Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
પ્રવૃત્તિ થાય છે. પણ સમય ક્યારે પણ વીતતો નથી. એતો સદૈવ રહે જ છે. પણ માણસ પોતે વીતી જાય છે.
મૃત્યુને માટે પણ કાળ શબ્દ વપરાય છે. માથે કાળ ભમે છે. મૃત્યુ માથે મંડરાય છે. તારો કાળ આવી ગયો છે. તારું મૃત્યુ નજીક છે. શ્રીમાન્ કાળધર્મ પામ્યા, એટલે મૃત્યુ પામ્યા, કાળધર્મ પામ્યા એટલે કાળે પોતાનો ધર્મ બજાવ્યો. કાળનું તો કામ જ છે મનુષ્યજીવનને સમાપ્ત કરવાનું, માણસને ઉઠાવી લેવાનું .
(મનુ. ૯.૩૦)
અર્થાત્ સમય સૂઈ રહેલા મનુષ્ય માટે કળિયુગ છે, જાગૃત માટે દ્વાપર છે, કામ કરવા તૈયાર થયેલા માટે ત્રેતા છે અને જે કાર્યપ્રવૃત છે તેના માટે તો સદાયે સત્યયુગ છે.
कलि : शयानो भवति स जाग्रद् द्वापरं युगम् । कर्मस्वभ्युद्यतस्त्रेता विचरस्तु कृतं युगम् ॥
મનુ મહારાજે ચારે યુગનાં લક્ષણો મનુષ્યના સંદર્ભમાં બતાવી દીધાં છે. આ જ વાત સૂત્રકારે વિસ્તારથી કરી છે.
(ઐતરેય પ્રા.)
અર્થાત્ બેઠાડુનું ભાગ્ય પણ બેઠેલું રહે છે. ઊભેલાનું અર્થાત કાર્ય કરવા કટિબધ્ધ થયેલાનું ભાગ્ય ઊભું હોય છે. જે પડી રહે છે, સૂતો હોય છે. તેનું ભાગ્ય પણ સૂઈ રહે છે. અર્થાત ભાગ્ય હોય, તો યે ફળદાઈ બનતું નથી, પણ જે ચાલતો રહે છે, શ્રમપરાયણ છે, તેનું ભાગ્ય પણ ચાલતું ફરતું રહે
છે.
920
आस्ते भग आसीनस्योर्ध्वस्तष्ठति तिष्ठत: । शेते निषद्यमानस्य चराति चरतो भगः ॥ चरैवेति ।
આ સૂત્રમાં પરિશ્રમનો જ મહિમા કર્યો છે. માત્ર મુમુક્ષુઓએ જ નહિ, પણ સંસારીએ પણ પ્રતિક્ષણ હર હાલમાં જાગરૂકતા સતત જાળવી રાખવી પડે છે.
भयं प्रमत्तस्य वनेष्वपि स्याद् यत:
स आस्ते सहषटसपल : ।
जितेन्द्रियस्यात्मरतेर्बुधस्य ग्रणश्रय : किं नु करोत्यवद्यम् ॥
Jain Education International
(શ્રી મદ્ ભાગવત ૫-૧-૧૭)
શી ત્રિસંઘ કર્યો.ઠા
For Private & Personal Use Only
દી
www.jainelibrary.org