Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 110
________________ યોગ એટલે શું? આગળ જોયું કે, નિરોધ પણ ચિત્તનું લક્ષણ છે. તેમ જ દાકારતા કે એકાગ્ર સમાધિ પણ તેનું લક્ષણ છે. અહીં આગળ વાચકને વિનંતિ છે કે, તે સંપ્રજ્ઞાત નિરોધની ચર્ચા પ્રકરણ ૩૩થી શરૂ થઈ છે, તે ફરી જોઈ જાય, કેમ કે તેને અને સમાપત્તિ-પ્રકરણને નિકટ સંબંધ છે. સંપ્રજ્ઞાન એ જેમ ચિત્તનો ધર્મ છે, તેમ જ સમાપત્તિ છે. સમાપતિ મૂળ પ્રક્રિયા છે, તે વડે સંપ્રજ્ઞાન શકય બને છે. બાળક-ચિત્તમાં સમાપત્તિ છે; સંપ્રજ્ઞાન ધીમે ધીમે જાગે છે. કહે કે, સમાપત્તિના ગર્ભમાં સંપ્ર- જ્ઞાન કે વૃત્તિ રહે છે. સંપ્રજ્ઞાન વડે કે વૃત્તિ વડે, સમાપત્તિ શી છે, તે પકડાય છે. તેથી સમાપત્તિના પ્રકારે સંપ્રજ્ઞાનના પ્રકારની પેઠે પડે છે. તે પ્રકારે ચિત્તના વિતક અને વિચાર એ બેને આધારે પાડવામાં આવ્યા છે. આ પ્રકારે વિષે હવે પછી જોઈશું. સમાપત્તિ- ૨ એ પ્રાજ્યાને પરિણામે ચિત્તમાં ભાન જાગે છે – તે ભાવ કે ઘટના વિષે આપણને પ્રતીતિ થાય છે. ટૂંકમાં, એ પ્રક્રિયામાંથી વૃત્તિ બને છે. અને તેની સાથે તે આપણા જીવનનો ભાગ બને છે. આમ સમાપત્તિ અને વૃત્તિ એક જ પ્રક્રિયાનાં બે અંગ હોઈ એટલાં બધાં નિકટ છે કે, જાણે તે બે પાસાં જ હોય એવાં લાગે છે. પરંતુ અમુક ચિત્તમાં તે જુદાં જોવા મળે છે, જેમ કે ધાવણા બાળકનું ચિત્ત. સમાપત્તિ ત્યાં છે, પણ વૃત્તિ બનીને દેખાતાં વખત લાગે છે. યોગી ધારણા વડે ચિત્તની સમાપત્તિ-દશા અને પછી તેમાંથી વૃત્તિ દશા કમે વિકસતી જોઈ શકે. અને એ કઈ ચમત્કારી શકિત નથી, સાધનાનું ફળ એ છે. ગાંધીજી ઘણી વાર કહેતા કે, આપણે કઈ પણ વિચાર બુદ્ધિથી પહેલે કરીએ છીએ એવું લાગે છે; પરંતુ ખરું એમ હોય છે કે, પહેલાં તો તે, આપણા સમગ્ર સ્વભાવ પ્રમાણે, પિતાનું રૂપ પકડે છે અને પછી બુદ્ધિ વગેરે તેનાં કારણો દલીલ વગેરે પૂરાં પાડે છે. (આ હું મારા શબ્દમાં કહું છું, અને એમણે કહેલાના સાર રૂપે.) જે બરોબર જોઈશું તો આપણને પણ એમ લાગશે. એ કહેવાનો અર્થ એ જ છે કે, માનવ ચિત્તને સમાપત્તિ પહેલી થાય છે અને તેને બરાબર સમજીને શદ તથાઅર્થ બદ્ધ કરવાનું કામ પછી થાય છે. પણ તેમાં સમયનો ક્રમ છે એટલું જ. બાકી બંને કામ એવાં ઓતપ્રોત છે કે, ઘણી વાર તે શું, મોટે ભાગે, આપણને તે જુદાં સમાપત્તિ-૨ કઈ પણ ભાવ કે ઘટના ચિત્ત પર બરોબર આબેહૂબ પ્રતિબિંબ રૂપે પડે છે. તે ક્ષણે ચિત્ત તદ્રુપ બની જાય છે. એમ બનવું એ કુદરતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને સમાવત્તિ કહે છે, એ આપણે ગયા પ્રકરણમાં વિચારતા હતા. Jain Education International For Private & Personale Only www.eliye

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142