SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ એ પ્રમાણે બહુ આગ્રહથી પૂછે તે મારું તારે જાહેર કરવુ. કુમારપાળ ચરિત્ર નામ તેમની આગળ ઉડ્ડયનમ ત્રી આ પ્રમાણે સૂરીશ્વરનું વચન સ્વીકારી રાજા પાસે ગયા અને સર્વ હકીકત નિવેદન કરી રાજાએ પણ તે પ્રમાણે સ્વીકાર કર્યાં, રાત્રીના સમય થયે.. નવીન મહેલની ઉપર વિજળી પડી, જેથી નવીન રાણી મળી ગઈ. તે સાંભળી રાજાને ઘણુા ચમત્કાર થયા. પ્રભાત કાળમાં રાજાએ મંત્રીને પૂછ્યું, આ ચમત્કારી વાત તને કોણે કહી હતી? તે જ્ઞાની મહમદ મારા જીવનદાતા છે. આ ખાખત મને ન સૂચવી હેત તે હુક પણ જરૂર મળી જાત. માટે એ મહાત્મા કોણ છે? તે તું જલદી કહે, મંત્રી ખેલ્યા હું રાજન્ ! આ સમય તે વાત કહેવાના નથી, કારણ કે રાજ્યલીલાને લીધે તે વાત સાંભળવાની ખીલકુલ આપને ુરસદ નથી. રાજાએ બહુ આદરપૂર્વક કહ્યું. હું મંત્રીશ્વર ! તું એમ કેમ ખેલે છે? મારા પ્રાણરક્ષકને પણ શુ હુ' નહી સાંભળુ`? એ પ્રમાણે ભૂપતિએ બહુ આગ્રહ કર્યાં ત્યારે મત્રીએ કહ્યું, હે રાજન ! પ્રથમ સ્તંભતી’–ખંભાતમાં આપે પૂછ્યું હતું કે મને સુખશાંતિ કયારે મળશે ? તે પ્રશ્નના જવાબમાં જેમણે રાજ્યપ્રાપ્તિની એક પત્રિકા લખી મને આપી હતી, તે શ્રી હેમચંદ્રસૂરિએ આ ખામત જણાવી હતી. એમ કહી મંત્રીએ તે પત્રિકા રાજાને મતાવી અને રાજાએ તરત જ તે વાંચીને વિસ્મિત થઈ સૂરીશ્વરનું સ્મરણ કર્યું. પછી તે મેલ્યા. હું મ`ત્રીશ્વર ! અહા ! આ સૂરીશ્વરનુ જ્ઞાન કેવુ' અદ્ભુત છે ! રાજ્ય મળવાના સમય તેમજ આજે વિદ્યુત્પાતની સૂચનાથી મારૂ મન એમના પર બહુ વિશ્વસ્ત થયુ છે. હાલમાં તે સૂરીશ્વર કર્યાં છે ? મંત્રીએ કહ્યું, આપને આશિષ આપવાની ઇચ્છાથી હાલમાં તે અહી' પધાર્યાં છે.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy