Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
આત્મારામજી મહારાજનું પૂજા સાહિત્ય |
ડૉ. કવિન શાહ શ્રી આત્મારામજી મહારાજ વીસમી સદીના પ્રથમ આચાર્ય ભગવંત, શ્રુતજ્ઞાનનાં પ્રખર અભ્યાસી અને જ્ઞાનના ભવ્ય વારસાના પ્રસાર માટે જીવનભર પુરુષાર્થ કરીને યથા નામ તથા ગુણાઃ નામને ચરિતાર્થ કરી બતાવનાર મહાત્મા હતા. એમના સંયમ જીવનનો સાર શ્રુતજ્ઞાનોપાસના અને જિનશાસન પ્રત્યેની અપૂર્વ શ્રધ્ધા ભકિત છે. આજે સાધુ અને શ્રાવક વર્ગમાં જ્ઞાનમાર્ગ કંઈક ઉપેક્ષિત હાલતમાં છે ત્યારે આવા મહાપુરુષના જીવનની જ્ઞાનોપાસનાનો વિચાર કરતાં જિન શાસનની પ્રભાવનાના સાચા પ્રતીક સમા ગુરુદેવનું સ્મરણ પણ શ્રધ્યેય ભકતજનોના હૃદયને નતમસ્તક બનાવી ગુરુ તો તું જ એમ કહેવા માટેની શુભ ભાવના થાય છે.
જૈન સાધુઓએ રત્નત્રયીની આરાધનાની સાથે શ્રાવક શ્રાવિકોઓને ધર્માભિમુખ કરી ધર્મ પ્રત્યેની અડગ શ્રધ્ધા રહે તે માટે જિનવાણીનું શ્રવણ કરવાની મહામૂલી પ્રવૃતિ આદરી છે. અભ્યાસ અને ઉપદેશના પરિણામ સ્વરૂપે શાસ્ત્રજ્ઞાનની કઠિન વિગતોને પોતાની આગવી શૈલીમાં પુસ્તક રૂપે પ્રગટ કરી છે. તે દષ્ટિએ વિચારતા અન્ય મુનિઓની માફક આત્મારામજીએ જૈન સાહિત્યમાં કલમ ચલાવીને જૈનધર્મ અને તત્વજ્ઞાનના વિષયને સ્પર્શતા ૧૧ જેટલાં શાસ્ત્રીય પુસ્તકોની રચના કરી છે. એક તરફ શાસ્ત્રજ્ઞાનની શુષ્ક વિગતોને ગ્રંથસ્થ કરી તો એજ મહાત્મા એ સહૃદયતાથી ભાવધર્મની અભિવૃધ્ધિમાં ઉપકારક વૈવિધ્યપૂર્ણ પૂજાની રચના કરી છે. આ પ્રકારની રચનાઓ એમના પાંડિત્યની સાથે ભકતહૃદયની ભકિત ભાવનાને મૂર્તિમંત રીતે પ્રગટ કરે છે.
૧૮ સદીમાં પૂજા સાહિત્યનો વિકાસ થયો અને ભકિત માર્ગના એક ભાગરૂપે પૂજા લોકપ્રિય બની.
પૂજા સાહિત્યની રચના ૧૩માં શતકમાં જૂની અપભ્રંશ ભાષામાં કવિએ મહાવીર જન્માભિષેક કળશના નામથી કરી છે. તેમાં ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે ૧૬ માં શતકમાં શ્રાવક કવિ દેપાલે સ્નાત્રપૂજાની રચના કરી છે. તેમાં વરદ ભંડારી કૃત પાર્શ્વનાથ કળશ અને રત્નાકર સૂરિ કૃત આદિનાથ જન્માભિષેક કળશની રચના મિશ્રિત થયેલી છે તદુપરાંત સકલચંદ્ર ઉપાધ્યાયજી એ સત્તરભેદી પૂજાની રચના કરી છે. ૧૮ માં શતકમાં યશોવિજયજી ફત નવપદની પૂજા અને દેવચંદ્રજી કૃત સ્નાત્ર પૂજા ની રચનાઓ ઉપલબ્ધ થાય છે. આ રીતે સમય જતાં ભકિત ભાવનાના અભિનવ સ્વરૂપે પૂજા સાહિત્યની રચનાઓ વિશેષ રીતે પ્રગટ થઈ. ૧૯ મી સદીમાં કવિ પંડિત વીરવિજયજી એ નવાણું પ્રકારી, ચોસઠ પ્રકારી, પંચકલ્યાણક સ્નાત્ર પૂજાની રચનાથી પૂજા સાહિત્યને સમૃધ્ધ કર્યું છે.
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org