________________
તારાદષ્ટિ ‘ભવ માને દુઃખખાણ-સતેનું ચિત્ર ચરિત્ર
(૨૧) ત્રિવિધ તાપથી નિરંતર બળી રહ્યો છે, એમ તે પ્રત્યક્ષ દેખે છે; આ ભયાકુલ સંસાર સંસારમાં સર્વત્ર ભય ભય ને ભય જ વ્યાપી રહેલ છે, એમ તેને
જણાય છે. તે જુએ છે તે “ભોગમાં રોગને ભય છે, કુલને પડવાનો ભય છે, લક્ષમીમાં રાજાને ભય છે, માનમાં દીનતાને ભય છે, બલમાં શત્રુને ભય છે, રૂપથી સ્ત્રીને ભય છે, શાસ્ત્રમાં વાદનો ભય છે, ગુણમાં ખલને ભય છે, અને કાયા પર કાળને ભય છે. એમ સર્વ વસ્તુ તેને ભયવાળી દેખાય છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે, એવું તેને પ્રતીત થાય છે. આમ આ સંસાર ભયાકુલ હેઈ કેવલ દુઃખરૂપ જ છે, સંસારમાં જે જે સુખસાધન મનાય છે તે પણ બધાય પરમાર્થથી સુખાભાસરૂપ હોઈ દુઃખરૂપ જ છે, ઇંદ્ર-ચક્રવત્તી આદિની પદવી પણ દુઃખરૂપ જ છે, એમ તેના આત્મામાં નિશ્ચય થાય છે. કારણ કે—
પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળે, રોગના ભયવાળે, આજીવિકાના ભયવાળે, યશ હશે તે તેની રક્ષાના ભયવાળ, અપયશ હશે તે તેને ટાળવાના ભયવાળે, લેણું હશે તે તેને લેવાના ભયવાળે, દેણું હશે તે તેની હાયવોયના ભયવાળે, સ્ત્રી હશે તે તેની ..ના ભયવાળે, નહિં હોય તે તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળ, પુત્ર-પુત્રાદિક હશે તે તેની કડાકૂટના ભયવાળો, નહિં હોય તે તેને મેળવવાના ખ્યાલવાળે, એછી ત્રાદ્ધિ હશે તે વધારેના ખ્યાલવાળે, વધારે હશે તે તેને બાથ ભરવાના ખ્યાલને, એમ જ પ્રત્યેક સાધન માટે અનુભવ થશે.”
–શ્રીમદ્ રાજચંદ્ર એટલે તે મુમુક્ષુ પુરુષ ભાવે છે કે-હે જીવ! આ ભયરૂપ સંસારમાં ચારે ગતિમાં ભ્રમણ કરતાં તું અનંત દુઃખ પામે છે. ભીષણ નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં, કુદેવ ગતિમાં, ને
કુમનુષ્ય ગતિમાં તું તીવ્ર દુઃખને પ્રાપ્ત થયેલ છે, દારુણ અસહ્ય દુઃખ વૈરાગ્યભાવના તે ચિરકાળ સહ્યા છે, શારીરિક માનસિક દુઃખ તે વારંવાર અનુભવ્યા
છે. હે જીવ! અશુચિ બીભત્સ ને મલમલિન એવા અનેક જનનીઓના ગર્ભવાસમાં તું ચિરકાળ વચ્ચે છે. સમુદ્રના પાણી કરતાં પણ વધારે માતાના ધાવણ તું ધાવ્યો છે. તારા મરણ સમયે સાગરજલ કરતાં પણ વધારે આંસુડા તારી માતાઓએ સાચું છે. મેરુપર્વત કરતાં પણ વધારે તારા કેશ-નખ વગેરે કપાયા છે. હે જીવ! આ
x“ भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं; ___ माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्या भयं ।
शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं, ' સર્વ વડુ માન્વિત મુવિ નૃળ વૈ વામાન્T ”—શ્રી ભર્તુહરી
| (અર્થ માટે જુઓ-શ્રીમદ્ રાજચંદ્રકૃત ભાવનાબેધ). "ऐहिकं यत्सुखं नाम सर्व वैषयिकं स्मृतम् । न तत्सुखं सुखाभासं किन्तु दुःखमसंशयम् ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત શ્રી પંચાધ્યાયી