Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ ઉપર પિતાની વિશેષ અભિરુચિ બતાવવાનો પ્રયત્ન પણ કર્યા વિના જ પિતાના શાસ્ત્રમાં તે સૌને તેમણે યથોચિત સ્થાન આપ્યું છે. એમ કરવાથી, પ્રત્યક્ષ અનુભવના. નકકર પાયાની આસપાસ સિદ્ધાંતિક વાદવિવાદની વસ્તુ તેના ઉચિત મહત્ત્વ અનુસાર ગાવાઈ રહે છે, અને વિવિધ દર્શનપ્રકારો અને સાધનાપ્રકારનો એક અનોખો સમન્વય અને અનુબંધ રચાય છે, આ પતંજલિના સમય પહેલાં બીજાં હિંદુ દર્શને તથા બૌદ્ધ અને જૈન સિદ્ધાંત પણ દર્શનપે વ્યવસ્થિત થઈ ગયાં હતાં, એમ આપણે • પતંજલિના સમયની દષ્ટિએ સ્વીકારવું જોઈએ. પરંતુ પતંજલિ પિતાનું કામ એ બધા સૈદ્ધાંતિક વિખવાદથી બહાર રહીને જ કરે છે. વસ્તુતાએ તે પોતે ખાસ કશી સિદ્ધાંતિક ગડભાંજમાં પડતા જ નથી. જે એક જગાએ (૪, ૧૫-૧૬ ) બાહ્ય પદાર્થનું ચિત્તથી સ્વતંત્રપણે અસ્તિત્વ ચર્ચવામાં આવ્યું છે, ત્યાં પણ કઈ વાદ કે વિવાદનું નામ પાડવ્યા વિના તેમણે માત્ર પિતાનું મંતવ્ય જ રજૂ કરી દીધું છે. બધા સિદ્ધાંત જુદા જુદા જે સાધનમાર્ગ નિરૂપે છે, તે સાધનમાર્ગોમાં રહેલ સાધનશક્તિ – કે જેના વડે જ તે આધ્યાત્મિક સાધન એવું નામ પ્રાપ્ત કરી શકે, તેટલાની જ તેમને જાણે ગરજ છે. બૌદ્ધ જેવા ક્ષણિકવાદી કે વેદાંત જેવા માયાવાદી સિદ્ધાંત બાહ્ય સૃષ્ટિ વિષે ‘તે ક્ષણિક છે', કે ‘મિથ્યા છે' એવા છેક જુદા જુદા સિદ્ધાંત નિરૂપે છે. પરંતુ છૂટવાના પ્રયત્ન કરનાર, અને જેને એ બાહ્ય ક્ષણિક કે મિથ્યા દષ્ટિનું જ્ઞાન થાય છે, અને જે એ જ્ઞાનને આધારે ભાગ કે કર્મ કર્યા કરે છે, એવું ચિત્ત કે જ્ઞાતા તેમને સ્વીકાર જ પડે છે; અને જ્યાં સુધી દુ:ખ કે અજ્ઞાન દૂર ન થાય ત્યાં સુધી પુરુષાર્થ કરવાનું પણ નિરૂપવું જ પડે છે. એટલે બાહ્ય પદાર્થો, તેમનું જ્ઞાન અને તદનુરૂપ ક્રિયા કરનાર જ્ઞાતા-ભોક્તા એ બાબતે સોને અમુક છે૧. ગ્રીન પાનાં ૧૪ અને ૧૫ સૂત્રોમાં પણ કે જ્યાં ધમ-ધમાકની ચર્ચા છે, ત્યાં ટીકાકાર વાચપતિ જણાવે છે કે, વિનાશિક બૌદ્ધોના મતનું ખંડન છે. અશે કે અમુક સ્વરૂપે સ્વીકારવી જ પડે છે. પતંજલિ મુનિને પણ એટલી જ ગરજ છે. અલબત્ત, મુક્ત દશા અને મુક્ત થનાર તત્વની બાબતમાં પણ વાદવિવાદ હોઈ શકે છે, તથા તેની સાથે જ એ મુક્ત દશા અને પરમ તત્વ તથા સંસારી દશા અથવા સંસાર વચ્ચે શે સંબંધ છે, એ પ્રશ્નમાંથી આ સૃષ્ટિવાદ અને સંસારવાદન ઝઘડે પણુ આવીને ઊભે જ રહે; પરંતુ પતંજલિ પિતાના વિષય પ્રત્યેની વફાદારીને કારણે એ બધી પંચાતમાંથી અળગા જ રહે છે. જોકે, સાધનામાર્ગોની બાબતમાં પણ મતભેદ અને સાચાખાટાપણાને વિખવાદ ઓછો ન હોઈ શકે. પરંતુ પતંજલિ મુનિ એ બાબતમાં ખરા અર્થમાં ઉદારમતવાદી તથા વાસ્તવદશી છે, અને એ જ તેમનું અને ખાપણું છે. તે તે બધા સાધનામાર્ગોના બાહ્ય કલેવરની પાછળ રહેલું ગતત્વ જોઈ લે છે, અને પછી તેમને તેમનું યોગ્ય સ્થાન આપી દે છે. અલબત્ત, ગસૂત્રમાં તેમની એ રૂપે નેધ ન હોય, તથા હોવાની જરૂર પણ નથી. કેમ કે, પતંજલિ કંઈ સાહિત્યને કે ઈતિહાસને ગ્રંથ નથી લખવા બેઠા. જોકે, તેમાં એ બધી જુદી જુદી પ્રાચીન વસ્તુઓની છાયા પરિભાષા કે વિચારણા રૂપે આવ્યા કરે, તથા તેમને તેમની જુદી જુદી એતિહાસિક પરંપરાઓ રૂપે જુદી પાડવાનું સંશાધન એક રસિક વિષય બને, અને વેગસુત્રના અર્થગ્રહણમાં તેની રીતે કંઈક મદદ પણ કરે; પણ એ આ ગ્રંથની મર્યાદા બહારની એક જુદી જ ચર્ચા ગણુાય, જે અલગ ગ્રંથ રૂપે રજૂ કરવા ઉપર છોડવી જોઈએ.. ગવિદ્યાને પણુ પિતાના નિરૂપણુ અંગે અમુક સિદ્ધાંતભાગ તે સ્વીકારીને જ ચાલવું પડે. કશા જ સિદ્ધાંતભાગની પાશ્વભૂમિ વિના તે તેને ચાલે જ શી રીતે ? એ બાબતમાં તે મુખ્યત્વે સાંખ્ય તરીકે જાણીતી થયેલી પ્રક્રિયાને અનુસરે છે; પણ એ અમુક મર્યાદામાં જ, ઉપનિષદોની બ્રહ્મવિદ્યા પોતે એક વખત સાંખ્યયોગ નામે પણ ઓળખાતી હતી. 2.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142