Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 74
________________ યોગ એટલે શું? અહીં સુધીમાં સૂત્રકારે ૨૩માં સૂત્રના વર' પદ વિષે સમજૂતી પૂરી કરી. હવે gforઘાન સમજાવવાનું આવે છે. તે ૨૮મા સૂત્રથી કરે છે. ૨૮મા સૂત્રને અનુબંધ આ રીતે સમજવું જોઈએ. તેમાં સૂત્રકાર કહે છે કે, એવા (એટલે કે ૨૪થી ૨૭ સૂત્રમાં વર્ણવેલા) ઈશ્વરનું પ્રણિધાન એટલે એ કે, તેના નામને જપ કરે અને તેની સાથે જ તેનો જે અર્થ ઈશ્વરતત્વ છે, તેની મન સાથે પ્રયત્નપૂર્વક ભાવના કરવી. આમ કરવાથી ચિત્ત તેમાં એકાગ્ર બનશે, અને એમ એનું પ્રણિધાન સધાશે. આ પણ એક ગ જ છે. એટલે, સમાધિપ્રાપ્તિ કે યોગસિદ્ધિનું બીજું સાધન જે ઈશ્વરપ્રણિધાન, તે પ્રણવ-જપ અને તેની સાથે ઈશ્વરનું એકાગ્ર ધ્યાન છે, એમ સૂત્રકારે અહીં જણાવી, તે પ્રકરણ એટલા પૂરતું અહીં પૂરું કર્યું. અહીંયાં બેએક પ્રશ્ન વિચારવા જેવા ઊઠે છે : ૧. નામજપને માત્ર પ્રણવનું જ કરવું જોઈએ? કે રામ, કૃષ્ણ, વાસુદેવ, ઇગમે તેને જપ ચાલે? ૨. તેને કેવળ જપ કરે એમાં જ કોઈ શક્તિ રહેલી છે? કે જપની સાથે “ અર્થભાવન હોવું જોઈએ? આ સવાલ ખાસ ઊઠે છે તે અજામિલની પેલી પૌરાણિક આખ્યાયિકાને લઈને, કે જ્યાં અર્થહીન માત્ર નામ-ઉચ્ચારનો મહિમા બતાવ્યો છે. આ બે બાબતોમાં યોગસૂત્રકારને શું કહેવું છે, એ જેવું જોઈએ. ઈશ્વરનું પ્રણિધાન એટલે શું? હ૧ પ્રણવ શ દાર્થ છે ભારે સ્તુતિ. એટલે કે, ઈશ્વરનો વાચક તેના પ્રત્યે અત્યંત સ્તુતિભાવ પ્રગટ કરતા શબ્દ હોય. અને તે શબ્દ આયેના ઈતિહાસના યુગેની પરંપરાથી ? બનેલું છે. અને શબ્દની સંકેત-શક્તિ તેની યુગયુગાંતર-જૂની પરંપરાથી જામે છે અને દઢ થાય છે. તેથી પ્રણવ એટલે રૂઝ એમ જ અર્થ થઈ ગયો હશે. બાકી વ્યક્તિના સંસ્કાર વગેરે પ્રમાણે, તેના દિલમાં પરમ સ્તુતિ અને સમર્પણ ભાવ ઉપજાવે એ કોઈ પણ વાચક ચાલે, કેમ કે તેવી વ્યક્તિને માટે તે “ Trય' છે. એટલે ગયા પ્રકરણમાં કહેલું એમ, ઈશ્વરના નામ વિષે નામ-પસ્તીને જંગ સંભવી નથી શકતો. બીજો સવાલ – તેના કેવળ ઉરચારમાત્રમાં પણ કાંઈ શક્તિ ખરી? સૂત્રકાર સ્પષ્ટ કરે છે કે, કેવળ જપ જ નહિ, પરંતુ તેના અર્થની ભાવના કે મનની અંદર તેનું રટણ કે સંકલ્પન કરવું, એ પણ જરૂરી છે. નામના ઉરચારણ દ્વારા સાધવાને મુદ્દો છે ઈશ્વરપ્રણિધાન. તે તો એક જ રીતે બની શકે કે જો તે ઉરચારની સાથે મન પણ જોડાવાને માટે પ્રયત્નવાળું હોય. એ વાત ખરી કે, ‘મા’ શબ્દની પેઠે “રામ” કે “રમ” ઈ૦ શબ્દ બોલતાં-સાંભળતાંવેંત ઈશ્વરભાવ મનમાં ઊપજે છે – તરમાવન અમુક થાય છે. કારણ કે, એની પાછળ યુગના યુગથી તે તે માનવસમાજે સેવેલી પરંપરાનું ર તે સમાજની વ્યક્તિ પર રહેલું છે. પરંતુ તેથી વધારે એમાં કંઈ માની ન શકાય. ઈશ્વરના વાચક શબ્દમાં આવું in Education in For Private Personal l y

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142