________________
વીર ! મધુરી વાણી તારી
મુકાય. હમણાં જ આપણે સ્વમતિકલ્પનાથી નિર્દોષ પણ ગોચરી કરનાર સાધુને આજ્ઞા-વિરાધક કહ્યા ને? - જિનભક્તિને કારણે તીર્થયાત્ર માટે જ ઉગ્ર વિહારો કરનારાઓના જીવન આજ્ઞાબાહ્ય કહેવાય છે.
જમાનાના નામે ષકાયવિરાધના કરનારાઓની પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય છે. શાસ્ત્રીય દ્રવ્યક્ષેત્રકાળભાવથી સાવ જ વિહોણી છે.
સ્ત્રીવર્ગને ધર્મ પમાડી દેવા સ્વરૂપ જિનભક્તિના નામે પુરુષોના વર્ગમાં પ્રકાશમાં આવી જવાની સાધ્વીવર્ગની પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય છે.
ગુરુભક્તિના નામે સમજદાર શ્રાવકોની સાધુ માટેની ગોચરી પાણીની ભક્તિ આજ્ઞાબાહ્ય છે. ધર્મપ્રચારસ્વરૂપ જિનભક્તિના નામે ગ્રામાનુગરામ ડોળીમાં ફરવાની અતિબુઝર્ગ સાધુનિ પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય છે.
ગૃહસ્થોના ઉત્કર્ષ માટે ગૃહત્યાગીઓની સીધી દેખરેખની પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય છે.
આજ્ઞાબાહ્ય પ્રવૃત્તિને પણ આજ્ઞાના છત્ર નીચે મૂકવાની વાતો કર્યા વિના કોઈને ચાલે તેમ નથી. પરંતુ તેવી વાતો કરવા માત્રથી આજ્ઞાબાહ્ય પ્રવૃત્તિઓ આજ્ઞાગર્ભિત બની શકતી નથી.
જિનશાસનમાં અહિંસાને પણ પરમ ધર્મ કહેવાતો નથી. અહીં તો આજ્ઞાને જ ધર્મ કહ્યો છે. પછી તે આજ્ઞામાં દેખીતી હિંસા હોય તો ય તે આજ્ઞા ધર્મ છે. અને આજ્ઞાબાહ્ય પ્રવૃત્તિમાં દેખીતી અહિંસા હોય તો ય તે અધર્મ બની જાય છે.
માટે જ સાધુઓની યથાવિધિ નદી ઉતરવાની પ્રવૃત્તિને અને ગૃહસ્થોની યથાવિધિ અષ્ટપ્રકારની પૂજાની કે જિનમંદિર નિર્માણની પ્રવૃત્તિને ધર્મ કહ્યો છે કેમકે એવી જ જિનાજ્ઞા છે. યથાશક્તિ'નો અર્થ :
આ સઘળી ચર્ચાનો સાર એ નીકળ્યો ક દુઃષમાકાળમાં પણ આજ્ઞાભ્યાસ શક્ય છે. પોતાની શક્તિને જરાક પણ ગોપવ્યા વિના ગુરુપરતંત્ર જે મુમુક્ષુઓ આજ્ઞાભ્યાસ સેવે છે તેઓ અવશ્ય મુક્તિપદનું ફળ પામે છે.
જેમ શક્તિથી વધુ પડતા બહાર જઈને ઉદ્યમ ન કરવો તેમ શક્તિને જરા પણ ગોપવીને ય જિનાજ્ઞાભ્યાસનો ઉદ્યમ ન કરવો. “યથાશક્તિ' શબ્દમાં આ બે ય અર્થો