________________
૧૬૨
વીર ! મધુરી વાણી તારી
છે તે બધા ય શેયપદાર્થો માત્ર કેવળજ્ઞાનના પ્રકાશથી જાણી લેવાય છે એટલે પછી બાકીના ચાર ગુણો અનર્થક બની જાય છે. આ અનર્થકતાને કારણે જ શાસ્ત્રમાં તે ચાર ગુણોને કેવળજ્ઞાન પ્રગટ થતાં નષ્ટ થઈ જવાનું જણાવ્યું છે. ખરેખર તેમનો સંપૂર્મનાશ થઈ જતો નથી.
એક વસ્તુ નકામી થઈ જાય છે ત્યારે તે નાશ પામ્યા બરોબર જ કહેવાય છે. જિનબિંબમાં અવસ્થાત્રયની કલ્પનાનું ખંડનઃ
કેટલાક કહે છે કે જિનબિંબની જે અંજનશલાકા થાય ચે તે વખતે જન્માભિષેકાદિ કલ્યાણકોની ઉજવણી થાય છે તેમાં પ્રતિમાની ત્રણ અવસ્થાઓ કલ્પવામાં આવે છે. જ્યારે પ્રતિમાને જન્માભિષેકસૂચક નાનાદિ કરાવવામાં આવે છે ત્યારે પ્રતિમામાં બાલ્યાવસ્થાની કલ્પના કરવામાં આવે છે. કેમકે જન્માભિષકનું સ્નાન તો જિનેશ્વર દેવોની ગૃહસ્થાવસ્થાના બાલ્યકાળમાં જ કરવામાં આવ્યું હતું.
એજ રીતે પ્રતિમાને રથમાં સ્થાપિત કરવાની તથા પ્રતિમાને પુષ્પપૂજા કરવાની ક્રિયા કરતી વખતે પ્રતિમાને જિનેશ્વરની સંસારનિષ્ક્રમણની અવસ્થામાં કલ્પની જોઈએ. કેમકે તે ક્રિયાઓ દીક્ષા કલ્યાણક વખતની ગહસ્થાવસ્થામાં થાય છે.
જ્યારે ચૈત્યવંદનાદિ કરતાં પ્રતિમાની કેવલ્ય અવસ્થા કલ્પની જોઈએ. આમ બે અવસ્થા ગૃહસ્થ દશાની કલ્પાય અને એક અવસ્થા કેવલ્યદશાની કલ્પી શકાય.
આ મંતવ્ય બિલકુલ ઠીક નથી. કેમકે જ્યારે આઠ ય કર્મોના આવરણોના નાશ પછીની સ્થિતિવાળા પરમાત્માની પૂજા કરવામાં આવે છે ત્યારે એ પૂજા પરમાત્માની ગૃહસ્થાવસ્થાની કલ્પના સાથે સંભવી શકતી જ નથી. માત્ર કેવલ્યદશાની અવસ્થાને જ નજરમાં રાખીને પૂજક પૂજા કરતો હોય છે.
પ્ર. તો શું કેવલ્યદશાના વીતરાગચારિત્રીને સ્નાન, પુષ્પપૂજન વગેરે ઘટે ખરા? જો હા કહેશો તો પછી સરાગચારિત્રી સાધુનું પણ સ્નાનાદિ દ્વારા પૂજન કેમ ન થઈ શકે ? | ઉત્તર-વીતરાગ ચારિત્રીને ઘટતી વાતોનું સરાગ ચારિત્રી માટે આલંબન ન લેવાય.
પ્ર. વીતરાગ ચારિત્રીનું પણ સરાગચારિત્રી આલંબન લઈ શકે છે એ હકીકત છે. અને તેથી જ તો એક વાર ભગવાન મહાવીરે અત્યંત તૃષાર્ત સાધુઓને તળાવનું અચિત્ત થઈ ગયેલું પાણી લેવાની અનુજ્ઞા આપી ન હતી. પોતે તે પાણીને “અચિત્ત