SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ બહુશ્રુત બ્રાહ્મણ ૧૭૩ શ્વાન, ગર્દભ, ચાંડાલ, મદિરાપાત્ર, રજસ્વલા સ્ત્રી અને દેવપૂજક-દેવદ્રવ્ય ખાનાર, એ સર્વને સ્પર્શ કરવાથી સલરનાન કરવું પડે.” એમ શાસ્ત્રમાં કહેવાથી અન્ય વર્ગના લેકેને પણ શ્વાનને સ્પર્શ નિષેધેલ છે, તે તમે બ્રાહ્મણ થઈ તમારા શરીર પર આ કુતરાઓને બેસાર્યા છે, આ શું કહેવાય ? આપના કહેવાથી અમેએ લેભથી આ કામ કર્યું છે. એમ તેઓનું વચન સાંભળી ફરીથી વૃદ્ધ બો. જો એમ હોય તે આ જગત લેભને લીધે પાપરૂપ સમુદ્રમાં ડુબે છે. એ વાત સત્ય છે. यन्नीचाायण यदुग्रभुजगव्याघ्रद्विपादिग्रहो___ यत्पाथोधिविगाहन गिरिमहाकान्तारचारोऽपि यत् । यन्मातापितृबान्धवादिहनन चौर्यादि दुष्कर्म य तल्लोभस्य गुणौघमेघपवनस्यात्यूर्जित स्फूर्जितम् ॥१॥ લેભનું પરાક્રમ એટલું બધું બળવાનું છે કે, જેને લીધે નીચ મનુષ્યને આશ્રય લે પડે છે. તેમજ પ્રચંડ સર્પ, વ્યાઘ અને હસ્તીઓનું ગ્રહણ, સમુદ્રપ્રવેશ, પર્વત અને ભયંકર વનની અંદર ગમન, માતા, પિતા અને બાંધવાદિકને ઘાત, તથા ચાદિદુષ્કર્મ કરવા પડે છે. એટલું જ નહી પણ અનેક સદ્ગુણરૂપી મેઘને વિખેરવામાં પવન સમાન તે લેભ જ ગણાય છે.” ક્રોધાદિક પણ લાભથી પ્રગટ થાય છે. સર્વ વિપત્તિઓનું સ્થાન લે છે. તેમજ લેભમાં સર્વ દેષ રહેલા છે. લેભથી પ્રાણુને વિનાશ થાય છે. માટે હે વિપ્ર જ્યારે તે મસ્તક બહાર નીકળી “બુડે છે” એમ કહે ત્યારે તમારે તેની આગળ લેભથી બુડે છે એ પ્રમાણે ઉત્તર આપ.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy