Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 188
________________ | |_ ૧૮૮ વીર ! મધુરી વાણી તારી શુક્લધ્યાનનો એ અગ્નિ સર્વઘાતી કર્મોને બાળી ભસ્મ કરી નાંખે. મુક્તિપદ હાથમાં આવીને પડે. યતિઓએ તો દેવાધિદેવનું શુદ્ધાષ્ટપુષ્મી પૂજન ન કરવું જોઈએ. પેલું દ્રવ્યસ્નાનપૂર્વકનું અશુદ્ધ-અષ્ટપુષ્મી પૂજન યતિઓ માટે તો બિલકુલ ઉચિત ન ગણી શકાય. જેજ્ઞાની છે એને મુક્તિ સિવાયનું કોઈ પણ પદ પામવાની ઝંખના જ હોતી નથી. અન્ય પદ પામવાની જેને ઝંખના જન્મે તેને જ્ઞાની યતિ કહી શકાય નહિ. માન-સન્માનના પદોથી જ્ઞાની તો નિરપેક્ષ હોય. ચક્રીના રાજ્ય પદ પણ જે ઈચ્છતો નથી તેને વળી ચાર છ હજારના ગુરુ બનવાના માન-સન્માન પદની તો પરવા હોય જ શેની? એવા પદ માટે જરૂરી પુણ્ય માટે તેમનો પ્રયત્ન જ ન હોય. પુણ્યના પણ નાશને લક્ષમાં રમાડતાં યતિને પુણ્યાઈના ચમકારાની અંજામણ શેની? નિર્વાણપદ એક જ લક્ષ ! નિર્વાણપદનો એક જ પક્ષ! આવા નિર્વાણેચ્છને તો શુદ્ધાષ્ટપુષ્મી પૂજન સિવાય બીજું કોઈ પૂજન સંભવી શકે નહિ. સદા ચાલતાં પૂજનની આ યાત્રામાં મહાલતા યતિને બીજી કોઈ યાત્રાની કામના ય ન હોય. હા. શુદ્ધ પૂજન માટે એ બધું કરે. તીર્થની યાત્રા ય કરે અને ઔષધિની માત્રા પણ લે. પરંતુ જ્યાં એ પૂજન નથી ત્યાં તો એ કશું જ ન ઈચ્છે.

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216