Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 187
________________ વિર ! મધુરી વાણી તારી ૧૮૭ ધર્મ ઘણો વધ્યો. પરંતુ એ આજ્ઞા-ધર્મો પ્રત્યે પક્ષપાતનું કોઈ નામ શોધ્યું જડતું નથી. દાન કરનારને ય તિજોરીમાં પડેલી લક્ષ્મી જ ખૂબ ગમે છે... જરા ય ખટકતી નથી. તો શું ત્યાં દાનધર્મનો કટ્ટર પક્ષપાત ગણાય? શીલધર્મ પાળનારાને ય ધાર્મિક કહેવાનું મન થતું નથી. કેમકે એના શીલધર્મમાં ય સીલવંતો પ્રત્યે કાજાનો નમસ્કાર જ જોવા નથી મળતો. તપધર્મ કરનારાઓને તપસ્વી કહેવા ગમતાં નથી. અતપસ્વીઓ પ્રત્યેનો તેમનો ધિક્કારભર્યો ભાવ જોઈને. ધર્મ વેદ અને જિનાજ્ઞાના પ્રેમની ધાર્મિકતા ઘટતી જાય એ કેટલું દુઃખદ ગણાય! ધર્મ ધડ છે. જિનાજ્ઞા પ્રેમ માથું ચે. મસ્તક વિનાના ધડના આકર્ષણ શા? મૂલ્ય શા? જ્યાં આજ્ઞાનો પ્રેમ નથી, આજ્ઞાની વિરાધના જ છે ત્યાં થતાં ધર્મના ગુણ ગાવાજેવા ગણાય કે કેમ તે એક પ્રશ્ન છે. રે! ધર્મ, આજ્ઞામાં કહ્યો છે. અહિંસાદિમાં નહિ. અધર્મ અવજ્ઞામાં કહ્યો છે, હિંસાદિમાં નહિ. તો પછી ધર્માર્થી આત્માઓએ જીવનમાં આજ્ઞાપ્રેમ અને વિજ્ઞા-તિરસ્કાર કેટલો કેળવવો જોઈએ? લાખો લોકોને દાનાદિધર્મથી વાસિત કરી દેનારો આત્મા પણ જો આજ્ઞાનો પ્રેમી નથી તો તેને પરોપકાર કરનારો કહેવાતો નથી. એના નિમિત્તે લાખો આત્મા ઉપર ઉપકાર થઈ જાય છે એટલું જ. અને એક મુમુક્ષુ આજ્ઞાને વફાદાર છે, શક્ય એટલું સઘળું આજ્ઞાપાલનનું જીવન જીવે છે. પણ પુણ્યની અલ્પતાને કારણે પરોપકારનો ધર્મ આચરી શકતો નથી છતાં તે જ વસ્તુતઃ પરોપકાર કરનારો કહેવાય છે. તેના આજ્ઞાધીન જીવનથી કુશલાનુબંધી પુણ્યનું જે જંગી ઉત્પાદન થાય છે તે જ જન્માન્તરોમાં તેને વિપુલપુણ્યનો સ્વામી બનાવી દે છે. અગણિત પરોપકારોની હારમાળા સર્જાવે છે. આવું આજ્ઞાધીન જીવન એ જ દેવાધિદેવનું શુદ્ધ-અષ્ટપુષ્મી પૂજન. આ જીવન અવશ્ય મુક્તિપદ આપે. કેમકે આ આજ્ઞાધીના શુદ્ધ જીવન છે. પૂર્વોક્ત દ્રવ્યસ્નાન વગેરેમાં સંભવિત જીવહિંસાના પાપનું અહીં મિશ્રણ થતું જ નથી. જો મુમુક્ષુની શુદ્ધિ જરાક જોર કરી જાય તો ક્ષપકશ્રેણિ જ પ્રાપ્ત થાય,

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216