Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 186
________________ IL IL ૧૮૬ વીર ! મધુરી વાણી તારી જેમનું જતન કર્યું છે તે ઉક્ત આઠ પુષ્પોનું કાળજાના આનંદ સાથે સમર્પણ કરવું એ જ શુદ્ધ અષ્ટપુષ્મી પૂજન કહેવાય. - દેવેન્દ્રો પણ શુદ્ધ અષ્ટપુષ્પી પૂજા કરી શકતા નથી. નારકો ય તે પૂજન માટે અયોગ્ય ઠર્યા છે. કેમકે એક પાસે સુખની ટોચ છે જ્યારે બીજા પાસે દુઃખની. આ પૂજનનો અધિકારી માત્ર માનવ છે. તે સુખદુઃખની ટોચના છેડાઓ ઉપર બેઠો નથી. આજ્ઞાપાલન એ જ ભક્તિઃ દેવાધિદેવની સાચી ભક્તિ તેમની આજ્ઞાના પાલનમાં જ છે. તેમની આજ્ઞા છે; “પાંચમહાવ્રતોને નિરતિચારપણે પાળો. તે માટે ગુરુભક્ત બનો, તપસ્વી બનો, જ્ઞાની બનો.' ગમે તેટલા પૂજન કરો ગુલાબ પુષ્પોના. .. એનો કોી જ અર્થ નથી જો પૂજ્યની આજ્ઞા તરફ કટ્ટર પક્ષપાત ન હોય તો. ગમે તેટલા મહોત્સવો કરો શાસનપ્રબાવનાના....પરંતુ જો તો આજ્ઞાબાહ્ય હોય તો તેનું કશું ય મૂલ્ય નથી. ગમે તેટલા જપ જપો “અરિહંત'ના નામના, પણ જો અરિહંતની આજ્ઞા ઉપરજ પ્રેમ નથી તો તે જપ બધા ય એક પ્રકારનું ગપ્પ બની જાય છે. ધર્મ - ધાર્મિકતા? ચોમેર નજર નાંખશું તો કાંઈક ખેદ ઉત્પન્ન કરે તેવું વાતાવરણ નજરે નથી ચડી જતું શું? ધર્મ ઘણો થતો દેખાય છે. ધાર્મિક કોક જ દેખાય છે. ધર્મ કરવા છતાં ધાર્મિકતા દેકાતી નથી, મંદિરની બહાર નીકળતાંની સાથે જ જાણે કોી શયતાન પ્રવેશી જતો હોય તેવી રીતનું ભાવુકાત્માનું વલણ જોવા મળે છે. રે! મંદિરમાં ય મંદિરને ન છાજે તેવું ઘણું ઘણું જોવા નથી મળતું શું? ધર્મ તો ધાર્મિકોથી જ શોભે અને સંભવે. અધાર્મિકોના હાથમાં ધર્મ જાય તો ધર્મનો નાશ જ થાય. ધર્મ છે દાન, શીલ વગેરેનો. ધાર્મિકતા જોવા મળે છે દાનાદિધર્મોના આજ્ઞા પ્રત્યેકના કટ્ટર પક્ષપાતમાં.

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216