Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
(૨૪) પ્રબોધચિંતામણિમાં સાધુઓના સત્સંગરૂપી સભાનો ઉલ્લેખ મળે છે. ત્રિભુવનદીપક પ્રબંધ માં સુપુરૂષોના સત્સંગરૂપી પર્ષદાનો ઉલ્લેખ જોવા મળે છે..જુઓ :
સુપરિષ-સંગતિ પરિષદ ટાઉ....૧૭૫ (૨૫) પ્રબોધચિંતામણિ માં શુભ લેક્ષારૂપી નદીનો નિર્દેશ થયો છે. ત્રિભુવનદીપક પ્રબંઘમાં બાર ભાવનારૂપી પાત્રો નૃત્ય કરે છે એમ ઉલ્લેખ છે. જુઓ :
નાચઇ વ્યતિ ભાવન બાર...૧૭૫ (૨૬) પ્રબોધચિંતામણિમાં છત્રીસ ગુગની સ્મૃતિરૂપી છત્રીસ પ્રકારનાં આયુધનો ઉલ્લેખ છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં આચાર્યના છત્રીસ ગુણરૂપી દંડાયુધનો નિર્દેશ થયો છે. જુઓ :
દંડાયુધ ગુરુગુણ છત્રીસ. ૧૭૪ (૨૭) પ્રબોધચિંતામણિમાં પુણ્યરંગ-પાટણ રાજ્યનાં સાત અંગનો ઉલ્લેખ થયો નથી. ત્રિભુવનદીપક પ્રબંધમાં પુણ્યરંગ -પાટણ રાજ્યના સાત તત્વરૂપી સાત અંગનો કવિએ નિર્દેશ કર્યો છે. જુઓ :
સાતિ તત્ત્વિ સમંગ જગીસ. ૧૭૪ (૨૮) પ્રબોધચિંતામણિમાં વિવેક ના પરિવારના વર્ણનમાં ભવવિરાગ નામનો પુત્ર છે. જ્યારે ત્રિભુવનદીપક પ્રબંધમાં વિવેકના પુત્રનું નામ વૈરાગ્ય છે. જુઓ:
જેઠઉ બેટઉ તસુ વયરાગુ.૧૬૯ (૨૯) પ્રબોધચિંતામણિમાં સંવેગ અને નિર્વેદ એ નામના બીજા બે પુત્રો વિવેકને છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં સંવર અને સમરસ નામના બે નાના પુત્ર નો ઉલ્લેખ જોવા મળે છે. જુઓ:
સંવર રામરસ લય કુમાર ૨૬૯ (૩૦) પ્રબોધચિંતામણિમાં કૃપા, મંત્રી, મુદિતા, ઉપેક્ષા નામની વિવેકની પુત્રીઓ છે, ત્રિભુવનદીપક પ્રબંધ માં મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા નામની વિવેકની પુત્રીઓ છે. જુઓ :
મૈત્રી કરુણા મુદિત ઉવેખ, બેટી બહુયરૂપની રેષ. ૧૭૦ (૩૧) પ્રબોધચિંતામણિમાં સમષ્ટિરૂપી વિવેકના પ્રધાનનો ઉલ્લેખ જોવા મળે છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં સમકિતરૂપી પ્રધાનનો નિર્દેશ છે. જુઓ :
મુહિતા મુહવડિ સમકિતુ લેખિ. ૧૭૦ (૩૨) પ્રબોધચિંતામણિમાં માર્દવ,આર્જવ, સંતોષ અને પ્રશમ એ ચાર માંડલિક રાજા છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં ઉપશમ, વિનય, સરલતા, સંતોષ,એ ચાર માંડલિક રાજા છે. જુઓ :
ઉપશમ, વિનય, સરલ, સંતોષ, ચિહુ મહાધર સધર પ્રઘોષ. ૧૭૧
૨૧૨ Jain Education International
શ્રી વિજ્યાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org