Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ ચિત્ત અને દ્રછા પુરુષ એ બે અત્યંત વિભિન્ન છે; પણું ચિત્ત મુખ્યત્વે પ્રકાશશીલ સત્ત્વગુણનું કાર્યું હોવાથી ચિત્તમાં જે વૃત્તિ હોય તેની સાથે દ્રષ્ટા ચેતનનું, અવિશેષપણું – સાપ્ય રહે છે અને તેથી ચેતનને તેને ભેગા થયે કહેવાય છે (રૂ. ૩૫). ચેતન દ્રષ્ટા પિતે વિષયમાં સંક્રમણુ કરતો નથી – કોઈ વિષય સાથે સંબદ થતો નથી, પરંતુ વિષયાકાર બનેલી ચિત્તવૃત્તિ સાથે તે તદાકાર બની રહે છે, એટલે પિતાના વિષયભૂત ચિત્તવૃત્તિનું જ્ઞાન તેને થાય છે એમ કહેવાય (૪. ૨૨). આમ ચિત્ત એક બાજુથી ગ્રાહ્ય વિષયના આકારનું બને છે, અને સાથે સાથે બીજી બાજુ દ્રષ્ટાના ચેતનપ્રકાશથી ૫ણ ઉ૫રંજિ અને છે; એટલે તે “સર્વાર્થ' છે, અર્થાત્ ચહીતા-ગ્રહણુ-ગ્રાહ્ય એ ત્રણે અર્થોનું સાધક છે (૪, ૨૩). યોગસૂત્રમાં ત્રીજા અને ચેથા પાદમાં અમુક બાબત ઉપર સંયમ એટલે કે ધારણા-ધ્યાન-સમાધિથી કેવી કેવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તેનું નિરૂપણું ભરચક આવે છે. હવે, કોઈ અમુક બાબત ઉપર આમ “સંયમ” એટલે કે એકાગ્રતા અને સમાધિ કરવા માત્રથી વિશિષ્ટ પ્રકારનાં જ્ઞાન તેમ જ શક્તિ પ્રાપ્ત થાય એમ કહેવું, તેને અર્થ એ કે, જગતના ધડતર અને પ્રયોજન બાબત તેની પાછળ અમુક ખાસ સિદ્ધાંત પૃહીત છે. તે સિદ્ધાંત કંઈક અંશે આ પ્રમાણે સમજાય છેઃ આપણી અવિદ્યા-વાસના-કર્મ અનુસાર જ પદાર્થને “જોવાની ” આપણી શક્તિ નિયત થાય છે; અને જ્ઞાન એ એક પ્રકારની વેદના અર્થાત 'ભોગી પણ સાથે સાથે છે જ; એટલે તે પદાર્થને ભાગ પણ તે અનુસાર જ નિયત થાય છે. એ બધા દશ્યને આમા એટલે કે સ્વરૂપ જ પુરુષના ‘ભગ’ અર્થ છે (૨. ૨૧) અર્થાત પુરુષના ધર્મ-અધમ રૂપ નિમિત્તથી (અને તેથી તેને પ્રાપ્ત થનારા ફળ-ભેગની અપેક્ષાએ) નિયત થયેલ છે. બાહ્ય પદાર્થોના એ કલેવરમાં “જાત્યન્તર ' સુધીને ફેરફાર અમુક નિમિત્તથી થઈ શકે; જેમ કે, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિ ઇત્યાદિ વડે (૪. ૧). પદાર્થોની જાતિ – સ્વરૂપ નિયત કરનાર જે સીમાએ છે, તે એ નિમિત્તો વડે તેડી નંખાય છે, અને તે પદાથાના મૂળ ઘટક ‘પ્રકૃતિ ' તત્વમાંથી “આપૂર' એટલે કે જોઈતા ભરા થઈ તે પદાર્થ નવું રૂપ કે જાતિ પ્રાપ્ત કરે છે (૪. ૨-૩). એ નિમિત્તોમાં સૌથી પ્રબળ શક્તિ સમાધિની છે; કારણુ કે એના વડે તે ગુમાત્રને ‘પ્રતિપ્રસવ' થઈને કેવળ પુરુષ જ બાકી રહે એવી અંતિમ સ્થિતિ પણ થઈને ઊભી રહે છે (૪.૩૪). . અર્થાત, બાહ્ય પદાર્થ સાચા છે (૪, ૧૪-૭); અને ચિત્ત દ્વારા તેમનું જ્ઞાન આપણને થાય છે; પરંતુ, બાહ્ય પદાર્થનું અત્યારનું નિયત રૂ૫, અને તેમને તે રૂપે જાણુવાની આપણા ચેતનતંત્રની શક્તિ કે સંધાન એ બંને છેવટે તે જ્ઞાતાનાં કલેશ-કર્મ જનિત ધર્માધમને નિમિતે તેવાં છે. જ્યાં કલેશ-કમ-વિપાક-આશય છે જ નહીં, ત્યાં કેવલ્પ જ છે; કારણ કે ત્યાં ય-ભાગ્ય એવું કાંઈ છે જ નહીં; ત્યાં દ્રષ્ટા અને દશ્યને સંબંધ નથી (૨. ૧૭; ૧. ૨૧; ૨. ૨૫-૬; ૨, ૪૯; ૩, ૫૪, ૩, ૫૫), અથવા કહે કે, ગુણોને પ્રતિપ્રસવ થઈ જતે હેવાથી દશ્ય પિતે જ રહેતું નથી; કેવલ ચિતિશક્તિ જ બાકી રહે છે (૪. ૩૪); ગુણના પરિણામક્રમની ત્યાં સમાપ્તિ થઈ જાય છે; કારણુંકે, તે કૃતાર્થ થઈ જાય છે (૪. ૩૨). અહીં એટલું યાદ રાખવું ઘટે કે, એ પ્રમાણે દેશ્ય સાથે બધા સંગ દૂર થ એ કંઈ દ્રષ્ટામાં એટલે અંશે દરિદ્રતા ઊભી થવારૂપ નથી. ઊલટું દશ્યને કમ તેની છેવટની કક્ષાએ પહોંચ, એ જ જ્ઞાતમાં કલેશથી થતા શક્તિના ઘાતની પણ પરાકાષ્ઠા છે, એટલે, જેમ જેમ કલેશ દૂર થાય છે, તેમ તેમ દશ્ય, તેને જ્ઞાતા તથા તેનું જ્ઞાન એ ત્રણેમાં જયંતર પરિણામ થાય છે; અને તેથી જ લેશ ઓછા કરે તેવા યમ-નિયમની સિદ્ધિ વડે પણ જ્ઞાન અને શક્તિને કોઈ અભુત વધારો થતે ગસૂત્ર જણૂવે છેજેમ કે, “સત્ય ની પ્રતિષ્ઠા થતાં, ક્રિયા દ્વારા પ્રાપ્ત થતા ફલના આશ્રયરૂપ બનાય છે; એટલે કે, સત્યનિષ્ઠ માણસ જે કોઈ ક્રિયાકલ આશીર્વાદરૂપે કે શાપરૂપે કહે, તે Inin Education Internation For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142