટુંબને સમાગમ થયે. ચેગી સમાગમ પિતાની પાછળ આવેલા શત્રુના સુભટને જોઈ કુમારપાલ ત્યાંથી એકદમ નાઠે અને છેલ્લાપુર નગરમાં ગયે. ત્યાં તે ફરતા હતા તેવામાં સિદ્ધિઓના કરંડીઆ સમાન સર્વાર્થ સિદ્ધિ નામે એક ઉત્તમ ભેગી તેની નજરે પડશે. કુમારપાલ તરત જ તેની પાસે ગયા અને પ્રણામ કરી તેની આગળ બેઠે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કુમારપાળ ચરિત્ર ચૈાગી પેાતાનું ધ્યાન સમાપ્ત કરી પ્રસન્ન નેત્રોથી અવલેાકન કરતા આવ્યા. તારા લક્ષણા વડે તું રાજ્યને લાયક છે, છતાં તારી આવી અવસ્થા શાથી થઈ છે ? કારણ કે “ઉત્તમ રત્ન ધૂળમાં રખડતુ. ઉચિત ગણાય નહી’. ’” કુમારપાલ મેલ્યા. હૈ યાગી ! મારી આ દુર્દશા આજ સુધી હતી, પરંતુ સૂર્યના દનથી રાત્રી જેમ આપના દનર્થી હવે મારી દુરવસ્થા રહેવાની નથી. મેઘના અવલેાકનથી મારની જેમ આપના સમાગમથી મને પણ ઘણા આનદ થયા છે. પ્રસન્ન થઈ તમે કોઈપણ એવા તેજસ્વી અને ચિંતામણી સમાન એક મંત્ર આપા, જેના સ્મરણથી હું મહાત્ વૈભવશાળી થાઉ', ચેગીએ તુષ્ટ થઇ કહ્યું. મારી પાસે એ મંત્રો છે, એક સામ્રાજ્યદાયી છે અને બીજો યથેષ્ટ ધન આપનાર છે. પર ંતુ તે મને મંત્રો ઉપદ્રવ સહિત છે. જો તુ' તે સાધવાના સમથ હોય તે તે બંનેમાંથી એક મંત્ર હું તને આપું, તેના તું સ્વીકાર કર. મેાટી મહેરખાની, એમ કહી કુમારપાલે ચગી પાસેથી રાજ્યદાયક મંત્ર રાજ્યની માફક વિધિપૂર્વČક ગ્રહણ કર્યાં. સત્રસાધના કુમારપાલે પ્રથમ ત્રણ ઉપવાસ કર્યો. બ્રહ્મચારીની માફક બ્રહ્મવ્રત ધારણ કર્યુ. કોઇ એકાંતસ્થલમાં છ માસ સુધી તેણે તે મ ંત્રને જાપ કર્યું. પછી કાળી ચૌદશની રાત્રીના પ્રથમ પ્રહરમાં સાક્ષાત્ ઉત્સાહની મૂર્તિ' હાયને શુ' ? તેવેશ કુમારપાલ પૂજાનાં સાધના સહિત મયંત્રારાથન કરવા માટે સ્મશાનભૂમિમાં ગયો. ત્યાં કોઈ સ્થળે ભયંકર અસ્થિ-હાડકાઓના ઢગલા પડેલા છે, Page #212 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીદેવી ચિત વેતાલ લેાકેાના ઢઢ જામેલા છે. ક્વચિત ચિંતાગ્નિની જ્વાલાએ દેખાતી હતી. ક્વચિત મુડદાંઓ ખડકેલાં હતાં. વચિત પિશાચાનાં ટોળાં નૃત્ય કરતાં હતાં. ચિત દુષ્ટ શાકિનીએ ફરતી હતી. ચિત સેંકડો ભૂતા ભમતાં હતાં. હતા. ૧૬૫ તેમજ કાઈક ઠેકાણે મડદાંઓનાં માંસ ખાતી રાક્ષસીઓ નજરે પડતી હતી. ચિત ભયંકર એને સ્માર શિયાળીઆએના શબ્દો સાંભળાતા કોઈ ઠેકાણે ઉછળતા ધૂમના ફેલાવથી આકાશ છવાઈ ગયું હતું અને ચમરાજાનું કીડાવન હાયને શું? તેવા તે સ્મશાનમાં એક મડદુ લાવીને તેના વક્ષસ્થલમાં એક અગ્નિકુંડ કર્યાં. તેની દર અગ્નિ સળગાવ્યો. જેની જવાલાએ ચારે તરફ અખંડિત દીપવા લાગી. તે મડદાના નાભિ પ્રદેશમાં બેસીને કુમારપાલે વિધિ પ્રમાણે તેનુ પૂજન કર્યું. પછી મેરૂસમાન સ્થિરપણે મંત્રનુ સ્મરણ કરતા કુમારપાલ અગ્નિકુંડમાં હામ કરવા લાગ્યા. હેામ કરતા કુમારપાલને જોઇ તે પ્રેતવનના અધિપતિ વક્રષ્ટ નામે ક્ષેત્રપાલ કાલની માફક કોપાયમાન થયે.. જેના કેશ પિળા અને ઉપર ઉપર બહુ હતા તેમજ સ્મૃતિ વાળા ચળકતા જેની આકૃતિ બહુજ ઉંચી હાવાથી જાણે ઉપર ભાગમાં બળતા દાવાનળની વાલાએથી વીંટાયેલા પત હાયને શું? સુખની અંદર ખડુ લાંખી દાંતની પ ́ક્તિવડે ભયંકર દેખાવ આપના, જાણે પેાલની અંદર રહેલા સપેથી વ્યાકુળ વૃક્ષ હાયને શુ? Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કુમારપાળ ચરિત્ર આકાશને સ્પર્શ કરતા મસ્તકવડે તારાઓને નીચે પાડો હેયને શું? મુખમાંથી નિકળતી અગ્નિની જવાલાઓ વડે અંધકારને ગળતે હેયને શું ? દૂર પ્રસરી ગયેલા હસ્તવડે વૃક્ષને ખેંચતે હેયને શું ? પ્રચંડ ચરણના આઘાતવડે પૃથ્વીને નીચે ફેંકતે હોયને શું ? વળી અંજનગિરિ સમાન શ્યામ, મંદાકિસમાન સ્થલ અને વિકરાલદષ્ટિથી નિરીક્ષણ કરે તે ક્ષેત્રપાલ કુમારપાલની આગળ પ્રગટ થયે. તે દુષ્ટ કુમારપાલને ડરાવવા માટે પગના આઘાતથી નજીકમાં રહેલા પર્વ સાથે વેલીની માફક પૃથ્વીને કંપાવવા લાગે. બ્રહ્માંડ રૂપી પાત્રને ભેદવામાં સમર્થ એવા લાખ કિલકિલાવ સુભટ સિંહનાદને જેમ તે કરવા લાગ્યો. ભૂમિકંપથી અને તેના પ્રચંડ વિનિથી સિંહનાદથી હસ્તીવૃંદ જેમ પિશાચ વગેરે નાશી ગયા, તે શિયાળ વિગેરે તે રહેજ કયાંથી? યમરાજાની જીભ સમાન ભયંકર અને તેને હણવાની ઈચ્છા વડે દેડતા સાદિકને વારંવાર વિકુવીને તે દુષ્ટ ક્ષેત્રપાલ કુમારપાલને બીવરાવવા લાગે, મંત્ર ઉપદ્રવ સહિત છે, એ પ્રમાણે ગુરુ વચનનું સ્મરણ કરતા કુમારપાલને તેણે ઘણા ઉપદ્રવ કર્યા પણ તે બીલકુલ ક્ષેભ પામે નહીં, ઉલટ નિર્ભય થઈ તે ધયાનકર્મમાં બહુ સ્થિર થયો. પવને કંપાયેલે પર્વત શું ચલાયમાન થાય ખરે? પછી તે ક્ષેત્રપાલની માફક નિષ્ફળ થઈ ત્યાંથી વિદાય થયો અને કુમારપાળે પણ જાપ તથા હોમપૂર્વક મંવારાધનની ક્રિયા પૂર્ણ કરી. લક્ષ્મીદેવી પિતાના તેજવડે આકાશને સૂર્યની શ્રેણિમય કરતી અને સાક્ષાત પુણ્યશ્રીની મૂર્તિ હોય તેમ લક્ષ્મીદેવી કુમારપાલની આગળ પ્રગટ થઈ. Page #214 -------------------------------------------------------------------------- ________________ કાંચીપુરી ૧૬૭ દાદ્રિયને દેશવટે આપનાર પેાતાની માતાસમાન લક્ષ્મીને જોઈ કુમાર પાલનું સુખ પ્રફુલ્લ થઈ ગયું અને તરત જ તેણે નમસ્કાર કયાં. દેવી એલી, હે વત્સ ! તારા મંત્રની અધિષ્ઠાયિકા લક્ષ્મીદેવી હું' પાતે છું. ઉત્કૃષ્ટ વૈભવાના સ્થાનભૂત તને જાણી હું તારી પાસે આવી છું. ક્ષેત્રપાલે કરેલા ક્ષુદ્ર ઉપદ્રવે વડે ધ્રુવની માફ્ક નિશ્ચલ તારૂ કૌય જોઈ હું તારી પર પ્રસન્ન થઈ છું, માટે તું વર માગ, કુમારપાલ લ્યો. ખરેખર આજે મારા પુણ્યરૂપી વૃક્ષ કુતિ થયો. કારણ કે કલ્પવલ્લી સમાન દુર્લભ એવી તું મને પ્રત્યક્ષ થઈ. गार्हस्थ्य स्थितिमेति यात्युपचयं पुण्य प्रतिष्ठैधते, साकल्यं दधते कलाः प्रतिकल सौरव्यं समुन्मीलति । सर्वस्येापकृतिः स्फुरत्यमला कीर्त्तिः समुज्जृम्भते, विश्व लक्ष्मि ! भवत्कटाक्षकणिका - छोटेन जीवत्यदः ॥ १ ॥ હૈ લક્ષ્મી ! તારા કટાક્ષ લેશની છાયાથી ગૃહસ્થાશ્રમ સ્થિર થાય છે. પુણ્યની વૃદ્ધિ થાય છે, પ્રતિષ્ઠા વધે છે. કલાએ સફળ થાય છે. દરેક ક્ષણમાં સુખ સંપત્તિ પ્રગટ થાય છે. સવના ઉપકાર થાય છે અને નિમ્પૂલ પ્રીતિને ફેલાવ થાય છે. એટલુ' જ નહી. પણ આ જગતના જીવે એનાથી જીવે છે. ,, હે લક્ષ્મીદેવી ! વાણી એ સરસ્વતી દેવી પ્રસિદ્ધ છે અને તું તા સારસ્વતી-સમુદ્રમાંથી પ્રગટ થયેલી કહેવાય છે, પરંતુ તેનાથી તું માત્રાવડે અધિક છે, તે ગુણેાવડે પણ કેમ અધિક નહીં ? વળી હું લક્ષ્મીદેવી ! તારા આશ્રિત જનેાની સ્તુતિએ વડે વિદ્વાન્ એવા પેાતાના પુત્રોનુ' પાષણ કરતી સરસ્વતી તારી સાથે જે સ્પર્ધા કરે છે, તેથી તે કેવલ મૂર્ખ છે. તેમજ તારા આશ્રય કરવાથી કૃષ્ણ પણ પુરૂષષ્ઠત્તમ થયા અને તારા અનાદર કરવાથી શંકરને ભિક્ષાટન રહ્યુ.. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કુમારપાળ ચરિત્ર માટે હે લક્ષમી ! પિતાના પુત્રની માફક મારી ઉપર જે પ્રસન્ન થઈ હોય તે તું પ્રેમ વલ્લીના ફલરૂપ ઐશ્વર્ય મને આપ. લક્ષમીએ વર આપે, કે આજથી પાંચમે વર્ષે તારા મનોરથરૂપી વૃક્ષ ફલશે. એમ કહી લક્ષ્મીદેવી અંતર્ધાન થઈ ગઈ પછી કુમારપાલ તે ગી પાસે ગયો. પ્રભાતમાં સર્વ રાત્રિવૃત્તાંત નિવેદન કર્યું. યોગી પ્રસન્ન થઈ બોલ્ય. ખરેખર તું ભાગ્યશાલી છે, કારણકે આ મહાન કઠીને મંત્ર તે ઉત્કૃષ્ટ ધર્મ ક્રિયાની માફક સિદ્ધ કર્યો. કાંચીપુરી સિદ્ધ થયે છે મંત્ર જેને એ કુમારપાળ ગીને પ્રણામ કરી ત્યાંથી નીકળે. દેશાટન કરતે તે કર્ણાટક દેશની શોભારૂપ સ્ત્રીની કટીમેખલા સમાન કાંચીપુરીમાં ગયે. અંદરના ભાગમાં તે ફરતે હતે. તેવામાં પાણી ભરતી સ્ત્રીઓનું ટોળું તેને જોવામાં આવ્યું. કૌતુક સાંભળવાની ઈચ્છાથી તે પણ ત્યાં ગયે. શત્રુએ મસ્તક ઉડાવી દીધેલું એવું કઈક પુરૂષનું ધડ ત્યાં પડેલું હતું. તે જોઈ પનીહારીઓ પરસ્પર બોલતી હતી. અહો ! એને કેશકલાપ કે સુંદર અને લાંબો દેખાય છે ? અહો ! એના કાન કેવા દીર્ઘ છે ? હે ! એની દાઢી બહુ ગાઢ છે ? અહે! મુકતાવલિ સમાન દેદીપ્યમાન દાંતની પંક્તિ અદ્દભુત શોભે છે? અહો ! હંમેશાં પાનખાવામાં આ પુરુષ બહુ વ્યસની છે. એ પ્રમાણે તે સ્ત્રીઓનું બોલવું સાંભળી કુમારપાલ ચકિત થઈ ગયો અને વિચાર કરવા લાગે. આ પુરુષનું મસ્તક નથી, છતાં આ સ્ત્રીઓ કેશલાપાદિકની સ્થિતિ કેવી રીતે જાણે છે? Page #216 -------------------------------------------------------------------------- ________________ અમૃતસાગર ૧૬૯ એમ વિચાર કરી તેણે સ્ત્રીઓને પૂછયું. એના મસ્તક વિના તમે એનું વર્ણન શા ઉપરથી કરે છે? હાસ્ય કરી સ્ત્રીઓ બેલી. હે સુભગ! વસ્તુનું નિરક્ષણ કરીને મૂર્ખઓ પણ બેલે છે, પરંતુ બુદ્ધિમાન તે તેઓ જ ગણાય કે, જેઓ જોયા વિના પણ વર્ણન કરે. જે આ ધડના પૃષ્ઠ ભાગપર ચોટલાને ઘસારે પડે છે, તે પરથી એને કેશપાશ લાંબે હવે જોઈએ. કુંડનાં ચિહ એના સ્કંધપર પડેલાં છે તેથી તેના કાન લાંબા હોવા જોઈએ. નાભિ સુધી એના હૃદયને ભાગ ઉજવલ દેખાય છે, તેથી દાઢીના વાળ બહુ લાંબા હશે. તેમજ ટચલી આંગલીને પ્રાંત ભાગ લાલ છે અને અંગુઠો ચુનાથી ઘેળો દેખાય છે, તે પરથી તાંબુલ ખાવાને એને વધારે અભ્યાસ હશે. એ પ્રમાણે એના ચિન્હો ઉપરથી તે વાત સાબીત થાય છે. એમ સ્ત્રીઓની બુદ્ધિવડે કુમારપાલ બહુ ખુશી થયે અને ત્યાંથી આગળ ચાલ્યા. અમૃતસાગર આગળ જતાં અમૃતસાગર નામે એક તળાવ આવ્યું. જેની મનહર પાળ ઉપર ગાઢ વૃક્ષ શ્રેણિ શોભતી હતી. કુમારપાળે અંદર ઉતરી સ્નાન કર્યું. પછી તેના કાંઠા પર રહેલા ભવ્ય મંદિરમાં તે ગ. ત્યાં લોકે દેવની માફક એક મસ્તકની પૂજા કરતા હતા. તે જોઈ કુમારપાળે પૂજા કરતા એક માણસને પુછ્યું. અહીંયાં આ દેવમૂર્તિએને ત્યાગ કરી તમે આ મતકને શા માટે પૂજે છે ? પૂજક છે. હે દેવ ! એની હકીક્ત આપ સાંભળે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ કુમારપાળ ચરિત્ર પૂર્વકાળમાં જેના ભયથી ભય પામેલી અમરાવતી સ્વર્ગમાં ગઈ હોય તેવી આ કાંચીપુરી છે. રૂપમાં કામદેવ સમાન મકરધ્વજ નામે રાજા અહીં રાજ્ય કરે છે. સન્માનપૂર્વક દાનથી જે નરેંદ્ર મુનિઓને પણ માનવા લાયક છે, એ મોટું આશ્ચર્ય છે. જેના ખડગુરૂપી મેઘ વર્ષે છતે હંસની માફક ભયબ્રાન્ત થઈ શત્રુઓ દરેક દિશાઓમાં નાસી ગયા. તે મકરવજરાજાએ કૌતુકથી આ મેટું સરોવર બંધાવ્યું છે. જેની શોભા અને પાણી જતાં માનસરોવર પણ ભૂલી જવાય તેમ છે. શિરમજન એક દિવસ આ સરોવરમાં કમલેની મધ્યમાંથી સુંદર કુંડલેથી સુશોભિત એક મસ્તક બહાર નીકળી “બુડે છે, બુડે છે, બુડે છે.” એમ ત્રણવાર બોલી જળની અંદર બુડી ગયું. એવી રીતે હંમેશાં કહીને તે નિમજજન કરતું હતું. તે વાત રાજાના સાંભળવામાં આવી, એટલે મકરવજરાજા પણ પિતે ત્યાં જોવા માટે આવ્યા. તે જોઈ રાજાના મનમાં વિચાર થયો કે, આ બનાવ અમંગલિક છે. એમ જાણી તેના મનમાં કંઈક ભીતિ લાગી. તેણે પોતાના શ્રેષ્ઠ પંડિતને બોલાવ્યા અને પૂછયું. સરોવરની અંદર તે મસ્તક ત્રણવાર બેલીને ચાલ્યું જાય છે, તેનું તાત્પર્ય શું છે? તે સ્પષ્ટ રીતે મને સમજાવે. સિદ્ધાંતસાગરના પારગામી બ્રાહ્મણે પણ જડપુરુષની માફક તેનું તત્વ કંઈપણે જાણી શક્યા નહીં, તેથી રાજાને બહુ ક્રોધ થયો અને તેણે કહ્યું. રે મૂર્ખાઓ? લાકડાની તરવારથી મારું ધન ખાઓ છે, પરંતુ કંઈ જાણતા નથી. ખરેખર તમે કાચ સરખા છે છતાં મેં ઈન્દ્રનીલમણિની Page #218 -------------------------------------------------------------------------- ________________ બહુશ્રુત બ્રાહ્મણ ૧૭૧ બ્રાંતિથી તમારે સત્કાર કર્યો, કારણ કે એક પણ મારે સંદેહ તમે ભાગી શકયા નહીં. તે સાંભળી પંડિતાએ કહ્યું. રાજન ! આ પ્રશ્નનો ઉત્તર અમે ચાર મહીને આપીશું. એમ કહી રાજાને શાંત કરી તેઓ એકાંતમાં વિચાર કરવા લાગ્યા. એક વૃદ્ધ માણસ જે જાણે, તે કરોડ યુવાન પુરુષો પણ જાણી શકતા નથી.” એ વાત લેકમાં પ્રસિદ્ધ છે. માટે આ બાબત કોઈ વૃદ્ધ પુરુષને પૂછવી જોઈએ. વળી તેવા વૃદ્ધપુરૂષ પ્રાયે મરૂદેશમાં સંભળાય છે, તેથી ચાલે આપણે મારવાડદેશમાં જઈએ અને કેઈ મારવાડી-મરૂદેશના વૃદ્ધપંડિતને પૂછીએ. એમ વિચાર કરી તે ચારે બ્રાહ્મણે ત્યાંથી નીકળ્યા. અનુક્રમે મરૂન દેશમાં જઈ પહેચ્યા. કારણકે દરેક માણસ પોતાનું કાર્ય પ્રથમ સિદ્ધ કરે છે બહુશ્રુત બ્રાહ્મણ તપાસ કરતા તે બ્રાહ્મણે વિક્રમપુરનામે નગરમાં ગયા. તેની અંદર એક બ્રાહ્મણ રહેતું હતું. તે બહુશ્રુત અને બહુ પ્રસિદ્ધ હતે. જેની સેવામાં બુદ્ધિ મેળવવાની ઈચ્છાથી આચાર્યની પાસે શિષ્યસમુદાયની જેમ ઘણું જીજ્ઞાસુઓ રહેતા હતા. - હૃદયમાં નહી સમાવાથી ઉપર નીકળી આવેલા મૂર્તિમાન બુદ્ધિના અંકુરાઓ હેયને શું ! તેવી રીતે જેના મસ્તક પર કાસના પુષ્પ સમાન ઉજવલ કેશ દીપતા હતા. હંસની શ્રેણીવડે સરેવર જેમ ૧૦૦,૮૨,૬૦ અને ૩૮ વર્ષના અનુકમે પુત્રપૌત્રાદિક પરિવાર વડે ઘેરાયેલે હતો. વૃદ્ધાવસ્થા છતાં પણ જેનું શરીર યુવાનના સરખું લષ્ટપુષ્ટ હતું અને ઉંમરમાં તે એકસો વીસ વર્ષને હતે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કુમારપાળ ચરિત્ર તેને જોઈ તેઓ તેની પાસે ગયા. વિનયપૂર્વક નમસ્કાર કરી તેની પાસમાં તે બેઠા. બ્રાહ્મણે પૂછયું. ભાઈઓ! તમે કયાંથી અને અહીં શા માટે આવ્યા છે? બ્રાહ્મણેએ મૂળથી આરંભી મરતક મજજનની સર્વ વાત કહી. પછી તેમણે કહ્યું. હે વૃદ્ધ! આ રાજ પ્રશ્નને જવાબ અમારે કેવી રીતે આપ, તે આપ કૃપા કરી કહે. બહુકૃતના બળથી વૃદ્ધબ્રાહ્મણે તેનું તાત્પર્ય શોધી કાઢ્યું અને પિતાના મનમાં નક્કી કરી, તેમને કહ્યું. પ્રથમ તમે ભજન કરે, પછી એને ઉત્તર હું તમને કહીશ. તે સંબંધી કંઈપણ ચિંતા કરશે નહીં. બ્રાહ્મણો જમવા ઉઠયા. જમી રહ્યા બાદ ફરીથી વૃદ્ધની પાસે ગયા અને પોતાની હકીકત પૂછી. વૃદ્ધ બોલે. તમારા પ્રશ્નનો જવાબ હું પછી આપીશ, પરંતુ મારા કહેવા પ્રમાણે એક કામ કરો. કંઈ પણ એક વસ્તુ તમે અહીંથી ગ્રહણ કરે. જેથી તમારા માર્ગને ખરચે પૂરો થાય. તેઓ બેલ્યા. અહીંયાં અમારે લેવા લાયક કઈ વસ્તુ છે? ત્યારે વૃધે કહ્યું. ચાર નાના કુતરાઓ દરેકની કમ્મરે તમે બેસારી લે. તમારા દેશમાં તેઓ નહીં મળવાથી તેમાંથી તમને ઘણું ધન પ્રાપ્ત થશે. બ્રાહ્મણે લેભમાં પડી ગયા. જેથી કુતરાનાં બચ્ચાં પિતાની કેડે બેસારી લીધાં, તે જઈ વૃદ્ધવિપ્ર હસતે મુખે પોતાનું રહસ્ય કહેવા લાગે કેश्वानर्गदभचांडाल-महाभांडरजस्वलाः । देवार्चक च संस्पृश्य, सचेलः स्नानमाचरेत् ॥१॥ Page #220 -------------------------------------------------------------------------- ________________ બહુશ્રુત બ્રાહ્મણ ૧૭૩ શ્વાન, ગર્દભ, ચાંડાલ, મદિરાપાત્ર, રજસ્વલા સ્ત્રી અને દેવપૂજક-દેવદ્રવ્ય ખાનાર, એ સર્વને સ્પર્શ કરવાથી સલરનાન કરવું પડે.” એમ શાસ્ત્રમાં કહેવાથી અન્ય વર્ગના લેકેને પણ શ્વાનને સ્પર્શ નિષેધેલ છે, તે તમે બ્રાહ્મણ થઈ તમારા શરીર પર આ કુતરાઓને બેસાર્યા છે, આ શું કહેવાય ? આપના કહેવાથી અમેએ લેભથી આ કામ કર્યું છે. એમ તેઓનું વચન સાંભળી ફરીથી વૃદ્ધ બો. જો એમ હોય તે આ જગત લેભને લીધે પાપરૂપ સમુદ્રમાં ડુબે છે. એ વાત સત્ય છે. यन्नीचाायण यदुग्रभुजगव्याघ्रद्विपादिग्रहो___ यत्पाथोधिविगाहन गिरिमहाकान्तारचारोऽपि यत् । यन्मातापितृबान्धवादिहनन चौर्यादि दुष्कर्म य तल्लोभस्य गुणौघमेघपवनस्यात्यूर्जित स्फूर्जितम् ॥१॥ લેભનું પરાક્રમ એટલું બધું બળવાનું છે કે, જેને લીધે નીચ મનુષ્યને આશ્રય લે પડે છે. તેમજ પ્રચંડ સર્પ, વ્યાઘ અને હસ્તીઓનું ગ્રહણ, સમુદ્રપ્રવેશ, પર્વત અને ભયંકર વનની અંદર ગમન, માતા, પિતા અને બાંધવાદિકને ઘાત, તથા ચાદિદુષ્કર્મ કરવા પડે છે. એટલું જ નહી પણ અનેક સદ્ગુણરૂપી મેઘને વિખેરવામાં પવન સમાન તે લેભ જ ગણાય છે.” ક્રોધાદિક પણ લાભથી પ્રગટ થાય છે. સર્વ વિપત્તિઓનું સ્થાન લે છે. તેમજ લેભમાં સર્વ દેષ રહેલા છે. લેભથી પ્રાણુને વિનાશ થાય છે. માટે હે વિપ્ર જ્યારે તે મસ્તક બહાર નીકળી “બુડે છે” એમ કહે ત્યારે તમારે તેની આગળ લેભથી બુડે છે એ પ્રમાણે ઉત્તર આપ. Page #221 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર તે સાંભળી ફરીથી તે મસ્તક પાણીની બહાર નીકળશે નહીં'. એમ છતાં કદાચિત્ તે નીકળે તે મને ખબર આપજો, એટલે પેાતે ત્યાં આવી તેને અધ કરીશ. તે સાંભળી બ્રાહ્મણે ચકિત થયા, કુતરાઓને ફેકી દઇ વૃદ્ધને કહેવા લાગ્યા. સર્વજ્ઞની માફ્ક તમારી બુદ્ધિ દરેક માગ માં પ્રવીણ છે. વળી આપની બુદ્ધિરૂપી નાવના સમાગમ અમને ન થયેા હાત તા અમે ખરેખર અપાર સંશયરૂપ સાગરમાં ડુબી જાત. એ પ્રમાણે વૃદ્ધની સ્તુતિ કરી બ્રાહ્મણેા ખુશી થયા. પછી તેણે બ્રાહ્મણાને વિદાય કર્યાં. ૧૭૪ ચાર માસની સમાપ્તિના 'તિમ દિવસે બ્રાહ્મણા પેાતાની કાંચીપુરીમાં ગયા. પ્રભાત કાળમાં રાજાએ તેમને ખેલાવ્યા. મરૂદેશસ્થ વૃદ્ધવિપ્રનું સવ વૃત્તાંત રાજાની આગળ બ્રાહ્મણેાએ કહ્યું. પછી રાજાની સાથે તેએ સરોવર પર ગયા. હુંમેશના સમય થયા એટલે તે મસ્તકે બહાર નીકળી મુકે છે” એમ ત્રણવાર કહ્યું. ત્યારે લાભથી ડંખે છે, એવા બ્રાહ્મણાના જવાબ મળવાથી હસીને ફરીથી તે એલ્યુ. મારો આશય તમે સમજી શકયા છે. નૃપપ્રશ્ન રાજાએ મસ્તકને પૂછ્યું, તું કાણુ છે? આ પ્રમાણે ખેલવાનું તારે શું પ્રયેાજન છે? મસ્તકે કહ્યું. મસ્તકમાં રહેલા કેલીફિલ નામે હું ન્યતર ધ્રુ અને આપના પડિતાની હાંશીયારી જોવા માટે એ પ્રમાણે મારે ખેલવુ થતુ હતુ. આજે એના ઉત્તર મળવાથી હવે હું અહી. આવીશ નહી'. એમ કહી તે યંતર ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. રાજાએ પડિતાના મહુ સત્કાર કર્યાં. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ પ્રતાપસિંહ રાજા આ મસ્તકવાર્તાની પ્રસિદ્ધિ માટે ભૂપતિએ આ ચૈત્ય બંધાવ્યું છે. અને એની અંદર પાષાણનું મસ્તક બનાવરાવીને સ્થાપન કર્યું છે, તેથી સર્વ લેકો એની પૂજા કરે છે, કારણકે રાજઆજ્ઞા બહુ બળવાન હોય છે. આ પ્રમાણે તે મસ્તકની વાત સાંભળી કુમારપાલનું હૃદય આશ્ચર્યથી ભરાઈ ગયું. પછી તે વનની અંદર કેસરીસિંહની જેમ કાંચીપુરીમાં ગયે. ત્યાં અનેક પ્રકારના કૌતુક જેવાથી આનંદને આધીન થયેલા કુમારપાલે રાજાની માફક સ્વસ્થ ચિત્ત કેટલાક સમય વ્યતીત કર્યો. પ્રતાપસિંહ રાજા ધર્મશ્રદ્ધાલુ અને નિર્દોષ ભક્તિમાન કુમારપાલ ત્યાંથી પ્રયાણ કરી આગળ ચાલે. નિરંતર પ્રયાણવડે તે મલ્લિનાથ દેશના આભૂષણું સમાન કલંબ નગરમાં ગયો. અરણ્યમાં પ્રયાણ કરવાથી બહુ શ્રમને લીધે સુંદર છાયાવાળા વૃક્ષાથી વિભૂષિત એક સરેવરના કાંઠા પર મજેદ્રની માફક તે વિશ્રાંતિ લેવા બેઠે. મયુરોના કલાપને તાંડવ કરાવતે, વારંવાર જલબિન્દુઓનું પ્રેષણ-સિંચન કરે અને કુમારપાલના સુગંધમય અતિથ્યને વિસ્તારતે. સરોવરને વાયુ આચારના જાણકારની માફક આચરણ કરવા લાગ્યો. તેજ રાત્રીએ પ્રતાપસિંહ નામે કોલંબરાજાને સોમેશ્વરનામે દેવે વનમાં કહ્યું. પ્રભાતકાલમાં અહીં તારા ઉપવનમાં કુમારપાલ આવશે. અને પરાક્રમના આશ્રય સમાન તે ગુજરદેશનો રાજા થવાને છે. માટે તારે તેના સામું જવું અને વિનયપૂર્વક પ્રવેશ મહોત્સવ કરી એની બહુ ભક્તિ કરવી. પ્રભાતમાં ચક્રવર્તીની માફક બહુ સૈનિકે લઈ પ્રતાપસિંહરાજા તેની સન્મુખ ગ અને સરોવરના કિનારે બેઠેલા કુમારપાલને તેણે જે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કુમારપાળ ચરિત્ર વચ્છ બુદ્ધિવાળે તે રાજા પિતાના જ્યેષ્ઠ બંધુની માફક કુમાર પાલને બહુ માનપૂર્વક પિતાના ઘેર લઈ ગયે. અનન્ય સેવા ભક્તિથી તેને ખુશી કર્યો. બાદ બહુ આનંદથી ત્યાં રહેતા કુમારપાલે રાજાને પૂછયું. મારે આવો અપૂર્વ સત્કાર તમે શા માટે કર્યો? રાજાએ કહ્યું. સોમેશ્વરદેવની આજ્ઞાથી મેં આપની ભક્તિ કરી. દેવના સત્કારવડે કુમારપાલ પિતાને બહુ પુણ્યશાળી માનવા લાગે. પ્રતાપસિંહનરેશના બહુમાનવડે કુમારપાલ ત્યાં કેટલાક દિવસ રહ્યો. અને તેની સાથે તેણે મિત્રતાને સંબધ જે. સજનનું આ મુખ્ય કર્તવ્ય છે. પછી કુમારપાલ તેની આજ્ઞા લઈ વક્રગતિ પામેલા ગ્રહની માફક ત્યાંથી પાછો ફર્યો અને શિપ્રા નદી જેને નજીકમાં રહેલી છે, એવી ઉજજયિની નગરીમાં આવ્યું. વિરહાનલથી અત્યંત તપી ગયેલા હૃદયને પિતાના કુટુંબના સમાન ગમ રૂપ જલસિંચનથી તેણે શાંત કર્યું. પછી સ્વર્ગ સમાન રૂદ્ધિવાળી તે નગરીનું અવલોકન કરતે કુમારપાલ કુંડગેશ્વર નામે દિવ્ય પ્રાસાદમાં ગયો. ત્યાં મધ્ય ભાગમાંથી નીકળેલી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સંબંધી ભુજંગની ફણાવડે ઉન્નત એવું શંકરનું લિંગ જોઈ કુમારપાલને બહુ આનંદ થયે. પ્રેમપૂર્વક તેણે નમસ્કાર કર્યો. લિંગની અંદર રહેલી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિનાં દર્શન કરી કુમારપાલ જિદ્રભગવાનનું ધ્યાન કરતા શંકરને પણ પિતાના હૃદયમાં બહુ માનવા લાગ્યું. પછી સર્વને આનંદદાયક અતિ અદ્દભુત તે મંદિરની શોભા તે જતો હતે, તેવામાં ત્યાં દિવ્ય કાવ્યથી લખેલી એક પ્રશસ્તિ કુમારપાલની નજરે પડી. તરત તે વાંચીને તેમાં શ્રીવિકમરાજાનું નામ લખેલું, તેની આગળ શ્રી સિદ્ધસેન દિવાકરે એક આય લખેલી હતી, તે પણ તેણે વાંચી. Page #224 -------------------------------------------------------------------------- ________________ ભૂતાનંદગી ૧૭૭ તેને ભાવાર્થ એ હતો કે, તે વિક્રમનરેંદ્ર! વિ. સં. ૧૧૯ પૂર્ણ થવાથી તારા સરખે સમૃદ્ધિવાળે કુમારપાલરાજા થશે. એ પ્રમાણે શ્લેકને ભાવાર્થ પિતાના મનમાં વિચારી તેને નિશ્ચય થયું કે, હું રાજ્યપાલક થઈશ. તેમજ જૈનમુનિઓમાં જ્ઞાનને પ્રભાવ બહુ રહેલો છે, એમ વિશાળ બુદ્ધિમાન તે માનવા લાગ્યું. ચિત્રકૂટગમન બેસરી, સાજન અને પિતાના કુટુંબને સાથે લઈ કુમારપાળ ત્યાંથી નીકળીને ચિત્રકૂટગિરિ પર ગયે. ત્યાં શ્રી શાંતિનાથભગવાનના મંદિરમાં શ્રીરામ નામે મુનિ રહેલા હતા, તેમને વંદન કરી કુમારપાલે પૂછયું. હે મુનીંદ્ર! આ પર્વતને ચિત્રકુટ શાથી કહેવામાં આવે છે? મુનિ બેલ્યા. અહીંથી ત્રણ કેશ ઉપર સ્વર્ગ પુરી સમાન અદ્ધિશાલી મધ્યમાં નામે નગરી છે. તેમાં ત્રણે લેકના ચિત્તને પિતાના પવિત્ર ચરિત્રેવડે ચકિત કરતો અને પૃથ્વીને વિષે ઇદ્ર સમાન ચિત્રાંગદ નામે રાજા હતે. તે હંમેશાં અનેક શત્રુઓને અસત્ એવા એક ભયનું પ્રદાન કરતું હતું, જેથી દાનવીર પુરુષો પણ પોતાના હૃદયમાં વિસ્મય પામતા હતા. સુમતિ નામે સત્યવાદી તેને મંત્રી હતું. જેની બુદ્ધિ રાજ સંપત્તિરૂપ વેલીને પલ્લવિત કરવામાં મેઘ સમાન વર્તતી હતી. ભૂતાનંદગી એક દિવસ દેવસભામાં સુરેંદ્રની જેમ ચિત્રાંગદરાજા સભામાં બેઠે હતું. તે સમયે દર્શનની ઈચ્છાથી ભૂતાનંદ નામે એક ચગી ત્યાં આવ્યો. સુંદર સ્વાદિષ્ટ કેટલાંક ફળ રાજા આગળ મૂકી તેની સાથે કંઈક વાર્તાલાપ કરી ક્ષણમાત્ર વિનોદ કરી તે ચાલ્યો ગયે. ૧૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કુમારપાળ ચરિત્ર બીજે દિવસે પણ તે કેટલાંક બીજાં ફળ લઈ પૂર્વની જેમ ત્યાં આવ્યા અને સુખ વાતમાં કેટલાક સમય વ્યતીત કરી પુનઃ પિતાના ધાનમાં ચાલ્યો ગયો. એવી રીતે નિત્ય નવનવાં ફલેવડે તે પેગીએ દેવની જેમ રાજાની છ માસ સુધી સેવા કરી, પરંતુ કંઈપણ કાર્ય તેણે જણાવ્યું નહીં. પછી ચિત્રાંગદરાજા તેની ઉપર પ્રસન્ન થયા અને તેણે પૂછયું. હે ગી! તું શા માટે મારી ભક્તિ કરે છે? જે કંઈ કાર્ય હોય તે તું સુખેથી કહે. એકાંતમાં ગીએ રાજાને કહ્યું, સુવર્ણ પુરુષ સિદ્ધ કરનાર મંત્ર ગુરુ પાસેથી મહાકણ વડે મેં મેળવેલ છે. તેની પૂર્વ સેવા છમાસ સુધી વિધિ પ્રમાણે મેં કરી છે, હવે તમારી સહાયથી ઉત્તર ક્રિયા કરવાની મારી ઈચ્છા છે અને તે અનુષ્ઠાન કાળીચૌદશની રાત્રીએ મશાનભૂમિમાં અગ્નિની અંદર હોમ કરવાથી સિદ્ધ થાય છે, અન્યથા સિદ્ધ થતી નથી. હે નરેદ્ર! હાલમાં સત્ત્વ, ઉપકાર, દક્ષિણ્ય અને શૌર્ય વિગેરે ગુણશાલી પુરુષમાં આપ મુખ્ય છે, માટે આપની હું પ્રાર્થના કરું છું કૃપા કરી ને તમે ઉત્તર સાધક થાઓ તે આપની સહાયથી મારે મંત્ર સિદ્ધ થાય. ચિત્રાંગદરાજાએ અતિ દાક્ષિણ્યતાને લીધે તેનું વચન માન્ય, કયાકારણ કે “પપકાર કરવામાં મહાત્માઓ વ્યસની હોય છે. તે વાત પિતાની બુદ્ધિથી મંત્રીના જાણવામાં આવી. તેના મનમાં શંકા થઈ રાજા બહુ ભયમાં આવી જશે. તેણે રાજાને એકાંતમાં બોલાવી કહ્યું. હે પ્રભુ! દેવની માફક આપ પોતે સર્વ જાણે છે, તે પણ નેહને લીધે મારે આપને કંઈક કહેવાનું છે. યેગીની આગળ આપે જે સહાયતા કબુલ કરી છે, તે ગ્ય છે, પરંતુ એનું પરિણામ બહુ ખરાબ છે, એમ મારી બુદ્ધિથી હું ધારું છું Page #226 -------------------------------------------------------------------------- ________________ ભૂતાનંદને અત્યાચાર ૧૭૯ કારણ કે એવા દુષ્ટ ભેગીઓ પિતાનાં કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાથી પિશાચની માફક ઉત્તમ પુરુષને છેતરીને મારે છે. તેમજ અત્યંત્ર નિર્દય એવા તે દુટો પ્રાણીઓના ઘાતજન્ય પાપથી કસાઈઓની જેમ યમથી પણ ભય પામતા નથી. - આ યોગી સ્વર્ણ પુરુષની સિદ્ધિ માટે તમારી માગણી કરે છે, કારણ કે સ્વર્ણપુરુષની સિદ્ધિ તે બત્રીસ લક્ષણા પુરૂષના હેમ સિવાય થઈ શકતી નથી. માટે સારા લક્ષણેથી સંયુક્ત આપને જોઈ એ દુષ્ટબુદ્ધિ કદાચિત અનિષ્ટ કરે, તેથી હું આગ્રહપૂર્વક આપને કહું છું. એ બાબતમાં આપને પડવું ઉચિત નથી. રાજાએ કહ્યું, હું આ હકીક્ત જાણતા નહોતે, તેથી મેં એનું વચન કબુલ કર્યું છે. હવે હું નીચની માફક પિતાનું વચન કેવી રીતે અન્યથા કરૂં? મંત્રી છે. જે એમજ આપને કરવાનું હોય તો હું સેવકની માફક આપની સાથે આવું અને ગુપ્ત રહી યાચિત મારું કામ હું કરીશ, એ પ્રમાણે મંત્રીને વિચાર રાજાએ કબુલ કર્યો. ભૂતાનંદને અત્યાચાર કાળીચૌદશના દિવસે પૂજાની સામગ્રી લઈ ભૂતાનંદગી રાજા પાસે આવ્યા. રાત્રીના સમયે તેની સાથે ચિત્રાંગદરાજા હાથમાં તરવાર લઈ મશાન તરફ ચાલે. તેની પાછળ એક બુદ્ધિમાન તેને મંત્રી પણ ગુપ્તપણે નીકળે. સ્મશાનને દેખાવ બહુ ભયંકર લાગતું હતું. નિર્ભય મનથી ભૂતાનંદ શમશાન ભૂમિકામાં ગયે. ત્યાં પૂજાને સામાન એક બાજુએ મૂક્યો. પછી તેણે એક અખંડિત મંડલ ખેચ્યું. તેની અંદર સુંદર એક અગ્નિકુંડ બનાવ્યું. કુંડની અંદર ખેરનાં પુષ્કળ લાંકડાં નાંખી પિતાને બાળવા માટે ન હોય તેમ તેણે અગ્નિ સળગાવ્યું. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કુમારપાળ ચરિત્ર તે સમયે અગ્નિ સાતછઠ્ઠાથી પ્રસિદ્ધ છે, છતાં પણ સેંકડે જવાલારૂપ છહાઓથી વ્યાકુલ થઈ ભૂતાનંદને ભક્ષણ કરવામાં ઉત્સુક થયું હોય તેમ બહુ જવાલાઓ ફેંકવા લાગે. પછી તે યોગીએ રકત ચંદન, પુષ્પ અને અક્ષતાદિ વડે તે મંડલની પૂજા કરી. ધ્યાનમાં એકતાન થઈ મંત્ર મરણને પ્રારંભ કર્યો. રાજા પણ હાથમાં તરવાર લઈ મૂર્તિમાન પરાક્રમ હેય ને શું ?તેમ નિર્ભયચિત્તે યોગીની રક્ષા કરવા તૈયાર થઈ ઉભે રહ્યો. તેની પાછળ મહાન બુદ્ધિમાન તેને મંત્રી પણ ગુપ્તપણે ઉભે. રહ્યો અને તે દુષ્ટ લેગીનું કર્તવ્ય જેવા લા. ગીએ પ્રથમ મંત્ર જાપ કર્યો. પછી વિધિ પ્રમાણે અગ્નિકુંડમાં હોમ કર્યો. ત્યારબાદ તેણે અગ્નિકુંડની ત્રણ પ્રદક્ષિણાઓ કરી. પછી તે અગ્નિકુંડમાં ફેંકવાની ઈચ્છાથી દુષ્ટોગીએ રાજાને કહ્યું. હે નરેંદ્ર! તું પણ આ અગ્નિકુંડની ત્રણ પ્રદક્ષિણાઓ કર, જેથી મારી માફક કેઈક સિદ્ધિ તારા પણ હાથમાં આવે અને સારા ઉદ્યમની માફક તારો આ પ્રયાસ પણ સફલ થાય. એ પ્રમાણે તેના વચનથી શત્રુ સમાન તેની દુષ્ટતા જાણી અને મંત્રીની હિતશિક્ષા સમરણ કરી રાજાએ કહ્યું. હે યેગી ! આ સિદ્ધિ માત્ર તને જ પ્રાપ્ત થાય એટલે બસ છે, મારે એનું કંઈ પણ પ્રજન નથી. તારે મને રથ સિદ્ધ થવાથી મારો પ્રયાસ હું સફલ માનું છું. તે સાંભળી ભેગીનાં નેત્ર લાલ થઈ ગયાં અને તે રોષથી બોલ્ય. અરે અધમ ! મારું વચન કેમ માનતે નથી? હાલ જ તને યમ રાજાની અતિથિ કરૂં છું. એ પ્રમાણે બેલતા તે ગીને જ સુમતિ મંત્રીએ કાષ્ટના ટુકડાની માફક ઉપાડીને અગ્નિકુંડમાં ફેંકી દીધે. તેમાં પડે કે તરત જ તે બળીને ભસ્મ થઈ ગયો અને એકદમ તે સુવર્ણ પુરુષ થઈ ગયે. અહો ! મંત્રને મહિમા બહુ અદ્દભુત હોય છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણપુરૂષ ૧૮૧ અહો ! દૈવગતિ બલવાન છે. ગીએ રાજા પર જે વિચાર કર્યો હતો, તે પિતાને જ માટે થઈ પડે. અથવા “જે માણસ પરનું અહિત ચિંતવે છે, તે પોતાનું જ અહિત કરે છે એ વાત સત્ય છે. સુવર્ણપુરુષ અગ્નિકુંડની અંદર સુવર્ણ પુરુષને જોઈ ચિત્રાંગદાજા બહુ વિસ્મય પામ્ય અને મંત્રીને કહેવા લાગ્યું. અહો ! તારૂ દીર્ઘદર્શિપણું ! તારા બુદ્ધિ વૈભવને ધન્ય છે. અહે તારી સ્વામીભક્તિ ! અહે ! તારી સાવધાનતા! તેમજ હે મંત્રી ! પુણ્યની માફક તું મારી સાથે અહીં ન આવ્યા હતા તે આ ગી અગ્નિકુંડમાં હવ્યની માફક મને ફેકી દેત. એ પ્રમાણે રાજાની સ્તુતિથી ઝણી થયેલ મંત્રી છે. હે દેવ ! પુણ્યબળને લીધે આપ સર્વત્ર કુશલપણે વર્તે છે. अरिमित्रं वार्द्धिः स्थलमनलकीलाम्बुलहरी, तमस्तेजोऽरण्य, नगरमुरगो दाम भवति । रणः क्रीडास्थान, विषममृतमस्त्र सरसिज, વિપત્તિ ત્ત, પુતિ સુઝતે પ્રમાણે શા પૂર્વભવમાં કરેલા સુકૃતના બલથી શત્રુ મિત્રસમાન, સમુદ્ર ભૂમિસમાન, અગ્નિજવાલા પાણુની લહેર સમાન, અંધકાર તેજ સમાન, જંગલ નગર સમાન, સર્પ પુષ્પમાલા સમાન, રણસંગ્રામ કિડાસ્થાન, વિષ અમૃતસમાન, શસ્ત્ર પુષ્પ સમાન અને વિપત્તિ સંપત્તિ સમાન થાય છે.” મહાન પરાક્રમી રાજાએ અગ્નિ કુંડમાંથી સુવર્ણપુરુષને બહાર કાઢ અને મંત્રી સહિત રાજાએ તે રાત્રી ત્યાં જ વ્યતીત કરી. પ્રભાતકાલ થયે એટલે તેઓ બંને સુવર્ણપુરુષને લઈ પિતાના સ્થાનમાં આવ્યા, પછી ભૂપતિએ સુવર્ણ પુરુષની પૂજા કરી પિતાના ભંડારમાં સુવર્ણ રાશિની જેમ તેને સ્થાપન કર્યો. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કુમારપાળ ચરિત્ર સાક્ષાત્ સિદ્ધરસની જેમ તે સુવર્ણ પુરુષથી હંમેશાં પુષ્કળ સુવર્ણ મળવા લાગ્યું, જેથી ચિત્રાંગદરાજાએ સ્વર્ગ સમાન રાજ્ય પદ્ધતિ ચલાવી. ખજાના સુવર્ણ રાશિથી ભરાઈ ગયા, જેમની રક્ષા માટે એક મા કિલાની જરૂર પડી. તેની તપાસ માટે રાજા પિતે ફરવા લાગે. ફરતાં ફરતાં ચિત્ર ગિરિની પાસે કૂટ નામે આ પર્વત તેની ધ્યાનમાં આવ્યા. મેરૂ સમાન ઉન્નત એવા આ પર્વત પર અતિ દુર્ણાહ્ય–અજેય કિલ્લો બંધાવવાને. તેણે બહુ શ્રમથી પ્રારંભ કર્યો. ફિટમુર દિવસે જેટલો તૈયાર કરવામાં આવે છે, તેટલે કિલે રાત્રીના સમયે મૂલમાંથી પડી જાય છે. એમ કરતાં છ માસ ચાલ્યા ગયા. તે પણ ભૂપતિ પોતાના કાર્યથી અટકતા નથી. પછી તે કૃગિરિને અધિષ્ઠાયક ફૂટ નામે દેવ પ્રગટ થઈ બેલ્યો. હે રાજન! શા માટે તું દુઃખી થાય છે? અહીંયાં કિલ્લે કરવા માટે કઈ પણ શક્તિમાન નથી. | ચિત્રાંગદ બેલ્યા. આ પ્રારંભેલું કાર્ય પ્રાણતમાં પણ હું છોડવાને નથી. દેવ છે. જે તારે એ જ નિશ્ચય હોય તો ચિત્રગિરિ ઉપર તું કિલાની ગોઠવણ કર. અને એ કિલ્લા મારા નામથી પ્રસિદ્ધ કરે, જેથી હંમેશાં હું એની રક્ષા કરીશ. રાજાએ તે પ્રમાણે કબુલ કર્યું. દેવ બહુ ખુશી થયો અને પિતાના રથાનમાં તે ચાલ્યા ગયા. તે કિલે એટલો બધે ઉંચે. લીધે કે આકાશને અડકવા લાગ્યો. પછી ચિત્રાંગદરાજાએ ચિત્રકૂટ એવું તેનું નામ પ્રસિદ્ધ કર્યું. જેથી તે મેરૂ સમાન વિખ્યાત થયે. Page #230 -------------------------------------------------------------------------- ________________ શંભલીશરાજા ૧૮૩ તેની અંદર રાજાએ અતિ મહર પ્રાસાદ, સરોવર અને ઉદ્યાને તૈયાર કરાવ્યા તેમજ પિતાની રાજધાની પણ ત્યાં લઈ ગયે. તે સમયે ત્યાં ચૌદસે કેટી વિજાવાસ હતા. ઉપર અને નીચે મળીને હજારે લક્ષાધિપતિએ હતા. | સર્વ સમૃદ્ધિઓને વિસ્તારની ચિત્રકૂંટની સંપત્તિ જોઈ કયો માણસ વિચાર ન કરે, કે ચિત્રાંગદરાજા સ્વર્ગ સંપત્તિને લુંટારે નથી? એ પ્રમાણે ચિત્રકૂટની જાહેજલાલી હતી. શંભલીશરાજા અન્યદા મહાન પરાક્રમી શત્રુઓને નિલ કરનાર શંભલીશ નામે કન્યકુમ્ભ દેશના રાજાના સાંભળવામાં આવ્યું કે, ચિત્રાંગદની પાસે સુવર્ણ દાયક સવર્ણ પુરુષ રહે છે, તેને લેવા માટે શંભલીશ રાજાએ સુભટ સાથે ચિત્રાંગદપર યુદ્ધ કરવાની તૈયારી કરી. પ્રલયકાલમાં સુભિત થયેલા સમૃદ્ધોની માફક અતિબલવાન સૈન્યવડે પૃથ્વીતલને પ્લાવિત કરતે શંભલીશ રાજા ચિત્રકૂટગિરિની પાસમાં આવી પહોંચે અને તેના નીચે તેણે નિવાસ કર્યો. ચિત્રાંગદરાજાને ખબર પડી કે, કન્યકુજને રાજા સૈન્ય સાગર સાથે નીચે આવી પડે છે, તો પણ સ્વર્ગસ્થની માફક તેના મનમાં કિંચિત્ માત્ર ભીતિ થઈ નહીં. ચિત્રકૂટ પર રહેલા લેકે પણ વિમાનમાં રહેલા દેવોની માફક આંનદથી ઈચ્છાપૂર્વક વિલાસ કરતા હતા. ત્યારબાદ શંભલીશરાજાના હુકમની મદોન્મત્ત તેના સુભટો ઉન્મત્ત થયેલા હાથીઓની માફક કિલ્લે તેડવા પ્રયત્ન કરવા લાગ્યા કેટલાંક સુભટો ટાંકણુ લઈ તેડવા લાગ્યા. કેટલા પાષાણેથી ભેદવા લાગ્યા. પરતું વજયી બનાવેલ હોય તેમ તે કિલ્લાને કેઈપણ રથળેથી તેઓ તેડી શકયા નહીં. અને તેઓ થાકીને બેઠા. રાજાએ વિચાર કર્યો-“ઉત્સાહ રાખે એ લક્ષ્મીનું મૂળ છે.” એમ નીતિકારે કહે છે. માટે ઉદ્યમ છોડે નહીં, એમ જાણી ઉદ્ધત એવા પિતાના સુભટવડે કિલ્લાને રોકી ત્યાં જ તેણે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કુમારપાળ ચરિત્ર પડાવ કર્યો, તેથી કિલ્લામાં રહેલા લોકોને કઈ પ્રકારે હરક્ત થતી નથી, કારણ કે એમને નીચે આવવાનું કંઈ પ્રયજન હેતું નથી, એમ કરતાં ઘણે સમય વીતી ગયે. શત્રુરાજા ગભરાયે. હવે શું કરવું? પછી તેણે કિલ્લાનું વૃત્તાંત જાણવા માટે પિતાના આસ અને બહુ હોંશીયાર ચરપુરુષોને દુર્ગની અંદર મેકલ્યા. કિલ્લાની અંદર પ્રવેશ કરી તેમાં સ્વર્ગ કરતાં પણ અધિક અને સર્વ વ્યાપ્ત એવી તેની લક્ષમી જેઈને પિતાના હૃદયમાં વિસ્મિત થયા. શત્રુઓને ભેદવાની ઈચ્છાવડે તેઓ ચારે તરફ ફરવા લાગ્યા. ફરતા ફરતા તેઓ સુમતિ મંત્રીના મકાનમાં ગયા. તેની શોભા બહુ અદ્દભુત હતી. તે સમયે તે મંત્રીની રત્નાવતી નામે પુત્રી પિતાને પુત્ર સાથે લઈ, ગવાક્ષમાં બેઠેલા પિતાના પિતાને નમવા માટે ગઈ. પિતાને નમસ્કાર કરી ઉભી રહી અને કિલ્લાની નીચે રહેલા લશ્કરને જોતી છતી સરલ સ્વભાવને લીધે તે ગુપ્તચરોને સાંભળતાં બેલી. હે તાત ! કિલ્લાની નીચે આ વેપારીઓ શા માટે રહેલા છે ! હજુ સુધી એમને વિદાય કેમ નથી કરતા? અહીં એ લોકોને ઘણે સમય વ્યતીત થયે. હાસ્ય કરી મંત્રી બોભે હે પુત્ર! એ વેપારી નથી, પરંતુ કાન્યકુબ્ધ દેશને રાજા પિતાના લશ્કરવડે કિલ્લાને રોધ કરી પડે છે. વળી હે પુત્રિ ! તારા જન્મદિવસે આ રાજા અહીં આવેલ છે. તારૂં લગ્ન થયું અને તારે પુત્ર પણ થે, છતાં એની સ્થિતિ તેવી ને તેવી છે. તે વાત સાંભળી ચક્તિ થયેલા ચરપુરુષે તરતજ ત્યાંથી નીચે ઉતર્યા અને પિતાના સ્વામી પાસે આવી મંત્રી અને તેની પુત્રીની વાત નિવેદન કરી. આ સાંભળતાં જ શંભલીશરાજાના હૃદયમાં હર્ષ, આશ્ચર્ય અને Page #232 -------------------------------------------------------------------------- ________________ અબરીકવેશ્યા ૧૮૫ વિષાદ વિગેરેને પ્રવેશ થયે અને તે અગાધ ચિંતામાં પડે કે, આવે અજેય કિલો કેવી રીતે પિતાને સ્વાધીન કરે. બબરીકવેશ્યા એક દિવસ ચિત્રાંગદરાજાથી માન પામેલી બર્બરીકા નામે વેશ્યા કન્યકુબ્ધ રાજાની પાસે ગઈ અને તેણે કહ્યું કે, आरोहत्यचलेश्वरं किमु शिशुः १ पोताजितः किं तर त्यम्भोधि ? किमु कातरः सरभस संग्राममाक्रामति । शक्येष्वेव तनोति वस्तुषु जनः प्रायः स्वकीयश्राम, तद्दुर्गग्रहणग्रहे ग्रहिवतां त्वं शंमलीशं ? त्यज ॥ १ ॥ “શું બાલક મેરૂ પર્વત પર ચઢી શકે ખરો? વહાણ વિના મનુષ્ય સમુદ્ર તરી શકે? કાયર માણસ રણસંગ્રામમાં ઉતરવાનું સાહસ કરે ખરા? પ્રાયે માણસ માત્ર યોગ્ય કાર્યમાં જ પ્રયત્નશીલ થાય છે, માટે હે શંભત્રીશ? તું સમજીને આ કિલ્લે ગ્રહણ કરવાને આગ્રહ છેડી દે? એ પ્રમાણે વેશ્યાના માર્મિક વચનવડે અંકુશના પ્રહારથી હાથીની જેમ તે રાજા હૃદયમાં ખેદ પામી વિલક્ષ થઈ ગયે. પછી તેણે બહુ ધન આપી વેશ્યાને પિતાની તરફ મેળવી લીધી. બાદ તેણીએ આત્મ હિત મિત્રની માફક એકાંત સ્થલમાં જઈને દુગર ગ્રહણ કરવાનો ઉપાય બતાવ્યું. ચિત્રાંગરાજાને એ નિયમ છે કે હંમેશાં દરેક દરવાજાઓ ખુલ્લા કરી ભેજનાથી પ્રાણીઓને જમાડી યુધિષ્ઠિર રાજાની માફક પિતે જમે ભેજન કરે છે. જ્યારે હું ગવાક્ષમાં બેસી મારે કેશપાશ છૂટો મૂકું, ત્યારે તારે જાણવું કે દરવાજાઓ ઉઘડયા છે, તે સમયે તરત જ તારે અંદર પ્રવેશ કરો. એ પ્રમાણે વેશ્યાએ બતાવેલા ઉપાયથી શંભલીશરાજાએ દરિદ્રીના ઘરની જેમ ચિત્રકૂટની અંદર ઉદ્ધત સૈનિકે સાથે પ્રવેશ કર્યો. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કુમારપાળ ચરિત્ર શક સમાન પરાક્રમી ચિત્રાંગદરાજા શત્રુ સાથે યુદ્ધ કરવા તૈયાર થયે અને તેણે બાણેની વૃષ્ટિથી મોટું યુદ્ધ કર્યું. આખરે દુર્વાર એવી શત્રુ બાણોની વૃદ્ધિ વડે વ્યાકુળ થયેલ ચિત્રાંગદ અશક્ત બની વરસાદના કરાઓ વડે સાંઢની જેમ પલાયન થયે. બાદ પિતાના ખજાનામાંથી સુવર્ણ પુરુષને લઈ તેણે સજલ કૃપમાં પૃપાપાત કર્યો. અહીં ભયને લીધે માણસ શું નથી કરતે? શંભલીશ રાજાના સુભટે તેની પાછળ ગયા અને તે કૂવામાં ઘણી તપાસ કરી પણ અધિષ્ઠાયક દેવની સહાયથી સ્વર્ણપુરુષને પત્તે લાગ્યું નહીં. પછી શંભલીશભૂપતિએ કેટલીક સારભૂત લક્ષમી પિતાને સ્વનાથી કરી અને તે રાજ્યમાં ચિત્રાંગદના પુત્ર વારાહગુપ્તને સ્થાપન કરી તે. પિતાના નગરમાં ગયો, એ પ્રમાણે ચિત્રકૂટગિરિની ઉત્પત્તિ આનંદ પૂર્વક કહી શ્રીરામચંદ્ર મુનિ કેનિલની માફક વિરમીને પિતાના ધ્યાનમાં બેઠે. અણહિલપત્તન આચાર્ય મહારાજે કહેલો રાજ્ય પ્રાપ્તિને સમય નજીક આવ્યો, એમ જાણી કુમારપાલ કુટુંબ સહિત પાટણમાં ગયા. ત્યાં પિતાને બનેવી શ્રીકૃષ્ણદેને ગૌરવ પૂર્વક પિતાના ઘેર તેમને લઈ ગયે અને સર્વને બહુ સત્કાર કર્યો. પછી પ્રેમલદેવી ભગિનીએ પોતે જ કુમારપાલને સ્નાન કરાવ્યું. તે સ્નાનજલમાં મધુર સ્વરે બોલતી દુર્ગાચકલીએ સ્નાન કર્યું. તે ઉત્તમ પ્રકારના શકુનને જેઈ કેઈક કુવેત્તા બોલ્ય. હે કુમારપાલ ! સાત દિવસની અંદર આ રાજ્ય તને જરૂર મલશે. એ પ્રમાણે અસ્તુ” એમ કહી તેના વાક્યને સ્વીકાર કરી સવેદી કુમારપાલે દયાદિક દાન વડે તે પંડિતને સત્કાર . તે જ વખતે દેવેગે જયસિંહરાજા ચિરકાળ આ પૃથ્વીને ભેળવી દેવલે પામે બાદ સામત, અમાત્ય અને અને સભ્ય જનોને એક વિચાર મેળવી કૃષ્ણદેવ, બે અન્ય રાજકુમાર અને એક કુમારપાલ એમ ત્રણને Page #234 -------------------------------------------------------------------------- ________________ રાજ્યભિષેક ૧૮૭ સ્નાન કરાવી આભૂષણોથી અલંકૃત કરી દિવ્ય અશ્વો પર બેસારી મંત્રીઓ સાથે રાજમંદિરમાં લઈ ગયે. એ ત્રણ કુમારમાં રાજ્યને લાયક કેણુ છે? એની સારી રીતે પરીક્ષા કરવા માટે મુખ્ય મંત્રીઓએ તેમને રાજ્યાસને બેસવાની આજ્ઞા કરી. તેઓમાંથી એક રાજકુમાર ઉમે થયે. વિનય પૂર્વક હાથ જોડી કૃષ્ણદેવ વિગેરે નમસ્કાર કરી તે સિંહાસન પર બેઠે. વિનયગુણ સંપન્ન અને પિતાના ભૂત્યને પણ હાથ જોડી નમન કરતે આ રાજકુમાર નિર્બળની માફક દુર્જય શત્રુઓને પોતાના તેજવડે કેવી રીતે વશ કરશે? જે રાજા સૂર્ય સમાન એજસ્વી હોય, તે ઉત્તમ ગણાય છે. માટે આ કુમાર નિર્બળ હોવાથી રાજ વૈભવને લાયક નથી. એમ વિચાર કરી મુખ્ય મંત્રીઓએ તેને સિંહાસન પરથી ઉઠાડી મૂકયે. કારણકે “ દૈવપ્રતિકુલ હોય ત્યારે ગુણ પણ દેષરૂપે પરિણમે છે. ત્યારબાદ મંત્રીઓના કહેવાથી બીજો રાજકુમાર રાજગાદીએ બેસવાની ઇરછાથી ઉભે થે. જેનાં વસ્ત્રો અંગે પાંગથી ચલિત થતાં હતાં. નેત્રેમાં અધીરતા દેખાતી હતી અને સંકુચિત અંગથી શૂન્યની માફક તે સિંહાસન પર બેઠો. એક પિતાનું અંગ પણ ઢાંકવાને આ શકિતમાન નથી, તો બલિષ્ઠ એવા સપ્તાંગ રાજ્યનું સંરક્ષણ કેવી રીતે કરશે? વળી એના હદયનું ઠેકાણું નથી. નેત્રની સ્થિરતા નથી માટે આમ્રવૃક્ષની મંજરીને કાગડાની જેમ આ કુમાર પણ રાજ્ય સંપત્તિને લાયક નથી. એમ વિચાર કરી સર્વ અધિકારીઓએ તકાળ તેને પણ સિંહાસનપરથી ઉઠાડી મૂક્યું અને - કુમારપાલને આજ્ઞા કરી કે, આપ રાજ્યાન બેસો. બંને ખભાપર વસ-ખેસ નાખેલી, મુખને રહેશે. અતિ પ્રફુલ, પ્રતાપમાં સૂર્યથી અધિક, ફાર અલંકારથી વિભૂષિત અને હસ્તમાં ખડગને કંપાવતા કુમારપાલ, Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કુમારપાળ ચરિત્ર -ઉંચા શ્વાસે સિંહ સમાન ઉદ્ધત પ્રકૃતિ વડે સિંહાસન ઉપર બેસી અ. ઉત્તમ પ્રકારની તેની ચેષ્ટા જઈ કૃષ્ણદેવ વિગેરે અધિકારીઓ પ્રસન્ન થયા અને તેઓ બોલ્યા કે, ખરેખર રાજ્યને લાયક આ કુમારપાલ મહીપાલ છે. કૃષ્ણદેવ વિગેરે સામત અને મંત્રીઓ રાજ્યાભિષેકને માટે એકત્ર થયા. રાજ્યાભિષેક વિક્રમ સંવત્ ૧૧૯ના માર્ગશીર્ષ વદી ૪ રવિવાર પુષ્યનક્ષત્રને ચંદ્ર, સૂર્યાદિ સર્વ ગ્રહોના બલ સહિત મીન લગ્ન વિગેરે શુભ સમયે બ્રહ્મ સમાન વેદપારગ પુરોહિતને બોલાવી ચક્રવર્તીની માફક કુમારપાલને રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ પ્રેમલદેવી વગેરે અતિભાગ્યવતી બહેને એ મૂર્તિમાન જયની માફક બહુ ઉત્કટ તેની મંગલકિયા કરી. સામંત રાજાઓ હજારે હાથી વિગેરે ભેટણ લઈ ત્યાં આવ્યા અને તેઓ બહુ હર્ષથી નવીન ચંદ્રની માફક તેને નમવા લાગ્યા. તે સમયે વૈતાલિક લેક બિરદાવલી બોલવા લાગ્યા, ગાંધર્વ લેકે ગાયન કરવા લાગ્યા. નર્તકીએ નાય કરવા લાગી. એમ અનેક પ્રકારના ઉમંગથી મહાન ઉત્સવ જાઓ. આ પાંચમે લેકપાલ નવીન પ્રગટ થયે, એ પ્રમાણે માંગલિક વાજી દિશાઓના અધિપતિઓને જણાવતા હોય છે શું? તેમ પિતાના ઉદ્યમથી વિરમતાં નહોતાં. કુંકુમના પાણીથી રંગાયેલી નગરની સર્વ માર્ગ ભૂમિએ સુંદર અને નવીન વામીને પામી સ્પષ્ટ રાગવાળી હોય તેમ દીપતી હતી. તેમજ રાજ માર્ગોમાં એટલા બધા પુષ્પોના ઢગ થયેલા હતા. Page #236 -------------------------------------------------------------------------- ________________ રાજ્યતંત્ર ૧૮૯ કે જાણે પૃથ્વી દેવી નવીન પતાના સ્વામીને જોઈ હસતી હોય તેમ દેખાતી હતી. દરેક દુકાનોની શ્રેણીઓ લાલપતાકાઓથી શોભતી હતી. જેથી તે નગર સર્વત્ર તેના રાજ્યમાં મુખ્ય શોભા પાત્ર હોય તેમ દીપતું હતું. વળી મિત્રરૂપ કમલોને પ્રફુલ્લ કરો અને શત્રુરૂપ કુમુદવૃંદને હરણ કરતે કુમારપાલ રાજા ચંદ્રની માફક કોને કૌતુકદાયક ન થતું હતું? રાજ્યતંત્ર બાદ કુમારપાળભૂપતિએ પોતે આનંદપૂર્વક પ્રીતિરૂપ વેલીના ફલની માફક પલદેરાણીને પટ્ટરાણી પદ આપ્યું. ઉદયનમંત્રીએ દુઃસ્થિતિના સમયે ઉપકાર કરે તેના પ્રત્યુપકારમાં તેને મુખ્યમંત્રી ક. મહા પ્રભાવિક તેના પુત્ર વાભિટ્ટને અમાત્યપદ આપ્યું પિતાના જ્ઞાતિમાન્ય જેઓ સત્કાર કરવા લાયક હતા, તેમને. ગ્ય અધિકાર આપ્યા. કારણકે. અસ્પૃદયનું આ મુખ્ય ફલ છે. पुरजनपदग्रामत्राण भटब्रजसंग्रहः, कुनयदलन नीतेवृद्धिस्तुलार्थमिति स्थितिः । प्रतिषु समता चैत्येष्वर्चा सतामतिगौरव', प्रशमनविधि नव्ये राज्ये व्यधादिति स प्रमुः ॥१॥ નવીન રાજ્યમાં શાંતિ ફેલાય તે માટે પુર, નગર, દેશ અને ગ્રામ વિગેરેની રક્ષા, ઉદુભટ સુભટોને સંગ્રહ, ખરાબ નીતિને વિનાશ, સુનીતિની વૃદ્ધિ, તેલની મેગ્યરિથતિ, વૃતધારીઓને વિષે સમતા, મંદિરમાં પૂજા અને સજજનોને સત્કાર, એ પ્રમાણે શ્રી કુમારપાલ ભૂપતિએ વ્યવસ્થા કરી. હવે રાજાની આગળ હિલચાલ કરતા નવીન અમાત્ય મંડલને જેમાં પ્રથમના જુના મંત્રીએ કે પાયમાન થયા. કારણકે દરેક લોકો પિતાની જાતિને સહન કરતા નથી. તે પ્રાચીન મંત્રીઓ એકઠા થઈ વિચાર કરવા લાગ્યા. આ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કુમારપાળ ચરિત્ર રાજાની નીતિ કઈ વિચિત્ર છે. રાજ્ય ધુરંધર આપણે છીએ છતાં આપણે ત્યાગ કરી એણે નવીન અમાત્યને અગ્રણી કર્યા. અથવા આ જાલ્મ-કુરતાને એક શિરોમણિ રાજ્યતંત્રમાં શું સમજે ? કારણ કે “દુધ અને પાણીના વિવેકમાં બગલાની હેંશિયારી ન જ હેય.” વળી સ્વામીને અનુસરીને ભૂલ્યવર્ગ પણ આચરણ કરે છે. કારણકે મૂખના શિરેમણિ આ રાજાએ પોતે મંત્રીઓ પણ મૂર્ણ શોધી કાઢયા છે. જડ પુરુષ અભ્યદય પામીને ઉજવલ ગુણેને વમી દે છે. ઉદ્ધત બનેલી સમુદ્રની ભરતી શું રત્નને બહાર નથી ફેંકી દેતી ! પપાય હજુ આપણે ચેતવાને સમય છે, જ્યાં સુધી એનું મૂલ બંધાણું નથી ત્યાં સુધી તેને નિગ્રહ સુખેથી કરી શકાશે. છેવટે તેમણે નકકી કર્યું કે, ઘાતક પુરુષ પાસે એને ઘાત કરાવીને હાલમાં બીજાને રાજયગાદીએ બેસાડવે, જેથી તે આપણા વચનને ઉલ્લંઘન નહીં કરે, અન્યથા આ ઉદ્વતરાજા શલ્યની માફક આપણને દુઃખદાયક થશે. એ પ્રમાણે ગોઠવણ કરી પ્રાચીન મંત્રીઓએ પિતાના આત્માની જેમ કુમારપાળને મારવાની ઈચ્છાવડે અંધકારથી વટાએલા તેને ઘરના દ્વાર આગળ રાત્રીના સમયે ઘાતકી પુરુષને તૈયાર રાખ્યા. આ સર્વ વૃત્તાંત કેઈ આપ્તજનનાં જાણવામાં આવ્યું, જેથી તેણે સર્વ હકીકત ભૂપતિને નિવેદન કરી. ખરેખર જ્યાં સુધી પુણ્યની જાગ્રતી હોય, ત્યાં સુધી સજજન પર શત્રુઓનું ધારવું નિષ્ફળ થાય છે. ભૂપતિએ તેજ વખતે પિતાને સુભટને હુકમ કર્યો કે તરત જ તેઓ ઘરની અંદર પેઠા અને શાસ્ત્રધારી તે સુભટને શેધી કાઢી યમદૂતની માફક તેઓએ પકડીને નરેંદ્રની આગળ ઉભા કર્યા. કુમારપાળે પૂછ્યું. તમેને તેણે મેકલ્યા હતા? Page #238 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણદેવ ૧૯૧. સુભટો બેલ્યા. હે મહારાજ ! અમને પ્રાચીન મંત્રીઓએ મોકલ્યા હતા, એમ રાજ વિરૂદ્ધ સર્વ વૃત્તાંત યથાર્થપણે તેમણે નિવેદન કર્યું. રાજાએ કિધથી તેમને બોલાવીને પૂછયું. મંત્રીઓએ પિતાને દોષ કબુલ કર્યો. ત્યાર પછી ભૂપતિએ તેજ ઘાતકેની પાસે તેમને સેપ્યા, જેથી તેઓએ પિતાનું ઘાતકીપણું સિદ્ધ કર્યું. અહો ! રાજદ્રોહી પુરુષનું કલ્યાણ કયાંથી થાય ! ખરેખર શચનીય છે કે, જેઓ મહાન પુરુષને મારવાની ઈરછા કરે છે, તેઓ પિતે જ મટી આપત્તિમાં આવી પડે છે. પર્વતને ભાગવામાં ઉઘુક્ત થયેલા હાથીઓના દાંત શું નથી ભાંગતા ? એ પ્રમાણે વૃદ્ધ મંત્રીઓનો નાશ જોઈ બીજા લેકે રાજસેવામાં સારી રીતે વર્તવા લાગ્યા. સત્ય વાત એ છે કે, જ્યાં ચમકાર ત્યાં નમસ્કાર. પ્રાયે ભય વિના લેકે વશ થતા નથી. કૃષ્ણદેવ કૃષ્ણદેવને અહંકાર થયે કે કુમારપાળ રાજ્યગાદીએ બેઠો પણ તે મારી સાથે થાય છે અને રાજય પણ મેં અપાવ્યું છે, તે મારે એને માનવાની શી જરૂર છે ? એમ જાણી તે હંમેશાં કુમારપાળનું ઉપહાસ કરતે અને તેની આજ્ઞા પણ માનતા નહેાત, તેમજ સભામાં અને રાજપાટીમાં ફરવા નીકળે, તે સમયે હાસ્યવડે તે રાજાને તેની પૂર્વ અવસ્થાની દુર્દશા વારંવાર સંભળાવતે હતો. તેવા માર્મિક તેનાં ઉપહાસ વચનથી વજના પ્રહારથી પર્વતની જેમ રાજા બહુ દુઃખી થઈ કૃષ્ણદેવને એકાંતમાં લાવી કહ્યું. તમે મારા બનેવી છે, માટે હું તમારે હાસ્યપાત્ર છું, પરંતુ સમય વિના સર્વથા તે શોભતું નથી. વળી તમે જે કઈ બેસે છે, તે મર્મ ભરેલું જ હોય છે. તેમજ જે વચન મનુષ્યના હૃદયમાં શલ્યની જેમ દુઃખ દે તેવું ખરાબ વચન લવું પણ ઉચિત નથી. