________________
(૨૨)
યોગદૃષ્ટિસમુચ્ચય
વિનિશ્ચય થાય છે, અને તેથી કરીને તેને સમ્યક્ પ્રતીતિવાળી, ખરેખરી ખાત્રીવાળી (Real conviction) અંતરાત્મામાં હૃદયમાં ઠસી જાય એવી સચેટ અંતરંગ શ્રદ્ધા ઉપજે છે. આનુ નામ સંપ્રત્યયાત્મક શ્રદ્ધા છે.
અથવા તે। આ શ્રદ્ધાના ખીજો આજ્ઞાપ્રધાન પ્રકાર પણ આ શાસ્રયાગીને હાય છે. અમુક પુરુષ આપ્ત છે, વિશ્વાસપાત્ર છે, વિશ્વાસ રાખવા ચેાગ્ય છે, એવા પુરુષપ્રામાણ્યથી-પુરુષપ્રતીતિથી આ શ્રદ્ધા ઉપજે છે. અને તેવે આપ્ત પુરુષ તા રાગ-દ્વેષ-મેહ આદિ દોષથી રહિત એવા નિર્દોષ નિવિકાર વીતરાગ પુરુષ જ હાઈ શકે, એટલે એવા આપ્ત પુરુષનું વચન પરમ પ્રમાણ છે, પરમ પ્રતીતિ ચેાગ્ય છે, તદ્ઘત્તિ' કરવા યાગ્ય છે, એવી તેને શ્રદ્ધા હાય છે. કારણ કે તે એમ ભાવે છે કે–વીતરાગે કહેલું તત્ત્વ સૂક્ષ્મ છે, હેતુઓથી તે હણી શકાતુ નથી, અને તે આજ્ઞાગ્રાહ્ય ( આજ્ઞાથી ગ્રહણ કરવા યેાગ્ય) છે. કારણ કે વીતરાગ અન્યથા કહે નહિ.' માટે મ્હારે એ વીતરાગ વચનમાં સંશયનું બીજ પણ ઊગવા દેવું ચેાગ્ય નથી.
6
આજ્ઞાપ્રધાન
શ્રદ્ધા
“કાળની હીનતાથી, ઉત્તમ જ્ઞાનના વિચ્છેદ જવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા કેાઈ અન્ય કારણથી મારા સમજવામાં તે તત્ત્વ આવતું નથી, પરંતુ અંત ભગવતે અંશમાત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ. કારણ એએ નિરાગી, ત્યાગી અને નિસ્પૃહી હતા. મૃષા કહેવાનું કંઈ કારણ એમને હતું નહિ. તેમ એએ સર્વજ્ઞ, સદશી" હાવાથી અજ્ઞાનથી પણ મૃષા કહે નહિ:
,,
“તે પ્રાપ્ત કરવા વચન કેાનુ સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માને તે જેણે અનુભવ્યું.
“ સંશય ખીજ ઉગે નહિ. અંદર, જે જિનના કથને અવધારૂ,
રાજ્ય સદા મુજ એ જ મનેરથ, ધાર થશે અપવગ ઉતારુ‘. ’’ શ્રીમદ્ રાજચ’દ્રજીપ્રણીત શ્રી મેાક્ષમાળા.
“ તા પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો;
ર પ્રભુ
। આજ્ઞાએ થાશુ તે જ સ્વરૂપ જો....અપૂર્વ અવસર૰”-શ્રીમદ્ રાજચ'દ્રજી “આજ્ઞા આરાધન વિના, કિમ ગુણસિદ્ધિ થાય ?”
દાન
તપ શીલ વ્રત, નાથ આણુા વિના,
થઇ માધક કરે ભવ ઉપાધિ.’ “ દેવચંદ્ર આણામે ખેલે, ઉત્તમ યુંહિ પ્રસિદ્ધ રે” *" सूक्ष्मं जिनोदितं तत्त्वं हेतु' भनैत्र हन्यते । आज्ञाग्राह्यं हि तद् ग्राह्यं नान्यथादिनी जिवाः ॥ " 66 तमेव सच्चं निःसंकं जं जिणेहि पवेइअं । "
—શ્રી દેવચ’દ્રજી
આલાપપદ્ધતિ. —શ્રી આચારાંગસૂત્ર