Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 70
________________ ચેગ એટલે શુ? સ્ સેવાથી તેની પાસેથી જ્ઞાન મેળવે છે. ગુરુભાવની આ વૃત્તિ સહજ છે. તેને આરાધવા માટે ગુરુ પ્રત્યે ઈશ્વરભાવ યેાજવામાં આવ્યે છે; અને તે ભાવ વિલસાવવા માટે એની પૂજા, શુશ્રુષા ઇ॰ કરાય છે. સ્વાભાવિક રીતે ગુરુપૂજા એક મેાટી વસ્તુ ગણાય છે. જેમ કે, પુરુ: સાક્ષાત્ પત્રસ્ત છે એમ કહેવાયું છે. ગુરુના મહિમા વિષે થાકખ ધ કથાએ ને ભજને ભાષામાં ઊતર્યાં છે. આ સાદી વાત ઉપરથી સૂત્રકારે ઈશ્વરની ખીજ વ્યાખ્યા કે આળખ આપી છે, તે આ પ્રમાણે— पूर्वेषामपि गुरुः कालेन अनवच्छेदात् ।। २६ ।। -પૂર્વે થઈ ગયેલા આદિ ગુરુઓને પણ તે ઈશ્વર ગુરુ છે. કેમ કે, તે ગુરુએ તે કાઈ ને કાઈ કાળે થયા; ત્યારે ઈશ્વર તેા અકાલરૂપ અનાદિ હાઈ, તેમની પણ પૂને આદિપુરુષ હોઈ, પરમ આદિગુરુ છે. ગુરુ પાસેથી વિદ્યા મળે એમ સાધારણ રીતે માનીએ છીએ. ગુરુને તેના ગુરુ જ્ઞાન આપે, તેને તેના ગુરુ આપે, એમ ગુરુપરંપરાને છેડે પરમ આદિ ગુરુ જે રહેલા છે તે ઈશ્વર છે. તે સર્વજ્ઞ છે, તેથી પરમ ગુરુ છે; તેની આરાધના કરવી જોઈએ, જેથી જ્ઞાન મળે. ૧. જીએ પેલું કબીરનું ભજન—ગુરૂ યિન જૌન યતાને ચાટ? २. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥ ૩. આ જ વસ્તુને ગીતાકારે અ૪, શ્લા ૪--૫માં કહી છે તે જીએ.. Jain Education International ઈશ્વરનું નામ અને રૂપ ૩ આ ઉપરથી ગુરુવાદ જન્મ્યા છે અને જેમ મૂર્તિપૂજા ઇ॰ માં જડ બુતપરસ્તી અને અધશ્રદ્ધાનાં દૂષણ પેદા થયાં છે, તેમ જ ગુરુને નામે પણ થયા કરે છે, એ હિંદુ સમાજમાં સારી પેઠે જોઈ શકાય છે. જો ઈશ્વર આપણ સૌને પરમ ગુરુ છે જ, તે તેજ સાચા ગુરુ છે અને એનુ પ્રણિધાન કરીએ, તે તે ગુરુ આપણને ફળે જ. આ સાત્ત્વિક ગુરુબુદ્ધિ ધારણ કરવી જોઈએ, એમ આ સૂત્ર પરથી તારવી શકાય. ૫-૫–'પર ૧૯ ઇશ્વરનું નામ અને રૂપ આપણે જોયું કે, ઈશ્વર મનુષ્યમાત્રને પરમ આદિ ગુરુ છે, કારણ કે તે અંતર્યામી છે, તે સવજ્ઞ છે; આપણુ દરેકમાં વસેલી જ્ઞાનભૂખને તે જ ખરા ભાગનાર અન્નદાતા છે, કારણ કે ઈશ્વરમાં જ્ઞાનની માત્રાની પરાકાષ્ઠા થાય છે. અને આવા પરમ ગુરુ દરેક પાસે છે; તેને ખેાળવા જવાની જરૂર નથી; તેની પસ ંદગીમાં ભૂલ થવા સંભવ નથી; તે કોઈને માટે કદી ખૂંટનાર નથી; તે ગુરુએને પણ ગુરુ છે. તેની ઉપાસના કરવાની છે—તેની પાસે જવાનું મનુષ્ય શીખવું જોઈએ. એ જ એનું પ્રણિધાન છે. અને આ પણ યાગસિદ્ધિને એક માર્ગ છે. પ્રશ્ન એ છે કે, એની પાસે શી રીતે જવાય ? જે દરેકના અંતરમાં વસેલા છે, જે સજ્ઞતાને પરમ ભાવ For Private & Personal Use Only www.jain+litary ag

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142