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કુમારપાળ ચરિત્ર કરતા નથી, તે જે પેાતાના દૂષણની માફક પરદૂષણને પ્રગટ પુરુષ અખિલ વિશ્વને વશ કરવા માટે આ દુનિયામાં સમથ અને છે. વળી ગમે તેટલા માટે માણસ હેાય તે પણ પ્રારબ્ધયેાગે દુરવસ્થા કાણે નથી ભાગવી ? જેથી તું વારવાર ખલની માફક મારી દુરવસ્થાનુ વર્ણન કરે છે ?”’ સપત્તિ અને વિપત્તિ પણ મહાન પુરુષને પ્રાપ્ત થાય છે.” અન્યને તેના સંભવ હાતા નથી. ક્ષય અને વૃદ્ધિ ચંદ્રની જહાય છે, તારામ'ડળની હાતી નથી. વિશેષમાં આપને કહું છું કે, સારૂ અથવા નરસુ જે કઈ આપને કહેવાતુ હાય, તે એકાંતમાં સુખેથી મને કહેવુ', પરંતુ સભાની અંદર મહાત્માની જેમ તમારે શાંતમુદ્રાએ બેસવુ. એ પ્રમાણે શ્રીકુમારપાળનાં શિક્ષા વચન સદ્ગુરુનાં દુષ્ટ શિષ્યની જેમ રાજ્ય અપાવવાના ગવ`થી છકી ગયેલ કૃષ્ણદેવે માન્ય કર્યાં' નહીં તેમજ પેાતાની હાસ્ય પ્રવૃત્તિ પણ છેાડી નહીં. ત્યારપછી અનુચિત હાસ્યને લીધે કુમારપાળને બહુ ક્રોધ ભરાઈ ગયા. તેથી તેણે કૃષ્ણદેવને કહ્યુ. મેં તને ઘણીવાર ના પાડી છતાં તુ હાસ્યપ્રકૃતિને કેમ છેડતા નથી ? પવનથી દાવાનળની જેમ જે હાસ્ય કરવાથી ક્રાથની વૃદ્ધિ થાય છે અને તેથી વૃક્ષાની માફક સહસા સવ માંધવાના પણ અ ંત આવી જાય છે. માટે જો તું પેાતાનુ જીવિત છિતા હોય તા, હૈ ભગિનીપતિ ! કુકૃત્યની જેમ આ હાસ્યથી તુ નિવૃત્ત થા. તે સાંભળી ક્રુર વચનાના મિષથી ક્રોધાનલના તણખાને બહાર કાઢતા હોય તેમ કૃષ્ણદેવ રાજાપર ગુસ્સે થઈ મેલ્યું. દુર્દશાના ઉદ્ધાર કરી મેં જ તને રાજ્યાસને સ્થાપન કર્યાં છે, તે અશ્વ ના મદથી હાલમાં મને આ પ્રમાણે તુ' ધિકકારે છે. ભિક્ષુકની માફક પ્રથમ ઘર ઘર તું ભિક્ષા માગતા હતા, તે દુઃસ્થિતિ મારા ઉપકારની જેમ અરે ! શુ` ભૂલી ગયા ? Page #240 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણદેવને શિક્ષા ૧૯૩ ખરેખર “નીચને મોટું સ્થાન આપવામાં આવે તે પણ તે પિતાને સ્વભાવ છેડતા નથી.” ઉચ્ચ આસને બેઠેલે કા કા કરતો કાગડે કઈ દિવસ હંસની ચેષ્ટા કરે નહીં. વળી દુર્જન અને અગ્નિ એ બંને સરખા કહેલા છે. કારણકે તે બંને જણ પિતાની ઉન્નતિ કરનારને પણ જલદી નાશ કરે છે. એ પ્રમાણે પિતાની મરજી પ્રમાણે તે બોલતું હતું, જેથી રાજાને બહુ ક્ષોભ થયે છતાં તેણે સમુદ્રની માફક પિતાને હૃદયગત ભાવ બહાર જણ નહીં. ખલપુરુષની જેમ હંમેશાં આ અધમ વિરુદ્ધવાદથી અટકો નથી. માટે જરૂર એ શિક્ષાને પાત્ર છે, એ પ્રમાણે ભૂપતિએ પોતાના મનમાં વિચાર કરી, તેને તે સમયે વિદાય કર્યો. કૃષ્ણદેવને શિક્ષા બીજે દિવસે કુમારપાળરાજા એકાંતમાં બેઠા હતા, ત્યાં સેવા માટે આવેલા કૃષ્ણદેવને પ્રથમ સંકેત કરી રાખેલા મજબુત શરીરવાળા મલેએ પકડી લીધો અને તેનાં સર્વ અંગે સંધિમાંથી ઉતારી નાખ્યાં. પછી ભૂપતિએ જીવિતની માફક તેનાં બંને નેત્ર ખેંચી લેવરાવ્યાં. જેથી વારંવાર તે બૂમ પાડવા લાગ્યા. પછી તેનાં અંગ સાજા કર્યા અને રાજાએ પોતાની બેનને ત્યાં ભેટની જેમ તેને મોકલી દીધે. રાજ્યસંપત્તિ અપાવવામાં મુખ્ય અને બનેવીના સંબંધથી પૂજ્ય એવા કૃષ્ણદેવના અંધત્વની વાત સાંભળી બીજા સર્વ સામતે સમજ્યા કે, દુધ પાઈને પુષ્ટ કરેલે સાપ, નવીન વૃતથી તૃપ્ત કરેલો અગ્નિ, સેંકડો વાર સત્કાર કરેલો દુર્જન અને પિતે સ્થાપન કરેલો રાજા પણ કઈ દિવસ પિતાને થતું નથી.” એ વાત યાદ રાખી નીતિ માર્ગમાં પ્રવીણ એવા તે સામત લેકે દેવેંદ્રને જેમ કુમારપાળરાજાને સેવવા લાગ્યા. ૧૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કુમારપાળ ચરિત્ર વળી સિદ્ધરાજના ધમ પુત્ર ચારભટનામે બહુ ખળવાન સુભટ હતા. તે ચૌલુકયની આજ્ઞાનુ અપમાન કરી અાંરાજ નરેંદ્રની સેવામાં ગયા. એ પ્રમાણે શ્રીકુમારપાળરાજાએ નિષ્કં ટક રાજ્ય કરી દેશમાં સર્વાંત્ર મરતકપર શેષા-આશિકા જેમ પેાતાની આજ્ઞા સ્થાપન કરી. પ્રત્યુપકાર રાજા પાત કૃતજ્ઞ હાવાથી જે જે પેાતાના ઉપકારી હતા, તે ખેડુત વિગેરેને પેાતાના માણસા મેકલી બદલે આપવા માટે પેાતાની પાસે ખેલાવ્યા. જે દયાલુએ મેરડીના પુત્રની અંદર સ્થાપન કરી રક્ષણ કર્યુ” હતું, તે ભીસિ ંહને પેાતાના અંગ રક્ષક કર્યાં, જે સ્ત્રીએ દયાવડે માર્ગમાં ત્રણ દિવસના ભુખ્યા કુમારપાલને જોઈ પોતાના ગાડામાં એસારી બહુ આદરથી ભાજન કરાખ્યું હતુ, તે દેવશ્રીને પેાતાની એન માની લીધી અને તેની પાસે ભૂપતિએ તિલક કરાવ્યું પછી તેણીને એક ગામ આપ્યુ. “સપુરુષનુ વચન કોઈ કાળે અસત્ય થતુ' નથી. તેમજ સજ્જન કુંભાર પોતાના ઈટવાડાની અંદર કુમારપાલને ગાપવી રક્ષા કરી હતી, તેને ચિત્રકુટ પવ તપર સામંત પદવી આપી. મામાં પેાતાની સાથે રહીને જેણે સેકડો કષ્ટ સહન કર્યાં હતાં તે બેસરી નામે પોતાની મિત્રને લાદેશ આપ્યા. અને વિશેષમાં તેણે જણાવ્યું કે, હું સજ્જન 1 ઉજાગરેથી પીડાયેલાં તારાં માબાપ જે વચન મેલ્યાં હતાં, તે સત્ય થયું, એ પ્રમાણે તારા માતાપિતાને તું જરૂર કહેજે ભૂલીશ નહીં'. ઉપકાર બુદ્ધિએ જેણે ચણા આપ્યા હતા, તે ܕܕ ૩૬૩–કડવા શેઠને વટપદ્રક (વડોદરા) આપ્યુ. ઉપકારી માણસના કાણુ સત્કાર ન કરે? દરેક ત્રતાની અંદર ઉપકારવ્રત એ મુખ્ય વ્રત છે.” Page #242 -------------------------------------------------------------------------- ________________ વિદ્યુતપાત ૧૯૫ કારણકે જે ઉપકાર આલેાકમાં પણ તત્કાળ સુંદર ફળ આપે છે. નીચ માણસના પણ કરેલેા ઉપકાર ફલદાયક થાય તેમાં કહેવું જ શું ? એ પ્રમાણે કુમારપાળભૂપતિએ પેાતાના જે જે ઉપકારી હતા તે સર્વેના સત્કાર કર્યાં, માત્ર ધર્મી પ્રાપ્તિના અંતરાયને લીધે શ્રીહેમ. ચંદ્રચાર્ય નુ` સ્મરણ થયું નહીં. વિદ્યુતપાત કર્ણાવતીનગરીમાં શ્રીમાન્ હેમચંદ્રસૂરિને સમાચાર મળ્યા કે, શ્રીકુમારપાળરાજાને પાટણની રાજગાદી મળી. સૂરીશ્વરે ધર્મિષ્ઠ સજ્જનેનિ આ વાત જણાવી, જેથી તેઓ બહુ ખુશી થયા. વળી તે પેાતે વિચાર કરવા લાગ્યા કે, નિમિત્ત જોઈ મે તેને રાજ્ય પ્રાપ્તિને સમય કહ્યો હતેા, ત્યારે તેણે મારી આગળ કબુલ કર્યું છે કે, રાજ્ય મળવાથી હું' જૈનધર્મીની બહુ ભક્તિ કરીશ. તે વાત તેને યાદ છે કે ભૂલી ગયા? તેની તપાસ કરવી જોઈએ, એમ વિચારી રાજતુ'સ જેમ માનસરવર પ્રત્યે તેમ સૂરીશ્વરે પાટણ તરફ વિહાર કર્યાં. સંઘસહિત ઉડ્ડયનમ`ત્રી સૂરીશ્વરના સામે આવ્યે અને તેણે મેટા ઉત્સવ સાથે નગરની અંદર પ્રવેશ કરાવ્યેા. સૂરીશ્વરે એકાંતમાં ઉડ્ડયનમ ત્રીને પૂછ્યું. શ્રીકુમારપાળરાજા હાલમાં રાજવૈભવની ધમાલમાં મને સભારે છે કે નહી ? ઉદયનમંત્રી એલ્યેા. રાજાની ઉદારતા મહુ અદ્ભુત છે, પેાતાના અંધુઓની માફક સવ ઉપકારીજનાના તેણે સારી રીતે સતકાર કર્યાં છે, માત્ર આપનું સ્મરણ થયુ' નથી. સૂરીશ્વરે મંત્રીને કહ્યું, આજે એકાંતમાં રાજાને તારે કહેવુ. કે; આજ રાત્રીએ નવીન રાણીના મહેલમાં તમારે સુવુ નહી, તે સાંભળી રાજાને ચમત્કાર થશે અને જો તે પૂછે કે; આ વાત તને કોણે કહી ? Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ એ પ્રમાણે બહુ આગ્રહથી પૂછે તે મારું તારે જાહેર કરવુ. કુમારપાળ ચરિત્ર નામ તેમની આગળ ઉડ્ડયનમ ત્રી આ પ્રમાણે સૂરીશ્વરનું વચન સ્વીકારી રાજા પાસે ગયા અને સર્વ હકીકત નિવેદન કરી રાજાએ પણ તે પ્રમાણે સ્વીકાર કર્યાં, રાત્રીના સમય થયે.. નવીન મહેલની ઉપર વિજળી પડી, જેથી નવીન રાણી મળી ગઈ. તે સાંભળી રાજાને ઘણુા ચમત્કાર થયા. પ્રભાત કાળમાં રાજાએ મંત્રીને પૂછ્યું, આ ચમત્કારી વાત તને કોણે કહી હતી? તે જ્ઞાની મહમદ મારા જીવનદાતા છે. આ ખાખત મને ન સૂચવી હેત તે હુક પણ જરૂર મળી જાત. માટે એ મહાત્મા કોણ છે? તે તું જલદી કહે, મંત્રી ખેલ્યા હું રાજન્ ! આ સમય તે વાત કહેવાના નથી, કારણ કે રાજ્યલીલાને લીધે તે વાત સાંભળવાની ખીલકુલ આપને ુરસદ નથી. રાજાએ બહુ આદરપૂર્વક કહ્યું. હું મંત્રીશ્વર ! તું એમ કેમ ખેલે છે? મારા પ્રાણરક્ષકને પણ શુ હુ' નહી સાંભળુ`? એ પ્રમાણે ભૂપતિએ બહુ આગ્રહ કર્યાં ત્યારે મત્રીએ કહ્યું, હે રાજન ! પ્રથમ સ્તંભતી’–ખંભાતમાં આપે પૂછ્યું હતું કે મને સુખશાંતિ કયારે મળશે ? તે પ્રશ્નના જવાબમાં જેમણે રાજ્યપ્રાપ્તિની એક પત્રિકા લખી મને આપી હતી, તે શ્રી હેમચંદ્રસૂરિએ આ ખામત જણાવી હતી. એમ કહી મંત્રીએ તે પત્રિકા રાજાને મતાવી અને રાજાએ તરત જ તે વાંચીને વિસ્મિત થઈ સૂરીશ્વરનું સ્મરણ કર્યું. પછી તે મેલ્યા. હું મ`ત્રીશ્વર ! અહા ! આ સૂરીશ્વરનુ જ્ઞાન કેવુ' અદ્ભુત છે ! રાજ્ય મળવાના સમય તેમજ આજે વિદ્યુત્પાતની સૂચનાથી મારૂ મન એમના પર બહુ વિશ્વસ્ત થયુ છે. હાલમાં તે સૂરીશ્વર કર્યાં છે ? મંત્રીએ કહ્યું, આપને આશિષ આપવાની ઇચ્છાથી હાલમાં તે અહી' પધાર્યાં છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રસૂરિ ૧૯૭ ભૂપતિએ કહ્યું, એમને અહીં બોલાવે. ઉદયનમંત્રી આચાર્ય પાસે ગયે અને સર્વ હકીકત નિવેદન કરી. હેમચંદ્રસૂરિને પિતાની સાથે લઈ રાજસભામાં આવ્યું. સુરીંદ્રને આવતા જોઈ વિનયથી નમ્ર બનેલા ભૂપતિએ વર્ષાઋતુના મેઘને જોઈ જેમ મયૂર નાચે તેમ અભ્યસ્થાન આપ્યું અને મૂર્તિમાન પિતાની ભક્તિના સમૂહ હેયને શું ? તેવા અદ્ભુત સુવર્ણના સિંહાસન પર સુરીંદ્રને બેસારી ચરણકમલમાં વિનીતશિષ્યની માફક વિધિ પ્રમાણે વંદન કર્યું. ત્યારપછી ઉન્નત દાંતની કાંતિવડે દિશાઓને ઉજજવલ કરતા ગુરુ મહારાજે ભૂપતિને આશીર્વાદ આપે. नतामस्यः स्फूर्ति, दधति नवरं यस्य पुरतः, श्रियः तेजस्याऽपि, त्रिजगदवगाहैकरसिकाः । अचक्षुःसलक्ष्य', परिहतपथ वाङ्मनसया___ महस्तद्राजस्ते, शमयतु समन्तादपि तमः ॥ १॥ હે રાજન ! જેની આગળ અંધકારની છટાઓ સ્કુરતી નથી એટલું જ નહી પણ ત્રણે લોકમાં અવગાહન કરવામાં રસિક એવી તેજની પ્રભા પણ ખુરી શકતી નથી, તે ચક્ષુષથી અગ્રાહ્ય અને વાણી તથા મનને અગેચર એવું મહસૂ-જ્ઞાન સર્વ બાજુના તારા તમસૂઅજ્ઞાનને શાંત કરે. એમ આશીર્વાદ આપ્યા બાદ ગુરુના અમરણ રૂપ પ્રમાદવડે અપરાધિની જેમ રાજાને બહુ લજજા આવી છતાં હાથ જોડી તે બોલ્યા. હે ભગવાન ! કૃતઘતાને લીધે ખલની જેમ હાલમાં આપને મુખ બતાવવા માટે હું ગ્ય નથી. ખંભાત નગરમાં શત્રુઓના મારમાંથી આપે મારું રક્ષણ કર્યું હતું. તેમજ અમુક દિવસે તને રાજ્ય મળશે એવી પત્રિકા લખી આપીને મને શાંત કર્યો હતે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કુમારપાળ ચરિત્ર એમ છતાં આ રાજ્ય વૈભવ મળવાથી આપને પ્રત્યુપકાર કરે. તે દૂર રહે, પરંતુ આપને મેં સંભાય પણ નહીં. અહો ! મારૂં કૃતજ્ઞપણું કયાં રહ્યું ? પ્રથમ પણ આપે કરેલા ઉપકાર વડે હું દેવાદાર હતે. તેમજ હાલમાં પ્રાણ રક્ષણ કરવાથી જીણીની માફક અધિક જણું થયે છું. અકૃત્રિમ ઉપકારીઓમાં ખરેખર તમેજ મુખ્ય છે, કારણકે હું આ કૃતઘ છું, છતાં મારી ઉપર આપનો પ્રેમ આ પ્રમાણે અનહદ આ દુનિયામાં “કૃતજ્ઞપુરુષથી બીજો કેઈ ઉત્તમ નથી અને કૃતનથી બીજે કઈ નીચ નથી.” કારણકે કૃતજ્ઞપુરુષની લકે સ્તુતિ કરે છે અને કૃતધની હમેશાં નિંદા કરે છે. અહો ! આપણે બંને જણ ઉત્તમ કેટીને પામ્યા. ઉપકારી જનેમાં આપ અને કૃતઘ પુરુષમાં હું. માટે હે કૃપાનિધાન ! મારા સમગ્ર અપરાધની ક્ષમા કરી આ રાજ્ય લક્ષ્મીને સ્વીકાર કરીને હાલમાં મારી ઉપર મહેરબાની કરે. શ્રી હેમચંદ્રસૂરિ શ્રી કુમારપાલનરેદ્રના મુખમાંથી નીકળેલ ભક્તિમય વચન વડે શ્રી હેમચંદ્રસૂરિ બહુ પ્રસન્ન થયા, જેથી અમૃતરસનું સિંચન કરતા હેય તેમ નરેદ્ર પ્રત્યે બેલ્યા | હે મહીપતિ ! આ પ્રમાણે પિતાને શા માટે તું વૃથા નિદે છે. કારણકે હવે તારે ઉપકાર કરવાનો સમય આવ્યે છે. હે વિદ્વાન ! કૃતજ્ઞપુરૂષમાં ચૂડામણી સમાન કેવલ તું જ છે. પિતાના પૂર્વજની માફક મારે વિષે જેની આવી ઉત્તમ પ્રકારની ભક્તિ શેભે છે. વળી તું જે મને રાજ્યસંપત્તિ માટે પ્રાર્થના કરે છે, તે તારી ભકિત આગળ શા હીસાબમાં છે? પરંતુ હે રાજન ! તે રાજ્યવૈભવ હમારે ચારિત્રધારીને યેગ્ય Page #246 -------------------------------------------------------------------------- ________________ દ્વિગ્વિજય ૧૯૯ નથી. “ સ સંગના ત્યાગ કરવા તે ચારિત્ર કહેવાય. ” એમ શ્રીજિનેન્દ્ર ભગવાને કહેલુ છે. જળના સ`ચેાગથી જેમ ચિત્રની રાજ્યવડે ચારિત્ર નષ્ટ થાય છે. સંયમશ્રી અને રાજયશ્રી એ બંને પરસ્પર વિરોધી છે, કારણકે સપત્ની શાકયની માફક એકના આગમનથી બીજીના નાશ થાય છે. હે મહીનાથ ! કૃતજ્ઞતાને લીધે એ તુ' પ્રત્યુપકારની ઇચ્છા કરતા હાય તે પેાતાને હિતદાયક એવા જૈનધમ માં પેાતાનુ` મન સ્થિર કર. પ્રથમ પણ તે. આ પ્રમાણે મારી આગળ પ્રતિજ્ઞા કરેલી છે. માટે હાલમાં પેાતાનું વચન તું સત્ય કર. કારણકે સત્પુરુષનું વચન કદાપિ મિથ્યા થતુ નથી. એ પ્રમાણે નિઃસ્પૃહની જેમ સુરીશ્વરની નિભતા જોઇ કુમાર પાળ વિસ્મિત થયે। અને વિનયપૂર્વક ગુરુ પ્રત્યે આત્યા, હે પ્રભુ! આપના કહેવા પ્રમાણે સવ થા હું ધીમે ધીમે વીશ પર ંતુ નિધિની માફક આપના સમાગમ હું ઈચ્છું છું. આપના સમાગમથી મારા હૃદયમાં કંઇક તત્ત્વની પ્રાપ્તિ થાય, કારણકે તત્ત્વ પ્રાપ્તિમાં સત્સ`ગ એજ મુખ્ય ઉપાય કહેલે! છે. એ પ્રમાણે નરેદ્રનુ વચન અંગીકાર કરી હેમચંદ્રાચાય અવકાશના સમયે રાજા પાસે જઇને પ્રસંગેાપાત ધોધ આપતા હતા. ગુરુની વિશેષ વાણીરૂપ તકક્ષેાદ-૨ ના ચોગથી જલાશયની માફક રાજાનું હૃદય નિર્મલ થવા લાગ્યું. દિવસના આઠ ભાગ, તેમાં પ્રથમ ભાગમાં રક્ષણ, આવક અને જાવકને વિચાર. ખીજા ભાગમાં નગરના લેાકેાનુ' નિરીક્ષણ. ત્રીજામાં દેવપૂજન અને લેાજન. ચાથામાં નિધાનાનું અવલેાકન પાંચમામાં અન્યદેશમાં ચરપુરુષાનુ પ્રેષણ મૈકલવુ’છઠ્ઠા ભાગમાં ઇચ્છા પ્રમાણે પરિભ્રમણ, Page #247 -------------------------------------------------------------------------- ________________ ૦૦ કુમારપાળ ચરિત્ર સાતમામાં હાથી, ઘોડા અને ધનુષબાણ વિગેરેની રચના, તેમજ આઠમા ભાગમાં સેનાપતિ સાથે વિજયને વિચાર, એમ દિવસના આઠે ભાગમાં કાર્યક્રમ રાખેલે હતે. તેવી જ રીતે રાત્રીએ પણ પ્રથમ ભાગમાં એકાંતમાં બેસી આત પુરુષની વાણીને વિચાર તથા શ્રવણું. બીજા ભાગમાં આનંદજનક શાસ્ત્રાર્થનું મરણ ત્રીજા ભાગમાં વાજિંત્રના નાદપૂર્વક શયન, ચેથા અને પાંચમાં એ બંને ભાગમાં નિદ્રા. છઠ્ઠામાં માંગલિક વાદ્યના નાદવડે જાગ્રત થઈ સમગ્ર કર્તવ્યને વિચાર. સાતમામાં મંત્રીઓની સાથે ગુપ્ત વિચાર અને આઠમા ભાગમાં વિપ્રેના આશીર્વાદ તેમજ વૈદ્ય વિગેરેનું દર્શન, એ પ્રમાણે રાત્રિ તથા દિવસ જેના સદેદિત કર્તવ્ય પરાયણ જ વ્યતીત થયા હતા. વળી રાજનીતિમાં કહ્યા પ્રમાણે યશની વૃદ્ધિ કરનાર સ્થિતિને સાવધાનપણે હમેશાં આશ્ચર્ય કરતાં શ્રી કુમારપાળભૂપતિ પિતાના ઘરની માફક પૃથ્વીમંડળનું પાલન કરતે હતે. દિગ્વિજય શ્રીમાન કુમારપાલરાજાને દિગ્વિજયની ઈચ્છા થઈ. સંધિ, વિગ્રહ, યાન, પ્રયાણ કર્યા પછી પોતાના સ્થાનમાં રહેવું, અન્ય લોકેને આશ્રય લે, એ છ ગુણ-ઉપાયેના પિતે જાણકાર હતા તેમજ પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણ શક્તિ તથા સિદ્ધિ અને ઉદય એ સર્વે જેને સિદ્ધ હતાં. વળી નીતિ શાસ્ત્રનું રહસ્ય માત્ર એટલું જ છે કે, પિતાના અને શત્રુના બેલની તપાસ કરી રાજાએ શત્રુઓ સાથે વિજયની ઈચ્છા કરવી. આ સર્વ પ્રકારની આબાદી જોઈ ભૂપતિએ મંત્રી, સામંતે સાથે વિચાર કદી ઉત્તમ પ્રકારના મુહુર્તમાં દિવિજય માટે પ્રયાણ કર્યું. Page #248 -------------------------------------------------------------------------- ________________ દિગ્વિજય ૨૦૧ તે સમયે સાતે રાજ્યાંગની લક્ષમી સમાન પિતાના ગોત્રની વૃદ્ધસ્ત્રીઓએ મંગલ ક્રિયા કરી. સાક્ષાત જયની મૂર્તિ સમાન પ્રૌઢ હાથી ઉપર શ્રીમાન કુમારપાલ મહીપાલ આરૂઢ થયા. જેમના મસ્તકપર એકત્ર થયેલું યશ હોયને શું ? તેમ અતિ ઉજવલ છત્ર શોભતું હતું. આગળ બંદીઘું બિરૂદાવલી બેલતા હતા. જેથી કીર્તિરૂપ કલેલની કીડાઓ વડે દિગૂરક વાચાલિત થઈ ગયું. તેમજ સ્વભૂષણેના મિષથી ચારે બાજુએ મૂર્તિમાન હેયને શું ? તેવી કાંતિના સમૂહવડે આક્રાંત થયેલા સામંત જને તેમની પાછળ નીકળ્યા. પલાણ રૂપી પાંખે અને મદરૂપી ઝરણાઓને ધારણ કરતા જંગમ પર્વતે હેાયને શું ? તેમ તે સેનાની અંદર ગજેદ્ર દીપતા હતા. અન્યરૂપ ધારણ કરી આવેલા તાર્ય–ગરૂડ, કિવા દૃષ્ટિગોચર થયેલા પવન હેય તેમ અંચલ ગતિવાળા ઘડાએ ચાલતા હતા. સેનાના વજદંડેની પ્રચંડ કાંતિરૂપ વિજ્યના ચમકારા સહિત અને નભેમાગને સ્પર્શ કરતું રથરૂપી મેઘમંડલ ચાલતું હતું. તેમજ અનેક રૂપને પ્રાપ્ત થયેલા મૂર્તિમાન વીરરસ સમાન, હાથમાં આગ લતાઓને કંપાવતા પદાતિ-પગ પાળાઓ અપૂર્વ ઉત્સાહથી નીકળ્યા. યુદ્ધની શ્રદ્ધાવડે યોદ્ધાઓ, પરાધીનતાવડે સેવકલ કે, જેવાની ઈચ્છાવડે રસિક લેકે, લુંટવાની ઇચ્છાવડે ચાર લોકો, કામ કરવાની ઈચ્છાથી ચાકર લોકે, દ્રવ્યાદિકની ઈરછાવડે બ્રાહ્મણ વર્ગ અને વેપારની ઈચ્છાથી વણિક લોકો સૈન્યની સાથે નીકળ્યા. નરેંદ્રના પ્રયાણ કાલમાં અતિશય ગર્જના કરતા અનેક વાઈના નાદવડે તથા સૌ ના સંચારવડે શત્રુ રાજાઓ અને પર્વતે બંને કંપવા લાગ્યા. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કુમારપાળ ચરિત્ર અશ્વોની ખરીઓના આઘાતથી ઉખડેલા અને અનેક સ્થાવડે કચરાયેલા ધૂળના સમૂહ મેધની માફક આકાશમંડલમાં વ્યાપી ગયા. જેથી સૌનિક લાકે અંધ સમાન બની ગયા. બહુ દૂર ફેલાયેલા ધૂલીપુંજને હાથીઓએ દયાને લીધે જેમ મદજલવડે શાંત કર્યાં. હાથી, ઘેાડા, મનુષ્ય, બળદ અને ઊંટોના સમૂહવડે વ્યાપ્ત તે રસૈન્યને જોઇ લેાકેા જગતને એકત્રિત થયેલુ હાય તેમ માનવા લાગ્યા રાજસેવા પ્રથમ જાવાલપુરના રાજાએ પાતાના પૂર્વજની માફક ચૌલુકય વંશમાં ચંદ્ર સમાન શ્રીકુમારપાલના બડુ સત્કાર કર્યો અને બહુ પ્રકારની ભેટ પણ કરી. ત્યાંથી ચાલતાં અનુક્રમે સપાદલક્ષ નામે દેશમાં ગયા. ત્યાં પેાતાના અનેવી અણુરાજનામે ભૂપતિએ સેવા કરી. તેનેા સ્વીકાર કરી શત્રુ રાજાઓના શિક્ષક તરીકે પ્રવૃત થયેલે! શ્રી કુમારપાલરાજા ત્યાંથી આગળ ચાલ્યું. સૌન્યના સ’ચારથી ઉછળતી ધૂળવડે રાજા તથા પર્વતાને આચ્છાદન કરતા ગુજરશ્વર કુરૂ દેશમાં ગયા. તે દેશના રાજાએ લેાકેાના મુખથી સાંભળ્યું હતું કે, ગુજ રેશ્વર શત્રુને ભેદવામાં મહાન પરાક્રમી છે, તેથી તે પણ વિનયપૂર્વક પેાતાના ગાત્રદેવની માફક ભૂપતિના ચરણમાં પડયો. અને તેની પ્રાથનાથી કુમારપાલરાજાએ હસ્તિનાપુરમાં પ્રવેશ કરી યાચક જનેાને બહુ દાન આપ્યુ, તેથી પ્રગટ થયેલી કીતિ વડે તેણે અન્યગંગાની પ્રવૃત્તિ કરી. ત્યારપછી તે ગંગાના તીરથી ગુજરેશ્વર પ્રયાણ કરી મધ્ય દેશના રાજાને સિદ્ધ કરી ત્યાંથી માલવદેશમાં ગયે.. ત્યાં નજીકમાં આવતા કુમારપાલને જાણી ચિત્રકુટના અધિપતિ કરેલા સજ્જન સામેા આબ્યા અને પેાતાની કૃતજ્ઞતાને લીધે તેણે મહુ ભક્તિ બતાવી. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ રાજસેવા પછી ત્યાંથી લહમીવડે સ્વર્ગ સમાન અવંતી દેશમાં ગયે. તેના અધિપતિ સાથે કુમારપાલભૂપતિએ યુદ્ધ કર્યું. માલવદેશના રાજાએ જાણ્યું કે, ગુર્જરેશ્વરોએ મારા પૂર્વજોને પ્રથમ હરાવેલા છે, એમ વિચાર કરી તે પણ શ્રીકુમારપાલભૂપાલની સેવામાં હાજર થયે. કારણકે બલવાનની આગળ નમવું એજ નીતિ છે. ત્યાંથી નીકળી નવીન ગ્રીષ્મકાળના સૂર્ય સમાન શરૂ૫ કાદવને શેષણ કરતા ભૂપતિ સૈનિકે સાથે નર્મદા નદી પર ગયે. બુ, જાંબુ, કદંબ, બીર અને આમ્રાદિક વૃક્ષેથી સુશોભિત, માલતી, મલ્લિકા, મોગરા અને પાટલના સુંગધિત પુષ્પવડે વ્યાપ્ત તેમજ પવનથી ઉછળતા જલબિંદુએથી શીતળ ભૂમિવાળા નર્મદાના કાંઠે રહેલા વનમાં સૈન્યનો પડાવ કર્યો. માર્ગના શ્રમથી પીડાયેલા કેટલાક રોનિક વૃક્ષ નીચે રહ્યા, કેટલાક સુંદર રેતીથી સુખમય તટપર ઉતર્યા, કેટલાક દુર્વાવનમાં રહ્યા. એમ પિતાપિતાની ઇચ્છા મુજબ સર્વ રૌનિકેએ નિવાસ કર્યો. તેમજ બહુ સુખદાયક પિતાની જનની સમાન તે નર્મદા નદીને જોઈ હાથીએ પ્રથમ તેના જલનું પાન કરી પુષ્ટ થયા અને બહુ આનંદ માનવા લાગ્યા. વનચારી હાથીઓના અવલોકનથી પ્રવૃત થયેલા, મદવારિથી વૃદ્ધિ પામેલા નર્મદાના જલમાં ગજેદ્રોએ ઘણે સમયે કીડાવડે વ્યતીત કર્યો. ચૂર્ણ કરેલા કપૂરના સમૂલવડે યુક્ત હોય તેવા સુંદર રેતીવાળા નદીના કિનારા પર સ્વારે પોતપોતાના ઘોડાઓને શ્રમ દૂર કરાવવા માટે ફેરવવા લાગ્યા. પછી રીન્યના સર્વ અધોએ જલની અંદર ઉતરી સ્નાન કર્યું. તત્કાલ સમુદ્રમાંથી નીકળેલા સૂર્યના અશ્વ સમાન સંખ્યાબંધ તેઓ દીપવા લાગ્યા. તે નદીને કીનારો આંબા વિગેરે વૃક્ષોનાં પકવફથી બહુ રમણીય હતે, છતાં પણ ઊંટને સમૂહ ખીજડાઓના વનમાં આનંદ માનવા લાગે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ કુમારપાળ ચરિત્ર પ્રાચે દરેક જંતુઓને પેાતાને ઉચિત વસ્તુના લાભ થાય ત્યારે જ આન મળે છે.” બળદો અમૃતસમાન સ્વાક્રિષ્ટ પ્રવાહનુ' જલપાન કરી નદીના કાંઠાપર દ્રાક્ષાસમાન સુકેામળ દુર્વાદિક ઘાસ ચરી તૃપ્ત થયા. ગ્રીષ્મૠતુના તાપથી તપી ગયેલા સૈનિક લેાકેા નદીના ઠંડા જલમાં સ્નાન કરી અમૃતના અભિષેક સમાન આનંદ પામ્યા. મિત્રોની સાથે શ્રીકુમારપાલ રાજાએ હાથીઓના સમૂહ સાથે ગજે'દ્ર જેમ નદીના મધ્યપ્રદેશમાં જળક્રીડા કરી. જેનું જલ કમલાના ખરતા પરાગ વડે પીળાશ પર હતું અને મદ્ય મદ્ય પવનને લીધે જેની અંદર તરંગા ઉછળતા હતા. તેમજ તે પ્રવાહની અંદર લક્ષ્મી સમાન સુદર એવી અ ંત:પુરની સ્ત્રીએ ક્રીડા કરવા ઉતરી, નેત્રાનાં અંજન અને શરીરે શ્રીખંડના લેપ ધાવાવાથી ક્ષણમાત્ર અસંભવ છતાં પણ તે નર્મદાનદી યમુનાનદીની ભ્રાંતિ આપતી હતી અને બહુ માનદથી તે સ્ત્રીએ એક બીજી પર જલ સિંચન કરતી હતી. તેમજ કંઠમાં પુષ્પમાળાએ ધારણ કરતી અને સુંદર પલ્લવેના આભૂષણેાથી મને હર શૈનિકોની સ્ત્રીએ દેવીએની માફક કઠાના વનમાં ચિરકાલ વિહાર કરવા લાગી, એમ રેવાનદીના કીનારે સવ સૈનિકોએ આનંદ કર્યો. શ્રીકુમારપાલભૂપતિ સૌન્ય સદ્ગિત નર્મદાનદી ઉતરીને આભીર દેશમાં ગયા. ત્યાં પ્રકાશા નગરીના અધિપતિને પેાતાના પરાક્રમ વડે ચૌલુકયરાજાએ પેાતાના સેવક કરી સ્થાપન કર્યાં. વિજયયાત્રા ખાદ ત્યાંથી પાછા ફરીને વિધ્યાદ્રિ પર્વતમાં આન્યા. ત્યાં આવેદી પલ્લીને હાથી વેન્નીને તેમ આક્રમણ કરી તેના અધિપતિને પુષ્કળ દંડ લીધે.. તેમજ દેશાંતરીય ઘણા અશ્વ, મણિરત્ન અને કુલાદિક બહુ લેટ લઈ લાદેશનેા અધિપતિ એાસરી બ્રાહ્મણ ગુરેદ્રની સામે આવ્યા અને તેણે બહુ સેવા કરી. Page #252 -------------------------------------------------------------------------- ________________ વિજયયાત્રા ૨૦૫ ત્યારપછી લવણ સમુદ્રના કીનારે અન્ય રાજાઓને પેાતાને વશ કરતા કુમારપાલરાજા તી ભૂમિરૂપ સુરાષ્ટ્ર દેશમાં ગયા. સ્ફુરણાયમાન છે પ્રચંડ માણુ જેનાં એવા શ્રીચૌલુકયના યુદ્ધના પ્રભાવથી કામીપુરુષના સ`ગરસથી દ્રવીભૂત સ્ત્રી જેમ સુરાષ્ટ્રદેશના અધિપતિ પલાયન થઇ ગયા, એમાં શું આશ્ચર્ય ! પછી શ્રીકુમારપાલરાજાએ પ્રભાસક્ષેત્રમાં સ્નાન કર્યું. શ્રીચંદ્રપ્રભુસ્વામીનાં દન કરી વંદન કર્યુ. પછી સૂર્ય સમાન કાંતિમાન શ્રીકુમારપાળભૂપતિએ મદેન્મત્ત થયેલા કચ્છદેશના રાજાએના પરાજય કરવા તે દેશમાં પ્રયાણ કર્યું.. ત્યાં કચ્છીરાજાએ એકત્ર થઈ ભૂજમલના પ્રભાવથી અકતર શસ્ત્રાદિક સહિત પેાતપેાતાની સેના સાથે યુદ્ધમાં ઉતર્યા. મેદ્યમાંડલને જેમ વાયુ તેમ શત્રુઓએ કુમારપાલના રોન્યને પરાજય કર્યો. ત્યારપછી પેાતાના સૈન્યના પરાજય જોઈ ઇંદ્રસમાન પરાક્રમી શ્રીકુમારપાલ રાજાએ અનિવાર્ય માથેાની વૃષ્ટિવડે મેધની માફક દિવસને અંધકારમય કર્યાં. કચ્છદેશના નેતાઓએ ખતર પહેરેલાં હતાં, છતાં પણ તેમનાં શરીર ચૌલુકયના ખાણેાવડે વિંધાઈ ગયાં. જેથી તેમણે ચૌલુકયની આજ્ઞા મસ્તકે ધારણ કરી, પછી ગૂજરેશ્વરે ત્યાંથી પજામદેશમાં પ્રયાણ કર્યુ”—તે દેશના રાજાને નૌકાસાધન વિશેષ હતું, તેથી તે બહુ ઉદ્ધત હતા. નૌકાઓમાં આરૂઢ થઇ કુમારપાલના સૈનિકોએ તેની સાથે યુદ્ધ કર્યુ ક્રોધાવેશમાં આવી ગયેલા તેના સુભટો શર(ખાણુ) અને ભુજમળના આશ્રયથી લાંખા વખત સુધી મરણીયા થઇ લડયા. છેવટે તેઓ હારી ગયા. ત્યારપછી પ જાખના નેતાએ લડાઈ કરી. તેને પણ ગુજ રેશ્વર હરાજ્યે અને તેના અહંકાર ઉતાર્યાં. એમ તેના દ્વિગુવિજયમાં ગ્રીષ્મૠતુમાં સમુદ્રની ભરતીની જેમ જગતને વિસ્મય કરનારી લક્ષ્મી દિવસે દિવસે વૃદ્ધિ પામી. