________________
વીર ! મધુરી વાણી તારી
આદિમાં રહેતો મૈં કાર છે, જેમાં અગ્નિબીજ ર કા૨ છે અને જેની ઉ૫૨ શૂન્ય સ્વરૂપ આકાશ છે.
૭૬
આ રીતે એ શાસ્ત્રમાં અર્જુના ધ્યાનનો વિધિ બતાવ્યો પરંતુ આ વિધિ મોક્ષપદનો અવશ્ય પ્રાપ્ય નથી. કેમકે અર્જુના જપ માત્રથી રાગાદિ આંતર શત્રુઓનો વિનાશ થઈ શકત જ નથી.
એવું ઘણીવાર જોવા મળે છે કે અર્જુના જપનું જ પુષ્કળ ધ્યાન ધરનારાઓ પણ જ્યારે એ જપથી નિવૃત્ત થઈને બીજા કોઈ ભોજનાદિ કાર્યમાં વ્યગ્ર થાય છે ત્યારે તેમનામાં ભોજનાદિનો તીવ્રરાગ ‘એવો ને એવો' જોવા મળે છે. એ વખતે પેલા જપની કોઈ જ અસર એમના જીવનમાં દેખાતી નથી.
રાગાદિનો નાશ તો ત્યારે જ થાય જ્યારે એ રાગાદિ શત્રુઓની ભયંકર દુષ્ટતાને વારંવાર વિચારવામાં આવે, એ શત્રુના મિત્ર બનતા આત્માની ભાવીમાં થનારી કારમી દુર્દશાઓનો વિચાર કરવામાં આવે.
આવા રાગાદિના અપાય અને વિપાકોનું જેઓ વારંવાર ધ્યાન ધરે છે તેઓ તે ધ્યાનથી નિવૃત્ત થયા પછી પણ ભોજનાદિના કાળમાં રસ-લોલુપી બની જતાં દેખાતા નથી.
આવા રાગાદિના અપાય અને વિપાકોનું ચિંતન કરનાર આત્મા એ પાપોથી સર્વથા મુક્ત થયેલા પરમાત્માઓનું ધ્યાન ધરે છે તે બેશક તેમના જીવનમાં મોક્ષમાર્ગ પ્રતિ ઝડપી વેગ લાવી દે છે. આ બાબત અંગેની વધુ વિચારણા મેં મારા ‘વંદના’ નામના પુસ્તકમાં કરી છે. વિશેષ જિજ્ઞાસુને ત્યાંથી જોઈ લેવા મારી ભલામણ
છે.
ટૂંકમાં રાગાઘપાયાદિના ચિંતનસ્વરૂપ ધ્યાનવિધિ એ જ મોક્ષપ્રાપક-આત્યન્તિક વિધિ છે. એ ચિંતનગર્ભિત અર્જુનું ધ્યાન પણ સમુચિત છે. પરંતુ માત્ર અહંના જપનું સેવન કે અર્જુનું ધ્યાન તો મોક્ષપ્રાપક વિધિ જ રહી શકાય.
એટલે એવો વિધિમાર્ગ બતાડનાર શાસ્ત્ર કષ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થયું ન કહેવાય.
ટૂંકમાં જે શાસ્ત્રોના વિધિ અને પ્રતિષેધ વાક્યો આત્યંકિ ફળ (મોક્ષ)ના પ્રાપક બની શકે તે શાસ્ત્રો કષ પરીક્ષામાં જ અનુત્તીર્ણ થઈ જાય છે. એમને છેદાદિ પરીક્ષામાં બેસવાનું જ રહેતું નથી.