________________
વીર ! મધુરી વાણી તારી
પણ દ્રવ્યસ્નાન આવકારદાયક છે. કેમકે આ જ દ્રવ્યસ્નાનનું સારું કહી શકાય તેવું એક વૈશિષ્ટ્ય પણ છે. તે છે શુભ ભાવનું ચિત્તમાં ઝડપી ઉત્પાદન કરી દેવાનું.
૧૦૯
આં કદાચ કી પ્રશ્ન કરે કે દ્રવ્યસ્નાનથી ગૃહસ્થને શુભભાવની વૃદ્ધિ જ ન થાય અને કામોત્તેજના તથા વિભૂષાનું અભિમાન જ ઉત્પન્ન થાય તેવી જ વધુ શક્યતા છે એમ કેમ ન કહી શકાય ?
આનું સમાધાન એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ જે ગૃહસ્થો ભૂમિપ્રેક્ષણા કરે અને પાણીમાં સંભવિતક જંતુને દૂર કરવા પાણી ગાળવા વવગેરેની જયણાઓ પાળે, વળી પોતાની નજર સામે પૂજ્ય પુરુષોના પૂજન વગેરે કરવાનો ઉલ્લસિત ભાવ રમતો હોય તો તેવી કાળજીવાલા ગૃહસ્તોને દ્રવ્યસ્નાનથી કામોત્તેજનાની કે અભિમાનના પોષણની શક્યતા નહિવત્ બની જાય છે. પછી તો દ્રવ્યસ્નાનથી સંભવિત શુભભાવની વૃદ્ધિની જ શક્યતા ખૂબ જોરદાર બની રહે છે.
સદા પ્રાયઃ સર્વ પ્રકારના અશુભભાવોમાં જ જરાતરામાં લપસી પડતા ગૃહસ્થને તો જે કોઈ ઉપાયથી શુભભાવની પ્રાપ્તિ શક્ય બનતી હોય તે ઉપાય તો સત્વર હાથ કરવા જેવો છે. જો ત્યાં પણ બીજા અનિષ્ટોની સંભાવનાઓનો વિચાર કરીને ઈષ્ટપ્રાપ્તિને ટાળી દેવાનો યત્ન કરવામાં આવે તો તે ગૃહસ્થોને તો આ
સંસારસાગરથી પાર ઊતરવા માટે કોઈ જ રસ્તો રહેતો નથી.
વસ્તુતઃ તો ભક્તિ અને વિધિપૂર્વકના તથા શુભાશયપૂર્વકના દ્રવ્યસ્નાનથી કામોત્તેજના વગેરેના અનિષ્ટની શક્યતા જ નથી. આ વાત આગળ ઉપર આપણે વિચારશું.
અહીં તો આપણે એટલું જ તારણ નક્કી કરી લઈએ કે બાહ્ય સ્થૂલ-જડ દૃષ્ટિએ દ્રવ્યસ્નાનમાં ત્રણ દોષો દેખાય છે. (૧) જીવ હિંસા (૨) કામોત્તેજના (૩) વિભૂષાનું અભિમાન.
જ્યારે ગુણ એક દેખાય છે. ભાવશુદ્ધિની શક્યતા.
ઉક્ત ત્રણે ય દોષમાં ખીચોખીચ બૂડેલા ગૃહસ્થને શુભાશય અને શાસ્ત્રોક્તવિધિ મુજબનું દ્રવ્યસ્નાન કરવાથી દ્રવ્યસ્નાનથી એ ત્રણ દોષો ફરી લાગવાની, કે જૂના એ દોષો વધવાની શક્યતા જ રહેતી નથી. જ્યારે અશુભભાવોના જ વાયુમંડળનાં પુરાયેલા ગૃહસ્થને વિધિ દ્રવ્યસ્થાનથી જીવહિંસાદિના અશુભભાવો જાગવાની શક્યતા જ મરી જાય છે અને શુભભાવોના ઉછાળા અનુભવવાની શક્યતા ખૂબ જ