________________
વિર ! મધુરી વાણી તારી
ભાવીમાં જે મહાદેવ થવાના છે તેમની વર્તમાન છદ્ભસ્થ અવસ્થામાં રાગ તો છે જ પરંતુ તે સંકલેશજનક રાગ નથી; તેમનામાં દ્વેષનો ઉદય તો છે જ પણ શરૂમપી ઈન્જનને ભડકે સળગાવે તેવા દાવાનળસમો એ ઠેષ નથી. અને મોહ તો ઉદયમાં છે જ પરંતુ સર્વ જ્ઞાનને ઢાંકી દે અને આચારને મલિન કરી નાંખે તેવો મોહ તો નથી જ. રાગાદિભાવોના સૂક્ષ્મ ઉદયો દસમા ગુણસ્થાન સુધી રહે છે અને મોહનો ઉદય બારમા ગુણસ્થાન સુધી રહે છે એટલે મહાદેવના છદ્મસ્થ જીવનમાં આ બધા ઉદયો તો સંભવે જ.
હવે પ્રશ્ન થાય કે જો આ રીતે જેમની છત્મસ્થ અવસ્થામાં સંકલેશાદિના જનક રાગાદિ ન હોય તે મહાદેવ કહેવાય એમ પહેલા બે શ્લોકનો અર્થ કરીએ તો મહાદેવ તરીકેની ભવસ્થ કેવળજ્ઞાનીની અવસ્થાનું મહાદેવનું સ્વરૂપ શું હોવું જોઈએ?
આના ઉત્તરમાં જ ત્રીજા શ્લોકનું પ્રથમ ચરણ છે એમ એ આચાર્યો કહે છે.
જે (જીવનમુક્ત દશામાં ભવસ્થ કેવલી દશામાં) વીતરાગ હોય, સર્વજ્ઞ હોય, શાશ્વત સુખના ભોકતા બન્યા હોય તે મહાદેવ કહેવાય. આમ પ્રથમના બે શ્લોકમાં છસ્થ અવસ્થાના મહાદેવનું સ્વરૂપદર્શન એ ત્રીજા શ્લોકના પ્રથમ પાદમાં ભવસ્થ કેવલી દશાના મહાદેવનું સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું છે એમ નક્કી થયું.
અહીં કદાચ કોઈ એવો પ્રશ્ન કરે કે છત્મસ્થ અવસ્થામાં કોઈ પણ વ્યક્તિને મહાદેવ કેમ કહેવાય? જ્યાં રાગાદિનો સભાવ છે તે દેવમાં વળી મહાનતા શેની? કેમકે તેથી પણ મહાન તો ભવસ્થ કેવલી છે જેમનામાં રાગાદિભાવનો સંપૂર્ણ નાશ થઈ ચૂક્યો છે. જ્યારે વધુ મહાનનું અસ્તિત્વ હોય ત્યારે તેથી નીચેની કક્ષાવાળાને મહાન કેમ કહેવાય?
આ પ્રશ્ન બરોબર નથી, કેમકે જો આવો જ ન્યાય સ્થિર કરવામાં આવશે તો ભવસ્થ કેવલીને પણ હવે મહાન નહિ કહી શકાય કેમકે તેમનાથી પણ વધુ મહાન તો મોક્ષપદને પામી ચૂકેલા કેવલી ભગવાન છે, જે ઈષ્ટ જ નથી માટે છ0 અવસ્થાના આત્માને પણ મહાત કહેવામાં કશું અનુચિત નથી. અસ્તુ.
જે વીતરાગ હોય તે મહાદેવ કહેવાય એમ કહીને સરાગી દેવોની મહાદેવતાનો પ્રતિષોધ કરવામાં આવ્યો છે.
કપિલ મહાદેવ ન હોઈ શકે? જે સર્વજ્ઞ હોય તે મહાદેવ કહેવાય એમ કહીને સાંખ્યમત પ્રણેતા કપિલની મહાદેવતાનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. કેમકે તેમના દર્શનથી જ કપિલ સર્વજ્ઞ ન હતા એ વાત સાબિત થઈ જાય છે.