Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ ૪૮ તેમ બને છે (૨. ૩૬ ). · અપરિગ્રહ ની સ્થિરતા થતાં ભૂત-વર્તમાનભાવી જન્મ સંબધી જ્ઞાન થાય છે ( ૨. ૩૯); ‘તપ’ વડે અહિંના ક્ષય થતાં શરીર અને ઇંદ્રિયને લગતી સિદ્ધિ પ્રાપ્ત થાય છે (૨. ૪૩) ઇત્યાદિ. પરંતુ યોગસૂત્રકાર યોગનાં આ અંગામાંથી છેવટનાં ધ્યાનધારણા-સમાધિ એ ત્રણથી [જેમને માટે તે ભેગા એક શબ્દ ‘સયમ’ વાપરે છે (રૂ-૪)], જ્ઞાન અને શક્તિની જે ઉત્તરેતર સિદ્ધિ વર્ણવે છે, તે ખાસ લક્ષમાં લેવા જેવી છે. જેમ કે, સૂર્યમાં સંયમ કરવાથી આખા ભુવનનું જ્ઞાન થાય (રૂ. ૨૬ ); ચંદ્રમાં સક્ષમ કરવાથી તારાવ્યૂહસાન થાય (રૂ. ૨૭); કેંદૂપમાં સંયમ કરવાથી ક્ષુધાપિપાસાની નિવૃત્તિ થાય (રૂ. ૩૦); પરશરીરપ્રવેશ કરવાની શક્તિ પ્રાપ્ત થાય ( રૂ. ૩૮ ); જળ-૫ –કટકમાં ચાલતાં પણ બાધા થાય નહી' ( રૂ. ૩૯); દિવ્ય શ્રેત્ર ( રૂ. ૪૧ ), આકાશગમન ( રૂ. ૪૨ ), ભૂતય ( રૂ. ૪૪), અણિમાદિ સિદ્ધિને પ્રાદુર્ભાવ થાય (રૂ. ૪૫ ); કાયસ'પત્ પ્રાપ્ત થાય (રૂ. ૪૬ ) ત્યાદિ. પણ એ બધા કરતાંય વિશેષ તો એ છે કે, અમુક જગાએ સંયમ કરવાથી વિવેકખ્યાતિ થતાં સર્વ ભાવાનું અધિાતૃત્વ અને સર્વ જ્ઞાતૃત્વ પ્રાપ્ત થાય ( ૨૪૯) અને છેવટે કૈવલ્ય ( રૂ.૫૦ ) પશુ પ્રાપ્ત થાય (રૂ. ૩૧-૬; પર; ૪૨૫, ૪૩૧, ૪૩૪). આમ, ચિત્તવૃત્તિ-નિરોધની યોગસાધના એ કઈ જ્ઞાન કે શક્તિની દૃષ્ટિએ દરિદ્ર બનવાની સાધના નથી; ઊલટું, તેમની પરાકાષ્ટા રૂપ એટલું જ નહી પણુ તેથી પર (રૂ.પ૦) એવી અવસ્થા છે. પરંતુ, ચિત્તની વૃત્તિના સંચમથી જ્ઞાન અને શક્તિની આટલી પ્રચંડ સિદ્ધિ થતી માનવી, એના અર્થ શું ? યોગસૂત્રકાર સ્પષ્ટ જણાવે છે કે, બાહ્ય જગતનું સ્થૂલ સ્વરૂપ નિયત થયું છે, તેમાં દ્રષ્ટા – ભાતાના ‘ અથ ’ જ રહેલા છે ( ૨૨૧); અને એ દશ્ય ‘પ્રત્યય ' દ્વારા એટલે કે ચિત્તની વૃત્તિમાં આઢ થઈને જ (૨૨૦, રૂ.૩૫) દ્રષ્ટાના અર્થ સાધી શકે છે. અર્થાત્ પુરુષના Jain Education International ४९ ધર્માંધ એટલે કે ક્લેશ-કમ દ્વારા તેને જે ભાગ' થવા જોઈએ તે જાતનું ખાદ્ય દૃશ્ય ( ગ્રાહ્ય ), તેને વૃત્તિમાં આઢ કરવા માટેનું ઇંદ્રિયાદિ કરણત ંત્ર ( ગ્રહણુ ), અને છેવટે તે અનુસાર ચેતંનના સારૂપ્સવાળી વૃત્તિ (ગ્રહિતા ) ( ૨૬; ૨૨૩) – એ બધુ ગાવાય છે. હવે વૈરાગ્યથી એ દૃશ્યમાત્રમાં હૈયબુદ્ધિ દૃઢ થાય, તે જે ક્રમે આ બધું ગ્રાહ્ય – ગ્રહણ – ગ્રહિતાનું તંત્ર ગાળવાયું હતું, તેના ‘પ્રતિપ્રસવ ’ થાય. પણુ એ પ્રતિપ્રસવ ગ્રાહ્યને સર્વોમાં લાગુ ન ડે; કારણ કે એમાં આરબ્ધ પૂર્વકની આડ છે એટલું જ નહી, પણ · એ ‘ગ્રાહ્ય ' ખીન્ન ચિત્તોને પશુ સાધારણ છે ( ૨૨૨ ); એટલે કૃતા પુરુષ પ્રત્યે એ ‘ નષ્ટ ’કહેવા છતાં અમુક અર્થમાં અનષ્ટ ' રહેવાનું. તેથી એ પ્રતિપ્રસવ મુખ્યત્વે ગ્રહણુ અને હિતૃ-તંત્રમાં વધુ ઝડપે શરૂ થાય. તેમાંય ગ્રહણુ-તંત્ર કરતાં ગ્રહિત-તંત્રમાં જ વિશેષ થાય. તેથી દશ્યને ત્યાગ અને નાશ એટલે હિતાની દષ્ટિએ ચિત્તવૃત્તિ ઊભી થવાની બાબતમાં જ પલટા. આમ સાધનાની – પુરુષાર્થની દૃષ્ટિએ વૈરાગ્ય અને ચિત્તની વૃત્તિઓના નિરાધના અભ્યાસ એ જ વધુ સ્વતંત્ર વાત કહેવાય. એ પ્રહિતૃ-તંત્રમાં સાચા અર્થમાં પ્રતિપ્રસવ શરૂ થાય, એટલે તાત્ત્વિક રીતે ગ્રહણ અને ગ્રાહ્ય તંત્રમાં એટલા પ્રતિપ્રસવ તે યોગીને માર્ટ સિદ્ધ થાય જ; ભલે બાહ્ય સૃષ્ટિમાં ભીન્ન ચિત્તોના કલેશ કમને સાધારણુ એવું એનું સ્થૂલ સ્વરૂપ કાયમ રહે, તેથી જેટલી આંતર પ્રતિપ્રસવની માત્રા ચહિતૃતંત્રમાં ઊની થાય, તેટલી બાહ્ય ગ્રહણુ અને ગ્રાહ્ય-તત્રમાં યાગીની શક્તિ – સિદ્ધિ ઊભી થાય: સ્થૂલ ઇંદ્રિયાની શક્તિને કે સ્થૂલ પદાર્થોની શક્તિની માત્રાને તેટલા પૂરતી તે ઉલ્લથી જાય. એમ કરતાં કરતાં આંતર પ્રતિપ્રસવની માત્રા એટલી તીવ્ર થઈ ાય કે, તેની જ્ઞાનશક્તિ ઉપર તેનાં કલેશ-કમની અપેક્ષાએ જે કાંઈ આવરણું ઊભું થયું હતું તે દૂર થઈ જાય, ત્યારે તેનામાં ઋતભરા પ્રા અને સર્વજ્ઞતા પ્રગટે. એ પ્રજ્ઞા બાહ્ય પદામાત્રને તેના સાચા સ્વરૂપે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142