Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 177
________________ વીર ! મધુરી વાણી તારી પણ આટલેથી એ આચાર્ય અટકી શકે નહિ. કેમકે આચાર્ય એ ગુરુ પણ છે. ગુરુ માત્ર સ્વમુખી સાધનાને-પરમુખી સાધના નિરપેક્ષ રહેવાના વિચારને સ્પર્શી પણ ન શકે. પોતે જે ધર્માચારને આત્મસાત્ કર્યો અને એનાથી આત્માનંદ પામ્યા એ સહુનો આપી દેવાની એમની ભાવના આસમાનને આંબતી જ હોય. સજ્જનોની તો એ વિશેષતા હોય છે કે પોતે પ્રાપ્ત કરેલી સિદ્ધિ બીજાને આપ્યા વિના કહી દીધા વિના રહી શકાય જ નહિ. સજ્જન શિરોમણિ આચાર્યો તો કરુણાના સાગર છે. અને તેથી જ આચાર્ય ગુરુપદને પામે છે કેમકે તેઓ શાસ્ત્રના એ સુખદ રહસ્યોને સાપેક્ષભાવે કહ્યા વિના રહી શકતા નથી. એટલે ગુરુ તે કહેવાય જે આચાર્ય છે. પંચાચારની સ્વમુખી સાધનાના આત્મસાત્ કરી જ રહ્યા છે. અને એ આચાર્ય તે ગુરુ હોવાથી પરોપકારપ્રધાન સ્વમુખી (કે પરમુખી!) સાધનાને પણ સાથે જ છે. આચાર વિહોણા ગુરુ આચાર્ય કહેવાય નહિ. શુદ્ધ પ્રરૂપણા વિહોણા આચાર્ય ગુરુ કહેવાય નહિ. શુદ્ધાચારનો કટ્ટર પક્ષપાત એ પણ એક વિશિષ્ટ આચાર છે. અશુદ્ધાચારની ઉઘાડે છોગે સાપેક્ષ કબૂલાત એ જ વસ્તુતઃ શુદ્ધપ્રરૂપણા છે. એના વિનાની શાસ્ત્રની વાતોને સત્યસ્વરૂપમાં રજૂ કરતી પ્રરુપણા એ શુદ્ધ પ્રરુપણા નથી. એને તો કદાચ નક્કર દંભ કહી શકાય. છવટમાં અશક્ય આચારના કટ્ટર પક્ષપાતી અને અશુદ્ધ આચાર-જીવનની સ્વૈચ્છિક સ્પષ્ટ કબૂલાત કરનારા કોઈ પણ આચાર્યને ગુરુ કહી શકાય. એવા કોઈ પણ ગુરુને આચાર્ય કહી શકાય. છેલ્લામાં છેલ્લી આ બે શરતોમાંથી એક પણ શરત જવા પામી હોય ત્યાં નથી ગુરુપણું, નથી આચાર્યપણું. દુનિયાની નજરે એ વ્યક્તિ ગુરુ અને આચાર્ય કહેવાતી હોય તો પણ. ઉક્ત ગુણસંપન્ન ગુરુ (આચાર્ય)ની ભક્તિ એ શુદ્ધ અષ્ટપુષ્પી પૂજાનું છઠું પુષ્પ છે. ગુરુભક્તિ વિના ગુરુકૃપા શક્ય જ નથી. અને જેને ગુરુકૃપા મળતી નથી એ સાધકો પોતાના જીવનમાં જન્માન્તરના પુણઅયથી ભલે કદાચ વિશિષ્ટ શક્તિઓ પ્રાપ્ત કરી જશે પરંતુ કૃપાવિહોણી એ શક્તિઓ એમના આં તર જીવનના ધનોતપનોત કાઢી નાંખ્યા વિના નહિ રહી શકે એવી વિનમ્ર સમજ છે.

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216