Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
ગુરુ મહારાજનો આ જવાબ સાંભળી પ્રેમાભાઈ સમજી ગયા કે ગુરુ મહારાજે આજે વ્યાખ્યાન શા માટે વધુ સમય ચલાવ્યું હતું. અગાઉ બીજા આગળ પોતે કરેલી અજ્ઞાનયુકત ટીકા માટે પશ્ચાત્તાપ થયો અને તે માટે તેમણે મૂળચંદજી મહારાજની ક્ષમા માગી.
એક વખત પ્રેમાભાઈ શેઠના વડે વૈષ્ણવોની નવનાત મળી હતી. તે વખતે નાતના એક-બે આગેવાનોએ જૈન સાધુઓના આચાર વિશેના પોતાના અજ્ઞાનને કારણે મજાક કરતાં કહ્યું કે જૈન સાધુઓને ખાવાપીવાની કોઈ ચિંતા નહિ. રોજ મિષ્ટાન્ન મળે. અને સારું સારું ખાઈને લહેર કરે. એ ટીકા પ્રેમાભાઈએ સાંભળી. એમાણે મૂળચંદજી મહારાજને તે કહી. એટલે મહારાજે કહ્યું કે, ફરી વૈષણવોની નવ જાત મળે ત્યારે મને જણાવજો. કેટલાક દિવસ પછી પ્રેમાભાઈના વડે વૈષણવોની નવનાત ફરી એકઠી થઈ. પ્રેમાભાઈ એ એ વાત મહારાજને જણાવી. એટલે તેઓ મધ્યાહ્નના સમયે એક તરપાણી લઈને તરત વહોરવા નીકળ્યા અને વડે જઈ પ્રેમાભાઈને ધર્મલાભ કહ્યું. મહારાજ વહોરવા પધાર્યા છે એમ જાણી પ્રેમાભાઈ સભામાંથી તરત ઊભા થઈ ગયા અને ગુરુમહારાજને રસોડે લઈ ગયા. બે-ત્રણ મિનિટોમાં જ મહારાજ પાછા ફર્યા અને પ્રેમાભાઈ શેઠ તરત પાછા આવીને ન્યાતના આગેવાનો પાસે બેઠા. કોઈકે કુતૂહલથી પૂછયું, તમારા મહારાજ વહોરવા પધાર્યા અને બસ બે મિનિટમાં જ પાછા ફર્યા ? પ્રેમાભાઈએ કહ્યું, હા, એમને માત્ર ચપટી મીઠાનો જ ખપ હતો, એટલે તે વહોરીને પાછા ગયા. એ જાણી આગેવાનો બોલ્યા, ઓહો ! એક ચપટી મીઠા માટે તમારા મહારાજ ભરઉનાળામાં આ વેળાએ ઉઘાડા પગે કેટલે દૂરથી વહોરવા પધાર્યા ? શું એટલું મીઠું એમની પાસે નહોતું? પ્રેમાભાઈએ કહ્યું, અમારા જૈન સાધુઓ કશી જ ખાદ્ય વાનગી પોતાની પાસે વધુ સમય રાખી ન શકે. દરેક ટંકે વહોરી લાવીને તે વાપરી લેવી પડે. ઘણાખરા મહાત્માઓ તો દિવસમાં એક જ વખત આહાર કરે અને કેટલાયને તો ઘી-દૂધ-દહીં-મીઠાઈ વગેરેની યાવત્ જીવન બાધા હોય. સૂર્યાસ્તથી બીજા દિવસે સૂર્યોદય સુધી કોઈ પાણીનું ટીપું સુધ્ધાં મુખમાં નાખે નહિ.
પ્રેમાભાઈની આ વાત સાંભળી જૈન સાધુઓના આચાર વિશે નહિ જાણનાર અજૈન લોકોને આશ્ચર્ય થયું. જૈન સાધુઓ માલ-પાણી ઉડાવીને લહેર કરે છે એવી ટીકા કરનારા વૈષ્ણવ આગેવાનોએ પોતાની અજ્ઞાનયુકત ટીકા માટે ક્ષમા માગી.
આમ, મૂળચંદજી મહારાજના વ્યક્તિત્વ અને ચારિત્રપાલન ઉપર પ્રકાશ પાડનારા ઘણા પ્રસંગો
મૂળચંદજી મહારાજે વિ.સં. ૧૯૪૪ નું ચોમાસું પાલિતાણામાં શત્રુંજય ગિરિરાજની છાયામાં કર્યું. અહીં તેમની તબિયત બગડવા લાગી હતી. પગમાં જે ફોલો ઊઠયો હતો તે મટતો ન હતો. છાતીમાં પણ દરદ થતું હતું. ઉપચારો કરવા છતાં આરામ થતો ન હતો. એટલે એમને ચાતુર્માસ પછી પાલિતાણાથી ભાવનગર પધારવા માટે વૃદ્ધિચંદ્રજી મહારાજે વિનંતી કરી હતી. તે પ્રમાણે વિનંતી કરવા ભાવનગર સંઘના આગેવાનો પાલિતાણા પહોંચ્યા હતા. મહારાજશ્રી શિખ્યપરિવાર સાથે ભાવનગર પધાર્યા. વૈદોએ જુદા જુદા ઉપચાર કર્યા, પરંતુ ખાસ ફરક પડ્યો નહિ. અશક્તિ
૩૨
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org