________________
વીર ! મધુરી વાણી તારી
૩૯
ભારતના માજી એટર્ની જનરલ શ્રી મોતીલાલ સેતલવડ કાયદાશાસ્ત્રનું સંપૂર્ણજ્ઞાન ધરાવે છે માટે તે વિષયના તેમને સર્વજ્ઞ કેમ ન કહેવાય?
ભારતીય સંગીતના સાત સ્વરોના ઝીણામાંઝીણા રાગના અઠંગ ઉપાસક પંડિત ઓંકારનાથ ઠાકુર તે વિષયના સર્વજ્ઞ જ કહેવા જોઈએ.
હજામતના કરવાના તમામ પ્રકારોનો જાણકાર હજામ એ વિષયનો સર્વજ્ઞ જ ગણાય; જોડાની તમામ જાતોનો પ્રણેતા કોઈ મોચી એ વિષયનો સર્વજ્ઞ જ ગણાય, અને ઉકરડામાં કરોડો રૂપિયાની કમાણી કરાવી આપતો દિલ્હીની મ્યુનિસીપાલિટીનો એક ખંતીલો કાર્યકર ઉકરડાના જ્ઞાનનો સર્વજ્ઞ જ કહેવાય.
ડૉ. સુમંત શાહ પાસે વિશ્વવિખ્યાત ક્રિકેટર ગેરી સોબર્સની ફાંફડી ગોલંદાજીની જાણકારીની થોડી જ અપેક્ષા રાખી શકાય?
શ્રી મોતીલાલ સેતલવડ ઉરડા શાસ્ત્રના પણ જાણકાર હોવા જ જોઈએ નહિ તો સર્વજ્ઞ નહિ, એવી અપેક્ષા કેમ રાખી શકાય?
કારનાથ ઠાકુર પાસે હજામતના તમામ પ્રકારોનું જ્ઞાન કેમ અપેક્ષિત રાખી શકાય?
જો સર્વજ્ઞ એટલે સર્વ પ્રકારના સર્વજ્ઞાનના સંપૂર્ણ જાણકાર અર્થ કરશો તો ભલે ઉપરોક્ત વ્યક્તિઓ સર્વજ્ઞ નહિ મનાય પરંતુ ભગવાન જિનેશ્વરોને જતના તમામ વિષયોના સંપૂર્ણ જ્ઞાતા કહેવા પડશે. શું આ વાત સહુને માન્ય છે?
બોગરસિક આત્માઓની આવી વાતો છે. વર્તમાનમાં આવા કુતર્કવાદીઓના તો રાફડા ફાટ્યા છે. ચોમાસામાં અગણિત અળસીઆ અખાએક ઊભરાય તેમ ગામે ગામે, ઘર-ઘરમાં ભોગરસિક અળશીઆઓ ઊભરાય છે. એમની જાતે જ એ મરે અને એમની જાતે એ જન્મીને જીવે એવી આ જાત છે.
ચાલે છે ક્યારેક એવાઓના પણ મતો એમના પુણ્યના જોરે અને થઈ પડેલા બે-ચાર ભક્તોની મમતના સહિયારે! સો બસો પાંચસો વર્ષ જીવી કાઢે છે એવા મતો, પણ અંતે આપમેળે ઘસાતાં ઘસાતાં રામશરણ થઈ જાય છે.
કોઈને સત્ય સમજાવવું એ ધર્મ હોવા છતાં કદાગ્રહીને સત્ય સમજાવવાનો પ્રયત્ન કરવો અને કરુણાસાગર જિનેશ્વરોએ પાપ કહ્યું છે. કદાગ્રહી માટેની કરુણા સમાઈ છે તેમને કશું ન કહેવામાં.
કહેવા જતાં વધુને મમતે ચડીને વધુ પાપ બાંધે તે કરતાં ન કહેવામાં એ પાપો ન બંધાવવામાં કરુણા છે.