Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji
View full book text
________________
૧૮૨
વીર ! મધુરી વાણી તારી
તો કરે જ.
ત્રીજું ભાવનાજ્ઞાન છે. આત્માની રગેરગમાં પરિણમી ગયેલું જ્ઞાન કે જે પછી જીવનના અશુભ આચારોને જોરદાર આંચકો આપીને ફેંકી દીધા વિના ઝાલ્યું રહી શકતું નથી.
માટેસ્ટો એને અમૃતની ઉપમા આપી છે. ભૂખ મટાડે તરસ છીપાવે.... સદા માટે.. ફરી કદી જાગે નહિ.
એક લાખ રૂપિયાના એક કરોડ નયા પૈસા.. કેટલો ભાર! માત્ર શ્રુતજ્ઞાન આવા ભારસ્વરૂપ છે.
એક લાખ રૂપિયાના દસ હીરા.... ભાર તો શમ્યો પણ સાચવવાનો ભય કેટલો? ચિત્તાજ્ઞાન કાંઈક આવું છે.
એક લાખ રૂપિયાની હીરાની વીંટી. આંગળી ઉપર ચડી ગયેલી. ભારનું નામ નહિ; સાચવણીની ચિંતા નહિ.
ભાવનાજ્ઞાન આવું છે.
જીવનમાં ઊતરી ગયા વિના એ જ પતું નથી. પરિત્તસંસારી ભવ્યાત્માને જ ભાવનાજ્ઞાન હોઈ શકે. આંખો તો નબળી પડી જ છે. જગતને યથાવત્ રૂપમાં જોવા માટે ભાવનાઓના ચશ્મા ચડાવવા જ રહ્યા.
ચશ્મા ચડાવીને નિહાળો જગતને! ત્રીસી જશો. નરી આંખે ન દેખાતી વિનાશિતા સર્વત્ર દેખાશે.
અશુચિના ગંજમાં દટાયેલું જગત દેખાશે, સ્વાર્થ પ્રપંચના જ ખેલો ખેલતું દેખાઈ જશે. હાથમાં હાથ મિલાવીને ચાલતા બે જીવો વચ્ચેના વિરાટ અંતર નજરે ચડી જશે.
ખરે અવસરે છટકી જતી દુનિયાની નિર્દયતા દેખાઈ જતાં અંતર નિસાસો નાંખી
દેશે.
પોતાની એકલવાયી સ્થિતિનું દર્શન થઈ જતાં આંખો રડી ઊઠશે. બીજું ય ઘણું ઘણું જોવા મળશે ભાવનાઓના ચશ્મા પહેરવથી. પછી ત્મા કો'ક ઊંડા મંથનમાં ગુમભાન થવાશે.
પ્રપંચમય વિશ્વને જુલમગાર માન્યા પછી શરણું શોધવા નીકળશે કોઈક હિતેષીનું; લગાવશે આંખે દૂરબીન તીવ્ર જિજ્ઞાસાનું અને જગતના ખૂણાઓમાં,

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216