Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
સાધનાના કારણરૂપ હોવાથી તેને મોક્ષની સાધન કહ્યું છે. સૃષ્ટિની તમામ જીવરાશિમાં મનુષ્ય ટોચ પર છે. મનુષ્ય જ બુદ્ધિ, વિવેક અને પ્રજ્ઞાથી વિભૂષિત છે. સાધના અર્થ જ એનો મહિમા છે. નહિતો પશુના દેહ જેટલી પણ તેની કિંમત નથી. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં મનુષ્યદેહની એક પળ પણ વિશેષ મૂલ્યવાન છે.
શરીર ધર્મની આરાધના-સાધના માટેનું માધ્યમ છે. અને એજ અપેક્ષાએ મનુષ્યદેહને શુભ કહ્યો છે. બાકી તો માટીની માટી જ છે.
જેના વડે ઊંચામાં ઊંચુ કામ લઈ શકાય એવું કોઈ શરીર હોય, તો તે માનવશરીર છે. એને આળસુ એદી બનાવાય નહિં, એને પ્રમાદવશ પાપથી અભડાવાય નહિ. એની સાથે ચેડાં ન કરાય. મંદિરની જેમ સ્વચ્છ અને પવિત્ર રાખવાની અપેક્ષાએ જ સર્જનહારે તે આપણને સોંપ્યું છે. પાંદડાનું જ પ્રતીક લઈ બીજી ગાથામાં ભગવાન કહે છે :
कुसंग्गे जह ओसबिन्दुए, थोवं चिट्ठइ लम्बमाणए।
एवं मणुयाण जीवियं,
समयं गोयम ! मा पमायए। જેમ દાભની અણી પર રહેલું ઝાકળનું બિંદુ પડવાની તૈયારીમાં રહે છે, એક ક્ષણ માત્ર ટકીને સરી પડે છે, તેવી રીતે મનુષ્યનું જીવન પણ પડવાની તૈયારીમાં જ રહે છે. ઘણું અસ્થિર અને ટૂંકું છે. અલ્પ સમય જ ટકે છે. માટે હે ગૌતમ ! તું સમય માત્રનો પ્રમાદ કરીશ નહિં. કોઈ પ્રમાદ સેવવો યોગ્ય નથી. જીવન ક્ષણભંગુર છે.
રવીન્દ્રનાથ ટાગોર આ જ વાત કવિતામાં કહે છે
Let your Life lightly dance on the edges of Time, like a dew drop on the tip of a leaf.
ટાગોરે અવશ્ય ઉત્તરાધ્યયન સૂત્ર વાંચ્યું હશે! ક્ષણભંગુરતા વિષે સૂત્રોમાં કહ્યું છેઃ
જન્મ સાથે મૃત્યુ જોડાયેલું છે, અને યૌવન ડહાપણ સાથે. લક્ષ્મી ચંચળ છે. આ પ્રકારે (સંસારમાં) બધું જ ક્ષણભંગુર છે, અનિત્ય છે.
સંસારમાંની બધી જ વસ્તુઓ અંગેની અનિત્યતા, ક્ષણભંગુરતા ખાસ કરીને જૈનદર્શન અને બૌદ્ધદર્શનમાં સ્પષ્ટપણે અને ભારપૂર્વક દર્શાવવામાં આવી છે.
જન્મ સાથે મૃત્યુ જોડાયેલું છે. મૃત્યુ એ કોઈ અલગ ઘટના નથી. It in not an event, but a Process.
૧૨૬
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org