SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ કુમારપાળ ચરિત્ર શત્રુના સુભટે અગ્નિની જવાલા સમાન જળહળી રહ્યા છે, પરંતુ એને પરાજય થવાને હશે તે તે એની મેળે જ ભાગી જશે. એ પ્રમાણે ચૌલુક્યરાજાની વાણી સાંભળી કેઈક ચારણ અવસરેરિત વચન રાજા પ્રત્યે બે. હે કુમારપાલ! “તું કોઈ પ્રકારની ચિંતા કરીશ નહી, પિતાનું ચિંતવેલું સિદ્ધ થતું નથી, જેણે તને રાજ્ય આપ્યું છે, તેજ પુરુષ તારી ચિંતા કરશે.” શત્રુઓને પરાજ્ય કરવામાં બળવાન એવી તે ચારણની વાણીરૂપ શકુનને સ્વીકાર કરી ગૂર્જરેશ્વર હજારો સુભટોથી યુક્ત વૈરીઓ ઉપર ઉતરી પડ્યો. શત્રુઓના પ્રાણ સાથે ધનુષ ખેચ્યું અને પિતાના જયની આશા સાથે ધનુષપર બાણ ચઢાવ્યું. એકત્ર થયેલે દુરરીઓની પરંપરાઓને પણ મૃગલીઓની માફક વિરતા શ્રીગૂર્જરેશ્ચર બી પંકિતઓ પ્રવર્તાવી. ગુર્જરેશ્વર એવી રીતે બાણ મારે છે કે ગ્રહણ અને મેચનની ક્રિયા કેઈપણ જોઈ શકતા નથી અને ભયને લીધે તેઓ નહી વિંધાયેલા છતાં પણ પિતાને વિધાયેલા માનતા હતા. આ સામંતે શત્રુઓ સાથે મળેલા છે, એ પ્રમાણે તેમની માફક આપણી પણ આ લેકમાં નિંદા મા થાએ, એમ વિચાર કરી તિણું મુખવાળા સર્વે ચાલુક્યનાં બાણ શત્રુઓનાં હૃદય ભેદી બહાર નીકળી બહુ દૂર ગયાં. સર્વ અંગે લાગેલાં ચૌલુક્યનાં બાવડે પુરાઈ ગયેલા સુભટો વિરલક્ષમીના આલિંગનથી રોમાંચિત થયા હોય તેમ શોભતા હતા. સૈનિકોએ ઉડાડેલી ધૂળના સમૂહ વડે કલ્યાચેલા મેઘમંડલમાં ભૂપતિએ રચેલી બાણકિતઓ વૃષ્ટિની ધારા સમાન દેખાતી હતી. હસ્તપક (મહાવત)ના અભિપ્રાય મુજબ ચાલતે રાજકુંજર (હાથી), રાજાની સંમતિ પ્રમાણે યુદ્ધમાં હાથીને ચલાવતે મહાવત
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy