Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
નમસ્કાર મહામંત્રથી લઈ દ્વાદશાંગી સુધીનું ઉત્તરોત્તર પ્રાપ્ત થાઓ. ।। ૐ નમો નાળR II
વીતરાગ સ્વરૂપ યથાખ્યાત ચારિત્ર, એ મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ માટે, હું ચારિત્રપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન, આ સિદ્ધચક્ર યંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિને હું ઈચ્છું છું ! મને તે પ્રાપ્ત થાઓ! પ્રાપ્ત થાઓ! જ્યાં સુધી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ન થાઓ ત્યાં સુધી સર્વ વિરતિ ચારિત્ર, દેશવિરતિ, સદવર્તન, સદાચારની મને પ્રાપ્તિ થાઓ !
ચારિત્રને સ્વરૂપ વેદનના અર્થમાં ઘટાવીએ તો તે અપેક્ષાએ નીચે મુજબની ભાવના પણ ભાવી
શકાય.
આત્મસ્થિરતા, આત્મલીનતા, સ્વરૂપ રમણતા, સહજાનંદાવસ્થા એ મારા આત્માનો પરમવિશુદ્ધ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે સહજાનંદીતાની પ્રાપ્તિ માટે, હું ચારિત્રપદના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન, આ સિદ્ધચક્રયંત્ર દ્વારા કરતો થકો, તેના ફળ સ્વરૂપ આત્મસ્થિરતા, આત્મલીનતા, સ્વરૂપ રમમાણતા, સહજાનંદાવસ્થાની પ્રાપ્તિને ઈચ્છું છું તે મને પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ! જ્યાં સુધી સ્વરૂપાવસ્થા, સહજાનંદાવસ્થાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સુખ અને દુઃખથી અલિપ્ત રહી, શાતા અને અશાતાથી પર થઈ, સ્વમાં સ્થિર થઈ, સ્વરૂપમાં લીન બની નિજાનંદની મસ્તી માણતો માણતો સહજાનંદી થાઉં! ॥ ૐ નમો ચારિત્રસ્સ ||
નિરિહિતા, આત્મતૃષા, અણાહારિતા, વીતરાગતા, પૂર્ણકામ એ મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ છે, સહજ શુધ્ધ સ્વરૂપગુણ છે, તે નિરિહિતા, તૃપ્તતા, વીતરાગતા, પૂર્ણકામ અવસ્થાની પ્રાપ્તિ માટે, તપપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્રયંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ અણાહારિપદ, વીતરાગતા, પૂર્ણકામને હું ઈચ્છું છું! મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી વીતરાગતા, આગાહારિતા, પૂર્ણકામની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સર્વ સંયોગો, પ્રસંગો અને પરિસ્થિતિમાં હું સદા સર્વદા સંતુષ્ટ રહું. સમભાવમાં વર્તે. ।। ૐ નમો
તવસા
નમસ્કાર મહામંત્રના પંચ પરમેષ્ઠિ પદો, તેઓના તથા પ્રકારના ગુણોને અંગે, સ્વરૂપપદ, ધ્યાનપદ, સમાધિપદ, સમતાપદ, શાંત-પ્રશાંતપ્રદ, યોગપદ, પવિત્રપદ, આનંદપદ આદિ છે. માટે પંચપરમેષ્ઠિ પદને તથા પ્રકારના ભાવથી, ભાવવાથી, પ્રકારના ભાવને પામી શકાય છે. માટે
હે જીવ ! જો તું તારા વિરૂપથી, વિભાવોથી પીડાય છે તો તું પંચપરમેષ્ટિપદને, સ્વરૂપપદે ભાવશે તો તું સ્વરૂપને, સ્વભાવદશાને પામીશ.
હે જીવ ! તું અશાંત છો ? તો પંચપરમેષ્ટિપદને, શાંત પ્રશાંત પદે ભાવીશ તો શાંત-ઉપશાંતપ્રશાંત ભાવને પામીશ.
સ્વરૂપ મંત્ર
Jain Education International
For Private & Personal Use Only
૧૦૧
www.jainelibrary.org