SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ શંભલીશરાજા ૧૮૩ તેની અંદર રાજાએ અતિ મહર પ્રાસાદ, સરોવર અને ઉદ્યાને તૈયાર કરાવ્યા તેમજ પિતાની રાજધાની પણ ત્યાં લઈ ગયે. તે સમયે ત્યાં ચૌદસે કેટી વિજાવાસ હતા. ઉપર અને નીચે મળીને હજારે લક્ષાધિપતિએ હતા. | સર્વ સમૃદ્ધિઓને વિસ્તારની ચિત્રકૂંટની સંપત્તિ જોઈ કયો માણસ વિચાર ન કરે, કે ચિત્રાંગદરાજા સ્વર્ગ સંપત્તિને લુંટારે નથી? એ પ્રમાણે ચિત્રકૂટની જાહેજલાલી હતી. શંભલીશરાજા અન્યદા મહાન પરાક્રમી શત્રુઓને નિલ કરનાર શંભલીશ નામે કન્યકુમ્ભ દેશના રાજાના સાંભળવામાં આવ્યું કે, ચિત્રાંગદની પાસે સુવર્ણ દાયક સવર્ણ પુરુષ રહે છે, તેને લેવા માટે શંભલીશ રાજાએ સુભટ સાથે ચિત્રાંગદપર યુદ્ધ કરવાની તૈયારી કરી. પ્રલયકાલમાં સુભિત થયેલા સમૃદ્ધોની માફક અતિબલવાન સૈન્યવડે પૃથ્વીતલને પ્લાવિત કરતે શંભલીશ રાજા ચિત્રકૂટગિરિની પાસમાં આવી પહોંચે અને તેના નીચે તેણે નિવાસ કર્યો. ચિત્રાંગદરાજાને ખબર પડી કે, કન્યકુજને રાજા સૈન્ય સાગર સાથે નીચે આવી પડે છે, તો પણ સ્વર્ગસ્થની માફક તેના મનમાં કિંચિત્ માત્ર ભીતિ થઈ નહીં. ચિત્રકૂટ પર રહેલા લેકે પણ વિમાનમાં રહેલા દેવોની માફક આંનદથી ઈચ્છાપૂર્વક વિલાસ કરતા હતા. ત્યારબાદ શંભલીશરાજાના હુકમની મદોન્મત્ત તેના સુભટો ઉન્મત્ત થયેલા હાથીઓની માફક કિલ્લે તેડવા પ્રયત્ન કરવા લાગ્યા કેટલાંક સુભટો ટાંકણુ લઈ તેડવા લાગ્યા. કેટલા પાષાણેથી ભેદવા લાગ્યા. પરતું વજયી બનાવેલ હોય તેમ તે કિલ્લાને કેઈપણ રથળેથી તેઓ તેડી શકયા નહીં. અને તેઓ થાકીને બેઠા. રાજાએ વિચાર કર્યો-“ઉત્સાહ રાખે એ લક્ષ્મીનું મૂળ છે.” એમ નીતિકારે કહે છે. માટે ઉદ્યમ છોડે નહીં, એમ જાણી ઉદ્ધત એવા પિતાના સુભટવડે કિલ્લાને રોકી ત્યાં જ તેણે
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy