SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ જટિલ શુદ્ધિ ૧૫૧ તપસ્વીનું રક્ષણ કરવાથી તમને ઘણું પુણ્ય થશે. તે સાંભળી ખેડુતને દયા આવી. તું હીશ નહીં, એમ કહી ખેડુતે તેને પાંદડાંમાં ગોપવી દીધું અને તેની પાસે તે ઉભે રહ્યો. “ખરેખર દુખીને ઉપકાર કેણ ન કરે?” નીચે અને ઉપર મર્મસ્થલને ભેદનાર તીક્ષણ કાંટાઓથી પીડાતા કુમારપાલ આંખ મીચી મડદાની માફક ઢગલાની અંદર પડી રહ્યો. ક્ષણમાત્રમાં જીવની પાછળ પોતે કરેલાં કર્મની જેમ સૈન્ય સહિત સેનાપતિ તેનાં પગલાં તે જેતે તેની પાછળ તે થાનમાં આવ્યો. ત્યાંથી આગળ તેનું પગલું સેનાપતિના જોવામાં આવ્યું નહી. તેથી તેને બહુ ક્રોધ થયેલ અને શંકરની માફક કોપાયમાન થઈ ખેડુતને પૂછવા લાગે. હે ખેડુત ! રથુલ ખભા, મોટા ભુજ અને માથે જટાવાળે કઈ યુવાન પુરુષ અહીંથી નીકળતાં તેં જે છે કે નહીં? જલદી બોલ! ખેડુત છે. હું મારા કામમાં ગુંચવાયો છું, આ બેરડી. એનાં પાંદડા પાડુ છું. અહીં તે કોઈ માણસ મારા દેખવામાં આવ્યો નથી. જટિલ શુદ્ધિ ત્યારબાદ સેનાપતિએ ચારે દિશાઓમાં તેની શોધ માટે પિતાના સુભટને મેકલ્યા અને પોતે પણ સંસારમાં જીવની માફક તે સ્થાનમાં વારંવાર ફરવા લાગ્યા. તે સુભટ પણ ચારે તરફ ફરી ફરીને થાકી ગયા. પછી સેનાપતિને આવીને કહેવા લાગ્યા. કઈ પણ રથાનમાં એ જટિલને પત્તો લાગતું નથી. તે સાંભળી સેનાપતિ ભયભીત થઈ ગયે. પછી તે રાજાની પાસે ગ. સર્વ વૃત્તાંત યથાસ્થિત ભૂપતિને નિવેદન કરી બહુ શેકાતુર થઈ ગયે. ત્યારપછી રાજાએ હુકમ કર્યો. જે કઈ માણસ કુમારપાલને પત્ત
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy