Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
ઉપાધ્યાય ૫દની મહત્તા |
ડૉ. રમણલાલ ચી. શાહ ચૌદ પૂર્વના સારરૂપ પંચમંગલ મહાશ્વત સ્કંધ સ્વરૂપ નવકારમંત્રમાં પંચ પરમેષ્ટિને નમસ્કાર છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ જગતનાં સર્વોત્કૃષ્ટ મંગલમય આરાધ્ય પદો
નવકારમંત્રમાં નમો અરિહંતાણ અને નમો સિદ્ધાણં એ બે પદમાં અરિહંત અને સિદ્ધને નમસ્કાર છે. અરિહંત અને સિદ્ધમાં દેવતત્ત્વ રહેલું છે.
નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં અને નમો લોએ સવ્વ સાહૂણં એ ત્રણ પદમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણમાં ગુરુતત્ત્વ રહેલું છે.
એસો પંચ નમુક્કારો, સવ્ય પાવપ્પણાસણો; મંગલાણં ચ સવ્યસિં, પઢમં હવઈ મંગલમ્ - ચૂલિકાનાં આ ચાર પદમાં ધર્મતત્ત્વ રહેલું છે.
દેવ, ગુરુ અને ધર્મ – એ ત્રણે તત્ત્વમાં જ્યાં સુધી સાચી સ્વાભાવિક શ્રધ્ધા ન પ્રગટે ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય. જ્યાં સુધી નવકારમાં રસ-રુચિ ન થાય ત્યાં સુધી જીવ આધ્યાત્મિક માર્ગે બીજી ગમે તેટલી સાધના કરે તો પણ તે બહુ ફળદાયી ન નીવડે. એટલા માટે જ શાસ્ત્રકારે નમસ્કાર બૃહત ફળ પ્રકરણમાં કહ્યું છે :
सुचिरंपि तवो तवियं, चिन्नं चरणं च बहु पढियं ।
जइ ता न नम्मुकारे रई, तओ तं गयं विहलं ॥ (ઘણાં લાંબા કાળ સુધી તપશ્ચર્યા કરી હોય, બહુ સારી રીતે ચારિત્રને પાળ્યું હોય, વ્યુતશાસ્ત્રનો બહુ અભ્યાસ કર્યો હોય, પરંતુ જે નવકારમંત્રમાં રતિ ન થઈ હોય (આનંદ ન આવતો હોય) તો તે સઘળું નિષ્ફળ ગયું એમ જાણવું.)
નવકારમંત્રમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેને કરેલા નમસ્કારમાં ગુરુને નમસ્કાર છે. કોઈકને પ્રશ્ન થાય કે દેવને નમસ્કાર કરવામાં અરિહંત અને સિદ્ધને જુદા જુદા નમસ્કાર કરાય છે, કારણ કે દેવનાં એ બે સ્પષ્ટ ભિન્ન સ્વરૂપ છે. પરંતુ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણેને જુદા જુદા નમસ્કાર કરવાને બદલે એ ત્રણે માટે માત્ર ગુરુ શબ્દ પ્રયોજીને નમસ્કાર ન કરાય ? દેવ, ગુરુ અને ધર્મનું શરણું આપણે લઈએ છીએ ત્યારે ચાર શરણ જુદાં જુદાં બોલીએ છીએ. ચત્તારિ શરણં... માં અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારનું શરણું લઈએ છીએ. આચાર્ય અને ઉપાધ્યાયનું જુદું શરણ લેતા નથી. સાધુના શરણમાં તેમનું શરણ આવી જાય છે. તો પછી નવકારમંત્રમાં તેમ ન કરી શકાય ?
૧૪૧
ઉપાધ્યાય-પદની મહત્તા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org