Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ યોગ એટલે શુ? ગીતાકાર યાગની વ્યાખ્યા એમ પણ કરે છે કે – યોગ: ધર્મમુદૌરાન્ । - યાગ એટલે કર્મો કરવાની કુશળતા. યોગ એ મનુષ્યજીવન સફળ કરવાની કળા છે. યેાગ આપણું અપ્રતીમ કેળવણીશાસ્ત્ર છે. ગમે તેમ હાય, યાગનેા દાવા મનુષ્યનાં અંગ-પ્રત્યંગ વિચારી એની સર્વાંગીણ કેળવણી કેમ સધાય, તે રજૂ કરવાના છે. આધ્યાત્મિક કેળવણીને અંગે એણે ખાસ વિચાર કરેલા છે એ ખરું; છતાં કેળવણીમાત્રનું સાધન મનુષ્ય-શરીર અને મનુષ્ય-ચિત્ત છે, એટલે એને કેળવવાને જે યુક્તિએ યાગે શેાધી છે તે, કુશળ કેળવણીકારને હાથે, અન્ય ઉપયાગોમાં પણ આણી શકાય. ૧૦ યેગ સ્પષ્ટ જણાવે છે કે, કેળવણીનું સાધન ‘ સંયમ ’ છે, અને એ સાધનની પૂર્વ પીઠિકા નીરેગી શરીર અને નૈતિક જીવન છે. યાગનાં અષ્ટાંગ પર ઊડતી નજર કરવાથી પશુ આ વસ્તુ તે તરત જણાઈ જશે. આ અંગ તે (૧) યમ, (ર) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) ધ્યાન, (૮) સમાધિ. તેમાંનાં પ્રથમ એ માણસના નૈતિક જીવનને મુખ્યત્વે ઘડનારાં અંગ છે. પછીનાં બે અંગ માણસના શરીરને સર્વાંગીણ તાકાત અને તંદુરસ્તી દેનાર છે. આજકાલ પ્રવતી કસરત સ્નાયુઓને કે ખહુ તેા શરીરના સાંધાને જ કેળવનારી ૧. વાચકને અહીં યાદ દેવડાવું કે, શ્રી. અરવિદ ધોષ કૃત ‘A System of National Education ' અથવા શ્રી. કિશોરલાલભાઈ કૃત ‘ કેળવણીના પાયા’ આ યોગશાસ્ત્રને કેળવણીના શાસ્ત્ર તરીકે વિચારીને લખાયેલા ગ્રંથા છે. Jain Education International ચેાગ એટલે શુ? હાય છે. કેટલીક શ્વાસેારાસની કસરતા પણ જોવામાં આવે છે. પરંતુ નાડી તથા શરીરની ગ્રંથીઓને પહોંચનારી કસરતાને અભાવ જ છે. યેાગ જ એક એવું શાસ્ત્ર છે કે જેમાં મનુષ્યને સર્વાંગીણ વિચાર થયેલા જોવા મળે છે. શરીરને માટે કસરત છે એ ખરું, પરંતુ શરીર પોતે પાછું સાધન છે એ ભૂલવું ન જોઈએ. યાગનું પાંચમું ને છઠ્ઠું' અંગ ચિત્તની કસરત છે. તે બે તથા ધ્યાન મળીને જ યાગ જેને ‘સયમ' કહે છે તે વસ્તુ અને છે. અને એ ચેાગનું ખાસ સાધન છે. પૂર્વનાં ચાર અંગે તેને માટે તૈયારી રૂપ ગણાય. અને તેટલે અંશે તેમને પણ યાગ નામ ઘટે છે. તેથી કરીને, ચેાગસૂત્રકાર તેમને અહિરગ કહે છે અને ‘સચમ ’ને અંતરંગ કહે છે. પ્રાકૃત લેાક આ અંતરંગને જ માટે ભાગે ‘યેાગ ’ નામથી સમજે છે, અને બહિરગને સામાન્ય નીતિધર્મ તથા આચારધર્મ જ કહે છે. પરતુ એ બહિરંગ પણ ચેાગની આવશ્યક પૂર્વ ભૂમિકા છે, એ ઘણાના ખ્યાલમાં રહેતું નથી. ૧૧ જીવન ઘડવા મથનારાને બરાબર ખબર છે કે, તે કામ કેવું કપરું છે; તે કેવાં ભારે ધીરજ, ખંત તથા અપ્રમાદ માગે છે. મનની વૃત્તિએ નિર્જીવ નથી કે એક સ્થપતિની પડે સામે પડેલા નકશા મુજખ તેમને ગાઢવી ૧. ચિત્ત પણ શરીરનો જ ભાગ છે અને સ્થૂલ બાહ્ય અંગોની તદુરસ્તી પર ચિત્તની પણ તંદુરસ્તીના આધાર છે. બાહ્ય કરાની સાથે સાથે જ અંતઃકરણ પણ છે, એટલે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ ચિત્ત સ ંભવી રાકે, એ વસ્તુ યોગે ખરેખર પોતાનાં અંગામાં ઉતારેલી છે. ૨. ન્તુ યોગસૂત્ર પા૦ ૩, સ્ ૪ અને છ. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142