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬. કુમાપાળ ચરિત્ર તિર્યક-વક્રાંતથી પ્રહાર કર્યા છે હાથીએ જેને વિષે એવી તે સિંધુ નદીના કિનારેથી પાછા ફરીને ગૂર્જરેશ્વરે મુલતાન દેશના અધિપતિ મૂલરાજ પ્રત્યે લડાઈની તૈયારી કરી અને તે રાજહસ્તીએ તેને દેશને પદ્મ ખંડની માફક છિન્નભિન્ન કરી નાખ્યો. ત્યારપછી પિતાના હિતકારી અને હોંશિયાર એક દૂતને મૂળરાજ પ્રત્યે તેજ વખતે તેણે મેકલ્ય. યમરાજાની રાજધાની સમાન ભયંકર મૂળરાજની સભામાં જઈને વાકપ્રપંચમાં પ્રવીણ તે દૂત તેને કહેવા લાગે ;दीपः सर्गावशेषः स्फुरदरुणमणीदीप्तिराभासलेशः, पर्यायः सप्तजिह्वः प्रतिकृतिरूचिरज्योतिरौर्वो विवत्तः । पाखण्ड चण्डरश्मिः स्मरहरनयनादचिरुच्चै रहस्य, राजन्नाभाति सद्यः कषितरिपुततेर्यत्प्रतापस्य पश्य ।।१।। જે રાજાએ સર્વ શત્રુઓને કષી નાખ્યા છે એવા જેના પ્રતાપની આગળ પ્રદીપ બુઝાઈ ગયેલું દેખાય છે. સ્કુરણયમાન પદ્મરાગામણની કાંતિ આભાસ માત્ર શેભે છે. અગ્નિ નામમાત્ર ભજે છે, ચંદ્ર નિસ્તેજ પ્રતિમાને ધારણ કરે છે, વાડવાનલ સત્વહીન થઈ રહ્યો છે, સૂર્ય પાખંડમય દેખાય છે, એટલું જ નહીં પણ હે રાજન! તે વિચાર કર, જેનું પરાક્રમ જોઈ તત્કાળ શંકરના નેત્રને અગ્નિ પણ શાંતિમય શોભે છે.” તેમજ સર્વ શત્રુઓ જેને સાક્ષાત્ જોતા હોય તેમ પોતાના સ્થાનમાં પણ કઈ દિવસ નિદ્રા લેતા નથી અને હંમેશાં ભીતિવડે જાગ્રત રહે છે. વળી મહા બલવાન જે રાજા દિpયાત્રાએ નીકળે છતે કાશ્મીર દેશને રાજા બહ શેકમાં પડયો છે. વિદેહભૂપતિ પિતાના હૃદયમાં આનંદ માનતા નથી. કલિંગદેશને અધિપતિ પણ પિતાનું સ્થાન ત્યજી ગયું છે અને યુદ્ધને ઈચ્છતે નથી. Page #254 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ ૨૦૭ ww. સૌરાષ્ટ્રને અધિપતિ પિતાના દેશમાં રહેતું નથી અને મગધદેશને રાજા બહુ આપત્તિમાં આવી પડ્યો છે. આશ્ચર્ય માત્ર એટલું છે કે, મહા પરાક્રમી જેના ભુજને પ્રતાપ શત્રુઓમાં ફેલાએ તેમની સ્ત્રીવર્ગના વિધવ્ય ચિહેવડે સ્પષ્ટ દેખાય છે. તે ગૂર્જરેશ્વર ચૌલુકય શ્રીકુમારપાળરાજા ભૂમંડલને વિજય કરતે અહીં આવેલ છે. અને તે મારા મુખથી તને જણાવે છે કે, હે બુદ્ધિમાન ! તે વૃત્તાંત તું સાંભળ. જે તું હંમેશાં આનંદની ઈચ્છા કરતે હોય તે સ્વર્ણ, અશ્વ, ધન વિગેરે અખંડ દંડ આપીને જલદી મને પ્રસન્ન કર. અન્યથા પરિવાર સહિત તને યમરાજાનો અતિથિ કરીશ અને આ તારા નગરને પણ હું અરણ્ય તુલ્ય કરીશ. આ પ્રમાણે દૂતનું વચન સાંભળી સર્વ સભાના લોકો પણ ક્ષોભ પામ્યા અને વાયુના પ્રકંપથી પ્રાસાદ પર રહેલી ધવજશ્રેણીની માફક કંપવા લાગ્યા. મૂળરાજ મૂળરાજનૃપતિ બહુ ધાતુર થઈ ગયો અને બ્રકૂટીના મિષથી ક્રોધાગ્નિના ધૂમતેમને ધારણ કરતા હોય તેમ તે બેલવા લાગે. રે દૂત ! ભૂતની માફક તું જેમ તેમ શું બેલે છે? તારા વિના બીજે કઈ આવી રીતે બોલી શકે નહીં. છે. જો કે તારે રાજા તો મૂર્ખ છે, પણ તુંએ કેમ મૂર્ણ થયે છે? અથવા જે સવામી હેય, તે તેને પરિવાર પણ હોય છે. આ કુકર્મ કરવાને તૈયાર થયેલા તારા સ્વામીને કોઈ મંત્રીએ પણ ન સમજાવ્યું કે, તુછ બુદ્ધિને લીધે તે અગ્નિમાં પડવાની ઈચ્છા કરે છે. વળી હે દૂત ! જંગલની અંદર મદોન્મત્ત ગજેને કે વશ કરે? ગિરિગુફામાં સુતેલા સિંહને કણ જગાડવાને તૈયાર થાય? વાસમાન કઠિન પર્વતને મુષ્ટિવડે કણ ચૂર્ણ કરે ? Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કુમાપાળ ચરિત્ર કાંઠાને ભેદનાર જળવાળા સમુદ્રને હાથ વડે કાણું તરી શકે? અનિવાર્ય પિતાના પરાક્રમ વડે મેં દરેક શત્રુઓને વશ કર્યા છે તે હવે કઈ પણ એ બલિષ્ટરાજા નથી કે જે મારી સાથે યુદ્ધ કરી શકે! તારે સ્વામી મારી સાથે યુદ્ધ કરે, તેવી આશા તે શા માટે કરે છે? કારણ કે ઈંદ્ર પણ વાંકી દષ્ટિવડે મને જેવાને સમર્થ નથી ! માટે હે દૂત! તારા સ્વામીને જઈને તું કહે કે મૃત્યુરૂપ દંડ હું તને આપીશ, પણ લક્ષમીમય દંડ આપીશ નહીં એ પ્રમાણે દૂતને કહી સભામાંથી તને વિદાય કર્યો અને મૂળરાજ પિતે તે જ વખતે યુદ્ધકીડા માટે તૈયાર થયે. સૈનિક સાથે પિતે નગરમાંથી બહાર નીકળે અને શત્રુની સામે ગયે. કારણ કે ગંધહસ્તિ સમાન તેજસ્વી પુરુષે અન્યને સહન કરતા નથી. મહાન તેજસ્વી જે સુભટોના હાથમાં ધનુષદંડ રહેલા છે. કટી ભાગમાં બાણના ભાથાઓ લટકે છે. શરીરે બતર પહેરેલાં છે. બહુ રોષથી જેમનાં મુખ લાલ થઈ ગયા છે, નેત્રોને દેખાવ બહુ જ ભયંકર લાગે છે, એવા તે સુભટો સાક્ષાત રૂદ્રરસના અધ્યક્ષ હેયને શું? વળી યુગાંત કાળમાં ખળભળેલા સમુદ્રના સર્વત્ર ઉછળતા તરંગ હોયને શું ? તેવા શત્રુઓના સુભટો ગુર્જરેશ્વરના સુભટના જોવામાં આવ્યા, પછી તે બંને સૈન્યના સુભટોએ પરસ્પર યુદ્ધને પ્રારંભ કર્યો. ત્યારે ઘડા, હાથી અને સુભટના શબ્દોને લીધે મહાન કલાહલ થયે. રણસંગ્રામમાં રસિક એવા મૂળરાજના સુભટો કુમારપાળના રોનિકેને મારવા માટે તૂટી પડયા. તેમજ ધનુષ, ધારણ કરવામાં પ્રચંડ ભુજબળવાળી, Page #256 -------------------------------------------------------------------------- ________________ મૂળરાજ ૨૦૯ ઇંદ્રના પ્રતાપને ખંડિત કરનાર અને રણસંગ્રામમાં ખજ ઉતારનાર એવા ધનુષધારી સુભટોએ બાણેનું નાટક રચ્યું. જેથી તે બાણે ગૂજના હૃદયને ભેદી તેમના પ્રાણ સાથે ઈર્ષાથી જેમ અદશ્ય થઈ ગયા. વળી વિપક્ષ સુભટોએ કેટલાકને ચૂર્ણની જેમ પિષી નાખ્યા. કેટલાકને મુષ્ટિના આઘાતવડે સ્થિર કર્યા. કેટલાકને હૃદયભેદી બાવડે મર્મસ્થળમાં જખમી કર્યા. કેટલાકને યુદ્ધમાંથી નાસતા જીવતા પકડી લીધા. કેટલાકને પિતાના ભુજબળની ચપળતાવડે ચક્રબંધથી બાંધી લીધા. અસહ્ય શત્રુઓના બાણરૂપી પ્રચંડ પવનથી હણાયેલા ચૌલુકયના સુભટ રણભૂમિમાંથી પક્ષીઓની માફક પલાયન થઈ ગયા. પર્વતમાંથી જેમ તે રણસંગ્રામમાંથી પ્રગટ થયેલી નદીએ ખથી હણાયેલાં મસ્તકોની શ્રેણીઓમાંથી ઝરતા રૂધિરવડે પૂરાઈ ગઈ અને તેઓ બંને કાંઠાઓમાં જેસથી વહેવા લાગી. ગુર્જરેદ્ર વિજય પ્રથમ પ્રસન્ન થયેલી લહમીદેવીએ આપેલા વરદાનથી અધિક પરાક્રમી શ્રી કુમારપાળરાજા પિતાના રીન્યને ક્ષય જાણી રાવણ હાથીની માફક યુદ્ધ કરવા તૈયાર થયા. વર્ષાઋતુના મેઘની માફક કુમારપાળે ધારાબંધ બાણવૃષ્ટિ કરી. જેથી શત્રુઓના સુભટરૂપી સૂર્ય મંડળ ઢંકાઈ ગયું. વળી તે ગૂર્જરેશ્વરના બાણેને છેદી નાખે તેવો કઈ પણ બાણાવળી, કેઈ બકતધારી, કેઈ ધનુષધારી, કેઈ ખગ્નધારી; કઈ પદાતિ અને કઈ સવાર પણું નીકળે નહીં. તેમજ કેટલાકને કેશ પકડીને, કેટલાકને છાતી દબાવીને, કેટલાકને મસ્તક છેદીને મૂચિત કર્યા. એટલું જ નહીં પણ તે સમયે કુમારપાળરાજા મૃત્યુની જેમ કયા શત્રુઓને મરણદાયક ન થયે? પતે એકાકી છતાં પણ કુમારપાળરાજાએ ઈંદ્ર જેમ દેને તેમ શત્રુઓના સમગ્ર બળને હટાવી દીધું. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કુમારપાળ ચરિત્ર કેટલાક શત્રુના સુભટો નાશી ગયા, કેટલાક ત્રાસ પામ્યા, કેટલાક તેના બાણથી હતપ્રાય થઈ ગયા, કેટલાક ચૂરેચૂરા થઈ ગયા અને કેટલાક ભાગી ગયા. ઘરટ્ટ (ઘંટી)ની અંદર ચણાની માફક કુમારપાળના યુદ્ધમાં શત્રુઓની સ્થિતિ થઈ રહી. ત્યારપછી જીર્ણપત્રની માફક વિખરાઈ ગયેલા પિતાના સૈન્યને જઈ ધાંધ બનેલો મૂળરાજ કુમારપાળના સામે લડાઈ કરવા એકદમ દોડ્યો. શત્રુઓને ભેદવા માટે અનેક પ્રકારની બાવૃષ્ટિ ને મેધની માફક વિસ્તારના મૂળરાજ ભૂપતિએ આકાશમાં નિરાધાર બાણ મંડપ ર. તેમજ બાણનું આકર્ષણ, સંધાન, મેચન અને ભેદન વિગેરે મૂળરાજની કિયાઓને દેવતાઓ પણ દેખી શકતા નથી. વળી તે અર્જુનની માફક જલદી બાણ મારે છે કે, જેથી શત્રુઓનાં મન પણ ભેદાઈ ગયાં તે શરીરનું તે કહેવું જ શું? હવે ચૌલુક્ય પણ પ્રતિવાદી દુર્વાદિના વચનેને જેમ પ્રતિવચને વડે જેમ શત્રુઓના બાણને પિતાના ભાણવડે છેદતે હતે. એક બીજાના બાણના અગ્ર ભાગ પરસ્પર અથડાવાથી અનિના કણીયાએ ઉછળવા લાગ્યા. જેથી સૌનિકને બહુ ત્રાસ થવા લાગ્યા. વળી શ્રી કુમારપાળરાજા મૂળરાજના બાણોના આવતાં જ છેદી નાખતા હતા. તે જોઈ મૂળરાજ એકદમ બહુ ક્રોધાતુર થઈ ગયે. ત્યારપછી પિતાના અનિવાર્ય બાણ વડે ચાલુક્યનું ધનુષ તેણે ભાંગી નાખ્યું, તેજ વખતે ગુર્જર ગર્જના કરતા શત્રુના ધનુષને તેની આશા સાથે દર્ભની માફક તેડી નાખ્યું. તરતજ શત્રુએ બીજું ધનુષ લીધું અને જેટલામાં બાણ નાખે છે, તેટલામાં સુરપ્ર (ચંદ્રાકૃતિ) બાણ વડે તે ધનુકૂને પણ કાપી નાખ્યું. એ પ્રમાણે વારંવાર પોતાના ધનુષને છેદ થવાથી મૂળરાજ બહુ ગભરાયા અને લજજાને લીધે નીચું મુખ કરી કુમારપાળરાજા પ્રત્યે બે... Page #258 -------------------------------------------------------------------------- ________________ ગુર્જરેદ્ર વિજય ૨૧૧ હે દેવ ! તારે ભુજમલરૂપી સમુદ્ર કેના આનંદ માટે ન થાય, જેની અંદર મોટા પર્વત અને રાજાઓ પણ એકદમ ડુબી જાય છે. જે પ્રતાપરૂપ સૂર્ય વડે મેં જલબિંદુની માફક શત્રુઓને નિત્તમ કર્યા હતા, તે મારા પ્રરાક્રમરૂપે સૂર્યને હાલમાં તું અસ્તાચળ સમાન થે. આજસુધી મેં મારા ભુજબળવડે અન્ય રાજાઓ પાસેથી દંડ લીધો હતો, તે હાલમાં તને આપ પડશે, કારણ કે દેવગતિ બલવાન છે. | માટે હે રાજન ! હવે રણસંગ્રામથી તું નિવૃત થા. મારું કહેવું માન્ય કર, જેથી બંને સૈનિકે મરણ ભયથી મુકત થઈ જીવતા રહે. એ પ્રમાણે મૂળરાજનું વચન સાંભળી શ્રીકુમારપાલરાજા તેનું વચન માન્ય કરી યુદ્ધથી નિવૃત થયે. કારણ કે માનિ પુરુષ માન મળવાથી અનુળ થાય છે. પછી કુમારપાલનરેંદ્રના સૈન્યમાં ઉછળતા પ્રમોદરૂપ સાગરના તરંગ જન્ય શબ્દોની માફક મધુર સ્વરે જયજય દવનિ થવા લાગ્યા. પ્રાપ્ત થયેલી જયશ્રીના પ્રાવેશિક ઉત્સવ માટે જેમ વિવિધ પ્રકારનાં વાત્ર વાગવા લાગ્યાં અને વિજ પતાકાઓ સર્વત્ર બંધાઈગઈ. તે સમયે પિતાને સુભટ માનતા ગુર્જરેશ્વરના રૌનિકે હૃદયમાં આનંદ માનવા લાગ્યા. ખરેખર બલવાન શત્રુને જીત્યા સિવાય બલની પરીક્ષા થતી નથી.” હૂર્વ-નાના કાન વડે ઇંદ્રના અશ્વને જીતનાર ઘોડાઓની ભેટ કરીને મુલતાનનરેશે વિનયપૂર્વક શ્રી કુમારપાલભૂપતિને પ્રસન્ન કર્યો. પિતાને મોટા માનનાર અને અભિમાની બીજા પણ ઉત્તર દેશના રાજાઓને કુમારપાલભૂપાલે સામંતની જેમ ક્રીડા માત્રથી પિતાને સ્વાધીને કર્યો. શકદેશમાંથી પાછા વળતાં ધર્મવિજયી શ્રીગૌર્જરેશ્વરે જાલંધર, જય, શલ્ય અને મરૂ વગેરે રાજાઓને પિતાને તાબે કર્યા. શ્રી કુમારપાલરાજાએ ચારે દિશાઓમાં વિજય મેળવ્યો. તેનું પ્રમાણુ શ્રીવીરભગવાનના ચરિત્રમાં શ્રી હેમચંદ્રસૂરિએ બતાવ્યું છે, Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કુમાપાળ ચરિત્ર પૂર્વ દિશામાં ગંગાસુધી, દક્ષિણમાં વિધ્યાદ્રિ સુધી, પશ્ચિમમાં સિંધુ નદી સુધી અને ઉત્તર દિશામાં તુર્કી સુધી શ્રીકુમારપાલ વિજય મેળવશે. રાજધાની પ્રવેશ એ પ્રમાણે દિગ્વિજય કરી શત્રુઓને પેાતાની આજ્ઞા મનાવી શ્રીકુમારપાલરાજા પેાતાના નગરપ્રત્યે પાછા વળ્યા. અનુક્રમે પાટણ નગરની પાસમાં આવ્યા. રાજલે કોને ખબર થઈ, જેથી તેએ ઘણાં ભેટાં લઇ ભૂપતિને દન માટે સન્મુખ ગયા. શ્રીકુમારપાલરાજાએ નગરમાં પ્રવેશ કરવાની તૈયારી કરી. તે સમયે પેાતે ગજેદ્રપર બેઠા હતા અને દિવ્યશૃંગારની રચનાએવર્ડ એરાવણુ હાથી પર આરૂઢ થયેલ ઈંદ્ર સમાન દીપતા હતા, પૂર્ણિમાના ચંદ્ર સમાન સુંદર અને ઉત્કટ છત્ર ધારણ કરવાથી ચારે દિશાએના વિજયથી ઉત્પન્ન થયેલા યશે.રાશિને વહન કરતા હાય ને શુ ? અને બાજુએ વીઆતા વેત ચામરના ચગી દિવસે પણ મુખચંદ્રથી પ્રગટ થયેલ કાંતિને બતાવતા હોય ને શુ ? વક્ષસ્થળે પહેરેલા હારના લાલ મણીની કાંતિના મિષથી લેાકેા પ્રત્યે પેાતાના મનેાર્ગને પ્રત્યક્ષ મતાવતા હાય ને શું ? સર્વાંગે સ્ફુરણાયમાન વિશાલ કાંતિના મિષથી તુષ્ટ થયેલી જય લક્ષ્મીરૂપ સ્ત્રી સચાગને ધારણ કરતા હાય ને શું ? ધ્રુવે નિર્માણ કરેલ દારિદ્ર દશાને નિમૂલ કરવાની ઇચ્છાથી ભ્રકુટીના ચિન્હવડે અપાવેલા સુવર્ણના દાનવડે યાચકોને કુબેર સમાન કરતા હાય ને શું ? વિવિધ પ્રકારનાં વાગતાં સુંદર વાજી ંત્રાના નાદથી વૃદ્ધિ પામેલી માગધ લેાકેાની સ્તુતિઓવડે આકાશને પૂરતા હાય ને શુ ? એવા શ્રીકુમારપાલભૂપાલ પવનથી હાલતી પતાકાઓના મિષથી પેાતાના સ્વામીના સમાગમ થયે છતે હષ વડે નૃત્ય કરતુ હોય તે શુ ? તેવા તે નગરમાં પ્રવેશ કર્યાં. Page #260 -------------------------------------------------------------------------- ________________ સુરિસમાગમ ૨૧૩ તે સમયે અનેક પ્રકારના સુંદર અલંકારને ધારણ કરતી, પ્રૌઢ વિલાસને પ્રસિદ્ધ કરતી, શોભાવડે પુરુષ રાજ્યમાં પણ સ્ત્રી રાજ્યને બતાવતી હોય ને શું? વળી વાગેરૂપ માંત્રિક વિનિના હકારાઓ વડે ખેંચાઈ હેય ને શું ? તેમ તે નગરની પ્રમદા રાજદર્શનની ઈચ્છાથી દડતી હતી. તેમાં કેટલીક સ્ત્રીએ જોવાના હર્ષથી અધું ભેજન કરી ઉઠી ગયેલી. કેટલીક સ્ત્રીઓએ રેતાં બાલકને છેડી દીધાં. કેટલીક સ્ત્રીઓ અર્ધા વસ્ત્ર આભૂષણ પહેરીને રાજમાર્ગમાં આવી ઉભી કેટલીક સ્ત્રીએ ઝરૂખાઓમાં બેસીને જેવા લાગી. કેટલીક ઘેરી રસ્તાઓમાં ચાલી ગઈ. કેટલીક વરંડાઓ ઉપર ચઢી ગઈ. એ પ્રમાણે પરાંગનાઓ રાજદર્શનમાં બહુ ઉત્સુકતા ધારણ કરવા લાગી. તેમજ તે સમયે અગાશીઓ પર અને ગવાક્ષમાં બેઠેલી સ્ત્રીઓનાં કંઠસુધી દેખાતાં મુખવડે ખરેખર સેંકડો ચંદ્રવાળું આકાશ દેખાવા લાગ્યું. કેટલીક સ્ત્રીએ અંજલિવડે સમુદ્રનું પાન કરનાર અગસ્તમુનિને જીતવાની ઈચ્છાવડે શ્રી કુમારપાલરાજાના લાવણ્યરૂપ સમુદ્રને દષ્ટિના પ્રાંત ભાગવડે પાન કરતી હતી. કેટલીક સ્ત્રીઓ રાજપ્રવેશના મહત્સવને ઉચિત-ધાણીને ફેંકતી હોય તેમ પ્રેમરસવડે ઉજજવલ એવા કટાક્ષને નરેંદ્ર પર ફેંકતી હતી. જેને યશ આ દુનિયામાં પણ નથી માટે તે રાજા સ્ત્રીઓના સૂક્ષમ એવા પણ હૃદયની અંદર સમાઈ ગયે એ મોટું આશ્ચર્ય છે. પ્રૌઢ નેત્રરૂપ અંજલિએવડે નરેંદ્રના સૌંદર્યરૂપ અમૃતનું વારંવાર પાન કરતી નગરની સ્ત્રીઓની સુધા શાંત થઈ ગઈ. Page #261 -------------------------------------------------------------------------- ________________ કુમાપાળ ચરિત્ર નરેદ્રના દર્શીનથી ઉત્પન્ન થયેàા હુ` સીએના હૃદયમાં નહીં માતા હાય તેમ, રેરામાંચના મિષથી બહાર પ્રગટ થતા હતા. એ પ્રમાણે દરેક સ્થળે નગરની સ્ત્રીઓએ નિરીક્ષણ કરાતા શ્રીકુમારપાલરાજા અપૂર્વ લક્ષ્મી શેાભાયુકત પેાતાના પ્રાસાદમાં ગયા. ત્યાં સ`હાસનપર પેાતે બેઠા. ઉદયાચલના શિખરપર આરૂઢ થયેલા અરૂણુ–સૂર્ય ને અઠ્યાસીહજાર સૂર્યાંપાસક ઋષિની માફક સર્વ જનેાએ રાજાને નમસ્કાર કર્યાં. ૨૧૪ સુરિસમાગમ તે સમયે શ્રીમાન્ હેમચંદ્રાચાય દિગ્વિજય કરી આવેલા નરેદ્રની પાસે ગયા અને તેના હાથમાં ખડ્ગ જોઇ પાતે વર્ણન કરવા લાગ્યા. योद्भूतरजोन जैम नियन् द्यावापृथिव्यन्तर', शत्रुक्षत्र कलत्रनेत्रनलिनेष्वभ्रूणि विश्राणयन् । चित्ताभिज्वलदुप्रकोपहुतभुनिष्कान्तधूम भ्रम', श्री चौलुक्यपते ! दधाति समरे कौक्षेयकोऽयं तव ॥१॥ શ્રીકુમારપાલજીપ ! યુદ્ધમાં સૈનિકોએ ઉડાડેલી ધૂળના સમૂહ વડે આકાશ અને પૃથ્વીના અંતરને મલિન કરતા તેમજ શત્રુ રાજાઓની સ્ત્રીઓનાં નેત્રરૂપ કમલાને અશ્રુથી વ્યાપ્ત કરતા આ તારી ખડૂગ હૃદયમાં મળતા ધરૂપી અગ્નિમાંથી નીકળતા ધૂમના ભ્રમને ધારણ કરે છે. વળી હે દેવ ! તારી કીતિ રૂપ કાંતિના આગળ ચંદ્રજ્યાનાના મદ ઉતરી ગયા છે, તેમજ મુક્તાવલીની કાંતિ મલિન દેખાય છે. શંકરનું શરીર ઝાંખું થયું છે. ગંગાના પ્રવાહ મદ સરખા દેખાય છે. દુફૂલવસ્ત્ર ક્ષીણ થયુ છે. અતિ ઉજ્જવલ હિમાલયપર્યંતના મહિમા પણ હીન દેખાય છે. અધિક શુ' કહેવુ' ? જેની આગળ શ્વેતકમલેાના વનની કાંતિ પણ શ્યામ દેખાય છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ અણે રાજનૃપતિ ૨૧૫ એ પ્રમાણે ગુરુમહારાજના મુખથી પ્રશંસા સાંભળી ભુપતિએ પિતાની સાથે આવેલા સામંતરાજાઓને વિદાય કર્યા અને પિતે ઇંદ્રની માફક સર્વાગ સુંદર રાજલક્ષમીને ભેગવવા લાગ્યા. મિત્ર સમાન પરિણામે હિતકારી એવા ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચારે પુરુષાર્થોમાં એગ્ય રીતે પ્રવૃત્તિ કરવા લાગ્યો. અને કેઈનું પણ અપમાન કરતે નહીં. તેમજ શ્રી હેમચંદ્રસૂરિના સમાગમથી પાણીના સિંચનથી જેમ અંકુર તેમ તે નરેદ્રના હૃદયમાં દિવસે દિવસે ધર્મરંગ વધવા લાગે. સામર્થ્ય શક્તિરૂપ જલપ્રવાહ વડે ભુપતિએ તેવી રીતે ન્યાય વૃક્ષને સિં કે, જે ન્યાયતરુ અનેક સંપદાઓ વડે અતિશય ફળવા લાગ્યા. તેમજ તે નરેંદ્રના રાજ્યમાં ચાર લોકો પરધનથી વ્યાવૃત્ત થઈ શ્રેષ્ઠ વૃત્તિવાળા થયા અને સાધુ પુરુષે સુખમ આરાની માફક અતિશય સાધુવૃત્તિને અનુસરવા લાગ્યા. અન્યાયી લેકેને નિગ્રહ કરવામાં તત્પર થયેલા શ્રી કુમારપાળરાજાને જોઈ અન્યાય પોતાના સ્થાનને નાશ થવાથી જેમ ખરેખર નાશી ગયો. તેમજ કલ્પદ્રુમની માફક તે ભુપતિની પ્રસન્નતાથી સર્વ સંપત્તિ મય લોકમાં રહેવાની જગે નહીં મળવાથી જેમ દારિદ્ર કઈ પણ સ્થળે ચાલ્યું ગયું. અર્ણોરાજનૃપતિ. શાકંભરી નામે નગરીમાં શત્રુઓને દુર્જય અને શ્રીકુમારપાળરાજાને બનેવી અર્ણોરાજનામે પતિ રાજ્ય કરે છે. તેની સ્ત્રી દેવલદેવી શ્રી કુમારપાળની બહેન હતી. ઇંદ્રાણી સાથે ઇંદ્રની જેમ તેણીની સાથે અર્ણોરાજ અતિ મનોહર ભેગ ભગવે છે. એક દિવસ તે બંને સ્ત્રી પુરુષે પરસ્પર બહુ પ્રીતિથી જોડાઈને રતિ અને કામદેવની માફક બહુ પ્રેમપૂર્વક સોગઠાબાજી રમવાને પ્રારંભ કર્યો. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કુમાપાળ ચરિત્ર મિત્ર સમાન તે બંનેની નિર્મચંદ કીડા ચાલી. તેમાં બે ત્રણ, બે ચાર અને બે પાંચ એવા દાવ પડવા જોઈએ, એવી રમત સખી– એની માફક તે બંનેની વધવા લાગી. તે વૃતની અંદર કેટલાંક સેગઠાં કામીની માફક લાલ હતાં અને કેટલાંક બીજો પાપીસમાત કાળા રંગનાં હતાં. એકાદિક સંખ્યાના સંકેત રૂપ બિંદુનમિષથી ફુરણાયમાનનિધિવાળાં બંને પાસાઓ ધૃત રૂપ માસના શુકલ તથા કૃષ્ણ પક્ષ હેયને શું ? તેમ ખરેખર શોભતા હતા. ગૂર્જરેનાં મરતક શિરોવેલ્ટન રહિત હોવાથી ગુર્જરેને મુંડિત એમ કહીને અરાજ સેગઠારૂપ મેડિઆએને તું માર, એ પ્રમાણે પિતાની રાણીને કહે છે. એવી રીતે ગૂર્જરેનું ઉપહાસ કરતા પિતાના સ્વામીને દેવલદેવીએ કહ્યું, હે દેવ! મારા દેશની હાંસી છેડીને મારી સાથે તમારે હાસ્ય કરવું. એ પ્રમાણે સ્ત્રીએ ના પાડી તે પણ અર્ણોરાજ તેને ચીડાવવા માટે બાલકની માફક હાસ્યવડે તેજ વાકય વારંવાર બોલવા લાગ્યા. રાણ બહુ કો ધાતુર થઈ ગઈ અને બોલી, હે જામ! વિચારીને કેમ બેલ નથી? તું જતું નથી ? ગૂર્જરેની મારી આગળ તું નિંદા કરે છે? તારા દેશના આ લેકે શરીરે પુષ્ટ, કેપીન માત્ર વસ્ત્ર પહેરનાર વિવેકહીન, કરવાણી અને પિશાચની માફક વિકરાળ અંગવાળા કયાં? અને સુશોભિત અંગવાળા, વસ્ત્ર તથા અલંકારથી વિભૂષિત, વિશુદ્ધ ચરિત્રવાળા અને મધુર ભાષણ કરતા પૃથ્વી પર રહેલા દેવહેયને શું ? તેવા ગૂર્જરદેશના લેકે કયાં? રે! મત્ત થયેલે તું જે પિતાની સ્ત્રી જાણીને મારાથી ડરતે. નથી પણ રાજાઓને ત્રાસ આપવામાં સાક્ષાત્ રાક્ષસ સમાન મારા બધુંથી કેમ ડરતો નથી ? Page #264 -------------------------------------------------------------------------- ________________ ચૌલુકયનેક્રેપ ૨૧૭ | તારે અંત કરનાર આ વૃત્તાંત મારા ભાઈને જે હું જાણુવુિં તે તું બેલ? કોના આશ્રયથી જીવીશ? તે સાંભળી અર્ણરાજ બહુ ક્રધાતુર થઈ ગયું અને તે બે. રે વૃથા માનિનિ! ભાઈનું બલ જણાવીને નપુંસકની માફક મને કેમ ડરાવે છે? શું? તને એ નથી જોઈ? અથવા તારા ભાઈને શું મેં નથી ? જે હંમેશાં આજ સુધી ભિક્ષા માગતું હતું અને હાલમાં બહુ દુઃખથી તેને રાજ્ય મળ્યું છે. હે જડબુદ્ધિ! ઉછળતો પણ ચૌલુક્ય મને પહોંચે તેમ નથી. કારણ કે મન્મત્ત હાથી સિંહને મારી શકે નહીં. મૃત્યુ પણ મારી આગળ અશક્ત છે, તે તારાભાઈની શી ગણતરી? લક્ષમીપતિની માફક સીમારહિત સારા પરાક્રમને શું તું નથી જાણતી! રે દાસિ! હાલમાં જલદી તું ત્યાં જા અને તારા બંધુની આગળ પિકાર કર કે સૈન્ય સહિત તે પણ મારા સન્મુખ આવે. યુદ્ધની અંદર તેનું બળ જણાશે. એમ કહી અરાજભૂપતિએ કાળથી રાણીને લાત મારી. કારણ કે માની પુરુષ પોતાના બંધુનું પણ દુર્વચન સહન કરતે નથી, તે સ્ત્રીનું કયાંથી કરે? | લાત મારવાથી બહારની પીડા અને બંધુની નિંદાથી અંતરની પડાવડે દુઃખી થયેલા દેવલ્લદેવીએ પિતાના પતિ આગળ ક્રોધથી પ્રતિજ્ઞા કરી. રે અબુધ ! જેનાથી તે દુષ્ટ વચન બે છે, તે તારી જીભને જે કંઠમાગે ન ખેંચી લેવરાવું તે હું ચૌલુક્યની બહેન નહીં, એમ તે રાણી અભિમાનથી બેલી તે સાંભળી રાજાને બહુ ક્રોધ થયો અને તરતજ તેણે તેને ત્યાગ કર્યો. મોટા મંત્રીઓએ ના પાડી તેપણ દેવદ્વદેવી તત્કાલ ત્યાંથી નીકળી અપમાનથી ખિન્ન થયેલી દેવી હિમથી કરમાયેલીકમલિની જેમ શેકા Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કુમાપાળ ચત્રિ તુર થઈ પાટણનગરમાં આવી અને તેણીએ પેાતાના ખંધુને તે વૃત્તાંત નિવેદન કર્યું... ચૌલુક્યના કાપ પેાતાની નિંદા સાંભળી ચૌલુકયને બહુ ક્રાધ થયા અને તે ખેલ્યા. હું ભગિનિ ! તું વૃથા વિવાદ કરીશ નહી, થાડા દિવસમાં તારી પ્રતિજ્ઞા હું પૂર્ણ કરીશ. ત્યારબાદ અણ્ણરાજભૂપતિની સ્થિતિ જાણવા માટે કુમારપાળરાજાએ પેાતાના જીવિત એક સમાન મત્રીને માકલ્યા. તે મંત્રી શાક ંભરીનગરીમાં ગયા અને તે ધૂર્તની જેમ કોઈક જગેાએ એક ગુપ્ત ગૃહ રાખીને નિવૃતિપૂર્વક ત્યાં રહ્યો. પછી તેણે અણુ રાજનરેશનું વૃત્તાંત લણવા માટે તેની દાસીને બહુ ધન આપી પેાતાને ભાગવવા લાયક કરી. અહા ! બુદ્ધિમાન પુરુષોને આ દુનિયામાં કઇપણ અસાધ્ય હતુ નથી. આ મંત્રી તેણી ઉપર કૃત્રિમ પ્રેમ રાખતા અને વિરકતની માફક પ્રવૃત્તિ કરતા હતા. પર’તુ તે દાસી તેા પેાતાના પતિ તરીકે જ તેને માનતી હતી. કારણ કે સ્ત્રીઓની બુદ્ધિ કેટલી હાય ! ત્યાર બાદ તે દાસીને વિશ્વાસવાળી જાણી મંત્રી હુ મેશાં તેને એકાં તમાં રાજાની ખખર પૂછતે। અને તે દાસીપણુ સત્ય વાત કહેતી હતી. એક દિવસે