Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 58
________________ યોગ એટલે શુ? ૫ સેશ્વર વ. તેની સાધના વરપ્રધાન છે. આનાથી પણ યાગ — નિરોધ સધાય છે. આપણે જોયું કે, આ જ ભેદ સાંખ્યદર્શન અને ચેાગદર્શનનેા છે. સાંખ્ય નિરીશ્વર છે ને યાગ સેશ્વરસાંખ્ય છે. આથી ભક્તિ દ્વારા સાધનાને પણ યાગ પોતાનાં સાધનમાં અતાવે છે. ત્યારે સાંખ્યસૂત્રકાર * એટલું જ કહે છે કે, વૈરાગ્ય અને અભ્યાસથી. (વૈચાત્ અભ્યાસાત્ ૨ || ૩-૩૬ !) ચંચળ એવા ચિત્તને પહોંચી વળવા, કેવળ ગણનાની વૈજ્ઞાનિક પૃથક્કરણી રીતે દૃશ્ય જગતને સમજવા ઇચ્છતી સાંખ્ય સાધના ચાલે છે. સાંખ્યવિદ્યા દૃશ્યનાં મૂળ તત્ત્વાને ખોળી કાઢી ૨૪ની સંખ્યા બતાવે છે ને તેના અંતે કહે છે કે, ૨૫મું તત્ત્વ તે પુરુષ કે ચેતન તત્ત્વ છે. સાધનાની આ વૈજ્ઞાનિક ઢબ છે. તેને ગીતાકાર (અ૦ ૨-૫) અઘ્યક્ષતા દિ તિ: કડી, તેને દુઃખથી દેહધારી પામે છે, એવી ટીકા કરે છે. એ જ કાય અર્થે, યાગ દત્તા દ્વારા કામ કરે છે. એટલે કે, તે પ્રતીકા અને સંજ્ઞાએ દ્વારા કામ કરે છે. * ખરું લેતાં સાંખ્યમાં પણ પાતાની દૃષ્ટિના બે પ્રકાર છેઃ ૧. ધારાનવસ્વકર્મા સત્-ટિ: ॥ ૩-૩૨। અને – ૨. વાયત્ અસ્થાનાત્ ચ || -૬ || એક પહેલો માળ આસન, પ્રાણાયામ, અને પેાતાનાં આશ્રમવિહિત કર્માનુષ્ઠાન ” ( સાંખ્ય ૩-૩૬) દ્વારા સધાતા ક્રમ”માગ, અને બીન્ને તે સંન્યાસ દ્વારા સધાતા — વૈરાગ્યપૂર્વકના અભ્યાસમા. ગીતાકાર તેના પ્રારંભમાં અને અંતમાં આવા જ બે પ્રકારની ગડમથલમાં પડેલા અનુનને ઉત્તર આપવા પ્રયત્ન કરે છે. Jain Education International નિરાધનાં એ સાધન ૫ આ માર્ગ પૃથક્કરણને વિજ્ઞાનબુદ્ધિને નથી; કલાની સહજબુદ્ધિની સમન્વયી ઢબનેા છે. એ ભક્તિમાગ પણ કહેવાય છે. ગીતાકાર એની તરફેણ કરે છે. યાગ એને પણ સ્થાન આપે છે, પરંતુ એની એતપ્રેતતા સ્પષ્ટ કરતા નથી. બાકી ખરું જોતાં, માણસ નરી કલા કે નર્યાં વિજ્ઞાનથી ——નરી ભક્તિભાવના કે નરી તર્કબુદ્ધિથી વતી શકતા નથી. બેઉ અરસપરસ ઉપકારક બને, તે જ તે દરેકનું કામ ચાલે છે. તેથી ઈશ્વરપ્રણિધાન કે અભ્યાસવૈરાગ્યને અરસપરસ લેવા-દેવા છે જ. ઈશ્વરપ્રણિધાનમાં અભ્યાસ-વૈરાગ્યનું તત્ત્વ ન હેાય એમ નથી; અને એથી ઊલટ પક્ષે, અભ્યાસ-વૈરાગ્યમાં પ્રણિધાનત્વ કે અપિતબુદ્ધિની અનન્યતા ન હેાય એમેય નથી. ભેદ માત્ર સાધકની વૃત્તિ કે મનના વલણ કે પસંદગી યા રુચિ પરત્વે છે. તેથી જ આપણા ધર્મના ઇતિહાસમાં આ બે પ્રકારને શાસ્ત્રીય સ્થાન અપાયું છે; અને કેવળ શાસ્ત્રનિર્માણની તર્કશુદ્ધતાથી પણ એવા ભેદ પાડવા જોઈએ. બાકી એ વચ્ચે ઉત્તરદક્ષિણતા માનવામાં ખાલિશ નાદાની જ ગણાય, એ વસ્તુ ગીતાકાર તેમના સમન્વયમાં કહી આપે છે. આ બે પ્રકારેાની સમજ હવે પછી જોઈ શું. ૧૩-૧૨-૪૫ " For Private & Personal Use Only * सांख्ययोगी पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः । - ગીતા અ ૬, ૪, www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142