Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
ઉપરોકત ઉદાહરણમાં ભકિત ભાવનાનું ચિત્તાર્ષક અને ભાવવાહી નિરૂપણ થયેલું છે. વર્ણાનુપ્રાસની યોજનાથી મધુર પદાવલી બની રહે છે.
સત્તરભેદી પૂજા નરસિંહની પ્રેમલક્ષણા ભક્તિની સાથે સામ્ય ધરાવે છે. કવિની કવિતા કલાનો સાચો પરિચય પ્રાપ્ત થાય છે. આત્મારામજી સાચા કવિ તરીકે પ્રગટ થાય છે.
સ્નાત્રપૂજા કવિના પૂજા સાહિત્યમાં સ્નાત્રપૂજાની રચના કવિતા અને સંગીતકલાનો સુયોગ સાધે છે. સ્નાત્રપૂજા એ પ્રભુના જન્માભિષેકનું અનુસરણ કરતી રચના છે. દેવોએ મેરૂ પર્વત ઉપર પ્રભુનો જન્માભિષેક ઉજવ્યો હતો તેના અનુસરણ રૂપે જિન મંદિરમાં પ્રતિદિન અને મહોત્સવની વિધિમાં પ્રભુની સ્થાપના કરીને જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ પૂજામાં પ્રભુ ના જન્મ કલ્યાણક નું વર્ણન અને વિશદ માહિતી આપવામાં આવી છે.
આત્મારામજીની રચના પહેલાં કવિ દેપાલ, દેવચંદ્રજી, પદમવિજયજી, વીરવિજયજી વગેરે કવિઓએ સ્નાત્રપૂજાની રચના કરી છે. પૂજાની લોકપ્રિયતાની સાથે સ્નાત્રપૂજા પણ વિશેષ આદરપૂર્વક શ્રાવક - શ્રાવિકાઓ રાગ - રાગિણી યુકત વાજિંત્રના સહયોગથી ભણાવીને ભક્તિ રસની રમઝટ જમાવે છે. સ્નાત્ર પૂજા સાથે સામ્ય ધરાવતી અન્ય રચનાઓમાં શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત શાંતિજિન કળશ, શ્રીપદમવિજયજી કૃત શ્રી અજિતનાથ જિનનો કળશની સ્નાત્ર પૂજામાં મુખ્યત્વે પ્રભુના જન્મથી અખિલ વિશ્વમાં આનંદનું વાતાવરણ ફેલાય છે. અને તીર્થકરના જન્મથી હર્ષઘેલાં બનેલા દેવદેવીઓ ભારે ઠાઠથી મહોત્સવ ઉજવે છે. તેમાં પ્રભુની માતાને આવેલાં ૧૪ સ્વપ્ન, ૫૬ દિક કુમારિકાઓ, ૬૪ ઈંદ્રો અને ઈંદ્રાણીઓએ પ્રભુને ભક્તિ ભાવપૂર્વક સુગંધ યુક્ત દ્રવ્યોથી અને દુધનાં મિશ્રણથી અભિષેક કરવામાં આવે છે તે દર્શાવવામાં આવ્યું છે, સ્નાત્રપૂજાની રચના એક પદ્યનાટકની સમકક્ષ સ્થાન પામે તેવી છે.
કવિ આત્મારામજીની સ્નાત્ર પૂજા છ કાવ્યોમાં વિભાજીત થયેલી છે. પ્રથમ ઢાળમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન તીર્થકરોને કુસુમાંજલિ અર્પણ કરવાની વિગત છે. બીજી ઢાળમાં ભગવાન મહાવીરે વીસસ્થાનક તપ કર્યું. તેનો ઉલ્લેખ કરી માતાએ ૧૪ સ્વપ્ન જોયાં તેની સૂચિ આપી છે. ત્રીજીમાં ૫૬ દિકકુમારિકાઓનું જન્મ મહોત્સવમાં આગમન, ચોથીમાં ઈંદ્ર સુઘોષા ઘંટાનો નાદ કરીને બધા દેવોને આ મહોત્સવમાં પધારવા માટે સૂચન કરે છે. પાંચમીમાં ઉપસ્થિત દેવ દેવીઓ પ્રભુને અભિષેક કરે છે, તેનું વર્ણન છે અને છઠ્ઠીમાં પ્રભુ પૂજા કરીને દેવ દેવીઓ ઉલ્લાસથી ગીત ગાઈને નૃત્ય દ્વારા ભક્તિભાવ પ્રગટ કરે છે, તે પ્રસંગનું નિરૂપણ છે. અને ધમાચ રાગ ઉપરાંત કવિએ દુહા, કુસુમાંજલિની ઢાળ “કોયલ ટહુકી રહી મધુવનમેં વારિ જાઉરે કેસરિયા સામરા, ગુણ ગાઉરે લાગી લગન કહો કેસે ધરે પ્રાણ જીવન” દેશીઓનો પ્રયોગ કરીને સ્નાત્રપૂજાને ગેય રચના બનાવી
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org