રાત્રીએ આવતાં તે દાસીને ખડુવાર લાગી, તેથી મંત્રી કૂટી ચઢાવી તેને બહુ ઠપકો આપવા લાગ્યા, ૨! નિમાઁમે ! આટલી બધી રાત્રી ગઇ? તારા માટે વૃથા મારે જાગવુ પડે છે. તું ખીજે સ્થલે ભમે છે અને કેઇ દિવસ પણ સમય સર આવતી નથી. મને ધિક્કાર છેકે તારી ઉપર મેં પ્રેમની સ્થિરતા કરી. કોઈપણ સમયે વિજળીની અંદર શું સ્થિરતા હૈાય ખરી ! જે મૂઢબુદ્ધિ સ્ત્રીઓમાં પ્રીતિની સ્થિરતા માને છે, તે પુરુષ ખરેખર વિષવલ્લીઓમાં અમૃતની ઉત્પત્તિ જુએ છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ચરપ્રેષણ ૨૧૯ એ પ્રમાણે કૃત્રિમ ક્રોધના આવેશમાં આવેલા મંત્રીને વચન રસથી હૃદયમાં અત્યંત ભેદાયેલી હેય ને શું? તેમ પ્રસન્ન થયેલા તે દાસી બેલી. હે સ્વામિન! આપની ઉપર નિસ્નેહ નથી, તમારાથી બીજે કોઈ મને પ્રિય નથી, પરંતુ દાસત્વથી પ્રાપ્ત થયેલું પરવશપણું અહીં કેવલ અપરાધી છે. અહે ! સેવક જનોનું કેઈપણ અલોકિક ચાતુર્ય મને ભાસે છે. કારણ કે તેઓ પરાધીનતારૂપ નરકાવાસમાંથી સુખની ઈચ્છા કરે છે. પરંતુ આજે મારા વિલંબનું કારણ તું સાંભળ. જેથી તારે ક્રોધ પાણીથી અગ્નિની માફક જલદી શાંત થાય. હાલ હું સ્તંભની છાયામાં ઉભી હતી, ત્યારે વ્યાકુલ થયેલા અરાજ ભૂપતિએ વ્યાધ્રરાજ નામે ભટ્ટને બોલાવી એકાંતમાં સ્પષ્ટ રીતે કહ્યું. મારી સ્ત્રી હાસ્યથી ક્રાધાતુર છે અને વૈરિણીની માફક સ્વેચ્છા ચારિણી બનીને પિતાને બધું ચૌલુકયની પાસે મારું વિરૂદ્ધ કરવા માટે ગયેલી છે. માટે તેને મોકલેલે તે કુમારપાલ દાવાનલની માફક અહીં ન આવે તેટલામાં તું ત્યાં જઈને તેને મારી નાખ. | તારા વિના બીજે કોઈ પણ એને મારવાને સમર્થ નથી, કારણ કે મૃગેંદ્ર જ આવ્યાકુલપણે ગજેને મારી શકે છે. આ બાબતમાં હું તને ત્રણ લાખ સોનૈયા ઈનામ આપીશ. એ પ્રમાણે અર્ણોરાજનું વચન સાંભળી ભટ્ટ બો. જરૂર હું તેને મારીશ. તે સાંભળી રાજા બહુ ખુશી થયો અને તે જ વખતે મેરૂ શિખરની માફક તેટલા સોનૈયા મંગાવી તેને આપ્યા. રાજાએ ફરીથી તેને પૂછ્યું. તું એને કેવી રીતે મારીશ? સ્વર્ણ દાનથી પ્રસન્ન થયેલ ભટ્ટ બ. કુમારપાલરાજા સેમવારના દિવસે નક્કી કર્ણમેરૂ દેવાલયમાં શંકરના દર્શન માટે જાય Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કુમાપાળ ચરિત્ર છે, ત્યાં હું જટાધારી થઈ દેવશેષા આપવાના બહાનાથી કંકમયી છુરી વડે તેને યમરાજાના સ્થાનમાં મોકલીશ. તે ઉપાય સાંભળી રાજા બહુ ખુશી થયે અને બહુ સારૂ એમ કડી તને સુવર્ણ આપી તેજ વખતે વિદાય કર્યો. - હે પ્રિય ! આપને કહેવા માટે આ વૃત્તાંત સાંભળવા હું ત્યાં ઉભી રહી હતી. માટે મને અહીં આવતાં વિલંબ થયો છે. તેથી આપને ક્રોધ કરે નહીં. તે સાંભળી આજે શત્રની ખરી હકીક્ત મારા જાણવામાં આવી એમ સમજી તત્વ પ્રાપ્તિની માફક મંત્રી બહુ ખુશી થયે અને તે સમ. જે બાબત શાસ્ત્રમાં પણ સંભળાતી નથી અને જે લેકમાં પણ દેખાતી નથી, તે હકીક્ત સ્ત્રીઓ કલ્પ છે, બેલે છે અને સિદ્ધ પણ ત્યાર પછી તેણીના ચિત્તની સ્થિરતા માટે મંત્રીએ કહ્યું કે, આ સર્વ વાત તે જ કપેલી છે, એમ કેટલાંય વચનવડે તેને અસત્ય કરી. ચરપ્રેષણ ત્યારબાદ મંત્રીએ તેજ વખતે ચાર પિતાના હોંશીયાર ચરેને શ્રીકુમારપાળરાજા તરફ મોકલ્યા અને તેમની મારફત અરાજનું સર્વવૃત્તાંત જણાવી દીધું. કુમારપાલજા પણ તે ભદ્રને જાણવા માટે બહુ પરાક્રમી સુભટેને સાથે લઈ સોમવારે મેરૂગિરિસમાન ઉન્નત એવા કર્ણમેરૂમ દિરમાં ગયે. ને ત્યાં દર્શન કરી કુમારપાલ નરેશ સાવધાનપણે ઉભે હવે, તેટલામાં વ્યાઘ્ર સમાન નિર્દય એ વ્યાધ્રરાજ જટાધારી બની રાજાની પાસે આવ્યો. શેષા આપવાની ઈચ્છાથી જેટલામાં તે ભટ્ટ નજીકમાં આવ્યો કે તરત જ લખેલા સંકેતે વડે કુમારપાલરાજા તેને અભિપ્રાય સમજી ગયે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ચરપ્રેસર ૨૨૧ અને દૃષ્ટિવડે પ્રથમ સર્પત કરેલા મત્લા પાસે તેને ચારની માફક બધાવી તેની તપાસ કરતાં તેની પાસેની કકપત્રની છરી જોવામાં આવી. તેથી ભૂપતિને ઘણું! ગુસ્સા થયા અને તેને નિશ્ચય થયે કે આ દુષ્ટ જરૂર મને મારવા માટે જ આવેલા છે, છતાં પણ તેણે પ્રફુલ્લ વને પૂછ્યું. તુ કાણુ છે ? તું કેાનેા સેવક છે ? અને તને અહી' કણે મેકલ્યા છે ? રે ! અધમ ! તુ' જીવવાની ઇચ્છા રાખતા હાય તે! આ સવ સત્ય હકીકત જાહેર કર. તે સાંભળી વ્યાઘ્રરાજ બહુ ગભરાયા. સત્ય વૃત્તાંત તેણે નિવેદન કર્યું.. રાજાએ કહ્યું. દૂત ! હવે તું મરણને ભય રાખીશ નહી.. જીવ માત્ર કમ વડે ઉત્પન્ન થાય છે અને હુંમેશાં સેવક સ્વામીને આધીન હાય છે, માટે તુ' મારા અપરાધી નથી. જેમ લુકમથી પ્રેરાયેલા કોઈપણ માણસ સાધુ પુરુષને ઉપસ કરનાર થાય છે, તેમ તું પણ તારા સ્વામીના કહેવાથી મને મારવા માટે આવ્યેા છે. જેમ મુનિ મહારાજ ઉપસ` કરનારને છેડી દઈ કમને હશે. છે, તેમ હું પણ તને મુકત કરી હાલમાં તારા સ્વામીને મારીશ. એમ કહી મહાન પરાક્રમી શ્રીકુમારપાલરાજાએ વ્યાઘરાજને સુંદર એ વસ્ત્ર પહેરાવીને વિદાય કર્યાં. અહા ! ચાતુની સીમા હાતી નથી. પેાતાની બહેન દેવાદેવીની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે શ્રી ચૌલુકયપ્રયાણ કુમારપાલભૂપતિએ સૈનિકાના સમૂહ સાથે વાસુદેવ પ્રતિવાસુદેવ પ્રત્યે જેમ શત્રુ રાજા ઉપર ચઢાઈ કરી. Page #269 -------------------------------------------------------------------------- ________________ २२२ કુમાપાળ ચરિત્ર મહાન પરાક્રમી એવા મારી આગળ આ રંક શું કરવાના છે? એમ ધારી ક્રોધથી જેમ ભૂપતિએ સેનાના રજભર વડે શૂર (સૂર્ય) ને ઢાંકી દીધા. ભૂપતિની સેનાથી આકષ ણુ કરાયેલા અચલ-સ્થિર એવા પણ ભૂભુત્ પવ તા-રાજાએ ધ્રુજવા લાગ્યા, તેા ચલાયમાન શત્રએ નાશી જાય તેમાં આશ્ચય શું? તર'ગની માફક ચ ંચલ સુભટો વડે ઘેરાયેલા અને ભૂમિપર ચાલતા સૈન્યરૂપ સમુદ્રને જોઈ સવને ક્ષેાભ થયા. મામાં ચાલતાં દરેક ગામેાના મુખ્ય લાકો સેવાભક્તિ મહુ ઉત્તમ પ્રકારની કરતા હતા, તેનેા સ્વીકાર કરતે ભૂપતિ અનુક્રમે ચદ્રાવતી નગરીમાં ગયા. તે નગરીમાં વિક્રમસિ ંહ નામે ઠાકોર છે. તે બહુ તેજસ્વી અને મહારાજ એવા નામથી પ્રસિદ્ધ હતેા. વળી તે કુમારપાલરાજાના જ સેવક હતા. હ ંમેશાં રાજસેવા માટે વિક્રમસિ'હને પાટણમાં આવવા જવાને અહુ પ્રયાસ પડતા હતા. વળી તે પાતે બહુ સુકેામલ અંગવાળા હતા. તેથી તે બહુ કટાળેલા હતા. તેવામાં ત્યાં ગયેલા કુમારપાલને જોઈ વિક્રમસિહુને બહુ ક્રોધ થયા અને પેાતાના સામતાને ખેલાવી તેણે મસલત કરી. આ કુમારપાલરાજા પ્રથમ જટાધારી બની સમગ્ર પૃથ્વી પર ભીખ માગતા હતા, તે હાલમાં દૈવયેાગે આપણેા અધિપતિ થયે છે. મૂખની માફક તે વિશેષ કંઈ જાણતા નથી, મડદા સમાન કૃપણ છે, અર્હમન્યની માફક બુદ્ધિને બઠર છે. જેથી આ ભૂખ રાજા કોઈપશુ પ્રસંગે આપણને પૂછતા નથી. માટે એને નમવુ' પણ અનુચિત છે, તે સેવા કરવાની તા વાત જ દૂર રહી. કારણ કે શ્મશાનશૂલી ઇંદ્રસ્ત'ભની પૂજાને લાયક થાય નહી’. હમેશના આ ભિક્ષાચારો કયાં ? અને રાજપુત્ર આપણે કાં ? માટે આવા સ્વામીવડે આપણે લજવાઈએ છીએ. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ કોઈપણ પાષાણુની આગળ મસ્તક નમાવવું સારૂં, પણ કૃતઘ્ન અને મૂખ એવા આ પશુ આગળ નમન કરવુ. ઉચિત નથી. માટે જો મારૂ' કહેવુ', તમે માના તે આ મૂખને મારી તેના સ્થાનમાં કાઇ બીજા ચૌલુકયને સ્થાપન કરીએ. ચરપ્રેસર કાનમાં પ્રવેશ કરેલાં તેનાં વચનાને મસ્તક ધુણાવવાથી અરૂચિવડે દૂર કરતા હાય તેમ સામાએ વિક્રમસિંહને કહ્યુ હે સ્વામિ ! આવું શૈાચનીય વચન તમે કેમ ખેલે છે ? કારણ કે ચંદ્ર કોઈ દિવસ વિષવૃષ્ટિ કરે નહી.. આપના કુલમાં કોઈ દિવસ કેઈએ પણ પ્રથમ સ્વામી દ્રોહ ક નથી. હાલમાં તમે સ્વામી દ્રોહ કરશે તે જરૂર કુલને કલંક જરૂર દાયક થશે.. ગંગાના જલ સમાન પવિત્ર આપના સરખા નીતિમાન રાજાએ પણ કદાચિત સ્વામીદ્રોહ કરે તેા અધમ પુરુષાનુ' તેા કહેવુ' જ શું ? यस्माद् भस्मीभवति महिमा दाववहेरिव द्रु, चैन श्याम भवति च कुलं कज्जलेनेव वस्त्रम् 1 यस्योदर्कः प्रथयति मुनेः शापवत्तापमन्त वैरात्स्नेहादपि न कुतिभिस्तद्विधेयं विधेयम् ॥१॥ દાવાનલથી વૃક્ષની જેમ જેથી મહિમા ભસ્મ થાય, કાજલ વડે વજ્રની જેમ જે વડે કુલને કલંક લાગે અને મુનિના શ્રાપની માફક જેના પરિણામ અંતઃકરણમાં પીડા ઉત્પન્ન કરે, તેવુ` કા` બુદ્ધિમાન પુરુષોએ વૈરથી અથવા સ્નેહથી પણ કરવુ નહી. તેમજ જેવા તેવા પણ સ્વામી અને પિતાની સેવા કુલવાન પુરુષોએ કરવી જ જોઈએ, એમ વિદ્વાનાનું માનવું છે. આ રાજા ચૌલુકચ વંશમાં જન્મેલેા છે, એટલું જ નહી. પણ શ્રીસિદ્ધરાજના સ્થાનમાં બેઠેલા છે. માટે ગુણહીન હાય તેા પણુ દેવની માફક આપણે એમની સેવા કરવી જોઈએ. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કુમારપાળ ચરિત્ર કુલવાન પુરુષને પિતાના સ્વામીને ત્યાગ કરે, તે પણ ઉચિત નથી, તે તેને મારી શકાય કેવી રીતે? અહે ! મૂર્ખતાને પ્રકાશ કે હેય છે? અથવા ઈંદ્ર સમાન પરાક્રમી આ રાજાને કેવી રીતે માર? વળી અન્ય કઈ પણ રાજા મારી શકાતું નથી અને આ રાજા, તે રૌન્ય સાથે આવે છે, માટે જે તમે પિતાના કુલનું કલ્યાણ ઈચ્છતા હોવ તે પિતાના દ્રોહની માફક સ્વામી દ્રોહ કરશે નહીં. વિક્રમસિંહનું પરાક્રમ શત્રુઓને પરાજય કરનાર વિક્રમસિંહરાજા પોતાના સામતિએ કહેલાં વચન સાંભળી કોપાયમાન થયો અને તે બોલ્યો. તમે મરણને ભયથી દુષિત રાજાની પણ સ્તુતિ કરે છે. ભયને વશ થયેલા તમારા ભુજ સ્તંભને પણ ધિક્કાર છે. મહાન તેજસ્વી હું વિદ્યમાન છું. તમારે મરણની ભીતિ બીલકુલ રાખવી નહીં. ગજેની હાજરીમાં નાના હાથીઓને પરાજય થાય ખરો ? કપટકલાથી આ રાજાને હું સુખેથી મારી નાખીશ. જ્યાં આગળ બળ નિષ્ફળ થાય ત્યાં કપટને ઉપયોગ કરાય છે, પિતાના પરાક્રમથી અધિક પરાક્રમી સિંહાદિક પણ કપટથી હણાય છે; એની તે ગણતરી શી છે? કારણ કે જેની અંદર તૃણ સમાન પણ સાર નથી, મારા મકાનની અંદર અગ્નિના યંત્રવાળું એક ઘર તમે બનાવે. પછી તે ચૌલુક્યને અહીં બોલાવીને જમવા માટે તેમાં બેસારીશું. ત્યારપછી નીચેથી અગ્નિ સળગાવીશું. જેથી તે ઘર એકદમ સળગી ઉઠશે. એટલે તે રાજા કાષ્ટની જેમ બળી જશે. આ ઉપાયથી તેને નાશ કરી આપણા સ્વાધીન રહેનાર બીજા કઈ ચૌલુક્યવંશના ક્ષત્રિયને રાજ્ય ગાદીએ બેસારીને આપણે અદ્ભુત સુખ ભોગવીશું. Page #272 -------------------------------------------------------------------------- ________________ વિકમસિંહપરાક્રમ ૨૨૫ એ પ્રમાણે વિક્રમસિંહરાજાએ કહેલું વચન પથ્ય ન હતું છતાં પણ તે પિતાના સ્વામીને હુકમ પગની માફક સર્વ સામંતોએ માને કર્યો અને તેઓએ પોતાના હૃદયમાં વિચાર કર્યો કે, આ રાજા પિતાનું મકાન બળવે છે, તે ભાવિ વિપત્તિને સૂચવે છે. પરંતુ ભવિતવ્યતાને કઈ સમયે નાશ થતો નથી. એમ વિચાર કરી તેઓએ અગ્નિ યંત્રની ગોઠવણને જલદી પ્રારંભ કર્યો. - શ્રીવિક્રમસિંહ રાજાના મહેલની અંદર એકાંત સ્થલમાં નીચે અગ્નિ યંત્ર ગોઠ, જેની અંદર બળતે અગ્નિ સંપૂર્ણ ભરેલ છે. જેને ઉપરને ભાગ તેલથી ખરડેલાં કાટવડે બનાવેલ છે. તિલ, સર્ષવ અને લાક્ષાદિક ગુપ્ત દ્રવ્યો જેની અંદર પૂરેલાં છે, જે યંત્રગૃહ આકાશની માફક ચંદ્રોદય-ચંદ્રને ઉદય ચંદ્રવાઓથી સુશોભિત, તેમજ તારારૂપી મૌતિક માલાઓ વડે વિભૂષિત, ઉદ્યાનની માફક ઉત્તમ છાયા અને સુગંધમય પુ જેની અંદર ખીલી રહ્યાં છે. સુવાસિત પદાર્થોથી ભરેલી દુકાનની જેમ ફાર સુગંધિત વૈભથી અલંકૃત અને વિમાનની માફક તેજસ્વી એક પ્રાસાદ પિતાના આપ્ત પુરુષોએ બંધાવ્યું. શ્રીકુમારપાલ નિમંત્રણ | વિક્રમસિંહરાજા અગ્નિયંત્ર સહિત બંધાવેલું ઘર જોઈ બહુ ખુશી થયે અને કૃતાર્થની માફક પોતે કુમારપાલ રાજાને નિમંત્રણ કરવા ગયે. વિનયપૂર્વક તેણે પ્રાર્થના કરી કહ્યું, હે ભૂપાલ! મારા પ્રાચીન પુણ્યના પ્રભાવથી દેવેંદ્રની માફક આપ પિતે અહિં પધાર્યા છે. આજે આપ જે મારા ઘેર ભેજન કરવા પધારે તે હું મારા આત્માને પુણયશાલી લેકેમાં મુખ્ય માનું. મરૂદેશને વિશ્વાસ કરે નહીં.” એ પ્રમાણે લોકકિતને જાણતા કુમારપાલરાજાએ તેના આગ્રહને ભંગ કરી પિતાના પરિવારને તેના ત્યાં જમવા માટે મેક. ૧૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ २२६ કુમારપાળ ચરિત્ર વિકસિંહરાજાએ પણ બહુ ભક્તિપૂર્વક નરેંદ્રને પરિવાર જમાડે. પછી તે લોકો પ્રાસાદની શોભા જેવાની ઈચ્છાથી ચારે બાજુએ ફરવા લાગ્યા. તે મકાનના નીચેના ભાગમાં કોલસાએ ધગધગતા હતા અને વારંવાર તેમની સુગંધીને ગ્રહણ કરતે એક વૃદ્ધ પુરુષ ત્યાં બેઠેલો તેમના જેવામાં આવ્યું. આ સુગંધ કયાંથી ? અને આ વૃદ્ધ પુરુષ શા માટે સુંઘે છે? એમ વિચાર કરતા ગુજરદ્રના માણસોએ ત્યાં ચારેતરફ બરોબર તપાસ કરી, પિતાની હોંશીયારીથી તે લેકે સમજી ગયા કે અગ્નિના કપટથી આ ઘર બનાવ્યું છે. એમ જાણી તે લોકે સંબ્રાંતની માફક એકદમ રાજાની પાસે ગયા અને સર્વ હકીકત તેઓએ નિવેદન કરી, તે સમયે વિક્રમસિંહરાજાએ પણ ફરીથી શ્રીકુમાર પાલરાજાની પાસે જઈ ભેજન માટે વેવાઈની માફક બહુ પ્રાર્થના કરી. પિતાના માણસેના કહેવાથી ગૂજરંદ્ર તે પ્રથમથી જ તેના કપટની વાત જાણતું હતું, તેમજ તેના અતિ આગ્રહ અને નેત્રાદિકની ચેષ્ટા ઉપરથી પણ તેના મનને તેને નિશ્ચય થયો, છતાં અજાણતાની જેમ ગૂર્જરે ભજનના આગ્રહથી તેને નિવૃત્ત કરીને સત્કાર પૂર્વક વિદાય કર્યો. અને પોતે પણ પોતાનું કાર્ય સાધવા ત્યાંથી ચાલતે થે. અખંડિત પ્રયાણવડે માર્ગને ઓલંઘતો રાજા સંપત્તિઓના સ્થાનભૂત વિધિના દેશમાં ગયો. ગુજરેંદ્રના રસૈનિકોએ તે દેશની પાયમાલી કરી. જેથી દેશના લેકે એકદમ ભાગાભાગ કરી આમ તેમ નાચવા લાગ્યા. મહાન પરાક્રમી ગૂર્જરેશ્વર સવાલાખ દેશીય ગાનું આક્રમણ કરતે શાકંભરીનગરી પાસે મુકામ કરી રહ્યો. અર્ણરાજને સૂચના શ્રીકુમારપાલરાજાએ પિતાના પરાક્રમને પ્રકાશ કરનાર એક કાવ્ય બેલવામાં હોંશીયાર દૂતના હાથમાં આપી તને અરાજની પાસે મેકલ્યો. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ અર્ણોરાજને સૂચના તે કાવ્યનો ભાવાર્થ એ હતું કે “પ્રચંડ યમદંડની ઉગ્રતાને વહન કરતી, પ્રલયાગ્નિની જવાલાઓના ગર્વને હરણ કરતી, ઉગ્રવિષવાળા ભુજગેના પ્રચંડ ફૂકારને પરાજય કરતી અને વજની ક્રાંતિ સમાન તેજવી એવી જેના ભુજદંડની ખર્ચ ઉલૂખલ (ખાણીઆ)માં ડાંગરને મુશળ જેમ યુદ્ધની અંદર શત્રુઓને વળી જે ભૂપતિ દિગ્વિજયમાં ઉદ્યક્ત થાય છે, ત્યારે તેના ચાલતા સૈનિકેએ ઉડાડેલા ૨જકણે ઉન્નત એવા પણ રાજાઓ અથવા પર્વને ચૂડામણી સમાન થાય છે. પિતાની આજ્ઞાને પુત્રો જેમ હંમેશાં સેવામાં તત્પર રહેલા રાજાએ જેની આજ્ઞાને પિતાના મસ્તકે ધારણ કરે છે. તે શ્રીકુમાર પાલભૂપાલ પિતાની બહેનની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે અહીંયા આવ્યા છે અને તમારે લાયક આ એક કાવ્ય તેમણે મોકલ્યું છે. એમ કહી તેણે ભેટની માફક તે કાવ્ય રાજાને આપ્યું. પછી તેની આજ્ઞાથી તેના પ્રધાને તે કાવ્ય વાંચવા માંડ્યું કે–; रे रे भेक ! गलद्विवेक ! कटुक किं रारटीष्युत्कटो, गत्वैव क्वचनापि कूपकुहरे त्वौं तिष्ठ निर्जीववत् । सोऽय स्वमुखप्रसृत्वरविषज्वालाकरालो महान् , जिह्वालस्तव कालवत्कवलनाकांक्षी यदाजग्मिवान् ॥५॥ રે રે વિવેક હીન દર! ઉન્મત્ત બની તું કટુક વચન વારંવાર શા માટે બેલે છે? કોઈપણું કુવાની બખોલમાં જઈ તું મડદાની માફક પડશે રહે, કારણ કે પિતાના મુખમાંથી પ્રસરતી વિષજવાલા વડે ભયંકર અને કાળની માફક જીહાને પ્રસાર માટે આ સર્પ તને ગળવાની ઈચ્છાથી આવે છે.” Page #275 -------------------------------------------------------------------------- ________________ २२८ કુમારપાળ ચરિત્ર આ પ્રમાણે દૂતે કહેલું વાકય સાંભળીને કાવ્યના ભાવાર્થને વિચાર કરી અર્ણરાજ અવજ્ઞાવડે હસતે છતે તેને કહેવા લાગ્યા. રે દૂત! બંદીની માફક તે શું પિતાના નાયકની સ્તુતિ કરી? પુત્રની સ્તુતિવડે પિતાની જેમ સેવકની રતુતિવડે રાજા મેટો થાય નહીં. વળી તું જે કહે છે કે, મારો સ્વામી રણભૂમિમાં શત્રુઓને કણની માફક પિશી નાખે છે, તે તારું બોલવું બેટું છે. કારણકે તેણે દરિદ્રપણામાં દાણા દળ્યા હશે. વળી તેને પરાક્રમની અનેક પ્રકારે તું મિઠાસ્તુતિ કરે છે, છતાં પણ મેં જન્મથી આરંભી ભિક્ષુક્તા સિવાય તેનું કંઈ પણ અધિક પરાક્રમ સાંભળ્યું નથી. રે દૂત ! તારા સ્વામીને તે પૂજ્ય કહ્યો અને મને દેડકો કો, તારા દેશનું તે વાક્યાતુર્ય સારૂં બતાવ્યું. વળી એક વચન તે એગ્ય કહ્યું, પિતાની અંદર ભુજંગ પણું સ્થાપન કર્યું. નહીં તે બીજાને દુર્જન કરવાને તારી દ્વિજીહતા કયાંથી થાત? પરંતુ સંગ્રામની અંદર પિતાનું સર્પપણું તું બરાબર જાણીશ. અને અનન્ય પરાક્રમ વડે મારું દેડકાપણું અથવા ગરૂડપણું સારી રીતે તું સમજી શકીશ. એમ કહી ચાવડાના વંશરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અરાજે પ્રત્યુત્તર લખી એક કાવ્ય આપીને દૂતને વિદાય કર્યો. અર્ણોરાજપ્રયાણ ડૂતને વિદાય કરી તરત જ અર્ણોરાજે પિતાના સેનાપતિને આજ્ઞા કરી એટલે સેનાપતિએ શત્રુઓને સાક્ષાત વિન સમાન પિતાના રીને તૈયાર કર્યું. ચાલતા પર્વતે હેયને શું ? તેવા ઉન્નત ગજે દ્રો, ઇંદ્રના અશ્વ સમાન વેગવાળા ઘડાઓ, શૌર્યની મૂત્તિ સમાન ઉદ્ધત અંગવાળા પતિ-સૌનિકે સાથે આ ભૂપતિ પિતાના નગરમાંથી નીકળે, Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ - અરાજપ્રયાણ નભસ્તલને સ્પર્શ કરતી પતાકાઓ વડે આકાશનું પાન કરતા, સૈનિકે એ ઉડાડેલા ધૂળના સમૂહવડે સૂર્યને આચ્છાદન કરતે અને પગપાળાઓને પ્રચંડ શબ્દ વડે વિશ્વને બધિરિત કરતે હેાય તેમ અરાજનૃપતિ ચાલુકયના સૈન્યની નજીકમાં જઈ ઉભે રહો. તેટલામાં ડૂત પણ શત્રના કહેલા સમાચાર શ્રીકામારપાળરાજાને કહ્યા. અને તેણે આપેલું કાવ્ય પણ આપ્યું. પછી ભુપતિએ તે વાંચ્યું. रे रे सर्प ! विमुच्च दर्पमसम किं स्फारफुत्कारतो विश्व भीषयसे ? क्वचित्कुरु बिले स्थान चिरौं नन्दितुम् । नोचेत्प्रोढगरुत्स्फुरत्तरम द्वजाधूतपृथ्वीधर स्तायो भक्षयितु समेति झगिति त्वामेष विद्वेषवान ॥९॥ રે રે સર્પ! ઘણે ગર્વ તું કરીશ નહીં. સ્ફર ફૂતકારથી જગતને કેમ બીવરાવે છે? લાંબા વખત સુધી સુખની ઈચ્છા હોય તો તું કેઈ બિલમાં નિવાસ કર. નહીં તે બળવાન પાંખના અતિશય સ્કુરતા પવનવડે પર્વતેને કંપાવનાર મહાન શત્રુ આ ગરૂડ તારા ભક્ષણ માટે જલદી આવે છે.” કલ્પાંતકાલના પવનથી સમુદ્રનું જેમ જલ તેમ તે કાવ્ય સાંભળવાથી સર્વ સભા ક્ષેભાયમાન થઈ ગઈ. બંનેના રીન્યમાં પણ અહંકારી લોક સંગ્રામ કરવામાં ઉત્સાહ ધરાવતા પરસ્પર હસતા હતા અને સેગઠાબાજી વિગેરે કીડાઓ કરવા લાગ્યા. કેટલાક સુભટો નાળીયેરીનાં ફલ ખાવા લાગ્યા. કેટલાક મદ્યપાન કરતા હતા. કેટલાક મોની માફક વળગતા હતા. કેટલાક કસરત કરતા હતાં. કેટલાક ઘોડા ખેલાવતા હતા. કેટલાક હાથી ફરાવતા હતા અને Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કુમારપાળ ચરિત્ર કેટલાક સુભટા શસ્ત્રાને ઉત્તેજિત કરતા હતા. ત્યારપછી ચૌલુકયના સૌન્યમાં સવ ત્ર ઘણી તૈયારી જોઈ અણુ રાજ પેાતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા કે હાથીઆવડે ગજેન્દ્રની જેમ ઉદ્ઘત ભટાવડે વી’ટાયેલે આ ચૌલુકય રાજા અહી આવ્યે છે, યુદ્ધમાં એની આગળ હું' કેવી રીતે વિજય મેળવીશ. એમ વિચાર કરતાં તેને યાદ આવ્યું કે, જે ચારલટનામેકુમાર ચૌલુકયથી વિધિ કરી મારી પાસે આવ્યા હતા, તે તેના મના જાણનાર છે, માટે તેને પૂછવાથી તે તેની સર્વ હકીક્ત કહેશે, એમ વિચારી તરતજ તેણે ચારભટને પેાતાની પાસે એલાગ્યા. અને પૂછ્યું શત્રુનુ રહસ્ય તું બરાબર જાણે છે, માટે તેને જીતવાના ઉપાય તું કહે. ચારભટકુમાર ચારભટ વિનયપૂર્વક ખેલ્યા. હે દેવ ! હાલમાં કાઈ આપ્તપુરુષના મુખથી મે' સાંભળ્યુ' છે કે, ચૌલુકચ રાજા પ્રાયે કૃપણ અને કૃતજ્ઞ છે, તેથી તેના કેલ્હાર્દિક સામ તે વિકૃત થયા છે, તે તેમને સુવર્ણાર્દિક ધન આપી જલદી પેાતાના સ્વાધીન કરવા તમે યત્ન કરો. કારણ કે વશીકરણ વસ્તુઓમાં ઘન એ મુખ્ય છે, એમ કરવાથી પુત્રો જેમ પિતાને તજી દે છે, તેમ તે એકદમ ચૌલુકયનો ત્યાગ કરશે. જેથી તે નિષિ સની માફક શકિતહીન થઇ જશે. પેાતાના સામતાથી તજાયેલા આ રાજા ઘણું કરીને પલાયન થશે. અથવા ગવર્નીંથી યુદ્ધ કરશે તેા નપુસકની માફક મા જશે વળી વિશેષમાં તમારા પ્રસાદવડે ભગદત્તરાજાની માફક હું સંગ્રામમાં હાથીને ફેરવવાનું અને સિ ંહનાદ મૂકવાનું જાણુ છુ. માટે હાથીનું ભ્રમણ અને ગાઢ સિ'હુનાદવડે યુદ્ધમાં કુશલ એવા પણ ચોલુકયરૂપી હાથી દૂર નાશી જશે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ચારભટકુમાર ૨૩૧ હે પ્રભુ ! આ ઉપાયથી જરૂર તું શત્રુઓને જીતી કન્યાની માફક જય લક્ષમીને હસ્ત ગોચર કરીશ. એ પ્રમાણે ચારભટની યુકિત સહિત વાણી સાંભળી અરાજ ભૂપતિએ બહુ સારૂ, એમ કહી તેનાં બહુ વખાણ કર્યા. અણું રાજ ભૂપતિએ પોતાના હિતકારી અધિકારીઓને પુષ્કળ સુવર્ણ ધન આપી રાત્રીએ ચૌલુક્યના સામંત પાસે મેકલ્યા અને તેમણે કુમારપાળના સામંતને પુષ્કળ ધન આપી પોતાની તરફ ખેંચી લીધા. અતિભથી ભેદાયેલા સામંતેએ તે આપ્ત પુરુષની માસ્કૃત અરાજને પિતાને અભિપ્રાય જણાવ્યું કે, અમે બધાયે તમારા પક્ષમાં છીએ, તથાપિ યુદ્ધ સમયે તૈયાર થઈ પિતાના સૈન્યમાં અમે ઉભા રહીશું, પરંતુ તમારી સાથે યુદ્ધ કરીશું નહીં. જે કે કુમારપાળરાજા બહુ બલવાન છે, છતાં પણ અમારી ઉપેક્ષાથી સિંહ જેમ હાથીને તેમ તું એને સુખેથી હરાવીશ. શત્રુ રાજાના સામંતેનું મન તેવા પ્રકારનું જાણું અર્ણોરાજ મનમાં સમજી ગયે કે, હવે શત્રુને જીત મુશ્કેલ નથી. એમ વિચારમાં ને વિચારમાં રાત્રી ચાલી ગઈ. પ્રભાતમાં સૂર્ય પૂર્વાચલ પર આરૂઢ થયા. તેમજ વીરપુરુષોના હૃદયમાં યુદ્ધને ઉત્સાહ થયે. તે સમયે સરોવરમાં કમલે અને રણસંગ્રામમાં સુભટનાં મુખ પણ અસાધારણ શભા પાત્ર થયાં. આકાશમાં અને બંને રૌજેમાં સ્કુરણયમાન વરિરૂપ અંધકારના સમૂહને તિરસ્કાર કરવાની ઈચ્છાથી શૂર (સુભટો સૂર્ય) ને પ્રકાશ જામી ગયે. ગુજરેશ્વર શત્રુરાજાને મથન કરવાની ઈચ્છાથી ગૂર્જરેશ્વરે પિતાનું લશ્કર તૈયાર કર્યું. સૈનિકે બક્તર પહેરવા લાગ્યા. જેથી સર્વદિશાઓમાં Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર. કુમારપાળ ચરિત્ર અવ્યક્ત શબ્દ વ્યાપી ગયા. જેના સાંભળવાથી કાયર લેકે કંપવા લાગ્યા અને શુરવીરસૈનિકે આનંદ માનવા લાગ્યા. યુદ્ધનું નામ સાંભળવાથી પણ ધાઓનાં અંગ એટલાં બધાં પ્રફુલ્લ થયાં કે વિશાલ બતમાં પણ તેઓ કોઈ પ્રકારે માઈ શકયા નહીં. કેટલાક સુભટે પિતાના જીવનમાં પણ નિરપેક્ષ થઈ સમીપમાં રહેલાં બક્તરે મે પણ શરીરે પહેરતા નહોતા. વળી તે સમયે સુભટોની સ્ત્રીએ જળના ઘડા અને કરંભક વિગેરે ભાત લઈ પ્રીતિપૂર્વક પોતાના પતિની પાછળ જવા માટે તકાળ તૈયાર થઈ. ત્યારબાદ હાથીને ચલાવવાની ક્રિયામાં કુશલ શ્યામલ નામના મહાવતે તૈયાર કરેલા કલભપંચાનન નામે પટ્ટહસ્તી પર આરૂઢ થઈ શ્રીકુમારપાળરાજા યુદ્ધમાં તૈયાર થયા. આ સમયે તેમનું શરીર સમરાંગણને ઉચિત પષાકવડે દીપતું ધનુષ વિગેરે શોના સંગથી શરીરની કાંતિ બહુ પ્રકાશ આપતી હતી. મહાન, પરાક્રમી કેહણાદિક સામંતે જેની શાછળ તૈયાર થઈ નીકળ્યા. એ પ્રમાણે અર્જુનની માફક તૈયાર થઈ નીકળેલા શ્રીગૂર્જરેશ્વરવડે સમરાંગણ દીપવા લાગે. અરાજ પણ પિતાના પ્રબળ ભુજબલની પ્રભાવથી હાથીપર આરૂઢ થયો. તેની પાછળ ઘણા સૈનિકે નીકળી પડ્યા. રાજા પિતાના મનમાં જાણતા હતા કે, શત્રુ સામંતના ભેદથી મારી જીત થશે. તેથી તે દુર્યોધનની માફક ઉદ્ધત બની રણભુમિમાં નીકળ્યો. પ્રથમ રજ મંડળ, પછી વાજીના શબ્દ, ત્યારબાદ સૈનિકો એમ બંને સૈન્ય પરસ્પર એકઠાં થયાં. Page #280 -------------------------------------------------------------------------- ________________ ગુજરેશ્વર પરસ્પર યુદ્ધ કરવા માટે ઉદ્ધત થયેલા સુભટોને બોલાવતાં હોય ને શું ? તેમ બંને રમૈન્યમાં હજારો વા વાગવા લાગ્યાં. વળી તે વાજી ના નાદ સાંભળવાથી રોમાંચ સાથે ધાએ યુદ્ધમાં નીકળ્યા, એટલું જ નહી પરંતુ તેમના કેશ પણ ઉભા થયા. તે સમયે બંદીજને સુભટનાં પરાક્રમ વર્ણવવા લાગ્યા. તે સાંભળી કાયર સુભટનાં હૃદયમાં યુદ્ધને મહિમા દઢ થયે. બુભુક્ષિત લોકો જેમ ભોજનને સેમ પિતાને વીર માનતા સુભટો હુથને ઈષ્ટ એવી રણભુમી પામીને બહુ ખુશી થયા. મેઘમંડલસમાન થામ ધુળને સમૂહ વ્યાપ્ત થયે છતે પગે ચાલતા સુભટોના દપતા ખગેની કાંતિએ વીજળી સમાન દીપતી હતી. ત્યારબાદ બંને સૈન્યના મુખ્ય સૈનિકે પરસ્પર મળ્યા. પિતાનાં પરાક્રમ ફેલાવવા લાગ્યા અને યુદ્ધ માટે દોડવા લાગ્યા. ધનુષ અને શત્રુઓની જીવ (દેરી–પ્રાણ)ને ખેંચવામાં કુશળ એવા ધનુષધારી સુભટે બાણોની વૃષ્ટિવડે પિતાના ધનુર્વેદને પ્રગટ કરવા લાગ્યા. ભુપતિએ દૂર ફેકેલે બાણને સમૂહ શત્રુપક્ષમાં સાર્થક થયો. તે પણ લજજા વડે જેમ નીચે મુખે રહ્યો. દેદીપ્યમાન બાણરૂપી કીરણે શત્રરૂપ અંધકારને હરવા માટે ધનુષરૂપ સૂર્યમંડલમાંથી બહુ વેગપૂર્વક નીકળવા લાગ્યા | લોઢાના ભક્તો પર અથડાતા ખગેના આઘાતથી પર્વતના પ્રાંત ભાગમાં હાથીઓના દાંતની માફક વારંવાર ખકારા સંભળાવા લાગ્યા. તેમજ બંને સૈન્યમાં શકિત, યષ્ટિ, કુઠાર અને પશિ વિગેરે શસ્ત્રધારી પુરુષે હાથક્રિયાનું લાઘવપણું બતાવવા લાગ્યા. બહુ પરાક્રમી ૫દાતિ વર્ગ પણ ઉછળી ઉછળીને તેવી રીતે યુદ્ધમાં ચાલવા લાગ્યું કે, જેથી બંને પ્રકારે ઉચાઈ=પરાક્રમવડે અધવારે નીચા થઈ ગયા. સેનાના મધ્ય ભાગમાં યુદ્ધ કરવા પ્રેરાયેલે ઉત્તમ જાતિને અશ્વ શત્રુની તરવાર વડે પગ કપાઈ ગયા હતા, તે પણ તે પિતાના Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કુમારપાળ ચરિત્ર સ્વામીને યુદ્ધની બહાર લઈ ગયે. કેઈક સવારને અશ્વના પૃષ્ઠ સાથે શત્રુએ બાણથી વિધિ નાખે, જેથી તે મરી ગમે તે પણ તે ઘડા પરથી જીવતાની માફક નીચે પડશે નહીં. પેતાની ઉપર આરૂઢ થયેલા સુભટ પર પદાતિએ કરેલા તરવારના આઘાતને બચાવ કરતા ઉત્તમ જાતિના શ્રીવૃક્ષની (હૃદયમાં તરેમ વાળા) ઘેડાએ યુદ્ધમાં પિતાનું ઉંચાઈ પણું સાર્થક કર્યું. અર્ધ આકાશમાં ઘોડાઓને વારંવાર કુદાવતા સવારે નીચા છતાં પણું હાથી પર રહેલા સુભટને મારવા લાગ્યા. રણુભુમિમાં ઉતરેલે કઈક હાથી સુંઢથી સુભટને ઉપાડી ક્રોધવડે કંદુક (દડા)ની માફક ઉંચે ઉછાળીને યમ રાજને આપવાને જેમ દુર ફેંકવા લાગે. વા સમાન બને દાંત વડે પ્રહાર કરતા હાથીની સૂંઢ શત્રુની તરવાર વડે કપાઈ ગઈ છતાં પણ તે વિહત (હસ્ત વગરને વ્યગ્ર) થયે નહીં, એ મેટું આશ્ચર્ય થયું. યુદ્ધ કરવા માટે બંને હાથીએ એક બીજાની સુંઢ લડાવીને જ્યલકમીના પ્રવેશમાં તેરણ કરતા હોય તેમ બતા હતા. તેમજ તે હાથીઓ પાદના આઘાત વડે સુભટોને કમલખંડની માફક મર્દન કતા અને એક બીજાના સૈન્ય રૂપી સરોવરને ખોળવા લાગ્યા. યુદ્ધ કરતાં પરસ્પરનાં શો ખુટી ગયાં, ત્યારે મહાન પરાક્રમી કેટલાક સુભટે મલ્લની માફક ભુજના અવલંબથી યુદ્ધ કરવા લાગ્યા. શૌર્ય લકમીના આલિંગનથી કુંકુમ વડે રંગાયેલા હોય, તેમ શના પ્રહારથી નીકળતા રૂધિર વડે લાલ અંગવાળા સુભટો શેભતા હતા. પિતાના નશ્વર પ્રાણવડે ચિરસ્થાયી યશ પરીદીને કેટલાક સુભટોએ વાણિજય કલામાં હોંશીયારી મેળવી. કેટલાક સુભટએ આલોકમાં પિતાના સ્વામી પાસેથી માન અને અતુલ્ય યશ મેળવી એક શૌર્યવડે છેવટે મરીને સ્વર્ગલેક મેળવ્યું. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ગુજરેવર રણક્ષેત્રમાંથી ચાલતી રૂધિરની નદીઓ વૃષ્ટિવડે ધેવાયેલી ધાતુઓના રસથી મિશ્ર થયેલી પર્વતમાંથી નીકળતી નદીઓના ભ્રમ કરતી હતી. એ પ્રમાણે યમરાજાને તૃપ્ત કરનાર રણસંગ્રામ પ્રવૃત્ત થયે છતે અર્ણોરાજના સુભટોએ ચૌલુકયના સુભટને ચૂર્ણ કર્યા. શત્રુના સુભટોએ એકદમ પાછા હઠાવ્યા, જેથી ત્રાસ પામી શાસ્ત્રોના ઘાતથી જીર્ણ થયેલા ગૂર્જરેશ્વરના સુભટો ચૌલુકયક્ષિતિપતિના શરણે ગયા. પછી ગુર્જરેશ્વરે પિતાના સુભટને આશ્વાસન આપ્યું અને યુદ્ધ કરવા માટે કેહુણાદિક સર્વ સામતને પોતે પ્રેરણા કરી, શ્રી કુમારપાલે યુદ્ધની આજ્ઞા આપી છતાં તેમનાં મન ઉદાસ જાણી શ્યામલ નામે પિત ના મહાવતને પૂછ્યું કે, આ સામંત લોકે કેમ ઉદાસ દેખાય છે? સામે તેને વિચાર શ્યામલને જાણવામાં હતું, તેથી તેણે કહ્યું. હે રાજન ! આ લેકે પ્રથમથી જ તમારા ઉપર વિરક્ત હતા, જેથી તમારા વેરીએ આ લોકોને ગઈ રાત્રીએ પુષ્કળ સુવર્ણ ધન આપી પિતાના સ્વાધીન કર્યા છે. વળી એ તેમને સંકેત છે કે; તૈયાર થઈ યુદ્ધમાં ઉતરવું ખરું પણ શત્રુઓ સાથે લડાઈ કરવી નહીં. એ પ્રમાણે વિચાર કરી આ લેકે તમારે દ્રોહી થાય છે. તે સાંભળી ફરીથી રાજાએ પૂછયું, હે શ્યામલ ! હવે આપણે શું કરવું ? શ્યામલ છે. તમે, હું અને આ હાથી એ ત્રણ સ્થિર છીએ. રાજા બોલ્યા. હાથી અને તું પાછા નહીં પડે તે હું આ શત્રુને જીતેલે જાણું છું. આ હાથીને તું શત્રુના રૌખ્યમાં લઈ જા. એ પ્રમાણે ચૌલુકયે મહાવતને ઉત્સાહ આપે અને વિશેષમાં કહ્યું કે, સાહસિક પુરુષે ચલાવેલું હળ દૈવના મસ્તક પર પણ ચાલી શકે છે, એમાં કંઈ આશ્ચર્ય નથી. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કુમારપાળ ચરિત્ર શત્રુના સુભટે અગ્નિની જવાલા સમાન જળહળી રહ્યા છે, પરંતુ એને પરાજય થવાને હશે તે તે એની મેળે જ ભાગી જશે. એ પ્રમાણે ચૌલુક્યરાજાની વાણી સાંભળી કેઈક ચારણ અવસરેરિત વચન રાજા પ્રત્યે બે. હે કુમારપાલ! “તું કોઈ પ્રકારની ચિંતા કરીશ નહી, પિતાનું ચિંતવેલું સિદ્ધ થતું નથી, જેણે તને રાજ્ય આપ્યું છે, તેજ પુરુષ તારી ચિંતા કરશે.” શત્રુઓને પરાજ્ય કરવામાં બળવાન એવી તે ચારણની વાણીરૂપ શકુનને સ્વીકાર કરી ગૂર્જરેશ્વર હજારો સુભટોથી યુક્ત વૈરીઓ ઉપર ઉતરી પડ્યો. શત્રુઓના પ્રાણ સાથે ધનુષ ખેચ્યું અને પિતાના જયની આશા સાથે ધનુષપર બાણ ચઢાવ્યું. એકત્ર થયેલે દુરરીઓની પરંપરાઓને પણ મૃગલીઓની માફક વિરતા શ્રીગૂર્જરેશ્ચર બી પંકિતઓ પ્રવર્તાવી. ગુર્જરેશ્વર એવી રીતે બાણ મારે છે કે ગ્રહણ અને મેચનની ક્રિયા કેઈપણ જોઈ શકતા નથી અને ભયને લીધે તેઓ નહી વિંધાયેલા છતાં પણ પિતાને વિધાયેલા માનતા હતા. આ સામંતે શત્રુઓ સાથે મળેલા છે, એ પ્રમાણે તેમની માફક આપણી પણ આ લેકમાં નિંદા મા થાએ, એમ વિચાર કરી તિણું મુખવાળા સર્વે ચાલુક્યનાં બાણ શત્રુઓનાં હૃદય ભેદી બહાર નીકળી બહુ દૂર ગયાં. સર્વ અંગે લાગેલાં ચૌલુક્યનાં બાવડે પુરાઈ ગયેલા સુભટો વિરલક્ષમીના આલિંગનથી રોમાંચિત થયા હોય તેમ શોભતા હતા. સૈનિકોએ ઉડાડેલી ધૂળના સમૂહ વડે કલ્યાચેલા મેઘમંડલમાં ભૂપતિએ રચેલી બાણકિતઓ વૃષ્ટિની ધારા સમાન દેખાતી હતી. હસ્તપક (મહાવત)ના અભિપ્રાય મુજબ ચાલતે રાજકુંજર (હાથી), રાજાની સંમતિ પ્રમાણે યુદ્ધમાં હાથીને ચલાવતે મહાવત Page #284 -------------------------------------------------------------------------- ________________ ગુજરેવર ૨૩૭ અને જિંગાચર થયેલા શત્રુઓના ખણેાવડે સંહાર કરતા ભૂપતિ, એ ત્રણેને જોઇ કાને આશ્ચય ન થાય? વજસહિત દ'ડાનું ખંડન કરતા, સવાર સહિત ઘેાડાઓના નાશ કરતા, પ્રત્યંચા ( દેરી ) સહિત ધનુષને છેદત્તા, હાણુનાં ખકતર સહિત ભુજ દંડને હરણ કરતા, ખત્તર સહિત શરીરને બહુ રૂધિર વડે સ્નાન કરાવતા, ખતરમાં ગુપ્ત રહેલાં મસ્તકેાને પણ નીચે પાડા, દેહમાંથી મલને ખસેડતા અને હૃદયમાંથી જીવને દૂર કરતા, શ્રી ચૌલુકયરાજા શત્રુના રૌન્યાને દાણાની માફક પિષવા લાગ્યા. એ પ્રમાણે વૈરીમ`ડલને વાદળની માફક દૂર કરે છતે આગળ સ્કુતિમાં આવેલા સૂર્ય'ની માફ્ક અÌટરાજને ભૂપતિએ જોયે. બંને રાજાએ એક બીજાની અલૌકિક સ્મ્રુતિ જોઈ રામ અને રાવણની માફક બહુ વૈર માનવા લાગ્યા અને તેજ વખતે વૈરને સલ કરવાને જેમ મહાપરાક્રમી તે મ'ને જણે પોત પેાતાના માનવેને આજ્ઞા કરી કે, તરત જ તેઓ ગજે'દ્રોને ચલાવવા લાગ્યા. હવે અણુ[રાજ અને કુમારપાલ અને સાળા બનેવી થાય, એમ જાણી ઉપહાસની માફક ધવડે પરસ્પર ઉકિત પ્રત્યુકિત કરવા લાગ્યા. ह' हे श्याल ! तपस्विवत् स्वशिरसि क्षित्वा जटाः प्राक् त्वया, भिक्षित्वा प्रतिमन्दिर प्रतिपदं नंष्टवा च नीत जनुः । प्राप्त पुण्यवशेन राज्यमधुना निःस्वेन चिन्ताश्मवत्, भगिनीप्रेरणया कुतोऽद्य समरे व्यापद्यसे मत्करे ॥ १ ॥ ૯ ૨૨ શાળા ! પ્રથમ તૈં તપસ્વિની માફક મસ્તકે જટા ધારણ કરી ઘરે ઘરે ભિક્ષા માગી. દરેક સ્થળે નાશીને પેાતાને જન્મ ગાળ્યા છે અને હાલમાં નિધનને ચિંતામણી જેમ પુણ્યને લીધે તને રાજ્ય મળ્યું છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ કુમારપાળ ચરિત્ર છતાં હાલમાં તારી બહેનના કહેવાથી આ યુદ્ધમાં મારા હાથે મરવાને શા માટે તું તૈયાર થયું છે? તે સાંભળી કુમારપાળ બે भगिनीवल्लभ ! यज्जटादिधरण शक्तस्य वा वैभव, रामादेरिव तद्विधिर्वितनुते तत्तस्य नो दूषणम् । आजन्माऽपि पर त्वयाऽद्भुततमे राज्ये प्रवर्तिष्णुना, दुःसाधं किमु साधितं कथय मे यद् दर्पमुत्ससि ॥१॥ “હે ભગિની પતિ, પરાક્રમી પુરુષને જે જટાદિક ધારણ કરવું અથવા વૈભવ પામ તે દેવકૃત હોય છે. વળી તે રામચંદ્રાદિકની માફક શોભાપાત્ર ગણાય છે, દૂષણ ગણાતું નથી. પરંતુ જન્મથી આરંભીને આજ સુધી પણ ખરેખર અદ્દભુત રાજ્યમાં તે પ્રવૃત્તિ કરી છે, તે દુ:સાધ્ય એવું કાર્ય તે શું કર્યું? જેથી તું આટલો બધો ગર્વ કરે છે, એને જવાબ આપ.” અર્ણોરાજ છે. તે શ્યાલક ! સમર્થ શત્રુ રાજાઓને ભેદવામાં પ્રવીણ એવાં આ મારાં બાણ પ્રથમ ભિક્ષુક દશામાં રહેલા તારી ઉપર પડવા માટે લજજા પામે છે. અતિશય મદોન્મત્ત હસ્તીઓને સંહારવામાં પ્રસિદ્ધ મહિમાવાળા સિંહના નખ વેગ સહિત શિયાળીઓ ઉપર પડે ખરા? કુમારપાળે કહ્યું. હે ભગિનીપતિ ! તારા બાણવડે એક પણ શત્રુ રાજા હણાયો હોય તે વાત કઈ વખત મારો સાંભળવામાં આવી નથી. આવી બેટી બડાઈ તું શા માટે જાહેર કરે છે? એમ છતાં જે તારી મહત્તા સત્ય હશે, તો ગર્વિષ્ટ રાજાઓના પ્રાણ હરવામાં કુશળ, એવા મારા બાણને યુદ્ધમાં કઈ પણ રીતે તું રોકી શકીશ. ચૌલુકય તથા અરાજ ચૌલુક્ય તથા અરાજ, એ બંને રાજાઓએ પરસ્પર યુદ્ધની ઈચ્છા કરી, તેટલામાં તે બંનેના ગજે દ્રો દુર્મત્ત થઈ યુદ્ધ કરવા માટે દોડવા લાગ્યા. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ પ્રહાર કરવાની ઈચ્છાથી સન્મુખ આવતા ચૌલુકયના હાર્થીને ઇ ચારભટ નામના અર્થારાજના માવત પવનના ચક્રની માફક પેાતાના ગજેદ્રને અત્યંત ભમાવવા લાગ્યા અને પાતે અતિ મળવડે મૃગેંદ્રની માફક સિંહનાદ કરવા લાગ્યા, ચૌલુકય તથા અણુÎરાજ જેથી પવ તાની ગુહાએ ગર્જના કરવા લાગી, એટલુ જ નહી પણ સત્ય સિંહનાદની માફક ચારભટે કરેલા સિ'હુનાદે અન્ય હાથીએના મદ ઉતાર્યો. વળી તે સહુના સાંભળવાથી ઘેાડાએ બંધન તેડીને ત્રાસ પામવા લાગ્યા, સત્વહીન પુરુષો મૂકિત થઈ ગયા અને શૂરવીર પુરુષા કપવા લાગ્યા. અŕરાજના હાથીના ભ્રમણથી અને ચારભટે કરેલા સિ'હુનાદથી મહા બળવાન પણ ગુરેદ્રને હાથી ભયભીત થઈ પાછા વળ્યા. પછી ગુરેદ્રના માવતે શત્રુના હાથીને હણવા માટે બહુ જોસથી પ્રેરેલા હાથી ફરીથી સિંહનાદ સાંભળી પાછા પડયા. કુમારપાળ રાજાએ પેાતાના હાથીને પાછે પડતા જોઈ શ્યામલને કહ્યુ.. આ હાથી ચુદ્ધમાંથી વાર વાર કેમ પાછે પડે છે? શ્યામલ ખેલ્યા. હે દેવ ! ચારભટ નામે સુભટ પ્રથમ જે આપની પાસે હતા, તે હાલમાં આપને રાજ્ય મળવાથી રીસાઈને આપના ત્યાંથી નીકળી આ શત્રુને મળેલા છે. તે ચારભટ પેાતાના હાથીને ભમાવે છે અને વારંવાર સિંહૈ. નાદ કરે છે, તેથી આ હાથી યુદ્ધમાં કુશળ છે, તેા પણ મીકણુની માફક ભયને લીધે નાશી જાય છે. તેજ વખતે ભૂપતિએ પેાતાની બુદ્ધિથી શ્યામલની પાસે છરીથી વજ્ર ચીરીને હાથીના કાન પુરાવી દીધા. Page #287 -------------------------------------------------------------------------- ________________ २४० કુમારપાળ ચરિત્ર કાન પુરાવાથી સિંહનાદ તેને સાંભળવામાં આવ્યું નહીં એટલે તે હાથી શત્રુના હસ્તી પ્રત્યે નિર્ભય થઈ યુદ્ધ કરવા માટે દેડ. બંને હસ્તીઓ એક બીજાને પ્રહાર કરતા અને ચકની માફક વારંવાર ભ્રમણ કરવા લાગ્યા. સુંઢના અગ્ર વડે બહુ ક્રોધથી પરસ્પર પકડવાને દાવ શોધતા હતા, મદ્યપનથી અત્યંત ઉન્મત્ત થયેલા અને લાલ નેત્ર કરી તે બંને હાથીએ પિતૃ વરની જેમ યુદ્ધ કરવા લાગ્યા. એમ બંને હાથીઓને યુદ્ધ કરતા જોઈ બંને રાજાએ પણ ક્રોધથી બાણેની વૃષ્ટિ કરતા છતા ભારે યુદ્ધ કરવા લાગ્યા. અતિ ઉત્કટ એવા તે બંનેના સંગ્રામને કૌતુકથી જોતા કેટલાક સુભટે ચૌલુકય પક્ષના હતા અને કેટલાક અર્ણોરાજની તરફના હતા. વળી હું માનું છું કે, તેમનાં બાણ એટલાં બધાં અવર નવર પડતાં હતાં કે, જેમની અંદર શૂર પુરુષ પણ કપાવાના ભયને લીધે જેમ પિતાના હાથ લંબાવતા નહોતા. બહુ ધથી અખંડિત ધારાએ બાણ વૃષ્ટિને વિસ્તારના બંને રાજાઓના તણીર (ભાથાએ) વહુ બાણેને લીધે અક્ષય બાણવાળા થયા. પરસ્પર મૂકેલ અને મધ્ય ભાગમાં કમળનાલની માફક ખંડિત કરેલ બાણેને ઢગલે બંને હાથીઓની વચ્ચે હાથી પ્રમાણ થઈ ગયે હતે. ધનુષ પ્રત્યંચા (દેરી) અને બાણને વારંવાર છેદતા બંને રાજાઓ કર્ણ અને અર્જુનની માફક અધ્યક્ષ બની ચિરકાળ આશ્ચર્ય કરવા લાગ્યા. જુગારીઓ પાશાઓ વડે પાશાઓને તેમ તે બંને રાજાઓએ યચિત શાસ્ત્રાવડે અન્ય શાને છેદ કરી ઘણે સમય યુદ્ધ ક્રિડામાં વ્યતીત કર્યો. ત્યાર બાદ અરાજનાં અવડે નિર્ધનના મને રથની જેમ પિતાના અસ્ત્રો મધ્ય ભાગમાં કેરાયેલાં જોઈ ચૌલુકયને બહુ ધ થયે. જેથી તે સિંહની માફક હાથી ઉપરથી ફાળ મારીને વીજળીની જેમ શત્રુના હાથીપર પડયા. Page #288 -------------------------------------------------------------------------- ________________ ચૌલુક્ય તથા અર્ણોરાજ ૨૪૧ પછી તરત જ તેણે છરીવડે બાંધેલી દેરી કાપી નાખી અને શત્રુને પલાણ સહિત હાથી ઉપરથી નીચે ફેંકી દીધે. તેના સૈનિકે પણ જોઈ રહ્યા હતા, છતાં પણ તેની છાતી પર પગ મૂકી હાથમાં તરવાર કંપાવતે શ્રીકુમારપાળ બે. રે રે! મૂર્ખ ! દુષ્ટ વાચાલ! સેગઠાં બાજી રમતાં હાસ્યથી ગૃજરે મુંડિત છે, એમ જે જીભથી વારંવાર તું બેલતું હતું, તે તારી જીભને આ તરવાર વડે કંઠ માગે ખેંચી લઈ હાલમાં મારી બહેનની પ્રતિજ્ઞા હું પૂરણ કરીશ. એમ કહી શ્રીકુમારપાલરાજાએ શૌર્યવડે સ્કરણાયમાન યમ સમાન પિતે તેની જીભ ખેંચવા માટે શસ્ત્ર તૈયાર કર્યું. પૂર્વ કાલમાં મુરારિએ દુષ્ટબુદ્ધિવાળા કંસની જેમ કુમારપાળે લેઓના દેખતાં શત્રુને દબાવી દીધે. પિતાના સ્વામીની તેવી દુર્દશા જોતા છતા પણ તેના સુભટે કુમારપાળની સામા થયા નહીં, કારણ કે દરેકને મરણ ભય મેટો હોય છે. સિંહના ચરણથી દબાયેલા મૃગની માફક મૃત્યુના મુખમાં આવી પડેલે અર્ણોરાજ બેલ્ય. હે શરણ્ય ! મારું રક્ષણ કર, રક્ષણ કર, તેવી તેની અવસ્થા અને દીનવાણી વડે રાજાને દયા આવી. જેથી તેની છાતી પરથી પિતાને પગ ઉઠાવી લઈ તેણે કહ્યું. હે અર્ણોરાજ ! દયાવડે હું તને મુક્ત કરું છું, પરંતુ જીવતા છતાં તારે પોતાના દેશમાં જીભના આકર્ષણનું ચિહ્ન કંઠને વિષે ધારણ કરવું કે; આજ સુધી તારા દેશના લેકે મસ્તકે વસ્ત્ર બાંધતા હતા. અને હવેથી ડાબા જમણી બંને બાજુએ તેઓ જીભના આકારવાળા બંને છેડાઓ મૂકે તેમજ પાછળ પણ એક જીહાને છેડે લટકતો રહે. આ પ્રમાણે મારા હુકમથી તારે પ્રવૃત્તિ કરવી. જેથી આ દુનિયામાં મારી બહેનની પ્રતિજ્ઞા પૂર્ણ થવાની પ્રસિદ્ધિ થાય. અરાજે તે પ્રમાણે કુમારપાલનનું વચન માન્ય કર્યું. “ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ કુમારપાળ ચરિત્ર પછી ભૂપતિએ અરજને કાષ્ટના પાંજરામાં પૂરી પિતાના સન્યની વચ્ચે લવરા. તે સમયે કુમારપાલના સૈન્યમાં હૃદયને આનંદ આપનાર જયધ્વનિ થે. વાઈના નાદ થવા લાગ્યા. જેમના સાંભળવાથી વરીઓના કાન બહુ પીડાવા લાગ્યા. તેમજ તે ચૌલુક્યનું સૈન્ય જોઈ કેહણાદિક સામતે લજજા પામ્યા અને ભયને લીધે કંપવા લાગ્યા, એમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે, સ્વામી હિઓના હૃદયમાં ભીતિ રહ્યા કરે છે. પરંતુ કુમારપાલે મસ્તક કાપવા તૈયાર થયેલા એવા પણ તે સામંતને ઠપકે આપે નહીં, કારણ કે તેવા સજજન પુરુ મહાસાગરની માફક ગંભીર હોય છે. ત્રણ રાત્રી સુધી પિતાનાં સૈન્યમાં અર્ણોરાજને રાખે, પછી વસ્ત્રાદિક અલંકાર પહેરાવી રાજ્ય આપી પિતાને બનેવી જાણ કુમાર પાલે તેને વિદાય કર્યો. તે પણ પિતાના સ્થાનમાં ગયે. જીવતે મરેલાની માફક હૃદયમાં બહુ પીડાને ધારણ કરેતો તે વિચાર કરવા લાગે. અહો ! હાસ્ય કરવાથી કે દુઃખસાગર મને પ્રાપ્ત થયે. જેની અંદર જીવિત, વંશ અને રાજ્ય એ સર્વે લોઢાની માફક ડૂબી જાય છે. વળી લેકે કહે છે કે, હાસ્ય કરવું તે અધુર ગણાય છે. એ વાકય સર્વથા અસત્ય છે. કારણકે પરિણામે મૃત્યુ થવાથી હાસ્ય એજ સંપૂર્ણ વૈર છે. અથવા હાસ્ય કરવાથી શું? આ દુઃખ માત્ર મારી સ્ત્રીએ જ હોય છે. ખરેખર હું માનું છું કે, દુઃખરૂપી ઝાડનું મૂલ સ્ત્રીઓ જ હોય છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ચૌલુક્ય તથા અરાજ અનર્થનું મૂળ કારણ, સંસારદ્વારને ઉઘાડવાની કુંચી, કજીઆનું સ્થાનનું સ્થાન અને વિપત્તિઓને ભંડાર એવી સ્ત્રી જાતિને ધિકાર છે.” “લંકા અને કુરૂદેશમાં કરેડે પરાક્રમી સુભટોને નાશ થવાથી રામાયણ અને મહાભારત થયું. તેનું પણ મૂળ કારણ સ્ત્રીઓ જ હતી” રાક્ષસી સમાન તે સ્ત્રીઓ વડે તેવા રાવણાદિક ઉત્તમ પુરુષે પણ ક્ષય પામ્યા, હું તે જીવતો રહ્યો છું, તે કંઈક સારું થયું. ત્યારબાદ અર્ણોરાજ હમેશાં શ્રીકુમારપાલની આજ્ઞામાં રહી રાજ્ય કરવા લાગ્યો. કારણકે દૈવની આગળ કેઈની સત્તા ચાલતી નથી. પછી શ્રી કુમારપાળરાજા ત્યાંથી કૃતાર્થ થઈ પાછા વળ્યા. મેડત સ્થાનને માર્ગમાં પિતાના પરાક્રમવડે સ્વાધીન કર્યું. તેમજ પલ્લીકોટને સૈનિકે પાસે કબજે કરા. પછી રાજાએ દરેક ઠેકાણે એકઠા થયેલા પુણ્યની માફક ચૈત્યોને જોઈ પિતાના મંત્રી વાગભટને પૂછયું. માલવદેશના રાજાએ દુર્જન પુરુષે જેમ પિતાના સત્કર્મોને તેમ પિતાની કીર્તિ માટે ચૈત્યોને પાડી નાખે છે. પિતૃના નાશની માફક આ કામ કરવું તેમને ઉચિત નથી, આ દેશમાં ધર્મની જાગૃતી માટે હવે શું કરવું ? વાગૂભટ વિચાર કરી છે. હે દેવ ! પુણ્ય રાશિની પુષ્ટિ માટે તિલ પીલવાના યંત્રે સૈનિકે પાસે ભાગી નંખાવે. આ પ્રમાણે મંત્રીને અભિપ્રાય સ્વીકારી રૌનિકોને આજ્ઞા કરી કે, તેઓએ મૂર્તિમાન પાતકની માફક સર્વ તિલયંત્રો ચુરી નાખ્યા. - ત્યાર બાદ શ્રી કુમારપાળરાજા ચંદ્રાવતી નગરીમાં આવ્યા ત્યાં પૂર્વની જેમ અગ્નિયંત્ર તૈયાર કરાવી દુષ્ટબુદ્ધિ વિક્રમસિંહ રાજા કુમારપાલની પાસે આવ્યો અને પિતાને ત્યાં ભેજન માટે તેણે બહુ બાગ્રહ કર્યો. રાજા મનમાં સમજી ગયો. આ વિક્રમસિંહ બહુ દુષ્ટ છે, કારણ કે બુદ્ધિમાન પુરુષે અન્યને આશય જાણી જાય છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ २४४ કુમારપાળ ચરિત્ર પછી અગ્નિ યંત્ર કુમારપાલના જોવામાં આવ્યું, તેથી તેણે મલ્લો પાસે વિક્રમસિંહને બંધાવી તેનું કપટ જાહેર કર્યું અને તેનું મકાન બાળી નંખાવ્યું. ત્યારબાદ ગુર્જરેશ્વરે મલ્લેની પાસે તેના અંગ સાંધામાંથી ઉતારીને આસ્તરણ વિનાના ગાડામાં બેસારી પોતાની સાથે તેને ચલાવ્યો. ગાડામાં બેઠેલો તે વિક્રમસિંહ નીચા ઉંચા માર્ગમાં ગાડાના ધબકારાથી આમ તેમ માથુ ભટકાવાને લીધે બહુ દુઃખી થયે અને બહુ પિકાર લાગે, જેથી હું માનું છું કે, પિતાની દુર્દશા જાઈ તે પિતાના સેવકને શિખામણ આપતે. હતો કે, કેઈએ સવામી દ્રહ કરે નહીં. વળી તે પિતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે મારી દુર્બુદ્ધિને ધિક્કાર છે, કારણ કે મારા માણસેએ મને બહુ વાયે, છતાં પણ મેં પિતાના અનર્થની જેમ સ્વામીદ્રોહ કાર્યો રૂપી વૃક્ષનું આ દુઃખરૂપી પુષ્પ મળ્યું છે. હવે એનું ફલ શું મળશે, હું જાણતું નથી. એ પ્રમાણે વિચાર કરતે દુ:ખથી પીડાતા અને કાંતિહીન થયેલે તે રાજા રૂદન કરતે હતે. આ લેકમાં પણ તીવ્ર પાપથી પ્રગટ થયેલા નારકીની પીડાને અનુભવ કરતે હેય તેમ તે દુઃખી થયે. તેમજ તેની દુર્દશા જોઈ કેટલાક સુભટને દયા આવી, તેથી તેમણે કુમારપાલને વિનતિ કરી તેમની આજ્ઞાથી તેની નીચે ઘાસની પથારી કરી આપી. રાજધાની પ્રવેશ અનુક્રમે ગુર્જરેશ્વર શ્રીકુમારપાલરાજા મહત્સવપૂર્વક પાટનગરમાં ગયા. હે ભગિનિ ! તારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી, એમ કહી તેણે પિતાની બહેનને પ્રસન્ન કરી. તે સાંભળી દેવ@દેવી કૃતાર્થની માફક બહુ ખુશી થઈ અને પિતાના બંધુને મને હર અનેક આશીર્વાદ વડે સંતુષ્ટ કર્યો. Page #292 -------------------------------------------------------------------------- ________________ રાજધાનીપ્રવેશ ૨૪૫ પછી કુમારપાલે પેાતાની બેનને સાસરે જવાનુ કહ્યુ પણ અ અભિમાનને લીધે તે ત્યાં ગઇ નહીં, પર ંતુ તપશ્ચર્યા કરતી તે પેાતાના બંધુ પાસે જ રહી. ત્યારખાદ સભામાં બેઠેલા કુમારપાલે વિક્રમસિ’હને પેાતાની પાસે એલાન્ચે. મલ્લ્લા પાસે તેનાં અંગ ચઢાવીને સાજા કરાવ્યાં. પછી સામ તલાકને સાંભળતાં તેણે પૂછ્યું. ૨ દુ શિરેામણ ! તું સાચું એલ ? અગ્નિયંત્રથી રાજાઓને મારવા અને સામ તેને ન મારવા એવી શિખામણ તને કયા હિતેચ્છુએ આપી હતી. તારા બનાવેલા તે અગ્નિયંત્રમાં પશુની માફક કુટુંખ સહિત તને જો હૈામુ તા તારૂ શું થાત ? એ પ્રમાણે તને બહુ ધિક્કારી કુમારપાલે ક્રાધથી નરકાવાસની માફ્ક કલેશમય કારાગૃહમાં નાખી દીધા અને રામદેવનાપુત્ર યશેાધવલ નામે તેના ભત્રીજાને ચંદ્રાવતી નગરીના અધિપતિ કચે. બાદ નિગ્રહું કરવા લાયક કેલ્હેણાદિક સામ`તેના યથાચેાગ્ય નિગ્રહ કરી પાતે અશ્વય રૂપ કમલ-કમલા-લક્ષ્મીના પુષ્પ ધય-ભ્રમરની માફક અનુભવ કરવા લાગ્યા. મલ્લિકાર્જુન ભટ એક દિવસ શ્રીકુમારપાલરાજા સભામાં બેઠા હતા, તેવામાં ત્યાં કાકણ દેશના અધિપતિ મહ્લિકાર્જુન નામે રાજાને ભટ આવ્યો. અનેક વાક્પતિ-ગૃહપતિ=બુદ્ધિમાન્ પુરુષા જેની અંદર બેઠેલા એવી સભાને જોઇ તે ભટના મનમાં આશ્ચય થયું કે, આ સભાની આગળ સ્વર્ગસ્થાન પણ નિરક છે. પછી ભટ્ટે આશીર્વાદ આપ્યા. રાજા તેની પર પ્રસન્ન થયા. પેાતાની આગળ ભટને બેસાર્યાં, ભૂપતિએ પૂછ્યું. તુ કાણુ છે ? અને કેની પાસે રહે છે? ભટ્ટ ખેલ્યા. भकृत्वा प्रौढकलानिलापतिवरान् दुर्वारदेाविक्रमैं रात्मीयान् विरचटच चानवरत तान् पालयन् पौत्रवत् । धत्ते ' राजपितामहे ' ति बिरुद यो विश्वविश्रुत ं " सोऽयं राजति मल्लिकार्जुननृपः कोदण्डविद्यार्जुनः ॥ १ ॥ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કુમારપાળ ચત્રિ દુઃખે વારી શકાય તેવા ભુજાડના પરાક્રમ વડે પ્રૌઢ કલાવાન રાજાઓને જીતી પેાતાને તાબે કરી હુંમેશાં પૌત્રની માફક તેમનુ પાલન કરતા અને સવ જગતમાં પ્રસિદ્ધ રાજપિતામહુ’ એવા બિરૂદને જે ધારણ કરે છે, તે સુપ્રસિદ્ધ મલ્લિકાર્જીનરાજા વિરાજે છે. ,, વળી તે ધનુષવિદ્યામાં અર્જુનસમાન શાભે છે. હે દેવ ! તે નરેદ્રના હુ ભટ્ટ છું અને ભટ્ટ લેકેએ ગવાયેલી, સવ ત્ર વ્યાપક અને સુપ્રસિદ્ધ આપની કીતિ સાંભળી હુ· અહીં આન્યા છે. મલ્લિકાર્જુનરાજાનું મોટું બિરૂદ સાંભળી શ્રીકુમારપાલરાજ શ્રુત ( ધી )થી તૃપ્ત થયેલા અગ્નિની જેમ ક્રોધથી ખળવા લાગ્યા. તેના બિરૂદના નાશ કરવામાટે ભૂપતિએ સભા તરફ દષ્ટિ કરી એટલે તરતજ ઉદયનમંત્રીના પુત્રે આમ્રભરે હાથ જોડવા. તે જોઈ રાજાને આશ્ચય થયુ, રાજાએ તેને એકાંતમાં ખેલાવીને અંજલિનું કારણ પૂછ્યું. આમ્રભ૮ મેલ્યે. હે દેવ ! આપે તેનુ બિરૂદ સાંભળી સભા તરફ ષ્ટિ કરી કે; જે એને મારે તેવા કોઇપણ સુભટ છે ? એવા તમારા અભિપ્રાય જાણી આપની આજ્ઞામાં તૈયાર થઇ મે તે બીડ્ડ' લેવા માટે આપની આગળ હાથ જોડવા. પેાતાના અભિપ્રાય જાણવાથી ભૂપતિને ઘણા ચમત્કાર થયા અને પેાતાના ચિત્તને જાણનાર આભટની તેણે પ્રશંસા કરી. ખરેખર આ જગતમાં ગુણવાનની કોઇ સ્તુતિ ન કરે? તે જ વખતે ભૂપતિએ અદ્ભુત પ્રકારનાં છત્રાદિક રાજચિન્હ આમ્રભરને આપ્યાં અને તેને રાજા તરીકે કર્યાં, કારણ કે તુષ્ટ થયેલે અધિપતિ કલ્પવૃક્ષની તુલના કરે છે. દુર્વાર સૈન્ય ચક્ર આપી. મલ્લિકાજુ નને જીતવા માટે ચક્રવતિ ના ચક્રની જેમ આમ્રભટને ભૂપતિએ મેકલ્યે. Page #294 -------------------------------------------------------------------------- ________________ મલ્લિકાનું નભટ્ટ ૨૪૭ નદીનું પૂર જેમ વૃક્ષાને તેમ અનમ્રને ભાગતા અને નમ્રનું પાલન કરતા આમ્રભટ કલાપિનીનામે નદી ઉતરીને કેકણ દેશની નજીકમાં ગયા. ત્યાં તેણે વિશાળ પેાતાના સૈન્યના પડાવ કર્યાં અને એક હોંશિયાર દૂતને મલિકા નરાજા પાસે માકલ્યા. સપત્તિઓની વિશ્રાંતિ સમાન તેના સ્થાનમાં જઈને તે દૂતે માલતી તથા શ્વેતસુવણુ સમાન કીતિને ધારણ કરનાર મલ્લિકાજુ ન નરેદ્રને પ્રણામ કર્યાં. પ્રસન્ન નેત્રોવડે રાજાએ તેને સત્કાર કર્યાં. પછી તેણે પૂછ્યું. તું કોણ છે ? તે ક્રૂતે જવાબ આપ્યા;— न हस्त्यादि सैन्य ं, न निशिततमः शस्त्रनिवहो, न लौहः संनाहो-न गुमरुणिमत्रौषधिबलम् । यदुप्रासेखातु, सहमिति विहायेतदखिलं, तृण वकत्रेष्वेक ं दधति रिपवस्त्राणनिपुणम् ॥ १ ॥ , “ હાથી વિગેરે સૈન્ય, તીક્ષ્ણધારવાળાં શસ્ત્રો, લાખડનાં અકતર, તથા મેાટા મણિ, મંત્ર અને ઔષધિનું ખલ જેના ઉગ્રખઙ્ગથી રક્ષણ કરવા માટે સમથ નથી, એમ જાણી એ સવના ત્યાગ કરી શત્રુએ પેાતાનું રક્ષણ કરવા સમર્થ એવા એક તૃણ-ઘાસને સુખની અંદર ધારણ કરે છે. ' તેમજ શત્રુરૂપી વંશ (વાંસડાઓ)ને ખાળતા જેના પ્રતાપરૂપી દાવાનળ તેમની સ્ત્રીઓના અશ્રુપ્રવાહ વડે કોઈ વખત શાંત થાય છે. તે શ્રીકુમારપાલરાજા સભામાં બેઠા હતા, ત્યારે કોઈક માગધના મુખથી ‘રાજપિતામહ' એવુ તારૂ' બિરૂદ તેમના સાંભળવામાં આવ્યું. મેઘના મોટા ગારવને જેમ સિહુ તેમ તે બિરૂદને નહી સહન કરતા ગુરૂદ્ર યમની માફક તારી ઉપર કે।પાયમાન થયા છે અને તે ભૂપતિએ તેજ વખતે ણુની માફક તને પિસવાને શ્રીમાન્ આમ્રભટને રાજા બનાવી હાલમાં અહીં મેકલેલેા છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ २४८ કુમારપાળ ચરિત્ર સૌ વડે સાગરસમાન તે આમ્રભટ તમારા સીમાડામાં ઉતર્યા છે, તે બહુ ન્યાયવાન છે. તેથી તમારા હિતને માટે તેમણે મને મેક છે. યમરાજાની રાજધાની જવાની ઈરછા ન હોય તે તું પિતાના બિરૂદને ત્યાગ કરી શ્રી કુમારપાલરાજાની સેવા કર ગર્વને ત્યાગ કર. દેવની આજ્ઞા સમાન તેમની આજ્ઞાને તું મસ્તકે ધારણ કર તેમજ દરેક વર્ષે દંડ આપ. નહિ તે શત્રઓને ચૂરવામાં દીક્ષિત થયેલ તે આઝભટ કાષ્ટને અગ્નિ જેમ કુલ સહિત તને બાળી નાખશે. મારૂં કહ્યું માનીશ, તે તું લાંબે વખત જીવતા રહીશ, નહીં તે ગર્વવડે રાવણની માફક તું જલદી મરી જઈશ. એ પ્રમાણે દૂતનું વચન સાંભળી બહુ પ્રતાપી મલ્લિકાર્જુન રાજા પિતાના હૃદયમાં બળતા કપરૂપી અગ્નિની વાળા સમાન વચને બોલવા લાગે. રે દૂત! મારા બિરુદને અસત્ય કરવા માટે ઈંદ્ર પણ સમર્થ નથી, તે આ કુમારપાળ કેણ? તેમજ વળી રંક એ આદ્મભટ કેણ છે? શિયાળીઆના શબ્દો વડે ત્રાસ પામતે કેસરી પિતાના પરાક્રમથી મેળવેલું “મૃદ્ર એ પ્રકારનું પિતાનું નામ છોડે ખરો? વળી આ તારે સ્વામી જે મારી પાસેથી લેવાની ઈચ્છા રાખે છે, તે તુષાગ્નિના ગવડે ઠંડકની ઈચ્છા કરે છે. તેમજ આ તારે આમભટ દંડ લેવા અહીં આવ્યું છે, પરંતુ હું તેને સંગ્રામ આપવાને તૈયાર છું. મને જોઈ લે, એ પ્રમાણે દૂતને ધિક્કારી તત્કાલ તેણે તેને વિદાય કર્યો. પછી મલ્લિકાર્જુનરાજાએ પોતાના સમગ્ર રૌ ને તૈયાર કરી પ્રયાણ કર્યું. તેના રસૈનિકોએ આક્રમણ કરેલી પૃથ્વી અત્યંત પીડાયેલી સતી ધૂળના મિષવડે નાશીને આકાશને આશ્રય લેતી હોય ને શું? તેમ Page #296 -------------------------------------------------------------------------- ________________ આદ્મભટને વિજય ૨૪૯ તે રાજા પિતાના નગરમાંથી નીકળી આઝભટના રોન્યની નજીકમાં જઈ રીન્યને પડાવ કરી ત્યાં રહ્યો. આભટને વિજય ચૌલુક્યના દૂતે પણ આમ્રભરના આગળ આવી મલ્લિકાર્જુનનાં -સર્વ વચન નિવેદન કર્યા. પ્રભાતકાળમાં ઉદ્ધત સુભટરૂપી તરંગોથી વ્યાપ્ત પૂર્વ અને પશ્ચિમ દિશાના સમુદ્ર સમાન તે બંનેરો યુદ્ધ માટે રણભૂમિમાં આવ્યા. તેમજ તે સમયે પ્રૌઢ ગજે પર બેઠેલા, વિવિધ પ્રકારના શવડે ભયંકર, હૃદયમાં ધર્યરૂપ અને બહારથી લેહમય કવચને વહન કરતા શ્રી આમ્રભર તથા શ્રી મલ્લિકાર્જુન રાજા બંને જણ ઉત્કટ પરાક્રમશાલી શરભ (સિંહવિશેષ)ની માફક એક બીજાની સન્મુખ થયા. યુદ્ધને ઉચિત અને વાણીથી ન કહી શકાય તેવી શરીરની આકૃતિ જોઈ તેઓ બંને હૃદયમાં ક્ષણમાત્ર પરસ્પર આશ્ચર્ય પામ્યા. આશ્રમટ બો. હે રાજન ! આ સુભટને લડાવીને મનુષ્યકીટોને વિનાશ વ્યર્થ શામાટે કરે જોઈએ? રાજપિતામહ” એ બિરૂદ તે પિતે જ મેળવેલું છે, માટે હાલમાં તારું પરાક્રમ જોવાની હું ઈચ્છા રાખું છું. ચાલો આપણે બંને યુદ્ધ કરીએ અને આ સર્વે સૈનિકે આપણા બંનેનું પરાક્રમ, હાલમાં જાણી શકે. તે સાંભળી મલ્લિકાર્જુન બોલ્યો. હે મહા સુભટ! બહુ સારૂં, બહુ સારૂ. એમ તેની પ્રશંસા કરી અને વિશેષમાં તેણે કહ્યું કે, આ તારા દઢ વૈર્યવડે હું બહુ ખુશી થયે છું. તને અવશ્ય પ્રચંડ મારૂં ભુજબળ બતાવું. પરંતુ તું વાણીઓ છે, માટે તેને મારવાને ફુરણાયમાન આ -ભુજાબળ લજજા પામે છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ કુમારપાળ ચરિત્ર વળી પૃથ્વીને ભંગ કરવામાં શક્તિવાળા પર્વતની પણ પાંખેને જે વા પાષાણુના ટુકડાને તેડવા માટે ઉત્સાહ ધરાવે ખરો? તે સાંભળી ફરીથી આમૃભટ બેલ્ય. ક્ષત્રિયપુત્ર શુરવીર હોય અને વણિપુત્ર ન હોય તે તારું માનવું અસત્ય છે કેઈક ક્ષત્રીય ઘાસ કાપવામાં પણ અશક્ત હોય છે અને કેઈક વણિક પણ પર્વત ભેદવામાં વજની માફક મહા પરાક્રમી હોય છે. જ્યાં સુધી શૌર્યરૂપી સુવર્ણને કસોટી સમાન યુદ્ધ થાય નહીં, ત્યાં સુધી માત્ર બેલવાથી ક્ષત્રિયતા અને વણિકપણું જણાતું નથી. નપુંસકની માફક અતિ શૌર્યવડે આદ્મભટની ઉદ્ધતાઈ જોઈ મલ્લિકાર્જુન બહુ વિસ્મય પામે અને બેલ્યો, चिकीर्षसि सरीसृपेश्वरशिरःशिखाकर्षण', जिहीर्ष सि गजान्तकृद्विक (वृ) तवकजष्ट्रांकुरम् । दिधीर्षसि समीरणप्रबल कील दावानल, નિષણ ચા માં વેનિર્ષિ વળિપુત્ર! રે || ૨ રે વણિક પુત્ર ! બલવાન એવા મને હાલમાં તું જે જીતવાની ઈચ્છા રાખે છે તે શેષનાગના મસ્તકની શિખા ખેંચવા ધારે છે. તેમજ સિંહની દંષ્ટ્રા (દાઢી લેવાની ઈચ્છા કરે છે અને પવનથી પ્રેરાયેલી પ્રબળ વાલાવાળા અગ્નિને ધારણ કરવા બરોબર છે. તે સાંભળી આમભટને બહુ ક્રોધ થયો અને તે બે. વાચાલની માફક તારી વાફરતા વૃથા છે. જે તારામાં પરાકમની શક્તિ હોય તે શસ્ત્ર ધારણ કર. વળી “હે ક્ષત્રિય પુત્ર ! શલભ (પતંગીઆ)માં દીપ, પૃથ્વીમાં વનમાં દાવાનલ, અંધકારમાં સૂર્ય, Page #298 -------------------------------------------------------------------------- ________________ આમ્રભટના વિજય મેઘમાં પવન, કંપાકના ઝાડમાં કુઠાર (કુહાડા), સપ ઉપર ગરૂડ, ગજે'દ્રપર સિ'હું, પાણીમાં ગ્રીષ્મૠતુ અને પવતમાં વ, ૨૫૧ જે કામ કરે છે, તે કાર્યં હું વણિપુત્ર તારે વિષે કરીશ. એમ કહી આમ્રભટ બહુ ક્રધથી માણવૃષ્ટિ કરવા લાગ્યા. તે જોઇ મક્ષિકાનુને પેાતાનાં બાણુાવડે બહુ સહેલાઈથી તે ખાણવૃષ્ટિ હઠાવી દીધી. નભસ્તલ અને ભુતલમાં પણ સ્વેચ્છા પ્રમાણે ફરતાં અને રાજાઓનાં બાળેા પેાતાનું પક્ષિપણું વિસ્તારવા લાગ્યાં. તેમજ તેમણે મુકેલાં ખાણા પણ ખરેખર યુદ્ધ પરસ્પર અથડાઈ ને જે ખાણે! ખંડિત થયાં નીચે પડતાં હતાં. તે કરવા લાગ્યાં, રણભૂમિમાં ગાઢ એવી મેઘદૃષ્ટિવડે તેા એક સૂની શેાભા ક્ષીણ થાય છે, પર`તુ તેમની ખાણવૃષ્ટિવર્ડ તા સેકડા શૂરાઓની શૈાભા હણાય છે. જલદી ખાણુ નાખવાના અભ્યાસવાળા તથા ઉત્કટ હાથની લાઘવતા વડે યુદ્ધમાં તપર થયેલા આમ્રસટને મલ્લિકાર્જુન રાજાએ સાક્ષાત્ દ્રોણાચાય સમાન માન્યા. વળી તે સમયે આપ્રભટે પેાતે ધનુષધારિપણાથી વીર માનનાર સુભટોને પણ ખુશી કરી વણિજાતિના કલમપણાના દોષ દૂર કર્યાં. આમ્રભટ સેંકડા ખાણ મૂકતા અને મલ્લિકાર્જુન તેમનુ ખ`ડન કરતા, એમ તે ખ'ને વીર પુરુષા વજ્રા સંઘયણવાળા ડાયને શુ? તેમ કિચિત્ માત્ર પણ વિરામ પામતા નહેાતા. ખંડન કરતા તે એ પ્રમાણે એકબીજાના શસ્ત્રાને પ્રતિસ્ત્રાવડે ખંનેનું દેવ અને દાનવની માફક પ્રચંડ યુદ્ધ થયું. મલ્લિકાર્જુનમરણુ ત્યારબાદ પેાતાના હાથીપરથી કુદકા મારી વાનર જેમ વૃક્ષ પ્રત્યે તેમ આગ્નભટ નિર્ભીય મનશ્રી ક્રીડાવડે શત્રુના હાથીપર ચઢી ગયા અને તેણે કહ્યું. Page #299 -------------------------------------------------------------------------- ________________ — — —— ——— —— ૨૫૨ કુમારપાળ ચરિત્ર પ્રથમ તું મને પ્રહાર કર, અથવા હાલમાં ઈષ્ટદેવનું સમરણ કર. રે ક્ષત્રિયેત્તમ ! હું વાણી છું, તે પણ તને મારું છું. એ પ્રમાણે કહીને આદ્મભટે ખગ્ગવડે મલ્લિકાર્જુનનું મસ્તક દંડવડે વૃક્ષના ફલની જેમ છેદીને પૃથ્વી પર પાડી નાખ્યું. શત્રુને માર્યો તે સમયે આમ્રભરની સ્તુતિ કરતા હેયને શું? તેમ તેના સૈનિકે હર્ષવડે જયધ્વનિ વારંવાર કરવા લાગ્યા. નિનયક્તાને લીધે રંકની માફક મલ્લિકાર્જુનના સૈનિકે આમ્રભટને સેવવા લાગ્યા. કારણ કે તેમને તે પ્રમાણે વર્તવું ઉચિત છે. ત્યારબાદ મલ્લિકાર્જુનને મસ્તક સહિત બહુ બદ્ધિથી ભરેલા ખજાનાએ તેણે પિતાને વાધીન કર્યા. તેમજ ઉત્તમ કટીની સેના પણ પિતાને તાબે કરી. પછી તે દેશમાં શ્રીકુમારપાળ રાજાની આજ્ઞા પ્રવર્તાવી. આમૃભટ એકદમ ત્યાંથી નીકળી પિતાના સ્વામી પાસે આવ્યા. અનેક મંત્રી તથા સામતોની સમક્ષ શ્રીકુમારપાલ રાજા સભામાં બેઠા હતા, ત્યાં આવી આદ્મભટે પિતાના સ્વામીના ચરણમાં મલ્લિકાજુનનું મસ્તક મૂક્યું. તેમજ શૃંગાર કેટી નામે એક સાડી, માણિકય નામનું પટ=વસ્ત્ર, પાપક્ષય નામે હાર. વિષને દૂર કરનાર ગસિદ્ધિ નામે શુક્તિ (છીપ) ચૌદભાર પ્રમાણને બત્રીશ સુવર્ણકુભ, છ મુડા મૌક્તિક-મેતિ, ચૌદકેટી સેનયા, એક વિશ ઉત્તમપાત્ર, ચાદાંતને હાથી અને શત્રુને ખજાને, એ સર્વ સાર વસ્તુઓ લાવીને આદ્મભટે ભેટ કરી. શ્રીકુમારપાલે તેવા પ્રકારની તેની ભેટ જોઈ મનમાં વિચાર કર્યો કે ખરેખર આ શત્રુ અનેક પાર્શ્વમણિ તથા અતિશય સંપત્તિ એને લુંટારે છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ મલ્લિકાર્જુનમરણ ૨૫૩ આ પ્રમાણે આદ્મભટનું પરાક્રમ જોઈ પ્રથમના સામત લજજા પામ્યા અને નીચે જવાની ઈચ્છા કરતા હોયને શું ? તેમ ભુતલનું અવેલેકન કરવા લાગ્યા. તે ચરિત્રવડે પ્રસન્ન થયેલા શ્રીકુમારપાલ ભુપતિએ “રાજપિતામહ એવું શત્રુનું બિરૂદ આમ્રટને આપ્યું. તે બિરૂદવડે ઉચે સ્વરે માગધેલોકોએ સ્તુતિ કરાયેલો આમ્રભટ કલ્પવૃક્ષની માફક તેમના દારિદ્રને દૂર કરતે પિતાના સ્થાનમાં ગયે. મહાન પ્રતાપી શ્રી કુમારપાળે પિતાના પરાક્રમવડે પૃથ્વીને જય કરી ગ્રીમકાળને સૂર્ય કાદવને જેમ સર્વ શત્રુકુલને સંહાર કરી ઘણા સમય સુધી રાજ્ય પાલન કર્યું, સેમિનાથ પૂજારા એક દિવસ શ્રીકુમારપાલરાજા ઉત્તમ પ્રકારના શણગાર સજી પ્રભાત કાળમાં સુધર્મા (દેવસભા)ની અંદર ઈંદ્ર જેમ સભામાં ગયા અને તેના મધ્યભાગમાં રહેલા પુરૂષ પ્રમાણ ઉંચા સોનાના સિંહાસન ઉપર મેરૂ પર્વતના શિખર પર સૂર્ય જેમ વિરાજમાન થયા. તેમના મસ્તક ઉપર પિતાના વિશુદ્ધ યશેરાશિરૂ૫ ચંદ્રના સાક્ષાત્ બિંબ સમાન ઉજજવલ છત્ર શેભતું હતું. પિતાની કીર્તિ વડે જીતાયેલી ગંગા નદીને પ્રવાહ સેવા માટે આવ્યું હોય તેમ બંને શ્વેત ચામર તેમની બંને બાજુએ વીંઝતા હતા. પિતાના મુકુટ મણિના કિરણેવટે ભુપતિના ચરણકમલને પ્રફુલ્લા કરતા મંત્રી, સામંત અને સેનાધિપતિ વિગેરે અધિકારિઓ સેવામાં હાજર હતા. મહારાજાના સંબંધવાળા કેટલાક કવિ અને વ્યાસાદિકવડે પણ તે સભા કમલેવડે સરેવર જેમ શોભતી હતી. તે સમયે પ્રભાસપાટણથી સોમનાથ મહાદેવના કેટલાક પૂજારીઓ ત્યાં આવ્યા અને શ્રીકુમારપાલ નરેંદ્રને પ્રણામપૂર્વક વિનતિ કરી કહ્યું. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ કુમારપાળચરિત્ર સામનાથનું મંદિર કાષ્ટની અતિ છણુતાને લીધે સમુદ્રના તરંગાવડે મૂળ વિનાના તટ પર રહેલા વૃક્ષની માફક હાલમાં પડી જાય છે. હે દેવ ! સસારથી આત્માદ્વારની માફક તે મ`દિરના જે ઉદ્ધાર કરાય તા આપને ખજાને પુણ્યશાળી થાય અને લાકમાં આપની અખંડિત કીતિ થાય. એ પ્રમાણે પૂજકાનું વચન અંગીકાર કરી ભુપતિએ પેાતાનું પ'ચકુલ ત્યાં માકળ્યું અને સૂત્રધાર પાસે પત્થરનું મંદિર બોંધાવવાના પ્રારંભ કરાવ્યેા. પછી ભૂપતિએ પેાતાની પાસમાં રહેલા શ્રી હેમચદ્ર આચાય ને પૂછ્યું. હે ભગવાન્ ! મારા મનાથની માફક એ મંદિર જલદી કેવીરીતે સિદ્ધ થાય તે કહે!. સૂરિએ વિચાર કરી કહ્યું. હે રાજન! તું કઇક વ્રત ગ્રહણ કર, જેથી પુણ્યની વૃદ્ધિ થાય અને તે પુણ્યની વૃદ્ધિવડે તારૂ' ધારેલું કા' સિદ્ધ થશે, એમ કહી વિશેષમાં તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી એ મ'દિર તૈયાર થાય, ત્યાં સુધી તારે બ્રહ્મચર્ય વ્રત પાલવુ". વળી એ જો તારાથી ન થઇ શકે તે માંસના નિષેધ કર. જીવના ઘાત થયા વિના કોઈ દિવસ માંસની પ્રાપ્તિ થતી નથી, અને જીવધાત સમાન ખીજું કોઈ દુષ્ટ કાર્ય નથી, માટે માંસના ત્યાગ કરવા ઉચિત છે. અદ્ભુશ્રુત સ્વાદવાળું. અન્ય ભાજન મળે છતે કયા બુદ્ધિમાન માંસ ભક્ષણ કરે ? કારણ કે; પેાતાની પાસમાં અમૃત હોય છતાં વિષની ઈચ્છા કાણુ કરે ? મહાભારતના શાંતિ પત્ર વિગેરેમાં કહ્યું છે, માંસના ત્યાગ કરવાથી ઘણા રાજાઓ સ્વગે ગયા છે, પણ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ સેમિનાથ પૂજારા ભેગાદિવડે સ્વર્ગ મળતું નથી. વળી હે દેવ! માંસત્યાગનાં ભીષ્મપિતાએ કહેલાં કેટલાંક વચને. મહાભારતમાં રહેલાં છે, न भक्षयति यो मांसं, न हन्यान च घातयेत् । स मित्रं सर्वभूतानां, मनुः स्वायंभुवोऽब्रवीत् ॥१॥ જે પુરુષ માંસ ભક્ષણ કરતા નથી, તેમજ પશુ વધ કરતે નથી અને અનુમોદન પણ આપતું નથી, તે સર્વ પ્રાણીઓને મિત્ર ગણાય છે, એમ સ્વયંભૂ મનુએ કહ્યું છે.” દ્રવ્ય વડે જે ખરીદે છે તે હંતા-મારનાર, ઉપલેગવડે જે ખાય અને વધ બંધનવડે જે ઘાત કરાવે છે, ત્રણ પ્રકારને વધ કહેવામાં આવ્યું છે. તેમ પેજના કરનાર, અનુદન કરનાર, મારનાર, કવિક્રય કરનાર, સંસ્કાર કરનાર અને ઉપલેગ કરનાર એ સર્વે ખાદક (ખાનાર) કહ્યા છે. સુવર્ણ, ગાય, ભૂમિ અને રત્નાદિકના દાનથી પણ માંસ નહી ખાવામાં વિશેષ ધર્મ થાય છે. એમ કૃતિકારનું માનવું છે. ચોમાસાના ચાર માસ સુધી જે માંસનો ત્યાગ કરે છે, તે પુરુષ કીતિ, આયુષ્ય, યશ અને બલ એ ચાર માંગલિકને પ્રાપ્ત કરે છે. માંસની માફક મદ્ય પણ વિકલ્યાદિક અનેક દૂષણને પ્રગટ કરે છે. માટે બુદ્ધિમાન પુરુષે ઈષ્ટ કાર્યની સિદ્ધિ માટે માંસ તથા મને. સર્વથા ત્યાગ કરે. હે રાજન ! તું પણ પિતાના ઈષ્ટ કાર્યની સિદ્ધિ માટે મદ્ય માંસનો ત્યાગ કર, એ પ્રમાણે ગુરુનું વચન સાંભળી ભૂપતિએ મદ્ય માંસના ત્યાગની પ્રતિજ્ઞા કરી. પછી મહાપરાક્રમી ભૂપતિ તે કામમાં રહેલા લોકો માટે કાર્યવાહક ઉપર હંમેશાં અનેક સુવર્ણ કેટી એકલતે હતો. કારણકે Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ કુમાર પાળચરિત્ર પિતે આરંભેલા કામમાં ક માણસ ઉદ્યમી ન હોય?” બે વર્ષની અંદર તે ચૈત્ય તયાર થઈ ગયું. ભૂપતિએ પિતાને નિયમ છોડવા માટે સૂરદ્રને પૂછ્યું; ગુરુ મહારાજ બોલ્યા, જે કે ચૈત્ય તે પુરૂ થયું છે તે પણ તારે નિયમ તે શિવયાત્રા કરીને તેમની આગળ મૂકે તે એગ્ય છે. એ પ્રમાણે ગુરુનું વચન કુમારપાળે માન્ય કર્યું. ગુરુમહારાજ પિતાના સ્થાનમાં ગયા. પછી ભૂપતિએ તુષ્ટ થયેલા ભક્તની માફક સભાની અંદર આચાર્યના ગુણગ્રામની પ્રશંસા કરી. તે સાંભળી પુહિતના હૃદયમાં ઈષ્ય ઉત્પન્ન થઈ અને એકદમ તે શિખા સુધી બળતે હેયને શું ? તેમ તપી ગયે. કારણ કે ખલ પુરુષને એ સ્વભાવ હોય છે. વળી વિશેષમાં તેણે કહ્યું; હે દેવી! તમારા ચિત્તને વશ કરવા માટે આ શઠ આચાર્ય તમારા ઈષ્ટધર્મને ઉપદેશ કરે છે. પરંતુ તે શત્રુની માફક તમારી પર રાજી નથી જ. - જે એમ ન હોય તે એ પણ સેમિનાથના દર્શન માટે આપની સાથે આવે, પરંતુ તમે કહેશે તે પણ તે આવશે નહીં. સેમિનાથની યાત્રા સોમનાથની યાત્રા કરવા જવું એ નિશ્ચય પિતાના મનમાં કરી ભૂપતિએ પ્રભાતકાળમાં હેમાચાર્ય આવ્યા એટલે યાત્રા માટે પ્રાર્થના કરી. આ સર્વ પુરોહિતનું દુરાત્મપણું છે, એમ જાણી ચૌલુક્ય (કુમારપાળ)ને જૈન ધમી કરવા માટે સૂરીશ્વરે કહ્યું. હે રાજન! ભુખ્યા માણસને ભેજન માટે શું નિમંત્રણ કરવું પડે ખરૂં? તેમજ મહાત્માને યાત્રા માટે કે ઈપણ સમયે ઘણું શું કહેવું પડે? તીર્થયાત્રા કરવી એજ મારું મુખ્ય કર્તવ્ય છે, તીથટન વિના ક્ષણમાત્ર પણ મને હારેલા જુગારીની માફક સુખ પડતું નથી. Page #304 -------------------------------------------------------------------------- ________________ સોમનાથની યાત્રા ૨૫૭ એમ સૂરીશ્વરે કહે છતે રાજાએ પુરોહિતના સન્મુખ જોયું. તે સમયે તેની મુખાકૃતિ મણીથી લિંપાયેલી હોય તેમ શ્યામ થઈ ગઈ. કુમારપાળે કહ્યું. હે સૂરદ્ર! આપને આવવાની ઈચ્છા હોય તે આપ બેસવા માટે સુખાસન(પાલખી) ને સ્વીકાર કરે. આચાર્ય બેલ્યા. હે રાજન ! અમે પાદચારી છીએ. અમારે સુખાસનનું શું પ્રજન છે? વિવેકી એ ગૃહસ્થ માણસ પણ તીર્થયાત્રામાં વાહન વડે ચાલતો નથી, તે હંમેશાં પાદચારી જે યતિ–ચારિત્રધારી હોય તે કેવી રીતે વાહનમાં બેસે? માટે હાલમાં તમને પૂછીને થેડે થેડે (ટુંકે) વિહાર કરી શ્રી શત્રુંજયની યાત્રા કરી પ્રભાસપાટણમાં હું મળીશ. એમ કહી તેજ વખતે રાજાને પૂછી તીર્થયાત્રા માટે હેમચંદ્રસૂરિએ પ્રયાણ કર્યું. “ખરેખર સંતપુરુષે સત્યવાદી હોય છે.” તે સમયે પ્રૌઢ સંપત્તિઓ વડે લેકેને આશ્ચર્ય પમાડતા શ્રીકુમારપાળે પણ ચક્રવતીની જેમ યાત્રાપ્રયાણ કર્યું. અનુક્રમે ચાલતે શ્રીગૂર્જરેશ્વર કેટલાક દિવસે વડે પ્રભાસપાટણમાં ગયે અને મેઘના આગમનને જેમ મયૂર તેમ સૂરિના આગમનની વાટ જેવા લાગે. સોમનાથને નમવા માટે કુમારપાળ જેટલામાં પ્રયાણ કરે છે, તેટલામાં સનેહી બંધુ જેવા હેમચંદ્રસૂરિ ત્યાં આવ્યા અને રાજાને મળ્યાં. હેમચંદ્રસૂરિનાં દર્શન થવાથી ચૌલુક્ય આનંદસાગર બહુ ઉછળવા લાગે, તેમાં કંઈ આશ્ચર્ય નહીં. રાજા પ્રફુલ્લમખે બે. હે સૂરદ્ર! પરિણેતાની માફક આપે આવેલી વેળાને (સમય) સારી રીતે સાધી. એમ કહી ભૂપતિ બહુ પ્રેમવડે આચાર્યને સાથે લઈ સોમનાથને નમવા માટે મેટો ઉત્સવ પૂર્વક ચાલ્યો. પિતે બનાવેલા અવર્ણનીય દેવાલયની વિમાન સમાન સુંદરતા જેઈ કુમારપાળના હૃદયમાં હર્ષ મા નહીં. શરીર માંચિત થઈ ૧૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કુમારપાળ ચરિત્ર ગયુ. માનદસાગરમાં મગ્ન થઈ ભૂપત્તિએ વિનયપૂર્વક મહેશ્વરને નમસ્કાર કર્યાં. જેને જિને દ્રા વિના અન્ય દેવને નમતા નથી. એ પ્રમાણે લેાકાક્તિના જાણકાર ગુજરેશ્વર આણ્યે. હે પ્રભું ! આપને ચેગ્ય લાગે તા શકરને વંદન કરી. હે રાજન્ ! એમાં શું કહેવું ? આ સવ પ્રયાસ દેવવ ંદન માટે જ છે. એમ કહી હેમચંદ્રસૂરિએ ઉચ્ચસ્વરેગ ભર સ્તુતિ કરી. भवबीजाङ्कुरजनना- रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, महेश्वरो वा नमस्तस्मै ॥ “સંસારરૂપી બીજા કુરને ઉત્પન્ન કરનાર રાગાદિક વિષયે જેના ક્ષીણ થયા હાય, તે બ્રહ્મા, વિષ્ણુ અથવા શંકરને નમસ્કાર થાએ.” यत्र तत्र समये यथा तथा, योऽसि सोऽस्यभिधया यया तया । वीतद्वेष कलुषः स चेद्भवा-नेक एव भगवन्नमोऽस्तु ते ॥ હે ભગવન્ ! ગમે તે સમયે, ગમે તે પ્રકારે, ગમે તે નામ વડે ગમે તે હા, પરંતુ તે આપ એક જ રાગાદિક દેષથી રહિત હા, તા તમને મારા નમસ્કાર છે. ” વગેરે સ્તુતિ પાઠ વડે શ્રીહેમચ‘દ્રસૂરિએ સામનાથની સ્તુતિ કરી, પણ વસ્તુત: પેાતાના ઈષ્ટદેવ શ્રી વીતરાગ ભગવાનની જ તેમણે સ્તુતિ કરી. પરમાત્મ રૂપી સાગરને અનુસરતી, અવિધપણે સૂરીશ્વરે રચેલી સ્તુતિ રૂપ નદીને જાણી શ્રીકુમારપાળ ભૂપતિ ચમત્કાર પામ્યા. ત્યાર બાદ ભૂપતિ યાત્રાને ઉચિત સર્વ કા સમાપ્ત કરી શ્રીહેમચંદ્રસૂરિ સાથે દેવના ગભારામાં ગયા. અને કહ્યું, હે પ્રભુ ! મહાદેવ સમાન દેવ નૌ. તમારા સરખા મિ નથી તેમજ મારા સરખા ખીજો તવાથી નથી. વળી આ તીર્થાંમાં ઉત્કૃષ્ટ પ્રગટ થયેલા પ્રાચીન પુણ્ય ચાગને લીધે ત્રિવેણીના સંગમની જેમ હાલમાં આત્રિક ( ત્રિપુટી)ના ચેગ પ્રાપ્તિ થયા છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ શંકરને સાક્ષાત્કાર ૨૫૯ પરસ્પર વિરૂદ્ધ સિદ્ધાંતવાદમાં બ્રાંત થયેલા પુરુષોના વાગજાલરૂપ કેકરાઓ વડે સત્યધર્મ, સત્ય દેવ અને સત્ય ત રત્નની જેમ આચ્છાદિત થઈ ગયાં છે. માટે હે ભગવન ! સત્ય વિચારી કરી છેષરહિતપણે આ તીર્થમાં મને કહે કે, સત્યધર્મ કર્યો? સત્યદેવ કર્યો અને મેક્ષ લક્ષમી આપનાર તત્વ કયું? જેથી હું હંમેશાં તેના ધ્યાનરૂપી ગંગાજલ વડે મલીન વસ્ત્રની માફક મારા આત્માને શુદ્ધ કરૂં. આપ સરખા ગુરુ મળવાથી પણ જે તત્વને સંશય રહે, તે સૂર્યના ઉદયમાં પણ વસ્તુ નહીં દેખાવા બરોબર થાય. એમ કહી રાજા પિતે મૌન રહ્યો. ત્યારબાદ સૂરદ્ર પોતાના હૃદયમાં કંઈક દયાન કરી ચોગ્ય વચન બોલ્યાં; પરસ્પર વિરૂદ્ધ એવી શાસ્ત્રોની ગેછીએથી સયું. હું આ દેવને તારી આગળ પ્રત્યક્ષ કરુ છું. આ મહાદેવ જે ધર્મ અથવા દેવની સાબીતી આપે, તેની તારે ઉપાસના કરવી. કારણકે, દેવવાણી સત્ય હોય છે. શંકરને પ્રગટ કરવા માટે હું માત્ર સમરણ કરું છું અને તું તેમની આગળ ઉત્તમ પ્રકારને ધૂપ કર. એ પ્રમાણે કુમારપાળને કહી મંત્રસ્નાન કરી મેરૂસમાન સ્થિર વૃત્તિએ સુરીશ્વરે મંત્રનું ધ્યાન કરવાને પ્રારંભ કર્યો. અહો ! શંકર પણ શું સાક્ષાત થાય? એમ વિસ્મિત થઈ ગુરુના કહ્યા પ્રમાણે આચરણ કરેતે ભૂપતિ શંકરની આગળ ઉભે રહ્યો. શકરનો સાક્ષાત્કાર ક્ષણ વાર પછી પ્રચંડ સૂર્ય મંડલની શેભાને અનુસરતો મહાન તેજ સમૂહ શંકરના લિંગમાંથી પ્રગટ થયે. તેના મધ્યમાંથી દેદીપ્યમાન કાંતિમય મહેશ્વર પ્રગટ થયા. ગંગા સહિત જટા, ચંદ્રકળા અને ત્રણ નેત્ર વિગેરે વિભૂતિથી જેની મૂત્તિ શેભતી હતી. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ કુમારપાળ ચરિત્ર પછી ધ્યાનથી મુક્ત થઈ સૂરીશ્વર બોલ્યા. હું નૃપ ! આગળ રહેલા આ શંકરનાં તું દર્શન કર. એમને પ્રસન્ન કરી બરાબર પૂછીને સત્ય તત્વને તું સ્વીકાર કર. તત્કાળ દર્શનથી પ્રગટ થયેલા આનંદસાગરમાં મગ્ન થયેલા ભૂપતિએ ભૂતળને અષ્ટાંગ સ્પર્શ કરી શંકરને નમસ્કાર કર્યો. ત્યારપછી હાથ જોડી કહ્યું. હે જગત્પતે ! અધ્યાત્મદૃષ્ટિઓને પણ આપનું દર્શન સદૈવ દુર્લભ હેય છે, તે મારા સરખા ચર્મચક્ષુ વાળાએને થાય જ કયાંથી? પરંતુ સિદ્ધાંજનની સહાયથી જેમ લોકોત્તમનિધિ તેમ આ ગુરુ મહારાજના ધ્યાનથી આપનાં દર્શન મને થયાં. ક૯૫મને પામી દરિદ્ર અને અમૃતને પામી તૃષાતુરની જેમ આજે ભાગ્યવડે આપનાં દર્શન કરી મારે આત્મા નૃત્ય કરતે હેયને શું? તેમ આનંદિત થયે છે. એમ કહી ગૂર્જરેશ્વરે શંકરને પૂછયું. ત્યારે તે પિતાના નિવડે દેવાલયના મધ્યભાગને ગજાવતા હાયને શું? તેમ કહેવા લાગ્યા. હે ચૌલુક્ય નરેદ્ર! તને ધન્યવાદ છે અને તું વિવેકી છે. હાલમાં મુમુક્ષની જેમ તને ઉત્તમ પ્રકારની ધર્મજીજ્ઞાસા પ્રગટ થઈ છે. અન્યથા આત્મવેરીની માફક રાજાઓ પ્રાયે રાજ્ય મેળવીને મદેન્મત્ત થાય છે. અને પ્રાપ્ત થયેલા પણ ધર્મને કરતા નથી. વળી મદોન્મત્તની જેમ રાજાએ સદાચાર પાલતા નથી. હિતવચન સાંભળતા નથી અને પિતાની આગળ રહેલા પૂજ્યગુરુઓને પણ દેખતા નથી. નિદ્રામાં સુતેલા, વિષથી ઘેરાયેલા અને આચારથી પતિત થયેલાની જેમ રાજાએ સાંભળતા નથી, તે ધર્મકાર્ય તે કરે જ કયાંથી ? અનેક ભદ્ર (શ્રેયસ) વડે શ્રેષ્ઠ મહદય જેને અવશ્ય થવાને હિય, તેજ પુરુષ ધનાથી જેમ લહમીપતિને તેમ ધર્મની સેવા કરે છે. વળી હે રાજન! ભુક્તિ અને મુક્તિ આપનાર નિમયિક ધર્મને Page #308 -------------------------------------------------------------------------- ________________ ગુરુ પ્રાર્થના ૨૬૧ તું ઈચ્છતો હોય તે મૂર્તિમાન પરબ્રહ્મ સમાન આ સૂરીશ્વરની સેવા કર. વળી આ સૂરીશ્વર સર્વદેવને અવતાર છે. નિષ્કપટ (શુદ્ધ) બ્રહ્મચારી છે. બાલ્યાવસ્થાથી આરંભીને ચારિત્રધારી છે. સિદ્ધાન્તના પારગામી છે. જ્ઞાનવડે કરમાં રહેલા આમળાની માફક સમ્યફપ્રકારે અન્ય જનેના મનની સ્થિતિ જાણે છે. એટલું જ નહીં પણ હાલમાં બ્રહ્મા સમાન તત્વજ્ઞાની આ મહામુનિ પૃથ્વી પર વિજયવંત વર્તે છે. ' હે ભુપાળ ! એમના કહ્યા પ્રમાણે વર્તવાથી તું પિતાનું ઇષ્ટ કાર્ય સિદ્ધ કરીશ. એ પ્રમાણે કહી શંકર સ્વપ્નદૃષ્ટની માફક અદશ્ય થઈ ગયા. ગુરુ પ્રાર્થના ત્યારબાદ પ્રસન્ન થયેલા ગૂર્જરેશ્વરે સૂરિને કહ્યું. હે ભગવન ! ખરેખર તમે જ ઈશ્વર છે, કારણ કે મહેશ્વર પણ આપના સ્વાધીન છે. વળી હે જગદ્ગુરુ ! મેં પૂર્વભવમાં પાકાં પુણ્ય કર્યા હશે કે, જેના તમારા સરખા તત્ત્વદશગુરુ વિરાજે છે. આજથી આરંભી મારા ગુરુ, પિતા, માતા, બંધુ અને મિત્ર પણ તમે એક જ છે. અન્ય કેઈ નથી. તેમજ આપે પ્રથમ મને જીવિતદાન આપવાથી આલેક આપે છે અને હવે શુદ્ધધર્મના ઉપદેશવડે પરલોક પણ આપે. ગુરુ મહારાજ બોલ્યા. જે એ તારો નિશ્ચય હેતે હાલમાં પાપની માફક માંસાદિક અભક્ષ્ય વસ્તુને તું ત્યાગ કર. પછી હું તને ધર્મોપદેશ આપું. હવેથી હું આપના કહ્યા પ્રમાણે વર્તીશ, એમ કહી બહુ આનંદ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ કુમારપાળ ચરિત્ર માનતા રાજાએ તેજ વખતે પુણ્યની પ્રાપ્તિથી પવિત્ર દિવસની માફક અભક્ષ્યના નિયમ કર્યાં. ત્યારપછી ત્યાંથી હેમચંદ્રસૂરિ સહિત શ્રીકુમારપાળરાજા પ્રયાણ કરી પતાકાઓવડે આકાશને પીળાસપર બનાવતા પ્રભાસ પાટણનગરમાં આવ્યા. ત્યારબાદ સુંદર વચનની માફક સોમેશ્વરની વાણીનું સ્મરણ કરતા શ્રીકુમારપાળરાજા હંસની માફક હમેશાં સૂરીશ્વરના ચરણકમળની સેવા કરવા લાગ્યે. વળી તે રાજા કઈ દિવસ તેમના સ્થાનમાં જઇને, કોઈ દિવસ સભામાં એલાવીને સૂરીશ્વરના મુખકમળમાંથી ભ્રમરની માફક ધર્મરસનુ... પાન કરતા હતા. સુરીશ્વરના અમૃતસમાન ઉપદેશરસનું પાન કરવાથી વિષવેગની જેમ નરેદ્રનુ મિથ્યાત્વ ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યું. અનુક્રમે કુમારપાળરાજા સ્વધર્મની આરાધના કરતા નવીન શ્રાવક જેમ કંઇક જૈનધમ પર શ્રદ્ધાળુ થયા. દેવાધિસન્યાસી ભૃગુક્ષેત્ર (ભરૂચ ) માં શંકરસમાન મહાવ્રતધારી દેવબેાધિનામે સન્યાસી રહેતા હતા. તેનુ' મન બહુ શુદ્ધ હતું. તે દેવળેાધિ કોઇક પર્વના દિવસે સ્નાન કરવા માટે ગંગાપર ગયા, તે સમયે ત્યાં બહુ કલાવાન અને લેાકમાન્ય દીપક પણ આવ્યો. પછી દીપકે તીસ્થાનમાં ઉંચે સ્વરે તાણીને કહ્યું, હું લેાક ! મારી પાસેથી સરસ્વતીમ ંત્ર અને સુવણ ગ્રહણ કર સુવર્ણ નું નામ સાંભળી એકદમ ઘણા લેાકેાએ તે વચનને સ્વીકાર કર્યાં. સરસ્વતીમત્રના તે એક પણ માણસે સ્વીકાર કર્યો નહીં, કારણ કે સવ જગત લક્ષ્મીને આખીન છે. વળી હું માનું છું કે; વાણી વણમયી છે અને લક્ષ્મી સુવણુ - મયી છે, માટે વણુ હીન વાણીને ત્યાગ કરી લેાકેા વણુથી અધિક એવી લક્ષ્મીના સ્વીકાર કરે છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ મરણાભિમુખ દીપક ૨૬૩ મરણાભિમુખ દીપક - પિતાના આયુષની સમાપ્તિ જાણી માનવદેહને ત્યાગ કરવાની ઇચ્છાથી દીપકના મનમાં વિચાર થયે કે, આ બંને કલાઓ માટે કોને આપવી. સરસ્વતીના મંત્ર સમાન આ દુનિયામાં બીજો કઈ સાર નથી અને સુવર્ણસિદ્ધિસમાન કેઈ સ્થિર નથી. આ બંને કળાએ પાત્રના અભાવથી જરૂરી મારી સાથે આવશે. આ વાત દેવબોધિના જાણવામાં આવી એટલે તે દીપકની બહુ સેવા કરવા લાગ્યા અને સારવાળા સારસ્વતંત્રને તેણે વિધિ સહિત દીપક પાસેથી ગ્રહણ કર્યો. પછી બહુ બુદ્ધિમાન તે દેવાધિ ભૃગુક્ષેત્રમાં ગયા અને નર્મદાકિનારે બેસી મંત્રના ધ્યાન માટે તેણે પ્રારંભ કર્યો. મનની સ્થિરતાવડે દેવબેધિ સરસ્વતીનું ધ્યાન કરવા લાગ્યો. અને સ્થાણુ-વૃક્ષની માફક થિરવૃત્તિએ સુધાતૃષાવિકને પણ કિંચિત્ માત્ર જાણ નહોતે. અનુક્રમે લક્ષજાપ થયે તે પણ સરસ્વતી પ્રસન્ન થઈ નહીં, પરંતુ આશાને લીધે તેણે ફરી ફરીને આગ્રહ પૂર્વક પાંચ લાખ જાપ કર્યો. એકંદર છ લાખ જાપ થયે, છતાં પણ દેવી પ્રસન્ન થઈ નહીં. તેથી દેવબોધિને બહુ ક્રોધ ચઢ્યા. તેણે પુષ્પમાલાની માફક જપમાલાને રીસથી આકાશમાં ફેકી દીધી. આકાશમાં કોઈએ અટકાવેલી હોયને શું? તેમ તે જપમાળાને તારાની પંક્તિ સમાન સ્થિર રહેલી જોઈ દેવધિને આશ્ચર્ય થયું અને તે વિચારવા લાગ્યો. આ સારસ્વત મંત્ર જે અસત્ય હેય તે પક્ષિણી સમાન આ જપમાળા આકાશમાં નિરાધાર કેવી રીતે રહી શકે? પરંતુ મારા દુર્ભાગ્યને લીધે જ આ મંત્ર મને સફલ થયો નહીં. કારણ કે, દૈવ જ્યારે પ્રતિકૂળ હોય ત્યારે સર્વનિફલ થાય છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ કુમારપાળ ચન્નિ એમ તે ચિંતા કરતા હતા, તેવામાં ત્યાં દિવ્યવાણી થઇ. હું મહાશય ! તું શે! વિચારે કરે છે ? તું તારી પાછળ જો? તારા મંત્રની અસિદ્ધિનું કારણ તુ જાણીશ. તેણે પાછળ જોયુ તે પેાતાની પાછળ પિશાચિની સમાન મહાભયકર છ સ્ત્રીએ ઉભી હતી. જેમનાં મુખ અને શરીર ખડું થામ હતાં. તેમજ વસ્ત્રો પણ શ્યામ હતાં. તે જોઈ દેવએાધિ વિચારમાં પડસે. મૂર્તિમાન આ મારી પ્રાચીન પાપ સપત્તિ છે અથવા દુર્ધ્યાનની પંકિતએક સમાન આ રાક્ષસીએ મને ખાવા માટે આવી હશે? એમ તે વિતક કરતા હતા, તેટલામાં ફરીથી આકાશવાણી થઈ. હે દેવબેધિ ! પૂર્વભવના પાપવિપાકથી ઉત્પન્ન થયેલી આ છ જીવહત્યાએ તે કરેલી છે. હવે તે રાત્રીરૂપ જીત્યાએ રહે છતે તારા હૃદયમાં સથા સરસ્વતીના મંત્રપ્રસાદરૂપ સૂર્યના પ્રકાશ કેવી રીતે થાય ? એકેક લાખ જાપ કરવાથી તે છચે જીવયાએ તારા આત્માથી છુટી થઈ તારી પાછળ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી ઉભી રહી છે. બહુ ધથી તે` આ અક્ષમાલા ( જપમાળા ) જ્યારે આકાશમાં ફેંકી દીધી, ત્યારે પેાતાના પ્રભાવવડે મે' તારા વિશ્વાસ માટે તેને આકાશમાં સ્થિર કરી. હવે આ મત્ર તારે થોડા જપવાના બાકી રહ્યો છે, તેટલે જાપ કર એટલે સરસ્વતીદેવી તને પ્રસન્ન થશે. એમ કહી સરસ્વતીદેવી મૌન રહી. પેાતાના ઇષ્ટ કાર્ય માં સંદેહ સહિત અને બુદ્ધિશાલી દેવાધિએ ફરીથી કરકમલમાં અક્ષમાલા લીધી અને જાપના પ્રારંભ કર્યાં. સરસ્વતીદેવી પૂર્ણિમાના ચંદ્રસમાન શરીરની કાંતિવડે શબ્દજ્ઞાનમય તેજને પ્રત્યક્ષ પ્રગટ કરતી હેાયને શુ? Page #312 -------------------------------------------------------------------------- ________________ દેવધિપ્રયાણું ૨૬૫ પ્રસન્ન વડે પ્રેમામૃત વરસાવતી હેયને શું? તેમ સરસવતીદેવી દેવધિની આગળ પ્રગટ થઈ. કલા, વિદ્યા અને સાહસિકલેકેના ઉપકારમાં પણ અપાર એવા જલને જેમ સમુદ્ર તેમ તું આધાર છે, માટે હે મૃતદેવી ! તારી આગળ આ મારી સ્તુતિ શા હિસાબમાં છે? કારણ કે, ત્રણે લોકમાં જે સાંભળવામાં આવે છે, તે સર્વ તારી વિભૂતિ છે. વળી હે બ્રહ્મપુત્રી ! પશુ સમાન પુરુષે તારી ઉપર અત્યંત વિરકત થઈ આલાકમાં જ માત્ર મહિમાને પ્રગટ કરનાર લક્ષમીને ધારણ કરે, પરંતુ સમગ્ર વિદ્વાન વર્ગ સ્વર્ગ અને મેક્ષસુખ આપનાર એક તારા વિના બીજા કોઈને હદયમાં ધારણ કરતે નથી. એ પ્રમાણે દેવધિ સરસ્વતીની સ્તુતિ કરી પ્રાર્થના કરવા લાગ્યો. હે જનની ! વિદ્યા, ભકિત અને મુક્તિ મને તું આપ. કલ્પવૃક્ષના મહિમા સમાન મારા વરદાન વડે તારૂં ધારેલું કાર્ય સિદ્ધ થાઓ, એ પ્રમાણે દેવધિને કહી સરતી દેવી અદશ્ય થઈ ગઈ ત્યારપછી દેવીના પ્રસાદથી દેવધિ તત્કાલ વેદ વિદ્યામાં કુશલ . દેહદ (સ્ત્રીના પાદસ્પર્શ) થી સમય વિના પણ વૃક્ષશું ફલતે નથી? એમ ત્રણે લોકને આનંદ આપનાર બીજી પણ ઉત્તમ કલાઓને શુકલપક્ષના ચંદ્રની માફક દેવબંધિએ ગ્રહણ કરી. દેવબોધિ પ્રયાણ તેવામાં લોકેના મુખથી દેવબોધિના સાંભળવામાં આવ્યું, હેમચંદ્રસૂરિએ કુમારપાલરાજાને જૈનધમી કર્યો છે. તેણે વિચાર કર્યો કે, મારા સરખે કલાવાન ગુરુ વિદ્યમાન છતાં બ્રાંતની માફક રાજા પિતાના કુલકમથી આવેલા ધર્મને કેમ ત્યાગ કરે છે? ફરીથી પણ જ્યારે એને વિષ્ણુધર્મમાં સ્થાપન કરું તે જ આ મારી કલારૂપ લતાએ સફલ થાય. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ કુમારપાળ ચરિત્ર એમ વિચાર કરી અહંકારરૂપી ખીલા વડે બંધાયેલાની માફક દેવધિ તેજ વખતે કુમારપાલને ઉપદેશ કરવા માટે તેના નગરમાં આવ્યું. ત્યાં મુકામ કરી તે ઇંદ્રજાલીની માફક અનેક પ્રકારનાં કૌતુક દેખાડીને બહુ ગુણવાન એવા નગરવાસી જનેને મેહિત કરવા લાગે. તેમજ વશીકરણાદિક વિવિધ પ્રકારની વિદ્યાઓને ફેલાવ કરવા લાગે. જેથી વિસ્મય પામી સર્વ નગરના લેક સિદ્ધની માફક હંમેશાં તેની સેવા કરવા લાગ્યા. જો કે ત્યાગી પુરુષ કલારહિત હેય. તે પણ તે લેકમાન્ય થાય છે, તે પછી કલાવાન તે ઘણું કરીને થાય તેમાં શું આશ્ચર્ય ? સ્વભાવથી સુવર્ણ દરેકને પ્રિય હોય છે. વળી તે રનથી પ્રકાશિત હોય તે પછી તેનું તે કહેવું જ શું? દેવબોધિને ચમત્કાર - કલાવાન પુરુષના પ્રસંગમાં લેકે દેવધિની બહુ પ્રશંસા કરતા હતા, એટલું જ નહી પણ એના જે કઈ કલાઓમાં હોંશીયાર છે જ નહી, એ વાત કુમારપાલના સાંભળવામાં આવી. મયૂર પક્ષી જેમ, મેઘને તેમ તેને જોવા માટે કુમારપાલને બહુ ઉત્સાહ થશે. તેણે પિતાના આપ્તપુરુષો તેને તેડવા માટે મોકલ્યા. કેળના પત્રનું આસન, કમલનાલને દાંડે અને બહુ સૂક્ષમાં સુતરના કાચા તંતુઓથી બાંધેલું એક સુખાસન તૈયાર કર્યું. આઠ વર્ષના બાલકની પાસે તે ઉપડાવ્યું અને તેની અંદર તે દેવબોધિ બેઠે. પ્રભાતમાં રાજસભામાં જવા માટે નીકળે. તેવા પ્રકારનું આશ્ચર્ય જોઈ લેકોનાં નેત્રકમલ વિકસ્વર થઈ ગયાં. મંત્રના આકર્ષણથી જેમ નગરના લકે તેની ચારે બાજુએ વીંટાઈ વળ્યા. તેમજ પોતાના સેવકેવડે જેમ સ્વામી તેમ લકેવડે. વીંટાયેલ દેવબોધિ સભાસને ચકિત કરતે રાજસભામાં ગયે. Page #314 -------------------------------------------------------------------------- ________________ દેવમાધિના ચમત્કાર ૨૬૭ દેવમાધિને જોઈ રાજા પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે, કેળના પત્રથી બનાવેલા સુખાસનમાં આ મોટા પેટ વાળા, ભારે માણસ કેવી રીતે બેઠા હશે? એનીકળા કાઇ અદ્ભુત પ્રકારની જણાય છે. દેવાધિ સુખાસનમાંથી નીચે ઉતરી સુવર્ણ મય સિંહાસન પર એઠા અને પેાતાના પગમાં પડેલા કુમારપાલને સદ્ભાવથી તેણે આશીર્વાદ આપ્યા, - निष्कामोsपि महाव्रती प्रमथिताऽनङ्गोऽपि देहेऽङ्गनां, faraat aaa शुचिर्भीमेोऽपि शान्तात्मकः । पार्श्वस्थैकवृपोऽपि वाजिगजताद्युद्दामलक्ष्मीप्रदेश दुर्लक्ष्यरुचरित्रभृद् भवतु ते श्रीशङ्करः शङ्करः ॥ १ ॥ “ સર્વ કામથી રહિત છતા પણ મહાવ્રતધારી, કામદેવને મથન કરનાર છતા પણ શરીરે સ્ત્રીને ધારણ કરનાર, સ્મશાનભૂમિમાં વાસ કરતા છતા પણ પવિત્ર, ―――――― બાહ્ય આકારથી ભયંકર છતા પણ શાંત આત્માવાળા, એક વૃષના અધિપતિ છતા પણ અનેક હાથી ઘેાડા વિગેરેને ઉત્કટ લક્ષ્મી આપનાર અને દુર્લક્ષ્ય એવાં અનેક ચરિત્રોને ધારણા કરતા શ્રીમહાદેવ તમારા સુખદાયક થાએ’ હું માનુ` છું' કે, હે કુમારપાલનરેશ ! કમળ કાદવમાંથી ઉત્પન્ન થયેલ છે. એ હેતુથી પેાતાના સ્થાનભૂત તે કમલના ત્યાગ કરી લક્ષ્મી, દેવગુરુ અને પડિતાદિકના પૂજનવર્ડ અત્યંત પવિત્ર થયેલા તારા હાથમાં હંમેશાં વાસ કરે છે, એમ ન હેાય તા ધન કેવી રીતે આપે ? આ તારા હાથ યાચકોને અતિશય ઈચ્છિત એમ કહી વિવિધ કલાઓને પ્રગટ કરવાથી અને સુંદર વચનમય વાતાવડે દેવબેષિએ ાજાને સારી પેઠે રંજીત કર્યાં. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ કુમારપાળ ચરિત્ર ત્યારબાદ એક પ્રહર દિવસ થયે એટલે તેણે રાજાને કહ્યું. હે દેવ! આપને દેવપૂજનને અવસર થયે છે, એમ મારા જેવામાં આવે છે. દેવધિનું વચન માન્ય કરી રાજાએ સ્નાન કર્યું. શુદ્ધવસ પહેર્યા અને દેવબોધિને સાથે લઈ તે દેવમંદિરમાં ગયે. ત્યાં સેનાના પાટલા પર શંકર વિગેરે દેવેનું સ્થાપન કરી રાવણની માફક થિર વૃત્તિએ તેણે વિધિ પ્રમાણે પૂજન કર્યું. પછી દેવધિ . હે દેવ ! પરંપરાથી પ્રાપ્ત થયેલા અને ભૂર્ભુવઃ સ્વર્ગમય આ ત્રણ દેવને તેમજ અતિશય પ્રિય એવા વેદોકત ધર્મને ત્યાગ કરી તું શા માટે મૂખની માફક જૈન મતને સ્વીકાર કરે છે? | વેદ અને સમૃતિથી વિરુદ્ધ એ જૈન ધર્મ ઉત્તમ નથી, એજ કારણથી તત્ત્વજ્ઞાની પંડિતે તેને ત્યાગ કરે છે. જે આ જૈન માર્ગ મોક્ષપુરમાં જવાને સરલ હેય તે તારા પૂર્વજે અન્ય માર્ગ વડે શામાટે સંચાર કરે? માટે જે તું તારા આત્માનું હિત ઈચ્છતો હોય, તે નિર્દોષ એવા આ તારા પૂર્વધર્મ ત્યાગ કરીશ નહીં. તે સાંભળી કુમારપાલ છે. આ વેદોકત ધર્મ મોટો છે, પરંતુ તે હિંસામય છે. તેથી મારા મનને તેને વિશ્વાસ રહેતું નથી. છએ દર્શનેની વાણી પરસ્પર અત્યંત વિરોધી હેવાથી શેની માફક કઈ પણ ઠેકાણે મળતી નથી. ફરીથી દેવધિ છે. જે એમ હોય તે બ્રહ્માદિક દેવ અને તારા પૂર્વજોને પણ હું પ્રત્યક્ષ પ્રગટ કરી તને બતાવું, એટલે તું તેમને પૂછી જે. એમ કહી તેણે મંત્રના સામર્થથી તેની આગળ પ્રથમ સંકેત કરેલાની માફક તે સર્વે ને બોલાવ્યા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર અને મૂળરાજ, ચામુંડરાજ, વલભરાજ, દુર્લભરાજ, ભીમદેવ, કર્ણ દેવ, તથા સિદ્ધરાજ એ સાત પિતાના પૂર્વજોને Page #316 -------------------------------------------------------------------------- ________________ હેમાચાર્યચમત્કૃતિ ૨૬૯ પિતાની આગળ પ્રત્યક્ષ જોઈ કુમારપાલ ચકિત થઈ ગયો અને વિનય પૂર્વક તેમને નયે. વેદના ઉચ્ચારવડે કાનને વિષે અમૃતની વૃષ્ટિ કરતા, સત્યજ્ઞાને ત્પત્તિના સ્થાનભૂત, શરીર અને જ્ઞાનથી પણ ચાર મુખવાળા બ્રહ્મા, | હૃદયની અંદર રહેલી લક્ષમીને મુખને પ્રકાશ હાયને શું ? તેમ વક્ષસ્થલમાં કેતુભમણિને ધારણ કરતા તેમજ ચારે હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્ય રહેલાં છે એવા વિષ્ણુ, ત્રણ લેકને જોવા માટે જેમ ત્રણ નેત્રને ધારણ કરતા, હાથમાં ત્રિશુળ, મસ્તકે જટા અને ભાલમાં બાલચંદ્રને ધારણ કતા શંકર, એ ત્રણે દેવ એકઠા થઈ શરીરની ઉત્કૃષ્ટ કાંતિના મિષથી પરમતિષને બતાવતા હોય ને શું ? તેમ કુમારપાલને કહેવા લાગ્યા. હે નરેંદ્ર! અમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર તું જાણ. વળી ત્રણે લેકની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કર્તા અમે છીએ. તેમજ પોતાના ભક્તોને કરેલા કર્મના અનુસારે સંસાર અને મક્ષ પણ કપટ રહિત અમે જ આપીએ છીએ. | અમારો રચેલે વેદધર્મ બહુ પવિત્ર છે. એની ઉપાસના કરનારા કયા પુરુષે સ્વર્ગ અને મોક્ષની નિઃસીમ લહમીને નથી પામ્યા ? માટે બહુકાલની બ્રાંતિને ત્યાગ કરી મુકિત માટે તું અમારૂં ભજન કર. કારણ કે; અમારા જેવા બીજા કોઈ ઉત્તમ દેવ નથી. તેમજ તું મેક્ષની ઈચ્છા રાખતા હોય તે વેદોક્ત ધર્મનું આરાધન કર. એના જે કેઈ બીજે શુદ્ધ ધર્મ નથી, વળી હે રાજન ! આ દેવબેધિયતીંદ્ર અમારી મૂર્તિ છે. એનું વચન માન્ય કરી પોતાનું કાર્ય તારે કરવું. ત્યારબાદ તેના પૂર્વજે બેલ્યા. હે વત્સ ! અમે સાતે મૂલરાજ Page #317 -------------------------------------------------------------------------- ________________ २७० કુમારપાળ ચરિત્ર વિગેરે તારા પિતરાઈએ છીએ. તને ઉપદેશ આપવા માટે અમે અહીં આવ્યા છીએ, એ વાત નક્કી સમજવી. તારા પૂર્વજોએ આચરેલા માર્ગને શા માટે તું ત્યાગ કરે છે? પ્રાચીન માર્ગને ત્યાગ કરવાથી થની માફક મનુષ્યને નકકી નાશ થાય છે. આ ત્રણ દેવ અને એમણે કહેલા ધર્મને ભાવથી આશ્રય કરી ત્રણે લોકની લક્ષ્મીને અમે હંમેશા ભોગવીએ છીએ. હે વત્સ! જેમ અમે પિતાના પૂર્વજોના કમને એ નથી, તેવી રીતે તુ પણ સત્યની માફક પ્રાચીનમાર્ગનું ઉલ્લંઘન કરીશ નહીં. એમ કહી તેઓ ત્યાંથી અદશ્ય થઈ ગયા. રાજા આશ્ચર્ય સાગરમાં ગરક થયે. સોમેશ્વર અને તેમના વચનનું મરણ કરતે રાજા જડ સરખો થઈ ગયે. તારા કહ્યા પ્રમાણે હું વર્તીશ. એમ કહી કુમારપાલે દેવબોધિને વિદાય કર્યો. પછી ચક્રવર્તીની જેમ પોતે સુંદર ભેજન કર્યું. હિમાચાર્યચમત્કૃતિ વાગભટ મંત્રી તે જ વખતે હેમચંદ્રસૂરિની પાસે ગયા અને દેવબોધિની સર્વ હકીકત નિવેદન કરી. તેણે કહ્યું. હે ભગવન્! તે પૂજ્ય મહાત્મા કેઈપણ અલૌકિક ચમત્કારી દેખાય છે. તેણે મંત્રો વડે બાંધિને જેમ શંકર વિગેરે દેવેનું આકર્ષણ કર્યું. એવા એના પ્રભાવે અયકાંત મણિ લેહની જેમ રાજાના ચિત્તને નકકી વશ કર્યું છે. માટે આપે એવું કરવું જોઈએ કે કુમારપાલ પિતાના ધર્મમાં ગળીને રંગ વસ્ત્ર પર જેમ અતિશય સ્થિર થાય. સૂરિએ મંત્રીને કહ્યું. આ બાબતમાં તારે કોઈપણ પ્રકારની ચિંતા કરવી નહીં, પરંતુ સવારે કોઈપણ રીતે રાજાને વ્યાખ્યાનમાં તારે લાવ. એ પ્રમાણે સૂરદ્રને પ્રભાવ જાણી મંત્રી બહુ ખુશી થયે, પછી તે સાયંકાલના સમયે રાજસભામાં ગયે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ગુરુમહિમા ૨૦૧ કુમારપાલે માને કહ્યું. હું મંત્ર ! ખેલતા ખરી? વખાધિ મહાત્માનું સામર્થ્ય ઇશ્વરના સરખુ છે, તેં જોયું ? મંત્રી વિનયપૂર્વક બેલ્યે. હે સ્વામિ ! એના મહિમાની શી વાત કહું ! તેની આજ્ઞામાં સુર અને અસુરો શિષ્યની માફક વર્તે છે. ચંદ્ર કલાવાન છે, તે પણ તેનામાં સાળ જ કલાએ રહેલી છે અને એનામાં તા ઘણી કલાઓ છે. જેથી તેણે ત્રણે જગતના લેાકેાને જીત કર્યાં છે. ત્યારપછી ભૂપતિએ વાગ્ભટને પૂછ્યું. આપણા ગુરુ હેમાચાય માં આવું કલાકૌશલ્ય છે કે નહીં? તે તું કહે. આપણા ગુરુ એમ કહેવાથી પણ સ્વામીના હૃદયમાં હેમાચાય ઉપર વિશેષ પ્રીતિ છે, એમ જાણી મંત્રી ખુશી થયા અને તે આળ્યે, હે સ્વામી! આ આપણા આચાર્ય સ`કલાદિકમાં પ્રાયે કુશળ હશે, કારણ કે રત્નાકરમાં રત્નાના અસંભવ હોય નહી”. રાજાએ વિચાર કર્યાં. આ મામતને નિણ ય તા કરવા. એમ ધારી તેણે કહ્યું. સવારે ત્યાં જઈ આચાર્યશ્રીને પૂછીશું. એ પ્રમાણે નક્કી કરી મંત્રીને વિદ્યાય કર્યાં. મંત્રી પણ સૂરિન પાસે ગયેા અને આ સવવૃત્તાંત નિવેદન કર્યુ. પછી તે પેાતાના સ્થાનમાં ગયા. સૂરિએ પેાતાના શિષ્યને કહ્યું. પ્રભાતમાં વ્યાખ્યાન સમયે નૃપાદિકના સમક્ષ મારૂ આસન તારે નીચેથી ખેંચી લેવું. ભીતથી દૂર સાતગાદીનુ` આસન રચ્યું. તેની ઉપર વ્યાખ્યાન માટે આચાય મેઠા. અધ્યાત્મ વિદ્યાવડે આંતરિક પાંચે પ્રાણવાયુને નિરોધ કરી સિ”હાસનથી કઈક ઉંચા રહી ગુરુમહારાજે અમૃતના ઝરણા સમાન | સુદર વ્યાખ્યાનને પ્રારંભ કર્યાં. Page #319 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિ તે સમયે કુમારપાલ વિગેરે જનેાથી સભા ચિકાર ભરાઈ હતી. પરમતત્વના આધ આપનાર સૂરિની દેશના સાંભળતાં સભ્યો લેાકેા પરપ્રાના આસ્વાદ લેતા હેાય ને શુ' ? તેમ આનંદમાં લીન થઈ ગયા. વળી સૂરીશ્વરના વચનરૂપ અમૃતના સિચનથી સભાસદોના શરીરે રામાંચના મિષથી પુણ્યના અંકુરાએ પ્રગટ થયા. એમાં કંઈ આશ્ચય નહીં. ૨૭૨ ખાખર વ્યાખ્યાનના રંગ જામ્યા હતા, તે સમયે પ્રથમ શિક્ષા આપેલા શિષ્ય ઉભા થઇ ત્યાં આન્યા અને સભ્ય લેાકના દેખતાં ગાંડાની માકક તેણે ગુરુનું આસન ખેંચી લીધું, છતાંપણુ દેવની માફક ગુરુમહારાજ નિરાધાર રહ્યા અને અસ્ખલિત વાણીવડે પૂર્વની માફક વ્યાખ્યાન કરવા લાગ્યા. એ પ્રમાણે ગુરુમહારાજની સ્થિતિ જોઈ કુમારપાલ વિગેરે સભ્યજને બહુ વિસ્મય પામ્યા અને ચિત્રામણની માફક ક્ષણમાત્ર સ્થિર રહી મનમાં વિચાર કરવા લાગ્યા. સર્વ કલાઓના સ્થાનભૂત દેવાધિને પ્રથમ જોયા હતા, પરંતુ તેને કેળના આસનનો પણ આધાર હતા. વળી તે મૌનધારી હતા. તેથી તેના શરીરના વાયુ જીતવામાં મુશ્કેલી આવે નહી. અને આ સૂરીદ્રતા નિરાધાર રહી વ્યાખ્યાન આપે છે, માટે આ સ્થિતિ ઘણી આશ્ચય ભરેલી છે. આ સૂરીદ્ર સિદ્ધ, બુદ્ધ, બ્રહ્મા કે, શું ઈશ્વર છે? અન્યથા એમની શકિત આવી શકિત આવી અદ્ભુત કયાંથી હોય? અમારા ગુરુમાં નિરાધાર રહેવાની કલા છે કે નહી, તે સ ંદેહને દૂર કરવા માટે આ સૂરીદ્ર પાતે આ પ્રમાણે નિરાધાર સ્થિતિની કલા ખતાવે છે. આ સૂરી'દ્રને વિષે કેવલ કલાએ દીપે છે, એટલુ' જ નહી પરંતુ પરચિત્તના અવધારણથી સ`જ્ઞપણુ પણ સ્પષ્ટ દેખાય છે. તે સમયે નિરાધાર રહી સૂરીશ્વરે દોઢપ્રહર સુધી અમૃતની વૃષ્ટિ કરતા હોય, તેમ અમૃતની નદી સમાન ધમ દેશના આપી. Page #320 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મિક તથા કથા સાહિત્ય, િવોચો. ચા. વસાવો. પુસ્તક નું નામ કિમ' રચયિતા ( પ-00 1 કíયાગ મા-૧-૩ 50-00 પૂ. શ્રીમદ્ બુદ્ધિસાગર સર.મ.સા. 2 આbiદયા પદ HuA HI..E.3 90-00 3 H5867 પદસંગ્રાહક VC0 4 શ્રાધક હમીરપ . પ બ5 ટ્રધ્યવિચાર પ-00 કે પરમાતમ યોY 11-00 9 પરમામદ47 21-00 8 ૮૮uઅને ટ્રધ્ય 90-00 9 પાથેય. પ-00 10 ૮૪/રાતિચjરાંતિકા 10-00 Qઆ શ્રીમદ્ આ971સાગર સૂરિ મ.સા. | CYથા દસારd. 11 લઇX 248TIR (1ર રંઘાણી (પ્રા)મા | ર0-00 13 ll RR6TIકર પ-00 . 14 પ્રામાકર, પ-00 15 ઓHIઠી આJI [ભીમસેકચરિયું ર0-00. (16 સુરસુંદરીચ3-WI-17માં 40 00 , પ. 17 ઘંટાકર્ણ કWસિંz ગારnta] | ર0-0 પૂi Sીમ ચોપાધ્યાટારિ.સસ. 18 ચિઠારી પ્રોત્વસ્થa - - dtg5ની સપ ટ્રસ્ટ મઠડી / પ્રાપુર) કૌ0.8t-us - શ્રી બુદ્ધિસાગરસાર શ્રીપ સમાધિ મંદિર સ્રર૪રોડજાપર(GJ) 390 શ્રી કચ્છ-કkt-શાળt-પ્રકા૨dઠા ટ્રસ્ટ દ83.8૪ર૪ 'સુતોષા'6vguદ સોસાયટી, statusીસંગ્રહ સામે,પાલડી અમદદil 20067. Stuffet 58 HહેTી. સાગર પ્રી પાદશાહ ઝપી પોળ,અમદLIE- 80001.