Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 71
________________ યોગ એટલે શું? * છે, તેની ઉપાસના શી રીતે કરવી ? તેનું પ્રણિધાન એટલે શું કરવાનું? હવે પછીનાં બે ત્ર! સાધનાના પ્રશ્નને ઉત્તર આપે છે. પરમ ઉપર આપણે જોયું કે, ઈશ્વર પરમ માવ છે, તે કોઈ રગરૂપવાળા સ્થૂળ પદાથ કે વસ્તુ નથી. અને એ ભાવ સનુષ્ય-હૃદયમાં તેના જીવની લગેાલગ– અરે, તેના જીવના પણ જીવરૂપે – જડાયેલા છે. જીવનું જે સનાતન દુઃખ, ન તેાષી શકાય એવી ઉત્કટ જિજ્ઞાસા, કે મેળવવાની ચા સાધવાની સત્તા-અતૃપ્ત ભૂખ કે તૃષ્ણા, એનું સાંત્વન થયું, એ ભાવ તે ઈશ્વરભાવ છે. આવું સાંત્વન મેળવવા માટે મનુષ્ય સતત મથ્યા કરે છે. એ સાંત્વનના પ્રકારો પ્રમાણે તે ઈશ્વરના ભાત-ભાતના ભાવે પણ સમજે છે ને આરાધે છે; પરંતુ તેને પરમ ભાવ જાણતા નથી. છતાં તે મધે છે તે! એ પરમ-ભાવને જ ભેટવાને માટે. મનુષ્ય દુઃખ, અતૃપ્તિ, ધૃષ્ણા કે જિજ્ઞાસા છેડી શકે તે જ તે એ બધાના પરમ-નિર્વાણના જે ભાવ ઈશ્વર છે, તેને છેડી શકે. આમ, પરમ તૃષ્ણા અને પરમ તૃપ્તિ, એ છેકે વસ્તુએ એક જ ઢાલની બે આજૂ સસી છે. આથી જ ઈશ્વરેય જીવની લગોલગ અને તેના જીવપણારૂપે રહેલા ભાવ છે, એમ ઉપર કહ્યું છે; તે દૂમાં દૂર અને નજીકમાં પણ નજીક છે એમ કતુ છે; તેની સ્તુતિ કરતાં કહીએ છીએ-સ્વને માતા મા ત્વમેવ, ત્વમેવ બંધુઘા કરવા મેવ। પરંતુ આવી માનવ સગાઈની ભાષામાં બોલીએ, છતાં તે અમૃત છે એ ભૂલવાનું નથી. Jain Education International ઈશ્વરનું નાસ અને રૂપ ઈશ્વરના આવા સ્વરૂપ વિષે યાજ્ઞવલ્કય ઋષિને નીચેને બ્લેક બરાબર યાદ રાખવા જેવા છે— अदृष्टविग्रहो देवो भावग्राह्यो मनोमयः । तस्योंकारः स्मृतो नाम तेनाहूतः प्रतोदति । (જેનું શરીર અષ્ટ છે, – સાક્ષાત્ જોવામાં ન આવી શકે તેવું છે; એટલે જેને મનુષ્ય પોતાના ભાવ કે ભાવનાથી સમજી કે પામી શકે છે, અર્થાત્ જે મનેમય છે; દેવ કે પરમેશ્વર એવા છે. તેનું નામ ૐકાર છે એમ સ્મૃતિ કહે છે. તે નામથી જો એને મેલાવીએ — તેને જપીએ, તે તેને પ્રસાદ મળે છે. ) હવે વિચાર કરીએ કે, સુક્ષ્મ એવા ભાવને પહેોંચવા માટે મનુષ્ય પાસે શું સાધન છે? સનુષ્ય એવા ઘડાયેલા છે કે, નામ કે રૂપ દ્વારા તે કશું પણ આલંબન લઈ તે જ, સામાન્યપણે રામ એવા કાઈ ભાવને પકડી શકે છે. તેથી ઈશ્વર અવ્યક્ત અનામી છતાં તેને વ્યક્તિત્વ અને નામ આપીએ છીએ. નામ એટલે શબ્દ; અને રૂપ એટલે મૂર્તિ જગતને ધાર્મિક ઇતિહાસ જોઈશું તે જણાશે કે, દરેક યુગમાં અને દરેક પ્રદેશમાં તે તે માનવ સમાજ પાસે આ પરમભાવને માટે કઈનું કઈ નામ છે અને કશું ને કશું તેનું રૂપ મૂતિ કે શ્રુત રૂપે છે. મનુષ્ય આ પરમલાવની નિકટતા અનુભવવા માટે કે તેની ઉપાસના કરવા માટે કે તેનું પ્રણિધાન સેવવાને સારુ નામને અને મૂર્તિને — કોઈ પણ અમુક પ્રતીકને ઉપયાગ કર્યાં છે. For Private & Personal Use Only ૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142