SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ એટલે શું? આગળ જોયું કે, નિરોધ પણ ચિત્તનું લક્ષણ છે. તેમ જ દાકારતા કે એકાગ્ર સમાધિ પણ તેનું લક્ષણ છે. અહીં આગળ વાચકને વિનંતિ છે કે, તે સંપ્રજ્ઞાત નિરોધની ચર્ચા પ્રકરણ ૩૩થી શરૂ થઈ છે, તે ફરી જોઈ જાય, કેમ કે તેને અને સમાપત્તિ-પ્રકરણને નિકટ સંબંધ છે. સંપ્રજ્ઞાન એ જેમ ચિત્તનો ધર્મ છે, તેમ જ સમાપત્તિ છે. સમાપતિ મૂળ પ્રક્રિયા છે, તે વડે સંપ્રજ્ઞાન શકય બને છે. બાળક-ચિત્તમાં સમાપત્તિ છે; સંપ્રજ્ઞાન ધીમે ધીમે જાગે છે. કહે કે, સમાપત્તિના ગર્ભમાં સંપ્ર- જ્ઞાન કે વૃત્તિ રહે છે. સંપ્રજ્ઞાન વડે કે વૃત્તિ વડે, સમાપત્તિ શી છે, તે પકડાય છે. તેથી સમાપત્તિના પ્રકારે સંપ્રજ્ઞાનના પ્રકારની પેઠે પડે છે. તે પ્રકારે ચિત્તના વિતક અને વિચાર એ બેને આધારે પાડવામાં આવ્યા છે. આ પ્રકારે વિષે હવે પછી જોઈશું. સમાપત્તિ- ૨ એ પ્રાજ્યાને પરિણામે ચિત્તમાં ભાન જાગે છે – તે ભાવ કે ઘટના વિષે આપણને પ્રતીતિ થાય છે. ટૂંકમાં, એ પ્રક્રિયામાંથી વૃત્તિ બને છે. અને તેની સાથે તે આપણા જીવનનો ભાગ બને છે. આમ સમાપત્તિ અને વૃત્તિ એક જ પ્રક્રિયાનાં બે અંગ હોઈ એટલાં બધાં નિકટ છે કે, જાણે તે બે પાસાં જ હોય એવાં લાગે છે. પરંતુ અમુક ચિત્તમાં તે જુદાં જોવા મળે છે, જેમ કે ધાવણા બાળકનું ચિત્ત. સમાપત્તિ ત્યાં છે, પણ વૃત્તિ બનીને દેખાતાં વખત લાગે છે. યોગી ધારણા વડે ચિત્તની સમાપત્તિ-દશા અને પછી તેમાંથી વૃત્તિ દશા કમે વિકસતી જોઈ શકે. અને એ કઈ ચમત્કારી શકિત નથી, સાધનાનું ફળ એ છે. ગાંધીજી ઘણી વાર કહેતા કે, આપણે કઈ પણ વિચાર બુદ્ધિથી પહેલે કરીએ છીએ એવું લાગે છે; પરંતુ ખરું એમ હોય છે કે, પહેલાં તો તે, આપણા સમગ્ર સ્વભાવ પ્રમાણે, પિતાનું રૂપ પકડે છે અને પછી બુદ્ધિ વગેરે તેનાં કારણો દલીલ વગેરે પૂરાં પાડે છે. (આ હું મારા શબ્દમાં કહું છું, અને એમણે કહેલાના સાર રૂપે.) જે બરોબર જોઈશું તો આપણને પણ એમ લાગશે. એ કહેવાનો અર્થ એ જ છે કે, માનવ ચિત્તને સમાપત્તિ પહેલી થાય છે અને તેને બરાબર સમજીને શદ તથાઅર્થ બદ્ધ કરવાનું કામ પછી થાય છે. પણ તેમાં સમયનો ક્રમ છે એટલું જ. બાકી બંને કામ એવાં ઓતપ્રોત છે કે, ઘણી વાર તે શું, મોટે ભાગે, આપણને તે જુદાં સમાપત્તિ-૨ કઈ પણ ભાવ કે ઘટના ચિત્ત પર બરોબર આબેહૂબ પ્રતિબિંબ રૂપે પડે છે. તે ક્ષણે ચિત્ત તદ્રુપ બની જાય છે. એમ બનવું એ કુદરતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને સમાવત્તિ કહે છે, એ આપણે ગયા પ્રકરણમાં વિચારતા હતા. Jain Education International For Private & Personale Only www.eliye
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy