Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 48
________________ વેગ એટલે શું? દવત્ર ગણાવવામાં આવે છે, કે જેને પાર કરવું પડે ( જુઓ ગીતા “રાત્રહ્માતિવતંતે' ૬.૪૪) આ શબ્દ નરી કલ્પના પણ હોય. પરંતુ ચિત્ત ઉપર તે એક પ્રકાર સાધક-બાધક સંપ્રજ્ઞાન ફેકે છે. જેમ કે, એક નવલક વાંચીએ, તે કપના જ છે; પરંતુ વાચક તેનાથી ખરી વા જે રસાનુભવ કરે છે. અંગ્રેજીમાં તેને “ફિક્ષન’ - બનાવટ, જૂઠાણું, કપના – કહે છે, તે બહુ યોગ્ય દે આ વૃત્તિને રૂઢ દાખલો અપાય છે, તે જેમકે – “રાહ માથું'. રાહુને ધડવાળું આખું શરીર હોય અને તે માથાની વાત થતી હોય, એમ આ શબ્દો સાંભળવાથી જ્ઞા થાય છે. પરંતુ ખરું જોતાં રાહુ તો માથું જ માત્ર છે – ૬ તેને નથી. છતાં પેલા શબ્દોથી એવું સંપ્રજ્ઞાન ઊઠે છે, વસ્તુસ્થિતિથી જુદું છે. આવી વૃત્તિને વF વૃત્તિ કહે છે. તે ત્રીજો ને અલગ પ્રકાર છેઃ शब्दज्ञानानुपाती वस्तुशन्य: विकल्प : ।।६।। (શદજ્ઞાનને લઈને, પણ વસ્તુના કેઈ પાયા વગ થતું સંપ્રજ્ઞાન એ વિકલ્પ વૃત્તિ છે.) ૪. નિદ્રા ગશાસ્ત્ર માને છે કે, નિદ્રા કે ઊંઘ પણ એ નેખું પડતું સંપ્રજ્ઞાન છે. ઊંઘીને ઊઠીએ ત્યારે આપણે તે યાદ આવે છે; નિદ્રામાં પડયા હોઈએ તે કાળે તે નથી જણાતું, કેમ કે તે વખતે બીજી કો વૃત્તિ જ નથી હોતી – વૃત્તિને અભાવ હોય છે. પા સંપ્રજ્ઞાનના પ્રાંચ પ્રકાર વૃત્તિનો આવો અભાવ પોતે જ એક સંપ્રજ્ઞાન-વિષય બને છે. તેથી જ, ઊંઘમાંથી ઊઠતાં આપણને ખબર પડે છે કે, આજે સરસ ઊંઘ આવી, કે સ્વપ્નો આવ્યા કર્યા, કે ગરબડ થઈને તૂટક તૂટક ઊંઘ આવી, વગેરે. આમ ઊંઘ સંપ્રજ્ઞાનને વિષય બનવાથી તે પણ વૃત્તિ તો ખરી જ. તેને જુદી વૃત્તિ ગણવાનું બીજું કારણ એ પણ છે કે, ત્યાં આગળ વૃત્તિનો વિરોધ નહિ, પણ તેનો સમાવ છે, કે જે પોતે ચિત્તનું અવલંબન બને છે ને ઊંઘની વૃત્તિ જગવે છે. એ દશામાં વૃત્તિનો નિરોધ નથી થતો; અમુકેય વૃત્તિ તો છે જ. તેથી નિરોધથી જુદી પાડવા તેને એક સ્વતંત્ર પ્રકારની વૃત્તિ કહી છે. અભાવના જ્ઞાન પર અવલંબન રાખતી તે વૃત્તિને નિદ્રા નામ આપવામાં આવે છે: अभावप्रत्ययालंबना वृत्तिनिद्रा ।।१०।। જે આપણે નિદ્રામાં પડતું ચિત્ત તપાસીએ તો જણાય છે કે, ખરેખર નિદ્રાનું સ્વરૂપ પણ એ જ છે. કાન, આંખ ઈ. ઈદ્રિયો સીધું જ્ઞાન ન નિપજાવે – એટલે કે, પ્રમાણ, વિપર્યય કે વિકલ૫ વૃત્તિ ન જાગે, મનમાં કશી સ્મૃતિ પણ ન ઊઠે, એટલે ઊંઘ આવી જાય છે. કથામાં ઊંઘી જનાર કે સૂતા પહેલાં કાંઈક પુસ્તક વાંચતા વાંચતાં ઊંધી જનારના દાખલા જે તપાસીશું, તે તેમાં અન્ય વૃત્તિઓને હટાવવાની મુગ્ધ ચેષ્ટા રહેલી દેખાય છે. નિરોધ કરવા મથતો ભેગી આ દશાનેય પાર Jain Education International For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142