Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 51
________________ યોગ એટલે શુ'? આંચકાને લઈ ને ) તેના ચીલામાંથી ઊંચકાઈ જાય છે, ને તેથી ચાલુ પ્રક્રિયામાં તેનું સ્મરણ સરખું રહેતું નથી. તે કાળે ચિત્તનું કઈ નવું જ પડે ઊખડી આવતું હશે, કે જેને જગતના વ્યવહારના ચાલુ પડ જોડે વિચ્છેદ કે વિયેાગ હોય; પણ તે કથાંક નીચે દટાયેલું રહેતું હોય. મૂછાં, લવરી, ગાંડપણ, ॰ આ જાતની મૂઢ ચિત્તભૂમિના આવિષ્કારા ગણાય. તે થાય તેની આપણને પેાતાને ખબર નથી પડતી; પારકાના પ્રત્યય પરથી જ આપણે તે જાણી શકીએ છીએ. આથી આ બધાં ચિત્તની મૂઢ ભૂમિનાં વ્યજને વૃત્તિવિચારમાં નથી આવતાં. કેમ કે, વૃત્તિ તે સ્વપ્રત્યય કે જાત-ભાન વગર સંભવી ન શકે. પેલાં વ્યંજના તો શરીર-મનની રાગદશાનાં છે અને તેથી તેમને શરીરોગ પેઠે ઠીક કરવાં જોઈ એ છે. ** અર્વાચીન યુરેપીય માનસશાસ્ત્રમાં ગાંડપણ ઇ॰ જેવાં મૂઢ રહેતાં ચિત્તનાં વ્યંજનેાને અભ્યાસ થવા લાગ્યા છે. તેમાં એક એવી પરિભાષા યેાજીને આ બધુ સમજાવાય છે કે, ચિત્ત કેાઈ ને કંઈ કારણે ચાલુ પેાતાના કામથી ત્રિયુક્ત થઈ જાય છે — જગતના પ્રત્યક્ષ વ્યવહારથી અને તેના સંસ્કારાથી વિસ્તૃત બની કે વિખૂટુ' પડીને કામ કરે છે. એનાં કારણે। પણ ચિત્તના કાર્યનું સ્વાસ્થ્ય જાળવવામાંથી જ ઉદ્ભવે છે; શરીરનું સ્વાસ્થ્ય માટે જ જેમ રોગ થાય છે, એ ન્યાયે ચિત્તની રાગદશા એ છે. અહી આપણે એ કારણેામાં ન પડીએ. જણાવવાનુ એટલું છે કે, ચિત્તની આવિયુક્તતા મૂઢ ચિત્તભૂમિમાં આવે છે એમ સમજી લઈ શકાય. આપણા માનવ વ્યવહાર જાળવવા Jain Education International ચિત્તની ભૂમિકાએ અને માનવ જીવનના સાફલ્યની દૃષ્ટિએ જે ચાલુ ચિત્તતંત્ર ચાલે છે, તેમાં ભાન ન રહેવું અને લાકડા પેઠે પડી રહેવું કે લવરી કરવી કે ગાંડપણ દાખવવું, એ બધું આ મૂઠભૂમિ છે. મૂર્છા એમાં આવી જાય, કેમ કે ત્યાં વ્રુત્તિને નાશ છે; ચિત્ત નવી જ–પણ તે અજ્ઞાત – એવી ભૂમિકા પકડે છે. એ કઈ રીતે વૃત્તિવિચારમાં બેસી શકતી લાગતી નથી. ૪૫ સ્વપ્નનું એમ નથી. તે સ્મૃતિ વાટે આપણા ચાલુ જ્ઞાનને વિષય બની શકે છે. ઊંઘમાંથી ઊઠી આપણને યાદ આવી શકે છે કે, આજે ઘણાં સ્વપ્ન આવ્યાં. આવાં આવાં તે આવ્યાં એ બધું યાદ ન રહે એમ બને; પરંતુ સ્વપ્ન યાદ રહી શકે છે, રહે છે; એટલે કે સ્મૃતિ તરીકે તે ચિત્તમાં ઊડી શકે છે. તેથી તેને વૃત્તિવિચારમાં સ્થાન છે. આપણા અગાધ સ્મૃતિ-સ’ચયમાંથી નિદ્રાવૃત્તિને સકર થવાથી (−કે તે વૃત્તિની ભૂમિકામાં કહે તેય વાંધા નહિ.) જે જે વૃત્તિઓ જાગે છે, તે સ્વપ્નસૃષ્ટિ ખને છે. મૂર્છાકાળમાં મૂર્છાનુ` કાઈ નવું ચિત્ત કામ કરતું હશે કે કેમ, એ કેમ કહી શકાય ? કેમ કે સ્મૃતિપટ પર તેનું ભાન જ નથી અકાતું. પરંતુ સ્વપ્નકાળમાં તેનુ પેાતાનું ચિત્ત હોય છે, તે પેાતાના વિશેષ દેશ કાળ અને પિરમાણુમાં છતાં લાગણીઓ અનુભવે છે; આ આપણ સૌને ખખર છે. એટલે કે, સ્વપ્નભૂમિનું ચિત્ત, તે જ્યારે કામ કરે છે તે ક્ષણે, ચાલુ વ્યવહારથી વિયુક્ત દશા તેા ભેગવે છે, પરંતુ જાગ્યે તેની ખબર પડે છે. આથી મૂર્છા પેઠે વિયુક્ત દશામાં હાવા છતાં, તેની પેઠે સ્વપ્ન વૃત્તિક્ષેત્રની બહાર નથી. For Private & Personal Use Only www.jain+litary ag

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142